________________
આનંદ પ્રવચન દર્શન આયુષ્ય ભેગવીએ ત્યારે બીજે દિવસ મળે છે. પાંચમાનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે જ છાનું આયુષ્ય મળે છે. એટલે એકને ખર્ચ કરીએ છીએ ત્યાર પછી બીજ આવે છે. આ પ્રમાણે વહેતા પાણીની માફક આખી જિંદગી ચાલી જાય છે. જેમ એકાદ દારૂડિયે દારૂ પીને પડે છે અને તેને જગતનું ભાન હેતું નથી. પોતાના હિતાહિતનું ભાન હેતું નથી. પોતાની કીર્તિ, પ્રતિષ્ઠાનું ભાન હતું નથી, અને સમય પસાર થઈ જાય છે, તે જ પ્રમાણે આ જીવાત્માને પણ તેને હિતાહિતનું ભાન હેતું નથી. અને જીવાત્મા કાળ પસાર કરીને કર્મોમાં બંધાતે જાય છે. આત્માને પણ એ વાતનું ભાન રહેતું નથી કે હું કોણ છું ? કયાંથી આવ્યો છું? કયાં જવાનો છું? અને મારી શી ગતિ થવાની છે ! આ જીવ પિતે એમ પણ નથી વિચારતે કે મારું સ્થાન ક્યાં છે? અને હું અહીં કયાંથી અને કેવી રીતે આવ્યો છું ?
શરીરનું રત્ન કયું? માણસ જેમ દારૂ પીએ છે અને પછી મસ્ત થઈને રસ્તામાં પડે છે તેમ આ આત્મા મેહમદિરા પીને મસ્ત બન્યો છે, અને તે : જગતમાં પડે છે ! તેને પિતાના સ્વાર્થને પણ ખ્યાલ નથી, અને પિતાની ચીજને પણ ખ્યાલ નથી. તમે શરીરના રત્નને આંખ ગણે છે, આંખના જે શરીરને બીજે કઈ પણ અવયવ તમે કિંમતી માનતા નથી. એ આંખને લોકે રત્ન કહે છે, રત્નને આ જગત જુએ છે. આપણી આંખ તે આ દુનિયાને જુએ છે. બધી વસ્તુનું અવલોકન કરે છે, અને તેનું આપણને જ્ઞાન થાય છે, છતાં એ આંખમાં પણ એક મોટી ખેડ એ છે કે તે આખા જગતને જુએ છે, પરંતુ પોતાને જ તે જોઈ શકતી નથી !!
આ જીવ શરીર ધારણ કરે છે એટલે પહેલવહેલે તે માતાને અને તેના સ્તનને જુએ છે, અને તે જ આખી દુનિયા છે એમ સમજે છે! મેટ થયે એટલે રમતમાં પડે. ત્યાં બાલમિત્રોને જ ઝિંખે છે અને તે મળ્યા એટલે બધું મળ્યું એમ માને છે. નિશાળે