________________
ભવ્ય
૧૯
ભવ્યપણું પારખે કેણુ?. જૈનશાસ્ત્ર કહે છે કે કેટલાક જીવ મોક્ષે જવાને લાયક છે. કેટલાક નાલાયક છે. જે લાયક છે, તે ભવ્ય છે. જે નાલાયક છે તે. અભવ્ય છે. એ ભવ્યાભવ્યના નિર્ણય વગર ધર્મ કરે તે આંધળ. બહેરું કુટાવા જેવું છે. ત્યારે હવે આગળ વધે; આ જીવે પહેલાં નિર્ણય કરવાનું હતું કે હું ભવ્ય છું કે નહિ. જે હું ભવ્ય હોઉં તો જ્ઞાનાદિક માટે જે ઉદ્યમ કરું તે સફળ થશે, પણ કદાચ હું અભવ્ય હોઉં તે જ્ઞાનાદિક માટે કરેલે ઉદ્યમ નકામે જાય, આ શંકા એની ખસવાની નહિ, માટે જ્યારે પિતાના ભવ્યપણાની ખાતરી થાય ત્યારે જ જીવ ડગલું ભરે. ભવ્યપણને નિર્ણય થયા વિના જવ જે ડગલું ભરે તે આંધળે બહેરું કુટાયા જેવું થાય. તમે કબૂલ કરો છો કે કયા જીવમાં ભવ્યપણું રહેલું છે અને કયા જીવમાં અભવ્યપણું રહેલ છે તે માત્ર કેવળી જાણે છે, બીજે નહિ.
કેવળી શી રીતે થયા? ભવ્યાભવ્યપણું એ પરિણામિકભાવ છે. જીવપણું, અજીવપણું, ભવ્યપણું, એ પણ પરિણામિકભાવ છે. જે જીવને જાણે છે, તે જ માણસ જવના પરિણામિકભાવ ભવ્યપણું, અભવ્યપણું વગેરે પણ જાણી શકે છે. જેમ જે માણસ ઘડિયાળને જોઈ શકતો નથી, તે. ઘડિયાળમાં કેટલા વાગેલા છે તે શી રીતે કહી શકે? તે જ પ્રમાણે જે જીવ જીવને ઓળખી શકેલ નથી, તે જીવના પરિણામિકભાવને. પણ જાણી શકે જ નહિ એ સ્પષ્ટ છે.
જીવ–શુદ્ધ વરૂપવાળા જીવને કેવળજ્ઞાની સિવાય બીજે કઈ જાણી શકે નહિ. તે પછી જીવને સ્વભાવને પણ બીજે કણ જાણું શકે? કેવળી તમારા જીવને જુએ, તેમાં રહેલું ભવ્યપણું જુએ અને તમને કહે કે તમે ભવ્ય છે તે તમારે જ્ઞાનાદિક માટે ઉદ્યમ કર, નહિ તે નહિ; એટલે પરિણામ શું આવશે તેનો ખ્યાલ કરો. કેવળી તમે ભવ્ય જીવ છે એમ ન કહે ત્યાં સુધી શું તમારે જ્ઞાનાદિક