Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી રાજ-સોભાગ સ્મારક ગ્રંથમાળા
પુષ્પ ૧લું
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાર્ગ પ્રકાશ
તથા
米米米米米米米老老老老老決米米米米米米米米米米米
શ્રીમદ્ રાજચંદ્રના પરમસખા શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
શ્રી રાજ-શોભાણ સત્સંગ મંડળ
સોભાગપરા, સાયલા-૩૬૩ ૪૩૦
For Personal & Private Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી રાજ-સોભાગ સ્મારક ગ્રંથમાળા
પુષ્પ-૧લું
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાર્ગ પ્રકાશ
શ્રીમદ રાજચંદ્રના પરમસખા શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
તથા
{a-la
અણ ગ
20
સાયલા
મંડળ
શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા-૩૬૩ ૪૩૦ જિ. સુરેન્દ્રનગર
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
-: પ્રકાશક :શ્રી પ્રકાશન સમિતિ, શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ શ્રીમ રાજ શોભાગ આશ્રમ
સાયલા - ૩૬૩૪૩૦, | જિલ્લો સુરેન્દ્રનગર
પ્રથમ આવૃત્તિ: વિક્રમ સંવત ૨૦૩૮
પ્રત ૨૦૦૦, ઈ. સ. ૧૯૮૨
બીજી આવૃત્તિ: વિક્રમ સંવત ૨૦૪૫
પ્રત ૧000, ઈ. સ. ૧૯૮૯
ત્રીજી આવૃત્તિ વિક્રમ સંવત ૨૦૫૪
પ્રત ૧૦૦૦ ઈ. સ. ૧૯૯૭
-: પ્રાપ્તિ સ્થાન :
શ્રીમદ્ રાજ-સોભાગ આશ્રમ સાયલા-૩૬૩૪૩૦, જિલ્લો સુરેન્દ્રનગર
-: મુદ્રક :
દુંદુભિપ્રિન્ટર્સ અમદાવાદ-૩૮૦ ૦૦૯ ફોન : ૦૭૯-૬૫૮ ૪૧ ૮૬
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્રદર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.
આ અનાદિ અનંત સંસારમાં અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે.
તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.
હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.
હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારા વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે, માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.
હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો.
(આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ-૨-૨૦ પાન નં. ૨૪).
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
ti/
બે બોલ ભગવાન મહાવીરના શાસનમાં બતાવેલ મોક્ષમાર્ગમાં છેલ્લા ૨૫00 વર્ષમાં કેટલાય આવરણ આવી ગયા. તેમના બોધેલા આગમના કેટલાક ભાગો ઉપલબ્ધ નથી અને છેલ્લા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પછી કોઈ પ્રબળ શક્તિશાળી આચાર્ય થયા નહિ. જો કે ૧૯મા સૈકા સુધી પૂ. શ્રી આનંદઘનજી મહારાજ સાહેબ, પૂ. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી, પૂ. શ્રી દેવચંદ્રજી મ. સા. આદિ થયા, તો પણ પંચમકાળના હિસાબે અને બળવાન ક્ષયોપશમથી પુરુષના અભાવે દિગંબર, સ્થાનકવાસી, શ્વેતાંબર, તેરાપંથી આદિ મતમતાંતરથી જુદા પંથોની ઉપસ્થિતિ થઈ અને મૂળ મહાવીર ભગવાનના શાસનના મોક્ષમાર્ગમાં જાળાં બાઝી ગયા.
એમાં વવાણીયા મુકામે મહાન પુણ્યશાળી આરાધક મહાત્મા શ્રીમદ્ રાજચંદ્રજી થયા, (વિ. સં. ૧૯૨૪ થી ૧૯૫૭) જેઓને ૩૬ વર્ષની ઉંમર પછી સર્વસંગ પરિત્યાગ કરી માર્ગ પ્રકાશવાની ભાવના હતી. તેમાં અકાળે ૩૩મું વર્ષ પૂરું થયા બાદ છ માસમાં તેમનો દેહ વિલય થતાં, તે માર્ગ તેઓશ્રી ધારતા હતા તેવી રીતે પ્રકાશી શક્યા નહીં. છતાં અત્યારે જે “શ્રીમદ્ રાજચંદ્ર” નામનું પુસ્તક છે તેના વચનામૃતમાં કેવળબીજસંપન્ન શ્રી સોભાગભાઈ તથા પૂ લલ્લુજી મહારાજ સાહેબના પત્ર-વ્યવહારમાં ગુજરાતી ભાષામાં તે માર્ગ પ્રકાશતા ગયા છે, અને તેનું સાહિત્ય પ્રસિદ્ધ થયું છે અને થતું આવે છે, છતાં સૌરાષ્ટ્રમાં આવેલ ભગતનું ગામ શ્રી સાયલાના શ્રી સોભાગભાઈના વેલાના ભક્તોને વારસામાં જે ચાલ્યું આવે છે તે પ્રત્યે ઉપરના સાહિત્યમાં જોઈએ તેટલું લક્ષ દોરાયું હોય તેમ લાગતું નથી તેથી “શ્રી રાજ- સોભાગ સ્મારક ગ્રંથમાળા” શરૂ કરી તે પ્રત્યે મુમુક્ષુઓ, સાધકો તથા આરાધકોનું લક્ષ ખેંચવા અમોએ નમ્ર પ્રયત્ન કરેલ છે.
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
પૂ. શ્રીમદ્ રાજચંદ્ર
જન્મ : વવાણીયા વિ. સં. ૧૯૨૪ કાર્તિક પુર્ણિમા રવિવાર
વર્ષ - ૨૪મું દેહવિલય : રાજકોટ
વિ. સં. ૧૯૫૭ ચૈત્રવદ ૫
મંગળવાર
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકનો પ્રથમ વિભાગ “શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મોક્ષમાર્ગ પ્રકાશ”માં શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતના બધા લખાણોમાંથી માખણ જેવા તત્ત્વની તારવણી આ સંસ્થાના આધ્યાત્મિક માર્ગદર્શક પરમ પૂજ્ય શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરાએ વેરાવળ-૩ દિવસ, મુંબઈ-૭ દિવસ, તથા સાયલામાં-૫ દિવસ મહેનત લઈ કરુણાબુદ્ધિથી કરેલ છે.
શ્રીમદ્ રાજચંદ્રના પરમ સખા શ્રી સોભાગભાઈ અને સાયેલા જે આ પુસ્તકના વિભાગ બીજામાં તે શ્રી શાંતિલાલ ભાણજી અંબાણીએ પરિશ્રમ લઈ એકઠું કરેલ છે, જે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.
આ બધી હકીકત છપાવવા માટેની નકલો આત્માર્થી બાળબ્રહ્મચારીણી શ્રી વસંતબેન દિલસુખભાઈ શાહે અતિ પરિશ્રમ લઈ સારા અક્ષરથી તેમના નાજુક શરીરનો વિચાર કર્યા વગર સતત પરિશ્રમથી કરી આપેલ તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.
માનનીય શ્રી દલસુખભાઈ માલવણીયા કે જેઓ મુળ સાયલાના રહીશ છે અને શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સાંસ્કૃતિક વિદ્યાપીઠમાં વર્ષોથી સેવા આપી રહ્યાં છે, તેઓ અતિ કાર્યમાં રોકાયેલ હોવા છતાં તેમાંથી સમય કાઢી ઉત્સાહપૂર્વક, આ બધુ સાહિત્ય છપાવવા જાય તે પહેલા ભાષા, વ્યાકરણ અને વાક્ય રચનાની દૃષ્ટિએ તપાસી યોગ્ય ફેરફાર કરી આપ્યા છે તે બદલ અમો તેઓશ્રીના ઋણી છીએ.
શ્રી સાહિત્ય પ્રકાશન સમિતિના સભ્યોએ જે રસ લઈ આમાં સહકાર આપ્યો છે તે બદલ તેઓનો પણ આભાર માનવામાં આવે છે.
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
ઘાટકોપરવાળા શ્રી દલીચંદભાઈ દોશીએ “શ્રી સોભાગ અને સાયલાના લખાણની પ્રતો કરવામાં જે પરિશ્રમ લીધો છે તે બદલ તેઓશ્રીનો આભાર માનવામાં આવે છે.
અમદાવાદના ભાઈ શ્રી રસીકભાઈ ત્રીભોવનદાસ શાહ, ભાઈ શ્રી કરસનભાઈ ગંગારામભાઈ આહજોલીયા, ભાઈ શ્રી કીરીટભાઈ મણીલાલ શાહ, ભાઈ શ્રી યશવંતરાય મોરારજી મહેતા તથા પ્રવીણભાઈ દયાળજી મહેતાએ આ પુસ્તક છપાવવામાં, પ્રૂફરીડિંગ વગેરે કાર્યમાં જે શ્રમ લીધો છે તે બદલ તેઓ બધાનો આભાર માનવામાં આવે છે.
આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જે કોઈ ભાઈઓએ સહકાર આપેલ છે તેઓ બધાનો આભાર માનવામાં આવે છે.
લિ. પ્રકાશન સમિતિ વતી ડૉ. સદ્ગણાબેન સી. યુ. શાહ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ.
સાયલા - ૩૬૩૪૩૦
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
સમર્પણ પરમ ઉપકારી પૂ. શ્રી સોભાગભાઈને
પૂ. શ્રી સોભાગભાઈને માટે શ્રીમદ્ રાજચંદ્રજી કૃપાળુદેવે વચનામૃતમાં જે ઉલ્લેખ કર્યો છે તે “શ્રી સોભાગ પ્રત્યે સંવત ૨૦૩૪માં જે બુક છપાઈ છે તેના ત્રીજા પાને જે ઉલ્લેખ છે તે નીચે મુજબ છે. શ્રી સોભાગને તમે અમારા માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે. તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળિયે? પણ અમને લાગે છે કે અમારા હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને એજ અમે મોટો ભાગ્યોદય માનીશું. શ્રી સોભાગ સંબંધે :
શ્રી સોભાગે તેવાં દેહને ત્યાગતાં મોટા મુનીઓને દુર્લભ એવી નિશ્ચળ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે. શ્રી સોભાગ મુમુક્ષુઓને વિસ્મરણ કરવા યોગ્ય નથી.
- શ્રીમદ્ રાજચંદ્ર
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર કૃપાળુદેવે વચનામૃત (આંક ૭૮૦)ના પત્રમાં “પરમ ઉપકારી, આત્માર્થી સરળતાદિ ગુણ સંપન્ન” એવો શ્રી સોભાગભાઈનો ઉલ્લેખ કરેલ છે.શ્રીમદ્ રાજચંદ્ર તેમના વચનામૃતમાંના સમસ્ત પત્રોમાંથી વધારેમાં વધારે આંક ૨૪૭ પત્રો તેમના સખા
શ્રી સોભાગભાઈ ઉપર લખીને મોક્ષમાર્ગ પ્રકાશી ગયા છે..
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કે જે સ્વતંત્ર શાસ્ત્ર છે તે પદોના રૂપમાં પૂજનીય શ્રી સોભાગભાઈની માગણીથી નડીઆદ મુકામે બનાવી તેમને સાયલા મોકલી આપેલ હતું.
વચનામૃત આંક (પત્ર ક્રમાંક) ૨૦૦ની નિયમાવલી સોભાગભાઈની માગણીથી તેમને લખી મોકલેલ હતી, કે જેમાં મોક્ષમાર્ગ સંપૂર્ણ રીતે પ્રકાશવામાં આવ્યો છે. શ્રી કૃપાળુદેવે જ્ઞાનચર્ચા લખશો કે પુછાવશો એમ વારંવાર સોભાગભાઈને લખેલ છે, એમ પૂ. શ્રી સોભાગભાઈના નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્રજી તરફથી સંપૂર્ણ મોક્ષમાર્ગ તેમના પત્રવ્યવહારમાં આપણને વારસામાં મળેલ છે.
“આપ હૃદયના જે જે ઉદ્ગારો દર્શાવો છો, તે તે વાંચી આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે,” (પત્રાંક ૧૮૨ સં. ૧૯૪૭ માગસર સુદ ૧૩)
“આપની સર્વોત્તમ પજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય, તો તેમાંના આપ એક છો.
અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો તેથી જ જિવાય છે.” (પત્રાંક ૨૧૫ સં. ૧૯૪૭ ફા. સુ. ૮)
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
આંક ૨૪૦ના શ્રી અંબાલાલભાઈ ઉપરના પત્રમાંથી “માટે સોભાગભાઈ જેવા પુરુષો પ્રત્યેનો પત્રવ્યવહાર તમોને પોષણરૂપ થશે એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો. જ્ઞાનકથા લખશો તો હું વિશેષ પ્રસન્ન છું.”
વચનામૃત પાનું ૮૨૪ આત્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ બીજીમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ જેમ જિન વિતરાગ તથા કુંદકુંદાદિ આચાર્યોને જે ભક્તિથી નમસ્કાર કર્યા છે, તે જ રીતે કેવળ-બીજ સંપન્ન પરમ ઉપકારી શ્રી સોભાગભાઈને નીચેની અભિવ્યક્તિથી નમસ્કાર કર્યા છે.
હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે નમસ્કાર હો.”
આ ઉપરથી આ ભવ્ય આત્માની મહાનતાનું દર્શન થાય છે. આવા સાયલાના પુણ્યશાળી અને પવિત્ર આત્મા સ્વ. શ્રી સોભાગભાઈને આ પુસ્તક સમર્પણ કરતાં અમને અહોભાવ ઉત્પન્ન થાય છે અને તે બદલ અમે અમોને મહાભાગ્યશાળી માનીએ છીએ.
લિ. ડો. શ્રીમતી સલ્લુણાબેન સી
શાહ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ
સાયલા-૩૬૩ ૪૩૦
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત યોગેશ્વર શ્રી આનંદઘનજી મહારાજ સાહેબે પ્રથમ જનસમુદાયમાં રહેવાનું શરૂ કરેલ પણ તે જનસમુદાયમાં સંકુચિતતા અને અહંભાવનો અનુભવ થતાં પછી જંગલમાં અગર ગામ બહાર જ રહેતા, તેમ રહેવા છતાં તેઓ શ્રી જગતના જીવો માટે મોક્ષમાર્ગ તેમના પદો તથા સ્તવનોમાં મૂકતા ગયા છે. પરમ જ્ઞાની મહાત્માઓનું જીવન પર ઉપકાર માટે જ હોય છે.
તેવી રીતે કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની તો માર્ગ પ્રવર્તાવવા માટે છત્રીસમે વર્ષે બહાર નીકળવાની ગણત્રી હતી. પરંતુ તેઓશ્રીનું ૩૬ વરસ કરતા ઓછું આયુષ્ય રહ્યું એટલે તેમ કરી શક્યા નહિ, છતાં તેઓશ્રી, તીર્થંકરદેવ પ્રણીત મોક્ષમાર્ગ, તેઓશ્રીના પરમસખા પૂ. શ્રી સોભાગભાઈ તથા પૂ. લલ્લુજી મહારાજ સાહેબ આદિના નિમિત્તથી (પત્રો દ્વારા- વચનામૃતથી) મોક્ષમાર્ગ પ્રકાશી ગયા. જો આયુષ્ય લાંબુ હોત તો મુમુક્ષુ જીવોના ભાગ્ય ઉઘડી જાત.
પરમ કૃપાળુદેવે કેવી કૃપા કરી છે તે “વચનામૃત' શ્રીમદ્ રાજચન્દ્ર પુસ્તકથી આપને ખાત્રી થાય તેવું છે. છતાં “શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તકમાંથી તત્વરૂપ જે મોક્ષમાર્ગ બતાવનાર માખણ છે તે આ પુસ્તકના પહેલા વિભાગમાં તેમના જ શબ્દોમાં તારવવામાં આવેલ છે.
શ્રી અમીચંદભાઈના અગ્નિદાહ પ્રસંગે, શ્રીમદ્ રાજચંદ્રને છે વરસની ઉંમરે બાવળના ઝાડ ઉપર જે જ્ઞાન ઉત્પન્ન થયેલ તે જાતિસ્મરણ જ્ઞાન હતું. તેઓ પોતે બાવીસ વર્ષની ઉમર થયા પહેલા અગીયારમાં ગુણસ્થાનક સુધી ચડીને પડ્યા હતા તે તેઓના
૧૦
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
શબ્દમાં જ ઉલ્લેખ છે. (પત્રાંક ૧૭૦)
ત્યાર બાદ તેઓ “બીજજ્ઞાન'ની શોધમાં નીકળ્યા હતા અને તે બીજજ્ઞાન શ્રી મનસુખરામ સૂર્યરામ પાસે છે એમ જાણવામાં આવતા તે બાબતમાં પત્રવ્યવહાર શ્રી મનસુખરામ સૂર્યરામ સાથે શરૂ કરેલ હતો. દરમ્યાન પૂ. શ્રી સોભાગભાઈ રૂની ખરીદી માટે મોરબી, અંજાર વિગેરે સ્થળોએ ફરતા હતા. તેમનો ભેટો શ્રીમદ્ રાજચન્દ્રને વવાણીયા મુકામે થયો. જે “બીજજ્ઞાન” મારવાડી સાધુસંત પાસેથી શેઠ શ્રી લલ્લુભાઈ (પૂ. શ્રી સોભાગભાઈના પિતાશ્રી) લાવેલ તે “બીજજ્ઞાન” તેમણે પૂજ્ય શ્રી ડુંગરભાઈ તથા પૂ. સોભાગભાઈને આપેલ. આ “બીજજ્ઞાન” સવંત ૧૯૪૬ના બીજા ભાદરવા વદ ૧૨ પહેલા શ્રી સોભાગભાઈએ પૂ. શ્રીમદ્ રાજચંદ્રજીને બતાવતા તેઓને જે જ્ઞાન વિસ્મૃત થયેલું તેનું સ્મરણ થયેલું. આ ઉપકારના બદલામાં પૂ. શ્રી રાજચંદ્રજી શ્રી સોભાગભાઈને જે ભૂમિકાએ હતા ત્યાંથી ઉપાડી “બે ફાડ” થવા સુધી એટલે આત્મદ્રવ્ય પ્રગટ થવા સુધી લઈ ગયા અને તેઓ જીવનભર પૂ. શ્રી સોભાગભાઈનો વિનય - કરતા રહ્યા. તેઓ બંનેના હૃદય વચ્ચેનું અંતર દૂર થતા આપણા જેવા મુમુક્ષુઓને માટે તેમની સાથેના પત્રવ્યવહારમાં મોક્ષમાર્ગ મૂકતા ગયા.
“આત્મસિદ્ધિશાસ્ત્ર” જે સ્વયં સ્વતંત્ર મોક્ષમાર્ગ બતાવે તેવું શાસ્ત્ર છે તે પણ ખુદ પૂ. શ્રી સોભાગભાઈને અર્થે નડિયાદ મુકામે બનાવી તેમને મોકલી આપ્યું.
તે “આત્મસિદ્ધિ સાસ્ત્રમાં “ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન” અને “...સમજે કોઈ સુભાગ” એ ખાસ ઉદ્દેશપૂર્વક લખાયું છે તેમ સમજાય તેવું છે.
૧૦
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
પૂ. કૃપાળુદેવને મુંઝવણ ઘણી હતી. ગૃહસ્થવાસમાં હતા ત્યાં સુધી બહાર આવવું ન હતું અને કરૂણાભાવને લીધે માર્ગ પ્રવર્તાવવાની તાલાવેલી ઘણી હતી. તેમના મુમુક્ષુઓ તેમને ખંભાત બોલાવતા પણ ત્યાં તેઓ જઈ શકતા ન હતા અને તે મુમુક્ષુઓના કોઈ મુંબઈ આવવા ઇચ્છા દર્શાવતા તો અનાર્યભૂમિ હોઈ ‘ના’ પાડતા.
આ બધામાં એમને શ્રી સોભાગ મળી ગયા. તે બે વચ્ચેનો સંબંધ સાત વર્ષ રહ્યો. તેમાં બન્ને જણા સાયલા અથવા બહારગામ ૫૬૦ દિવસ સાથે રહ્યા છે. મુંબઈથી વવાણિયા જતા અગર આવતા એક વખત કૃપાળુદેવ સાયલા આવતા અને તેઓ સાયલામાં એકી સાથે વધારેમાં વધારે ૧૦ દિવસ સાથે રહ્યા છે.
આ પુસ્તકના પહેલા અને બીજા વિભાગના વાંચનથી એમ ખાત્રી થશે કે તેઓ ખરેખર અદ્ભુત રીતે શ્રી સોભાગભાઈનું નિમિત્ત લઈને મોક્ષમાર્ગ પ્રકાશી ગયા છે.
આ પ્રસ્તાવના લખવાનો પ્રસંગ મળતા અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ કારણ કે અમે સાધનામાં તે જ માર્ગે છીએ તેથી અમને વિશ્વાસ છે.
સ્થળ : સાયલા
તા. ૨૭-૧૦-૧૯૮૨
લિ. નલિનકાંત કોઠારી
ટ્રસ્ટી, શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ
૧૨
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
વિભાગ-૧
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મોક્ષમાર્ગ પ્રકાશ
વિભાગ-૨
શ્રીમદ્ રાજચંદ્રના પરમસખા શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૧. શ્રીમદ્ રાજચંદ્રના પરમસખા શ્રી સોભાગભાઈ
૨. શ્રી શામળદાસભાઈ ભૂધરભાઈ શેઠ
૩. શ્રી કાળીદાસભાઈ માવજીભાઈ દોશી શ્રી કાળીદાસભાઈના પત્રો
શ્રી કાળીદાસભાઈના પદો
૪. શ્રી વૃજલાલભાઈ દેવજીભાઈ બેલાણી
૫. શ્રી છોટાલાલભાઈ મગનલાલ દેસાઈ
શ્રી છોટાલાલભાઈના પત્રો
૬. શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરા
૭. શ્રી હિંમતલાલભાઈ દેવજીભાઈ બેલાણી
૮. શ્રી સત્ પુરુષોની શોધ
૧૩
For Personal & Private Use Only
પૃષ્ઠ
૧-૧૮૨
૧૮૫
૨૦૦
૨૦૨
૨૦૬
૨૬૭
૩૦૬
૩૦૭
૩૧૪
૩૦૮
૩૯૩
૩૯૯
Page #17
--------------------------------------------------------------------------
________________
છાયા ચિત્રોની અનુક્રમણિકા
પ્રસ્તા. ૪
જી
૧૮૩
૧૮૫.
૨0૧.
) ૧. શ્રીમદ્ રાજચંદ્રનું ૨૪મા વર્ષનું છાયાચિત્ર
૨. શ્રીમદ્ રાજચંદ્રનું ૩૩મા વર્ષનું છાયાચિત્ર ૩. શ્રીમદ્ રાજચંદ્રના હસ્તલિખિત પત્રનું છાયાચિત્ર ૪. આત્મસિદ્ધિશાસ્ત્ર લખતા શ્રીમદ્ રાજચંદ્રનું છાયાચિત્ર ૫. શ્રીમદ્ રાજચંદ્ર અને શ્રી સૌભાગ્યભાઈનું છાયાચિત્ર ૭. શ્રીમદ્ સૌભાગ્યભાઈનું છાયાચિત્ર : ૭. શ્રીમદ્ શામળદાસભાઈ ભૂધરભાઈ શેઠનું છાયાચિત્ર ૮. શ્રીમદ્ કાળીદાસભાઈ માવજીભાઈ દોશીનું છાયાચિત્ર ૯. બેનશ્રી મણીબેન શામળદાસ શેઠવાળાનું છાયાચિત્ર ૧૦. શ્રીમદ્ વૃજલાલભાઈ દેવજીભાઈ બેલાણીનું છાયાચિત્ર ૧૧. શ્રીમદ્દ છોટાલાલભાઈ મગનભાઈ દેસાઈનું છાયાચિત્ર ૩૦૯ ૧૨. શ્રીમદ્ લાડકચંદભાઈ માણેકચંદભાઈ વોરાનું છાયાચિત્ર ૩૭૯ ૧૩. શ્રીમદ્ હિંમતલાલભાઈ દેવજીભાઈ બેલાણીનું છાયાચિત્ર ૩૯૩ ૧૪. શ્રી શાંતિલાલ ભાણજી અંબાણીનું છાયાચિત્ર
૨૦૩
૩૦૩
૩૭.
૩૯૯
૧૪
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૧
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાર્ગ પ્રકાશ
મોક્ષમાર્ગ પ્રકાશ
)
(૧)
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકા, ચક્ષુરુન્મિલિત યેન તસ્મ શ્રી ગુરુવે નમઃ
ધ્યાનમૂર્ત મંત્રમૂલે
ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુવાક્ય મોક્ષમૂલ
ગુરુપદમ્ ગુરુકૃપા.
પરમ ગુરુનાં પદકમલ, વંદુ વારંવાર, અંતરચક્ષુ ઉઘડે, સૂઝે સારા વિચાર સહુ સાધનથી જોગનો, મહિમા ઘણો ઉધાર; જ્ઞાન-દિવાકર ઊગતાં હરે સકળ અંધકાર.
• મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
પૂ. શ્રીમદ્ રાજચંદ્ર જન્મ : વવાણીયા
વર્ષ - ૩૩મું વિ. સં. ૧૯૨૪ કાર્તિક પુર્ણિમા
દેહવિલય : રાજકોટ રવિવાર
વિ. સં. ૧૯૫૭ ચૈત્રવદ ૫
મંગળવાર
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
| સહજાભસ્વરૂપાય નમઃ |
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મોક્ષમાર્ગ પ્રકાશ
શ્રીમદ્ રાજચંદ્રનાં વિચારરત્નો જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.
અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ. અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વશદેવ. અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીતિ કરાવ્યો એવા પરમકૃપાળુ
સદ્ગુરુદેવ. આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયંવત વર્તો.
અનતંકાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને * નમસ્કાર.
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર વિષે ગાંધીજી
ભારતની વિશ્વ વિખ્યાત વિભૂતિ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજી લખે છે :
‘મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહાત્મા ટૉલસ્ટૉય તથા રસ્કિન કરતાં પણ શ્રીમદે મારા ઉપર ઊંડી અસર કરી છે. ઘણી વાર કહી ને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે. પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી (શ્રીમદ્ રાજચન્દ્ર)ના જીવનમાંથી છે.
શ્રીમદ્ રાજચન્દ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમનાં લખાણો તેમના અનુભવનાં બિંદુસમા છે. તે વાંચનાર, વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને માટે મોક્ષ સુલભ થાય. તેના કષાયો મોળા પડે, તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહનો મોહ છોડી આત્માર્થી બને.
આટલા ઉ૫૨થી વાંચનાર જોશે કે શ્રીમદ્નાં લખાણ અધિકારીને સારુ છે. બધા વાંચનાર તેમાં રસ નહીં લઈ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે. પણ શ્રદ્ધાવાન તો તેમાંથી ૨સ જ લૂંટશે. તેમનાં લખાણોમાં સત્ નીતરી રહ્યું છે, એવો મને હંમેશ ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારું એક પણ અક્ષર નથી લખ્યો. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે, તેને શ્રીમનાં લખાણોમાંથી બહુ મળી રહેશે, એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિન્દુ હો કે અન્ય ધર્મી.
જે વૈરાગ્ય (અપૂર્વ અવસર ક્યારે આવશે ?) એ કાવ્યની કડીઆમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો.
તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંય કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું.
୪
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
: ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો ? હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ . થયો હોય એમ મેં નથી જોયું.
આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી ? નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના છે. પ્રયત્ન મળી શકે છે. એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેટલું કઠિન છે. જે એ રાગરહિત દશા કવિ (શ્રીમ)ને સ્વાભાવિક હતી, એમ મારા છે ઉપર છાપ પડી હતી.
મોક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખેંચેલું છે ત્યાં સુધી મોક્ષની વાત કેમ ગમે ? અથવા ગમે તો તે કેવળ કાનને જ.. એટલે જેમ આપણને અર્થ જાણ્યા સમજ્યા વિના કોઈ સંગીતનો કેવળ સૂર જ ગમી જાય તેમ. એવી કર્ણપ્રિય ગમ્મતમાંથી મોક્ષને અનુસરવાનું વર્તન આવતાં તો ઘણો કાળ વહી જાય. આંતરવૈરાગ્ય વિના મોક્ષની લગની ન થાય. એવી વૈરાગ્યલગની કવિ (શ્રીમદ્)ની હતી.
આ ઉપરાંત એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો તે સત્ય [ અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા.”
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.
આત્મસિદ્ધિ ગા. ૧
દોહરા જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે ઘેર્યથી, અજ્ઞાની વેદે રોય. (પા.૩૧
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ;
ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. (પ.30) ભાવનાબોધ :
भोगे रोगभयं कुले च्यतिभयं वित्ते नृपालाद्भयं, माने दैन्यभयं बले रिपुभयं रूपे तरूण्या भंय, .. शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतांताद्भयं, સર્વ વસ્તુ મર્યાન્વિત મુવિ નૃMાં વૈરાગ્યમેવામય.પ 35)
છે. પ્રથમ ચિત્ર :
વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !
દ્વિતીય ચિત્ર:
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્વાશે.
જ તૃતીય ચિત્ર:
શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; ' એ ભોગવે એક સ્વ આત્મા પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે.
Curroj
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
' ચતુર્થ ચિત્ર:
ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ યોવન ધરા, એ મોહ અજ્ઞાત્વના;
રે! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના.૮૫૪૪ તે પંચમ ચિત્ર:
ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાથે આમ.(પા )
* ષષ્ઠ ચિત્ર :
અનંત સૌખ્ય, નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા !! ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. (૫૪)
મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૫:
શુભ શીતળતામય છાય રહી, મનવાંછિત જ્યાં ફળ પંક્તિ કહી;
જિનભક્તિ ગ્રહો તરૂકલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. શિક્ષાપાઠ ક૭ઃ
બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોય અરે ! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષ લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો? ૧
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું, નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે; . ' પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે પ્રશ્ચાતું દુઃખ તે સુખ નહીં. ૩ હું કોણ છું? ક્યાંથી થયો? સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા ? તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪ એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો “તેહ' જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો આત્મ તારો ! શીધ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો. ૫ શિક્ષાપાઠ ૧૦૭:
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાથી જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
વચનામૃત - વર્ષ ૨૧મું
0 પત્ર ક્રમાંક ૩૭ : જૂઠાભાઈ 9 જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. [ કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક |
ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંતભવનું ? કે સાટું વળી રહેશે, એમ લધુત્વ ભાવે સમજ્યો છું; અને તેમ કરવામાં જ છે ' મારી પ્રવૃત્તિ છે. આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ : છે. શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની છે.
અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જો * બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી જ છે લેવું. એટલે કીર્તિ-અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે.
0 પત્ર ક્રમાંક ૩૯ જ નેત્રોંકી શ્યામતા વિષે જો પુતલિયાંરૂપ સ્થિત છે, અરુ રૂપકો દેખતા હૈ, સાક્ષીભૂત હૈ, સો અંતર કેસે નહીં દેખતા ? જો ત્વચા વિષે સ્પર્શ
કરતા હે, શીત-ઉષ્ણાદિકકો જાનતા હૈ, ઐસા સર્વ અંગ વિષે વ્યાપક * અનુભવ કરતા હૈ, જૈસે તિલાં વિષે તેલ વ્યાપક હોતા હૈ. તિસકા જ
અનુભવ કોઊ નહીં કરતાં. જો શબ્દ શ્રવણઇન્દ્રિયકે અંતર ગ્રહણ કરતા હૈ, તિસ શબ્દ શક્તિકો જાન|હારી સત્તા હે, જિસ વિષે આ શબ્દશક્તિકા વિચાર હોતા હૈ, જિસકરિ રોમ ખડે હોઈ આતે હૈં, સો જ
સત્તા દૂર કૈસે હોવે? જો જિલ્લા અગ્ર વિષે રસ-સ્વાદકો ગ્રહણ કરતા * હૈ, તિસ રસકા અનુભવ કરણહારી અલેપ સત્તા હૈ, સો સન્મુખ કેસે ? છે ન હોવે ? વેદ વેદાંત સપ્તસિદ્ધાંત, પુરાણ, ગીતા કરિ જો શેય, જાનને છે યોગ્ય આંત્મા હે તિસકો જબ જાન્યા તબ વિશ્રામ કેસે ન હોવે ?
વર્ષ દરમ્ ) પત્ર ક્રમાંક ૪૨ઃ જૂઠાભાઈ 9 જ્યાં પત્ર આપવા જાઓ છો ત્યાં નિરંતર કુશળતા પૂછતા રહેશો.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રભુભક્તિમાં તત્પર રહેશો. નિયમને અનુસરશો, અને સર્વ વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો, એમ મારી ભલામણ છે.
જગતમાં નિરાગીત્વ, વિનયતા અને સત્પરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો; પણ નિરૂપાયતા થઈ જ છે તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ !
0 પત્ર ક્રમાંક ૫૪ % . મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળ ન પામ્યા, તે તે સઘળા પુરુષો એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાનકાળે છે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં !
મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, છે. માન્યામાન્ય નથી, તે સરળ માર્ગ છે, સમાધિમાર્ગ છે. તથા તે સ્થિર છે.
માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું ! જ છે. જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, જ છેવર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળ પામશે નહિ. 1 શ્રી જિને સહસગમે ક્રિયાઓ અને સહસંગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ૨ ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે | ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે.
શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રીકૃષ્ણ તરશે. જે વાટેથી શ્રીકૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાત ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીન્દ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય | પણ એ માર્ગ પામતાં અટક્યા છે, તથા અટકશે અને અટક્યા હતા. આ
કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યફ યોગે જ માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે. માન્યામાન્ય,
( ૧૦ )
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
જ ભેદભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને, મોક્ષને કે માટે જેટલા ભવનો વિલંબ હશે, તેટલા સમયનો (ગૌણતાએ) સંશોધકને ! તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે.
વિશેષ શું કહેવું ? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મતૃપ્રાપ્ય પુરુષ-નિગ્રંથ આત્મા-જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે-ઉદય છે આપશે ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જે વાટ મળશે, ત્યારે જ તે ! મતભેદાદિક જશે.
મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને તે ટાળ્યો, એ અંતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.
કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષરલેખ થયો હોય તો તે ક્ષમ છે. થાઓ.
જી પત્ર ક્રમાંક ૬૧: મનસુખરામ સૂર્યરામ જ ! આપનાં દર્શન મને અહીં લગભગ સવા માસ પહેલાં થયાં હતાં. ધર્મસંબંધી કેટલીક મુખચર્ચા થઈ હતી. આપની સ્મૃતિમાં હશે એમ ગણી, એ ચર્ચા સંબંધી કંઈ વિશેષ દર્શાવવાની આજ્ઞા લેતો નથી. ધર્મસંબંધી માધ્યસ્થ, ઉચ્ચ અને અદંભી વિચારોથી આપના પર કંઈક
મારી વિશેષ પ્રશસ્ત અનુરક્તતા થવાથી કોઈ કોઈ વેળા આધ્યાત્મિક ' શૈલી સંબંધી પ્રશ્ન આપની સમીપ મૂકવાની આજ્ઞા લેવાનો આપને છે. પરિશ્રમ આપું છું. યોગ્ય લાગે તો આપ અનુકૂળ થશો.
હું અર્થ કે વય સંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી, તોપણ કંઈક જ્ઞાનવૃદ્ધત આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારોને છે. અને પુરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું. મારું આ બાલવય છે
એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે, તેથી કંઈ પણ સમજાયું હોય,
તો (તે) બે શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી આત્મહિત છે. વિશેષ કરી શકું, એ પ્રયાચના આ પત્રથી છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૧
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
આ કાળમાં પુનર્જન્મનો નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને જ કઈ શ્રેણીમાં કરી શકે, એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે. તે જો ! આપની આજ્ઞા હોય તો આપની સમીપ મૂકીશ.
વિ. આપના મધ્યસ્થ વિચારોના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાંગી પ્રશસ્ત ભાવે પ્રણામ
જી પત્ર ક્રમાંક ૬૪ઃ મ.+સૂ. पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्धचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।।
જી પત્ર ક્રમાંક ૭૧ : મ.+સૂ. ૪ બજાણા નામના ગ્રામથી મારું લખેલું એક વિનયપત્ર આપને પ્રાપ્ત ' થયું હશે. કે હું મારી નિવાસભૂમિકાથી આશરે બે માસ થયાં સત્યોગ, સત્સંગની
પ્રવર્ધનાર્થે પ્રવાસરૂપે કેટલાંક સ્થળોમાં વિહાર કરું છું. પ્રાયે કરીને * એક સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન અને સમાગમની પ્રાપ્તિ કરી છે શકે એમ આગમન થવા સંભવ છે. | સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું જ્ઞાનનું યોગનું અને ભક્તિનું પ્રયોજન
સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે, અને એ સમ્યકશ્રેણીઓ આત્મગત થાય, તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા
સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા – યોગભૂમિકામાં વાસ છે - સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગપરિત્યાગમાં નિયમાવાસિત
છે. દેશ (ભાગ) સંગપરિત્યાગમાં ભજનો સંભવે છે. જ્યાં સુધી ગૃહવાસ જ પૂર્વકર્મના બળથી ભોગવવો રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત-ઉદાસીન ભાવે સેવવા યોગ્ય છે. બાહ્યભાવે ગૃહસ્થાશ્રેણી છતાં છે. અંતરંગ નિગ્રંથશ્રેણી જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે.
મારી આત્માભિલાષા તે શ્રેણીમાં ઘણા માસ થયાં વર્તે છે. ધર્મોપજીવનની પૂર્ણ અભિલાષા કેટલી વ્યવહારોપાધિને લીધે પાર
૧૨
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #32
--------------------------------------------------------------------------
________________
પડી શકતી નથી, પણ પ્રત્યક્ષે સત્પદની સિદ્ધિ આત્માને થાય છે, આ છે વાર્તા તો સમ્મત જ છે. અને ત્યાં કંઈ વય-વેષની વિશેષ અપેક્ષા નથી. 1 નિગ્રંથના ઉપદેશને અચલભાવે અને વિશેષ સમ્મત કરતાં અન્ય દર્શનના ! છે ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે.
ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તો ત્યાં પછી 1 મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, છે. જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન
સર્વોપરી છે અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે કે તે સર્વ એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વભાવે પામીએ એ જ તે મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. . કેટલાક જ્ઞાનવિચારો લખતાં ઔદાસીન્ય ભાવની વૃદ્ધિ થઈ જવાથી જ ધારેલું લખી શકાતું નથી.
D પત્ર ક્રમાંક ૯૧ જ તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન છે * નથી, અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુ:ખ નથી, શંકાનું ! નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી. સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ, . શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યક જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સતસ્વરૂપદર્શિતાની બલિહારી છે !
જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢદૃષ્ટિ એમાંનું છે. કાંઈ નથી, છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી. મન છે જેને મનન કરી શકતું નથી. છે તે.
) પત્ર ક્રમાંક ૧૨૦ : મ.+સૂ. 9 આપનું “યોગવાસિષ્ઠનું પુસ્તક આ સાથે મોકલું છું. ઉપાધિનો તાપ શમાવવાને એ શીતળ ચંદન છે. આધિવ્યાધિનું એની વાચનામાં આગમન સંભવતું નથી. આપનો એ માટે ઉપકાર માનું છું.
આપની પાસે કોઈ કોઈ વાર આવવામાં પણ એક જ એ જ
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૩
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
વિષયની જિજ્ઞાસા છે. ઘણા વર્ષોથી આપના અંતઃક૨ણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તો એક શાંતિ છે. કોઈ પણ વાટે કલ્પિત વાસનાઓનો નાશ થઈ યથાયોગ્ય સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઇચ્છા નથી, પણ વ્યવહાર પરત્વે કેટલીક ઉપાધિ રહે છે. એટલે સત્સમાગમનો અવકાશ જોઈએ તેટલો મળતો નથી, તેમ જ આપને પણ તેટલો વખત આપવાનું કેટલાંક કારણોથી અશક્ય સમજું છું; અને એ જ કારણથી ફરી ફરી અંત:કરણની છેવટની વૃત્તિ આપને જણાવી શકતો નથી. તેમ જ તે પરત્વે અધિક વાતચીત થઈ શકતી નથી. એ એક પુણ્યની ન્યૂનતા, બીજું શું ?
વ્યવહા૨ પરત્વે કોઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સ્વપ્ન પણ ઇચ્છયું નથી; તેમ જ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઇચ્છા રાખી નથી. એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારબ્ધાનુસાર ગાળી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી, એ નિશ્ચય પ્રિય છે. સહજભાવે વર્તવાની અભ્યાસપ્રણાલિકા કેટલાંક (જૂજ) વર્ષ થયાં આરંભિત છે, અને તેથી નિવૃત્તિની વૃદ્ધિ છે. આ વાત અહીં જણાવવાનો હેતુ એટલો જ કે આપ અશંકિત હશો, તથાપિ પૂર્વાપરે પણ અશંકિત રહેવા માટે જે હેતુથી આપના ભણી મારું જોવું છે તે જણાવ્યું છે; અને એ અશંકિતતા સંસારથી ઔદાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી (જણાવ્યું છે).
‘યોગવાસિષ્ઠ’ પરત્વે આપને કંઈ જણાવવા ઇચ્છું છું. (પ્રસંગ મળ્યું).
જૈનના આગ્રહથી જ મોક્ષ છે; એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે, એટલે વાતચીત વેળા આપ કંઈક અધિક કહેતાં નહીં સ્થંભો એમ વિજ્ઞાપન છે.
૧૪
O પત્ર ક્રમાંક ૧૨૬ : મ.+સૂ. જી
આપનાં દર્શનનો લાભ લીધાં લગભગ એક માસ ઉપર કંઈ વખત
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
થયો. મુંબઈ મૂક્યાં એક પખવાડિયું થયું. મુંબઈનો એક વર્ષનો નિવાસ ઉપાધિગ્રાહ્ય રહ્યો. સમાધિરૂપ એક આપનો સમાગમ્, તેનો જેવો જોઈએ તેવો લાભ પ્રાપ્ત ન થયો.
જ્ઞાનીઓએ કલ્પેલો ખરેખરો આ કળિકાળ જ છે. જનસમુદાયની વૃત્તિઓ વિષયકષાયાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. રાજસીવૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. તાત્પર્ય વિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમપાત્રની છાયા પણ મળતી નથી. એવા વિષમકાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી. કહેવાનાં પાત્રોની પણ ખામી છે. ત્યાં હવે શું કરવું ? જોકે યથાયોગ્ય ઉપશમભાવને પામેલો આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે. એટલે અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે; પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેનો અભ્યાસ છે. ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે ? O પત્ર ક્ર્માંક ૧૩૨ : સૌ. G
- 4ાળમષિ સપ્નનસંગતિવા, મતિ મવાળવત્તરને નૌહા !”
ક્ષણ વા૨નો પણ સત્પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે.
આપે મારા સમાગમથી આનંદ અને વિયોગથી આનાનંદ દર્શાવ્યો, તેમ જ આપના સમાગમ માટે મને પણ થયું છે.
અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું; અને અનેકને ૫૨માર્થ સાધ્ય ક૨વામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે.
ભવિષ્યજ્ઞાનની જેમાં અવશ્ય છે, તે વાત પર હમણાં લક્ષ રહ્યું
નથી.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૧૫
Page #35
--------------------------------------------------------------------------
________________
) પત્ર ક્રમાંક ૧33 08.
અત્ર જે ઉપાધિ છે, તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે, અને તે છે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી, અર્થાત્ તે * ઉપાધિ સંબંધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. એ ઉપાધિ !
કળિકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે. અને જેમ ' તે માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈ રહેશે. એવી ઉપાધિઓ આ !
સંસારમાં આવવી, એ કંઈ નવાઈની વાત નથી. - ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દૃઢ વિશ્વાસ હોય છે, તે દુ:ખી હોતો નથી, અથવા દુ:ખી હોય તો દુ:ખ વેદતો નથી. દુ:ખ ઊલટું સુખરૂપ થઈ પડે છે.
આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ-અપ્રિતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો.
રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી સુંઘવું ગમતું નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મોન કે રહેવું ગમતું, નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી ! સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, એમ છે; ' તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હો , તોપણ ભલે અને ન હો તોપણ ભલે એ કંઈ દુઃખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે, એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થપણાની
( ૧૬ )
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડવો પાલવતો નથી, આત્મભાવથી | પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું ? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શોક તો નથી. તતાપિ સહન કરવા જીવ ઇચ્છતો નથી ! પરમાનંદ ત્યાગી એને ! ઇચ્છે પણ કેમ ? અને એ જ કારણથી જ્યોતિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવાં ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઇચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તો અધિક જ રહે છે. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ.
જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ છે મોહાધીન છે, અને તેઓ પરમાર્થનાં પાત્ર થવા દુર્લભ છે એમ માન્યતા છે
છે, તો તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી પણ પરમાર્થ હેતુએ | * પ્રવૃત્તિ કરવી પડશે તો કંઈ પ્રસંગે કરીશ. ઇચ્છા તો થતી નથી.
આપનો સમાગમ અધિક કરીને ઇચ્છું છું. ઉપાધિમાં એ એક સારી જ | વિશ્રાંતિ છે. કુશળતા ઇચ્છું છું. 1
) પત્ર ક્રમાંક ૧૫૭: (રોજનીશી) es 1 (૩) હે ગૌતમ ! તે કાળ અને સમયમાં છબસ્થ અવસ્થાએ હું આ - એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છë સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા છે
અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, . જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, પર અષ્ટમભક્ત ગ્રહણ |
કરીને, બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને એક પુદ્ગલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી છે રાખીને, યોગની સમાધિથી, સર્વઇન્દ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર)
(શ્રી ભગવતી સૂત્ર, શતક ૩, ઉદ્દેશક ૨) છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૭
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
જ (૭) પરિચયી ! તમને હું ભલામણકરું છું કે, તમે યોગ્ય થવાની છે છે તમારામાં ઇચ્છા ઉત્પન્ન કરો. હું તે ઇચ્છા પૂર્ણ કરવામાં સહાયક થઈશ.
તમે મારા અનુયાયી થયાં, અને તેમાં મને પ્રધાનપદ જન્માંતરના યોગથી હોવાથી તમારે મારી આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તવું એ જ ઉચિત ગણ્યું છે.
અને હું પણ તમારી સાથે ઉચિતપણે પ્રવર્તવા ઇચ્છું છું. બીજી રીતે
નહીં.
જો તમે પ્રથમ જીવનસ્થિતિ પૂર્ણ કરો, તો ધર્માથે મને ઇચ્છો. એવું જ કરવું ઉચિત ગણું છું, અને જો હું કરું તો ધર્મપાત્ર તરીકે મારું સ્મરણ જ થાય એમ થવું જોઈએ.
બન્ને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ. મોટા હર્ષથી પ્રયત્ન કરીએ.
તમારી ગતિ કરતાં મારી ગતિ શ્રેષ્ઠ થશે એમ અનુમાન્યું છેમતિમાં, તેનો લાભ તમને આપવા ઇચ્છું છું, કારણ ઘણા નિકટના : તમે સંબંધી છો. તેમ લાભ તમે લેવા ઇચ્છતા હો, તો બીજી કલમમાં કહ્યા પ્રમાણે જરૂર કરશો એવી આશા રાખું છું.
તમે સ્વચ્છતાને બહુ જ ઇચ્છજો. વીતરાગભક્તિને બહુ જ ઇચ્છજો. મારી ભક્તિને સમભાવથી ઇચ્છજો. તમે જે વેળા મારી સંગતિમાં હો તે વેળા સર્વ પ્રકારે મને આનંદ થાય તેમ રહેજો.
વિદ્યાભ્યાસી થાઓ. વિદ્યાયુક્ત વિનોદી સંભાષણ મારાથી કરો છે જ. હું તમને યુક્ત બોધ આપીશ. તમે રૂપસંપન્ન, ગુણસંપન્ન અને છે 1 રિદ્ધિ તેમજ બુદ્ધિસંપન્ન તેથી થશો. પાછી એ દશા જોઈ હું પરમ પ્રસન્ન થઈશ.
પત્ર ક્રમાંક ૧૬૪ છ અદ્દભુત ! અદ્ભુત !અદ્ભુત ! પરમ અચિંત્ય એવું હે હરિ ! તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું ? હું જે તારો
( ૧૮ )
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
અનંત બ્રહ્માંડમાંનો એક અંશ તે તને શું જાણે ? સર્વસત્તાત્મકજ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરિ, તને ઇચ્છું છું, ઇચ્છું છું. તારી કૃપાને ઇચ્છું છું. તને ફરી ફરી હે હરિ, ઇચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, તું છેઅનુગ્રહ કર ! અનુગ્રહ !!
વર્ષ ૨૪મું
જી પત્ર ક્રમાંક ૧૧પ પરમ પૂજ્ય કેવલબીજસંપન્ન, સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ, મોરબી
આપનાં પ્રતાપે અત્ર આનંદવૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય છે વૃત્તિ છે.
ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી ! વિચિત્ર કરવું એ જ એની લીલા ! ત્યાં અધિક શું કહેવું ! | સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. | એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. તે
હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહી જાય. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. નિઃશંકપણાની, નિર્ભયપણાની, નિર્મઝનપણાની અને નિઃસ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત
થઈ જાય છે, અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત [ રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથીયે અલૌકિક * દશાની ઇચ્છા રહે છે. ત્યાં વિશેષ શું કહેવું ?
અનહદ ધ્વનિમાં મણા નથી. પણ ગાડીઘોડાની ઉપાધિ શ્રવણનું સુખ થોડું આપે છે. નિવૃત્તિ વિના અહીં બીજું બધું ય લાગે છે. જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. આપની કૃપા ઇચ્છું છું.
વિ. આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ
' મોક્ષમાર્ગ પ્રકાશ
(૧૯).
For Personal & Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
પત્ર ક્રમાંક ૧૬૬ઃ સૌ. 9 સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ?
નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય પુરુષોની સંમતિથી કે મંગળરૂપ માન્યાં છે. મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે : છે ૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા 1 વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું.
૨. કોઈ પણ પ્રકારે સદ્ગુરુની શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે 1 તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું આ સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધવું કરવું અને તો જ સર્વ માયિક જ વાસનાનો અભાવ થશે એમ સમજવું.
૩. અનાદિ કાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર “સતું' મળ્યા નથી. “સત્ય” સુપ્યું નથી અને “સતું' શ્રધ્યું નથી, અને એ મળે, એ સુચ્છે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માર્થી ભણકાર થશે.
૪. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે, માર્ગને પામેલો છે આ માર્ગ પમાડશે. ૧ ૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિકાળથી એટલું બધું જ - ર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો.
0 પત્ર ક્રમાંક ૧૭૦ઃ સો. ૯૪ આત્મા જ્ઞાન પામ્યો એ તો નિ:સંશય છે; ગ્રંથભેદ થયો એ ત્રણે જ કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે - છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે,
૨૦
(
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
અને તે પામવાનો હેતુ પણ એ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું છે. અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં, અવલોકન
સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં; “હિં તુહિ” વિના બીજી રટના રહે નહીં; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. એ એક વાર જો યથાયોગ્ય આવી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહાર-વિહાર
કરાય તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને [ પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે.
0 પત્ર ક્રમાંક ૧૭૨ : મુનિશ્રી જ કે અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે, આ છે. એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, છે
ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય !
નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સપુરુષોની ભક્તિ પ્રત્યે લીન છે થવું, સપુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું; સપુરુષોનાં લક્ષણનું ચિંતન
કરવું, સપુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન 4 કરવાં, તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. " આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.
અધિક શું લખવું? આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ! ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે જ છે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સમ્મત છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
D પત્ર ક્રમાંક ૧૭૬ઃ સો. 9 ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દીનબંધુની કૃપા વિના, કે સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળવો દુર્લભ છે.
દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં, આ છે. બંધાવાના કામીને છોડવો નહીં. અહીં વિકલ્પી જીવને વિકલ્પ ઊઠે કે
જીવને બંધાવું ગમતું નથી, સર્વને છૂટવાની ઇચ્છા છે, તો પછી બંધાય જ છે કાં ? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો એ છે કે, જેને છૂટવાની દઢ ઇચ્છા થાય છે, તેને બંધનનો વિકલ્પ મટે છે; 1 અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે.
મહાવીર દેવે આ કાળને પંચમકાળ કહી દુષમ કહ્યો. વ્યાસે કળિયુગ છે કહ્યો, એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે; એ વાત નિઃશંક સત્ય છે. કારણ, ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે. અર્થાત્ સંપ્રદાયોમાં રહ્યાં નથી અને એ મળ્યા વિના જીવનો છૂટકો નથી. આ કાળમાં મળવા દૂષમ થઈ પડ્યાં છે, માટે કાળ પણ દુષમ છે તે વાત યથાયોગ્ય જ છે. દુષમને ઓછા કરવા આશિષ આપશો. ઘણુંય જણાવવાની ઇચ્છા થાય છે, પણ લખવાની કે બોલવાની ઝાઝી ઇચ્છા રહી નથી. ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરો, એ ઇચ્છના નિશ્ચળ છે.
પત્ર ક્રમાંક ૧૮૭ઃ સો. ( પ્રાપ્ત થયેલા સસ્વરૂપને અભેદભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. * 2પમીદ છે જ છે જ છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા આ રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક
ઝાડ, ચુત
૨૨
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના આ રહ્યો નથી; પરંતુ યોગ (મન, વચન, કાયા)થી અસંગ થવા વનવાસની છે ' આવશ્યકતા છે; અને અમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં !
જ રહેવાશે; પરિપૂર્ણ લોકાલોકજ્ઞાન ઉત્પન્ન થશે, અને એ ઉત્પન્ન કેમ થશે ? એ વળી આશ્ચર્યકારક છે ! પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લોકાલોકદર્શન પ્રત્યે જવું કેમ બનશે ? એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે !
કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં - ઘણા પુરુષો થઈ ગયા છે, તે મહાત્માઓની જનમંડળને અપિચ્ચાન
હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે, જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે ?
એઓ સર્વ કાંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા; પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણા પુરુષોનાં પદ વગેરે અહીં જ જોયાં. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલ્લસે છે; અને જાણે નિરંતર છે તેવાની ચરણસેવા જ કરીએ; એ એક આકાંક્ષા રહે છે. જ્ઞાની કરતાં
એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ કે તેઓ છે. જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે, અને એ જ એમનું દાસત્વ અમારું છે ' તેમના પ્રત્યે દાસત્વ થાય છે, તેનું કારણ છે. ભોજો ભગત, નિરાંતે ! કોળી ઇત્યાદિક પુરુષો યોગી (પરમ યોગ્યતાવાળા) હતા. નિરંજનપદને
બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળગતિ * પર ગંભીર, સમાધિયુક્ત હાસ્ય આવે છે ! હવે અમે અમારી દશા કોઈ
પણ પ્રકારે કહી શકવાના નથી, તો લખી ક્યાંથી શકીશું ? આપના દર્શન થયે જે કંઈ વાણી કહી શકશે તે કહેશે, બાકી નિરૂપાયતા છે. (કંઈ) મુક્તિયે નથી જોઈતી, અને જૈનનું કેવળજ્ઞાનેય જે પુરુષને નથી જાઈતું, તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે ? એ કંઈ આપના વિચારમાં આવે છે ? આવે તો આશ્ચર્ય પામજો, નહીં તો અહીંથી તો જ કોઈ રીતે કંઇયે બહાર કાઢી શકાય તેમ બને તેવું લાગતું નથી.
(
શ્રી શwો શાણાર્સલ મૂધરભાઈ શેઠ
૨૩
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
પત્ર ક્રમાંક ૧૯૪: મુનિશ્રી ૧૪ અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો
દુર્લભ છે.
સસ્વરૂપને અભેદભાવ અને અનન્ય ભક્તિએ નમોનમઃ
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં છે ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સભ્યપ્રતીતિ આવ્યા છે
વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ * જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ
જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગતકાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી જ પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છરૂપી અંધત્વ છે, ત્યાં સુધી છે. એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો, દઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.
સૂયગડાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા જ છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે.
હે આયુષ્યમાનો ! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? 1 તો કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.
( ૨૪ )
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે : ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ
પ્રાપ્ત થયા.
એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.
आणा धम्मो आणाए तवो ।
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર)
સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે. એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી, બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પ વિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જો કાંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો.
બાકી બીજાં સાધન પછી કરવાં યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં (વિકલ્પથી) લાગે તો જણાવશો કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય.
Ð પત્ર ક્રમાંક ૧૯૫ ૩
સત્સ્વરૂપને અભેદરૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર.
માર્ગની ઇચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે :
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૨૫
Page #45
--------------------------------------------------------------------------
________________
“અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ! અને તે શું કરવાથી થાય ?”
આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે, અને એ વાક્યમાં કહેલી ચિતના કર્યા વિના, તેને માટે દૃઢ થઈ ઝૂર્યા વિના, માર્ગની દિશાનું છે પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી અને ભવિષ્યકાળે પણ નહીં છે ' થશે. અમે તો એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું ! છે. ત્યારપછી બીજું જાણવું શું ? તે જણાય છે.
) પત્ર ક્રમાંક ૧૯૬ઃ મુનિશ્રી જીવને બે મોટાં બંધન છે; એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છેદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે. તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે. 4. ના, ) પત્ર ક્રમાંક ૧૯૭: સૌ. ૪
આપનું આનંદરૂપ પત્ર મળ્યું, તેવા પત્રમાં દર્શનની તૃષા વધારે છે.
જ્ઞાનના ‘પરોક્ષ-અપરોક્ષ' વિષે પત્રથી લખી શકાય તેમ નથી, પણ જ સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જો અસંગતાની
સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણ 1 કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. અને તે જ વાટ તેનાં દર્શનની 1
છે; આ ઉપાધિ યોગમાં એ દર્શન ભગવત થવા દેશે નહીં, એમ તે મને પ્રેરે છે; માટે એકાંતવાસીપણે જ્યારે થવાશે ત્યારે ચાહીને ભગવતે રાખેલો પડદો એક થોડા પ્રયત્નમાં ટળી જશે. આટલા ખુલાસા સિવાય બીજો પત્ર વાટે ન કરી શકાય.
હાલમાં આપના સમાગમ વિના આનંદનો રોધ છે.
૨૬
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
8) પત્ર ક્રમાંક ૨૦૦ : મણિલાલ સૌ. જી
(૧) જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્ સુખનો તેને વિયોગ છે. એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે.
(૨) પાંતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું.
(૩) જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોક- લજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે.
(૪) જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો.
(૫) જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.
(૬) જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.
(૭) જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસન દિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે.
(૮) આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે.
(૯) ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો.
(૧૦) પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે.
(૧૧) અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે, પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૨૭
Page #47
--------------------------------------------------------------------------
________________
અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. છે. (૧૨) શાસ્ત્રમાં કહેલી આશાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી છે | થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી ! જ જોઈએ. A (૧૩) આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી . મોક્ષ નથી.
(૧૪) એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી છેઅભય થાય છે. Aડ
) પત્ર ક્રમાંક ૨૦૧ઃ સો. 9 કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ છે * હૃદયમાં જેણે અનુભવ કર્યો છે. એવા જ્ઞાની-ઓની ગુપ્ત શિક્ષા છે. આ
અત્ર પરમાનંદ છે. અસંગવૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી, એવું જે સસ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્ય છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વતો. અમે તો તમારી ચરણરજે છીએ, અને ત્રણે કાળ એ જ પ્રેમની નિરંજનદેવ પ્રત્યે યાચના છે.
સત્સંગની અત્ર ખામી છે, અને વિકટવાસમાં નિવાસ છે. હરિઇચ્છાએ હર્યાફર્યાની વૃત્તિ છે. એટલે કંઈ ખેદ તો નથી; પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી, એ ચિંતન નિરંતર રહ્યા કરે છે.
ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય છે તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.
૨૮
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
0 પત્ર ક્રમાંક ૨૦૫ : સૌ. જ
तत्र को मोहः कः शोकः एकत्वमनुपष्यतः । છે તેને મોહ શો, અને તેને શોક શો, કે જે સર્વત્ર એકત્વ (પરમાત્મ સ્વરૂપ)ને જ જુએ છે.
વાસ્તવિક સુખ જો જગતની દૃષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું મોક્ષસ્થાન ઊર્ધ્વલોકમાં હોત નહીં; પણ આ જગત જ મોક્ષ હોત.
જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે; આ વાત જો કે યથાર્થ છે; તો પણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, વિચારી પગ મૂકવા જેવું તેને કંઈ પણ લાગે છે, માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં ! તમારા સંગને ઇચ્છીએ છીએ, એ યોગ્ય જ છે.
પત્ર ક્રમાંક ૨૦૯ ૪ મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક “સને જ પ્રકાશ્ય છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રતીત કરવા યોગ્ય
છે, તે જ અનુભવરૂપ છે અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. છે તે “પરમસતુ'ની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઇચ્છીએ 1 છીએ.
તે “પરમસતુને પરમજ્ઞાન' કહો, ગમે તો “પરમપ્રેમ' કહો, અને જ છે ગમે તો સત્-ચિત્ત-આનંદ સ્વરૂપ કહો. ગમે તો આત્મા કહો, ગમે તો ,
સર્વાત્મા કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એકરૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સત્ તે સત્ જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં.
એવું તે પરમતત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, અને ભગવંત આદિ અનંત નામોએ કહેવાયું છે.
પ્રકાશ
૨૯
For Personal & Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
O ૫ત્ર ક્રમાંક ૨૧૧ : અંબાલાલ બુ
‘સત્' એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે.
તે
સત્ જે કંઈ છે, તે સત્ જ છે, સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણતિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંથી કોઈ પણ કલ્પના ‘સત્' જણાતી નથી, અને ‘સત્'ની નજીક સંભવતી નથી. ‘સત્' છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદું) છે, કલ્પનાથી ‘પર' (આર્થે) છે, માટે જેની પ્રાપ્તિ કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી ‘સતુ’ ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તો જરૂ૨ માર્ગની પ્રાપ્તિ થાય.
O પત્ર ક્રમાંક ૨૧૩ : સૌ. જી
અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે, સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષ્ણા છેદી શકે નહિ એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.
આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.
ત્રિલોકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે, એવા સત્પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ.
મોક્ષમાર્ગ પ્રકાશ
30
For Personal & Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
કે એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ છે
કરવા કરતાં પણ વિકટ કાર્ય છે, તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સપુરુષનાં અંત:કરણ તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.
હે પરમાત્મા ! અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. તેમ છતાં જૈન ગ્રંથોમાં ક્વચિત્ પ્રતિપાદન થયું છે છે. તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય; તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ, જ
અને અમને મોક્ષ આપવા કરતાં પુરુષનાં જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ.
હે પુરુષપુરાણ ! અમે તારામાં અને પુરુષમાં કંઈ ભેદ હોય છે એમ સમજતા નથી; તારા કરતાં અમને તો પુરુષ જ વિશેષ લાગે
છે; કારણ કે તું પણ તેને આધિન જ રહ્યો છે, અને અમે સપુરુષને | ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં, એ જ તારું દુર્ઘટપણું ,
અમને સપુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તે વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી, અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે ' તેમ કરીએ ?
- ઈશ્વરી ઇચ્છા જ એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે; અને જ્ઞાનીની પણ અંતરઇચ્છા તેવી જ જણાય છે. જેની કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી,
એવા જ્ઞાની પુરુષને કંઈ કર્તવ્યરૂપ નહીં હોવાથી જે કંઈ ઉદયમાં છે [ આવે તેટલું જ કરે છે.
' ) પત્ર ક્રમાંક ૨૧૪: સૌ. As અભેદદશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા , ઇચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે | રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી; અને પોતાની અહંરૂપ ભ્રાંતિનો જ પરિત્યાગ કરવો. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઇચ્છા છે
(
મોક્ષમાર્ગ પ્રકાશ
૩૧
For Personal & Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
ત્યાગવી યોગ્ય છે, અને એમ થવા માટે પુરુષના શરણ જેવું એક્કે
ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારા મોહાંધ પ્રાણીઓ નહીં ! * જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરુણા આવે છે. હે નાથ, તું ? અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે.
આ પત્ર ક્રમાંક ૨૧૬ (છ જે કંઈ છે તે સતું જ છે. અન્ય નહીં. તે સહુ એક જ પ્રકારનું ન હોવાને યોગ્ય છે. તે જ સત્ જગતરૂપે બહુ પ્રકારનું થયું છે, પણ તેથી જ
કાંઈ તે સ્વરૂપથી શ્રુત થયું નથી. સ્વરૂપમાં જ તે એકાકી છતાં ! જ અનેકાકી હોઈ શકવાને સમર્થ છે.
D પત્ર ક્રમાંક ૨૧૭: સૌ. છ પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તોપણ છે. કરવો યોગ્ય જ છે. સરળ વાટ મળ્યાં છતાં ઉપાધિના કારણથી જ તન્મય ભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતો નથી. આ
આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઇચ્છા થયા કરે જ છે. જો કે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં આત્માને જ |ો ઘણું કરીને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં છે 1 ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહતા ?
પર તે વેળા આવરણ આણવું પડે, અને એવી પરમ સ્નેહતા અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઇચ્છા થતી નથી. કદાપિ સર્વાત્માની એવી વૈચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઇચ્છા છે ફેરવશું. પણ પ્રેમભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે, અને વારંવાર એ જ રટના રહેવાથી કે “વનમાં જઈએ “વનમાં જઈએ” એમ થઈ આવે છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે.
સત્-સતું' એનું રટણ છે. અને સત્ નું સાધન “તમે' તે ત્યાં છો. જ અધિક શું કહીએ ?
( ૩૨ ).
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
આજે આપને એક પત્ર મળ્યું. વાંચી હૃદયગત કર્યું. એ વિષે આપને છે ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપની પાસે યોગ્ય નહીં.
જી પત્ર ક્રમાંક ૨૧૮ : સૌ. છ ‘સતું' છે, સરળ છે, સુગમ છે. તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે.
સતુ' છે. કાળથી તેને બાધા નથી. વાણીથી અકથ્ય છે. તેની છેપ્રાપ્તિ હોય છે, અને તે પ્રાપ્તિનો ઉપાય છે. | ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓનો લક્ષ એક સત્ જ છે. વાણીથી અકથ્ય હોવાથી મંગાની શ્રેણે સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક રીતે બેદ નથી.
“ભ્રાંતિ'નું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપનો વિચાર કરતાં પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું ? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું અને મને શું કલ્યાણકારક ? એમ વિચારતાં વિચારતાં એને એક ભ્રાંતિનો વિષય જાણી, જ્યાંથી “સતુની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ છે વગર છૂટકો નથી, એમ સમજી તે શોધી શરણાપન્ન થઈ “સતુ” પામી છે
સતું' રૂપ હોય છે.
જનક વિદેહી સંસારમાં રહ્યા છથી વિદેહી રહી શક્યા એ જો કે મોટું આશ્ચર્ય છે, મહા મહા વિકટ છે, તથાપિ પરમજ્ઞાનમાં જ
જેનો આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે, તેમ રહ્યું જાય છે. છે અને જેમ પ્રારબ્ધ કર્મનો ઉદય તેમ વર્તતા તેમને બાધ હોતો નથી.
દેહ સહિતનું જેનું અહંપણું મટી ગયું છે. એવા તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જાણે વર્તતો હતો; તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય ?
- મોક્ષમાર્ગ પ્રકાશ
૩૩
For Personal & Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
છે
D પત્ર ક્રમાંક ૨૧૯ : સૌ. As * “એક દેખિયે, જાનિયે” એ દોહા વિશે આપે લખ્યું, તો એ દોહાથી | અમે આપને નિઃશંકતાની દઢતા થવા લખ્યું નહોતું; પણ સ્વભાવે
દોહો પ્રશસ્ત લાગવાથી લખી મોકલ્યો હતો. એવી લય તો ગોપાંગનાને ( હતી. શ્રીમદ્ ભાગવતમાં મહાત્મા વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે છે ગોપીઓની પ્રેમભક્તિ વર્ણવી છે, તે પરમાલાદક અને આશ્ચર્યક છે.
પત્ર ક્રમાંક ૨૫ : અં. ૪. देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि ।
यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ।। હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુ:ખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.
પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાભ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી, પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વપ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્યમૂર્તિ - જ્ઞાનીરૂપ પરમાત્માની - ને
(૩૪)
૩૪
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #54
--------------------------------------------------------------------------
________________
નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં ભગવદ્ગીતામાં છે ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ પ્રશસ્યો છે; અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણું” પદ પછી સિદ્ને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ, અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.
D પત્ર ક્રમાંક ૨૩૧ઃ સો. જ મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અભુત અને સર્વોકૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી. સ્વપ્ન પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી; કર્યા સિવાય જો કે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે. તથાપિ તેમની દરિદ્રાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે; અને એ જ એમનું સબળ માહાભ્ય છે. પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઇચ્છા ન હોય, અને તેવી ઇચ્છા હોય તો રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિ:સ્પૃહ નહીં હો, (નહીં થાઓ) ત્યાં સુધી વિટંબણા જ છે.]
પત્ર ક્રમાંક ૨૩૪: સૌ. જ પોતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા તેની
પ્રાપ્તિ હવે સમીપ જ છે, (આ દેહે છે), અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી
િમોક્ષમાર્ગ પ્રકાશ
રૂપ
For Personal & Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
પત્ર ક્રમાંક ૨૩૯ : સૌ. જ્ઞાનવાર્તા સંબંધી અનેક મંત્ર આપને જણાવવા ઇચ્છા થાય છે, જે તથાપિ વિરહકાળ પ્રત્યક્ષ છે, એટલે નિરૂપાયતા છે. મંત્ર એટલે
ગુપ્તભેદ. એમ તો સમજાય છે કે ભેદનો ભેદ ટળે વાસ્તવિક સમજાય છે. છે. પરમ અભેદ – એવું “સતુ સર્વત્ર છે.
D પત્ર ક્રમાંક ૨૪૦ : સૌ. ' હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોતો નહોતો. કારણ કે મારી * તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. ઉદયકાળ એવો જ છે છે. માટે સૌ. જેવા સપુરુષ પ્રત્યેનો પત્રવ્યવહાર તમને પોષણરૂપ I થશે. એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો. . જ જ્ઞાનકથા લખશો તો હું વિશેષ પ્રસન્ન છું.
જી પત્ર ક્રમાંક ર૪૧ : સો. છ જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ' પોકારે છે. એ બ્રાહ્મીવેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો
પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ | ચરણસંગથી લાગે છે, અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ . વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોહ બળવાન છે!
0 પત્ર ક્રમાંક ૨૪૪ઃ સૌ. 9 પરબ્રહ્મ આનંદમૂર્તિ છે; તેનો ત્રણે કાળને વિષે અનુગ્રહ ઇચ્છીએ
જ છીએ.
કેટલોક નિવૃત્તિનો વખત મળ્યા કરે છે; પરબ્રહ્મવિચાર તો એમ ને જ એમ રહ્યા કરે છે; ક્યારેક તો તે માટે આનંદકિરણ બહુ ફુરી નીકળે છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે; પણ કોઈને કહી શકાતી નથી; અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા
(૩૬)
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
પૂછનાર જોઈએ. એવો વ્યવહારમાર્ગ છે; પણ અમને આ પરમાર્થમાર્ગમાં જ શાતા પૂછનાર મળતો નથી; અને જે છે તેનાથી વિયોગ રહે છે, ત્યારે હું હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ છીએ.
0 પત્ર ક્રમાંક ૨૪૭ઃ સો. છ જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ ' પ્રત્યે અતિશય લઈ થઈ છે. અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં ન જેવે રૂપે ઇચ્છીએ તેવે રૂપે હર... આવશે, એવો ભવિષ્યકાળ ઈશ્વરેચ્છાને છે લીધે લખ્યો છે.
અમે અમારો અંતરંગ વિચાર લખી શકવાને અતિશય અશક્ત થઈ ? ગયા છીએ; જેથી સમાગમને ઇચ્છીએ છીએ, પણ ઈશ્વરેચ્છા હજુ તેમ છે કરવામાં અસમ્મત લાગે છે; જેથી વિયોગે જ વર્તીએ છીએ.
તે પૂર્ણસ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે, એવો કોઈ પણ પુરુષ હાલ નથી દેખાતો તેનું શું કારણ હશે ? તેમ તેવી અતિ તીવ્ર અથવા તીવ્ર મુમુક્ષુતા કોઈની જોવામાં આવી નથી તેનું શું કારણ હશે ?
ક્વચિત્ તીવ્ર મુમુક્ષુતા જોવામાં આવી હશે તો ત્યાં અનંતગુણગંભીર | જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય ! એ માટે { આપને જે લાગે તે લખશો. બીજું મોટું આશ્ચર્યકારક તો એ કે આપ
જેવાને સમ્યકજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર છે [ પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો ? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ | વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો ?
D પત્ર ક્રમાંક ૫૪ : ખંભાતના મુમુક્ષુઓ જ છે છે. નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિ:સંગતા પ્રાપ્ત છે હોય છે.
મુમુક્ષુતા' તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક “મોક્ષ' ને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષુતા' એ છે કે અનન્ય પ્રેમ
મોક્ષમાર્ગ પ્રકાશ
૩૭.
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #57
--------------------------------------------------------------------------
________________
ને મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.
તીવ્ર મુમુક્ષુતા' વિષે અત્રે જણાવવું નથી પણ “મુમુક્ષુતા” વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે.
સ્વછંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી જ બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે.
આ લોકની અલ્પ પણ સુખેચ્છા, એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણો નિ:શંકપણે તે
સ” છે એવું દઢ થયું નથી, અથવા તે “પરમાનંદરૂપ' જ છે એમ 1 પણ નિશ્ચય નથી. અથવા તો મુમુક્ષતામાં પણ કેટલાક આનંદ | છે અનુભવાય છે. તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ કેટલીક વાર ( પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ સુખેચ્છા રહ્યા કરે જ છે; જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે. છે. સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો 1 છે, અને એ બુદ્ધિ પરમ દન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે | જ પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ જ
પરમ દૈન્યવત્વ' જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની છે ' જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે.
કદાપિ એ બંને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જ જોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ-નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે, કલ્પિત પદાર્થ વિષે સતુની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ , પ્રેમ આવતો નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે.
મહાત્મામાં જેનો દૃઢ નિશ્ચય થાય છે, તેને મોહાસક્તિ મટી છે પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા છે.
૩૮
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
જ આવે છે. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને આ છે તેથી જ નિ:સંગતા ઉત્પન્ન હોય છે. (x .
અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે.
0 પત્ર ક્રમાંક ૨૫૫ : સૌ. As સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી, શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છો (!) પરમાનંદજી. એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત ન કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે અને ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે; એની ખબર છે રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી; અમે આ બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત, નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી; જાત-ભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા, સત્સંગી નહીં મળતા ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચ્છા નથી શબ્દાકિ વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી -અથવા ઈશ્વરેચ્છાથી તેની ઇચ્છા રહી નથી; પોતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે.
આદિ પુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની એક આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે; આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુવારી જેવી પ્રવહેવી જોઈએ તેવી પ્રવકતી નથી એમ જાણીએ છીએ.
મોક્ષમાર્ગ પ્રકાશ
૩૯
For Personal & Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
O પત્ર ક્રમાંક ૨૫૮ : સૌ. G बंधन बोर्ड
ના ત્રષ્ન પહે તૃષાતુરને પાયાની મહેનત કરજો.
૧
અતૃષારને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો.
O પત્ર ક્રમાંક ૨૫૯ : સૌ. જી
સર્વશક્તિમાન હરિની ઇચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે, અને જેને કાંઈ પણ ભક્તિના અંશો પ્રાપ્ત થયા છે એવા પુરુષે તો જરૂર એમ જ નિશ્ચય કરવો કે ‘હરિની ઇચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે.’
આપણો વિયોગ રહેવામાં પણ હિરની તેવી જ ઇચ્છા છે, અને તે ઇચ્છા શું હશે તે અમને કોઈ રીતે ભાસે છે, જે સમાગમે કહીશું.
શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તો પાંચ પંદર દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઇચ્છા કરું.
--
‘જ્ઞાનધારા’ સંબંધી મૂળ માર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું, અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હિરની પ્રેરણા હોય તેવું લાગે છે.
તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ ?
૪૦
પણ અમને લાગે છે કે અમારે હાથે હિર તમને પરાભક્તિ અપાવશે, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું.
આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થકાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે, તો આ દુષમકાળને વિષે પ્રાપ્તિ પરમ દુર્લભ હોવી સંભાવ્ય છે એમ જાણી, જે જે પ્રકારે સત્સંગના વિયોગમાં
ફ્લુને O પત્ર ક્રમાંક જ્ન્મ : ઉગરીબહેન વ્ઝ
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
છે પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય છે તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર,
વખતોવખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે, અને નિરંતર સત્સંગની ઇચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે, એમ જાણી જે કંઈ નિવૃત્તિનાં કારણો હોય, તે તે કારણોનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે.
જી પત્ર ક્રમાંક ૨૬૫ ૪
કેવલ્ય બીજ શું? (તોટક છંદ) યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહયો; ' વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્ય લગાય દિયો... ૧ , મનપાન-નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યોંહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબવેં.. ૨ સબ શાસ્ત્રન કે નય ધારી હિયે, મત મંડન-ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ છે અબ ક્યો ન બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસેં? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે?... ૪ ૮ કરૂના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી;
પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસેં. ૫ - છે તનસેં, મનસે, ઘનમેં, સબસે, ગુરુદેવની આન સ્વઆત્મ બર્સે
તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ધનો... ૩ વહ સત્ય સુધા દરસાવહિંગે, ચતુરાંગુલ છે દગસે મિલો; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગ જુગ સો જીવહિ. ૭ : પરપ્રેમ-પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસે છે વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે....૮
મોક્ષમાર્ગ પ્રકાશ
૪૧
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
પત્ર ક્રમાંક ૨૬૭ %
હરિગીત જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો, જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં; તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું. સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર..૧ નહિ ગ્રંથમાંથી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિ ચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનમાં કળો, જિનવર...૨ આ જીવને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં; પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર...૩ કેવળ નહીં બ્રહ્મચર્યથી........... કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર...૪ શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્પતિ આદિસ્થળો, જિનવર૫ છે. આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી; તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જિનવર છે. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રી નંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એજ ઠેકાણે ઠરો, જિનવર...૭ વ્રત નહીં પરખાણ નહિ, ત્યાગ વસ્તકોઈનો, આ મહાપદ્મ તીર્થકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈલો, છોદ્યો અનંતા.. ...........
...... ...... જિનવર...૮
૪૨
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
D પત્ર ક્રમાંક ૨૮૦ : સો. As જણાવ્યા જેવું તો મન છે, કે જે સસ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મોરલી ઉપર), તથાપિ તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી; અને લેખમાં તો તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે; એવી તે દશા તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમસ્વરૂપ તેને વિષે અમને તમને અનન્ય પ્રેમભક્તિ અખંડ
રહો; તે પ્રેમભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાઓ એ જ પ્રયાચના ઇચ્છી - અત્યારે અધિક લખતો નથી.
0 પત્ર ક્રમાંક ૨૮૨ : સૌ. છ મહાત્મા વ્યાસજીને એમ થયું હતું, તેમ અમને હમણાં વર્તે છે. ' આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કે કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ ક્યાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણું પણ ગમવું નથી.
કોઈથી અર્થસંબંધ અને કામસંબંધ તો ઘણા કાળ થયાં ગમતાં જ નથી. હમણાં ધર્મસંબંધ અને મોક્ષસંબંધ પણ ગમતો નથી. ધર્મસંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કરીને યોગીઓને પણ ગમે છે, અને અમે તો તેથી પણ વિરકત રહેવા માગીએ છીએ. હાલ તો અમને કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમે છે, તેનો અતિશય વિયોગ છે. વધારે શું લખવું ! સહન જ કરવું એ સુગમ છે.
'' ) પત્ર ક્રમાંક ૨૮૪ જ છે ૧. પરસમય જાણ્યા વિના સ્વસમય જાણ્યો છે એમ કહી શકાય છે નહીં.
૨. પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય
જ નહીં,
મોક્ષમાર્ગ પ્રકાશ
૪૩
For Personal & Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
0 પત્ર ક્રમાંક ૨૮૫ % છે. અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે, જેનાથી પ્રાપ્ત થાય છે, જે | તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે, અને જીવને ભુલવણી પણ એ જ છે. !
0 પત્ર ક્રમાંક ૨૯૧ : અં. 9 આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે.
એક સમય પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું છે ઇચ્છીએ છીએ. પણ તે તો હરિઇચ્છાવશ છે.
કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત ? છે છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી.
વર્ષ ૨૫મું
0 પત્ર ક્રમાંક ૩૦૬ : અં. ૪ * શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે.
0 પત્ર ક્રમાંક ૩૦૮ સો. 8 મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહી. જ્ઞાનીથી જ થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ.
સુધાને વિષે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો, અને આ ત્યારે જ ફળ છે.
પત્ર ક્રમાંક ૩૧૩ઃ સૌ. જ જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ.
જ્ઞાની અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં.
આ
४४
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી.
આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે છે. હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહજ આ સાંભરી આવે છે, એટલે જ તમને અને ગોસલિયાને લખ્યું હતું કે તમે જ છે પદાર્થને સમજો. બીજો કોઈ તેમ લખવામાં હેત નહોતો.
જી પત્ર ક્રમાંક ૩૧૬, ૩૧૭ઃ સો. છ એક પરિનામકે ન કરતા દરવ દોઈ,
દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ, એક કરતુતિ દોઈ દર્વ કબહૂ ન કરે,
દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ, જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉં,
અપને અપને રૂપ, કોઉ ન ટરતુ છે, જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ,
ચિંદાનંદ ચેતન સુભાવ આચરતું છે. એક
| (સમય માટે નાટક - કાવ્યકર્તાનો કહેવાનો હેતુ એમ છે કે, જો આમ તમે વસ્તુસ્થિતિ જ સમજો તો તો જડને વિષેનો જે સ્વસ્વરૂપભાવ છે તે માટે, અને જે | સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ છે આ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. (જો કે) 1 છે જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે.
8) પત્ર ક્રમાંક ૩ર૧ : અં. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં * છતાં તેવું જ રાખે છે; તોપણ કહીએ છીએ; માયા દુસ્તર છે; દુરંત છે છે, ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન
મોક્ષમાર્ગ પ્રકાશ
૪૫
For Personal & Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
કરવા યોગ્ય નથી. એવી તીવ્ર દશા આવ્યું અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે, અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના (ગૃહસ્થપણા 1 સહિતની)-તે અબંધપરિણામી કહેવા યોગ્ય છે. જે બોધસ્વરૂપે સ્થિત ! છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે.
વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન
થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક છે. માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ છે | અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ | થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે. આ
જી પત્ર ક્રમાંક ૩૨૨: સૌ. 9 સમ્યપ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે.
અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્ય ભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.
બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થ પણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ
વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે જ છે શ્રી તીર્થકરદેવ છે.
અને એ જે તીર્થકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે * કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દૃઢ કરીને જ છે ભાસે છે.
૪૬
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
છેકારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને જ
વીતરાગનું કહેલું કે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ.
વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રૂચિકર લાગે છે, સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે.
જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિષે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઇચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે, અને તેવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી; તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી.
જી પત્ર ક્રમાંક ૩૨૪ઃ સો. ચો તરફ ઉપાધિની જ્વાલા પ્રલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એવો અનુભવ છે.
આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ છે સમાધિ પ્રાપ્ત હોય છે.
સમ્યકદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો છે અનુભવ છે.
0 પત્ર ક્રમાંક ૩૨૫ સો. % ૫ - ૦૮ ૧ - ' જબ હીતે ચેતન વિભાવસો ઉલટિ આપુ, સમે
પાઈ અપનો સુભાવ ગહિ લીનો છે; તબહીર્તે જો જો લેનેજોગ સો સો સબ લીનો, જો જો ત્યાગજોગ સો સો સોબ છાંડીદીનો હે; લેવેંકો ન રહી ઠોર, ત્યાગીનેક નાહીં ઓર,
મોક્ષમાર્ગ પ્રકાશ
४७
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #67
--------------------------------------------------------------------------
________________
બાકી કહ્યા ઉબર્યો જુ, કારજ નવીનો છે; - સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હે; કેવી અદ્ભુત દશા?
0 પત્ર ક્રમાંક ૩૨૯ : સૌ. ૪ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે છે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત્ સમાધિ જ છે.
કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો; એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું
છે દ્વાર છે.
છે / જી પત્ર ક્રમાંક ૩૩૦ કિસનદાસ આદિ % ન દીર્ઘકાળ સુધી યથાર્થબોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે.
પત્ર ક્રમાંક ૩૩૪ઃ સો. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છેછીએ, એમ, અમારો આત્મા અખંડપણે કહે છે, અને એમ જ છે, તે | જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, * એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે. છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય 1 છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા જ વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત
છે, જરૂર એમ જ છે.
(૪૮)
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
) પત્ર ક્રમાંક 33૯ ૪ છે કોઈનો દોષ નથી. અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. તે
અમને તો માત્ર અપૂર્વ એવા સત્ના જ્ઞાન વિષે જ રૂચિ રહે છે. બીજું જે કંઈ કરવામાં આવે છે, કે અનુસરવામાં આવે છે, તે બધું ! આસપાસના બંધનને લઈને કરવામાં આવે છે.
હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો નથી. ક્વચિત્ પૂર્વકર્માનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યાં છે તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા 1 અર્થે, થોડા કાળમાં ભોગવી લેવાને અર્થે, આ વેપાર નામનું વ્યાવહારિક 1 છે. કામ બીજાને અર્થે સેવીએ છીએ. . હાલ જ કરીએ છીએ તે વેપાર વિષે મને વિચાર આવ્યા કરેલ, ' અને ત્યાર પછી અનુક્રમે તે કામની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે.
અમે આ કામ પ્રેરેલ માટે તે સંબંધી બને તેટલું મજુરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી છે. નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. પણ...ને દોષ-બુદ્ધિ આવી
જવાનો સંભવ, તે અનંત સંસારનું કારણ....ને થાય એમ જાણી જેમ
બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું છે છે એમ હાલ તો ધાર્યું છે.
આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે. અને તેથી અમે ઘણું કરીને તેમની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે; તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ
તો જેમ તેમ ચિત્ત સમાધાન કરી રાખ્યા કર્યું છે. છે. કોઈ પણ જીવ પરમાર્થને ઇચ્છે અને વ્યાવહારિક સંગમાં પ્રીતિ જ ( રાખે, ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં.
મોક્ષમાર્ગ પ્રકાશ
૪૯
For Personal & Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
અે પત્ર ક્રમાંક ૩૪૭ : સૌ. G
અત્ર ઘણું કરીને આત્મદદશાએ સહજસમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિનો જોગ વિશેષપણે ઉદય પ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે.
જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે.
અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે, કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે; તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે; તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયગોમાં રહ્યા કરીએ છીએ એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે.
O ૫ત્ર ક્રમાંક ૩૫૮ : અં. વ્ઝ
જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે.
) પત્ર ક્રમાંક ૩૭૦ : સૌ. જ
અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે. એવા જે શ્રી...ના પ્રણામ પહોંચે.
જેને વિષે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એવા જોગને વિષે હાલ તો રહીએ છીએ. આત્મસ્થિતિ તેને વિષે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ શ્રી...ના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ.
Чо
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
પત્ર ક્રમાંક ૩૭૬ઃ એ. 8 હાલ અત્રે બાહ્ય પ્રવૃત્તિનો જોગ વિશેષપણે રહે છે. જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલાં એવાં પૂર્વકમ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપાને અર્થે હોય છે.
જે ભાવે ફરી સંસારની ઉત્પત્તિ હોય છે; તે ભાવ જેને વિષેથી નિવૃત્ત થયો છે, એવા જ્ઞાની પણ બાહ્યપ્રવૃત્તિનાં નિવૃત્તપણાને અને સત્સમાગમનાં નિવાસપણાને ઇચ્છે છે. તે જોગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી અવિષમપણે પ્રાપ્તસ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ | વિશિષ્ટભાવે નમસ્કાર કરીએ છીએ.
હાલ જે પ્રવૃત્તિજોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના છે કારણથી રહીએ છીએ. આત્મદષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિનોગથી ! બાધ નથી પામતું. માટે ઉદય આવેલો એવો તે જોગ આરાધીએ છીએ. અમારો પ્રવૃત્તિજગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિષે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે. -
જેને વિષે સસ્વરૂપ વર્તે છે, એવા જે જ્ઞાની તેને વિષે લોકસ્પૃહાદિનો ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે, તે નિકટપણે કલ્યાણને પામે છે, એમ જાણીએ છીએ.
પત્ર ક્રમાંક ૩૭૭ ૪ યોગ અસંખ જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે; છે. નવ પદ તેમજ જાણજો, આતમરામ છે સાખી રે.'
આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તો એમ છે કે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. દેહાદિને વિષે અપ્રતિબદ્ધ છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
૫૧
For Personal & Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
‘ઈશ્વરેચ્છા’ એ શબ્દ પણ અર્થાંતરે જાણવા યોગ્ય છે. ઇશ્વરેચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને યોગ્ય છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધુંય સમ છે, અથવા જ્ઞાની સહજ પરિણામી છે; સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે, સહજપણે જે કંઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે, તે કર્તવ્યરહિત છે; કર્તવ્યભાવ તેને વિષે વિલય પ્રાપ્ત છે; માટે તમને, તે જ્ઞાનીના સ્વરૂપને વિષે પ્રારબ્ધના ઉદયનું સહજ-પ્રાપ્તપણું તે વધારે યોગ્ય છે, એમ જાણવું યોગ્ય છે. ઈશ્વરને વિષે કોઈ પ્રકારે ઇચ્છા સ્થાપિત કરી, તે ઇચ્છાવાન કહેવા યોગ્ય છે, જ્ઞાની ઇચ્છારહિત કે ઇચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી; તે સહજસ્વરૂપ છે.
O પત્ર ક્રમાંક ૩૭૯ : સૌ. જી
મોક્ષ તો આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય, અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ ૫૨મ દુર્લભ છે; અર્થાત્ મોક્ષ દુર્લભ નથી; દાતા દુર્લભ છે..
O પત્ર ક્રમાંક ૩૮૫ : સૌ. જી
સૂર્ય ઉદય-અસ્ત રહિત છે, માત્ર લોકોને ચક્ષુમર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુમર્યાદાને વિષે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિષે તો ઉદયઅસ્ત નથી. તેમજ જ્ઞાની છે તે બધા પ્રસંગને વિષે જેમ છે તેમ છે; માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી, એટલે પોતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઈ શકે તેવી દશા જ્ઞાનીને વિષે કલ્પે છે; અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, પરિતોષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી, એમ જાણવા યોગ્ય છે.
જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવોરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનું
૫૨
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
ઊઠવું, સમજાવવું, આ કરવું, અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિજોગ તો બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે. તે જેમ દુ:ખે-અત્યંત દુ:ખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક પ્રકારે વેદે છે. અખંડ સમાધિપણે વેદે છે.
O પત્ર ક્રમાંક ૩૯૧ : અં. જી
‘સત્’ એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિષે અનંત અંતરાય લોકપ્રમાણે પ્રત્યેક એવા રહ્યા છે. જીવને કર્તવ્ય એ છે કે અપ્રમત્તપણે તે ‘સત્'નું શ્રવણ, મનન, નિદિધ્યાસન ક૨વાનો અખંડ નિશ્ચય રાખવો.
O પત્ર ક્રમાંક ૩૯૪ : સૌ. જી
उच्३
મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત; તેમ શ્રુતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. જી
તે સ્નેહ તો પતિવ્રતારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાનીસંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે; અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે ‘કાંતા’ એવા નામની સમકિત સંબંધી જે દૃષ્ટિ તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ.
Ö પત્ર ક્રમાંક ૩૯૫ : સૌ. જી
અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસા૨પણારૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ નથી. ઘણાં કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશષ્ટિ પ્રગટવાનો જોગ પ્રાપ્ત થયો તો તે વિષમ
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૫૩
Page #73
--------------------------------------------------------------------------
________________
જ એવી સંસારપરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતો નથી; જ્યાં
સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિભાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, દુ:ખી કહેવો ઘટે છે, એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને, એવા આપ્તપુરુષે દુ:ખ મટવાનો માર્ગ જામ્યો છે, જે તે કહેતા હતા, કહે છે; ભવિષ્યકાળ કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્ય છે જેને વિષે, એવો જ્ઞાની પુરુષ તે જ તે અજ્ઞાનપરિણિતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુ:ખપરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવાને યોગ્ય છે, અને તે વચન છે સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હોવાથી તે દુ:ખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જો કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તો તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય.
પત્ર ક્રમાંક ૩૯૮ : સૌ. જ જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિષે હતું તેવા પુરુષનો જોગ છે આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તો તેમનો જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહેવો દુર્લભ છે, અને કદાપિ નિશ્ચય થાય તો પણ તેનો ! સત્સંગ રહેવો દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. આ તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યાં છે જે કારણો તેને વધારે બળવાનપણે દેખીએ છીએ અને એ વાત જોઈ ફરી ફરી અનુકંપા જ ઉત્પન્ન થાય છે.
પ૪
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #74
--------------------------------------------------------------------------
________________
*
“ઈશ્વરેચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું છે સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપા સંયુક્ત ઇચ્છા છે, તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થપ્રાપ્તિ જીવોને થાય તેવો જ કોઈ પ્રકારે ઓછો જોગ થયો છે, એમ અત્રે માનીએ છીએ. ]
આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિજોગ વેદનાને યોગ્ય નથી, તથાપિ તે તો જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે; પરંતુ પરમાર્થ સંબંધી કોઈ કોઈ જીવોને પ્રસંગ પડે છે, તેને તે ઉપાધિજોગના કારણથી
અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી; અને પરમાર્થ સંબંધી કંઈ ! * તમલિખિતાદિ વાર્તા આવે છે, તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે, જે
કારણ કે તેનો હાલ ઉદય નથી.
જ્યારથી તમે અમને મળ્યા છો, ત્યારથી આ વાર્તા કે જે ઉપર અનુક્રમે લખી છે, તે જણાવવાની ઇચ્છા હતી, પણ તેનો ઉદય તે તે ન પ્રકારમાં હતો નહીં, એટલે તેમ બન્યું નહીં; હમણાં તે ઉદય જણાવવા યોગ્ય થવાથી સંક્ષેપે જણાવ્યો છે, જે વારંવાર વિચારવાને અર્થે તમને લખ્યો છે. બહુ વિચાર કરી સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય
પ્રકાર એમાં લેખિત થયેલ છે, તમે અને ગોસલિયા સિવાય આ પત્રની * વિગત જાણવાને બીજા જોગ જીવ હાલ તમારી પાસે નથી, આટલી જ વાત સ્મરણ રાખવા લખી છે.
પત્ર ક્રમાંક ૩૯૯ : અં. છ મુમુક્ષુજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી - આત્મસાધન અલ્પકાળમાં કરી શકે છે, એ વાર્તા યથાર્થ છે, તેમ જ છે
સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે; તથાપિ એમ
મોક્ષમાર્ગ પ્રકાશ
પપ
For Personal & Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
કરવામાં જ આત્મસાધન રહ્યું હોવાથી ગમે તેવા માઠાં નિમિત્તમાં પણ
જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. 1 જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાધન વડે પણ !
સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તો નિર્વિવાદતા છે,પણ જ્યારે જ પૂર્વકર્મના નિબંધનથી અનુકૂળ નહીં એવા નિમિત્તોમાં નિવાસ પ્રાપ્ત થયો છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અદ્વૈષપરિણામ રહે જ એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, અને એ જ શિક્ષા છે.
અમ જેવા સત્સંગને નિરંતર ભજે છે, તો તે તમને કેમ અભજ્ય ન હોય ? તે જાણીએ છીએ; પણ હાલ તો પૂર્વકર્મને ભજીએ છીએ કે છે એટલે તમને બીજો માર્ગ કેમ બતાવીએ ? તે તમે વિચારો.
) પત્ર ક્રમાંક ૪૩૧ : સૌ. ૪ અભા” જે પદાર્થને તીર્થકર કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ છે છેસમ્યક્ત્વ છે, એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને 1 ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને !
બીજરુચિ સમ્યકત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય, એમ જિન કહે છે.
અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક જ આત્માર્થે જ છે, અન્ય અર્થે નહીં. બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં, પણ આત્માર્થે છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ-અપ્રાપ્તિને વિષે હોય એમ અમને લાગતું નથી. આત્માપણું' એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણત્યાગમાં સ્મરણ જોગ નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશરૂપ છે.
૫૬
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
પત્રક જલક
બાળ ઈઝ
૨૧ ના ૨૧ ઉર, શામળા લેવાતા ચેતને, તબ જ વિતા જે તારવે અવર જવર થઈ જાય છે જે કરે છે. આ તમા મ તે કહે અનંત મરિન લે છે તે તઈ કરને વેતવત્ર 3ી કરતા ત્યારે ના કરી છે ન્ય
વિચાર કરવા તે વિ. રતેના ફળ સ્વરેનને વિષે ના મન ઉત ઉત્પન ૧૪ છે, નાના વજનને લઈ ૧ કરીએ છે.
» કરે અને વિચા૨ દ૨વાળ, જે નવ આત્મા- બિન જામે - ના કેળ નિબળ હજ ઈ તે Aળ બે
કરી છે કેનિજ નિજ કરે છે અને વિય ૨ લાભ
– . બ લ કાર કેવા છે : วาเคโงะ หn4เค y th Sๆ " સિ , ઈ .અબ જેવો તાપ ર જ દે બિબે છે"
0
1 ઉ.વ.
For Personal & Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
O ૫ત્ર ક્રમાંક ૪૩૭ : સૌ. જી
કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે; એવો ૪ શ્રી તીર્થંકરદેવાદિ જ્ઞાનીનો ઉપદેશ તે સત્ય છે. એવી, જીવસમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ છે, તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે; એક પારમાર્થિક અને એક વ્યાવહારિક; અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી.
વક્તવ્યપણે જે જીવ ધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થંકરાદિ કહેવા સમર્થ છે, અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવ ધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે ક૨ી અમુક મુખ્ય પ્રકારે કરી તે દોહાને વિષે કહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફુટ સમજાય છે, અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે.
O ૫ત્ર ક્રમાંક ૪૩૮ : સૌ. જી
સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયક્તા સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.
તે આત્મા ‘સમતા’ નામને લક્ષણે યુક્ત છે વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દેશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે.
પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે વૃક્ષાદિને વિષે જે કંઈ ૨મણીયપણું
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૫૭
Page #79
--------------------------------------------------------------------------
________________
* જણાય છે. અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્કૂર્તિવાળાં જણાય છે.
પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણું છે લક્ષણ
જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું છેજગત શુન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિષે છે, તે લક્ષણ જેને જે વિષે ઘટે તે જીવ છે.
કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે.
પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયક - રહિતપણે આ જીવ પદાર્થ કોઈપણ અનુભવી શકે નહીં. એવું જે [ અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, .
તીર્થકરે જીવ કહ્યો છે. | શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી સ્થિતિમાં જે સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે. તે સુખભાસ નામનું લક્ષણ માટે તીર્થકરે જીવનું કહ્યું છે.
: : આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ
સ્થિતિમાં છે, ટાઢે ઠરું છું, તાપ પડે છે. દુ:ખી છું, દુ:ખ અનુભવું છું. ' એવું જે સ્પષ્ટજ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો
કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિષે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે. એ જ તીર્થકરાદિનો અનુભવ છે.
( ૧૮ )
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
જ સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, છે સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ ' પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્ય- પણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે
છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ જ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, ૪. છે તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે.
D પત્ર ક્રમાંક ૪૬૬ ઉs ૧. જેની પાસે ધર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ છે. વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. - ૨. જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને ! થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલો છે શિક્ષાબોધ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત
અને અસતું વચન એ આદિનો તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરી તે કરવો નહીં. મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે. .
આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના છે. માર્ગના મતમાં પડવું નહીં. | ૩. આટલું થતાં છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, .
મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં.
૫. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં, એટલે કે અત્યારે જીવમાં માન ન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે | * પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ ?
દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક
મોક્ષમાર્ગ પ્રકાશ
પ૯
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #81
--------------------------------------------------------------------------
________________
મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે.
૬. જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ ! કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય ?
છે, અને તે પરમસત્સંગે કરી સમજી શકાય છે; માટે તેવા વિકલ્પ છે. ' કરવા મૂકી દેવા.
૭. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, જે કે સત્સંગ થયો હોય તો સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષો તો છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં. ૮. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જીવે કરવું બાકી છે
જ રાખ્યું છે.
0 પત્ર ક્રમાંક ૪૭૧ : સૌ. શ્વ આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ છે કે જે મુખને વિષે વરસે છે. તે એક અપૂર્વ આધાર છે; માટે કોઈ જ
રીતે તેને બીજજ્ઞાન કહો તો હરકત નથી; માત્ર એટલો ભેદ છે કે કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હોવા જોઈએ.
) પત્ર ક્રમાંક ૪૭૨ : સૌ. તથા ડું. (s ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે સ્પષ્ટ લખ્યું હતું, તે ચાહીને લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં, એમ
જાણીને લખ્યું હતું. કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જો તે વાત * વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ 1 છે એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યાં છે તે પુરુષ કોઈ અપૂર્વ
go
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
* માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય છે છેસંભવ છે, એમ જાણી તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય.
સપુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ છે. પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી. તેને સમજાવો
દુર્લભ થાય છે, એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ થાય.
આત્મા છે તે ચંદનવૃક્ષ છે. તેની સમીપે જે જે વસ્તુઓ વિશેષપણે * રહી હોય તે તે વસ્તુ તે તે વસ્તુ તેની સુગંધનો (!) વિશેષ બોધ કરે તે છે છે. જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હોય તે વૃક્ષમાં ચંદનની ગંધ છે. ! વિશેષપણે સ્કુરે છે. જેમ જેમ આઘેનાં વૃક્ષ હોય તેમ તેમ સુગંધ મંદ :
પરિણામને ભજે છે. અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષોનું વન આવે છે; અર્થાત્ ચંદન પછી તે સુગંધપરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કરીએ
છીએ અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેમાં તેની 1 છાયા (!) રૂ૫ સુગંધ વિશેષ પડે છે, જેનું ધ્યાન જ્ઞનીની આજ્ઞાએ ?
થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતાં પણ સુધારસ છે તેમાં, આત્મા છે વિશેષ સમીપપણે વર્તે છે, માટે તે આત્માની વિશેષ છાયા-સુગંધ (!) નો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે.
વર્ષ ૨૭મું . D પત્ર ક્રમાંક ૪૯૧ સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગજવો, અને આત્મા ગવવો હોય તેણે યમનિયમાદિક સર્વ કે | સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગષવો, તેમ જ ઉપાસવો, .
સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ છે. સર્વથા ત્યાગવો. પોતાનો સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ છે
મોક્ષમાર્ગ પ્રકાશ
( ૧૧ )
For Personal & Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે આ કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે ! સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ! ઉપાસનાર સર્વ દુ:ખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) છે
) પત્ર ક્રમાંક ૪૯૩ : મુનિશ્રી જ જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેનો પ્રત્યુપકાર જ ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છડ્યા વિના માત્ર છે.
નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને * વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, છે એમ કદી જોયું નથી, એવા જે પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી . ફરી નમસ્કાર હો !
પત્ર ક્રમાંક ૫૦૬ શ્રી તીર્થકરાદિ મહાત્માઓએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી છે દેહાદિને વિષે થયેલી આત્મબુદ્ધિ અને આત્મભાવને વિષે થયેલી દેહબુદ્ધિ જ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયો છે, તેવા જ્ઞાની જ છે પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે, ત્યાં સુધી જાગૃતિમાં છે
રહેવું યોગ્ય છે. કેમ કે, અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જામ્યો છે.
આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે “ઉપદેશબોધ' કરતાં સિદ્ધાંતબોધ'નું મુખ્યપણું જણાય છે, કેમ કે ઉપદેશબોધ પણ તેને I જ અર્થે છે, તો પછી સિદ્ધાંતબોધનું જ પ્રથમથી અવગાહન કર્યું છે
હોયતો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે, કેમ કે સિદ્ધાંતબોધનો જન્મ ઉપદેશબોધથી
૬૨.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
થાય છે. જેને વૈરાગ્ય-ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. કેમ કે ચક્ષુને વિષે જેટલી ઝાંખપ છે, તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જો અત્યંત બળવાન પડળ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી, તેમ જેને ચક્ષુનું યથાવત્ સંપૂર્ણ તેજ છે તે, પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. તેમ જે જીવને વિષે ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે, તેને તો કોઈ રીતે સિદ્ધાંતબોધ વિચારમાં આવી શકે નહીં. જેની વિપર્યાસબુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય; અને જેણે તે વિપર્યાસબુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનુ અવગાહન થાય.
ગૃહકુટુંબ પરિગ્રહાદિભાવને વિષે જે અહંતા-મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ ‘વિપર્યાસબુદ્ધિ’ છે; અને અહંતા, મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય ઉપશમ ઉદ્દભવે છે ત્યા મંદ પડે છે, અનુક્રમે નાશ પામવાયોગ્ય થાય છે. ગૃહકુટુંબાદિભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે ‘વૈરાગ્ય’ છે; અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાયક્લેશ તેનું મંદ થવું તે ‘ઉપશમ’ છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્બુદ્ધિ કરે છે, અને તે સબુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે.
જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્યઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત્ વિવેક હોય નહીં. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે.
આરંભપરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળજ્ઞાન છે ત્યાં સુધી લીધું છે; અને પ્રવૃત્તિનું ફળ કેવળજ્ઞાન સુધીના આવરણના હેતુપણે
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
63
Page #85
--------------------------------------------------------------------------
________________
કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાનો જ છે ઉપદેશ કર્યો છે. ફરી ફરીને જ્ઞાની પુરુષોનાં વચન એ ઉપદેશનો જ છે નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઇચ્છે છે; તથાપિ અનાદિ : અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઇચ્છાદિ ભાવમાં મૂઢ થયેલો એવો જીવ પ્રતિબૂઝતો નથી; અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઇચ્છે છે, કે જેનો સંભવ ક્યારે ? પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી; અને ભવિષ્યમાં થશે નહીં. .
) પત્ર ક્રમાંક ૫૦૯: મુનિશ્રી જ જીવ, કાયા પદાર્થપણે જુદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ છે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જિને જીવ અને તે 1 કર્મનો ક્ષીરનીરની પેઠે સંબંધ કહ્યો છે. તેનો હેતુ પણ એ જ છે કે, I ક્ષીર અને નીર એકત્ર થયાં સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદાં છે; જ પદાર્થપણે ભિન્ન છે, અગ્નિ પ્રયોગે તે પાછાં સ્પષ્ટ જુદાં પડે છે; તેમ ! જ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ ? છે, અને જીવ ઇન્દ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ છે સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવ, કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે, તે જીવને ભાયામાં આવતું નથી; તથાપિ ક્ષીરનીરવતું જુદાપણું છે જ્ઞાનસંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે.
* વેદના વેદતાં જીવને કંઈ પણ વિષમ ભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે છે; પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે
છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધરૂપ છે; તેને વેદતાં જ્ઞાનીને અવિષમપણું છે, એટલે જીવ ને કાયા જુદાં છે, એવો જે જ્ઞાનયોગ તે જ્ઞાની પુરુષનો છે અબાધ જ રહે છે.
જી પત્ર ક્રમાંક પ૨૦ઃ સો. ૪ * જે મુખરસ સંબંધી જ્ઞાનવિષે સમયસાર' ગ્રંથના કવિતાદિમાં તમે
અર્થ ધારો છો તે તેમ જ છે, એમ સર્વત્ર છે, એમ કહેવા યોગ્ય નથી.
૬૪.
|
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
આ બનારસીદાસે “સમયસાર' ગ્રંથ હિંદી ભાષામાં કરતાં કેટલાંક કવિત, સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે, અને તે કોઈ રીતે
બીજજ્ઞાનને લગતી જણાય છે. તથાપિ ક્યાંક ક્યાંક તેવા શબ્દો છે. ઉપમાપણે પણ આવે છે. “સમયસાર' (નાટક) બનારસીદાસે કર્યો છે. છે
તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે, ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમાપણે છે જ એમ જણાતું નથી, પણ કેટલેક સ્થળે વસ્તપણે કહ્યું છે, એમ લાગે છે; જ છે જો કે એ વાત કંઈક આગળ ગયે મળતી આવી શકે એમ છે. એટલે કે : તમે જે “બીજજ્ઞાન'માં કારણ ગણો છો તેથી કંઈક આગળ વધતી વાત છે. અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે.
પત્ર ક્રમાંક પર૫ જ આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને * વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન
થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મક્તપણું કરે છે. નિજારભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાનીપુરુષને ત્યાર પછી પરભવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ
પ્રતિબંધ થતો નથી. છે D પત્ર ક્રમાંક ૫૩૦ મહાત્મા ગાંધી 6 છે ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય છે.
તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, * એવું કંઈ છે નહીં. જીવમાત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન : નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી, અને
જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની જરૂર નથી. ભાષાજ્ઞાન મોક્ષનો હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એવો કાંઈ નિયમ સંભવતો નથી.
મોક્ષમાર્ગ પ્રકાશ
૬૫
For Personal & Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
આ સર્પ તમારે કરવા દેવો એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું જ છે છે. તથાપિ તમે જો દેહ અનિત્ય છે” એમ જાણ્યું હોય તો પછી આ છે
અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં પ્રીતિ રહી છે, એવા સર્પને, ' તમારે મારવો કેમ યોગ્ય હોય ? જેણે આત્મહિત ઇચ્છવું હોય તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો એ જ યોગ્ય છે. કદાપિ આત્મહિત ઇચ્છવું ન હોય તેણે કેમ કરવું? તો તેનો ઉત્તર એ જ અપાય કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું, અર્થાત્ સર્પને મારવો એવો ઉપદેશ કયાંથી કરી શકીએ ? અનાર્યવૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય. તે તો અમને તમને સ્વપ્ન પણ ન હોય એ જ ઇચ્છવા યોગ્ય છે.
વર્ષ ૨૮મું
જી પત્ર ક્રમાંક પ૪૮ : સૌ. 9 જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે, અને તેના માર્ગને આરાધે ના જીવન દર્શનમોહનીય કર્મ ઉપશમે છે, કે ક્ષય થાય છે, અને અનુક્રમે | સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે; |
પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત & થઈ શકતો નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ છે. ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવાં ચાર કર્મ વેદવાં પડે છે, તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય : કાંઈ નથી. જેમ તે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતિ ચાર કર્મ નાશ પામવાથી વેદવાં પડતાં નથી, અને ફરી તે કર્મ ઉત્પન્ન થવામાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી, તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે; અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી.
રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે, તેમ જ તમારે માટે મારે કરવો હોય તો પણ મારા ચિત્તમાં અન્યભાવ આવે છે
નહીં. પણ તમે દુ:ખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણાવો
૬૬.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
જ એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી કેમકે રવજીભાઈને તેવી જ
પરમાર્થ ઇચ્છા નથી અને તમને છે, જેથી તમારે આ વાત ઉપર જરૂર * સ્થિર થવું. આ વાતનો વિશેષ નિશ્ચય રાખજો.
પત્ર ક્રમાંક પ૬૦ : સો. 9 જ જો જ્ઞાનીપુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષ પદ સુલભ છે છે; તો પછી ક્ષણેક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ ' તે જ્ઞાનીપુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ? કેમકે ! છે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં.
જ્ઞાનીપુરુષના વચનનો દઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ | થાય એવો અખંડ નિશ્ચય પુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ ? છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન છે
થઈ શકે ? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની ! * સમીપતા કે દઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત આ નિવૃત્તિ જોઈએ, તો પણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ
આત્મસાધન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી કે જેથી સર્વ સાધન : છે અલ્પકાળમાં ફળીભૂત થાય. - શ્રી તીર્થકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાની પુરુષની દશા છે સંસારપરિક્ષીણ થઈ છે, તે જ્ઞાની પુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તોપણ પુરુષાર્થ મુખ્ય રાખવો, કે જે બીજા જીવને પણ આત્મસાધન- ૪ પરિણામનો હેતુ થાય.
સમયસારમાંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતો માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ પડશે. - જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધ પ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભૂલાવે એવો
મોક્ષમાર્ગ પ્રકાશ
૬૭
For Personal & Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
જ સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે, જે
જો કે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું છે એમ સૂઝયાં કર્યું છે, તો પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તો અલ્પકાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે.
0 પત્ર ક્રમાંક પ૬૮ (9) આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. | સર્વ ક્લેશથી અને સર્વ દુ:ખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં,
તેલંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્ માત્ર રાય નથી.
આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર “સમાધિ' કહે છે. ' આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર ‘અસમાધિ' કહે છે. '
આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર “ધર્મ' કહે છે.
આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર છેકર્મ' કહે છે.
શ્રી જિન તીર્થકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે, તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી, અને જેવું શ્રી જિનને વિષે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થવક્તાપણું બીજામાં છે જોવામાં આવતું નથી.
આત્માના અંતવ્યપાર (શુભાશુભ પરિણામધારા) પ્રમાણે બંધ જ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. પૂર્વે ઉત્પન્ન
કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે, અને તે
૬૮
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
જ પ્રમાણે નિર્બળ, મંદ, જ્ઞાન, ઉષ્ણ, શીત આદિ શરીરચેષ્ટા થાય છે.
વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, પ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે, તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.
કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી, અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે.
જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે ! પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ?
શ્રી જિનનો એવો અભિપ્રાય છે, કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે. અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી
અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રી જિને નિશ્ચય કર્યો છે છે અને તેમ જ યોગ્ય છે, કેમ કે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે.
જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, છે અનંત આદિ વિષેનો યથાશક્તિ વિચાર કરવો. જે કંઈ અન્ય પદાર્થનો
વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને તે માટે કરવો નથી.
8) પત્ર ક્રમાંક પ૧૯ : સૌ. ૬ સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન ,
For Personal & Private Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્યસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્ માત્ર સંશય નથી.
આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસ...સંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી , 1 આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી ? આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ફ્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.
જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે, નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદિને કોઈ જ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે. | સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી.
અન્ય પરિણામમાં જેટલી તાદાસ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ છે. દૂર છે. ( જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ? છે. ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી,
એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન જ કરવો ઘટે.
વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો છે ! વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગ પ્રસંગનો ! આ ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો જ
હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ
(૭૦)
90
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
* બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચાર દશાને પામે.
) પત્ર ક્રમાંક ૫૭૨ ઃ એ. 9 સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે * આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં, એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે; જે અખંડ સત્ય છે.
કોઈક જીવથી તે ગહનદશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે, માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવા રૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન જ થયા છે.
જ્ઞાની પુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ છે સિદ્ધ થતો નથી. જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનામગમાં . ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર છે કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું .
સુલભ થાય છે. છે જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું છે
બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ
પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ આ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય. .
જી પત્ર ક્રમાંક ૫૭૫ % જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના !
મોક્ષમાર્ગ પ્રકાશ
૭૧
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #93
--------------------------------------------------------------------------
________________
જ નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે.
) પત્ર ક્રમાંક ૫૮૩ % એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત ! આ અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી જ
પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો છે બનતો નથી, એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે.
0 પત્ર ક્રમાંક પ૮૫ ઃ સો. ( જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિકતણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિન વિરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાયઅભાવ રે.
સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વકર્મનો ક્ષય થયે જ છે અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચન ..
અત્યંત સાચાં છે, કેમકે સત્સંગથી, પ્રત્યક્ષ, અત્યંત પ્રગટ તે વચનોનો ! જ અનુભવ થાય છે.
નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. તે 1 સુધારસ, સત્સમાગમ, સલ્લાસ્ત્ર, સદ્વિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ - સૌ તે સ્થિરતાના હેતુ છે.
D પત્ર ક્રમાંક ૫૮૬ઃ સો. ૯૪ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી ! એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે, તે જિન વીતરાગના ચરણકમળને વિષે જ અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે.
૭૨
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Ð પત્ર ક્રમાંક ૫૯૧ જી
જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી; અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાતાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત હોય છે.
O પત્ર ક્રમાંક ૫૯૨ : સૌ. જી
જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે.
બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે.
વિરલા જીવો સમ્યક્દષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે; જ્યાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી.
O પત્ર ક્રમાંક ૫૯૩ વ્ઝ
આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો છે.
યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસા૨પરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સદ્વિચાર અને સદ્ગ્રંથનો પરિચય નિરંતરપણે ક૨વો શ્રેયભૂત છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
93
Page #95
--------------------------------------------------------------------------
________________
જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર
હો.
O ૫ત્ર ક્રમાંક ૫૯૮ : સૌ. જી
અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે ?
એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાંખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સત્યમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે; કેમકે આજુબાજુના સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરી વિપર્યય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષુજીવ અત્રે ચાહીને સમાગમાર્થે આવવા ઇચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર ‘ના' લખવા જેવું બને છે, કેમ કે તેના શ્રેયને બાધ ન થવા દેવો યોગ્ય છે.
અે પત્ર ક્રમાંક ૬૦૦ : સૌ. જી
અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સદ્ધર્મનો નિષ્કારણ કરૂણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાનીપુરુષના ઉપકારને નમસ્કાર હો ! નમસ્કાર હો !
પરપરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે.
જ્ઞાનીપુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગ પણ તે સુખ પ્રગયે પ્રરૂપવાયોગ્ય છે.
૭૪
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
O પત્ર ક્રમાંક ૬૦૩ G
જ્ઞાનીપુરૂષને જે સુખ વર્તે છે, તે નિજસ્વાભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્યપદાર્થમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી.
વાયુફેર હોવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવાયોગ્ય માર્ગ ભણી તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, તેમ જ્ઞાનીપુરુષ મન વચનાદિ યોગને નિજભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદયવાયુયોગે યત્કિંચિંત દશાફેર થાય છે, તો પણ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિષે છે.
O પત્ર ક્રમાંક ૬૦૯ (૩
(૧) સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ ‘મોક્ષ’ કહે છે.
(૨) સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.
(૩) સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે.
(૪) એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે.
(૫) સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માડી શૈલેશીઅવસ્થા પર્યન્તની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે.
(૬) સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૭૫
Page #97
--------------------------------------------------------------------------
________________
આ છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવન ઉત્પન્ન થાય છે.
(૭) તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ છે જીવે તેને પરમહિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવાયોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં ! જ આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપર્યન્ત પ્રાપ્ત થયા એવા જ છે સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું.
(૮) અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે, કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે.
(૯) તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવનું કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોનો ત્યાગ ન કર્યો !
(૧૦) મિથ્યાગ્રહ, સ્વચ્છેપણું, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં અથવા સત્સંગમાં છે એકનિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં છે મિથ્યાગ્રહમાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.
(૧૧) સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહતું પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરીઆ જ સત્સંગ, સપુરુષ છે.
છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને - સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યું કાર્ય અને પ્રસંગે પ્રસંગે જ તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષણ કરવાનું અને તે સત્સંગને
૭૬.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
* અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી જ છે. કોઈ પદાર્થને વિષે ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે છે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં. ' (૧૨) સત્સંગનું એટલે સત્પષનું ઓળખાણ થયે પણ તે યોગ ! નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ સમ્યકત્વ ઉત્પન્ન થાય છે.
(૧૩) જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળ પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને
અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકોચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. જ તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ૪ || ઇન્દ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય
આરાધન કર્યાં જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવાં; કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે; પણ જ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો છે તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને
આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે છેપણ જીવનું કલ્યાણ થાય નહીં.
સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મુમુક્ષુજીવે પોતાના આત્માને વિષે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે; જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
૭૭.
For Personal & Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
જી પત્ર ક્રમાંક ૬૧૦ઃ મગનલાલ ખીમચંદ, લીંબડી 6 ૧. સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યાપ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં. કેમકે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવપ્રવૃત્તિ મટે, એવો જિનનો નિશ્ચય છે. કદી પૂર્વ પારબ્ધથી બાહ્યપ્રવૃત્તિનો ઉદય વર્તતો હોય તો પણ મિથ્યાપ્રવૃત્તિમાં તાદાત્મ થાય નહીં, એ જ્ઞાનનું લક્ષણ છે; અને નિત્ય પ્રત્યે મિથ્યાપ્રવૃત્તિ પરિક્ષીણ થાય એ જ સત્યજ્ઞાનની પ્રતીતિનું ફળ છે. મિથ્યાપ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં, તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં.
D પત્ર ક્રમાંક ૬૧૭ : સૌ. જ | સર્વ પ્રકારનાં સર્વાગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે, એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરી કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં; તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારના સમાધાનના ઉપાય હોવાયોગ્ય છે; જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી.
જી પત્ર ક્રમાંક ૬૧૮ : સૌ. છ જે વિચારવાન પુરુષની દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ફ્લેશસ્વરૂપ ભાસ્યમાન થતું હોય, સાંસારિક ભોગોપભોગ વિષે વિરતપણા જેવું જેને વર્તતું હોય તેવા વિચારવાનને બીજી તરફ લોકવ્યવહારાદિ, વ્યાપારાદિ ઉદય વર્તતો હોય, તો તે ઉદયપ્રતિબંધ ઇન્દ્રિયના સુખને અર્થે નહીં પણ આત્મહિતાર્થે ટાળવો હોય તો ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ ? તે સંબંધી કંઈ જણાવવાનું થાય તો કરશો. એ જ વિનંતિ.
0 પત્ર ક્રમાંક ૬૩૧ : સૌ. જ હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, |
O
+
=
*
|
૭૮
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે, માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વાંરવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિષે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે ! તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ એવાં સસ્તુ શાસ્ત્રમાં કહેલાં માર્ગનું પણ છે
આ તત્ત્વ છે, એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે . ' સમજાવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે, અને તેનું સ્વરૂપ પણ જુદું છે, છે જેમ માત્ર કથનજ્ઞાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે ઠેકાણે જઈને 1 કાં પૂછે છે ? કેમકે તે અપૂર્વભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત જ થવાયોગ્ય નથી. છે. હે મુમુક્ષુ ! યમનિયમાદિ જે સાધનો સર્વ શાસ્ત્રમાં કહ્યાં છે, તે છે ' ઉપર કહેલાં અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમકે તે પણ જ કારણને અર્થે છે, તે કારણે આ પ્રમાણે છે : આત્મજ્ઞાન રહી શકે એવી જ . પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ
કારણો ઉપદેશ્યાં છે. તત્ત્વજ્ઞાનીઓએ એથી, એવા હેતુથી એ સાધનો ઉપદેશ્યાં છે. તત્ત્વજ્ઞાનીઓએ એથી, એવા હેતુથી એ સાધનો કહ્યાં છે, 1 પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યાં. આંગળીથી છે જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, તેમ તત્ત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું છે તત્ત્વ કહ્યું છે.
D પત્ર ક્રમાંક ૧૩૬: કુંવરજી આણંદજી, ભાવનગર છ છેનિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે ' છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષ્ય પ્રત્યે આકર્ષણ થાય છે, | નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય ? છે. નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો છેસંગ ત્યાગવો ઘટે છે, અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. છે સત્સંગના અયોગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે છે
મોક્ષમાર્ગ પ્રકાશ
96
For Personal & Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશાપ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે.
O ૫ત્ર ક્રમાંક ૬૪૦ : સૌ. જી
વેદાંત કહે છે કે આત્માં અસંગ છે, જિન પણ કહે છે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી. પરિણત થવી તે મોક્ષ છે. પરભાવી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે તે અત્યંત સત્ય છે.
O પત્ર ક્રમાંક ૬૪૧ : સૌ. જ
‘દેખત ભૂલી ટળે તો સર્વ દુ:ખનો ક્ષય થાય' એવો સ્પષ્ટ અનુભવ થાય છે; તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતને વિષે કોંઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે ?
O પત્ર ક્રમાંક ૬૪૨ : સૌ. જી
સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ?
આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યોગ્ય છે.
ન
જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે ?
O પત્ર ક્રમાંક ૬૪૭ (બુ
અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની
૮૦
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; જ એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સદ્ગુરુ ચરણના 4 આશ્રયે કરી બોધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરૂષને પણ સદ્ગુરુના
સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ ' જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ | * સ્થિર રહેવો વિકટ છે.
જી પત્ર ક્રમાંક ૧૪૮ ૪ દેશ્યને અદૃશ્ય કર્યું, અને અદૃશ્યને દૃશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું છે. આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. '
0 પત્ર ક્રમાંક ૧૪૯ ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યસ્થિતિ !
એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘડીનો હીન જ ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ ? એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્ત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે. છતાં દુ:ખ અને ૪ આનંદ ભોગવે છે એનું શું કારણ હોવું જોઈએ ? અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ. હીન ઉપયોગ થતો અટકાવવાનો પ્રત્યેક છે. પ્રાણીની ઇચ્છા હોવી જોઈએ. પરંતુ ક્યા સાધન વડે ?
આ પત્ર ક્રમાંક ૬૫૦ઃ સૌ. ૭ અંતર્મુખષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા
' મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
યોગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તો તે કે પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે . ' એમ કહેવામાં ન આવ્યું હોય, તો પણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે
મુમુક્ષુ જીવે છે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય પદાર્થાદિનો ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. જો કે આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિનો હેતુ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેશ્યો છે.
વર્ષ રહ્યું
0 પત્ર ક્રમાંક ૬૫૧ : સો. છ જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ? છે ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બને છે એક જ છે.
જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો, અને આત્મા ' સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા તેનો અર્થ છે.
0 પત્ર ક્રમાંક ૬૫૮ : મુનિશ્રી 8 બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ ‘મિથ્યાત્વનો છે ત્યાગ કરી શકતો નથી. તે આ પ્રમાણે લૌકિક' અને “શાસ્ત્રીય'. ક્રમે છે
કરીને સત્સમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો “મિથ્યાત્વનો જ ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારા એ
ઉપદેશ્ય છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે ? તે વાત વિચારવા યોગ્ય છે.
8) પત્ર ક્રમાંક ૬૬૪ઃ સૌ. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર : એક વૈરાગ્ય જ અભય છે.
૮૨
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
* મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યવદશા જ
તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ' ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ! ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્ય છે.
ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી, તેમ છતાં છેપણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી જ
છે, કેમ કે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લોકને ! ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી.
સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને “પરમાર્થસંયમ' કહ્યો છે. તે સંયમને આ કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહાર સંયમ' કહ્યો છે. કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા (લક્ષ વગર)એ જે વ્યવહારસંયમમાં જ પરમાર્થસંયમની માન્યતા રાખે તેના વ્યવહારસંયમનો, તેનો અભિનિવેશ ટાળવા, નિષેધ કર્યો જ છે. પણ વ્યવહારસંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ છે જ્ઞાની પુરુષોએ કહ્યું નથી.
પત્ર ક્રમાંક ૬૬૭ઃ અં. જ - મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્રય, રોગ અને મૃત્યુ એ ચારને આ છે. એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની છે ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાયો છે, અને સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયદેખીને નિષ્કારણ કરૂણાશીલ એવા તે પુરુષોએ ભક્તિમાર્ગ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે અને સુગમ છે.
9 પત્ર ક્રમાંક ૬૬૮ : અં. ૪ અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા !
મોક્ષમાર્ગ પ્રકાશ
૮૩
For Personal & Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું માહાભ્ય સર્વ જ્ઞાની પુરુષોએ
અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે, એમાં વિચારવાનને કોઈ રીતે ' વિકલ્પ થવા યોગ્ય નથી.
) પત્ર ક્રમાંક ૭૦ % જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તો પણ જે દિવસે | ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.
| સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, કે તે જ્ઞાની પુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે. છે જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.
તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી, તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે.
D પત્ર ક્રમાંક ૬૭૪: સૌ. દેહધારી છતાં નિરાવરણજ્ઞાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ ! નમસ્કાર.
અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં, તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતષ્ટિ જીવ ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિષે પડેલો પદાર્થ મનુષ્યચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે, તેમ જગતદૃષ્ટિ જીવોને જ્ઞાની કે વીતરાગના ઓળખાણ માટે વિશેષ શુભ સંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાયરહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! તે ' મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને ! નમસ્કાર હો ! નમસ્કાર હો !
પત્ર ક્રમાંક ૬૭૭: કું+આ. શ્વ આત્માને વાસ્તવ્યપણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે, તથાપિ બે ' કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષો વર્તે છે : (૧) તે ઉપદેશ છે. જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયોગોને વિષે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યું પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ યોગ્યપણું ન હોય, તો જ્ઞાની પુરુષ તે * જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપ પણે પણ વર્તે છે; (૨) અથવા પોતાને જ
બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને છે 1 પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી | છે. મુખ્ય માર્ગને વિરોધરૂપ કે સંશયના હેતરૂપ થવાનું કારણ બનતું હોય છે તો પણ જ્ઞાની પુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે.
સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી, કેમકે જ્યાં સુધી અંતરપરિણતિ પર દૃષ્ટિ ન થાય અને 1 તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર |
થાય છે; અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ પર દૃષ્ટિ દેવાનું - ભાન જીવને આવવું કઠણ છે.
વધારે શું લખીએ ? જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌક્કિ અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે. એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જ જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાતદિવસ તે જ
મોક્ષમાર્ગ પ્રકાશ
૮૫
For Personal & Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સત્શાસ્ત્ર, અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે.
Ð પત્ર ક્ર્માંક ૬૭૮ : સૌ. જી
જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાનીપુરુષો સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ ક૨વી ઘટે છે.
O પત્ર ક્રમાંક ૬૭૯ : સૌ. જી
૧. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતામમતા, વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને ‘નિરાવરણ જ્ઞાન’ કહેવા યોગ્ય છે.
૨ . સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજવો કઠણ છે, એ વાત યથાર્થ છે; કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે, પણ ઉત્કૃષ્ટ દાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી.
જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે, અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે... અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. ...પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેમની મુખવાણી
૮૬
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
રહી હોય તોપણ વર્તમાનકાળે જ્ઞાનીપુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાનીપુરુષની છે, કેમકે રાત્રી-દિવસના ભેદની પેઠે અજ્ઞાનીજ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય, વાણી પરથી ‘વર્તમાનજ્ઞાની પુરુષ’ને સ્વાભાવિક દ્દષ્ટિગત થાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. અત્રે જે ‘વર્તમાનજ્ઞાની' શબ્દ લખ્યો છે, તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ બોધબીજસહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વજીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત.
૪. ઉપયોગનું એકસમયવર્તીપણું, કષાયરહિતપણું થયા પછી થાય છે, માટે એક સમયનું, એક ૫૨માણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને ‘કેવળજ્ઞાન’ પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે.
O ૫ત્ર ક્રમાંક ૬૮૦ જી
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં ૨મણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ?
હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા-દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ, અને એ જ અમારો પરમાનંદ છે.
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારાં અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તના કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય ૨ડે છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વી૨ને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય ?
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૮૭
Page #109
--------------------------------------------------------------------------
________________
ઓ દુષમકાળના દુર્ભાગી જીવો ! ભૂતકાળની ભ્રમણાને છોડીને છે. વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.
મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપે અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ
થયા છીએ. છેઆ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી .
ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ૐ શ્રી મહાવીર (અંગત)
D પત્ર ક્રમાંક ૬૮૭ઃ સૌ. ૧૪ કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું કે નથી, કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, તેવા કોઈ છે
આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય, અને જેમ ઇચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે, તેવા કાર્યસહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય, તો તેવા પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ? એટલે તે પુરુષ આપ્ન (પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય) છે, અથવા જ્ઞાની છે, એમ કયા લક્ષણે ઓળખી શકાય ? કદાપિ કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગયોગથી એમ જાણવામાં આવ્યું, તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે સપુરુષ વિષે પ્રત્યક્ષ દેખાય છે, તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે
૮૮
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
કે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં છેવર્તતાં પણ જ્ઞાન લક્ષણપણું તેના લક્ષમાં રહે ?
જી પત્ર ક્રમાંક ૬૯૨ : અં. છ 1 દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો,
જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, છે તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને છે.
નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મમરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય
છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે * વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ 1 નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભાવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો.
હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં જ નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો થાય.
પત્ર ક્રમાંક ૬૯૪ઃ સૌ. જ યોગધારીપણું એટલે મન, વચન અને કાયા સહિત સ્થિતિ હોવાથી આહારાદિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયોગમાંતર થવાથી કંઈ વૃત્તિનો એટલે ઉપયોગનો તેમાં નિરોધ થાય. એક વખતે બે ઉપયોગ કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે; ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીનો ઉપયોગ કેવળજ્ઞાનના શેય પ્રત્યે વર્તે નહીં, અને જો
મોક્ષમાર્ગ પ્રકાશ
CE
For Personal & Private Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
એમ બને તો કેવળજ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિહત થયું ગણાય. છેઅત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિશે જેમ પદાર્થ છે
પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય છે, કેવળજ્ઞાની તેમાં ઉપયોગ દઈને જાણે છે એમ નથી, સહજ સ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે; માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું ? યથાર્થ છે, તો ત્યાં પ્રશ્ન થવા યોગ્ય છે કે : “આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી, અને અત્રે કેવળજ્ઞાનને તેનું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપયોગ સિવાય આત્માનું બીજું કયું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપયોગ પ્રવર્યો હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય
શેય આત્મા તેથી જાણે ? છે D પત્ર ક્રમાંક ૭૦૬ઃ કેશવલાલ નાથુભાઈ, લીંબડી છે
૧. વૃત્તિઆદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તોપણ કરવો ઘટે. 1 વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખવો. તેમ બને !
તો ક્રમે કરીને વૃત્તિઆદિનો સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય.
૨. ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મુળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાન કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે, અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર
લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. * સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ
થતો નથી, અને સપુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્યરુષની પ્રતીતિ
( ૯૦ ].
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
જ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની “અનન્ય
આશ્રયભક્તિ' પરિણામ પામ્યથી થાય છે. ઘણું કરી એકબીજાં કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સપુરુષની ‘આશ્રયભક્તિ' અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે.
છે. ૩. ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો છે
હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી. સ પુરુષમાં વર્તે છે.
0 પત્ર ક્રમાંક ૭૦૮ : અં. જ જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યગુદર્શન અને વેદાંતની રીતિએ * જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે, જૈનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે 1 જ્ઞાનનો તેણે જ નિષેધ કર્યો છે, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ - સફળ ન દેખાય. છેજૈનપ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે. તો કોઈપણ પ્રકારે છે તે માર્ગનો ઉદ્ધાર અમે જેવાને ધારે વિશેષ કરીને થઈ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. વર્તમાનમાં જૈનદર્શન
એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે * કે, તેમાંથી જાણે જિનને... ગયો છે. અને લોકો માર્ગ પ્રરૂપે છે. બાહ્ય ૪. 4 કટારો વધારી દીધો છે, અને અંતર્માર્ગનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું છે ' થયું છે. વેદોક્ત માર્ગમાં બસે ચારસેં વર્ષે કોઈ કોઈ મોટા આચાર્ય થયા જ દેખાય છે કે જેથી લાખો માણસને વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ
હોય. વળી સાધારણ રીતે કોઈ કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણ જ સારા પુરુષો એમ ને એમ થયા કરે છે, અને જૈનમાર્ગમાં ઘણાં વર્ષ
થયાં તેવું બન્યું દેખાતું નથી. જૈનમાર્ગમાં પ્રજા પણ ઘણી થોડી રહી
- મોક્ષમાર્ગ પ્રકાશ
૯૧
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #113
--------------------------------------------------------------------------
________________
છે, અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલું જ નહીં પણ ‘મૂળમાર્ગ’ની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે.
O પત્ર ક્રમાંક ૭૧૦ ૩
.
આત્મા સચ્ચિદાનંદ
જ્ઞાનાપેક્ષાએ સર્વ વ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું.
નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ
છે.
સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા
છે.
૯૨
જે સર્વને જાણે છે તે આત્મા છે.
જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે.
ઉપયોગમય આત્મા છે.
અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે.
આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે.
તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી.
ભ્રાંતિપણે પરભાવનો કર્તા છે.
તેના ફળનો ભોક્તા છે.
ભાન થયે સ્વભાવપરિણામી છે.
સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે.
आत्मा
सच्चिदानंद
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
સદ્ગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદ્વિચાર અને સંયમાદિ તેનાં સાધન
છે.
આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે, કેમકે પ્રગટ અનુભવમાં આવે છે.
ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે.
કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે.
ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટઅશુભ સુધીનાં સર્વ ન્યુનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે.
નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે.
તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે.
નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે તે ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ. ક્વચિત મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ, એમ પ્રતીતિ રહે તેને ક્ષયોપશમ સમ્યક્ત્વ કહીએ છીએ.
તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ.
આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યક્ત્વ કહી છીએ.
તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સબંધી અહંમમત્વાદિ હર્ષ, શોક કમે કરી ક્ષય થાય.
મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૯૩
Page #115
--------------------------------------------------------------------------
________________
નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે.
કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે.
......કેવળજ્ઞાન
છે.
૯૪
O પત્ર ક્રમાંક ૭૧૫ (૩
મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ... નો’ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ. મૂળ...૧ કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત, મૂળ... માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ...૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરૂદ્ધ, મૂળ... જિનમારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ...૩ લિગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ... પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળ અભેદ. મૂળ...૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ, મૂળ... તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ...૫ છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ... એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ...ઙ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ... કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સકિત. મૂળ...૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ... તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ...૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ... તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ...૯ એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ... ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. મૂળ...૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ. મૂળ... ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ, મૂળ...૧૧
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
આત્મસિદ્ધિનું અવતરણ
For Personal & Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
0 પત્ર ક્રમાંક ૭૧૮ : (આત્મસિદ્ધિ) સૌ. 9 પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. (૧૧)
જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ * લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ છે.
આત્મભાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત થયો ન હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જ - જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. ૧૧.
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. (૩૪)
જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય અર્થાત્ આત્મજ્ઞાન ન . હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. “ જે સંમંતિ પાસહ તે મોળંતિ પાસહ' ' છે જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ છે
આચારાંગસૂત્ર'માં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તોપણ પોતાના જ કુળના ગુરુને સદ્ગુરુ માનવા એ માત્ર કલ્પના છે; તેથી કાંઈ વિચ્છેદ જ ન થાય એમ આત્માર્થી જુએ છે. ૩૪.
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. (૭૮) ' આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના કે તે જ સ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને ? તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો ( કર્તા છે. ૭૮.
મોક્ષમાર્ગ પ્રકાશ
cu
For Personal & Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. (૯૮)
કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે. અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાન પ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે, ૯૮..
રાગ દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે, અર્થાત્ એ વિના કર્મનો બંધ ન થાય, તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. ૧૦૦
રાગ, દ્વેષ અજ્ઞાન, એ મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. (૧૦૦)
૯૬
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ;
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. (૧૦૩)
એ મોહનીય કર્મ બે ભેદે છે, એક ‘દર્શનમોહનીય' એટલે પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થ બુદ્ધિરૂપ, બીજી ‘ચારિત્રમોહનીય’ તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કાર રૂપ કષાય અને નોકષાય તે ચારિત્રમોહનીય.
દર્શનમોહનીયને આત્મબોધ, અને ચારિત્રમોહનીયને વીતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્યાબોધ તે દર્શનમોહનીય છે, તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે. તે તેનો અચૂક ઉપાય છે, તેમ બોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
જ રૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે, માટે તે તેનો અચૂક ઉપાય છે છે. ૧૦૩.
મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ;
લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. (૧૧૦) મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ છે ' સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. ૧૧૦.
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. (૧૧૪) કરોડો વર્ષનું સ્વપ્ન હોય તોપણ જાગ્રત થતાં તરત શકાય છે, તેમ આ અનાદિનો વિભાવ છે તે આત્માજ્ઞાન થતાં દૂર થાય છે. ૧૧૪.
આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. (૧૨૯) આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ જ નથી, સદ્ગુરુ જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, . સશ્રુઆજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષધ નથી. ૧૨૯.
સકળ જગત તે એંઠવતું અથવા સ્વપ્ન સમાન,
તે કહીએ જ્ઞાનીદશા બાકી વાચા જ્ઞાન. (૧૪૦) : સમસ્ત જગત જેણએ એંઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું છે જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન
મોક્ષમાર્ગ પ્રકાશ
૯૭
For Personal & Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
* એટલે કહેવા માત્ર જ્ઞાન છે.
સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ખર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ;
શ્રી સુભાગ્યને શ્રી અચળ,આદિમુમુક્ષુ કાજ;
તથા ભવ્ય હિત કારણે, કહ્યો બોધ સુખસાજ. (આ આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રી સોભાગભાઈ આદિ માટે રચ્યું હતું તે ! જ આ વધારાની ગાથાથી જણાશે)
શ્રી સરુચરણાર્પણમસ્તુ
વર્ષ ૩૦મું
પત્ર ક્રમાંક ૭૨૪ જ મૂળ પરમપદ કારણ, સમ્યક્દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ.
જી પત્ર ક્રમાંક ૭૩૬ઃ સૌ. 9 રાગદ્વેષનાં પ્રત્યેક બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ છે કિંચિત્ માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી.
પત્ર ક્રમાંક ૭૪૬ ઃ ત્રિ.+મા. ૪ ત્યાગ વિરાગ ના ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. “મોહનીય'નું સ્વરૂપ આ જીવ વાંરવાર અત્યંત વિચારવા જેવું છે. આ મોહિનીએ મહા મુનીશ્વરોને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે; સાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં
EC
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
ન લલચાવી રખડાવ્યા છે.
નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર | દૃષ્ટાભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે, તે બોધ યથાર્થ | પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય.
પત્ર ક્રમાંક ૭૫૩ %
(૧) જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે 1 પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ ૪
પામે. તે એ ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે, તે નવમાં સ્તવનમાં શ્રી આનંદઘનજી કહેવાના છે.
(૨) હે સખી ! પતિને પ્રસન્ન કરવાના તો ઘણા પ્રકાર છે, અનેક પ્રકારના શબ્દ, સ્પર્શાદિ ભોગથી પતિની સેવા કરવામાં આવે છે એવા 1 ઘણા પ્રકાર છે. પણ તે સૌમાં ચિત્તપ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા ?
છે, અને ક્યારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટરહિત થઈને આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ઘણા આનંદના સમૂહની * પ્રાપ્તિનો ભાગ્યોદય થાય.
ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણા છે, દ્રવ્યપૂજા, ભાવપૂજા, [ આજ્ઞાપૂજા. દ્રવ્યપૂજાના પણ ઘણા ભેદ છે, પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા જ તો ચિત્ત પ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હર્ષથી ૪
એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે; તેમાં જ સર્વ સાધન સમાય છે. તે જ ' અખંડિત પૂજા છે, કેમકે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા ! છે. યોગ પણ ચિત્તાધીન હોવાથી ભગવાનને આધીન જ છે; અને ચિત્તની છે. 1 લીનતા ભગવાનમાંથી ન ખસે તો જ જગતના ભાવોમાંથી ઉદાસીનતા | * વર્તે અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં, જેથી તે સેવા કે
અખંડ જ રહે.
મોક્ષમાર્ગ પ્રકાશ
૯૯
For Personal & Private Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
કે જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય કે
બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તો તે વૃથા જ છે અને કપટ છે; અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય ? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણતા 4 કહેવાય.
D પત્ર ક્રમાંક ૭૫પ જ આ જગતને વિષે પ્રાણીમાત્રની વ્યક્તિ અથવા અવ્યક્ત ઇચ્છા પણ એ જ છે કે, કોઈ પણ પ્રકારે મને દુ:ખ ન હો, અને સર્વથા સુખ હો. પ્રયત્ન પણ એ જ અર્થે છતાં તે દુ:ખ શા માટે મટતું નથી ? એવો આ પ્રશ્ન ઘણા ઘણા વિચારવાનોને પણ ભૂતકાળ ઉત્પન્ન થયો હતો, જે
વર્તમાનકાળે થાય છે, અને ભવિષ્યકાળે પણ થશે. તે અનંત અનંત વિચારવાનોમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા, અને દુ:ખથી મુક્ત થયા. વર્તમાનકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે, તે પણ તથારૂપ ફળને પામે છે, અને ભવિષ્યકાળે ! પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે, તે તે તથારૂપ ફળને જ પામશે એમાં સંશય નથી.
જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્ર છે. અથવા તે ત્રણેનું એક નામ ‘સમ્યમોક્ષ.”
યદ્યપિ તેવા મહાત્માપુરુષનો ક્વચિત્ યોગ બને છે, તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને તેવા મુહૂર્તમાત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. જેવા મહાત્માપુરુષના વચનપ્રતાપથી મુહૂર્તમાત્રમાં
૧૦૦
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા, તેવા મહાત્માપુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થાય ?
O પત્ર ક્રમાંક ૭૫૭ ૪
શ્રીમાન વર્ધમાનજિન વર્તમાનકાળના ચરમ તીર્થંકરદેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે. એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવા૨ આશ્ચર્યમય દેખે છે.
એક તૂમડા જેવી, દોરા જેવી અલ્પમાં અલ્પ વસ્તુના ગ્રહણ ત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપજાવી કાઢી વર્તે છે, અને તીર્થનો ભેદ કરે છે, એવા મહામોહમૂઢ જીવ લિંગાભાસપણે પણ આજે વીતરાગના દર્શનને ઘેરી બેઠા છે, એ જ અસંયતિ પૂજા નામનું આશ્ચર્ય લાગે છે.
મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગ સન્મુખ કરવાની છે. લિંગાભાસી જીવો મોક્ષમાર્ગથી પરા^મુખ કરવામાં પોતાનું બળ પ્રવર્તતું જાણી હર્ષાયમાન થાય છે, અને તે સર્વ કર્મપ્રકૃતિમાં વધતા અનુભાગ સ્થિતિબંધનું સ્થાનક છે એમ હું જાણું છું.
Ò પત્ર ક્રમાંક ૭૬૦ વ્ઝ
જીવલક્ષણ
ચૈતન્ય જેનું મુખ્ય લક્ષણ છે,
દેહ પ્રમાણ છે,
અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે અસંખ્યાત પ્રદેશતા લોકપરિમિત
છે,
પરિણામી છે,
અમૂર્ત છે,
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
१०१
Page #125
--------------------------------------------------------------------------
________________
અનંત અગુરુલઘુ પરિણત દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય છે, કર્તા છે, ભોક્તા છે, અનાદિ સંસારી છે, ભવ્યત્વ લબ્ધિ પરિપાકાદિથી મોક્ષસાધનમાં પ્રવર્તે છે, મોક્ષ થાય છે,
મોક્ષમાં સ્વપરિણામી છે. સંસારી જીવ
સંસાર અવસ્થામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ,
કષાય અને યોગ ઉત્તરોત્તર બંધનાં સ્થાનક છે. સિદ્ધાત્મા સિદ્ધાવસ્થામાં યોગનો પણ અભાવ છે. માત્ર ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્ય સિદ્ધપદ છે. વિભાવ પરિણામ ભાવકર્મ' છે. પુગલસંબંધ ‘દ્રવ્યકર્મ' છે.
પત્ર ક્રમાંક ૭૬૬ % (૩૦) દ્રવ્યકર્મનું નિમિત્ત પામીને ઉદયાદિક ભાવે જીવ પરિણમે છે. છે; ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. કોઈ કોઈના ભાવના કર્તા નથી, તેમ કર્યા વિના થયાં નથી.
(૬૧) સર્વ પોતપોતાનો સ્વભાવ કરે છે, તેમ આત્મા પણ પોતાના ' જ ભાવનો કર્તા છે; પુદ્ગલ કર્મનો આત્મા કર્તા નથી; એ વીતરાગનાં છે વાક્યો સમજવા યોગ્ય છે.
૧૦૨
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
*
પત્ર ક્રમાંક ૭૬૭ : મુનિશ્રી જ છે જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો જ
ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગકરવો; એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે. જે જે સંયમમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે; અર્થાત્ જે કંઈ નિગ્રંથને આ પ્રવૃત્તિ કરવાની આજ્ઞા છે, આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તેની જ આજ્ઞા આપી છે; અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અસ્મલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત 1 જાગ્રત રહ્યા કરે, અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ છે તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે.
પત્ર ક્રમાંક ૭૭૦ ૪ જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન વિપરીતપણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિગ્રંથ પરિભાષા કરી છે. પણ એ સ્થળે જ્ઞાનનું બીજું નામ જ અજ્ઞાન છે એમ જાણવું.
જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન હોય તો જેમ જ્ઞાનથી મોક્ષ થાય છે તેમ જ મેં કહ્યું છે, તેમ અજ્ઞાનથી પણ મોક્ષ થવો જોઈએ; તેમ જ મુક્ત જીવમાં
પણ જ્ઞાન કહ્યું છે, તેમ અજ્ઞાન પણ કહેવું જોઈએ, એમ આશંકા કરી છે છે, તેનું આ પ્રમાણે સમાધાન છે :
આંટી પડવાથી ગૂંચાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર એ બંને સૂત્ર જ છે; છતાં આંટીની અપેક્ષાથી ગૂંચાયેલું
' મોક્ષમાર્ગ પ્રકાશ
૧૦૩
For Personal & Private Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
* સૂત્ર અને વગર ગૂંચાયેલું સૂત્ર એમ કહેવાય છે, તેમ મિથ્યાત્વજ્ઞાન
તે “અજ્ઞાન” અને સમ્યજ્ઞાન તે “જ્ઞાન” એમ પરિભાષા કરી છે, તે પણ મિથ્યાત્વજ્ઞાન તે જડ અને સમ્યજ્ઞાન તે ચેતન એમ નથી. જેમ આંટીવાળું સૂત્ર અને આંટી વગરનું સૂત્ર બંને સૂત્ર જ છે, તેમ મિથ્યાત્વ જ્ઞાનથી સંસાર પરિભ્રમણ થાય અને સમ્યજ્ઞાનથી મોક્ષ ! જ થાય. જેમ અત્રેથી પૂર્વ દિશા તરફ દશ ગાઉ ઉપર એક ગામ છે, જ છે ત્યાં જવાને અર્થે નીકળેલો માણસ દિશાભ્રમથી પૂર્વને બદલે પશ્ચિમ છે
તરફ ચાલ્યો જાય, તો તે પૂર્વ દિશાવાળું ગામ પ્રાપ્ત ન થાય, પણ તેથી તેણે ચાલવારૂપ ક્રિયા કરી નથી એમ કહી ન શકાય; તેમ જ
દેહ અને આત્મા જુદા છતાં દેહ અને આત્મા એક જાણ્યા છે તે * જીવ દેહબુદ્ધિએ કરી સંસારપરિભ્રમણ કરે છે, પણ તેથી તેણે જાણવા છે. રૂપ કાર્ય કર્યું નથી એમ કહી ન શકાય. પૂર્વથી પશ્ચિમમાં ચાલ્યો
છે, એ પૂર્વને પશ્ચિમ માનવા રૂપ જે ભ્રમ છે, તે દેહ અને આત્મા જુદા છતાં બેયને એક માનવારૂપ ભ્રમ છે; પણ પશ્ચિમમાં જતાં, ચાલતાં જેમ ચાલવારૂપ સ્વભાવ છે, તેમ દેહ અને આત્માને એક માનવામાં પણ જાણવારૂપ સ્વભાવ છે. જેમ પૂર્વને બદલે પશ્ચિમને પૂર્વ માનેલ છે, તે ભ્રમ તથારૂપ હેતુ-સામગ્રી મળે સમજાવાથી પૂર્વ જ સમજાય છે અને પશ્ચિમ પશ્ચિમ જ સમજાય છે. ત્યારે તે ભ્રમ ટળી જાય છે, અને પૂર્વ તરફ ચાલવા લાગે છે, તેમ દેહ અને આત્મા એક માનેલ છે, તે સદ્ગુરુ ઉપદેશાદિ સામગ્રી મળે બન્ને જુદા છે, એમ યથાર્થ સમજાય છે, ત્યારે ભ્રમ ટળી જઈ આત્મા પ્રત્યે જ્ઞાનોપયોગ પરિણમે છે. ભ્રમમાં પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને
પૂર્વ માન્યા છતાં પૂર્વ તે પૂર્વ અને પશ્ચિમ તે પશ્ચિમ દિશા જ જ હતી. માત્ર ભ્રમથી વિપરીત ભાસતુ હતું. તેમ અજ્ઞાનમાં પણ દેહ ? છે. તે દેહ અને આત્મા તે આત્મા જ છતાં તેમ ભાસતા નથી એ વિપરીત છે
ભાસવું છે, તે યથાર્થ સમજાય, ભ્રમ નિવૃત્ત થવાથી દેહ દેહ જ ભાસે છે, અને આત્મા આત્મા જ ભાસે છે; અને જાણવારૂપ સ્વભાવ વિપરીતપણાને ભજતો હતો તે સમ્યપણાને ભજે છે, દિશાભ્રમ
૧૦૪
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
વસ્તુતાએ કાંઈ નથી. અને ચાલવારૂપ ક્રિયાથી ઇચ્છિત ગામ પ્રાપ્ત થતું નથી, તેમ મિથ્યાત્વ પણ વસ્તુતાએ કંઈ નથી અને એ સાથે જાણવારૂપ સ્વભાવ પણ છે, પણ સાથે મિથ્યાત્વરૂપ ભ્રમ હોવાથી સ્વસ્વરૂપતામાં પરમસ્થિતિ થતી નથી, દિશાભ્રમ ટળ્યેથી ઇચ્છિત ગામ તરફ વળતાં પછી મિથ્યાત્વ પણ નાશ પામે છે, અને સ્વસ્વરૂપ શુદ્ધ જ્ઞાનાત્મપદમાં સ્થિતિ થઈ શકે એમાં કંઈ સંદેહનું ઠેકાણું નથી. અે પત્ર ક્રમાંક ૭૭૭ : સુખલાલ છગનલાલ, વીરમગામ જી
તથારૂપ (યથાર્થ) આપ્ત (મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે, તેનું ઓળખાણ થવામાં મહત્ પુણ્ય જોઈએ છે, અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહત્ મહત્ પુણ્ય જોઈએ છે; એવાં જ્ઞાનીનાં વચન છે; તે સાચાં છે, એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે.
તથારૂપ આપ્તપુરૂષના અભાવ જેવો આ કાળ વર્તે છે. તો પણ આત્માર્થી જીવે તેવો સમાગમ ઇચ્છતાં તેના અભાવે પણ વિશુદ્ધિ સ્થાનકના અભ્યાસનો લક્ષ અવશ્ય કરીને કર્તવ્ય છે.
અે પત્ર ક્રમાંક ૭૭૯ : સૌ. (૪
ૐ સર્વજ્ઞ. સ્વભાવ જાગૃતદશા.
ચિત્રસારી ન્યારી, પરર્જક ન્યારી, સેજ ન્યારી, ચાદરી ભી ન્યારી, ઈહાં ઝૂઠી મેરી થપના; અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહિ કોઉ હૈ ન, વિદ્યમાન પલક ન, યા મેં અબ છપના; સ્વાસ ઔ સુપન દોઉ, નિદ્રાકી અલંગ બૂઝે, સૂઝે સબ અંગ લિખ, આત્મ દરપના;
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૪૮ - ૨ ૯૮
200
201
N
૧૦૫
Page #129
--------------------------------------------------------------------------
________________
ત્યાગી ભયી ચેતન, અચેતનતા ભાવ ત્યાગ, ભાલે દષ્ટિ ખોલિકે, સંભાલે રૂપ અપના.
સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે ! છે છે તે મુક્ત છે. છે બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે.
અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે કે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે.
પત્ર ક્રમાંક ૭૮૦ઃ સો. ( છે જેને કોઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી તે મહાત્માને વારંવાર
છે નમસ્કાર.
પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ ગુણ સંપન્ન શ્રી સોભાગ,
પરમ યોગી એવા ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં છે સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે, તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમજ્ઞાની પુરુષનો નિશ્ચય છે.
૧૦૬
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્ માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશાવર્ત એ જ કલ્યાણનો * મુખ્ય નિશ્ચય છે.
) પત્ર ક્રમાંક ૭૮૧ : સો. 9 જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને 1 લીંપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે જ
છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, આ કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ છેવંદના કરે છે.
કોઈને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશો. જેમ જ જેમ સપુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે,તેમ તેમ તે તે જીવ આત્મ કલ્યાણને સુગમપણે પામશે, એમ નિ:સંદેહતા છે.
* વ્યવહાર અથવા પરમાર્થ સબંધી કોઈ પણ જીવ વિષેની વૃત્તિ હોય છે તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગ અથવા પરમ પુરુષની ઉપર
કહી છે તે દશાના અવલંબને આત્મ સ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, છે. કેમકે બીજો કોઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા છે
અંત:કરણે પુરુષનાં વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં જ કંઈ સંશય નથી, અને શરીર નિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ
પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલ્પ રાખવા
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૦૭
For Personal & Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
એ યોગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને શમાવ્યો છે, તો પણ નિશ્ચયના કે બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે. | સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા જ રાખવી એ જ સર્વજ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વજ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યકદર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક્યારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા છે. જેના સંપૂર્ણપણાનું છે.
ફળ સર્વ દુ:ખનો ક્ષય છે, એ કેવળ નિ:સંદેહ છે, કેવળ નિ:સંદેહ છે છે એ જ વિનંતિ.
જી પત્ર ક્રમાંક ૭૮૨: સંસો. ( છે જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે છે. 1 દેહને ભાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દઢ મોહથી !
એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.
મોહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અદ્ભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના છે. અભુતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે. '
આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.
ધીરજથી સર્વેએ ખેદ શમાવવો, અને તેમના અદ્ભુત ગુણોનો અને ઉપકારી વચનોનો આશ્રય કરવો યોગ્ય છે. શ્રી સોભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી.
સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની
૧૦૮
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
* પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષશોક થવા યોગ્ય નથી. તોપણ એમ જણાય
છે કે સત્પરુષના સમાગમની પ્રાપ્તિથી કંઈ પણ હર્ષ અને તેમના વિયોગથી કંઈ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને પણ થવા છે. યોગ્ય છે.
શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.
0 પત્ર ક્રમાંક ૭૮૩: ગં.+સો. ૯૪ શ્રી સોભાગની મુમુક્ષુદશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત છે નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.
સર્વ જીવ સુખને ઇચ્છે છે; પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ જ સ્વરૂપ જાણે છે.
જન્મ, મરણ આદિ અનંત દુ:ખનો આત્યંતિક (સર્વથા) ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઇચ્છા ઉત્પન્ન થયે જીવ જો સપુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુ:ખથી મુક્ત થાય છે.
તેવી સાચી ઇચ્છા પણ ઘણું કરીને જીવને પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ દર્શાવેલા માર્ગની પ્રતીતિ, અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે.
મનુષ્યપણું, જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ 4 થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે.
પ્રત્યક્ષ સપુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચારતા મુમુક્ષુઓને છે મોક્ષસંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પકાળે પ્રાયે (ઘણુ ' કરીને) સિદ્ધ થાય છે. પણ તે સમાગમનો યોગ પામવો દુર્લભ છે. તે |
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૦૯
For Personal & Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
કે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવ નિરંતર ચિત્ત વર્તે છે.
આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવોને પુરુષોનો છે સમાગમ અને સન્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. તે
આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સપુરુષના વચનનું અથવા સલ્ફાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે.
) પત્ર ક્રમાંક ૭૮૬ : મુનિશ્રી સકળ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગુણ આતમરામી રે,
મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે.' 1 આર્ય સોભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હે છેમુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.
0 પત્ર ક્રમાંક ૭૮૭: મુનિશ્રી જ [ આર્ય સોભાગની બાહ્યાભ્યતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય
જી પત્ર ક્રમાંક ૭૯૩ઃ ગં.+સો. (૪ સમ્યકુદૃષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત નથી હોતું તોપણ સમ્યક્દર્શન છે આવ્યા પછી ન વમે તો વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે, એવું સમ્યક્દર્શનનું બળ છે, એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં લઈ ન જવી. સત્પરુષની વાણી વિષય અને કષાયના અનુમોદનથી અથવા રાગદ્વેષના પોષણથી રહિત હોય છે, એવો નિશ્ચય રાખવો, અને ગમે છે તેને પ્રસંગે તે જ દૃષ્ટિથી અર્થ કરવો યોગ્ય છે.
0 પત્ર ક્રમાંક ૮૧૦ : અં. 9 જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને
૧૧૦
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે. આ
વર્ષ ૩૧મું 0 પત્ર ક્રમાંક ૮૧૭: મુનદાસ પ્રભુદાસ, સુણાવ છ આત્મદશાને પામી નિતંકપણે, યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બન્યું જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના
તે મહાત્મા પ્રત્યે દઢાશ્રય થતો નથી. જ્યાં સુધી આશ્રય દઢ ન થાય ત્યાં છે. સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. ઉપદેશ પરિણમ્યા વિના
સમ્યગ્દર્શનનો યોગ બનતો નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ | જ દુ:ખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. તેવા મહાત્મા પુરુષોનો
યોગ તો દુર્લભ છે, તેમાં સંશય નથી, પણ આત્માર્થી જીવોનો યોગ ' બનવો પણ કઠણ છે. તોપણ ક્વચિત્ ક્વચિત્ તે યોગ વર્તમાનમાં આ બનવા યોગ્ય છે. સત્સમાગમ અને સલ્ફાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે.
પત્ર ક્રમાંક ૮૧૯ઃ એ. ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિવયપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી,
આત્માને શૌર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે * છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી તે રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને છે
તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વમુમુક્ષુઓએ મુખે કરી * હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. જીપત્ર ક્રમાંક ૮૨૫:ઝવેરચંદભાઈ તથા રતનચંદભાઈ કાવીઠા છે . આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન
' મોક્ષમાર્ગ પ્રકાશ
૧૧૧
For Personal & Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સત્કૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ કે તે સત્પરુષોનો સમાગમ ક્વચિત્ ક્વચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો ! ' જીવ સદુદ્દષ્ટિવાન હોય તો સત્કૃતના ઘણા કાળના સેવનથી થતો ? લાભ પ્રત્યક્ષ સપુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે
છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન જ અને વૃત્તિ કિયાચેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય ?
એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સદ્ભૂતનો પરિચય છે અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે છે એવાં શાસ્ત્રનો પરિચય તે સદ્ભુતનો પરિચય છે.
) પત્ર ક્રમાંક ૮૩૨ ૪ તે દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, છે તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતમુર્ણ થઈ, સ્થિર થઈ, તે 1 આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. * સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે
છે, મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખેમાને છે; પણ અહો ! જ્ઞાનીઓએ ! તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણાત કર્યો કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.
વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ?
પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે ? કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.” હે આર્યજનો ! આ પરમ વાકયનો આત્માપણે તમે અનુભવ કરો.
For Personal & Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
D પત્ર ક્રમાંક ૮૩૩ (s સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી, સર્વ ભાવથી જે સર્વ પ્રકારે એ અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. .
જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેનો કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ, આદિધંધનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે
સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ છે સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે. તે મહપુરુષોને જીવન અને મરણ બંને સમાન છે.
જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ ક્રાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય * કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વભાવિક નિજસ્વરૂપ છે એવો . નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે.
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત * ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો કે નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ
વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ - અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ [ રહિત જ છે, તેમ સમ્યક્દષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ જ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે.
જેની ઉત્પત્તિ કોઈપણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય ?
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૧૩
For Personal & Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે, તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણસ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ આ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ છે. પદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે. ]
પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને ! છે. સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે પુરુષોને નમસ્કાર.
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું .
છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી જ અસ્વસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ણ પરમશાંત ચૈતન્ય જ
છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.
) પત્ર ક્રમાંક ૮૩૭ (s
આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રત સદ્ગુરુ લક્ષણ યોગ્ય.(આ સિ.શા.૧૦)
આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યાં તે સંયતિધર્મે સ્થિત વીતરાગદશાસાધક ઉપદેશક ગુણસ્થાને વર્તતા સદ્ગુરુના લક્ષ મુખ્યતાએ દર્શાવ્યા છે, અને તેમના વિષે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણો સર્વાશે સંપૂર્ણપણે તો તેરમા ગુણસ્થાને વર્તતા સંપૂર્ણ જ વીતરાગ અને કેવલ્યસંપન્ન જીવન્મુક્ત સંયોગીકેવલી પરમ સદ્ગુરુ શ્રી જિન અરિહંત તીર્થકરને વિષે વર્તે છે, તેમના વિષે આત્મજ્ઞાન અર્થાત્ સ્વરૂપસ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની જ્ઞાનદશા અર્થાત્ “જ્ઞાનાતિશય' છે
સૂચવ્યો. તેઓને વિષે સમદર્શિતા અર્થાત્ ઇચ્છારહિતપણું સંપૂર્ણપણે * વર્તે છે, તે તેમની વીતરાગ ચારિત્રદશા અર્થાત્ “અપાયાપગમાતિશય' ?
સૂચવ્યો. સંપૂર્ણપણે ઇચ્છારહિત હોવાથી વિચારવા આદિની તેઓની
૧૧૪
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #138
--------------------------------------------------------------------------
________________
દૈહિકાદિ યોગક્રિયા પૂર્વપ્રારબ્ધોદય વેદી લેવા પૂરતી જ છે, માટે ‘વિચરે ઉદયપ્રયોગ’ કહ્યું. સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થબોધક હોઈ તેમને વિષે વાણીનું અપૂર્વપણું કહ્યું તે તેમનો ‘વચનાતિશય' સૂચવ્યો. વાણીધર્મે વર્તતું શ્રુત પણ તેઓને વિષે કોઈ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમનો ‘૫૨મશ્રુત' ગુણ સૂચવ્યો અને પ૨મશ્રુત જેને વિષે વર્તે તે પૂજવા યોગ્ય હોઈ તેમનો તેથી ‘પૂજાતિશય’ સૂચવ્યો.
કોઈ પદાર્થ કાળો હોય તો સમદર્શી તેને કાળો દેખે, જાણે, જણાવે. કોઈ શ્વેત હોય તો તેને તેવો.દેખે, જાણે, જણાવે. કોઈ સુરભિ (સુગંધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. સર્પને સર્પની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે. વાઘને વાઘની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે ઇત્યાદિ પ્રકારે વસ્તુમાત્રને જે રૂપે, જે ભાવે તે હોય તે રૂપે, તે ભાવે સમદર્શી દેખે, જાણે, જણાવે. હેય (છાંડવા યોગ્ય)ને હેયરૂપે દેખે, જાણે, જણાવે. ઉપાદેય (આદરવા યોગ્ય)ને ઉપાદેયરૂપ દેખે, જાણે, જણાવે. પણ સમદર્શી આત્મા તે બધામાં મારાપણું, ઇષ્ટઅનિષ્ટ બુદ્ધિ, રાગદ્વેષ ન કરે, સુગંધ દેખી પ્રિયપણું ન કરે; દુર્ગંધ દેખી અપ્રિયતા, દુગંછા ન આણે. (વ્યવહા૨થી) સારૂં ગણાતું દેખી આ મને હોય તો ઠીક એવી ઇચ્છાબુદ્ધિ (રાગ, રતિ) ન કરે, (વ્યવહારથી) માઠું ગણાતું દેખી આ મને ન હોય તો ઠીક એવી અનિચ્છાબુદ્ધિ (દ્વેષ, અરતિ) ન કરે. પ્રાપ્ત સ્થિતિ સંજોગમાં-સારૂં-માઠું, અનુકૂળ-પ્રતિકૂળ, ઇષ્ટાનિષ્ટપણું, આકુળવ્યાકુળપણું ન કરતાં તેમાં સમવૃત્તિએ અર્થાત્ પોતાના સ્વભાવે, રાગદ્વેષરહિતપણે રહેવું એ સમદર્શિતા.
સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એકસરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં, અર્થાત્ કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સમ્રુત અને અસદ્ભુતમાં સમપણું ગણવું,
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૧૧૫
Page #139
--------------------------------------------------------------------------
________________
અથવા સધર્મ અને અસદ્ધર્મમાં અભેદ માનવો, અથવા સદ્ગુરુ અને અસદ્ગુરુને વિષે એકસરખી બુદ્ધિ રાખવી, અથવા સદેવ અને અસદેવને વિષે નિર્વિશેષપણું દાખવવું અર્થાત્ બંનેને એક સરખા ગણવા, ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં, એ તો આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકવિકળતા. સમદર્શી સત્ ને સત્ જાણે, બોધે; અસત્ ને અસત્ જાણે, નિષેધે; સશ્રુતને સમ્રુત જાણે, બોધે; કુશ્રુતને કુશ્રુત જાણે, નિષેધે; સદ્ધર્મને સધર્મ જાણે, બોધે; અસધર્મને અસદ્ધર્મ જાણે, નિષેધે, સદ્ગુરુને સદ્ગુરુ જાણે, બોધે; અસદ્ગુરુને અસદ્ગુરુ જાણે, નિષેધે; સદેવને સદૈવ જાણે, બોધે; અસદ્ દેવને અસ ્ દેવ જાણે, નિષેધે; ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે, તેમાં રાગદ્વેષ, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે, એ પ્રકારે સમદર્શીપણું સમજવું. O ૫ત્ર ક્ર્માંક ૮૪૫ ૩ મોક્ષમાર્ગસ્ય નેતારું ભેત્તાર કર્મભૂભૂતાં, જ્ઞાતારું વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાક્યા, ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ O ૫ત્ર ક્રમાંક ૮૫૦ જી
મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય !
મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરી૨ને જડ પદાર્થ જાણી પોતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે !
૧૧૬
વર્ષ ૩૨મું
O ૫ત્ર ક્રમાંક ૮૫૮ G
मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणिट्ठअत्थेसु । थिरमिच्छह जइ चित्तं विचित्त झाणप्पासिद्धीए ||
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
पणतीस सोल छप्पण चदु दुगमेगं च जवह झाएह,
परमेट्ठिवाचयाणं अण्णं च गुरुवएसेण ।। ५०।। જો તમે સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે પાંત્રીશ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક એમ પરમેષ્ઠીપદના વાચક છે તેનું જાપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી છે જાણવું યોગ્ય છે.
जं किंचि वि चितंतो णिरीहवित्ती हवे जदा साहू,
लखूणय एयत्तं तदाहु तं तस्स णिच्चयं झाणं ।। ५६ ।। ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિસ્પૃહ વૃત્તિવાન અર્થાત્ સર્વ કે પ્રકારની ઇચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે. તે
0 પત્ર ક્રમાંક ૮૬૬ઃ ધારસીભાઈ કુશળચંદ, મોરબી 6
દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય જ છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે.
દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે.
જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ * પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્દર્શનનું નિર્મલત્વ છે, તેનું જ છે કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે.
D પત્ર ક્રમાંક ૮૭૫ : મુનિશ્રી જ અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ!સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૧૭
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #141
--------------------------------------------------------------------------
________________
પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત;-છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જ્યવંત વર્તો ! ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
O પત્ર ક્રમાંક ૮૮૩ : મ+છ, વિરમગામ છુ
'बिना नयन पावे नहीं, बिना नयन की बात'
એ વાક્યનો હેતુ મુખ્ય આત્મદૃષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષાર્થે એ વાક્ય છે. સમાગમના યોગે સ્પષ્ટાર્થ સમજવા યોગ્ય છે. તેમજ બીજા પ્રશ્નોનાં સમાધાન માટે હાલ પ્રવૃત્તિ બહુ અલ્પ વર્તે છે. સત્સમાગમના યોગમાં સહજમાં સમાધાન થવા યોગ્ય છે.
‘બિના નયન’ આદિ વાક્યનો સ્વકલ્પનાથી કંઈ પણ વિચાર ન કરતાં, અથવા શુદ્ધ ચૈતન્યદૃષ્ટિ પ્રત્યેનું વલણ તેથી વિક્ષેપ ન પામે એમ વર્તવું યોગ્ય છે.
) પત્ર ક્રમાંક ૮૮૭ G
અગમ્ય છતાં સરળ એવા મહત્પુરુષોના માર્ગને નમસ્કાર.
સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહદ્ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષુતા ઘણું કરીને મહત્પુરુષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, અથવા તેવી મુમુક્ષુનાવાળા આત્માને મહત્પુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે; સનાતન અનંત એવા જ્ઞાનીપુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષુતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત્તયોગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે.
વર્તમાનકાળમાં તેવા મહત્પુરુષનો યોગ અતિ દુર્લભ છે. કેમકે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે; એમ છતાં પણ સાચી
૧૧૮
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિદિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે.
‘આત્માનુશાસન’ હાલ મનન કરવા યોગ્ય છે. વર્ષ ૩૩મું
O પત્ર ક્રમાંક ૮૯૬ ઃ મુનિશ્રી વ્ઝ
પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણું નિરંતર વ્યક્તાવ્યક્તપણે સંભારૂં છું.
આ દુષમકાળમાં સત્યમાગમનો યોગ પણ અતિ દુર્લભ છે, ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણાનો યોગ ક્યાંથી બને ?
અે પત્ર ક્રમાંક ૯૦૧ : મુનિશ્રી વ્ઝ
‘ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઔર, વ્રતતપધર, તનું નગનધર, વંદો વૃષસરમોર.’
જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે.
ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે.
જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.
યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્ત્વપ્રતીતિ સમ્યપણે ઉત્પન્ન થાય છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૧૧૯
Page #143
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ
તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. ચૈતન્ય અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા યોગ્ય છે.
ચારિત્રમોહ, ચૈતન્યના-જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી પ્રલય થાય છે.
અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે.
હે આર્ય મુનિવરો ! એ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થે અસંગયોગને અહોનિશ ઇચ્છીએ છીએ. હે મુનિવરો ! અસંગતાનો અભ્યાસ કરો.
બે વર્ષ કદાપિ સમાગન ન કરવો એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ સદ્ઉપાય ન હોય તો તેમ કરશો.
જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. ૐ શાંતિઃ
૧૨૦
O પત્ર ક્રમાંક ૯૦૨ ૩
જડ ને ચેતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બશે જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસીત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. ૧
દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે;
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વ ભાવ, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજનિજ રૂપે સ્થિત થાય છે. ૨ જી પત્ર ક્રમાંક ૯૧૩: વનમાલીભાઈ, ગોધરા જ ઉપયોગ લક્ષણે સનાતનફૂરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબવદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ ? 4 પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે
ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા જ તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક જ
વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ 1 પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી
ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ તે જ ભાવના, તે જ ચિતવના છે અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની જ વારંવાર એ જ શિક્ષા છે.
0 પત્ર ક્રમાંક ૯૧૫ મુનિશ્રી % આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચ લબ્ધિનો ઉપયોગ ! પુદ્ગલ દ્રવ્યરૂપે કરે તો તેવું સામર્થ્ય તેમાં વર્તે છે, તથાપિ કૃતકૃત્ય છે એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વિતરાગ સ્વભાવ હોવાથી તે ઉપયોગનો
તેથી સંભવ નથી; અને ઉપદેશાદિના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યોગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણાથી છે, આત્માના સ્વભાવના કિંચિત પણ વિકૃતભાવથી નથી.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૨૧
For Personal & Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
) પત્ર ક્રમાંક ૯૧૮ પ્રશ્ન-વીતરાગની આજ્ઞાથી પોરસીની સ્વાધ્યાય કરે તો શો ગુણ છે થાય ? ઉત્તર-તથારૂપ હોય તો યાવતું મોક્ષ થાય.
0 પત્ર ક્રમાંક ૯૨૭: કું.મ., કલોલ 9 અજ્ઞાન દૃષ્ટિ જીવો ખેદથી વેદે તો પણ કંઈ તે વેદના ઘટતી નથી કે [ કે જાતી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે * વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની જ બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે.
હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય * શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ ૪ | કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી. એમ આત્માર્થીનું , અનુપ્રેક્ષણ હોય છે.
D પત્ર ક્રમાંક ૩૫ ઃ એ. 9 ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ છે એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું આ
ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો !
પત્ર ક્રમાંક ૯૩૬ જ ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે; એ જ આ મનુષ્યદેહ છે, કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુ:ખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે.
અચિંત્ય જેનું માહાભ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય છે
જ છે.
૧૨૨
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
O પત્ર ક્રમાંક ૯૪૩ : અં. બુ
પરમનિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આશા છે; તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત ક૨વો એમ આજ્ઞા છે.
વર્ષ ૩૪મું
O પત્ર ક્રમાંક ૯૪૭ ૩
વર્તમાન દુષમકાળ વર્તે છે. મનુષ્યોનાં મન પણ દુષમ જ જોવામાં આવે છે. ઘણું કરીને પરમાર્થથી શુદ્ધ અંત:કરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે.
એવા વખતમાં કેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું, કેની સાથે પોતાના કેટલા કાર્ય વ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય; એ બધું લક્ષમાં રાખવાનો વખત છે. નહીં તો સવૃત્તિવાન જીવને એ બધાં કારણો હાનિકર્તા થાય છે. આનો આભાસ તો આપને પણ હવે ધ્યાનમાં આવતો હશે.
O પત્ર ક્રમાંક ૯૫૧ G
ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહ૨ાનું રણ સંપ્રાપ્ત થયું.
માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.
જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.
પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૧૨૩
Page #147
--------------------------------------------------------------------------
________________
પત્ર ક્રમાંક ૫૪ % શ્રી જિન પરમાત્મને નમઃ
(૧)
ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજપદ એક્તા, ભેદભાવ નહીં કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશયભક્તિ સહિત; મુનિજન સંગતિ રતિ અતિ સંયમ યોગ ઘટિત. ૫ ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. ૭ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચોદની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮ મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોકડ્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦
૧ર૪
૧૨)
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ; મહાપાત્ર ને માર્ગના, પરમ યોગ જિત લોભ. ૧૧
(૨) આવ્યું બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨
(૩)
સુખધામ અનંત સુધામય છે,દિન રાત્ર રહે તધ્યાનમહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૧
D ઉપદેશ નોંધ ૪ ષદર્શન સમુચ્ચય' અવલોકવા યોગ્ય છે. ‘તત્ત્વાર્થસૂત્ર” વાંચવા યોગ્ય અને ફરી ફરી વિચારવા યોગ્ય છે.
યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યે સંસ્કૃતમાં રચ્યો છે. આ શ્રી યશોવિજયજીએ ગુજરાતીમાં એની ઢાળબદ્ધ સઝાય રચી છે. ' જે તે કંઠાગ્રે કરી વિચારવા યોગ્ય છે. એ દૃષ્ટિઓ આત્મદશામાપક (થર્મોમિટર) યંત્ર છે.
D ઉપદેશ નોંધ ૮ (s હે પ્રભુવાસિત બોધ આધારરૂપ છે તે મારે નથી જોઈતો. મારે ન તો કષાયણિત, આત્માર્થસંપન્ન, માનાદિ વાસનારહિત એવો બોધ છે
જોઈએ છે. એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું. મન વચનાદિ બળવાન યોગવાળા જુદા જુદા પુરુષો બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે ?
છે; પણ હે પ્રભુ ! વાસનાના કારણે તે બોધ વાસિત છે, મારે તો છે આ નિર્વાસિત બોધ જોઈએ છે. તે તો, હે ! વાસના વિષય કષાયાદિ જેણે
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૫
For Personal & Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
જીત્યા છે એવા જિન વિતરાગ અજિત દેવ ! તારો છે. તે તારા પંથને હું ખોજી, નિહાળી રહ્યો છું. તે આધાર મારે જોઈએ છે. કારણ કે પ્રગટ સત્યથી ધર્મપ્રાપ્તિ થાય છે.
આનંદઘનજીની ચોવીશી મુખપાઠ કરવા યોગ્ય છે. તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે.
0 ઉપદેશ નોંધ ૯ % પ્રશ્ન : આપ જેવા સમર્થ પુરુષથી લોકોપકાર થાય એવી ઇચ્છા જ રહે એ સ્વાભાવિક છે.
ઉત્તર : લોકાનુગ્રહ સારો ને જરૂરનો કે આત્મહિત ?
શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો. શૃંગારયુક્ત ધર્મ
ભણી લોકો વળ્યા, આકર્ષાયા. વીતરાગધર્મ વિમુખતા વધતી ચાલી. જ અનાદિથી જીવ શંગાર આદિ વિભાવમાં તો મુચ્છ પામી રહ્યો છે, તેને . વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મરૂપે
મુકાય તો તે વૈરાગ્ય ભણી કેમ વળી શકે ! આમ વીતરાગમાર્ગ વિમુખતા વધી.
ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિન પ્રતિમા પ્રતિ લાખો દૃષ્ટિવિમુખ થયા. છે વીતરાગ શાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં. કેટલાંક તો સમૂળગાં ખંડાયાં. .
આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગ માર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાલી નહીં, એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી, ત્યાં શ્રી આનંદઘનજી બસો વરસ પૂર્વે થયા.
૧૨
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદઘનજીએ સ્વપર હિતબુદ્ધિથી લોકોપકારપ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધર્મ વિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શક્યાં, ઓળખી કદર કરી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયોગે લોકોપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતો નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તવું યોગ્ય છે. આવી વિચારણાએ પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી ચોવીશી, પદ આદિ
વડે લોકોપકાર તો કરી જ ગયા, નિષ્કારણ લોકોપકાર એ મહાપુરુષોનો જ ધર્મ છે.
છ ઉપદેશ નોંધ ૧૨ ૪ (બીજા ભોઈવાડામાં શ્રી શાંતિનાથજીના દિગમ્બર મંદિરમાં દર્શન આ પ્રસંગનું વર્ણન)
પ્રતિમાં નીરખી છેટેથી વંદન કર્યું. ત્રણ વાર પંચાંગી પ્રણામ કર્યા. છે શ્રી આનંદઘનજીનું શ્રી પદ્મપ્રભુનું સ્તવન સુમધુર, ગંભીર સુસ્પષ્ટ ધ્વનિએ ગાયું. જિન પ્રતિમાનાં ચરણ તળાસ્યાં.
) ઉપદેશ નોંધ ૧૪ * જે બહુ ભોગવાય છે તે બહુ ક્ષીણ થાય છે. સમતાએ કર્મ ભોગવતાં જ છે તે નિર્જરે છે; ક્ષીણ થાય છે. શારીરિક વિષય ભોગવતાં શારીરિક 1 શક્તિ ક્ષીણ થાય છે. * જ્ઞાનીનો માર્ગ સુલભ છે, પણ તે પામવો દુર્લભ છે, એ માર્ગ વિકટ :
નથી. સીધો છે, પણ તે પામવો વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ. આ તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઈએ. પછી તેનાં વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની જ મળવા અને ઓળખવા એ વિકટ છે, દુર્લભ છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૭
For Personal & Private Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
ઉપદેશ નોંધ ૧૩ જ્ઞાનીને ઓળખો; ઓળખીને એની આજ્ઞા આરાધો. જ્ઞાનીની જ એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે. 1 જ્ઞાનીઓ જગતને તૃણવતુ ગણે છે, એ એઓના જ્ઞાનનો મહિમા |
સમજવો. છે. કોઈ મિથ્યાભિનિવેશી જ્ઞાનનો ડોળ કરી જગતનો ભાર મિથ્યા છે. શિર વહેતો હોય તો તે હાંસીપાત્ર છે.
0 ઉપદેશ નોંધ ૧૯ પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા છે. વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી છે
બેસી રહે કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું. એ મોટો પુરુષાર્થ છે. સામાન્ય જીવ સમપરિણામે ? | વિકલ્પરહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉદ્યમ સેવવો. સમપણું અને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે અને વધે.
ઉપદેશ નોંધ ૨૨ લઇ 'प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलममंकः कामिनीसंगशून्यः ;
करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव.' 1 તારાં બે ચક્ષ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યા ?
છે. તારૂં મુખકમળ પ્રસન્ન છે; તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો છે. ખોળો સ્ત્રીના સંગથી હતિ છે. તારા બે હાથ શસ્ત્રસંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું જ વીતરાગ જગતમાં દેવ છું. છે દેવ કોણ? વીતરાગ. દર્શનયોગ્ય મુદ્રા કઈ ? વીતરાગતા સુચવે છે
૧૨૮
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
ઉપદેશ નોંધ ૨૩ જ. 'नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे,
अर्हते योगीनाथाय महावीराय तायिने. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રની રચના કરતાં મંગલાચરણમાં વીતરાગ સર્વજ્ઞ અરિહંત યોગીનાથ મહાવીરને સ્તુતિરૂપે નમસ્કાર કરે છે.
વાર્યા વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ, દ્વેષ અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાર્યા, જીત્યા; જે વીતરાગ સર્વજ્ઞ થયા; વીતરાગ સર્વજ્ઞ થતાં જે અહંતુ પૂજવા યોગ્ય થયા; અને વીતરાગ અત્ થતાં મોક્ષ અર્થે પ્રવર્તન છે જેનું એવા જુદા જુદા યોગીઓના જે નાથ થયા; નેતા થયા; અને એમ નાથ થતાં જે જગતના નાથ, તાત, ત્રાતા થયા, એવા જે મહાવીર તેને નમસ્કાર હો. અહીં સદેવના અપાયઅપગમ અતિશય, જ્ઞાન અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય સૂચવ્યા. આ મંગલ સ્તુતિમાં સમગ્ર “યોગશાસ્ત્રનો સાર સમાવી દીધો છે. સદ્વનું નિરૂપણ કર્યું છે. સમગ્ર સ્વરૂપ, તત્ત્વજ્ઞાન છે સમાવી દીધું છે. ઉકેલનાર ખોજક જોઈએ.
લૌકિક મેળામાં, વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ હોય. સાચો મેળો સત્સંગનો, એવા મેળામાં વૃત્તિની ચર્ચાળતા ઓછી થાય,દૂર થાય. T માટે સત્સંગ મેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે, ઉપદેશ્યો છે.
ઉપદેશ નોંધ ૨૬ देवागमनभोयानचामरादिविभूतयः . मायाविष्वपि दृश्यंते, नातस्त्वमसि नो महान्
સ્તુતિકાર શ્રી સંમતભદ્રસૂરિને વિતરાગ દેવ જાણે કહેતા હોય, તે જ છે. સંમતભદ્ર ! આ અમારાં અષ્ટપ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જો; અમારું છે
મહત્ત્વ જો. ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતાં ત્રાડ પાડે તેમ શ્રી સંમતભદ્રસૂરિ ત્રાડ પાડતા કહે છે : “દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વૈભવથી વીંઝાવું, એ તો માયાવી એવા
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૨૯
For Personal & Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્રજાળિયા પણ બતાવી શકે છે. તારા પાસે દેવોનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર છત્ર આદિ વિભૂતિ ભોગવે છે માટે
તું અમારા મનને મહાન ! ના, ના, એ માટે તું અમારા મનને મહાન છે નહીં. તેટલાથી તારું મહત્ત્વ નહીં. એવું મહત્વ તો માયાવી ઇન્દ્રજાળિયા છે પણ દેખાડી શકે. ત્યારે સદેવનું મહત્ત્વ વાસ્તવિક શું? તો કે વીતરાગપણું એમ આગળ બતાવે છે.
ઉપદેશ નોંધ ૩૧ જ દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા | રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા ! રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી.
ચારિત્ર મોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહનો જ પડ્યો ઠેકાણે આવતો નથી, કારણ, સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરવી.
* 0 ઉપદેશ નોંધ ૩૫ % સપુરુષ અન્યાય કરે નહીં. પુરુષ અન્યાય કરશે તો આ જગતમાં વરસાદ કોના માટે વરસશે ? સૂર્ય કોના માટે પ્રકાશશે ? વાયુ કોના ? માટે વાશે ?
આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ! જ્યાં સુધી શરીરમાં હોય, ભલેને ને હજારો વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી, પારાની જેમ આત્મા. 4 ચેતન ચાલ્યું જાય. અને શરીર શબ થઈ પડે અને સડવા માંડે !
૧૩૦
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
સ્વચ્છેદે, સ્વમતિકલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ જ તરંગરૂપ છે. અને ઉપદેશ, વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે. તે
દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે. આ દેહરૂપી | ઝાડમાં (નીચે) જીવરૂપી પંથી વટેમાર્ગુ થાક લેવા બેઠો છે. તે પંથી જ ઝાડને જ પોતાનું કરી માને એ કેમ ચાલે ?
D ઉપદેશ નોંધ ૩૬ (૪ સર્વ વાસનાનો ક્ષય કરે સંન્યાસી. ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે ! * ગોસાઈ, સંસારનો પાર પામે તે યતિ (જતિ).
મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો પોતે સ્વાધ્યાય કરે છે એવો છે ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે, તે
મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા છે. [ સ્વરે માન, પૂજા, સત્કાર આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામબુદ્ધિથી !
આત્માર્થે કરવો.
છે. પ્રભુ પૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે. તેમાં જે ગૃહસ્થને લીલોતરીનો 1 નિયમ નથી તે પોતાના હેતુએ તેનો વપરાશ કમ કરી ફૂલ પ્રભુને કે ચડાવે. ત્યાગી મુનિને પુષ્પ ચડાવવાનો છે તેના ઉપદેશનો સર્વથા છે | નિષેધ છે.
' “સિઝઝંતિ', પછી “બુઝંતિ', પછી “મુચંતિ', પછી પરિણિવાયેતિ', છે. પછી “સબૂદુખાણતંકવંતિ' એ શબ્દોના રહસ્યાર્થ વિચારવા યોગ્ય છે ' છે. “સિઝઝંતિ' અર્થાત્ સિદ્ધ થાય, તે પછી “બુજઝંતિ” બોધસહિત, | * જ્ઞાનસહિત હોય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાનરહિત) દશા આત્માની કોઈ માને છે તેનો નિષેધ “બુજઝંતિથી સૂચવ્યો. એમ
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૩૧
For Personal & Private Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ થાય, બુદ્ધ થાય, તે પાછા મુસ્મૃતિ એટલે સર્વ કર્મથી રહિત થાય અને તેથી પાછા “પરિણિવાયેતિ' અર્થાત્ નિર્વાણ પામે, કર્મરહિત થયા હોવાથી ફરી જન્મ અવતાર ધારણ ન કરે. મુક્ત જીવ કારણવિશેષે અવતાર ધારણ કરે તે મતનો “પરિણિવાયેતિ' કરી નિષેધ સૂચવ્યો. ભવનું કારણ કર્મ, તેથી સર્વથા જે મુકાયા છે તે ફરી ભવ ધારણ ન કરે. કારણ વિના કાર્ય ન નીપજે. આમ નિર્વાણ પામેલા સવદુખાણાં તે કરતિ અર્થાત્ સર્વ દુઃખનો અંત કરે, તેમને દુ:ખનો સર્વથા અભાવ થાય, તે સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે આમ કહી મુક્ત આત્માઓને શુન્યતા છે, આનંદ નથી એ મતનો નિષેધ સૂચવ્યો.
0 ઉપદેશ નોંધ ૩૭ ૪ 'अज्ञानतिगिरांधानां ज्ञानांजनशलाकया,
नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः' અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ તેનાં નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી ખોલ્યાં તે શ્રી સદ્ગુરુને નમસ્કાર.
'मोक्षमार्गस्य नेतारं, भेत्तारं कर्मभूमृताम्
ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये' મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેત્તા, કે ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદુ છું.
અત્રે મોક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મોક્ષ અને મોક્ષના ઉપાયસહિત બધાં પદો તથા મોક્ષ પામેલાનો સ્વીકાર કર્યો. મોક્ષ, બંધની અપેક્ષા રાખે છે; બંધ, બંધનાં કારણો આસવ, પુણ્ય, પાપ કર્મ અને બંધાનાર એવા નિત્ય અવિનાશી આત્માની અપેક્ષા રાખે છે. તેમજ મોક્ષ, મોક્ષના માર્ગની, સંવરની, નિર્જરાની, બંધનાં કારણો ટાળવારૂપ ઉપાયની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ જોયો, જાણ્યો, અનુભવ્યો હોય તે નેતા થઈ શકે. એટલે મોક્ષમાર્ગના નેતા
૧૩૨
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ, સર્વદર્શી વીતરાગનો સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી જીવઅજીવાદિ નવ તત્ત્વ, છયે દ્રવ્ય, આત્માના હોવાપણા આદિ છયે પદ અને મુક્ત આત્માનો સ્વીકાર કર્યો.
મોક્ષમાર્ગ ઉપદેશવાનું, તે માર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરુષ કરી શકે, દેહરહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, મુક્ત થઈ શકે છે, એવા દેહધારી મુક્ત પુરુષ જ બોધ કરી શકે છે એમ સૂચવ્યું, દેહરહિત અપૌરુષેય બોધનો નિષેધ કર્યો.
કર્મરૂપ પર્વતના ભેદનાર એમ કહી કર્મરૂપ પર્વતો તોડવાથી મોક્ષ છે થાય એમ સૂચવ્યું; અર્થાત્ કર્મરૂપ પર્વતો સ્વવીર્ય કરી દેહધારીપણે તોડ્યા, અને તેથી જીવનમુક્ત થઈ મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગના બતાવનાર થયા. ફરી ફરી દેહ ધારણ કરવાનું, જન્મવા મરવારૂપ સંસારનું કારણ કર્મ છે; તેને સમૂળાં છેલ્લાથી નાશ કર્યાથી, તેમને ફરી દેહ ધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું. મુક્ત આત્મા ફરી અવતાર ન લે એમ સૂચવ્યું. '
વિશ્વતત્ત્વના જ્ઞાતા, સમસ્ત દ્રવ્યપર્યાયાત્મક લોકાલોકના, વિશ્વના જાણનાર એમ કહી મુક્ત આત્માનું અખંડ સ્વપરજ્ઞાયકપણું સૂચવ્યું. મુક્ત આત્મા સદા જ્ઞાનરૂપ જ છે એમ સૂચવ્યું.
આવા જે ગુણવાળા તેને તે ગુણની પ્રાપ્તિ અર્થે વંદું છું; એમ કહી પરમ આપ્ત, મોક્ષમાર્ગ અર્થે વિશ્વાસ કરવા યોગ્ય, વંદન કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, જેની આજ્ઞાએ ચાલવાથી નિ:સંશય મોક્ષ પ્રાપ્ત થાય, તેમને પ્રગટેલ ગુણોની પ્રાપ્તિ થાય, તે ગુણો પ્રગટે, એવા કોણ છે હોય તે સૂચવ્યું. ઉપર જણાવેલ ગુણવાળા મુક્ત પરમ આપ્ત, વંદન છે યોગ્ય હોય, તેમણે બતાવેલ તે મોક્ષમાર્ગ, અને તેમની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ હોય, તેમને પ્રગટ થયેલા ગુણો તેમની આજ્ઞાએ ચાલનાર ભક્તિમાનને પ્રગટે એમ સૂચવ્યું.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૩૩
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #157
--------------------------------------------------------------------------
________________
ઉપદેશ નોંધ ૩૯ જ કર્મની મૂળ પ્રકૃતિ આઠ. તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની છે કહેવાય.
ચાર ઘાતિનીનો ધર્મ આત્માના ગુણની ઘાત કરવાનો અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાનો અથવા (૨) તે ગુણનું બળવીર્ય રોધવાનો
અથવા (૩) તેને વિકળ કરવાનો છે અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા કે તે પ્રકૃતિને આપી છે.
આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દર્શનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભોગઉપભોગ આદિને, તેનાં વીર્યબળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભોગાદિને સમજે છે, જાણે છે દેખે છે, એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભોગાદિનાં વિઘ્ન, જ અંતરાય કરે છે માટે તેને આવરણ નહીં પ્રણ અંતરાય પ્રકૃતિ કહી.
આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ. ચોથી ઘાતિની પ્રકૃતિ મોહનીય છે 1 છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂછિત કરી, મોહિત | જ કરી વિકળ કરે છે. જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહીં છતાં પણ આ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુંઝવે છે માટે
એને મોહનીય કહી, આમ આ ચારે સર્વઘાતિની પ્રકૃતિ કહી. બીજી * ચાર પ્રકૃતિ જોકે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ છે. કર્યા કરે છે, અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણને આવરણ કરવા રૂપે કે અંતરાય કરવા રૂપે કે તેને વિકળ કરવા રૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે.
) ઉપદેશ છાયા ૨ os તીર્થકર કોઈને ઉપદેશ દે તેથી કરી કાંઈ ‘પર ઉપયોગ' કહેવાય છે નહીં. “પરઉપયોગ” તેને કહેવાય કે જે ઉપદેશ દેતાં રતિ, અરતિ,
(૧૩૪)
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
' હર્ષ, અહંકાર થતાં હોય. જ્ઞાની પુરુષને તો તાદાત્મય સંબંધ હોતો જ તે નથી જેથી ઉપદેશ દેતાં રતિ, અરતિ ન થાય. રતિ, અરતિ થાય તે
‘પરઉપયોગ' કહેવાય.
સિદ્ધાંતના બાંધા વિષે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચનો અસતું છે એમ ન કહેવું; કારણ કે જેને તમે અસતું કહો છો, તે શાસ્ત્રથી જ પ્રથમ તો તમે જીવ, અજીવ એવું કહેતાં જ શીખ્યા છો.
0 ઉપદેશ છાયા ૩ સપુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સપુરુષ હોય તો વખતે થોડા કાળે તેમને ઓળખાણ થવું સંભવે, કારણ કે
જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકાર 1 ભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને. પણ ઉત્કૃષ્ટ સતુપુરુષને
તો તેવી ભાવના હોય નહીં અર્થાત્ નિસ્પૃહતા હોવાથી તેવો ભાવ ' રાખે નહીં. તેથી કાં તો જીવ અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું ! ન થવું હોય તે થાય.
જેમ બને તેમ સવૃત્તિ અને સદાચાર સેવવાં. જ્ઞાનીપુરુષ કાંઈ વ્રત છે આપે નહીં અર્થાત્ જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવાં. પણ ત્યાં સુધી યથાશક્તિ સદ્ગત અને જ સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે.
દેવ અરિહંત, ગુરુ નિર્ચન્થ અને ધર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની છે. શ્રદ્ધાને જૈનમાં સમ્યકત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસતું હોવાથી દેવ અને
ધર્મનું ભાન નહોતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું.
તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક્ત્વ. જેટલી જેટલી આસ્થા છે. અને અપૂર્વપણું તેટલું તેટલું સમ્યકત્વનું નિર્મળપણું સમજવું આવું
(
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૩૫
For Personal & Private Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
સાચું સમ્યકત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી.
'
આશાતના કરવાની બુદ્ધિએ આશાતના કરવી નહીં. સત્સંગ થયો છે તે સત્સંગનું ફળ થવું જોઈએ. કોઈપણ અયોગ્ય આચરણ થાય અથવા અયોગ્ય વ્રત સેવાય તે સત્સંગનું ફળ નહીં. સત્સંગ થયેલા છે જીવથી તેમ વર્તાય નહીં, તેમ વર્તે તો લોકોને નિંદવાનું કારણ થાય, તેમ તેથી સપુરુષની નિંદા કરે અને પુરુષની નિંદા આપણા નિમિત્તે થાય એ આશાતનાનું કારણ અર્થાત્ અધોગતિનું કારણ થાય માટે તેમ કરવું નહીં.
0 ઉપદેશ છાયા ૪ જ ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે. સ્વચ્છંદ : ૨ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે; આવો એ 1 ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.
2 કપ
તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે તેમ દેહથી છે આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે તેણે આત્મા અનુભવ્યો કહેવાય. દૂધ ને પાણી ભેળાં છે તેવી રીતે આત્મા અને દેહ રહેલા છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદા પડે ત્યારે જુદાં કહેવાય. તેવી રીતે આત્મા અને દેહ ક્રિયાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. આત્મા જાણ્યો હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહીં.
પોતાના દોષ ઘટે, આવરણ ટળે તો જ જાણવું કે જ્ઞાનીનાં વચનો સાચાં છે.
જ્ઞાન તેનું નામ કે જે હર્ષ, શોક વખતે હાજર થાય; અર્થાત્ હર્ષ,
૧૩૬
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #160
--------------------------------------------------------------------------
________________
શોક થાય નહીં.
સમ્યગ્દષ્ટિ હર્ષષોકાદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહીં. તેમનાં નિસપરિણામ થાય નહીં; અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવ્યે તરત જ દાબી દે; બહુ જ જાગૃતિ હોય. જેમ કોરો કાગળ વાંચતા હોય તેમ તેમને હર્ષ શોક થાય નહીં. ભય અજ્ઞાનનો છે. જેમ સિંહણને સિંહ ચાલ્યો આવતો હોય અને ભય લાગતો નથી પણ મનુષ્ય ભય પામી ભાગી જાય છે; જાણે તે કૂતરો ચાલ્યો આવતો હોય તેમ સિંહણને લાગે છે. તેવી રીતે જ્ઞાની પૌદ્ગલિક સંયોગ સમજે છે. રાજ્ય મળ્યે આનંદ થાય તો તે અજ્ઞાન. જ્ઞાનીની દશા બહુ જ અદ્ભુત છે.
યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી તેનું કારણ વચનને આવરણ કરનાર દુરાગ્રહ ભાવ, કષાય રહ્યા છે. દુરાગ્રહ ભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં; દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દૂર ખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. દુરાગ્રહાદિ ભાવને લીધે જીવને કલ્યાણનું સ્વરૂપ બતાવ્યા છતાં સમજાય નહીં. કષાય, દુરાગ્રહાદિ મુકાય નહીં તો પછી તે વિશેષ પ્રકારે પીડે છે. કષાય સત્તાપણે છે. નિમિત્ત આવે ત્યારે ઊભા થાય છે. ત્યાં સુધી ઊભા થાય નહીં.
મિથ્યાદૃષ્ટિને વચમાં સાક્ષી (જ્ઞાનરૂપી) નથી. દેહ ને આત્મા બંને જુદા છે એવો જ્ઞાનીને ભેદ પડ્યો છે. જ્ઞાનીને વચમાં સાક્ષી છે. જ્ઞાનજાગૃતિ હોય તો જ્ઞાનના વેગે કરી, જે જે નિમિત્ત મળે તેને પાછું વાળી શકે.
જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં. એમ સંક્ષેપમાં ૫૨માર્થ કહ્યો.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૧૩૭
Page #161
--------------------------------------------------------------------------
________________
*
સ્વછંદ ટળે તો જ મોક્ષ થાય. સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય છે બીજું ન ચાલે એવી જિનની આજ્ઞા છે.
ચૌદપૂર્વધારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. આ પ્રમાદના કારણથી તે એમ જાણે કે હવે મને ગુણ પ્રગટટ્યો'. આવા છે. અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંતકાળનું ભ્રમણ ! કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગૃત રહેવું; કારણ કે વૃત્તિઓનું આ પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે છેતરે છે.
સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઇચ્છા થતી હોય, તો સમજવું કે : છે જ્ઞાની પુરુષને જોયા નથી. જે પ્રકારે પ્રથમ સંસારમાં રસસહિત વર્તતો
હોય તે પ્રકારે, જ્ઞાનીનો યોગ થયા પછી વર્તે નહીં એ જ જ્ઞાનીનું સ્વરૂપ.
જ્ઞાનીને જ્ઞાનદૃષ્ટિથી, અંતરદષ્ટિથી જોયા પછી સ્ત્રી જોઈને રાગ ઉત્પન્ન થાય નહિ; કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિષયસુખકલ્પનાથી જુદું છે. અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહિ; અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાની પુરુષના દર્શન કર્યા,
પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં; છે કારણ કે જ્ઞાનીનાં વચનો યથાર્થ રીતે સાચાં જાણ્યાં છે. જ્ઞાનીની
સમીપ દેહ અને આત્મા જુદા પૃથક પૃથક જાણ્યાં છે તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે; અને તેથી સ્ત્રીના શરીર અને આત્મા છે. જુદાં ભાસે છે. તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં આદિનું પૂતળું જાણ્યું છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી.
કેશીશ્વામી મોટા હતા, અને પાર્શ્વનાથસ્વામીના શિષ્ય હતા, તોપણ
૧૩૮
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
પાંચ મહાવ્રત અંગીકાર કર્યાં હતાં. કેશીસ્વામી અને ગૌતમસ્વામી મહા વિચારવાન હતા, પણ કેશીસ્વામીએ એમ ન કહ્યું ‘હું દીક્ષાએ મોટો છું માટે તમે મારી પાસે ચારિત્ર લ્યો'. વિચારવાન અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે તેને આવી વાતનો આગ્રહ હોય નહીં.
ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્તા હતા અને આનંદ-શ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું ‘મને જ્ઞાન ઉપજયું છે’. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું, ‘ના, એટલું બધું હોય નહીં, માટે આપ ક્ષમાપના લો ત્યારે આનંદ-શ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તો પણ ભૂલ ખાઓ છો એણ કહેવું યોગ્ય નથી; ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું કે ‘મહારાજ ! સદ્ભુત વચનનો મિચ્છામિ દુક્કડં કે અસદ્ભૂત વચનનો મિચ્છામિ દુક્કડં ! ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું : કે ‘અસદ્ભૂત વચનનો મિચ્છામિ દુક્કડં’. ત્યારે આનંદશ્રાવકે કહ્યું ‘મહારાજ હું મિચ્છામિ દુક્કડં લેવાને યોગ્ય નથી.' એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા. અને જઈને મહાવીરસ્વામીને પૂછ્યું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી પાસે જઈ હકીકત કહી) મહાવીર સ્વામીએ કહ્યું ‘હે ગૌતમ ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે, માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લ્યો.’ ‘તહત્’ કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જો ગૌતમસ્વામીમાં મોહ નામનો મહા સુભટ પરાભવ પામ્યો ન હોત તો ત્યાં જાત નહીં. અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે ‘મહારાજ ! આપના આટલા બધા શિષ્ય છે તેમની હું ચાકરી કરું, પણ ત્યાં તો નહીં જાઉં; તો તે વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પોતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા !
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૧૩૯
Page #163
--------------------------------------------------------------------------
________________
બીજાને ઊંચા ગુણે ચઢાવવા, પણ કોઈની નિંદા કરવી નહીં. કોઈને સ્વચ્છંદે કાંઈ કહેવું નહીં. કહેવા યોગ્ય હોય તો અહંકારરહિતપણે કહેવું. પરમાર્થદૃષ્ટિએ રાગદ્વેષ ઘટ્યા હોય તો ફળીભૂત થાય, વ્યવહારથી તો ભોળા જીવોને પણ રાગદ્વેષ ઘટ્યા હોય; પણ પરમાર્થથી રાગદ્વેષ મોળા પડે તો કલ્યાણનો હેતુ છે.
‘દુર્બળ દેહ ને માસ ઉપવાસી, જો છે માયારંગ રે; તોપણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે.’
મોટા પુરુષોની દૃષ્ટિએ જોતાં સઘળાં દર્શન સરખાં છે. જૈનમાં વીસ લાખ જીવો મતમતાંત૨માં પડ્યા છે ! જ્ઞાનીની દૃષ્ટિએ ભેદાભેદ હોય નહીં.
જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ થાય તેવી દૃઢ મતિ કરવી. કુળગચ્છનો આગ્રહ મુકાવો એ જ સત્સંગનું માહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. ધર્મના મતમતાંતરાદિ મોટા મોટા અનંતાનુબંધી પર્વતની ફાટની માફક મળે જ નહીં. કદાચંહ કરવો નહીં, ને કદાગ્રહ કરતા હોય તેને ધીરજથી સમજાવીને મુકાવવા ત્યારે સમજ્યાનું ફળ છે. અનંતાનુબંધી માન કલ્યાણ થવામાં આડા સ્તંભરૂપ કહેલ છે. જ્યાં જ્યાં ગુણી મનુષ્ય હોય ત્યાં ત્યાં તેના સંગ કરવાનું વિચા૨વાન જીવ કહે. અજ્ઞાનીનાં લક્ષણો લૌકિક ભાવનાં છે. જ્યાં જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું; ‘એને મારે જોતાં નથી' એ જ સમજવાનું છે.
ō ઉપદેશ છાયા ૫ G
પ્રમાદથી યોગ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને પ્રમાદ છે. યોગથી અજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો જ્ઞાનીને વિષે પણ સંભવે, માટે જ્ઞાનીને યોગ હોય પ્રમાદ હોય નહીં.
१४०
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફૂરે છે, અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે. બાળજીવોને આ સમજાય નહીં તેથી જ્ઞાનીઓએ તેના સ્થૂળ ભેદો સમજણ પડે તે રીતે કહ્યાં છે.
વૃત્તિઓનો મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી સ્ફુરે છે. દરેક પદાર્થને વિષે સ્ફુરાયમાન થતી બાહ્યવૃત્તિઓને અટકાવવી; અને તે વૃત્તિ-પરિણામ અંતર્મુખ કરવા.
અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળ્યે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ રાખવો
પરમાર્થની વાત એકની એક એકસો વખત પૂછો તોપણ જ્ઞાનીને કંટાળો આવે નહીં; પણ અનુકંપા રહે કે આ બિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થાય તો સારું.
ક્ષયોપશમ પ્રમાણે શ્રવણ થાય છે.
સમ્યક્ત્વ એવી વસ્તુછે કે એ આવે ત્યારે છાનું ના રહે. વૈરાગ્ય પામવો હોય તો કર્મને નિંદવાં. કર્મને પ્રધાન ન કરવાં પણ આત્માને માથે રાખવો-પ્રધાન કરવો.
મિથ્યાદ્દષ્ટિ સમકિતી પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાદૃષ્ટિનાં જપતપાદિ મોક્ષના હેતુભૂત થતાં નથી, સંસારના હેતુભૂત થાય છે. સમકિતીનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થાય છે. સમકિતી દંભરહિત કરે છે, આત્માને જ નિંદે છે, કર્મો ક૨વામાં કારણોથી પાછો હઠે છે: આમ કરવાથી તેના અહંકારાદિ સહેજે ઘટે છે. અજ્ઞાનીમાં બધાં જપતપાદિ અહંકાર વધારે છે, અને સંસારના હેતુ થાય છે.
જીવને જ્ઞાનીપુરુષસમીપે તેમનાં અપૂર્વ વચનો સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણામ આવે છે, પણ પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૧૪૧
Page #165
--------------------------------------------------------------------------
________________
આવતો નથી. જેમ અગ્નિની પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય કે નહીં, અને સગડીથી વેગ ને યા એટલે પછી ટાઢ વાય; તેમ છે
જ્ઞાનીપુરુષસમીપ તેમના અપૂર્વ વચનો સાંભળ્યાં ત્યારે પ્રમાદાદિ જાય, છે અને ઉલ્લાસ પરિણામ આવે, પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય. જો કે, [પૂર્વના સંસ્કારથી તે વચનો અંર્તપરિણામ પામે તો દિનપ્રતિદિન ઉલ્લાસ |
પરિણામ વધતા જાય, અને યથાર્થ રીતે ભાન થાય. અજ્ઞાન મધ્યે બધી ભૂલ મટે, સ્વરૂપ જાગૃતમાન થાય. બહારથી વચન સાંભળીને આ અંર્તપરિણામ થાય નહીં, તો જેમ સગડીથી વેગળા ગયા એટલે ટાઢ 1 છેવાય તેની પેઠે દોષ ઘટે નહીં.
' પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માનો જ ઉપયોગ તે રૂપ થઈ, તાદાભ્યરૂપ થઈ તેમાં હર્ષ વિષાદ કરે નહીં તો કર્મબંધ થાય નહીં. ઇન્દ્રિયરૂપ આત્મા થાય તો કર્મબંધનો હેતુ છે.
) ઉપદેશ છાયા 6 જી. જ્ઞાની પુરુષરૂપી સૂર્ય પ્રગટ થયા પછી ખરા અધ્યાત્મીઓ શુષ્ક રીતે પ્રવર્તે નહીં, ભાવ અધ્યાત્મમાં પ્રગટપણે વર્તે. આત્મામાં ખરેખરા
ગુણો ઉત્પન્ન થયા પછી મોક્ષ થાય. આ કાળમાં દ્રવ્ય અધ્યાત્મીઓ, જ જ્ઞાનદગ્ધો ઘણા છે. દ્રવ્યઅધ્યાત્મી દેવળના ઇંડાના દૃષ્ટાંતે મૂળ પરમાર્થ જ સમજતા નથી.
0 ઉપદેશ છાયા ૮ કર્મ ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાની પુરુષ તો સામટો ગોટો વાળી નાશ કરે છે.
માટીમાં ઘડો થવાની સત્તા છે; પણ દંડ, ચક્ર, કુંભારાદિ મળે તો થાય; તેમ આત્મા માટીરૂપ છે, તેને સદ્ગુરુ આદિ સાધન મળે તો ? આત્મજ્ઞાન થાય. જે જ્ઞાન થયું હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ
૧૪૨
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
* સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઈએ; અને વર્તમાનમાં
પણ જે જ્ઞાની પુરુષોએ જ્ઞાન સંપાદન કરેલું છે તેના વચનોને મળતું ' આવવું જોઈએ, નહીં તો અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એમ કહેવાય.
સામાયિક કાયાનો યોગ રોકે; આત્માને નિર્મળ કરવા માટે કાયાનો જ યોગ રોકવો. રોકવાથી પરિણામે કલ્યાણ થાય. કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરો. જ્ઞાનીપુરુષનાં વચનો સાંભળી, સાંભળીને ગાંઠે બાંધો તો આત્માની સામાયિક થશે. આ
કાળમાં આત્માની સામાયિક થાય છે. મોક્ષનો ઉપાય અનુભવગોચર છે. છે. જેમ અભ્યાસે અભ્યાસે કરી આગળ જવાય છે તેમ મોક્ષને માટે છે આ પણ છે.
સપુરૂષો મળે જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યો જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય.
ઉન્માર્ગને મોક્ષ માર્ગ માને અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે - મિથ્યાત્વ-મોહનીય.” છે ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો છે. 1 જે ભાવ તે “મિશ્રમોહનીય.”
આત્મા આ હશે ? તેવું જ્ઞાન થાય તે “સમ્યકત્વમોહનીય.” આત્મા આ છે” એવો નિશ્ચલભાવ તે “સમ્યકત્વ.'
. ઉપદેશ છાયા ૯ જ પ્રશ્ન : મોક્ષ એટલે શું?
ઉત્તર : આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે; સર્વ * કર્મથી મુક્ત થવું તે “મોક્ષ. યથાતથ્ય જ્ઞાન પ્રગટ્ય મોક્ષ. ભ્રાન્તિ રહે
ત્યાં સુધી આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેનો
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૪૩
For Personal & Private Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
સ્વભાવ જાણપણું, જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું ? જાણપણામાં ન્યૂનતા છે, યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે ? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલી ન જાય; તેને વારંવાર દઢ કરે તો ન્યૂનતા મટે. જ્ઞાની પુરુષનાં વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સપુરુષના આશ્રયે લે તો સાધનો ઉપકારના હેતુઓ છે. પુરુષની દૃષ્ટિ ચાલવાથી જ્ઞાન થાય છે. સપુરુષોનાં વચનો આત્મામાં પરિણામ પામ્ય મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભયોગ વગેરે A બધા દોષો અનુક્રમે મોળાં પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષો નાશ છે. | થાય છે. પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવને !
લોકમાર્ગમાં પડી રહેવું છે, અને લોકોત્તર કહેવરાવું છે; ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લોકનો ભય મૂકી પુરુષનાં 1 વચનો આત્મામાં પરિણમાવે, તો સર્વ દોષ જાય. જીવે મારાપણું ?
લાવવું નહીં. મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યકત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે.
અંતરાત્મા નિરંતર કષાયાદિ નિવારવા પુરુષાર્થ કરે છે. ચૌદમા . ગુણસ્થાનક સુધી એ વિચારરૂપી ક્રિયા છે. જેને વૈરાગ્ય ઉપશમ વર્તતો હોય તેને જ વિચારવાન કહીએ. આત્માઓ મુક્ત થયા પછી સંસારમાં આવતા નથી. આત્મા સ્વાનુભવ ગોચર છે, તે ચક્ષુથી દેખાતો નથી, ઇન્દ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે જાણે છે. આત્માનો ઉપયોગ મનન કરે તે મન છે. વળગણા છે તેથી મન જુદું કહેવાય. સંકલ્પ વિકલ્પ મૂકી દેવા તે “ઉપયોગ”. જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન બાંધ્યું હોય તેને સત્પરુષનો બોધ લાગે છે. આયુષનો બંધ હોય તે રોકાય નહીં.
ઇન્દ્રિયોના નિગ્રહનું ન હોવાપણું, કુળધર્મનો આગ્રહ, માનશ્લાઘાની
૧૪૪
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. નવ પૂર્વ ભણ્યો તોય રખડ્યો; ચૌદ રાજલોક જાણ્યો પણ દેહમાં રહેલો આત્મા ને ઓળખ્યો; માટે રખડ્યો ! જ્ઞાનીપુરુષ બધી શંકાઓ ટાળી શકે છે; પણ તરવાનું
કારણ સપુરુષની દૃષ્ટિએ ચાલવું તે છે; અને તો જ દુ:ખ મટે. 7 આજ પણ પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન થાય. જેને આત્મજ્ઞાન નથી ? તેનાથી કલ્યાણ થાય નહીં.
ઉપદેશ છાયા ૧૦ જ સપુરુષ અને સન્શાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી. સદ્ગુરુ, સાસ્ત્રરૂપી વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય, કેવળ વર્તે, પોતાનું સ્વરૂપ સમજે તે સમકિત. સપુરુષનું વચન સાંભળવું દુર્લભ છે, શ્રદ્ધવું દુર્લભ છે, વિચારવું દુર્લભ છે, તો અનુભવવું દુર્લભ હોય તેમાં શી નવાઈ !
ઉપદેશજ્ઞાન અનાદિનું ચાલ્યું આવે છે. એકલાં પુસ્તકથી જ્ઞાન થાય છે નહીં. પુસ્તકથી જ્ઞાન થતું હોય તો પુસ્તકનો મોક્ષ થાય ! સદ્ગુરુની
આજ્ઞા પ્રમાણે ચાલવું એમાં ભૂલી જવાય તો પુસ્તક અવલંબનભૂત છે. ચૈતન્યપણું ગોખે તો ચૈતન્યપણું પ્રાપ્ત થાય, ચૈતન્યપણું અનુભવગોચર થાય. સદ્ગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આત્મામાં પરિણમાવે તો કલ્યાણ થાય.
જ્ઞાન અને અનુભવ હોય તો મોક્ષ થાય. વ્યવહારને નિષેધવો છે. નહીં, એકલા વ્યવહારને વળગી રહેવું નહીં.
આત્મજ્ઞાનની વાત સામાન્ય થઈ જાય એવી રીતે કરવી ઘટે નહીં. આત્મજ્ઞાનની વાત એકાંતે કહેવી. આત્માનું હોવાપણું વિચારવામાં ન આવે તો અનુભવવામાં આવે; નહીં તો તેમાં શંકા થાય છે. જેમ એક માણસને વધારે પડળથી દેખાતું નથી તેમ આવરણની વળગણાને લીધે જ આત્માને થાય છે. ઊંઘમાં પણ આત્માને સામાન્યપણે જાગૃતિ છે. આ
આત્મા કેવળ ઊંઘે નહીં; તેને આવરણ આવે. આત્મા હોય તો જ્ઞાન
જ
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૪૫
For Personal & Private Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
થાય. જડ હોય તો જ્ઞાન કોને થાય ? છે. પોતાને પોતાનું ભાન થવું, પોતે પોતાનું જ્ઞાન પામવું, જીવનમુક્ત છે
થવું.
પ્રશ્ન : વ્રતનિયમ કરવાં કે નહીં ?
ઉત્તર : વ્રતનિયમ કરવાનાં છે. તેની સાથે કજિયા, કંકાસ, છોકરાંછેયાં અને ઘરમાં મારાપણું કરવું નહીં. ઊંચી દશાએ જવા માટે વ્રતનિયમ કરવાં.
તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી; પણ આત્માને અર્થે ઉપવાસ કરવાના છે. બાર પ્રકારે તપ કહ્યો છે. એમાં આહાર ન કરવો તે તપ જિલ્લા ઇન્દ્રિય વશ કરવાનો ઉપાય જાણીને કહ્યો છે. જિલ્લા ઇન્દ્રિય વશ કરી, તો બધી ઇન્દ્રિયો વશ થવાનું નિમિત્ત છે.
આત્મા ને સદ્ગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદ્ગુરુનો આત્મા એ સદ્ગુરુ છે. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના જ આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે. આ પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તો જ્ઞાનીની અપૂર્વ વાણી સમજાય.
સદ્ગુરુની આજ્ઞામાં બધાં સાધનો સમાઈ ગયાં. જે જીવો તરવાના કામી હોય છે તેની બધી વાસનાનો નાશ થાય છે. જેમ કોઈ સો પચાસ ગાઉ વેગળો હોય તો બે ચાર દિવસે પણ ઘર ભેગો થાય, પણ લાખો ગાઉ વેગળો હોય તે એકદમ ઘર ભેગો ક્યાંથી થાય ? તેમ આ
૧૪૬
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
' જીવ કલ્યાણમાર્ગથી થોડો વેગળો હોય તો તો કોઈક દિવસ કલ્યાણ પામે, પણ જ્યાં સાવ ઊંધે રસ્તે હોય ત્યાં ક્યાંથી પાર પામે ?
તરવાનો કામી હોય તે માથું કાપીને આપતાં પાછો હઠે નહીં, શિથિલ હોય તે સહેજ પગ ધોવા જેવું કુલક્ષણ હોય તે પણ મૂકી શકે [ નહીં, અને વીતરાગની વાત મેળવવા જાય. વીતરાગ જે વચન કહેતા | ડર્યા છે તે અજ્ઞાની સ્વચ્છેદે કરી કહે છે; તો તે કેમ છૂટશે ?
મહાવીરસ્વામીના દીક્ષાના વરઘોડાની વાતનું સ્વરૂપ જો વિચાર તો છે વૈરાગ્ય થાય. એ વાત અદ્દભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા. તેઓને | ચારિત્ર વર્તતું હતું, પણ જ્યારે બાહ્યચારિત્ર લીધું ત્યારે મોક્ષે ગયા.
પ્રશ્ન : સત્પરુષ કેમ ઓળખાય ? ઉત્તર : સત્પરુષો તેમનાં લક્ષણોથી ઓળખાય.
સપુરુષોનાં લક્ષણો :- તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય. માનનો જે ઉપાય કહે તેથી માન જાય, જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે, તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય.
જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી ત્યાં સુધી સૂત્રો પણ છાશબાકળાં જેવાં લાગે. સદ્ગુરુ અને અસદ્ગુરુનું ઓળખાણ, સોનાની અને પિત્તળની જ કંઠીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય, અને સદ્ગુરુ મળે, તો કર્મ ટળે. સદ્ગુરુ કર્મ ટાળવાનું કારણ છે. કર્મ બાંધવાનાં કારણો મળે તો કર્મ બંધાય, અને કર્મ ટાળવાનાં કારણો મળે તો કર્મ ટળે. તરવાના કામી હોય તે ભવસ્થિતિ આદિનાં આલંબન ખોટાં કહે છે. તરવાના કામી કોને કહેવાય ? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના જ કામી કહેવાય.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૪૭
For Personal & Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજસ્વભાવે,
નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે ‘કેવળજ્ઞાન' છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે ‘સમ્યક્ત્વ’ છે. નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે તે ‘ક્ષાયિકસમ્યક્ત્વ, કહીએ છીએ. ક્વચિત મંદ, ક્વચિત તીવ્ર, ક્વચિત વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ‘ક્ષયોપશમ સમ્યક્ત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદાય આવ્યાં નથી, ત્યાં સુધી ‘ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે, તેને ‘સાસ્વાદન સમ્યક્ત્વ’ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે. તેને ‘વેદક સમ્યકૃત્વ' કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ શોક કમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે; અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે ‘સ્વભાવસ્થિતિ' પામે છે નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે ‘કેવળજ્ઞાન' છે.
ō ઉપદેશ છાયા ૧૧ બ
કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમકિતષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમકિતદષ્ટિ જીવને સહજસમાધિ છે. સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પોતાને સહજ સમાધિ છે. બહારનાં કારણોથી તેને સમાધિ નથી.
સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. કોઈ જીવને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી, ન તરાય એવાં આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાંખ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે.
૧૪૮
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
સમવસરણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સમોવસરણ હોય, પણ જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય છે નહીં. જ્ઞાન હોય તો કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ હતા. તેઓ ખાતા, પીતા, બેસતા, ઊઠતા; એવો ફેર નથી, ફેર બીજો જ છે. સમોવસરણાદિના પ્રસંગો લૌકિક ભાવના છે. ભગવાનનું
સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન | પ્રગટ્ય હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ.
વર્તમાનમાં ભગવાન હોત તો તમે માનત નહીં. ભગવાનનું માહાસ્ય છેજ્ઞાન છે. ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં 4
આવે; પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહીં. જેને સંપૂર્ણ ઐશ્વર્ય જ પ્રગટે તેને ભગવાન કહેવાય. જેમ ભગવાન વર્તમાન હોત, અને
તમને બતાવત તો માનત નહીં, તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તો મનાય જ નહીં. સ્વધામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થવા નથી. પછવાડેથી જ
જીવો તેની પ્રતિમાને પૂજે, પણ વર્તમાનમાં પ્રતીત ન કરે. જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં, વર્તમાનમાં થતું નથી.
સમકિતને ખરેખરું વિચારે તો નવમે સમયે કેવલજ્ઞાન થાય; નહીં તો એક ભવમાં કેવળજ્ઞાન થાય; છેવટે પંદરમે ભવે કેવળજ્ઞાન થાય છે
જ. માટે સમકિત સર્વોત્કૃષ્ટ છે. જુદા જુદા વિચારભેદો આત્મામાં છે લાભ થવા અર્થે કહ્યા છે, પણ ભેદમાં જ આત્માને ગૂંચવવા કહ્યા નથી.
દરેકમાં પરમાર્થ હોવો જોઈએ. સમકિતીને કેવળજ્ઞાનની ઇચ્છા નથી !
ચેલાતીપુત્ર કોઈનું માથું કાપી લાવ્યો હતો. ત્યાર બાદ જ્ઞાનીને મળ્યો; અને કહ્યું કે મોક્ષ આપ; નહીં તો માથું કાપી નાખીશ. પછી જ્ઞાનીએ કહ્યું કે બરાબર નક્કી કહે છે ? વિવેક (સાચાને સારુ સમજવું), શમ (બધા ઉપર સમભાવ રાખવો) અને ઉપશમ (વૃત્તિઓને બહાર જવા દેવી નહીં અને અંતવૃત્તિ રાખવી) વિશેષ વિશેષ આત્મામાં પરિણમાવવાથી આત્માનો મોક્ષ થાય છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૪૯
For Personal & Private Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
* જીવ તો સદાય જીવતો જ છે. તે કોઈ વખત ઊંઘતો નથી કે મરતો
નથી; મરવો સંભવતો નથી. સ્વભાવે સર્વ જીવ જીવતા જ છે. જેમ
શ્વાસોચ્છવાસ વિના કોઈ જીવ જોવામાં આવતો નથી, તેમ જ્ઞાનસ્વરૂપ જ ચૈતન્ય વિના કોઈ જીવ નથી.
અનુભવી વૈદ્ય તો દવા આપે પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; સદ્ગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે.
સાચા દેવ અહંત, સાચા ગુરુ નિગ્રંથ, સાચા હરિ રાગદ્વેષ ને ? અજ્ઞાન જેનાં ગયાં છે તે. ગ્રથિરહિત એટલે ગાંઠહરિત. મિથ્યાત્વ તે છે
અંતરગ્રંથિ છે; પરિગ્રહ તે બાહ્યગ્રંથિ છે. મૂળમાં અત્યંતરગ્રંથિ ન - છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. જેની ગ્રંથિ ગઈ છે તેવા કે છેપુરુષ મળે તો ખરેખરું કામ થાય; તેમાં વળી તેના સમાગમમાં રહે, તો ( વિશેષ કલ્યાણ થાય. જે મૂળ ગાંઠ છેદવા શાસ્ત્રમાં કહ્યું છે તે સહુ
ભૂલી ગયા છે; ને બહારથી તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરતાં છતાં જ મુક્તિ થતી નથી તો દુ:ખ વેદવાનું કારણ જે વૈરાગ્ય તે ભૂલી ગયા. દુ:ખ અજ્ઞાનનું છે.
ઉપદેશ છાયા ૧૨ ( : “હું કર્તા,’ ‘હું કરું છું', “હું કેવું કરું છું ?' આદિ જે વિભાવ છે તે જ જ મિથ્યાત્વ. અહંકારતી કરી સંસારમાં અનંત દુ:ખ પ્રાપ્ત થાય; ચારે ગતિમાં રઝળે.
ઉપદેશ છાયા ૧૩ %
પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગોએ, ગમે તે લિંગ કલ્યાણ થાય તે છે.
૧પ૦
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
ઉપદેશ છાયા ૧૪ (. છે જે જ્ઞાનીને આકુળ-વ્યાકુળતા મટી ગઈ છે તેને અંતરંગ પચ્ચખાણ છે [ જ છે. તેને બધાં પચ્ચખાણ આવી જાય છે. જેને રાગદ્વેષ મટી ગયા
છે તેને વશ વર્ષનો છોકરો મરી જાય, તોપણ ખેદ થાય નહીં. - શરીરને વ્યાધિ થવાથી જેને વ્યાકુળપણું થાય છે, અને જેનું કલ્પનામત્ર
જ્ઞાન છે તે પોલું અધ્યાત્મજ્ઞાન માનવું. આવા કલ્પિત જ્ઞાની તે પોલા ! જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન માની અનાચાર સેવી બહુ જ રખડે છે. જો કે છે શાસ્ત્રનું ફળ !
જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ? ઊઘડી જાય; કેટલાંય તાળાં ઊઘડી જાય. કૂંચી હોય તો તાળું ઊઘડે; બાકી પહાણા માર્યું તો તાળું ભાંગી જાય.
જે દઢ નિશ્ચય કરે કે ગમે તેમ કરું, ઝેર પીઉં, પર્વત પરથી પડું, જ કૂવામાં પડું પણ કલ્યાણ થાય તે જ કરું, એનું જાણપણું સાચું. તે જ ! તરવાનો કામી કહેવાય.
છ વ્યાખ્યાન સાર ૧ (૧) પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શકતો નથી. જોગાનુજોગ મળવાથી અકામનિર્જરા કરતો જીવ આગળ વધે છે, ને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબલપણું છે કે
તે ગ્રંથિભેદ કરવામાં મોળો પડી જઈ અસમર્થ થઈ જઈ પાછો વળે આ છે; હિંમત કરી આગળ વધવા ધારે છે; પણ મોહનીયના કારણથી
રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે; અને ઊલટું છે તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે. તેમાંથી જ છે. કોઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામનિર્જરા કરતાં અતિ
મોક્ષમાર્ગ પ્રકાશ
૧પ૧
For Personal & Private Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પોચી કરી આગળ વધી ? જાય છે. જે અવિરતિ સમ્યક્ટષ્ટિનામાં ચોથું ગુણસ્થાનક છે; જ્યાં છે
મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ “બોધ બીજ' છે. ' છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે, અર્થાત્ મોક્ષ થવાનું છે ( બીજ અહીં રોપાય છે.
(૨) આ “બોધબીજ ગુણસ્થાનક'-ચોથા ગુણસ્થાનક-થી તેરમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ એકસરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય 1 કર્મની નિરાવરણતાનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, , કે તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે. છે. (૫) હાલના સમયમાં જૈનદર્શનને વિષે અવિરતિ સમ્યક્રષ્ટિનામાં છે. [ ચોથા ગુણસ્થાનકથી અપ્રમત્તનામાં સાતમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે.
(૮) પાંજરામાં પૂરેલો સિંહ પાંજરાથી પ્રત્યક્ષ જુદો છે, તોપણ બહાર નીકળવાનું સામર્થ્યરહિત છે. તેમ જ ઓછા આયુષના કારણથી જ અથવા સંઘયણાદિ અન્ય સાધનોના અભાવે આત્મારૂપી સિંહ કર્મરૂપી 4 પાંજરાથી બહાર આવી શકતો નથી એમ માનવામાં આવે તો તે છે માનવું કારણ છે.
(૨૧) સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐક્યતા તે મોક્ષ તે સમ્યજ્ઞાન. દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ' ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે.
(૨૯) વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજુ છે, તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારૂં ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અધે શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય
ઉપર
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
જ છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયેલ છે.
(૪૪) ક્યારેય પણ બાદર અને બાહ્યક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી, કારણ કે અમારા આત્માને વિષે તેવો ભાવ કોઈ દિવસ જ સ્વપ્નય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. છે (૫૧) હજુ પણ શંકા કરવી હોય તો કરવી; પણ એટલું તો
ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીના જે પાંચ પદ (જીવ જ છે, તે નિત્ય છે, તે કર્મનો કર્યા છે, તે કર્મનો ભોક્તા છે, મોક્ષ છે.) * છે તે છે, અને મોક્ષનો ઉપાય પણ છે.
(૬૬) સમ્યક્ત્વ અચોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે :-“મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તો પણ મારે તેને
પરાણે મોક્ષે લઈ જવો પડે છે, માટે મને ગ્રહણ કરવા પહેલાં એ 1 વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તો પણ કામ ! છે. આવવાની નથી, મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને છે.
મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તો જ પણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે છે. | મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દઈ મારાથી કે ' વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે ?
તો પણ અર્ધ પુદ્ગલ પરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે ! અર્થાત્ અહીં સમ્યક્ત્વની મહત્તા બતાવી છે.
(૩૭) સમ્યક્ત કેવળજ્ઞાનને કહે છે :- “હું જીવને મોક્ષે પહોંચાડે છે એટલે સુધી કાર્ય કરી શકું છું; અને તે પણ એ જ કાર્ય કરે છે; તું છે. | તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી; તો પછી તારા કરતાં મારામાં . - ન્યૂનતા શાની ? એટલું જ નહીં, પરંતુ તને પામવામાં મારી જરૂર જ [ રહે છે.”
(૭૩) જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, * માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે અભાવના હેતુએ
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૫૩
For Personal & Private Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
ન કરી કર્મબંધ ન થાય તો પણ ઇરિયાપથને વિષે વહેતા ‘ઇરિયાપથની છે - ક્રિયા જ્ઞાનીને લાગે છે; અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ છે. તે ક્રિયા લાગે છે.
(૯૧) પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને ? વિષે રહે છે; અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતાં અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતાં, વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિષે રમણ કરવા - દોડે છે, ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂક્ષ્મભાવે ફરી સમજવા માંડતાં વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે; અને તેમ લાવ્યા પછી વિશેષણપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાન કરી તેટલો તેનો છે. વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે; ત્યારે જાણ્યું હોય ! તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતા વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિષે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગભાવમાં લાવી શાંત કરવામાં આવે છે; અને એ પ્રમાણે વૃત્તિને ? અંતરંગમાં લાવતાં લાવતાં આત્માનો અનુભવ વખતે થઈ જાય છે, અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિષે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે; અને તે પ્રમાણે છે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણોથી ! પદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે.
(૯૪) જીવ કર્મબંધ જે કરે છે, તે દેહસ્થિત રહેલો જે આકાશ તેને જ આ વિષે રહેલાં જે સૂક્ષ્મ પુદ્ગલ તેમાંથી ગ્રહીને કરે છે. બહારથી લઈ . 1 કર્મ બાંધતો નથી. જ (૧૦૧) કોઈ જીવ કંઈ પદાર્થ યોજી મરણ પામે, અને તે પદાર્થની ' છે. યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે, ત્યાં છે
સુધી તેનાથી પાપક્રિયા થયા કરે; તો ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની ! જ પાપક્રિયા ચાલી આવે છે. જો કે જીવે બીજો પર્યાય ધારણ કર્યાથી છે
અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યોજના કરેલી છે તેની તેને
૧૫૪
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
ખબર નથી તોપણ, તથા હાલના પર્યાયને સમયે તે જીવ તે યોજેલા જ પદાર્થની ક્રિયા નથી કરતો તોપણ, જ્યાં સુધી તેનો મોહભાવ વિરતિપણાને
નથી પામ્યો ત્યાં સુધી અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે. * (૧૦૫) મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મળ છે થતું નથી, એટલે જતું નથી, પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તો
અવિરતિપણાને જવું જ જોઈએ એ નિ:સંદેહ છે; કારણ કે મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જતો નથી. મોહભાવ કાયમ છે ત્યાંસુધી અત્યંતર વિરતિપણું થતું નથી, અને પ્રમુખપણે રહેલો એવો ! જે મોહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતપણું રહેતું નથી, અને બાહ્ય જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તો પણ જો અત્યંતર છે તો સહેજે બહાર આવે છે.
(૧૦૮) જો એવી આશંકા કરવામાં આવે કે પાંચ ઇન્દ્રિય અને છે. છઠું મન તથા પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય, એમ બાર પ્રકારે ' વિરતિ આદરવામાં આવે તો લોકમાં રહેલા જીવ અને અજીવરાશિ નામના બે સમૂહ છે તેમાંથી પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય મળી છે જીવરાશિની વિરતિ થઈ, પરંતુ લોકમાં રખડાવનાર એટલે અજીવરાશિ | જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃત્તિપણું આમાં આવતું નથી, જે છે ત્યાં સુધી વિરતિ શી રીતે ગણી શકાય ? તેનું સમાધાન :- પાંચ
ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે છે તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે.
(૧૩૪) સિદ્ધાંત છે તે પ્રત્યક્ષ છે. જ્ઞાનીના અનુભવગમ્યની બાબત છે. છે, તેમાં અનુમાનપણું કામ આવતું નથી. અનુમાન એ તર્કનો વિષય
છે, અને તર્ક એ આગળ જતાં કેટલીક વાર ખોટો પણ પડે; પરંતુ આ - પ્રત્યક્ષ જે અનુભવગમ્ય છે તેમાં કાંઈપણ ખોટાપણું સમાતું નથી.
(૧૬૭) યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત યુજનકરણ અને ગુણકરણ છે. યુજનકરણને ગુણકરણથી ક્ષય કરી જ
શકાય છે.
(
મોક્ષમાર્ગ પ્રકાશ
૧પપ
For Personal & Private Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
જ (૧૯૮) યુજનકરણ એટલે પ્રકૃતિને યોજવી તે. આત્મગુણ જે તે
જ્ઞાન, ને તેનાથી દર્શન, ને તેનાથી ચારિત્ર, એવા ગુણકરણથી યુજનકરણનો ક્ષય કરી શકાય છે. અમુક અમુક પ્રકૃતિ જે આત્મગુણરોધક
છે તેને ગુણકરણે કરી ક્ષય કરી શકાય છે. ' (૧૯૬) આંખ, જીભાદિ ઇન્દ્રિયોની એકેક આંગળ જેટલી જગો
જીતવી જેને મુશ્કેલ થઈ પડે છે, અથવા જીતવું અસંભવિત થઈ પડે છે, તેને મોટું પરાક્રમ કરવાનું અથવા મોટું ક્ષેત્ર જીતવાનું કામ સોંપ્યું છે હોત તો તે શી રીતે બની શકે ? એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે, એ વિચાર તરફ લક્ષ રાખી હાલ તો આસ્તે આસ્તે ત્યાગની કસરત કરવાની જરૂર છે. તેમાં પણ શરીર અને શરીર સાથે સંબંધ રાખતાં સગાંસંબંધીઓના સંબંધમાં પ્રથમ અજમાયશ ! કરવી, અને શરીરમાં પણ આંખ, જીભ અને ઉપસ્થ એ ત્રણે ઇન્દ્રિયોના આ . વિષયના દેશ દેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરાવવાનું છે, અને તેના અભ્યાસથી એકદમ ત્યાગ સુગમતાવાળો થઈ પડે છે.
(૨૦૧) ઘનઘાતી એવાં ચાર કર્મ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, જે આત્માના ગુણને આવરનારાં છે, તે ! એક પ્રકારે ક્ષય કરવા સહેલાં પણ છે. વેદનીયાદિ કર્મ જે ઘનઘાતી નથી ? તોપણ તે એક પ્રકારે ખપાવવા આકરાં છે. તે એવી રીતે કે વેદનીયાદિ કર્મનો ઉદય પ્રાપ્ત થાય તે ખપાવવા સારુ ભોગવવાં જોઈએ; તે ન ! ભોગવવાં એવી ઇચ્છા થાય તોપણ ત્યાં તે કામ આવતી નથી; ભોગવવાં ; જ જોઈએ, અને જ્ઞાનાવરણીયનો ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે એક શ્લોક જે જ્ઞાનાવરણીયના ઉદયથી યાદ રહેતો ન હોય તે બે, ચાર, આઠ, સોળ, બત્રીસ, ચોસઠ, સો અર્થાત્ વધારે વાર ગોખવાથી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અથવા ક્ષય થઈ યાદ રહે છે, અર્થાત્ બળવાન થવાથી તે તે જ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે છે. તેમ જ દર્શનાવરણીય કર્મના સંબંધમાં સમજવું. મોહનીય કર્મ જે મહા જોરાવર તેમ ભોળું પણ છે, તે તરત ખપાવી શકાય છે. જેમ તેની આવણી, વેગ આવવામાં જબ્બર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે
૧૫૬
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
છે, મોહનીયકર્મનો તીવ્ર બંધ હોય છે, તો પણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્યાદિ કર્મ, જેનો પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભોગવવા પડે છે; જ્યારે મોહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે.
(૨૦૫) ‘વિભાવ’ એટલે ‘વિરૂદ્ધભાવ’ નહીં, પરંતુ ‘વિશેષભાવ.’ આત્મા આત્મારૂપે પરિણમે તે ‘ભાવ’ છે, અથવા ‘સ્વભાવ’ છે. જ્યારે આત્મા તથા જડનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ ‘વિશેષભાવે’ પરિણમે તે ‘વિભાવ’ છે. આ જ રીતે જડ ને માટે પણ સમજવું.
(૨૧૯) જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇન્દ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ. આત્મા ઇન્દ્રિયોની સહાય વડે કરી એટલે આંખ, કાન, જીવાદિક વડે જાણે દેખે તે ઇન્દ્રયપ્રત્યક્ષ છે. વ્યાઘાત અને આવરણના કારણને લઈને ઇન્દ્રિયપ્રત્યક્ષ ન હોય તેથી આત્મપ્રત્યક્ષને બાધ નથી. જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે ત્યારે ઇન્દ્રિયપ્રત્યક્ષ સ્વયંમેવ થાય છે, અર્થાત્ ઇન્દ્રિય પ્રત્યક્ષનું જે આવરણ તે દૂર થયે જ આત્મ પ્રત્યક્ષ છે.
(૨૨૨) ધર્મસંબંધી (શ્રી રત્નકદંડ શ્રાવકાચાર) :
આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ.
આત્માનો સ્વભાવ તે ધર્મ.
સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ.
પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ.
સમ્યક્ શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ; ત્યાં બંધનો અભાવ છે. સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન સમ્યક્ચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૧૫૭
Page #181
--------------------------------------------------------------------------
________________
પદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ.
જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. તે 4 આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ છે કરનાર.
આગમ એટલે આપ્ટે કહેલા પદાર્થની શબ્દ દ્વારાએ કરી રચનારૂપ છે છે. શાસ્ત્ર. આપ્તનાં પ્રરૂપ્યાં શાસ્ત્રાનુસાર આચરણ કરવાવાળા, આપ્તના છે. દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્ગુરુ.
સમ્યક્દર્શન એટલે સત્ય આપ્ત, શાસ્ત્ર અને ગુરુનું શ્રદ્ધાનું. ' સમ્યક્દર્શન ત્રણ મૂઢતા કરી રહિત, નિઃશંકાદિ આઠ અંગ સહિત, જે આઠ મદ અને છ અનાયતનથી રહિત છે.
સાત તત્ત્વ અથવા નવ પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યક્દર્શન કહ્યું છે. પરંતુ દોષરહિત શાસ્ત્રના ઉપદેશ વિના સાત તત્ત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય ? નિર્દોષ આપ્ત વિના સત્યાર્થ આગમ શી રીતે પ્રગટ છે થાય ? તેથી સમ્યક્દર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે.
આપ્તપુરુષ ક્ષુધાતૃષાદિ અઢાર દોષરહિત હોય છે. ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે. આપ્ત ભગવાન નિર્દોષ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે.
વ્યાખ્યાન સાર ૨ જ
(૩) 1. ૧૩ : આયુકર્મ પૃથ્વી સમાન છે અને બીજાં કર્મો ઝાડ સમાન છે. .
(જો પૃથ્વી હોય તો ઝાડ હોય) - ૧૪ : આયુષના બે પ્રકાર છે : (૧) સોપક્રમ અને (૨) નિરૂપક્રમ. આ [ આમાંથી જે પ્રકારનું બાંધ્યું હોય તે પ્રકારનું ભોગવાય છે.
૧પ૮
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
૯ : દ્રવ્ય, ધ્રુવ, સનાતન છે.
૧૦ : પર્યાય ઉત્પાદવ્યયવંત છે.
૨૦ : જૈનધર્મનો આશય, દિગમ્બર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે.
(૪)
૩૦ : જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે.
(૬)
૩ : આત્મા છે, આત્મા નિત્ય છે. પ્રમાણો : (૧)બાલકને ધાવતાં ખટખટાવાનું કોઈ શીખવે છે ? પૂર્વાભ્યાસ છે. જે (૨) સર્પ અને મોરને; હાથી અને સિંહને; ઉંદર અને બિલાડીને સ્વાભાવિક વૈર છે. તે કોઈ શિખવાડતું નથી. પૂર્વભવના વૈરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે.
(૧૦)
૨ : મોક્ષમાર્ગ એ અગમ્ય તેમજ સરળ છે.
૧૩ : અમારી આજ્ઞાએ વર્તતાં જો પાય લાગે તો તે અમે અમારે શિરે ઓઢી લઈએ છીએ; કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગ્યાએ કોઈ મૂકે તો કાંઈ તેણે રાજ્યનો ગુનો કર્યો કહેવાય નહી; તેમ રાજા તેનો દંડ કરે નહીં; તેમ મોક્ષનો શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ?
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૧૫૯
Page #183
--------------------------------------------------------------------------
________________
ક ૧૪ : જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાનગુરુએ ક્રિયાઆશ્રયી છે યોગ્યતાનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈ ને કાંઈ બતાવ્યું હોય તેથી મોક્ષ (શાંતિ) નો માર્ગ અટકતો નથી.
(૧૩) છે. ૨ : “મોક્ષમાર્ગશ્ય નેતાર, ભેસ્તારં કર્મભૂભૂતામું
જ્ઞાતાર વિશ્વતત્ત્વાનાં, વંદે તળુણલબ્ધયે.” સારભૂત અર્થ : “મોક્ષમાર્ગશ્ય નેતા', (મોક્ષમાર્ગે લઈ જનાર નેતા) : છે એમ કહેવાથી “મોક્ષ'નું અસ્તિત્વ', “માર્ગ” અને “લઈ જનાર' એ ત્રણ છે વાત સ્વીકારી. જો મોક્ષ છે તો તેનો માર્ગ પણ જોઈએ, અને જો માર્ગ છે તો તેનો દ્રષ્ટા પણ જોઈએ અને જે દ્રષ્ટા હોય તે જ માર્ગે લઈ જઈ જ શકે. માર્ગે લઈ જવાનું કાર્ય નિરાકાર ન કરી શકે, પણ સાકાર કરી શકે, અર્થાત્ મોક્ષમાર્ગનો ઉપદેશ સાકાર ઉપદેષ્ટા એટલે દેહસ્થિતિએ જેણે મોક્ષ અનુભવ્યો છે એવા કરી શકે. “ભેસ્તાર કર્મભૂભૂત્તા (કર્મરૂપ પર્વતને ભેદવાવાળા) અર્થાત્ કર્મરૂપી પર્વતો તોડ્યાથી મોક્ષ હોઈ શકે; એટલે જેણે દેહસ્થિતિએ કર્મરૂપી પર્વતો તોડ્યા છે તે સાકાર કે ઉપદેષ્ટા છે. તેવા કોણ ? વર્તમાન દેહે જે જીવન્મુક્ત છે તે. જે | કર્મરૂપી પર્વતો તોડી મુક્ત થયા છે તેને ફરી કર્મનું હોવાપણું ન હોય. માટે કેટલાક માને છે તેમ મુક્ત થયા પછી દેહ ધારણ કરે એવા જીવનમુક્ત ન જોઈએ. “જ્ઞાતાર વિશ્વતત્ત્વાનાં' (વિશ્વતત્ત્વનાં જાણનાર) એમ કહેવાથી એમ દર્શાવ્યું કે આપ્ત કેવા જોઈએ કે જે સમસ્ત વિશ્વના જ્ઞાયક હોય. ‘વંદે ગુણલબ્ધયે (તેના ગુણની પ્રાપ્તિને અર્થે
તેનેં વંદના કરૂં છું) અર્થાત્ આવા ગુણવાળા પુરુષ હોય તે જ આપ્ત છે છે અને તે જ વંદન યોગ્ય છે.
(૧૮) - ૪ : નિર્જરાનો અસંખ્યાતગુણો ઉત્તરોત્તર ક્રમ છે, સમ્યક્દર્શન છે. પામેલ નથી એવા મિથ્યાદૃષ્ટિ જીવ કરતાં સમ્યફદષ્ટિ અસંખ્યાતગુણી છે. નિર્જરા કરે છે.
૧૬૦
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
(૨૦) છે. ૪ : દશવૈકાલિકમાં પહેલી ગાથા :
धम्मो मंगलमुक्किळं, अहिंसा संजमो तवो;
देवा वि तं नमसंत्ति, जस्स धम्मे सया मणो. એમાં સર્વ વિધિ સમાઈ જાય છે. પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી તેથી એમ સમજવામાં આવે છે કે સ્પષ્ટપણે વિધિ જ બતાવ્યો નથી. - ૬ : સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળા પ્રાણીઓ પોતાનો વૈરભાવ છોડી દઈ શાંત થઈ બેસે છે, એવો શ્રી તીર્થંકરનો જ અતિશય છે.
(૩૦) ૧. મધ્યેષ્ટિ સંકે, સંનો નો રોફ નીવર;
सो बन्धो णायव्वो, तस्स विओगो भवे भेक्खो' અર્થ :- કર્મદ્રવ્યની એટલે પુદ્ગલદ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો છે તે બંધ. તેનો વિયોગ થવો તે મોક્ષ. સમસૂઇસારી રીતે સંબંધ થવો, ખરેખરી રીતે સંબંધ થવો. જેમ તેમ કલ્પના કરી સંબંધ થયાનું માની લેવું તેમ નહીં.
૧૯ : સમ્યગ્દષ્ટિ પુરુષને નાખુદાની માફક પવન વિરુદ્ધ હોવાથી | જ વહાણ મરડી રસ્તો બદલવો પડે છે. તેથી તેઓ પોતે લીધેલો રસ્તો જ
ખરો નથી એમ સમજે છે, તેમ જ્ઞાની પુરુષો ઉદયવિશેષને લઈને વ્યવહારમાં પણ અંતરાત્મષ્ટિ ચૂકતા નથી. 1. આત્યંતર પરિણામ અવલોકન
0 હાથનોંધ - ૧ % (હાથનોંધ-૧, પૃ. ૧) ૧
(૧) શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૬૧
For Personal & Private Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી; તેમ શુદ્ધ નિર્મળ એવું આ જ 4 ચેતન અન્ય સંયોગના તાદાભ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ છે પામતું નથી. યત્કિંચિત્ પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગાદિ કહે છે. (હાથનોંધ-૧, પૃ. ૧૦)
(નેપથ્ય) એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લ્યો પછી બીજી જ વાત કરો.
ઠીક ત્યારે. દર્શન થયું, આનંદ પામ્યો; પણ પાછો ખેદ જન્મ્યો. (નેપથ્ય) હવે ખેદ કાં કરો છો ? મને દર્શન થયું તે શું સમ્યફ હતું ?
હા.' સમ્યફ હોય તો પછી ચક્રવર્યાદિક તે દુ:ખી કેમ દેખાય? દુ:ખી હોય તે દુ:ખી, અને સુખી હોય તે સુખી દેખાય.' ચક્રવર્તી તો દુઃખી નહીં હોય?
જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશેષ જોવું હોય તો ચાલો મારી ! જ સાથે”. છે. ચક્રવર્તીના અંત:કરણમાં પ્રવેશ કર્યો.
અંત:કરણ જોઈને પેલું દર્શન સમ્યક્ હતું એમ મેં માન્યું. તેનું અંત:કરણ બહુ દુઃખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડમાંસમાં તેની વૃત્તિ હતી. કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોઘ, માનનો તે ઉપાસક હતો. બહુ દુઃખ. (હાથનોંધ-૧, પૃ.૧૪) ૫ - ૪થી તે પદ જ સુખરૂપ છે, અને બાકીની જગતવ્યવસ્થા અમે જેમ
માનીએ છીએ તેમ માને છે. તે પદની અંતરંગની તેની અભિલાષા છે.
૧૬૨
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
છે પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી, કારણ થોડો વખત સુધી તેમને
અંતરાય છે. (હાથનોંધ-૧, પૃ.૧૭)
કાયાનું નિયમિતપણું વચનનું સ્યાદ્વાદપણું મનનું ઔદાસીન્યપણું આત્માનું મુક્તપણું
(આ છેલ્લી સમજણ) ! (હાથનોંધ-૧, પૃ. ૧૮) ૭
દ્રવ્ય - હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુકતછું. ક્ષેત્ર - અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. કાળ - અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક
ભાવ - શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. (હાથનોંધ-૧, પૃ. ૨૯) ૧૨
મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોત તો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિછે સબ સરલ હૈ, બિનૂ સમજ મુશ્કીલ; યે મુશકીલી ક્યા કહું? • • • ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; વેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ... .... આપ આપકુ ભૂલ ગયા, ઇનમેં ક્યા અંધેર? સમર સમર અબ હસત છે, નહિ ભૂલેંગે ફેર.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૬૩
[૨
For Personal & Private Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ. હે જીવ! ક્યા ઇચ્છત હવે? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. એસી કહાંસે મતિ ભઈ, આપ આપ હે નાહિં, આપનકું જબ ભૂલ ગયે, અવર કહાંસે લાઈ. આપ આપ એ શોધસેં, આપ આપ મિલ જાય;
આપ મિલન નય બાપકો, ... ... ... જ (હાથનોંધ-૧, પૃ. ૩૫) ૧૪
હોત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર દષ્ટિકી ભૂલ છે, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશી, પરમોત્તમ તિન કાલ; ઇનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. જિન સો હી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ; કર્મ કરે સો જિન વચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ. જબ જાન્યોનિજરૂપકો, તબ જાન્યો સબ લોક, નહિ જાન્યો નિજરૂપકો સબ જાન્યો સો ફોક. એહિ દિશાકી મૂઢતા, હૈ નહિ જિનપે ભાવ; જિનર્સે ભાવબિનુ કબૂ, નહિં છૂટતદુઃખદાવ. વ્યવહારસે દેવ જિન, નિચેસે હૈ આપ; એહિબીનસે સમજ લે,જિનપ્રવચનકીછાપ. એહિ નહીં તે કલ્પના, એહી નહીં વિભંગ,
જબ જાડેંગે આતમા, તબ લાગેંગે રંગ. (હાથનોંધ-૧, પૃ. ૪૭) ૧૯
તે દશા શાથી અવરાઈ ? અને તે દશા વર્ધમાન કેમ ન થઈ ?
૧૬૪
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
આ લોકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રીઆદિ પરિષહનો : છે જય ન કરવાથી.
જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય છે, જ એવો જે જિનનો અભિપ્રાય તે સત્ય છે.
ત્રીસ મહા મોહનીયના સ્થાનક શ્રી તીર્થંકરે કહ્યાં છે તે સાચાં છે.
અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે
જ પરમાત્મા છે. છે (હાથનોંધ-૧, પૃ. ૪૯) ૨૦
કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી; જાણે કોઈ વિરલા યોગી,
કોઈ બ્રહ્મરસના ભોગી. (હાથનોંધ-૧, પૃ. ૫૩) • ૨૩
ચક્ષુ અપ્રાપ્યકારી, મન અપ્રાપ્યકારી.
ચેતનનું બાહ્ય અગમન (ગમન નહીં તે) T (હાથનોંધ૧ પૃ. ૫૫) ૨૪
જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે છે છે, એમ સર્વશે કહ્યું છે તે સત્ય છે.
તે સંયમ, વિચારની તીણ પરિણતિથી તથા બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.
શ્રી તીર્થકર આત્માને સંકોચવિકાસનું ભાજન યોગદશામાં માને છે \ છે, તે સિદ્ધાંત વિશેષે કરી વિચારવા યોગ્ય છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૬૫
For Personal & Private Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
જ (હાથનોંધ-૧ પૃ. ૫૭) રક
ચિદ્ધાતુમય, પરમશાંત અડગ એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર ચિદાનંદઘન તેનું :
ધ્યાન કરો.
જ્ઞા. વ. દિ. વ.
મો.
અં.
ને આત્યંતિક અભાવ પ્રદેશ સંબંધ પામેલાં પૂર્વ નિષ્પન્ન, સત્તા પ્રાપ્ત ઉદયપ્રાપ્ત, ઉદીરણાપ્રાપ્ત
ચાર એવાં ના. ગો. આ. વેદનીય
વેદવાથી અભાવ જેને છે, એવું શુદ્ધ સ્વરૂપ જિન ચિદમૂર્તિ, સર્વ લોકાલોક ભાસક
ચમત્કારનું ધામ. જ (હાથનોંધ-૧, પૃ. ૩૩,૬૪) ૩૨ છે. ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે;
દશ વર્ષે રે ધારા ઊલસી, મો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય.
૧૬૬
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
ઓગણીસર્સે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસર્સે ને બેંતાલીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય. ઓગણીસર્સે ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા,નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય. ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે પંચ રે. ધન્ય.
વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈરે, ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય. યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય.
આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય.
અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય. (હાથનોંધ-૧, પૃ. ૮૭)
૩૭
જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે.
જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.
(હાથનોંધ-૧, પૃ. ૮૯)
૩૮
સર્વસંગ મહાશ્રવરૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે, તે સત્ય છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
१५७
Page #191
--------------------------------------------------------------------------
________________
(હાથનોંધ-૧, પૃ. ૯0) ૩૮
વિભાવયોગ બે પ્રકારે છે : એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદયસ્વરૂપ, અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવસ્વરૂપ.
આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. છે નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો છે.
પરિક્ષણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે. • (હાથનોંધ-૧, પૃ. ૯૪) ૩૯
હું એમ જાણું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળદર્શન-સ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, તો પછી વર્ષ છ માસ કાળમાં આટલો આ વ્યવહાર કેમ નિવૃત્તિ નહીં થઈ શકે ? માત્ર જાગૃતિના ઉપયોગમાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયોગમાં બળને નિત્ય વિચાર્યેથી અલ્પકાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. તો પણ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે જ મારે વિચારવું ઘટે છે એમ માનું છું, કેમકે વીર્યને વિષે કંઈ પણ મંદ | દિશા વર્તે છે. તે મંદ દશાનો હેતુ શો ? * (હાથનોંધ-૧, પૃ. ૧૦૧) ૪૪
હે જીવ ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત !
તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલો બળવાન પ્રારબ્ધોદય દેખાતો ન હોય તો પણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત !
જો કે શ્રી સર્વશે એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતો એવો જીવ પણ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થઈ શકે નહીં, તો પણ તું તે ઉદયનો આશ્રયરૂપ હોવાથી નિજ દોષ જાણી તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા, નિવૃત્ત !
કેવળ માત્ર પ્રારબ્ધ હોય, અને અન્ય કર્મદા વર્તતી ન હોય તો તે
૧૬૮
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે છે, પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંતપર્યત નિષ્ઠાભેદષ્ટિ ન થાય, અને તને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું !
જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુદી શ્રેય એ છે કે, તેને વિષે ત્યાગબુદ્ધિ ભજવી, આ વાત વિચારી હે જીવ! હવે તું અલ્પકાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત ! છે(હાથનોંધ-૧, પૃ. ૧૧૮) ૫૦
ત્રણે કાળમાં જે વસ્તુ જાયંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. કોઈપણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં, સ્વપણાનો ત્યાગ કરી
શકે નહીં. પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવથી) સ્વપરિણામી છે. તે છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે.
જે ચેતન છે, તે કોઈ દિવસ અચેતન થાય નહીં; જે અચેતન છે તે કોઈ દિવસ ચેતન થાય નહીં. (હાથનોંધ-૧, પૃ. ૧૨૪) ૩૦
જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે.
વિષયાર્તપણાથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે; કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હોવાથી પોતાનું પણ અનિત્યપણું ભાસે છે. * છે. (હાથનોંધ-૧, પૃ. ૧૩૩) ૧૪
સિદ્ધ આત્મા લોકાલોક પ્રકાશક છે, પણ લોકાલોકવ્યાપક નથી, વ્યાપક તો સ્વઅવગાહના પ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ઘન છે, એટલે આત્મદ્રવ્ય લોકોલોકવ્યાપક નથી પણ લોકાલોકપ્રકાશક એટલે લોકાલોકજ્ઞાયક છે. લોકાલોક પ્રત્યે
મોક્ષમાર્ગ પ્રકાશ
996
For Personal & Private Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
આત્મા જતો નથી, અને લોકાલોક કંઈ આત્મામાં આવતાં નથી, સર્વે પોતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યાં છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદર્શન શી રીતે થાય છે ?
અત્રે જો એવું દૃષ્ટાંત કહેવામાં આવે કે જેમ આરીસામાં વસ્તુ જે પ્રતિબિંબિત થાય છે, તેમ આત્મામાં પણ લોકાલોક પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તો એ સમાધાન પણ અવિરોધ દેખાતું નથી, કેમકે આરીસામાં તો વિસ્ત્રસાપરિણામી પુદ્ગલરશ્મિથી પ્રતિબિંબિત
|| થાય છે.
આત્માનો અગુરુલઘુ ધર્મ છે, તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જ જાણે છે, કેમકે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં જ
આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મનો અર્થ શું સમજવો ? (હાથનોંધ-૧, પૃ. ૧૮૩) ૮૬
सो धम्मो जथ्थ दया दसठ्ठ दोसा न जस्स सो देवो;
सो हु गुरु जो नाणी आरंभपरिग्गहा विरओ. છે (હાથનોંધ-૧, પૃ. ૩)
અકિંચનપણાથી વિચરતાં એકાંત મનથી જિનસદશ ધ્યાનથી * તન્મયાત્મસ્વરૂપ એવો ક્યારે થઈશ?
જી હાથનોંધ - ૨ % છે (હાથનોંધ-૨, પૃ. ૩) ૧ - રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે. છે (હાથનોંધ-૨, પૃ. ૫) ૨ | સર્વજ્ઞપદનું ધ્યાન કરો.
૧૭૦
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
જ (હાથનોંધ-૨, પૃ. ૧૭)
હે જીવ! સ્થિર દષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી છે | મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. ' હે જીવ ! અસમ્યક્દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે.
સમ્યકુદર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ છે ' થશે. ' હે સમ્યદર્શની ! સમ્મચારિત્ર જ સમ્યક્દર્શનનું ફળ ઘટે છે. આ તે માટે તેમાં અપ્રમત્ત થા. ' જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિનો હેતુ છે.
* હે સમ્મચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય છે | હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે
છે ? કે (હાથનોંધ-૨, પૃ. ૨૧) ૮ છે. દુ:ખનો અભાવ કરવાને સર્વ જીવ ઇચ્છે છે.
દુ:ખનો આત્યંતિક અભાવ કેમ થાય ? તે નહીં જણાવાથી દુ:ખ , ઉત્પન્ન થાય તે માર્ગને દુ:ખથી મુકાવાનો ઉપાય જીવ સમજે છે. '
જન્મ, જરા, મરણ મુખ્યપણે દુ:ખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે : મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ.
પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ, પછી ત્રીજાનો, આ પછી ચોથાનો અને છેવટે પાંચમા કારણનો અભાવ થવાનો ક્રમ છે. મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે.
- મોક્ષમાર્ગ પ્રકાશ
૧૭૧
For Personal & Private Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પણ પૂર્વહેતુથી યોગ હોઈ શકે.
(હાથનોંધ-૨, પૃ. ૨૫)
૯
હે મુનિઓ ! જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. .
જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી.
જ્યાં જીવનાં પરિણામ વર્ધમાન, હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત્ ધ્યાનલીનપણે સર્વ બાહ્યદ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે.
ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું.
વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ પદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.
(હાથનોંધ-૨, પૃ. ૨૭)
એકાંત આત્મવૃત્તિ.
કેવળ એક આત્મા.
કેવળ માત્ર આત્મા.
આત્મા જ.
સહજાત્મા જ.
(હાથનોંધ-૨, પૃ. ૩૧) જિનચૈતન્યપ્રતિમા.
૧૭૨
૧૦
એકાંત આત્મા.
કેવળ એક આત્મા જ
કેવળ માત્ર આત્મા જ.
શુદ્ધાત્મા જ.
નિર્વિકલ્પ, શબ્દાતીત સહજ સ્વરૂપ આત્મા જ .
૧૩
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
સમાધાન
સર્વાંગસંયમ. એકાંત સ્થિર સંયમ. એકાંત શુદ્ધ સંયમ. કેવળ બાહ્યભાવ નિરપેક્ષતા. આત્મતત્ત્વવિચાર. જગતતત્ત્વવિચાર. જિનદર્શનતત્ત્વવિચાર.
બીજાં દર્શન તત્ત્વવિચાર. (હાથનોંધ-૨, પૃ. ૩૨) ૧૪
સ્વપર પરમોપકાર પરમાર્થમય સત્યધર્મ જયવંત વર્તો. આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. ખંડિત છે. સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય દેખાય છે. તે પ્રભાવને વિષે મહતુ અંતરાય છે.
દેશકાળાદિ ઘણા પ્રતિકૂળ છે. છે. વીતરાગોનો મત લોકપ્રતિકૂળ થઈ પડ્યો છે. . રૂઢિથી જે લોકો તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રતીત જણાતો ! નથી, અથવા અન્યમત તે વીતરાગોનો મત સમજી પ્રવર્તે જાય છે.
યથાર્થ વિતરાગોનો મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે. દૃષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે. વેષાદિ વ્યવહારમાં મોટી વિટંબના કરી મોક્ષમાર્ગનો અંતરાય કરી ! બેઠા છે. તુચ્છ પામર પુરુષો વિરાધક વૃત્તિના ધણી અગ્રભાગે વર્તે છે. કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાતતુલ્ય દુ:ખ લાગતું
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૭૩
For Personal & Private Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
જ હોય એમ દેખાય છે. (હાથનોંધ-૨, પૃ. ૩૭) ૧૭
હું અસંગ શુદ્ધચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ. એકાંત શુદ્ધ અનુભવસ્વરૂ૫ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિદ્યાત છું. અચિ ધાતુના સંયોગરસનો આ આભાસ તો જુઓ! આશ્ચર્યવત્ આશ્ચર્યરૂપ ઘટના છે. કંઈ પણ અન્ય વિકલ્પનો અવકાશ નથી.
સ્થિતિ પણ એમ જ છે. [ (હાથનોંધ-૨, પૃ. ૩૯) ૧૮
પરાનુગ્રહ પરમ કારૂણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા
થા.
ચૈતન્ય જિનપ્રતિમા થા. તેવો કાળ છે ? તે વિષે નિર્વિકલ્પ થા. તેવો ક્ષેત્રયોગ છે ? ગવેષ. તેવું પરાક્રમ છે ? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષબળ છે ? શું લખવું ? શું કહેવું ? અંતર્મુખ ઉપયોગ કરીને જો.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ' (હાથનોંધ-૨, પૃ. ૪૫) ૨૦
હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.
આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય
૧૭૪
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
- વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. છે તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રૂચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ
પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતજ્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. ' હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે જ આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. | હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે
આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય - ભક્તિથી નમસ્કાર કરું છું. છે. હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું છે
સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો. * (હાથોંધ-૨, પૃ. ૪૯) ૨૨
બંધવિહારવિમુક્ક, વંદિઅ સિવિદ્ધમાણ જિણચંદ; સિરિવીર જિર્ણ વંદિઅ, કમ્મવિભાગે સમાસઓ વચ્છે;
કીરઈ જિએણ હેઉહિં, જેણં તો ભણએ કમ્મ, કમ્મદબેહિ સમ્મ, સંજોગો હોઈ જોઉ જીવસ્ત;
સો બંધો નાયવો, તસ્સ વિઓગો ભવે મોકખો. છે (હાથનોંધ-૨, પૃ. ૫૧) ૨૩
કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન. મોક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક્દર્શન. દેશ આચરણરૂપે
તે પંચમ ગુણસ્થાનક સર્વ આચરણરૂપે
તે છઠ્ઠ ગુણસ્થાનક અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ તે સપ્તમ ગુણસ્થાનક અપૂર્વ આત્મજાગૃતિ તે અષ્ટમ ગુણસ્થાનક
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૭૫
For Personal & Private Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
સત્તાગત સ્થૂળ કષાય બળ પૂર્વક સ્વરૂપસ્થિતિ તે નવમ ગુણસ્થાનક સત્તાગત સૂક્ષ્મ કષાય બળ પૂર્વક સ્વરૂપસ્થિતિ તે દશમ ગુણસ્થાનક
ઉપશાંત કષાય બળ પૂર્વક સ્વરૂપસ્થિતિ તે એકાદશમ ગુણસ્થાનક આ ક્ષીણ કષાય બળ પૂર્વક સ્વરૂપસ્થિતિ તે દ્વાદશમ ગુણસ્થાનક છે
0 હાથનોંધ - ૩ ૪ (હાથનોંધ-૩, પૃ. ૧૫)
ૐ નમ: સર્વ જીવ સુખને ઇચ્છે છે. દુ:ખ સર્વને અપ્રિય છે ' દુ:ખથી મુક્ત થવા સર્વ જીવ ઇચ્છે છે. વાસ્તવિક તેનું સ્વરૂપ ન જ સમજાવાથી તે દુ:ખ મટતું નથી.
તે દુ:ખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. સમ્યાન વિના વીતરાગ થઈ શકાય નહીં. સમ્યક્દર્શન વિના જ્ઞાન અસમ્યક કહેવાય છે. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યકજ્ઞાન કહીએ છીએ. (હાથનોંધ-૩, પૃ. ૧૭) ૩
સમ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. છે. એ ત્રણેની એકતાથી મોક્ષ થાય.
જીવ સ્વાભાવિક છે. પરમાણું સ્વાભાવિક છે. જીવ અનંત છે. પરમાણું અનંત છે. જીવ અને પુદ્ગલ સંબંધ છે ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. ભાવકર્મનો કર્તા જીવ છે. ભાવકર્મનું બીજું નામ વિભાવ કહેવાય
૧૭૬
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
જ છે. ભાવકર્મના હેતુથી જીવ પુદ્ગલ ગ્રહે છે. તેથી તૈજસાદિ શરીર જ
અને ઔદારિકાદિ શરીનો યોગ થાય છે. (હાથનોંધ-૩, પૃ. ૧૭) ૩
ભાવકર્મથી વિમુખ થાય તો નિજભાવપરિણામી થાય. સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ
છે શકે.
સમ્યગ્દર્શન થવાનો મુખ્ય હેતુ જિનવચનથી તત્ત્વાર્થ પ્રતીતિ થવી , છે તે છે. છે. (હાથનોંધ-૩, પૃ. ૧૯) ૭.
હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું. વ્યવહારદૃષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું. પરમાર્થથી તો માત્ર તે વચનથી વ્યંજિત અનુભવ સ્વરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્ન-ભિન્ન છે ? ભિન્ન, અભિન્ન ભિન્નભિન્ન, એવો અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહારદષ્ટિતી તેનું નિરૂપણ કરીએ છીએ. જગત મારા વિષે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત | જગતસ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છું, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. છે તે બન્ને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નભિન્ન છે.
ૐ શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય. (હાથનોંધ-૩, પૃ. ૨૩) ૮ કે કેવળજ્ઞાન. એક જ્ઞાન.
સર્વ અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૭૭
For Personal & Private Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
કે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. છે નિજસ્વભાવરૂપ છે. સ્વતત્ત્વભૂતછે. નિરાવરણ છે. અભેદ છે. તે
સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે. (હાથનોંધ-૩, પૃ. ૨૪) ૯
હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું. એમ સમ્યક પ્રતીત થાય છે. તેમ થવાના તે હેતુઓ સુપ્રતીત છે.
| સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત જ કરી, યોગને અચલ કરી, ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી
કેવળજ્ઞાન થાય. (હાથનોંધ-૩, પૃ. ૨૯) ૧૧
હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહનાપ્રમાણ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. (હાથનોંધ-૩, પૃ. ૩૫) ૧૩ કે “ઠાંણાંગસૂત્રમાં નીચે દર્શાવેલું સૂત્ર શું ઉપકાર થવા નાખ્યું છે તે છે વિચારો.
એગે સમણે ભગવં મહાવીરે ઇમીએણે ઉસપ્પિણીએ ચઉવીસ તિથ્થયરાણે ચરિમે તિથ્થરે સિદ્ધ બુદ્ધ અને પરિનિવ્વડે સલ્વદુઃખપ્પહાણે! (હાથનોંધ-૩, પૃ. ૩૭)
આવ્યંતર ભાન અવધૂત. વિદેહીવતું. જિનકલ્પીવતું. સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાનસહિત !
૧૭૮
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
3
અવધૂતવત્ વિદેહીવત્ જિનકલ્પીવતુ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.
(હાથનોંધ-૩, પૃ. ૪૩)
(સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે ઇશ્વર)
તે પદ મનુષ્યદેહને વિષે સંપ્રાપ્ત થવા યોગ્ય છે.
સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય.
(હાથનોંધ-૩, પૃ. ૪૫)
૧૮
પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો ?
તે અનુભવમાં જે વિશેષને વિષે ન્યૂનાધિકપણું થાય છે, તે જો મટે તો કેવળ અખંડાકાર સ્વાનુભાવસ્થિતિ વર્તે.
૧૭
ૐ નમઃ સર્વજ્ઞ વીતરાગ દેવ
અપ્રમત્ત ઉપયોગે તેમ થઈ શકે. અપ્રમત્ત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે, તેમ વર્ષે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે.
અવિચ્છિન્ન તેવી ધારા વર્તે તો અદ્ભુત અનંત જ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વર્તે.
(હાથનોંધ-૩ પૃ. ૪૭)
૧૯
સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે ‘બ્રહ્મચર્ય’અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે. (હાથનોંધ-૩, પૃ. ૫૦)
૨૨
સર્વજ્ઞોપદૃષ્ટિ આત્મા સદ્ગુરુકૃપાએ જાણીને નિરંતર તેના ધ્યાનના અર્થે વિચરવું : સંયમ અને તપપૂર્વક –
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
૧૭૯
Page #203
--------------------------------------------------------------------------
________________
(હાથનોંધ-૩ પૃ. પર)
૨૩
અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ
અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ :
અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત ૨સ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદ્ગુરુદેવ
આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તે, જયવંત વર્તો.
(હાથનોંધ-૩ પૃ. ૫૮,૫૯,૬૧)
૨૭
સ્વપર ઉપકારનું મહત્કાર્ય હવે કરી લે ! ત્વરાથી કરી લે !
અપ્રમત્ત થા.
શું કાળનો ક્ષણવા૨નો પણ ભરૂંસો આર્ય પુરુષોએ કર્યો છે ?
હે પ્રમાદ ! હવે તું જા, જા.
અપ્રમત્ત થા
૧૮૦
હે બ્રહ્મચર્ય ! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા.
હે વ્યવહારોદય ! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા; શાંત.
-
હે દીર્ઘસૂત્રતા ! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું, પરિણામ તું શા માટે થવા ઇચ્છે છે ?
હે બોધબીજ ! તું અત્યંત હસ્તામલક્વત્ વર્ત, વર્ત.
હે જ્ઞાન ! તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક.
હે ચારિત્ર ! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર.
હે યોગ ! તમે સ્થિર થાઓ; સ્થિર થાઓ !
હે ધ્યાન ! તું નિજસ્વભાવાકાર થા, નિજસ્વભાવાકાર થા. હે વ્યગ્રતા ! તું જતી રહે, જતી રહે.
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
જ હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ , ક્ષીણ છે થાઓ. અમારે કાંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી.
હે સર્વજ્ઞપદ ! યથાર્થ સુપ્રતીતપણે તે હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. | હે અંસગ નિર્ચતપદ ! તે સ્વાભાવિક વ્યવહારરૂપ થા! હે પરમ કરુણામય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધર્મ ! પ્રસન્ન થા. પ્રસન્ન.
હે આત્મા ! તું નિજસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા ! ! અભિમુખ થા. ૐ
હે વચન સમિતિ ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા જ I ! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ !
ખળભળી રહેલી એવી જે આત્યંતર વર્ગણા તે કાં તો અત્યંતર જ ! કે વેદી લેવી, કાં તો તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી. છે. જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન છે.
થઈ શકે. (હાથનોંધ-૩, પૃ. ૬૩) ૨૭ - ઈસમેવ નિગંધ્યું પાવયણે સચ્ચે અણુત્તર કેવલિયં પડિપૂણસંસદ્ધ છે Pયાયિં સલ્લકાણે સિદ્ધિમગ્ગ મુત્તિમષ્મ વિજ્રાણમષ્મ નિવ્વાણમગ્ગ અવિતહમસંદિઠંસવદુખપહણમમ્પ્સ. એથ્ય ઠિયા જીવા સિઝઝતિ બુઝંતિ ! મુઐતિ પરિસિવાયંતિ સવ્ય દુષ્માણમંત કરંતિ મહા સંમાણાએ તહા ગચ્છામો તહા ચિઠ્ઠામો. શિસિયામો તહા સુયઠામો તહાં ભેજામો તહા ભાસામો તહા અભુટ્ટામો તહાં ઉઠ્ઠાએ ઉદ્દે મોત્તિ પાણાણે ભૂયાણ જ જીવાણું સતાણે સંજમેણે સંજમામોત્તિ. (હાથનોંધ-૩)
૨૯ સર્વ વિકલ્પનો, તર્કનો ત્યાગ કરીને
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૮૧
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #205
--------------------------------------------------------------------------
________________
મનનો વચનનો કાયનો
જય કરીને ઇન્દ્રિયનો આહારનો
નિદ્રાનો નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. જે જે તર્કદિ ઊઠે, તે નહી લંબાવતાં ઉપશમાવી દેવા. (હાથનોંધ-૩)
૩૦ વીતરાગદર્શન સંક્ષેપ મંગલાચરણ શુદ્ધ પદને નમસ્કાર. ભૂમિકા : મોક્ષ પ્રયોજન
તે દુ:ખ મટવા માટે જુદા જુદા મતો પૃથક્કરણ કરી જોતાં તેમાં વીતરાગ દર્શન પૂર્ણ અને અવિરુદ્ધ છે એવું સામાન્ય કથન. તે દર્શનનું ? છે વિશેષ સ્વરૂપ.
તેની જીવને અપ્રાપ્તિ અને પ્રાપ્તિએ અનાસ્થા થવાના કારણો. ૧ મોક્ષાભિલાષી જીવે તે દર્શનની કેમ ઉપાસના કરવી.
આસ્થા – તે આસ્થાના પ્રકાર અને હેતુ. વિચાર - તે વિચારના પ્રકાર અને હેતુ. વિશુદ્ધિ – તે વિશુદ્ધિના પ્રકાર અને હેતુ. મધ્યસ્થ રહેવાનાં સ્થાનક-તેનાં કારણો. ધીરજનાં સ્થાનક-તેનાં કારણો. પતિત થવાનાં સ્થાનક-તેનાં કારણો. ઉપસંહાર. આસ્થા :પદાર્થનું અચિંત્યપણું, બુદ્ધિમાં વ્યામોહ, કાળદોષ.
(૧૮૨)
મોક્ષમાર્ગ પ્રકાશ
For Personal & Private Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
અને શ્રી સોભાગભાઈ
For Personal & Private Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૨
શ્રીમદ્ રાજચંદ્રના પરમ સખા શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૧૮૩
For Personal & Private Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાક્યા, અસુરુમ્મિલિત યેન તસ્મ શ્રી ગુરવે નમ:
,
ધ્યાનમૂલં ગુરુમુર્તિ પૂજામૂલં ગુરુપદમ્ મંત્રમૂલં ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા.
પરમ ગુરુનાં પદકમલ, વંદુ વારંવાર; અંતરચક્ષુ ઉઘડે, સૂઝે સારા વિચાર. સહુ સાધનથી જોગનો, મહિમા ઘણો ઉદાર; જ્ઞાન-દિવાકર ઊગતાં, હરે સકળ અંધકાર
૧૮૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રના પરમસખા પૂ. શ્રી સૌભાગ્યભાઈ
For Personal & Private Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧
શ્રીમદ્દ મળતાં પહેલાંના શ્રી સોભાગ :
સૌરાષ્ટ્રમાં “ભગતનાં ગામ” તરીકે જાણીતા સાયલા ગામમાં શ્રી લલ્લુભાઈ નામે નામાંકિત શેઠ રહેતા હતા. પ્રસંગવશાત્ ધનસંપત્તિ ચાલી જતાં એમણે વિચાર કર્યો કે, મારવાડના સાધુ મંત્રવિદ્યા વગેરેમાં પ્રવીણ કહેવાય છે. તેમાંના કોઈની કૃપાથી સંપત્તિ પુન: પ્રાપ્ત થાય એવી ભાવનાથી મારવાડમાં કોઈ પ્રખ્યાત સાધુની સેવા કરી પ્રસન્ન કર્યા. એકાન્તમાં પોતાની આર્થિક સ્થિતિ જણાવી. તે કંઈક સુધરે એવો ઉપાય બતાવવા વિનંતિ કરી. તે અધ્યાત્મપ્રેમી સાધુએ શેઠ લલ્લુભાઈને
પકો આપતાં કહ્યું “આવા વિચક્ષણ થઈ તમે આત્માની વાત પામવાની ઇચ્છાને બદલે આવી માયાની વાત કરી તે તમને ઘટે નહીં.”
સાધુનો આશય વિચક્ષણ શેઠ લલ્લુભાઈ સમજી ગયા ને “બાપજી મારી ભૂલ થઈ, મારા આત્માનું કલ્યાણ થાય એવું બતાવો એમ | વિનંતિ કરી.
તેમના ઉપર કૃપા કરી તે સાધુએ “બીજજ્ઞાન” સાધન આપ્યું અને જણાવ્યું કે કોઈ યોગ્ય પુરુષને આપશો તો હિતનું કારણ થશે. આ“બીજજ્ઞાન” તેઓશ્રીએ તેમના પુત્ર સોભાગને આપ્યું હતું. મેં
પૂ. શ્રી કૃપાળુદેવને અગિયારમે ગુણસ્થાનકેથી પડવાનો પોતાનો જ અનુભવ થયો હતો એમ તેઓશ્રી જણાવે છે. જેથી આ જ્ઞાનની જરૂર જ હતી તે વિગત તેઓશ્રી તેમના પત્ર નં. ૧૭૦ના છેલ્લેથી ત્રીજા પેરામાં જણાવે છે જે લખાણ અક્ષરશ: નીચે આપેલ છે :
ગુણઠાણાં એ સમજવા માટે કહેલાં છે. ઉપશમ અને ક્ષેપક એ બે જ જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી; ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવના અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવા રૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૧૮૫
For Personal & Private Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
* પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે જ
પડે છે. “આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે.” કોઈ છે શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તો કાંઈ બાધ નથી. તીર્થંકરના ! હૃદયમાં આ વાત હતી. એમ અમે જાણ્યું છે. (પત્રાંક-૧૭૦)
જો કે આગલા ભવમાં તેમને પ્રાપ્તિ હતી, પણ આ ભવમાં તેઓશ્રીને તે વિષે બીલકુલ વિસ્મરણ થઈ ગયું હતું. તેથી શ્રીમદ્ પણ આ અરસામાં તે જ્ઞાનની શોધમાં હતા.
વળી શ્રીમદ્ આ જ્ઞાનની શોધમાં હતા તે બાબત તેમણે શ્રી 4 મનસુખરામ સૂર્યરામ ઉપર લખેલા પત્રોમાંના નીચે બતાવેલ પેરેગ્રાફથી ! ગણાય છે ?
હું અર્થ કે વય સંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી; તોપણ કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારોને અને પુરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું. મારું આ બાલવય જ એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે; તેથી કંઈપણ સમજાયું હોય તો (તે) બે શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી આત્મહિત 1 વિશેષ કરી શકું, એ પ્રયાચના આ પત્રથી છે. (પત્રાંક ઉ૧) છે.
હું મારી નિવાસભૂમિકાથી આશરે બે માસ થયા સત્યોગ, સત્સંગની 1 પ્રવર્ધનાર્થે પ્રવાસરૂપે કેટલાક સ્થળોમાં વિહાર કરું છું. પ્રાયે કરીને તે એક સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન અને સમાગમની પ્રાપ્તિ કરી છે
શકે એમ આગમન સંભવ છે.” --“ધર્મોપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાયે અવશ્ય પડે તેવું છે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે
આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપવો, તેમ રહ્યું છે, જ શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે, અને 200 પ્રત્યક્ષ માર્ગ છે. આ વેળા એ જ શબ્દો મૂકી આ પત્ર વિનયભાવે પૂર્ણ કરું છું. (પત્રાંક ૭૧)
આપણે થોડીવાર તત્ત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરી, આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ, તે સમયમાં
i
૧૮૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
જણાવી જવું યોગ્ય જ છે કે પૂર્ણાહ્લાદકર જેને માન્યું છે. પરમ સુખકર, હિતકર અને હૃદયમય જેને માનેલ છે, તેમ છે, અનુભવગમ્ય છે. તે તો તે જ ગુફાનો નિવાસ છે; અને નિરંતર તેની જ જિજ્ઞાસા છે. અત્યારે કંઈ તે જિજ્ઞાસા પૂર્ણ થવાનાં ચિહ્ન નથી. તો પણ ક્રમે, એમાં આ લેખકનો પણ જય થશે એવી તેની ખચીત શુભાકાંક્ષા છે. અને તેમ અનુભવગમ્ય પણ છે. અત્યારથી જ જો યોગ્ય રીતે ક્રમની પ્રાપ્તિ હોય તો, આ પત્ર લખવા જેટલી ખોટી કરવા ઇચ્છા નથી; પરંતુ કાળની કઠિનતા છે; ભાગ્યની મંદતા છે; સંતોની કૃપાદૃષ્ટિ દષ્ટિગોચર નથી. સત્સંગની ખામી છે : ત્યાં કંઈ જ... (પત્રાંક ૮૩)
અને આ જ પેરાનો નીચેનો પેરો પણ ઉપરના જ ભાવાર્થવાળો, જીજ્ઞાસાવાળો પેરા છે, જે વાંચી ખાત્રી કરશો.
“આપની પાસે કોઈ કોઈ વાર આવવામાં પણ એક જ એ જ વિષયની જીજ્ઞાસા છે. ઘણા વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તો એક શંતિ છે. કોઈ પણ વાટે કલ્પિત વાસનાઓનો નાશ થઈ યથાયોગ્ય સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઇચ્છા નથી; પણ વ્યવહાર પરત્વે કેટલીક ઉપાધી રહે છે, એટલે સત્સમાગમનો અવકાશ જોઈએ તેટલો મળતો નથી; તેમ જ આપને પણ તેટલો વખત આપવાનું કેટલાક કારણોથી અશક્ય સમજુ છું; અને એ જ કારણથી ફરી ફરી અંતઃકરણની છેવટની વૃત્તિ આપને જણાવી શકતો નથી; તેમ જ તે પરત્વે અધિક વાતચીત થઈ શકતી નથી. એ એક પૂણ્યની ન્યૂનતા; બીજુ શું ? (પત્રાંક ૧૨૦)
(ટૂંકમાં આ આખો પત્ર તેની જ ખાત્રી આપે છે.)
શ્રીરામને જેમ મહાનુભાવ વસિષ્ઠ ભગવાને આ જ દોષનું વિસ્મરણ કરાવ્યું હતું તે કોણ કરાવે ? અર્થાત્ શાસ્ત્રનો ભાષાભ્યાસ વિના પણ ઘણો પરિચય થયો છે. ધર્મના વ્યાવહારિક જ્ઞાતાઓનો પણ પરિચય થયો છે. તથાપિ આ આત્માનું આનંદાવરણ એથી ટળે એમ નથી. માત્ર સત્સંગ સિવાય યોગસમાધિ સિવાય ત્યાં કેમ કરવું ? આટલું પણ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
૧૮૭
Page #215
--------------------------------------------------------------------------
________________
દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યોદયે આપ મળ્યા કે જેને એ જ રોમે રેમે રુચિકર છે.” (પત્રાંક ૧૨૭)
ઉપરના લખાણથી સુજ્ઞ મુમુક્ષુભાઈઓ વિચા૨શે તો શ્રીમદ્જી પણ “બીજજ્ઞાન”ની પ્રાપ્તિની શોધમાં હતા. નીચેના પત્રો વિચારશો તો શંકાને સ્થાન રહેશે નહીં.
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુ:ખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્, સત્ નિરુપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; સમ્યક્ જ્યોતિર્મય ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે !
જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કખા, વિતિગિરછા, મૂઢદૃષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. (પત્રાંક ૯૧)
હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છઠ્ઠું સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુરનગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપ નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુદ્દગલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇંદ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર) (પત્રાંક ૧૫૭ (૩))
શ્રી સોભાગભાઈ એ શ્રીમદ્જીને તે બીજજ્ઞાનની સવંત ૧૯૪૬ના બીજા ભાદરવા માસમાં વવાણિયા મુકામે વાત કરી ત્યારે પૂ. કૃપાળુદેવને જે વિસ્મરણ થઈ ગયેલ હતું તેનું સ્મરણ થયું [હાથનોંધ ૨જી. પૃ. ૪૫] અત્યંતર પરિણામ અવલોકન-૨૦ છેલ્લી ૨ લીટી-“હે શ્રી
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૧૮૮
For Personal & Private Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
* સૌભાગ ! તારા સસમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું ? છે તે અર્થે તને નમસ્કાર હો.”
શ્રીમદ્જીને તે જ્ઞાનથી બે-અઢી માસમાં જે ઉઘાડ થયો, જે આનંદ થયો તે ઉલ્લાસ શ્રીમદ્જીએ તેમના જ શબ્દોમાં મુંબઈથી કારતક જ સુદ પને સોમવાર સવંત ૧૯૪૭ના પત્ર નં. ૧૦પમાં નીચે મુજબ * જણાવેલ છે : પરમ પૂજ્ય કેવળબીજસંપન્ન,
સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ, મોરબી. આપના પ્રતાપે અત્ર આનંદવૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે.
ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે, તથાપિ એમાંય ? _ અપલક્ષણ કાંઈ ઓછા નથી ! વિચિત્ર કરવું એ જ એની લીલા !
ત્યાં અધિક શું કહેવું ?
સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. આ - એ જ્ઞાનની દિનપ્રતિદિન આ આત્માને વિશેષતા થતી જાય છે. હું ધારું છે
છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની જ છે. આપણને કાંઈ જરૂર નથી. નિ:શંકપણાની, નિર્ભયપણાની, તે 1 નિર્મઝનપણાની અને નિ:સ્પૃહપણાની જરૂર હતી. તે ઘણે અંશે પ્રાપ્ત !
થઈ જણાય છે; અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત [ રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથીયે અલૌકિક | દશાની ઇચ્છા રહે છે, ત્યાં વિશેષ શું કહેવું ?
અનહદ ધ્વનિમાં મણા નથી, પણ ગાડીઘોડાની ઉપાધી શ્રવણનું સુખ થોડું આપે છે. નિવૃત્તિ વિના અહીં બીજું બધુંય લાગે છે.
જંગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. ' છે આપની કૃપા ઇચ્છું છું.
લિ. આજ્ઞાંકિત રાયચંદનાં પ્રણામ !
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૧૮૯
For Personal & Private Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
આ પત્રમાંના શ્રીમદજીના એક એક શબ્દથી તેઓએ શ્રી સોભાગભાઈ પ્રત્યેનો પોતાનો ઉત્કૃષ્ટ અહોવ, આદરભાવ અને પૂજ્યભાવ જે રીતે વ્યક્ત કર્યો છે તેને જરા ઊંડાણથી- વિસ્તારથી વિચારતાં આપણને જે પણ એનો આનંદ આવે તેમ છે.
શ્રીમદ્જીના વચન : ૧. “પરમપૂજ્ય”:
પરમ-પૂજ્ય કોને લખાય કે એનાથી વધારે પૂજનીય બીજું કોઈ છે નથી. તે શબ્દ સમૂહનો વિચાર કરશો. ૨. “કેવળબીજ સંપન્ન”: - શ્રી સોભાગ પાસે કેવળજ્ઞાનના બીજની પ્રાપ્તિ હતી એમ શ્રીમદ્જીની છે શ્રદ્ધા આથી વ્યક્ત થાય છે. ૩. “સર્વોત્તમ ઉપકારી શ્રી સોભાગ્યભાઈ"?
શ્રીમદ્જી ઉપર શ્રી સૌભાગ્યભાઈએ કેવો મોટો ઉપકાર કર્યો છે છે તેની મહત્તા તેઓશ્રીએ ઉપરના શબ્દ સમૂહથી વ્યક્ત કરી દીધી છે. છે. ૪. “આપના પ્રતાપે અત્રે આનંદવૃત્તિ છે” :
આપના પ્રતાપે એટલે શ્રી સૌભાગ્યભાઈએ જે બીજ જ્ઞાન સ્મરણ ' કરાવ્યું તેના પ્રતાપે શ્રીમદ્જીને આનંદ આનંદ વર્તી રહ્યો છે.
- પ. “સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા ? છે. છે. એ જ્ઞાનની દિનપ્રતિદિન આ આત્માને વિશેષતા થતી જાય છે.” : છે.
ઉપરના વાક્યથી એમ સાબિત થાય છે કે તીર્થકરો અથવા મહાજ્ઞાનીઓ શ્રી સૌભાગ્યને જે બીજજ્ઞાન પ્રાપ્ત છે તેનું જ મહાભ્ય ગાઈ ગયા છે અને શ્રીમદ્જી સાથે જણાવે છે કે એ જ્ઞાન (બીજજ્ઞાન)ની આ આત્માને વિશેષતા થતી જાય છે.
૧૯૦
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
૬. “કેવળજ્ઞાન સુધીની મહેનત કરેલી તો અલેખે નહીં જાય છે મોક્ષની આપણને તો કાંઈ જરૂર નથી. નિ:શંકપણાની, નિર્ભયપણાની, નિર્મઝનપણાની અને નિ:સ્પૃહપણાની જરૂર હતી તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે” :
ઉપરના વાક્યથી શ્રીમદ્જીને કેટલો ઉન્માદ આવી ગયો છે કે તે મોક્ષની પણ જેને સ્પૃહા રહી નથી. આવાં તે જ્ઞાન (બીજજ્ઞાન) પ્રત્યે 8 અહો ભાવ પ્રગટ કરેલ છે.
૭. અનહદ ધ્વનિમાં મણા નથી પણ ગાડીઘોડાની ઉપાધી શ્રવણનું 1 સુખ થોડું આપે છે.” જે તે જ્ઞાન (બીજજ્ઞાન)થી શ્રીમદ્જીને પ્રગટ થયેલા અનહદ નાદના ' છે. શ્રવણનો આનંદ મુંબઈના ગાડી ઘોડાના અવાજથી શ્રવણમાં ભંગ ' કરે છે.
શ્રીમદ્જીએ શ્રી સૌભાગ્યને, તેઓ જ્યાં અટકેલા હતા ત્યાંથી ઊંચા લઈ, મહાન ઉપકાર શ્રી સૌભાગ્ય ઉપર પણ કરેલ છે. તેથી એમ
સાબિત થાય છે કે બન્ને મહાપુરુષોએ એકબીજા ઉપર અનન્ય ઉપકારો જ કરેલા છે. - શ્રીમદ્જીને જે બીજજ્ઞાન શ્રી સૌભાગ્ય પાસેથી સાંભળી મરણ થયું તેનો બીજો પત્ર નં. ૧૭૦ મુંબઈથી કારતક સુદી ૧૪ ૧૯૪૭નાં બીજા પેરામાં નીચે મુજબ તેમના જ શબ્દમાં જણાવે છે :
આત્મા જ્ઞાન પામ્યો એ તો નિ:સંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે. જે સુલભ છે. અને તે પામવાનો હેતું પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું
અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં; અવલોકન છે. સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં; “તું િતુંહિ” વિના બીજી 4
રટના રહે નહીં; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે * વિકલ્પનો અંશ રહે નહીં. એકવાર જો યથાયોગ્ય આવી જાય તો પછી જ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૧૯૧
For Personal & Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહારવિહાર કરાય, તથાપિ તેને કોઈ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે.
શ્રીમજીએ, શ્રી સૌભાગ્યભાઈને, મુંબઈ પો. સુ. ૫. ૧૯૪૭ના પત્ર નં. ૧૮૯માં એક ગાથા નીચે મુજબ લખી છે તે બીજજ્ઞાનના ભાવાર્થવાળી છે :
“અલખનામ ધુનિ લગી ગગનમેં, મગન ભયા મન મેરા જી; આસન મારી સુરત દઢ ધારી, દિયા અગમ ઘર ડેરા જી.”
શ્રીમદ્ભુએ, શ્રી સૌભાગ્યભાઈને મુંબઈ મહા સુ. ૯ મંગળવાર ૧૯૪૭ના પત્ર નં. ૧૯૭માં બીજા પેરામાં બીજજ્ઞાનનો ઉલ્લેખ કરેલો છે. તે તેમના શબ્દમાં નીચે મુજબ છે :
જ્ઞાનના ‘પરોક્ષ-અપરોક્ષ' વિષે પત્રથી લખી શકાય તેમ નથી; પણ ‘સુધાની ધારા’ પછીનાં કેટલાક દર્શન થયા છે, અને જો અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે.
શ્રીમદ્જી તેના પત્ર નં. ૨૪૭ મુંબઈ વૈશાખ વદી ૮ રવિવાર ૧૯૪૭ના શ્રી સૌભાગ્યભાઈ ઉપરના બીજજ્ઞાન માટે ત્રીજા પેરામાં તેમના જ શબ્દોમાં નીચે પ્રમાણે લખે છે :
જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થયા પછી હિર પ્રત્યે અતિશય લય થઈ છે. અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જેવે રૂપે ઇચ્છીએ તેવે રૂપે હિર... આવશે, એવો ભવિષ્યકાળ ઈશ્વરેચ્છાને લીધે લખ્યો છે.
શ્રી સૌભાગ્યભાઈને બીજજ્ઞાનની પ્રાપ્તિ હોવા છતાં તે આગળ વધવામાં અટકેલ હોવાથી શ્રીમદ્ભુના તે જ પત્રના પાંચમાં પેરામાં પહેલી ચાર લીટી પછી શ્રીમદ્જીએ તેમના જ શબ્દમાં નીચે મુજબ જણાવ્યું છે :
૧૯૨
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
* બીજું મોટું આશ્ચર્યકારક તો એ છે કે આપ જેવાને સમ્યકજ્ઞાનના
બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો ? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઇએ તેટલો કેમ વર્ધમાન નથી હોતો ? એનું જો કોઈ કારણ સમજાતું હોય તો લખશો.
શ્રી સૌભાગ્યભાઈ ઉપરના શ્રીમદ્જીના પત્ર નં. ૨૫૮ મુંબઈ અષાઢ ૧૯૪૭ના પત્રમાં બીજજ્ઞાનવાળું એક પદ નીચે મુજબનું તેમનાં શબ્દોમાં લખેલ છે. તે ખૂબ ખૂબ વિચાર કરી. મનન કરી તેમાં ઊંડુ ઉતરવા * જેવું છે :
બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત. ૧ બૂઝી ચહત જો પ્યાસકો. હૈ બૂઝનકી રીત; પાવે નહીંગુરુગમબિના, એહી અનાદિસ્થિત. ૨ એહિ નહિ હૈ કલ્પના, એહિ નહિ વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું. પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.૪ જપ, તપ,ઓરવ્રતાદિસબ,તહાંલગીભ્રમરૂ૫; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી યે બાત હૈ. નિજ છંદનો છોડ;
પિછે લાગ સત્પષકે, તો સબ બંધન તોડ. ૩ શ્રી સૌભાગ્યભાઈ ઉપર શ્રીમદ્જીએ પત્ર નં. ૨૫૯. મુંબઈ શ્રાવણ સુદ ૧૧ બુધવાર ૧૯૪૭ના રેશા નં. ૫-૬-૭માં બન્ને મહાપુરુષોએ અન્યોન્ય ઉપર જે મહાન ઉપકાર કર્યો છે તે તેમના જ શબ્દોમાં નીચે જણાવેલ છે. જે વિચારશો :
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૧૯૩
For Personal & Private Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
“જ્ઞાનધારા' સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતનાં સમાગમમાં થોડો પણ કહીશું; અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે.
તમે અમારા માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા જ છે (અથાગ) ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે. ' તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ ?
પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; - હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને એ જ અમે મોટો ભાગ્યોદય
માનીશું. * શ્રી સૌભાગ્યભાઈએ ખંભાત નિવાસી અંબાલાલભાઈને બીજજ્ઞાનની આ 1 પ્રાપ્તિ માટે શ્રીમજીને જે ભલામણ કરી છે તેનો જવાબ પણ તે જ પત્રનાં છેલ્લા પેરામાં આપ્યો છે તે તેમના જ શબ્દમાં નીચે પ્રમાણે છે :
ખંભાતવાસી જોગ્યતાવાળા જીવ છે એમ અમે જાણીએ છીએ; પણ છે હરિની ઇચ્છા હજુ થોડો વિલંબ કરવાની દેખાય છે. આપે દોહરા છે. વગેરે લખી મોકલ્યું તે સારું કર્યું. અમે તો હાલ કોઇની સંભાળ લઈ શકતા નથી.
શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરભાઈ ગોશળીઆ, આ બંને ભાઇઓને તેઓ જ્યાં અટકેલા હતા ત્યાંથી આગળ વધારવા માટે શ્રીમદ્જીએ - તેના પત્ર નં. ૨૦૮, મુંબઈ માગશર સુદી ૧૪ ને (ભોમ) ૧૯૪૮માં બીજા પેરામાં નીચે પ્રમાણે લખેલ છે :
બન્ને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો; મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવી.
સુધાને વિષે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો, અને છે ત્યારે જ ફળ છે. છે શ્રીમદ્જીએ શ્રી સૌભાગ્યભાઈને બીજજ્ઞાન (બોધબીજ)નું મહાત્મા
૧૯૪
( શ્રી સોભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
જ તેમના પત્ર નં. ૩૬૦, મુંબઈ ચૈત્ર વદ, ૧૨ રવિવાર ૧૯૪૮ ના છે. પહેલા પેરામાં નીચે મુજબ લખેલ છે :
જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણે વર્તે છે, અને વિષય છેપ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. - શ્રીમદ્જીએ સૌભાગ્યભાઈને સુધારસ માટેનું અપૂર્વ મહાસ્ય જણાવતો
એક ખુલ્લો પત્ર નં. ૪૭૧ મુંબઈ, આસો સુદ ૫, શનિવાર, સંવત - ૧૯૪૯માં નીચે મુજબ લખેલ છે :
આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ થવા માટે જ સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક અપૂર્વ આધાર છે; માટે કોઈ રીતે તેને બીજજ્ઞાન કહો તો હરકત નથી; માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ, કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ છે જાણનાર હોવો જોઇએ.
દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં, પણ તે ક્યારે ? સ્વદ્રવ્ય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવે યથાવસ્થિત સમજાયે. સ્વદ્રવ્ય સ્વરૂપ પરિણામે પરિણમી અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ, કૃતકૃત્ય થયે કંઈ કર્તવ્ય રહેતું નથી; એમ ઘટે છે, અને I એમ જ છે.
ઉપરનો પત્ર સૌભાગ્યભાઈને મળતા શ્રી સૌભાગ્યભાઈએ શ્રીમદ્જીને છે એમ લખ્યું જણાય છે કે ખુલ્લા કાગળમાં સુધારસ વિષે કેમ લખ્યું ? ( તેનો જવાબ શ્રીમદ્જીએ, મુંબઈ આસો સુદ ૯ બુધવાર સં. ૧૯૪૯ના ! ( પત્ર નં. ૪૭રમાં તે જ્ઞાન વિષેનું વિવેચન ખૂબ જ લંબાણપૂર્વક કરેલ છે છે. આ પત્ર ખૂબ જ સ્થિર ચિત્તે ફરી ફરી વિચારવા યોગ્ય છે. તે
પત્રના પહેલા બે પેરા ખૂબ જ ઉપયોગી હોવાથી નીચે આપેલા છે :
૧૯૫
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા) '
For Personal & Private Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
કે ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે સ્પષ્ટ લખ્યું હતું, તે ચાહીને આ લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં એમ જાણીને લખ્યું હતું. કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જો તે વાત વાંચવામાં
આવે તો કેવલ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને . [ કે જે પુરુષે આ વાક્યો લખ્યાં છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા | * છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે, છે એમ જાણી તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય. કદાપિ એમ ધારીએ છે કે તેને કંઈ કંઈ સંજ્ઞા તે વિષેની થઈ હોય, અને આ સ્પષ્ટ લખાણ જ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞા થઈ પોતાની મેળે તે નિર્ધારમાં આવી
જાય. પણ તે નિર્ધાર એમ થતો નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં, અને તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય છે કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તો સારું. તો તે પ્રકારે પણ જે છે
પુરુષે લખ્યું છે તે પ્રત્યે તેને ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે છે. - ત્રીજો પ્રકાર એમ સમજવા યોગ્ય છે કે પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ સરુષનો-સત્સંગ જેને આજ્ઞાંકિતપણે
થયો નથી, તેને સમજાવો દુર્લભ થાય છે, એમ તે વાંચનારને સ્પષ્ટ જ જાણવાનું ક્યારેય પણ કારણ થાય. જો કે અમે તો અતિ સ્પષ્ટ લખ્યું કે [ ન હતું તો પણ તેમને એવો કંઈ સંભવ થાય છે; પણ અમે તો એમ
ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય, તો પણ ઘણું કરી સમજાતું નથી. અથવા વિપરીત સમજાય છે, અને પરિણામે પાછો વિક્ષેપ ઉત્પન્ન થઈ સન્માર્ગને વિષે ભાવના થવાનો સંભવ થાય છે. એ પત્તામાં * અમે ઇચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું. છે તે જ પત્રના ચોથા પેરામાં શ્રીમદ્જીએ તે બીજજ્ઞાન માટે સાફ કરી સાફ અભિપ્રાય આપ્યો છે તે તેમના શબ્દોમાં નીચે પ્રમાણે છે : |
બીજો અમારો આશય તે જ્ઞાન વિષે લખવાનો વિશેષપણે અત્ર 1 લખ્યો છે. જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે જ અને વેદનપણે અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે
૧૯૬
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
છે, તે જ્ઞાનીપુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ-પરમાર્થસ્વરૂપ છે.
તે જ પત્રમાં તે જ્ઞાન વિષે ચાર ભાંગા પાડીને કૃપાળુદેવે અપૂર્વ સમજણ પ્રાપ્ત થાય તે રીતે સમજાવ્યું છે. તે ચાર ભાંગામાંનો પહેલો ભાંગો ઉપર દર્શાવેલ છે (કૃપાળુદેવના શબ્દમાં). અને અમો નિશ્ચયથી દૃઢતાપૂર્વક કહી શકીએ છીએ કે તે જ્ઞાન અને તેવા જ્ઞાનીપુરુષો આ કાળમાં છે તેવો અમારો અનુભવ છે.
તે જ્ઞાન સંબંધી શ્રીમદ્જીએ તેમના સૌભાગ્યભાઈ ઉપરના મુંબઈ શ્રાવણ વદી ૦)) ગુરુવાર સં. ૧૯૫૦ના પત્ર નં. ૫૨૦ના ત્રીજા પેરામાં જે જણાવ્યું છે તે નીચે મુજબ છે :
જે મુખરસ સંબંધીના જ્ઞાન વિષે ‘સમયસાર’ ગ્રંથના કવિતાદિમાં તમે અર્થ ધારો છો તે તેમ જ છે, એમ સર્વત્ર છે, એમ કહેવા યોગ્ય નથી. બનારસીદાસે ‘સમયસાર’ ગ્રંથ હિન્દી ભાષામાં કરતાં કેટલાક કવિત, સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે; અને તે કોઈ રીતે ‘બીજજ્ઞાન’ને લગતી જણાય છે.
સદર પત્રમાં સૌભાગ્યભાઈએ કૃપાળુદેવને પૂછેલા પ્રશ્નના જવાબમાં કૃપાળુદેવે તેઓશ્રીના પત્ર નં. ૫૨૦માં બનારસીદાસના “સમયસાર”માં બીજજ્ઞાન વિષે કેટલીક સમજણ આપેલ છે તે પત્ર વાંચકવર્ગે ફરીફરી વાંચવા, વિચારવા, સમજવા યોગ્ય છે.
કૃપાળુદેવે સૌભાગ્યભાઈને તેમના પત્ર નં. ૫૮૫માં સુધારસ (બીજજ્ઞાન) વિષે ત્રીજા પેરામાં નીચે મુજબ લખેલ છે :
નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધા૨સ, સન્સમાગમ, સત્શાસ્ત્ર, સદ્વિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે.
શ્રીકૃપાળુદેવને જે બીજજ્ઞાન શ્રી સોભાગ્યભાઈ પાસેથી સ્મૃત થયેલું તે જ્ઞાન મુની લલ્લુજી તથા મુમુક્ષુ અંબાલાલભાઈને ખૂબ જ તાવીને
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
૧૯૭
Page #225
--------------------------------------------------------------------------
________________
પરિપકવ દશા કરાવીને પ્રાપ્તિ કરાવેલ અને સાથે સાથે બંને વ્યક્તિઓને આ જ્ઞાન કોઈને ન આપવા આજ્ઞા કરેલ. કૃપાળુદેવે તેમના પત્ર નં. છે ૯૧૭માં મુનીને જણાવેલ છે કે :
આ જે દશાઆદિ સંબંધી જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં. તે સફળ થશે.”
ચતુરાંગુલ હૈ દગસેં મિલ હૈ - એ આગળ ઉપર સમજાશે.”
એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ છે ફરીવળે છે. - શ્રી કૃપાળુદેવે સૌભાગ્યભાઈને સુધારસ (બીજ જ્ઞાન) શ્રી ,
અંબાલાલભાઈને પ્રાપ્ત કરાવવાની ભલામણ કરી છે તે પત્ર નં. 1 છે પ૯૨, મુંબઈ વૈશાખ સુદી સં. ૧૯૫૧ના પત્રનાં પહેલા પેરામાં તેમના જ જ શબ્દોમાં નીચે મુજબ આપેલ છે :
શ્રી અંબાલાલભાઈ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર જો તમને પ્રાપ્ત થાય તો કરશો.
શ્રી કૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈ ઉપર પત્ર નં. ૩૨૩, મુંબઈ શ્રાવણ સુદ-૨ બુધ સં. ૧૯૫૧માં જે વાક્ય લખ્યું છે તે પરથી જણાઈ આવે છે કે શ્રીમદ્જીના હૃદયમાં સૌભાગ્યભાઈનું સ્થાન કેવું હતું ! તે જ જ પત્રના પેરા નં. રની પહેલી ૩ લીટી બાદ તેમના જ શબ્દો નીચે છે મુજબ છે :
વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઇચ્છા રહે છે. તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય, એવી બીક રહે છે. હાલ આપની ઇચ્છાનુસાર સમાગમ માટે તમે, શ્રી ડુંગર તથા શ્રી છે. લહેરાભાઈનો આવવાનો વિચાર હોય તો એક દિવસ મૂળી રોકાઇશ, અને બીજે દિવસે જણાવશો તો મૂળીથી જવાનો વિચાર રાખીશ, વળતી વખતે સાયલા ઉતરવું કે કેમ તેનો તે સમાગમમાં તમારી
૧૯૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
ઇચ્છાનુસાર વિચાર કરીશ.
પરમકૃપાળુદેવને શ્રી સૌભાગ્યભાઈ ઉપર કેવો પ્રેમભાવ, ભક્તિભાવ અને પૂજ્યભાવ હતો, જે નીચેના સંબોધનોથી જણાશે. શ્રીમના પત્રોમાં શ્રી સૌભાગ્યભાઈ માટેના સંબોધનો : સં. ૧૯૪૭ના પત્રોમાં :
“આત્મવિવેકસંપન્ન.” ‘સૌભાગ્યમૂર્તિ સૌભાગ્ય.’
સં. ૧૯૪૭ના પત્રોમાં :
‘પરમ પૂજ્ય’ ‘કેવળબીજ સંપન્ન સર્વોત્તમ ઉપકારી’, ‘પરમ પૂજ્યશ્રી’, ‘જીવનમુક્ત’, ‘સૌભાગ્યમૂર્તિ’, ‘મહાભાગ્ય’, ‘શાંતમૂર્તિ’, ‘પરમવિશ્રામ’, ‘સ્વમૂર્તિરૂપ શ્રી સૌભાગ્ય.’
સં. ૧૯૪૮ના પત્રોમાં :
‘સ્મરણીય શ્રી સુભાગ્ય’, ‘હૃદયરૂપ’, ‘આત્મસ્વરૂપ’, ‘વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય’, ‘સ્મરણરૂપ મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય', પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી ‘સુભાગ્ય’, ‘મુમુક્ષુ જનને પ૨મ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણાષ્ટિ છે જેની એવા નિષ્કામ ભક્તિમાન શ્રી સુભાગ્ય.’
સં. ૧૯૪૯ના પત્રોમાં :
‘મુમુક્ષુ જનના પરમ વિશ્રામરૂપ’, ‘મુમુક્ષુ જનના પરમ બાંધવ, પરમસ્નેહી શ્રી સોભાગ.’
સં. ૧૯૫૦ના પત્રોમાં :
‘મુમુક્ષુ જનના પરમહિતસ્વી, મુમુક્ષુ પુરુષ શ્રી સોભાગ.’ ‘સત્સંગ યોગ્ય, પ૨મસ્નેહી શ્રી સોભાગ’, ‘પૂજ્ય શ્રી.’
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
૧૯૯
Page #227
--------------------------------------------------------------------------
________________
સં. ૧૯૫૧ના પત્રોમાં ?
શ્રી સોભાગ”, “ઉપકારશીલ શ્રી સોભાગ”, “આર્યશ્રી’, ‘શાશ્વતમાર્ગ નૈષ્ઠિક', “સત્સંગ નૈષ્ઠિક શ્રી સોભાગ”, “પરમાર્થ નૈષ્ઠિકાદિ ગુણ [ સંપન્ન', “પરમાર્થ નૈષ્ઠિક”, “આત્માર્થી'. * સંવત ૧૯૫૨-૫૩ના પત્રોમાં કે “પરમનૈષ્ઠિક, સત્સંગ યોગ્ય, આર્યશ્રી શ્રી સોભાગ.”
આત્મનિષ્ઠ”, “પરમ ઉપકારી આત્માર્થી સરળતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ.'
આમ વિવિધ ગુણલક્ષી સંબોધનો જોતાં શ્રી સોભાગની આંતરદશા, જ મુમુક્ષુઓ પ્રત્યેની કારુણ્યભાવના, નિષ્કામતા, સરળતા અને શ્રીમદ્ ર
પ્રત્યેની નૈષ્ઠિકતા આપણને દેખાય છે.
પ્રકરણ-૨
શ્રી શામળદાસભાઈ ભૂધરભાઈ શેઠ શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈ કપુરચંદ અમરશી શેઠ અને શ્રી ! જ શામળદાસભાઈ ભૂધરભાઈ ખોડાભાઈ અમરશી શેઠ. આમ સગાઈમાં જ - બંને કુટુંબી ભાઈ થતા હતા. શામળદાસભાઈને શ્રી સૌભાગ્યભાઈએ ! બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી.
શ્રી શામળદાસભાઈએ તે બીજજ્ઞાન બે વ્યક્તિઓને આપ્યું. ૧. શ્રી કાળીદાસ માવજી દોશી (વ્યવસાયે કંદોઈ)
૨. તેમના પોતાના દિકરી મણીબહેનને કે જેને આગ્રા પરણાવેલ છે છે અને તે બાળપણમાં વિધવા થયેલ.
૨૦૦
( શ્રી સોભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
પૂ. શ્રી શામળદાસભાઈ ભૂદરભાઈ
For Personal & Private Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
ઉપરની બંને વ્યક્તિઓમાંથી શ્રી કાળીદાસભાઇને તે જ્ઞાન બીજાને આપવાની મનાઈ કરેલ. અને મણીબહેનને તે મનાઈ ન હતી.
શ્રી શામળભાઇનું જીવનચરિત્ર તેમજ જન્મ અને સ્વર્ગવાસની તિથિ કે તારીખ મળતી ન હોવાથી તેમને વિષે જે કંઈ જાણવામાં છે છે તેની વિગત અત્રે આપી છે.
શ્રી શામળભાઈ તેમના કાકા લલ્લુભાઈ શેઠના જેવા ખૂબ જ છે. ભદ્રિક અને સરળ સ્વભાવના હતા. તેમને આ જ્ઞાન સૌભાગ્યભાઈ પાસેથી પ્રાપ્ત થયા બાદ થોડા સમયમાં જ તેઓ પરમાર્થ પરમાર્થ : છે પુરુષ બની ગયા હતા. તેમનું વાંચન શ્રીમદ્જીના વચનામૃતનું ખૂબ જ
ઘરૂં અને ઊંડું હતું. તેમનો વ્યવસાય નિર્દોષ અને સાત્વિક હતો. તેમનું કે રહેઠાણ સાયલામાં સૌભાગ્યભાઈના મકાનની સામે જ હતું. ત્યાં તેઓ ભેંસો રાખીને દૂધનો વ્યવસાય કરતા હતા.
તેઓ દરરોજ સવાર-સાંજ ભેંસોને પાણી પાવા માટે બજારમાંથી નીકળતા હતા. બજારમાં કાળીદાસભાઈની દુકાન હતી અને તેઓ સુખડીયા (કંદોઈ)નો ધંધો કરતા હતા. તેઓ જ્યારે જ્યારે મીઠાઈ, તે ફરસાણ કે બીજી ચીજો બનાવતા હોય ત્યારે બાજુમાં એક ઠવણી રાખતા અને તેના ઉપર વચનામૃતનું પુસ્તક રાખતા અને તે દરમ્યાન સમયની અનુકૂળતા મુજબ અચૂક તેનું વાંચન ચાલુ જ હોય. તેઓ છે વાંચન ઊંડું અને સમજપૂર્વક કરતા.
કાળીદાસભાઈની વાંચનની આવી જીજ્ઞાસા શામળભાઈ જતાંન આવતાં રોજ નિહાળતા અને તેનું નિરીક્ષણ કરતા. એક દિવસ જ - શામળદાસભાઈ ત્યાંથી જતા હતા ત્યારે તેમણે પ્રશ્ન કર્યો કે એય 4
કાળીઆ તું આ શું વાંચે છે? કાળીદાસભાઈએ જણાવ્યું “બાપુ હું ૨ શ્રીમદ્જીનું વચનામૃત વાંચું છું.” ત્યારે શામળભાઈએ કાળીદાસભાઈને જ કે કહ્યું “જો કાળીઆ આ તું જે વાંચે છે તેમાં કોઈ સત્પરુષ મળે તો તેનો
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા)
૨૦૧
For Personal & Private Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
ટાંગો પકડીને મારી પાસે લાવજે.” કાળીદાસભાઈ વિચક્ષણ બુદ્ધિવાળા હોવાથી એ વાત ઉપર દિવસ આખો વિચાર કરીને, સાંજના એમની દુકાન વધાવીને ચાવી કેડે ખોસી સીધા શામળભાઈને ઘરે ગયા. તે વખતે શામળભાઈ હિંડોળા ઉપર હિંચકતા હતા. ત્યાં જઇને તેમના બન્ને પગ પકડીને બેસી ગયા, ત્યારે શામળભાઈએ પૂછ્યું “એ કાળીઆ આ શું કરે છે ?” કાળીદાસભાઈએ તરત જ જવાબ આપ્યો કે આજે બપોરે આપે કહેલું કે કોઈ સત્પુરુષ મળે તો ટાંગો પકડીને લાવજે, તેથી આ ટાંગો પકડીને આપણી પાસે લાવ્યો છું.
શામળભાઈએ ત્યાર પછી કાળીદાસભાઈને આ માર્ગમાં ખૂબ જ તૈયાર કર્યા. પછી પરિપૂર્ણ લાયકાત કાળીદાસભાઈમાં જણાવાથી તેમને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી.
૨૦૨
→•
શ્રી કાળીદાસભાઈ માવજીભાઈ દોશી
કાળીદાસભાઈનો જન્મ ચોરવીરા (તાબે. બોટાદ) ગામમાં આશરે સંવત ૧૯૫૩માં થયો હતો. તેમની આશરે ૭ વર્ષની વયે તેઓ તેમના માતાપિતાના સુખથી વંચિત થયા હતા. તેમને બે બહેનો હતી. મોટા જીવીબેનના લગ્ન સાયલામાં મલુકચંદ શેઠની સાથે થયા હતા અને બીજા મોંઘીબેનના લગ્ન ચોરવીરામાં જ લહેરાભાઈને ત્યાં થયા હતા. આ બંને બહેનો તેઓના માતાપિતાના સ્વર્ગવાસ થયા બાદ કાળીદાસભાઈને તેમના મોટા બહેન જીવીબેનને ઘરે, સાયલા, તેડી લાવ્યા.
પ્રકરણ-3
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
પૂ. શ્રી કાળીદાસભાઈ માવજીભાઈ જન્મ : અનુમાન સંવત ૧૯૫૩
દેહવિલય : સાયલા સંવત ૨૦૦૮ મહાવદ ૪ શુક્રવાર
સાંજે ૫ વાગે
For Personal & Private Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
સાયલામાં કાળીદાસભાઈએ ગુજરાતી ૫ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. કાળીદાસભાઈના ઘરની શેરીના ખૂણા ઉપર એક કંદોઈની દુકાન હતી, ત્યાં કાળીદાસભાઈની બેઠક-ઉઠક હોવાથી ત્યાં બેઠા બેઠા તેઓએ કંદોઈનો ધંધો શીખી લીધો. આશરે ૧૫ વર્ષની ઉંમરે તેઓએ સાયલાની બજારમાં કંદોઈનો ધંધો શરૂ કર્યો. આજે પણ તે દુકાન તેમના નામના પાટીઆ સાથે મોજુદ છે.
તેઓશ્રી સ્વભાવે સરળ હતા. નીતિપરાયણ જીવન અને નાનપણથી સાચા ધર્મ પ્રત્યેની રૂચી હતી. તેવામાં તેમના હાથમાં શ્રીમદ્જીનું વચનામૃત આવવાથી તેનો ઊંડો અભ્યાસ શરૂ કર્યો અને શ્રીમદ્જીના બતાવેલા માર્ગે કૂદકે અને ભૂસકે આગળ વધવા લાગ્યા. તેવામાં તેમને સદ્ગુરુનો ભેટો થઈ ગયો અને કોઈ પૂર્વના પુણ્યના ઉદયના યોગે ગુરુ પાસેથી તેમને બીજજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી તેમને પરમ સત્સંગની જોગવાઈ મળતી રહી. અને તેના આધારે તેમણે પોતાનું આ જન્મનું કાર્ય જે કરવાનું હતું તે સિદ્ધ કરી લીધું. તેમની ઇચ્છા લગ્ન કરવાની બીલકુલ હતી નહીં. પણ જેણે તેમને મોટા કર્યા તે જીવીબેન નાનાં બાળકો મૂકીને સ્વર્ગવાસી થઈ ગયા તે બાળકોને ઉછેરવાની જવાબદારી કાળીદાસભાઈના શીરે આવી પડી, આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી એક બાજુ ભરણપોષણ કરવાની જવાબદારી અને બીજી બાજુ તેમના બહેનના બાળકોને ઉછેરવાની જવાબદારી આવી પડી તેથી લગ્ન કરવાની ઇચ્છા ન હોવા છતાં
આ ફરજ અદા કરવા માટે તેમણે સંવત્ ૧૯૮૪માં ૩૧ વર્ષની ઉંમરે લગ્ન કર્યા. તે વખતે તેમના એક મિત્ર પરશોત્તમ દોશી જે તેમનાથી આશરે ૩૦-૩૫ વર્ષથી મોટા ઉંમરવાળા હતા તેની સાથે પરમાર્થ સંબંધની દોસ્તી બંધાણી.
તે બંને મિત્રો એક દિવસ સાયલાથી થોડા માઇલ દૂર ગોસળ નામે
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
૨૦૩
Page #235
--------------------------------------------------------------------------
________________
ગામ છે ત્યાં ગયેલા. ત્યાં બંનેએ એવો કોલ-કરાર કરેલો કે પરમાર્થ : છે. માર્ગમાં જે પહેલા પામે તે બીજાને પમાડે.
ત્યારબાદ આ બંને મિત્રોની પરમાર્થ માર્ગે એવી ગાઢ દોસ્તી થઈ કે જ્યાં જાય ત્યાં બંને સાથે જ જાય.
ચોટીલાથી નજીક ઝીંઝુડા ગામે હકાબાપા નામે એક પ્રતાપી પુરુષ થઈ ગયા. તેના દર્શને આ બંને મિત્રો અવાર નવાર જાય અને સત્સંગનો લાભ ઉઠાવે અને પરમાર્થ માર્ગે આ બેઉ આગળ વધતા
જાય.
તેમને પ્રતાપી પુરુષ હકાબાપાના સત્સંગનો વિયોગ સં. ૧૯૮૩માં
જ થયો.
હવે આ બંને સત્સંગી ભાઈઓને એવા સંજોગ આવ્યા કે પરશોત્તમભાઈને જલગાંવ એમના પુત્ર પાસે જવાનું થયું અને આ પરમાર્થ પ્રેમી મિત્રો જુદા પડ્યા. હવે પરશોત્તમભાઈને, ત્યાં કાળીદાસભાઈના સત્સંગ વિના ગોઠતું ન હોવાથી, કાળીદાસભાઈને પણ જલગાંવ બોલાવી લીધા. પણ બન્નેના ભાગ્યમાં સાથે રહેવાનું ન હોવાથી, કાળીદાસભાઈને જલગાંવ ફાવ્યું નહીં અને તે પાછા સાયલા આવ્યા. હવે બન્ને પરમાર્થ પ્રેમી મિત્રોને પત્રવ્યવહારથી જ સત્સંગ કરવાનો રહ્યો. કાળીદાસભાઈ પરશોત્તમભાઈ પાસે વ્યવહાર દૃષ્ટિએ છોકરા જેવા લાગે અને તેનામાં રિદ્ધિ, સિદ્ધિ, ચમત્કાર વિગેરે કાંઈ ન દેખાવાથી કાળીદાસભાઈ જ્ઞાની છે, મહાત્મા છે એવું પરશોતમભાઈને ન લાગવાથી તે અટકેલા હતા.
આ જ પુસ્તકમાં કાળીદાસભાઈએ પરશોતમ દોશી ઉપર લખેલા ચાર પત્રો આપેલા છે, જે વાંચવાથી કાળીદાસભાઈ શું હતા તેની ઓળખાણ થાશે, અને આ જ પુસ્તકની અંદર કાળીદાસભાઈના બનાવેલા
૨૦૪) *
૨૦૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
૧ પદો વાંચવાથી વિચારવાથી અને તેમાં ઉંડા ઉતરવાથી તે પુરુષ મા ' છે યોગ્યતા ખ્યાલમાં આવશે, અને તે યોગ્યતાની પરશોતમ દોશીને પણ છે. પાછળથી શ્રદ્ધા, ખાત્રી, પ્રેમ અને સાચી ઓળખાણની પ્રતિતી થઈ . હતી. તેથી તેમણે પણ બીજજ્ઞાનની પ્રાપ્તિ કરીને પોતાનું કામ કરી ? લીધું. પરશોતમભાઈ દોશીને બીજ જ્ઞાનની પ્રાપ્તિ હકાબાપા તરફથી છે થઈ હતી. પણ તે પુરુષને બીજજ્ઞાન એ અપૂર્વ વસ્તુ છે ને તે જ્ઞાન પરમાર્થ-પરમાર્થ પુરુષથી મધે, એની શ્રદ્ધા, પ્રતિતી અને ઓળખાણ થાય તો તે જ્ઞાન ફળદાયક નીવડે છે, એવો કોઈ ખ્યાલ ન હતો અને
શ્રી કાળીદાસભાઈ જ્ઞાની છે, સત્પરુષ છે અને તેની દશા અલૌકીક છે છે તેવું તેમના માનવામાં ન હતું, તેથી તે અટકેલા હતા. કાળીદાસભાઈએ તેમને વચન આપેલું હોવાથી, તે જ્યાંથી અટકેલા હતા ત્યાંથી ઉંચા લેવા માટે જે પત્રો પરશોતમ દોશી ઉપર લખેલા છે તેના ઉપરથી કાળીદાસભાઈની દશાની ખાત્રી થશે. (પત્ર નં. ૭-૮-૯) આ પત્રમાં કાળીદાસભાઈને ફરજીયાત પોતાની ઓળખાણ આપવી પડેલ છે.
હવે આજે તો આપને સ્પષ્ટ લખું છું કે આ લખનાર પ્રત્યે જેટલી તમને ઓળખાણ તથા શ્રદ્ધા થશે તેટલા તેટલા તમે આગળ વધશો.”
આ કાગળ પછી પરશોતમ દોશીને ઓળખાણ, ખાત્રી ને શ્રદ્ધા છે છે કાળીદાસભાઈ ઉપર થવાથી તેમણે પોતાનું કામ કરી લીધું.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૦૫
For Personal & Private Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
|| ૐ || શ્રી પાર્શ્વનાથાય નમઃ | શ્રી કપાળુદેવાય નમઃ | શ્રી સદ્ગુરુદેવાય નમઃ |
જ્ઞાની પરમ પૂજ્ય આત્મજ્ઞાની શ્રી કાળીદાસભાઈ માવજીભાઈ દોશીના આધ્યાત્મિક દૃષ્ટિએ લખાએલા પત્રો
0 પત્ર નં. ૧. (૪ શ્રી સદ્ગુરુદેવને ત્રિકાળ નમસ્કાર.
સં. ૧૯૮૪ના અષાઢ સુદ ૧૧ બુધવાર સત્સંગ યોગ્ય ભાઈ શ્રી ક્રીપાશંકરભાઈ ઝુંઝાભાઈની પવિત્ર સેવામાં, મુ. વાંકાનેર
સાયલાથી લી. શુભેચ્છક દોશી કાળીદાસ માવજીના પ્રેમપૂર્વક નમસ્કાર વાંચશો.
વિ. આપના તરફથી પ્રથમ પોસ્ટકાર્ડ તથા તા. ૨૨નું લખેલ કવર, બન્ને મલ્યા છે. જવાબ ઉપાધીને લીધે લખી શકાયો નથી તો માફ કરશો. બીજું આપ કાગળમાં મને અણઘટતી ઉપમા આપો છો તેને માટે હવે પછી તેવી ઉપમા મહેરબાની કરીને ન આપો તો સારૂ, કારણ હું તે ઉપમાને લાયક નથી. તે ઉપમાથી રહિત અમો તમો વિગેરે સર્વ ભાઈઓ પરમ કૃપાળુદેવનો સત્યમાર્ગ પામવાના અભિલાષી છીએ અને સાચા અભિલાષી તો જ હોઈ શકીએ કે કોઈ પ્રકારની પૂજા, સત્કારાદિ પ્રત્યે અલ્પ માત્ર પ્રેમ ન હોય. અરસપરસ સત્સંગ અર્થે કાગળ લખાય તેમાં તેની ઉપમા લખવાની છે કાંઈ જરૂર પણ ન જ હોય.
૨૦૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રથમના પોસ્ટકાર્ડમાં આપ લખો છો કે તમે જે પુરુષને સગુરુદેવ માન્યા છે તે પુરુષને હું પણ સદ્ગુરુદેવ માનું છું, અને તે સત્સમાગમ પૂજ્ય શ્રી વનેચંદભાઈના પ્રતાપે થયો હતો તેમ જણાવો છો, તો લખવાનું કે તે સત્સમાગમ પરમકૃપાળુદેવનો આપને થયેલ છે કે હાલ છે વિચરતા મહાપુરુષ પૂજ્ય શ્રી લઘુરાજજી મહારાજના સમાગમને માટે આપે લખેલ છે તેનો ખુલાસો લખશો.
બીજું અમને તો પરમકૃપાળુદેવના દર્શન પણ થયા નથી, ફક્ત છે તેમની કૃપાથી આપ જેવા સંતોના સમાગમની ઇચ્છા ઉત્પન્ન થઈ છે. બીજું આપ લખો છો કે સંસારદુઃખ નિવારણનો માર્ગ પરમ કૃપાળુદેવની પરમ કૃપાથી પામ્યા છો તો જે થોડું ઝાઝું અમે કે તમે જે કંઈ પામીએ
તે તેમની પરમકૃપાથી જ પમાય છે, અને તે લખવું સત્ય છે, પણ છે. યોગ્યતા વિના એકલા બીજ જ્ઞાન સંબંધી વાત જાણવાથી કેટલાક
જીવોને લાભ થતો નથી. તેના પુરાવા માટે આવૃત્તિ બીજી પૃષ્ઠ ૨૦૩ આંખ ૧૬૪ સંપૂર્ણ રીતે વાંચી વિચારશો તો ખાત્રી થશે. બીજો લેખ પાને ૨૨૮ આંક ૨૪૪નો પત્ર તે પણ આપને વાંચી વિચાર કરવા જેવો છે. વિશેષમાં હવે તે પીવાની રીત તો પ્રથમ લખાઈ ગઈ છે તે મુજબ છે, અને અભ્યાસ શરૂ કરવો હોય તો તેથી કોઈ પ્રકારે છે નુકસાન નથી છતાં તેટલું તો ખાસ ધ્યાન રાખવાનું છે કે તે વિષેનો વિશેષ નિરધાર જ્ઞાની પુરુષની આજ્ઞાએ થાય તો જરૂર ફળદાયક નીવડે છે. કારણ કે કૃપાળુદેવ કહે છે કે : “બીન સદ્ગુરુ કોઈ ન ભેદ લહે, મુખ આગળ હૈ કહ બાત કહે.”
તથા છે “પાવે નહીં ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત.”
વિગેરે શબ્દો બહુ ગંભીર છે અને વિચાર કરવા જેવા છે, તેમ જ તે ગુરુગમ આપી શકવાને હજુ અમો પણ યોગ્ય નથી. અમે તો, જેમ છેઆપ તેના પ્યાસી છો, તેમ જ અમે પણ તેના અભ્યાસી છીએ, અને
બીજાને પ્રાપ્ત કરાવવું તે તો સંપૂર્ણ દશાવાળાનું કામ છે. જેના માટે
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૦૭
For Personal & Private Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
પરમ કૃપાળુદેવે કેટલો બોજો મૂક્યો છે તે પત્ર ૨૯૮નો વાંચવાથી કે ખાત્રી થશે. આવી બાબતમાં મારા બચાવ માટે કંઈ પણ હું તમને ! ' ખોટું લખું તેમ નથી તે ઉપર જણાવેલા પત્રો વાંચવાથી આપને ખાત્રી ! જ થશે, માટે જરૂર વાંચશો. કાગળથી જણાવવા જેટલું તો એજ છે કે : ૧
અને વિશેષમાં એટલે કે જેમ બને તેમ તે રસને બહાર ફેંકી દેવો છે નહીં. આ પણ એક જાણવા જેવી બાબત છે. એક કલ્પ એટલે બાર ! છેવરસ સુધી તે રસ બહાર ન જ ફેંકી દેવાય તો તેમાંથી ઘણા પ્રકારની છે.
સિદ્ધિઓ ઉત્પન્ન થાય તેવું અમારું માનવું છે. જેને માટે કૃપાળુદેવે . જ બનાવેલા મનહર છંદ ધર્મ વિષેનો છે તેમાં -
“કવિઓ કલ્યાણકારી કલ્પતરૂ કથે જને,
સુધાનો સાગર કથે સાધુ શુભ સમજેજી. તે જણાવેલ છે. તે પણ વાંચી વિચારી જોશો તો તેનો ખરો અર્થ : છે સમજાશે.
બીજું આપે તો લખેલ નથી પણ અમે લખીએ છીએ કે આંહીના . દીકરી નામે મણીબેન કરીને શ્રી આગ્રામાં છે, તેઓશ્રીનો સમાગમ ત્યાંવાળા પૂજ્ય ભાઈ શ્રી વનેચંદભાઈને થયેલ છે, અને આ બાબતમાં છે વાતચીત તેમના તરફથી શ્રી વનેચંદભાઈ પ્રત્યે થઈ હોય તેવો અમને સંભવ છે, તો જો તે બાબત આપના સમજવામાં ન હોય તો શ્રી જ વનેચંદભાઈનો સમાગમ આપને કાયમ થતો હશે તો તેમના પાસેથી | પણ આ વાતનો નિરધાર કરવો હશે તો થઈ શકશે, માટે યોગ્ય જ પ્રયાસ કરશો. ઉત્સાહ તોડશો નહીં. યોગ્યતાની ખામી જણાય તે 1 ટાળવાનો અભ્યાસ જાગૃત રાખવો. ગમે તે રીતે યોગ્યતા પ્રાપ્ત થશે !
તો માર્ગ બતાવનાર સહેજે મળી આવશે. કૃપાળુદેવ લખે છે કે માર્ગ પર સત્ય છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ * પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે.
બીજું આપને એટલું લખવાનું કે અમારા વિષે વાત આપને કોણે છે જણાવી તે જરૂ૨ લખશો અને આપને પણ એટલું લખવાનું કે આ !
૨૦૮
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
સંબંધે કોઈ પણ વાત કોઈના પ્રત્યે જણાવશો નહીં, કારણ કે અમો તે જ દશામાં હોઈએ નહીં તેથી સામા જીવને ઉપકાર થઈ શકે નહીં અને ઊલટું માર્ગથી બીજા જીવને વિમુખપણું પ્રાપ્ત થાય. એ જ.
દઃ આજ્ઞાંકીત સેવક વૃજલાલ દેવજીનું પાયલાગણું વાંચશો
0 પત્ર નં. ૨ . 3ૐ શ્રી સદ્ગુરુદવને નમસ્કાર.
સં. ૧૯૮૪ના અષાડ વદ ૩ ગુરુવાર. સત્સંગ યોગ્ય વિરચંદ ભુરાભાઈ, મુ. બોટાદ.
સાયલેથી લી. દોશી કાળીદાસ માવજીના દંડવત્ પ્રણામ વાંચશો. આપનો પત્ર મળ્યો વાંચી હકીકત જાણી. આપ લખો છો કે દુનિયા,
વર્તન ઉપરથી પ્રતિત કરે છે. તેમ જ જ્ઞાનીઓ સમજીને લૌકીક વર્તન ન રાખતા હશે કે શું?
તેના જવાબમાં જાણશો કે દુનિયા વર્તન ઉપરથી પ્રતિત કરે છે, તેથી કરીને જ જ્ઞાનીથી વિમુખપણું આજ સુધી રહ્યા કર્યું છે. તેમજ દુનિયાને પ્રતિતી આવે તેવું વર્તન થાય તો જ જગતના જીવોને ઉપકારી થશે, તેમ ધારી શ્રી વર્ધમાન સ્વામી જેવાએ ગૃહસ્થાશ્રમ ત્યાગ કરી અસંગપણે અખંડ ઉપયોગી થઈ, જગતના પ્રભાવક પુરુષ બન્યા, પણ તેવું કોઈ જીવ આશ્રી બને છે. શ્રી વર્ધમાન સ્વામીના વર્તમાનપણામાં તેમના સાથે વિચરતા બીજા કેવળી જીવ ઘણા હતા. પણ શ્રી વર્ધમાન
સ્વામીના જેવો તે જીવોથી ઉપકાર બની શક્યો નથી તેનું શું કારણ | હશે, તે વિચારશો. તેમજ સંપૂર્ણ દશા ન હોય, ત્યાં સુધી વર્તનમાં કાંઈ છે.
ને કાંઈ જ્ઞાનીઓને પણ દૂષણ હોવાનો સંભવ છે, અને જગતના જીવો ! પાકા પરીક્ષક તરીકે હોઈ, સંપૂર્ણ જ્ઞાનીની દશા સાથે સરખામણી કરતા હોવાથી તે મહતુ પુરુષનાં આત્યંતર માહાભ્યને (મહાતમને)
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૦૯
For Personal & Private Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
જોઈ કે સમજી શકતા નથી. દાખલા તરીકે હાલના જમાનામાં કૃપાળુદેવની આપ્યંતર દશા અદ્ભુત હતી. છતાં તેમના વર્તમાનપણામાં લોકો પરીક્ષા કરવામાં રોકાઈ રહ્યાં. પણ તેઓ સાક્ષાત્ જ્ઞાનીપુરુષ રૂપ પરમાત્મા છે, તેમના એક જ વચનમાં આપણા અનંતા ભવોનો નાશ થશે, તેવી અચળ શ્રદ્ધાથી આજ્ઞાંકીતપણું (કોઈકે જ) ધારણ કર્યું હશે, નહીંતર બધા આ ઉપરનો નિર્ણય કરવામાં જ રોકાઈ જાય છે. ખરા મુમુક્ષુ પુરુષનો એ જ નિશ્ચય હોય છે કે અનંતા ભવ અલેખે કાઢ્યા છે, તેમ જ આ એક ભવ ભલે વધારે તે ભેગો થાય, પણ આ વખતે તે પુરુષ કહે તેમ જ કરવું છે. તેમના વર્તન ઉપર કાંઈ લક્ષ આપવો નથી, પણ તેમના પરીક્ષક નહીં, પણ તે જ્ઞાની પુરુષના આપણે હાલ તો વિદ્યાર્થી બનવું છે. આવો અચળ નિશ્ચય આવ્યેથી તે જ્ઞાની પુરુષની ભક્તિ થઈ શકે છે. અને તે ભક્તિ પ્રભાવે જીવના દોષ ઘટે છે, જીવના દોષ ઘટવાથી જ્ઞાની પુરુષના વચનનું અદ્ભુતપણું સમજાય છે. જેમ જેમ તેમના વચનબળે જીવના દોષ ઘટે છે, તેમ તેમ જ્ઞાનીપુરુષની આવ્યંતર દશા સમજાય છે. સાર્વજનિક રીતે જ્ઞાની પુરુષને ઓળખવાનો સહેલો રસ્તો તો આ છે. વહેવારિક કામોમાં પણ અમુક અમુક વીમા ૨હેલા છે તો આ સંબંધમાં આ એક જ ભવનો વીમો છે. કાં તો છેડો આવે છે અને કાં તો અનંતા ભવ ગયા તે ભેગો આ એક વધારે, તેમ ગણી પોતાનું તમામ ડહાપણ મૂકી તેમના વચનમાં જ પોતાનું હિત છે, એમ ગણી આ એક ભવનો યાહોમ કરી શકાય, તો જ કાંઈક ઓળખાણ થઈ શકે છે. પરીક્ષાપણામાં તો અનંતા ભવ કાઢ્યા તો પણ કોઈ જ્ઞાનીપુરુષ આપણી પરીક્ષામાં પાસ થઈ શક્યા નથી અને થઈ શકવાના નથી, પણ તે લક્ષ ત્યાગવા જેવો છે. જેવી રીતે આપણે જ્ઞાનીની પરીક્ષા કરીએ છીએ તેવી રીતે જ્ઞાનીઓ પણ આપણી પરીક્ષા કરે છે ને તેમની પરીક્ષામાં પાસ થવાનો સહેલો રસ્તો તો તેમની આજ્ઞાનું આરાધનપણું તે જ છે. કૃપાળુદેવ પણ લખે છે કે
:
૨૧૦
“સ્વચ્છંદ મત. આગ્રહ તજી વર્તે સદ્ગુરુ લક્ષ, સમકિત તેણે ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ.”
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
આ દુહો શા માટે કીધો હશે તે વિચારશો. બીજા પ્રશ્નના જવાબમાં :
જ્ઞાનીઓ સમજી સમજીને લૌકીક વર્તન રાખતા નથી. પણ સંપૂર્ણ દશા ન હોય ત્યાં સુધી વર્તનમાં લૌકીક દશા પણ સંભવે છે અને લૌકીક દશા થવા રૂપ ઉદય હોય ત્યાં સુધી અમો જ્ઞાની છીએ તેવું પ્રગટ થવામાં જ્ઞાની પુરુષો ખુશી હોતા નથી, તેમ પ્રગટ થવાની ઇચ્છાને બહુ જ ગુપ્ત કરી રાખે છે, તે વાત સાચી છે.
કાંઈ પણ ઉઘાડ કે જાણપણું થયું હોય, તેનો દેખાવ બહાર આવે કે અંતરમાં પડ્યું રહે ?
તેના જવાબમાં પોતાને ઉઘાડ કે જાણપણું થયું હોય તેટલી દશા જ જરૂર ફરે અને જેટલી અંતરમાં દશા ફરે તેટલું જ જાણપણું થયું
ગણાય. પણ તેવો ગુણ પ્રગટ થયો હોય તે ગુણને આપણે અમુક ! 1 વખતના સમાગમથી નિર્ણય કરી શકીએ, તેવી મુમુક્ષતા હજુ આપણામાં ! હોતી નથી, તેમ જ ગુણગ્રાહીપણું બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે,
અને હોતું પણ નથી, અને અવગુણ ગ્રાહીપણાનો જીવને રાહ એકદમ જ વિશેષ હોવાથી તે ગુણ ઉપર આપણો લક્ષ ચોંટતો નથી. તેમ જ જ્ઞાની
કે અજ્ઞાનીની વાણીની પરીક્ષા સંપૂર્ણ મુમુક્ષુતા વિના આવતી નથી. તેથી કદાચ કોઈ ગુણ પ્રગટ થયો હોય તે જુજ વખતમાં આપણી પ્રથમ લૌકીક દૃષ્ટિએ નિર્ણય કરવાની બુદ્ધિ હોવાથી તે ગુણ લક્ષમાં જ
આવતો નથી. એટલા માટે કૃપાળુદેવ આત્મસિદ્ધિના દોહરા ૧૧૦માં * લખે છે કે :
મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ,
લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ.” પ્રથમ આ એક જ ભવનો વિમો વેઠી લેવો તે બાબત લખાઈ ગએલ છે. તેના માટે પણ આત્મસિદ્ધિનો દોહરો ૧૭માં લખેલ છે. સ્વછંદ કહ્યો તેમાં આપણી મન કલ્પના, જ્ઞાની છે કે નહીં તેવી ,
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૨૧૧
For Personal & Private Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
જ પરીક્ષા કરવી, વિગેરે બાબતો સમાય જાય છે. જો તે મૂકીને ઉપરના જ | દોહા મુજબ સદ્ગુરુના લક્ષે વર્તવાનો નિર્ણય થાય તો તે સમકિત
થવાનું મુખ્ય કારણભૂત હોવાથી તેને શ્રદ્ધા સમકિત કહ્યું છે. ભાઈચંદજી મુનીને અમો જાણીએ છીએ હાલ તેમનો ત્યાગ વૈરાગ્ય સારો ગણાય,
અને તેવા ત્યાગ વૈરાગ્યમાં સદ્ગુરુનો યોગ બન્ચે તુરત જ તેવા જીવને * સમીપમાં કલ્યાણ થાય તેમાં તો ના નથી. પણ તેઓ હજુ મૂળમાર્ગ જ છે કયો અને ખરું કર્તવ્ય હવે શું રહ્યું તેની શોધમાં જ છે, તેમ મને તો છે ' લાગે છે, કારણ કે ચોટીલામાં વીરજી ભગવાનની જગ્યા છે. ત્યાં ? છે. ધારસીભાઈ કરીને જગ્યાના માલીક વાણીયા છે. તેઓ ભગત છે. છે.
તેમને ભાઈચંદજી મહારાજનો સમાગમ બહુ સારો થાય છે. તેઓ * સાયલાના ભાવસાર વિરચંદ જેસંગને મોઢે વાત કરતા હતા કે હવે ? છે ભાઈચંદજી મહારાજ કહે છે કે અમારે એક વખત અગાસ લલ્લુજી છે ' મહારાજ પાસે જઈને પૂછવું છે કે હવે તો અમે ઘુસાણા માટે હવે ! છે અમારે ખરું કરવું શું તે બતાવો. આવી વાત વિરચંદ જેસંગે મને કરેલ છે
હતી. તે ઉપરથી એમ લાગે છે કે તેઓ પણ હવે માર્ગની શોધમાં જ ! જ રહે છે, પછી તો આપને જાણવામાં હોય તે ખરું. એકલા ત્યાગ છે વૈરાગ્યથી, જ્ઞાન વિના પણ કલ્યાણ થઈ શકતું નથી. તેમ જ ત્યાગ 4 1 વૈરાગ્ય પણ બિલકુલ ન હોય તો તેને જ્ઞાન પણ થતું નથી. * હવે “બીના નિયમ પાવે નહીં, બીના નયનની બાત” તેનો અર્થ : કે મારી મતિ પ્રમાણે કરું છું :| બીના નયન પાવે નહીં એટલે ચક્ષુદર્શન વિના પાવે નહીં. શું પાવે જ નહીં ? તો કે બીના નયનકી બાત, એટલે અતીન્દ્રિય દર્શન કહેલ છે તે અચક્ષુદર્શન એટલે સ્વરૂપ પ્રાપ્તિ, સ્વરૂપ પ્રતિતી તે છે. તે છે. અચક્ષુદર્શનની પ્રાપ્તિનું કારણભુત એવું ચક્ષુદર્શન ગણેલ હોય તેવો ભાવાર્થ આ દોહા પરથી સમજાય છે. અને તે ચક્ષુદર્શન છે તે સાક્ષાત્
છે. પણ સદ્ગુરુના ચરણ સેવે તો તે સાક્ષાત્ પ્રાપ્તિ પામે છે. આ વાત * ગંભીર છે. જેના માટે આવૃત્તિ બીજીના પાને ૧૮૯ લેખ (આંક) ( ૧૨૨માં જુઓ તો શ્રીમદે તે બાબતની હકીકત લખેલ છે. બીજો પત્ર
૨૧૨
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
પાનું ૧૧૦ કાગળ ૯૪મો વાંચી વિચારશો. તમો રૂપી દર્શનને સાક્ષાત્કાર કહેતા નથી તો હવે અરૂપી વસ્તુનો સાક્ષાત્કાર કેવા પ્રકારે થતો હશે
તે બહુ સમજવા જેવી બાબત છે. તેમ જ અમારું કહેવું એવું પણ નથી છે કે અરૂપી વસ્તુનો સાક્ષાત્કાર થતો નથી, તેમ આનો અર્થ કરવાનો
નથી. પણ ભાઈશ્રી, સ્વરૂપ સ્થિતિ ચોથા ગુણસ્થાનકેથી શરૂ થાય છે. પછી ઓછી વધુ થાય છે તે સમજવા માટે ગુણસ્થાનક કહ્યાં છે. પણ આ બાબતનો નિર્ણય આપણી મતિ કલ્પનાથી યથાર્થ થતો નથી. હવે ચોથે ગુણસ્થાનકે સમકિતની ફરસના થાય, ત્યાંથી માંડીને તેરમાં ગુણસ્થાનક સુધી પ્રતિતી તો સરખી જ છે. પ્રતિતીમાં ફેર નથી. સ્થિતિમાં ફેર છે. સ્થિતિ વધુ ઓછી હોય છે. હવે આ ચોથે ગુણસ્થાનકે જે પ્રતિતી થાય તેને સાક્ષાત્કાર કહેતા હો તો તે સાક્ષાત્કાર લલ્લુજી મહારાજને પણ હોઈ શકે. અમે તો અમારી મતિ અનુસાર જવાબ
લખેલ છે. ભૂલ લાગે ત્યાં સુધારીને વાંચશો. લખ્યું છે એમ જ છે એવો છે અમે દાવો કરતા નથી, એજ .
આ પત્ર નં. ૩ ૪ મહતુ પુરુષોને ભક્તિપૂર્વક નમસ્કાર
- સાયલા, તા. ૯-૧૦-૧૯૨૮ છેપૂજ્ય મહાત્માશ્રીની સેવામાં, સત્યાગ્રહ આશ્રમ
સાયલેથી લી. સેવક કાળીદાસ માવજીના દંડવત્ પ્રણામ સ્વીકારશો. વિશેષ: નવજીવનમાં “અહિંસાનું કોકડું” એ હેડીંગવાળું આપનું લખાણ છેવાંચતાં અહિંસા બાબત અમોને નીચે મુજબ શંકા ઉત્પન્ન થાય છે, તો તે તેનો ખુલાશો આપવા કૃપા કરશો.
(૧) કોઈપણ દુઃખી પ્રાણીને દેહરહિત કરવાથી કોઈ પણ ન્યાયે છે અહિંસા છે? તેવું કોઈ હિન્દુ શાસ્ત્રમાં આપે જોયું છે ? . (૨) અત્યંત વ્યાધીથી પીડાતા દેહમાં રહેલા વાછડાને દેહરહિત
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૧૩
For Personal & Private Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
કરવામાં જ્યારે અહિંસા અને સેવાભાવ ગણવામાં આવે તો તેના પ્રાણ રક્ષણ અર્થે દયા ભાવથી કરેલી સેવામય પ્રવૃત્તિને હિંસા ગણવી કે કેમ ? અને એ પ્રવૃત્તિને હિંસા ગણવામાં આવે તો દયામય ધર્મનું ઉલંઘન થયું કે કેમ ? વિશેષમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિત, બીજી આવૃત્તિ પાને
૫૯મેં શીક્ષાપાઠ ૨-જો સર્વમાન્ય ધર્મ વિષે છંદમાં શું કહે છે તે જુઓ. જ તેમાં વિરોધ આવે છે કે નહિ ?
(૩) જે દયામયી અને શુદ્ધ ભાવનાથી પીડાતા વાછડાને દેહરહિત કરવારૂપ અહિંસા આચરવા કરતા તેના પ્રાણ રક્ષણ થવા અર્થે સારવાર કરવારૂપ દયામય સેવા આચરવી આપને અનુકૂળ કેમ ન લાગી ? " અનુકૂળ ન લાગવાનું કારણ આપે જણાવેલ છે કે વાછડો બચવાનો નથી તેવો ડૉક્ટર વિગેરેથી આપને અનુમાન થયેલ હતો પણ તે અનુમાન નિશ્ચયાત્મક તો ન હતો. તો પછી પરમાત્મા તરણાનો મેરૂ કે કરવા સમર્થ છે તેના પ્રત્યે આપને અવિશ્વાસ કેમ ઉત્પન્ન થયો ? અને તેવા પ્રકારના અવિશ્વાસમાં હોઈ અહિંસાનું પાલન થઈ શકે ખરું ?
(૪) જ્યારે આપ દરદના દુ:ખમાં ડૂબી રહેલા શરીરનો બે ઘડી વહેલો નાશ થતા તેના આત્માનું કુશળ જ જુઓ છો, તો તે નિશ્ચય દૃષ્ટિએ બરાબર છે ? આમ તો આત્મા અમર છે જ, પણ તેનો આત્મા જે દૃષ્ટિએ અમર છે તે દૃષ્ટિએ તે આત્માને દરદનું દુ:ખ પણ
ક્યાં હતું. આત્માને દરદનું દુઃખ નથી તો તે દરદમુક્ત થવામાં અહિંસા કેવા પ્રકારે જોઈ ?
આના જવાબમાં આપ એમ કહો કે દરદ આત્માને નથી. દરદ દેહને હતું અને દેહ તે જ હું છું એવી દેહાત્મબુદ્ધિ હોવાથી વાછડાને દુ:ખ હતું તે દુઃખથી મુક્ત કરવામાં અહિંસા જોઈ. તો જે વાછડાની દેહના પ્રત્યે દઢ પ્રીતિ રહેલી છે, અને દેહના નાશથી પોતાનો નાશ 1 જુએ છે તેવા પ્રાણીને ભલે દેહનાશ નિષ્કામ બુદ્ધિથી થતો હોય તો ? પણ તેને મરણરૂપ ત્રાસનું પારાવાર દુ:ખ થયું હોય તેમ નથી ધારતા? કોઈ પણ પ્રાણી દુઃખી થાય, ત્યાં અહિંસા કહી શકાય ? કેમ કે
૨૧૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રીમદે કહ્યું છે કે “પુષ્પ પાંખડી જ્યાં દુભાય જીનવરની નહીં ત્યાં
આજ્ઞાય” તે સિદ્ધાંતમાં વિરોધ નથી આવતો ? કે તે વચન આપ ' માન્ય નથી રાખતા ?
(૫) વાછડાના પ્રસંગમાં આપે કદાચ બરાબર અહિંસા જોઈ હોય, છે અને માનો કે તે સત્ય કર્તવ્ય જ થયું છે. પણ આજે જે દૃષ્ટિએ
અહિંસાનું સ્વરૂપ સમજી આવા પ્રકારે પ્રવૃત્તિ કરી છે તેવું રહસ્ય બીજાઓ સમજ્યા વિના તે દૃષ્ટિએ કરે તો તેમાં જે હિંસા થાય તેના આપ કારણભૂત બનો કે નહિ. જૈનના ન્યાય પ્રમાણે તો આપ ચોક્કસ
કારણીક બન્યા ગણાઓ કેમ કે શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિત ત્રીજી આવૃત્તિમાં તે લખેલ નંબર પ૩૦ “આત્માર્થી ભાઈ પ્રત્યે” એ મથાળાનો લેખ ઘણું છે
કરીને આપની ઉપર જ લખાયેલો છે, તેમ મારા ધારવામાં છે. તો તે આ લેખ મુજબ આપ કારણીક થયા કે નહિ ? તે ફરીવાર તપાસી જોશો. આ
એજ તા. સદર
લી. દોશી કાળીદાસ માવજી દ : દાસાનુદાસ વ્રજલાલ દેવજીનું પાયલાગણ વાંચશો કે
0 પત્ર નં. ૪ 09
સં. ૧૯૮પનાં માગશર વદ ૧૪, શુક્રવાર મુમુક્ષુભાઈ શ્રી વીરચંદ ભુરાભાઈ, મુ. બોટાદ
સાયલાથી લી. દોશી કાળીદાસ માવજીના જુહાર વાંચશો. વિશેષ ? તમારો પત્ર મળ્યો છે. મણીબહેન અત્રે ખુશીથી પહોંચ્યા છે. તબીયત છે સારી છે. બીજું તમોએ મણીબેન અને મને ત્યાં આવવા વિષે લખ્યું ! તો હાલ આવવાનું બની શકે તેમ નથી. આપને ઘણા વખતથી સત્સંગમાં જ આવવાની જીજ્ઞાસા છે સાથે સત્સંગનો લાભ લેવો હોય તો હજી પણ તમો સાયલા આવો, તો સત્સંગનો લાભ થશે કારણ કે તેઓ છે. હજુ આવતા મંગળવાર સુધી રોકાવાના છે. ત્યાર પછી રોકાવાના
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૨૧૫
For Personal & Private Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
' નથી તેમ તેમનું કહેવું છે. તો આપને આવવા મરજી હોય તો સુખેથી છે આવવું.
બીજું ભાઈચંદજી મુની અત્રે આવ્યા હતા, એક દિવસ સત્સંગ થયો હતો. સત્સંગમાં તેમનું કહેવું વાસ્તવિક રીતે જે છે તે જ કહેવું છે કે પરમાત્મા પ્રત્યે અખંડ પ્રેમપૂર્વક ભક્તિ ઉત્પન્ન થવી જોઈએ અને તે ભક્તિ ઉત્પન્ન થયા પછી અખંડપણે તે લય રહેવી જોઈએ. તે લય રહેવામાં અને તે ભક્તિ ઉગવામાં પૂર્વોપારજીત જે જે વિઘ્નો આવે તે તે વિપ્નો સમપણે કેટલાક વેદી, કેટલાક ઉપશમાવી, અખંડપણે આત્મ જાગૃતિમાં રહેવું તે આત્માર્થી જીવનું કર્તવ્ય છે. આશ્રમવાળી વાત તેમના કહેવામાં હતી. તેમ જ હાલનું તેમનું વર્તન કર્તવ્યપરાયણ જોવામાં આવે છે. બાકી તો તેમનો અંતર આશય તેમના કાયમ સત્સંગમાં રહેવાવાળો માણસ સમજી શકે. તમો લખો છો કે તેમણે તે દિગમ્બરના મહાન પુસ્તકો વાંચ્યા છે, અને સમજાવવાની શક્તિ ઘણી છે
સારી છે. પણ સંસ્કારીને સમજાય તેવું છે. તેના જવાબમાં જાણશો કે : સંસ્કાર વિના કોઈ વસ્તુ માણસને યોગ્ય પડી નથી. તેમ જે જે | માણસને આત્મહિત કરવાની ઇચ્છા થાય છે તે પણ સંસ્કાર જ છે.
સંસ્કાર સિવાય તો બીજાને સત્સંગ કાંઈ ઉપયોગનો નથી, તેમ જ છે. આપનું ધારવું હોય તો તેમ નથી, કારણ કે તેવા સત્સંગના પ્રભાવથી . સંસ્કારી થવાય છે, અને સંસ્કારી થવું તે આપણું કર્તવ્ય છે. બીજા કોઈનું કર્તવ્ય નથી.
મણીબેનનો ધાર્મિક પ્રેમ મારા પ્રત્યે સારો છે, છતાં અમે તો ભૂખ્યા વલવલીએ છીએ. તો તમારી અને મણીબેનની કૃપાદૃષ્ટિ હોય તો આ
સેવકને લાભ મળે તેમ તમો લખો છો તો તેના જવાબમાં જાણશો કે | મણીબહેનને આપણા જ પ્રત્યે નહીં પણ દરેક જીવ પ્રત્યે ધાર્મિક પ્રેમ છે
હોય તેમાં કાંઈ નવાઈ નથી પણ તમો અહીં આવશો ત્યારે વિશેષ ખુલાસો થશે, કે હું કોઈ પ્રકારથી આપના પ્રત્યે ભેદ રાખવાનું સુચવન કરતો નથી.
૨૧૬
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
બીજું લખવાનું કે તમારું લખવું વારંવાર એમ થયા કરે છે કે કાંઈક જણાવો, તો જણાવવામાં આપનું ધારવું શું છે? તે કાંઈ સમજાતું નથી અમારી જણાવવાની શું શક્તિ છે અને તેનું અનુમાન આપે શા ઉપરથી કર્યું છે ? સ્વરૂપ પ્રાપ્તિ કરાવો તેવું પ્રથમ આપનું લખાણ હતું. સ્વરૂપ પ્રાપ્તિ પામેલો માણસ બીજાને પ્રાપ્તિ કરાવી શકે તે વાસ્તવિક રીતે સૌ સમજે તેમ છે, છતાં તમો અમને લખો છો કે તમે તે પ્રાપ્તિ કરાવો, તો અમે તે પ્રાપ્તિ કરાવવાને લાયક નથી કારણ કે અમે પણ હજુ તે દશાને પામ્યા નથી. છતાં આપને એમ ભાસતું હોય તો તે કયા પ્રકારના લક્ષણથી ભાસે છે તે જણાવશો. તેમજ હું તો નહિ પણ મણીબેનને માટે પણ હું તો લખું છું કે તેઓ પણ હજી
સંપૂર્ણ રીતે તે દશાને પામ્યા નથી. છતાં તમને તે વહેમ શાથી ભરાણો જ છે છે તે જણાવશો. હજુ સાક્ષાત્કાર તો તમારા કાયમના સત્સંગમા |
રહેનારા મોતીચંદભાઈને થયો છે તેમ પ્રથમથી જ આપનું કહેવું છે, તે જ છે ઉપરથી હું લખું છું કે તેમના સમાગમમાં જે લાભ મળી શકે તેવો, આ લાભ જેને સાક્ષાત્કાર થયો નથી તેવા માણસના સમાગમમાં મળી શકે નહીં. છતાં આપને તેમ ભાસતું હોય તો તે સંબંધમાં આપનું માનવું ભૂલભરેલું છે તે ચોક્કસ માનજો. અમે તો તમારા કરતા પણ વિશેષ પરિગ્રહના કચરામાં ખુંચેલા છીએ તે આપની દૃષ્ટિ બહારની વાત કાંઈ નથી. તેમ જ સત્પુરુષ જે કહેવાય તે માંહેનું અમારામાં કર્યું લક્ષણ તમે જુવો છો કે જેથી કરી આવા પ્રકારનું આપનું લખાણ થાય છે. જો તમે કહેતા હો તો એટલું જ છે કે જેવા તમે માર્ગના ઉત્સાહી ને અભ્યાસી છો તેવા અમો પણ છીએ. અમારા કરતા બીજા વિશેષ
મુમુક્ષુ પુરુષો હાલ ક્યાં થોડા છે, તે પણ આપના સમજવામાં છે અને | હતા. હું લખું છું કે આપને સમાગમ કરવા જેવા અગાસ, વડવા | ' વિગેરે સ્થળો છે. ત્યાં સર્વે મુમુક્ષુ પણ હોય છે. તો તમે તેમના !
સમાગમથી લાભ લો તો પણ મળી શકે તેમ છે કારણ કે અમે તો ઘણી પ્રવૃત્તિવાળા માણસ છીએ. પણ તેઓ કાયમ નિવૃત્તિના સેવનારા અને મહાન સપુરુષ લલ્લુજી મહારાજના ચરણ સમીપમાં રહી કાયમ પ્રભુભક્તિમાં જોડાયેલા હોય છે તો તેવાને છોડી અમારા સમાગમમાં
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૧૭
For Personal & Private Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
*.
* વિશેષ લાભ મેળવવા આપ ધારો છો તે શા કારણથી ?
દ. ભાવસાર વ્રજલાલ દેવજીના નમસ્કાર 4 તા. ક. :
બીજું કૃપાળુદેવ પણ નીચે મુજબ લખે છે કે : “બીજું કાંઈ શોધ " માં. એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ છે કરી દઈ વર્યો જા. પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લે છે.”
ભાઈશ્રી આ વાક્ય આપે વારંવાર વિચાર્યું હશે, છતાં આ ઠેકાણે આપને એવો જ પ્રશ્ન થશે કે સત્પુરુષો કોને કહેવા ? તો તેના જવાબમાં પણ કૃપાળુદેવ લખે છે કે સત્પુરુષ એ જ કે જેને નિશદિન આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી આવ્યું એવું જેનું અનુભવગમ્ય વચન છે. તો હવે આમાં આ વચનોને વિચારતા સત્પુરુષ કોણ અને ક્યાં હશે તેવી શંકા ઉદ્ભવે તેવું ક્યાં છે ! તેમ જ આ મુજબ ત્યાં જોવામાં ન આવે અને ગમે તેટલા માણસો તેને સતુપુરુષ તરીકે માન્ય કરતા હોય તો પણ આ વચનો જેણે વિચાર્યા જ હોય તે માણસ ભૂલે પણ કેમ ? તે વિચારશો.
તારીખ સદર
1
. અક્ષરો ફાટી ગયા છે.
) પત્ર નં ૫ %
સં. ૧૯૯૨ના જેઠ સુદ-ગુરુવાર છે. સુજ્ઞ ભાઈ શ્રી હરજીવનભાઈ મગનલાલ, નાસીક
સાયલાથી લી. શુભેચ્છક કાળીદાસ માવજીના જય જીનેન્દ્ર વાંચશો. કે તમારું કવર મળ્યું... વાંચી બીના જાણી. તમારા કાગળનો ખુલાશો ?
નીચે મુજબ જાણશો.
૨૧૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન : રૂચિ એટલે શું?
જવાબ : આ જગતમાંના કોઈ પણ પદાર્થ ઉપર રૂચિ, પ્રીતિ રહે છે નહિ તેમ જ એક આત્મજ્ઞાન અથવા આત્મપ્રાપ્ત પુરુષ સિવાય બીજે કોઈ સ્થળે પ્રેમ લાગે જ નહિ, તેમ જ બીજા અનેક પ્રકારના સાધનો જેવા કે જપ, તપ, યમ, નિયમ, જોગ, સમાધિ, ધ્યાન, મન કે પવનના નિરોધ વિગેરે જે સાહેબજીએ તેમના તોટક છંદમાં જણાવ્યા મુજબ કોઈ પણ જાતની ક્રિયા કરવાની રૂચિ રહે નહિ, ફક્ત એક જ છે
આત્મસ્થ પુરુષ ગોતી, તેના સંગમાં સર્વસ્વ અર્પણ કરી, હું કાંઈ * જાણતો જ નથી, તેમજ બીજી કોઈ પ્રકારની નિજ સ્વરૂપ પ્રાપ્તિ ૪. સિવાયની ઇચ્છા ન રહે તેને આત્મજ્ઞાનની “રૂચિ” થઈ છે, તેમ
કહેવાય અને તે રૂચિ થયે, આત્માર્થી પુરુષનો જોગ બન્ય, પોતાપણું છે તદન તેનામાં જ અર્પણ કરી તેના કહેવા મુજબ પોતાના જીવનનો .
વ્યય થાય, તો તે દશામાં આત્મજ્ઞાનની પ્રાપ્તિનો સંભવ છે. પ્રશ્ન : રસવંતી જ્ઞાન કોને કહેવું?
જવાબમાં આ જ્ઞાનનો જે પુરુષે જાણકારો કર્યો હશે તે પુરુષ ચોક્કસ તમારાથી છુપાવશે નહિ, ભલે તેમની ભાષા ન સમજાય પણ તે વસ્તુ છે. અને તે બરાબર જ્ઞાની પુરુષ નજરે બતાવી, સમજાવી શકે છે. તેમાં કોઈ જાતની ભાષાનું કામ નથી. તમે એટલું તો તેમની ભાષામાંથી સમજી શકયા છો કે સાધનની આજુબાજુના ભાગમાં રહેલું છે તો હવે આજુબાજુમાં તમને બતાવા ધારે તો બતાવી શકે, 1 પણ જ્યાં સુધી બીજા ધ્યાન આદિ કે યોગ વિગેરે કાર્યો પ્રત્યે મનનો પ્રેમ હોય ત્યાં સુધી તેઓ તે જ્ઞાન બતાવતા અટકે ખરા માટે તમે બીજી કોઈ પ્રકારની માગણી સિવાય એક આત્મજ્ઞાનની માગણી કર્યા કરો તેમ જ તેમની મરજી મુજબ વર્ચા કરો. તેમના પરિચય સિવાય અન્ય પરિચયને ત્યાગી દો તો તે પુરુષ જરૂર ખરી સિદ્ધિ છે કરાવી આપશે. - તમોએ તે કાગળમાં છેલ્લે તાજી કલમમાં જણાવ્યું છે કે ઘણી
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૧૯
For Personal & Private Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
વખત એમ કહે છે કે તમે કોના હુકમથી અહીંયા આવ્યા છો ? તમે બોલો છો તે કોણ છે ? તે જુઓ, તેને જાણો. આ બધું તુટક તુટક બોલે છે. આનો ભાવાર્થ એટલો જ નીકળે છે કે સંકલ્પ-વિકલ્પ ક્યાંથી જ ઊઠે છે. તેના વિચારને માટે તમે જે ધ્યાન કરો છો તે, સંકલ્પ- .. વિકલ્પને ઠામુક છોડી દઈ, સત્સંગ કરવાની પ્રેરણા શાથી થાય છે, કોણ કરાવે છે, વિગેરેનો વિચાર કરતાં જે નિર્ણય કરે છે તે નિર્ણય
કર્તા કોણ છે. તેને તમે જાણો છો એટલે આત્મા સિવાય બીજા કોઈને : જાણવાની જરૂર નથી. એવો ભાવાર્થ નીકળે છે.
કેટલીક સમજણમાં તમે આત્માને ઠેકાણે મનને સ્થાપી દ્યો ને છે. મનને ઠેકાણે આત્માને સ્થાપી દ્યો તો તેમાં ખરી વસ્તુસ્થિતિ સમજાય
નહિ. બધુંય કર્તવ્ય મનનું જ, તો તે મનના કર્તવ્યને જાણ્યું કોણે, અને એ કર્તવ્ય બધું મનનું છે એવો નિર્ણય કર્યો કોણે. તો તે નિર્ણય કરનારને તમે બરાબર સમજો કે જે વસ્તુનો નિર્ણય કરે તે વસ્તુનો જ નિર્ણય કરનારથી જુદો હોવો જોઈએ. નિર્ણય કરનારને તમે પકડો. આ
જે જાણવાને માટે જ ઉપરના તેમના વાક્યો હોય તેવું જણાય છે. આ પછી ખરું શું છે તે તેમના આત્માને લાગે તે ખરું. જ હમણા ઉપાધીમાં હતો તેથી કાગળ લખવામાં ઢીલ થઈ છે. તે
એ પત્ર નં. ૬ 9
સં. ૧૯૯૨ બીજા ભાદ. વદ ૨. ! પરમ સત્સંગ યોગ્ય ભાઈ શ્રી મોતીચંદ નરસીની સેવામાં, મું. બોટાદ
સાયલાથી લી. સેવક કાળીદાસ માવજી તથા વ્રજલાલ દેવજી તથા કે છોટાલાલ મગનલાલના જય સદ્ગુરુદેવ વંદન વાંચશો.
આપનો પત્ર મળ્યો. જે જે શંકાઓ દર્શાવી તે વાંચી છે. પણ ભાઈશ્રી હકીકત એવી છે કે જ્ઞાની પુરુષે કોઈ વાત કયા આશયથી અને કોના ઉપર તે લખી છે, તે હકીકતની મૂળથી માહિતી વિના તથા
૨૨૦
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
તે જ્ઞાનનો યથાર્થ નિરધાર થયા વિના જ્ઞાનીના શબ્દોનું રહસ્ય આવા પ્રકારનું છે તેવો નિર્ણય નિજ મતિ કલ્પનાએ કરવો તે બધી કલ્પના જ છે. આ હકીકત બધી આગળ પાછળના હેતુપૂર્વક જાણવી ઘટે છે. તે બાબતના ખુલાસા અમારી યથામતી અનુસાર લખ્યા છે. ખરું તત્ત્વ તો તે લખનાર જ્ઞાની ગમ્ય છે.
(૧) સુધા પછીના કેટલાક દર્શન અમને થયા છે. તે દર્શન ધ્યાનાદિકમાં ચમત્કાર તરીકે થયા હોય તેમ અમારી માન્યતા નથી. પણ તે દર્શન અપૂર્વ દશાસૂચક છે. કેવળ અસંગપણે, નિર્મોહપણે નિજસ્વરૂપ સ્થિતિએ પણ જ્યારે ઉપયોગ વર્તતો હોય ત્યારે દેહ દશાનું ભાન ભૂલી જતા આગળ દશા હોવી જોઈએ. દશાનું કોઈ રીતે ભાસવું થાય તેવા પ્રકારના દર્શનો થયા હોય તેવી અમારી તો માન્યતા છે.
(૨) સહસ્ત્રદળ કમળને વિષે આદિ પુરુષ તે કોને કહેલ છે તે પુસ્તકમાંથી સમજશો. અને તે સહસ્ત્રદળકમળ કદાચ ધ્યાન દ્વારા આવતું હોય તો ના નહિ પણ અમે તેનો અનુભવ કરેલ નથી. તેના દર્શન થાય તો તે વેદાન્તના હિસાબે જીવો જીવનમુક્ત ગણાય. જૈનના હિસાબે સમકિતી ગણાય. આમાં પણ ઘણાં વિકલ્પો થવાના સંભવ છે. ચોથા ગુણસ્થાનકે તો ગણાય તેવી અમારી માન્યતા છે. પછી તો હોય તે ખરું !
(૩) સહસ્ત્રદળકમળ જાણવામાં આવ્યા પછી જાણવાનું તો નહિ, પણ કર્તવ્ય તો બાકી રહે ખરું.
(૪) પરમાર્થ-પરમાર્થ પુરુષે આપ્યું હોય તો ત્યાં કેટલો લાભ થાય, તે લેનાર પુરુષની દશા ઉપર આધાર રાખે છે. તેમજ આપનાર પુરુષે કયા પ્રકારથી આપ્યું છે તે શું કલ્પી શકાય. બાકી પ૨માર્થ-પરમાર્થ પુરુષનું આપેલું હોય તો તમે લખો છો તેમ મોક્ષનો ઉપાય નીકટ છે. તો પણ સામાની યોગ્યતા ઉપર આધાર રહે ખરો. અપ્રગટ પુરુષોનું આપેલું જ્ઞાન વ્યવહાર સમકિત ગણાય પણ ખરું અને નો પણ ગણાય. માર્ગાનુસારી તથા મુમુક્ષુતાને વિષે પણ ઉપર કહ્યું છે તેમ જાણશો.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
૨૨૧
Page #253
--------------------------------------------------------------------------
________________
(૫) સુધારસ-જ્ઞાનથી આત્મજ્ઞાન અવશ્ય પામે, તેમ તે જ્ઞાનથી કોઈ જીવ ન પણ પામે. પ્રગટ સત્પુરુષના બોધથી પણ કોઈ જીવ જ્ઞાન પામે પણ ખરો અને ન પામે પણ ખરો. પ્રગટ સત્પુરુષના આપેલા વચનો તન-મન-ધનથી એકનિષ્ઠાથી આરાધે તો તેના વચનમાં જ કલ્યાણ રહ્યું છે. તેના એક વચનમાં અનંત આગમનું રહસ્ય રહ્યું છે, પણ તે જ્ઞાનીને જ્ઞાની રૂપે જ જાણ્યા હોય, રૂડે પ્રકારે તેનું વચન ઉઠાવ્યું હોય તો તે વચનથી કલ્યાણ છે. અને સુધારસ' સંબંધી પણ તેમજ જાણશો.
જૈન જ્ઞાનીપુરુષો બોધિબીજનું મહાત્મ્ય ગણે છે તે બરાબર છે. પણ બોધિબીજ કોને કહેવું તે પોતાની મતી અનુસાર બોધિબીજનો અર્થ કરવો નકામો છે. બીજજ્ઞાન અને બોધિબીજ આ બે શબ્દનો શું અર્થ ફેર છે તે વિચારશો. નિશ્ચય સમ્યક્ત્વ તે શાસ્ત્ર વાટે કોઈ રીતે સમજાતું નથી તે ચોક્કસ માનશો. પણ અનુભવથી તે સમજવા યોગ્ય છે. તમે લખ્યું તે સમ્યક્ત્વ કેવળનું બીજ તમે ગણતા હોય તો ભલે, કદાચ તેમ પણ હોય પણ અમારી માન્યતા મુજબ કૃપાળુદેવ શું કહે છે. તે છંદ બરાબર વિચારશો કે :
“પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસે; વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દીયે.’
આનો વિચાર કરશો. ભલે કૃપાળુદેવ કરતા વિશેષપણે શાસ્ત્રોમાં કહ્યું હશે પણ અમને તો તેમના કહેલા વચનોનો જ વિશ્વાસ છે. તેનો જ પ્રેમ છે. તે સિવાય બીજા શાસ્ત્રો પર પ્રેમ પણ નથી, તેમ અનુભવ પણ નથી. ખરું સ્વરૂપ પ્રગટ થયા પછી પડદો પડી જાય છે, એટલે નો જણાય. આ સ્થિતિ તે સ્વરૂપ સ્થિતિ અમારી માન્યતા મુજબ તો નથી. જે આનંદઘનજી મહારાજે ‘સાદી અનંત’ કહી છે. તે ‘સાદી’ થયા પછી નાશ થતી નથી. અને નાશ થાય તો ‘સાદી’ નથી, ત્યાં વિશેષ ખુલાશો શું લખું. ૬, ૭, આવલીકાના શબ્દોમાં અમે તો ઝ સમજતા નથી. આપના સમજવામાં, અનુભવમાં હોય તે સાચું. જૈન
૨૨૨
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
- શૈલી પ્રમાણે તેમ હોય તો અમને તે વિષે સંદેહ નથી. તેમ તે બાબતના છેઅમે તો અજાણ છીએ. માટે તેના વિષે વધારે અભિપ્રાય આપી શકતા છે.
નથી તો પણ અમારું ધારવું તે વિષે કૃપાળુદેવના અભિપ્રાય સાથે જોડાણ કરી જોશો. તેમાં જો વિષમતા ન આવે તો વાંધો નથી. પ્રબળ પુરુષાર્થ તમે લખો છો તે ઠીક પણ પ્રબળ પુરુષાર્થ કોને કહેવો અને સામાન્ય પુરુષાર્થ કોને કહેવો ? તે પુરુષાર્થનું સ્વરૂપ જ વિચારવા જેવું જ છે. જ્ઞાની પુરુષો કઈ જાતનો પુરુષાર્થ કરે તે સમજવા જેવું છે.
સહસ્ત્રદળ કમળમાં મૂર્તિમાન પુરુષોત્તમ ભગવાન પુરુષાકાર દિવ્યમૂર્તિ બિરાજે છે તેવું પ્રથમ તો શ્રીમદે લખ્યું નથી. અને લખ્યું છે તે આપણી છે. નિજ બુદ્ધિએ, નિજ કલ્પનાએ પ્રાપ્ત થાય તેવું તો અમને લાગતું નથી. છે.
નીજ છંદનસે ના મીલે, હેરો વૈકુંઠ ધામ,
સંતુ કૃપાસે પાઈએ, સો હરિ સબસે ઠામ.” બધી પ્રાપ્તિ સંતની કૃપામાં અને તેના અહોર્નિશ સમાગમમાં સમાયેલ છે. આપણને આપણી મતી કલ્પનાએ કાંઈ જણાય તેનો અનુભવ
જ્ઞાનીના અભિપ્રાય સાથે તાણીને મેળવો તે નકામો છે. અને તે મેળવવા છે. જ્ઞાનીપુરુષના ચરણ સેવ્યા વિના બીજો સુગમ ઉપાય અમને તો લાગતો .
નથી. મુક્ત થયેલા પુરુષો સ્વરૂપે તો એકપણે, દ્રવ્ય તો જુદા માનીએ છીએ પણ તે અનુભવસિદ્ધ વચન ન કહી શકાય. તેમ જ આવા વિચાર નકામાં છે. જેમ હશે તેમ તે સમયે જણાશે. અત્યારે કર્તવ્ય શું છે
છે તે વિચારી, તે કૃત પરાયણ થવામાં લાભ છે. કે આત્માનું ગુણ, લક્ષણ અને વેદનપણું કોને કહેવું તેનું સમાધાન કૃપાળુદેવના આશય મુજબ અમને તો નીચે મુજબ લાગે છે :
જ્ઞાન દર્શન ચારિત્ર લક્ષણ ગુણ સ્વરૂપનું વેદનપણું. શબ્દાર્થ આ મુજબ છે. પણ તે ત્રણે અભેદ પરિણામે આત્માનું થયું ? છે તેમ કહેવાય એજ.
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૨૩
For Personal & Private Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
મારી અલ્પ બુદ્ધિ અનુસાર જવાબ આપેલા છે. ખરું તત્ત્વજ્ઞાની : ગમ્ય. હિત-અહિત લાગે તો ક્ષમા આપશો. કાગળથી સમજાય તે ' કરતાં સમાગમ હોય તો વિશેષ સમજાય.
૪) પત્ર નં. ૭ જ . છે ૩ૐ શ્રી સરુષના ચરણકમળમાં અનન્ય ભક્તિભાવે નમસ્કાર
સંવત્ ૧૯૯૪ના મહા વદી ૭ પરમ જીજ્ઞાસુ ભાઈ પરસોતમ હમજીની સેવામાં, મુ. અમલનેર
સાયલાથી લી. નમ્ર બાળ કાળીદાસ માવજીના દંડવત્ પ્રણામ જ વાંચશો. છે વિ. ઘણાં દિવસ પહેલા આપનો વિશેષ વિગતથી ત્રણ પ્રશ્નો
સાથેનો પત્ર મને મળ્યો હતો તથા આર્જનો બીજો પત્ર ક્ષમાપનાનો તે પણ મળ્યો છે.
આપ ક્ષમા માગવાને યોગ્ય નથી, ક્ષમા માગવાને હું યોગ્ય છું. તો છે વ્યવહાર પ્રસંગોમાં તેમ જ પરમાર્થ પ્રસંગોમાં આપની લાગણી મારાથી ! દુભાણી હશે તેમ મને લાગે છે. તો આપ દોષોને દરગુજર કરી મારા જ અવિનયની, દોષોની માફી આપશો. જો કે આપે લખ્યું કે દેહ ક્યારે છૂટો થશે તે કંઈ કહી શકાતું નથી. તો આપ વયમાં વૃદ્ધ છો તેથી એમ અનુમાન થાય, તે બરાબર છે. કાળની ગતિ એવી છે કે વૃદ્ધ, યુવાન છે. કે સામાન્ય વયના માણસોને પણ ક્યારે કોળિઓ કરી જશે તે અનુમાનમાં આવી શકતું નથી. માટે સર્વેને માટે ભય છે. તે અજ્ઞાન અવસ્થા હોય છે ત્યાં સુધી ઊભો જ છે. જ્યારે આ દેહની સાથેનો સંબંધ તદ્દન નિવૃત્ત થાય અને આત્મદષ્ટિ જાગૃત રહેતી હોય, તો એક જૂનું ને જીર્ણ વસ્ત્ર બદલાવી તાજું વસ્ત્ર પહેરવા જેવું છે, તેથી કાંઈ આત્મગુણની હાની થવાની નથી. જ્યાં આત્મગુણની હાની ક્ષણે ક્ષણે થાય છે તે જ ભાવ
૨૨૪
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
મરણ છે. માટે ભય ભાવ મરણનો રાખવો યોગ્ય છે. દ્રવ્ય મરણ તો પુદ્ગલીક દેહનું મરણ છે, પણ આત્માનું અમરત્વપણું જો યથાર્થ છે સમજીને પ્રાપ્ત થયું હોય તો દ્રવય મરણથી કાંઈ હાની નથી.
બીજું આપના મનને કાંઈક એમ લાગે છે કે પ્રથમ તમે જે લાંબી વિગતથી કાગળ લખ્યો છે, તેથી તમારા તરફથી મને કંઈ દુ:ખ લાગ્યું છે ' હોય, પણ તે વિચાર તમો જરાપણ લાવશો નહિ, ને તેમાં મને દુ:ખ ! લાગે તેવો મારો ને તમારો પ્રેમ નથી. શ્રી(ગોળ) કોઠારીને ઘેર ગયા ત્યારે તમે અને મેં કઈ જાતની પ્રતિજ્ઞા આપણે બે વચ્ચે કરી હતી, તે મને તો સ્મૃતિમાં છે, તેમ તમને પણ હશે ને તેના અંગે તમે લખવાના જ હક્કદાર છો. આ તો શું પણ તેથી વિશેષ લખવાને હક્કદાર છો. હવે * તે બાબતનો ખુલાસો નીચેની વિગતથી જાણશો.
તમારા મનમાં એમ હશે કે બાપા (હકા ભગત-ઝીં ઝુડા)ની આ વધારે સેવા થઈ શકી નહિ, થઈ હોત તો વધારે લાભ થાત, પણ
જેવા પ્રકારથી, જેટલા અંશે જ્ઞાનીની ઓળખાણ જીવને થાય છે, જ છે તેવા જ પ્રકારે ને તેટલા જ અંશે જ્ઞાની પ્રત્યે પ્રેમ ઉલસે છે. હવે તે ' પોતાની જેટલી યોગ્યતા હોય, તેટલી જ જ્ઞાનીની ઓળખાણ પડે !
છે. તે યોગ્યતામાં જો ન્યૂનતા હોય તો વિશેષ ઓળખાણ પડવામાં વિઘ્નરૂપ થાય છે. હવે આ ઠેકાણે તમે એમ કહો કે તમે એમ * સ્પષ્ટ શા માટે ન કહ્યું કે તન, મન, ધન અર્પણ કરી, આ પુરુષની જ છે સેવા થાય તેટલી કરો.
આવી શંકા કરો તો થઈ શકે કે કદાચ એમ કીધું હોય તો તમને જે લાભ થયો છે તેથી વિશેષ પ્રકારનો જે લાભ થવાની જરૂર હતી, અને મને પણ જણાતી હતી. પણ તે લાભ તેમના તરફથી થાય તેવું મારું
માનવું ન હતું, કારણ કે તેમનો માર્ગ જ્ઞાન ગરમીત અને ભક્તિ છે. પ્રધાન હતો, હવે તેવી ભક્તિ તો જીવન પર્યત સેવા પુરુષનાં ચરણકમળ છે. તન-મન-ધનથી સેવાય તો જ આવે, અગર સંપૂર્ણ જ્ઞાનમાર્ગ પ્રત્યક્ષ
જ્ઞાની આશ્રયે સમજાય તો જ આવે. હવે કાયમ તેના સમાગમમાં તે રહેવું આપ જેવાને માટે બહુ અશક્ય લાગતું હતું, કારણ કે તમારી છે
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૨૫
For Personal & Private Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
જ શરીર પ્રકૃતિ તેમ જ તમારી તાસીર હું સાથે આવતો ત્યારે જોયા
કરતો હતો, અને તમારા માટે તેમ રહેવું અશક્ય લાગતું હતું, તેમ જ તમને તેમના પાસે કદાચ કાયમ રહેવાનું કહું તો તમને એમ પણ છે વિચાર આવે કે મને કહે છે અને પોતે તો તેમ કરવાનો, નાની વય છે કે
છતાં કાં વિચાર કરતો નથી ? આવી પણ મને શંકા રહેતી તેથી તે કરતા જો તમને જ્ઞાનમાર્ગનું સંપૂર્ણ જાણપણું થાય તો ભક્તિ તેમાં જ સાથે આવી જશે એમ ધારી જ્ઞાન માર્ગ તરફ આપને ખેંચતો આવ્યો હતો. હવે જ્ઞાનમાર્ગમાં પરમાત્માએ જુદા પાડવાનું નિમિત્ત ઊભું કર્યું, છતાં મારી અને તમારી આકર્ષણ શક્તિ તો જેવી ને તેવી જાગૃત હતી, તેથી જલગામ મારે આવવાનું બન્યું, પણ પરમાત્માની મરજી તેમાં પણ વિરોધી હતી, મારો તો વિચાર હજુ તે જ્ઞાનમાર્ગ આપને બરાબર સમજાવવા માટે જ ફાંફાં મારે છે, પણ કઈ રીતે સમજાવવું તે સુજતું નથી. હવે ચોખ્ખા શબ્દોમાં આજ તો લખું છું કે બાપા તરફથી તમને થયેલ લાભ દ્રષ્ટિમાં આવતો નહીં હોય, પણ અમને એમ લાગે છે કે સોળસોળ આના માર્ગની પ્રાપ્તિ બાપાનાં પ્રતાપે થઈ છે. પણ તે પ્રાપ્તિની ઓળખાણ આપને પડતી નથી તેથી શાંતિ પૂરી અનુભવી શકાતી નથી, ને પોતાના સ્વરૂપની હજુ શંકા રહ્યા કરે છે. તે પણ અત્યારે અહીંનું વાતાવરણ અમારા ચાર પાંચ જણાનું પરમાત્માએ એવું ભેગું કર્યું છે કે તેવા સત્સંગમાં એક છ મહિના આપ હો તો પોતાના સ્વરૂપની યથાર્થ ઓળખાણ થાય તેમાં જરા પણ શંકા રહેવા પામે નહીં.
સ્વરૂપની પ્રાપ્તિ જ્ઞાની પુરુષે બે પ્રકારે કહી છે. એક અવ્યક્ત રીતે અને બીજી વ્યક્ત રીતે. હવે વ્યક્ત શબ્દનો અર્થ સ્પષ્ટ, અપરોક્ષ, પ્રત્યક્ષ એમ થાય છે અને અવ્યક્ત શબ્દનો અર્થ અસ્પષ્ટ, પરોક્ષ અને અપ્રત્યક્ષ થાય છે. તેમાં આપને અવ્યક્ત રીતે તો સ્વરૂપની પ્રાપ્તિ છે પણ તે વ્યક્ત રીતે થાય તો જીવતાં મોક્ષનું સુખ અગર તો જીવન મુક્ત દશા તે અહીં જ દેહધારીપણે અનુભવાય જ, તેનો ઉધારો હોય છે જ નહીં.
૨૨૬
|
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
For Personal & Private Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
કે તેમ હવે બીજું પણ લખું છું કે બાપા (હકાબાપા) ચાલ્યા ગયા )
એટલે સમાર્ગનો લોપ થઈ ગયો અગર તો સત્પરુષ રહિત ભૂમિ થઈ ? ગઈ તેમ માનશો નહીં. હજુ તેની પ્રાપ્તિ થાય તેવો સંભવ છે તે ચોક્કસ માનજો, પણ લખનાર પુરુષ પ્રત્યે જેટલી તમારી શ્રદ્ધા હશે , તેટલું જ તેનું લખેલું વાક્ય સત્ય લાગશે, છતાં હું તો મારી ફરજ અદા | કરવા લખી છૂટું છું. જેમ કલ્પના કરવી ઘટે તેમ કરશો. કરવા ઘટે તેમ કરશો.
૪ બીજી પણ એક વાત આપને ઘણા વખતથી કહેવી છે છતાં નથી કે | કહેલ તે આજે કહું છું કે આપને સિદ્ધિ, ચમત્કાર કે પૂર્વભવ સંબંધી |
જ્ઞાન (જી) હોય તો જ જ્ઞાની કહેવાય તેવા પ્રકારની માન્યતા છે. તે આ માન્યતા જવા અર્થે કૃપાળુદેવનું પદ કે જેને “મૂળ માર્ગ” કહ્યો છે તે છે લખું છું. જો કે તે પદ આખું આપના સમજવામાં છે, તથા ઘણી વખત | વાંચ્યું પણ છે, તો પણ તેમાં જે અપૂર્વ માર્ગ બતાવ્યો છે તે ઉપર આપનું લક્ષ ગયું નથી માટે લખું છું. “છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂ.મા. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” મૂ.મા. હવે આ પદને પહેલા વિચારો-દેહાદિથી - સ્થૂલ દેહ, તેજસ દેહ, તે કાર્યણ દેહ બીજા ધર્મવાળા, શૂળ, સૂક્ષ્મ, કારણ તે ત્રણ દેહ કહે છે. ' હવે તે ત્રણે દેહથી અને ત્રણે દેહથી થતી ક્રિયાથી આત્મા ભિન્ન છે, તે કારણ કે આત્મા અક્રિય છે. દેહ કહ્યા તે ક્રિયાવાન છે, જે જે ક્રિયા છે ત્રણ દેહમાંના ગમે તે દેહથી થતી હોય તો તેનો જાણનાર જ્ઞાયક ? સ્વભાવવાળો પોતે આત્મા છે. હવે જે જે ક્રિયા થાય છે તે ક્રિયા જાણનાર, જે ત્રણ પ્રકારના દેહ તેનાથી પોતે જુદા વિના તે ક્રિયાને જ કોણ જાણે ? માટે તે દેહાદિથી એટલે અંદરની અને બહારની, ૪
માનસિક અને દેહીક, તમામ ક્રિયાનો સમાવેશ થઈ જાય છે. એ બધી ક્રિયા પુદ્ગલીક છે. આત્મા તેથી જુદો સ્વઉપયોગી એટલે પોતાના સ્વરૂપથી કોઈપણ કાળે રહિત નહીં તેવો અવિનાશી પદાર્થ છે. તે આત્માને જાણવા માટે સદ્ગુરુના ઉપદેશથી, તે ત્રણે દેહ કોને કોને ..
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા છે
For Personal & Private Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
કહેવાય, તેની શું શું ક્રિયા છે, કેવા પ્રકારે થાય છે, તે સમજવું તેનું નામ જ્ઞાન છે. હવે આપને સમજવા માટે સ્થૂળ દેહ તો તમે સમજી શકો છો. પણ તેજસ અને કારમણ શરીર કોને કહેવા તે મારી બુદ્ધિ અનુસાર મહાપુરુષો કહે છે તેમ કહું છું.
શરીરમાં પાચન ક્રિયા થવી તે. શરીરની કાન્તિ જણાય તે. શરીરમાં ગ૨મી રહ્યા કરે છે તે તેજસ શરીરની ક્રિયા છે.
કારમણ શરીર છે તે નવા કર્મના પુદ્દગલોને ગ્રહણ કરે છે. પાંચ ઇન્દ્રિયો દ્વારા પાંચ ઇન્દ્રિયના વિષયને સ્થૂળ દેહ ભોગવે અને અજ્ઞાનપણું હોવાથી એટલે પોતાના સ્વરૂપનું ભાન નહિ હોવાથી, તેમાં (૨તીઅરતી) એટલે સારા-નઠારાપણું એવો ઉત્પન્ન થતો ભાવ છે. તે થવાથી કાર્યણ શરીર કર્મ પુદ્ગલને ગ્રહણ કરે છે. આવા ત્રણ પ્રકારના દેહ છે. તેની ક્રિયાથી આત્મા જુદો છે, ને તે સ્વઉપયોગી છે અને અવિનાશી છે એમ જે જાણ્યું તેનું નામ શાન કહ્યું છે,
“જે જ્ઞાને કરીને જાણીયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતિત., મૂ.મા. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત.” મૂ.મા.
હવે ઉપર કહ્યા તે બધા પ્રકારની પુદ્ગલીક ક્રિયા, જે હું કરું છું તે ક્રિયા મારી છે એવા પ્રકારની અજ્ઞાન દશા, તે સદ્ગુરુનો યોગ પામી નિવૃત કરીને જે સ્વ-સ્વરૂપ તેનાથી જુદું છે, તેમ જે જ્ઞાને કરીને જાણ્યું તે જ્ઞાન, સ્વભાવથી શુદ્ધપણે પ્રતિતી થાય કે પરભાવ એટલે પુદ્ગલીક ભાવથી રહીત જે ક્રિયા તેને જાણનાર માટે જ્ઞાયક સ્વભાવ તે ક્રિયાનો સાક્ષીરૂપ અચળ પદાર્થ છે. તે આત્માની શુદ્ધ પ્રતિતી આવે તેને ભગવંતે દર્શન અથવા સમકિત કહ્યું છે.
પ્રથમ પદમાં શાન કહ્યું, બીજા પદમાં દર્શન કહ્યું હવે ત્રીજા પદમાં ચારિત્ર કહે છે.
“જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂ.મા. તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ... મૂ.મા.
૨૨૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
ઉપર કહ્યા તે પ્રકારે જેમ જેમ જીવની પ્રતિતી આવતી ગઈ તેમ તેમ સર્વ ક્રિયાથી ભિન્ન અને અસંગ સ્વરૂપ પોતાને ભાસ્યમાન થતું ગયુ. સદ્વિચાર કરતા કરતા સમ્યજ્ઞાનના બળથી, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અને અસંગપણું પોતાને પ્રતિત થયું. તે પ્રતિતી કાયમી હોવારૂપ જે પોતાનો સ્થિર સ્વભાવ એટલે પોતાના સ્વરૂપમાં અસ્થિ૨પણાની જે માન્યતા હતી તે અજ્ઞાનની નિવૃત્તિ થવાથી ટળી ગઈ અને સ્થિરપણાની જે માન્યતા કાયમ હોવારૂપ જણાયું, તે સ્થિર સ્વભાવ કાયમ હોવાથી ચારિત્ર દશા તેને કહી છે. તે ચારિત્ર અણલિંગ એટલે પંચ મહાવ્રતનો વેષ ધારણ કરવો તે લિંગ ધારણ કર્યું કહેવાય અને આ જે લિંગ વગરનું ભાવ ચારિત્ર અણલિંગી છે, ને વેષ ધારણ કરવો તે દ્રવ્યલિંગને દ્રવ્ય ચારિત્ર કહેવાય છે. તે દ્રવ્ય ચારિત્ર ભાવ ચારિત્ર લાવવાના અર્થે છે. હવે પ્રથમ પદમાં જ્ઞાન, બીજા પદમાં દર્શન અને ત્રીજા પદમાં ચારિત્ર એમ ત્રણે જુદી જુદી રીતે ત્રણેના સ્વરૂપ બતાવી તેને અભેદપણે એટલે એક સ્વરૂપે તે ત્રણેને સમજવા માટે કહે છે કે;
“તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂ.મા. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ...” મૂ.મા. તે અભેદ કેવી રીતે ?
પરથી જુદું, પોતાનું સ્વરૂપ હોવારૂપ તે જ્ઞાન, તે જ્ઞાનસ્વરૂપ હું જ છું તેવી પ્રતિતી તે દર્શન, તે જ્ઞાનસ્વરૂપ હું પોતે આત્મા છું, તો બીજો સર્વ વિભાવ તે મારો નથી. હું તેનાથી પર જુદો તે જ્ઞાયક સ્વભાવ, નહીં ટળવારૂપ સ્થિર હું આત્મા છું તે ચારિત્ર.
હવે જ્ઞાન-દર્શન-ચારિત્રની એકતા, જ્ઞાનથી જુદું આત્મસ્વરૂપ બીજું કંઈ પણ નથી. માટે જ્ઞાન તે જ આત્મા. તે જ્ઞાનસ્વરૂપ જ આત્મા છે, તો તે સિવાય બીજો બધો અન્યભાવ છે અને તે જ્ઞાન સ્વભાવ જ મારો છે. એટલે તેથી વિશેષ આત્મસ્વરૂપ પ્રતિતીપણે જાણ્યું તે દર્શન. પ્રથમ જાણ્યું તે જ જ્ઞાનને વિશેષપણે પ્રતિતીમાં આપ્યું તે દર્શન. પણ જ્ઞાન તો તેનું તે જ. હવે જે વિશેષ પ્રતિતીથી આત્મસ્વરૂપને જાણ્યું છે તે જ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
૨૯
Page #261
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ અહીં સર્વ પદાર્થથી ભિન્ન, અસંગ, નિર્મળપણે વ્યક્ત રીતે ? ભાસતો, સ્પષ્ટ રવરૂપ ભાસે અને પોતાનો સ્થિર સ્વભાવ પ્રગટ કરે તે ચારિત્ર.
હવે સ્થિર સ્વભાવ કોનો ? તો કહે આત્માનો. પ્રતિતી કોની ? તો કહે આત્માની. પ્રથમ પદમાં જ્ઞાન કોનું? તો કહે આત્માનું.
આ ત્રણે પ્રકારે અભેદપણે આત્મસ્વરૂપ પામવું તેનું નામ “જિનનો * માર્ગ પામ્યો” અગર તો “સ્વસ્વરૂપ પામ્યો.”
હવે આ લાંબું લખાણ કરવાનું કારણ કે આમાં સિદ્ધિ, ચમત્કાર [ કયે ઠેકાણે કહ્યો છે કે સિદ્ધિ ચમત્કાર હોય તો જ જ્ઞાનીપણું માનવું. ' હવે ત્રણ પદમાં પહેલેથી બીજું પદ પામ્યો ત્યાંથી તે છેવટે સંપૂર્ણ - દશા પામે ત્યાં સુધીમાં જ્ઞાનીપણું તે જીવને કહ્યું છે. છે. ટૂંકમાં સમજવા માટે ચોથે ગુણઠાણે સમકિતની પ્રાપ્તિ કીધી છે, 1 તેથી તે છેવટના તેરમા ગુણઠાણાના જ્ઞાનમાં (દર્શનમાં) અને ચોથાના
જ્ઞાનમાં (દર્શનમાં) કંઈ ભેદ નથી. ફેર પ્રારબ્ધ કર્મનો ભોગ-કોઈને થોડો, કોઈને વિશેષ, અને તેને લઈને જ્ઞાનની તારતમ્યતા ઓછી
વધતી હોય છે. પણ આત્મસ્વરૂપ તો જે પ્રકારે તેરમા ગુણસ્થાનકવાળા તે જાણે છે તે જ પ્રકારે ચોથાવાળા જાણે છે. માટે હવે આ લખવાનો હેતુ છે 1 એવો છે કે આ દેહમાં આત્મબુદ્ધિ તો તમને ઘણા વખતથી નિવૃત્ત થઈ જ છે, પણ તે સૂક્ષ્મપણે બધી રીતે આપને સમજવામાં ન હોય છતાં કુદરતી તો આત્મવૃત્તિ રહ્યા કરે છે તેમ તમારા લખાણ ઉપરથી જણાય છે. છતાં તે સ્વરૂપ હજી પામ્યો નથી. કેમ પમાતું નથી ? કેવા પ્રકારે પમાતું હશે ? પામ્યા પછી એકદમ અચાનક કોઈ અભૂત દશા બીજાઓના જાણવામાં આવી શકે તેવી થતી હશે ? કે કોઈ પ્રકારની સિદ્ધિ ચમત્કાર થતો હશે ? કે કોઈ પૂર્વભવ વિગેરે સમજવામાં બધાને . આવી જતા હશે ? ત્યારે જ સ્વરૂપ પ્રાપ્તિ થઈ ગણાય. આવા
૨૩૦
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
જ પ્રકારની શંકાઓ તમારા મનને હોય તેમ મને લાગે છે. પણ આ બધી જ
શંકાઓ જો સત્સંગ દ્વારા સમજીને નિવૃત્ત થાય તો આત્મસ્વરૂપ આપને 1 વિશેષ દૃઢ થાય, ત્યારે શાંતિ પામો તેમ છો એમ મને તો લાગે છે. ' છે. પણ હવે તેવો જોગ નથી. કાગળ કેટલું લખાય. છે તમારા ત્રીજા પ્રશ્નનું સમાધાન નીચે પ્રમાણે સમજશો :
રાગદ્વેષનું સ્વરૂપ પુદ્ગલીક પદાર્થ અથવા તો માયીક પદાર્થ પામવાથી, * તે પદાર્થ પ્રત્યે મોહ હોવાથી જીવમાં ઉલ્લાસ પરિણામ થાય તે “રાગ” છે અને તે પદાર્થ મોહને લીધે ઝંખના કરતા પ્રાપ્ત ન થવાથી થતો ખેદ
તે દ્વેષ'.
' ઉપર કહ્યા તે રાગ ને દ્વેષ ભવને વધારે છે. બાકી તો રાગના ઘણા જ તે પ્રકાર છે. સામાન્ય, મધ્યમ, તીવ્ર, જે ઉપર કહ્યાં તેવી રીતે રાગ થાય,
ને ન મળવાથી ખેદ અને ચિંતા થાય તે દ્વેષભાવના બીજરૂપ છે. ' - હવે રાગદ્વેષ જ્યાં ન હોય ત્યાં આત્મા અને પુદ્ગલની વહેંચણી જ
થાય તેને ભેદજ્ઞાન કહે છે. અને ભેદજ્ઞાન દઢ થવાથી પુદ્ગલીક વસ્તુ ' મળવાથી આનંદ કે ઉલ્લાસ ન પામે, ને ન મળવાથી ખેદ ન થાય. !
આનું નામ વૈરાગ્ય છે. અને પર વસ્તુ ઉપરથી મોહ ભાવ નિવૃત્તિ થયો તેનું નામ ત્યાગ છે. આ ત્યાગ વૈરાગ્ય ન હોય તો સ્વરૂપનો ભેદ જાણ્યો તે ન જાણ્યા બરાબર છે. પણ આંતરીક ક્રિયા છે તે બહારની દૃષ્ટિથી જોનારનાં સમજવામાં ન પણ આવે.
હવે તમે લખો છો કે પાડોસીનું ઉઘાડું દુખ હું જોઈ શકતો નથી તો - આ રાગ નથી, પણ આ તો દયા અગર અનુકંપા બુદ્ધિ છે. અને તે તો એ જ્ઞાનીઓને સંસારી જીવ ઉપર વિશેષ પ્રકારે હોય છે. માટે તે રાગ નથી ! પણ અનુકંપા છે. રાગ અને દ્વેષના પ્રકાર ઘણાં છે. તેમાં મુખ્ય કરીને ભાવ વધારનાર રાગ પુદ્ગલીક વસ્તુ ઉપર મોહાસક્તિપણે હોય તેથી નિવૃત થવું જોઈએ. તેમજ મોહાસક્તિને લઈ કોઈ પણ પુદ્ગલીક વસ્તુની અપ્રાપ્તિથી દ્વેષ હોય અને તેથી જે ખેદ ઉત્પન્ન થાય છે તે દ્વેષ, તે ટાળવો જોઈએ. મતલબમાં પુદ્ગલીક વસ્તુ મળવાથી હર્ષ તે “રાગ,”
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૩૧
For Personal & Private Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
જ નહીં મળવાથી ખેદ તે દ્વેષ છે. તે નિવૃત કરવા જોઈએ.
જીવની બે પ્રકારે સ્થિતિ હોય છે, બહિર્મુખ એટલે બહારનાં વિષયમાં લોલુપ્તા અને તે પ્રાપ્ત કરવામાં જ દોડ તેનું નામ બહિર્મુખપણું અને તેવા પ્રકારથી જીવ પોતાના સ્વરૂપનો વિચાર કરી આ મારા નથી હું તેનાથી પર છું, તે ક્ષણિક છે, હું અવિનાશી છું એમ વિચારી તે તે પ્રસંગોથી જેટલો જેટલો નિવૃત ભાવ જીવ ભજે તે અંતર્મુખપણું જ છે. અને અંતર્મુખપણું થાય તો મોહ નિવૃત થતા વાર લાગે નહીં.
કારણ કે મોહ અજ્ઞાનથી થાય છે. અજ્ઞાન, અંતર્મુખ ઉપયોગ હોવાથી 1 નાશ પામે છે. અને અજ્ઞાન નાશ થયે જ્ઞાનભાવ જાગૃત થાય છે. આ
જ્ઞાનભાવ જાગૃત થયે અન્ય ભાવમાં તાદાભ્યપણું ટળે એટલે મોહભાવ નિવૃત થાય. આ પ્રકારે સમજવાની જરૂર છે. સમજ્યા પછી તેનો જ ઉપયોગ થાય છે.
ભાઈશ્રી બહારનું બધુ જાણવામાં જીવે પ્રયત્ન કર્યો છે, પણ અંદરનું છે જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો. માટે જેમ બને તેમ અંદરની ચેતન જ અને જડની વ્યવસ્થા, આગળ જ્ઞાની પુરુષો કહી ગયા છે તે પ્રકારે જ
સમજી જડ સ્વભાવનો ત્યાગ કરી અને આત્મ સ્વભાવનું આવિર્ભાવપણું છે થાય તેમ વિચારણા કરવાની છે, તેમાં કોઈ મહેનત-મુસીબત નથી. ભલે દેહની ગમે તેવી સ્થિતિ હોય પણ સવિચારનું બળ અને તે બળ . વધે એવો સમાગમ, તે ન હોય તો તેવા પુસ્તકોનું વાંચન-વિચારણા જ થાય તેટલું કરવાથી જરૂર આત્મ સ્વભાવ દઢ થયે તે સ્વભાવમાં લીન ૪
થયે જ છૂટકો છે. તેમાં ઘણા પ્રકારે તો તેમ થયા છો, છતાં તપાયમાન 1 રહ્યા કરો છો તે સમજણની ખામી છે. બીજી કોઈ કચાસ નથી. અને તેથી જ પોતાનું અસંગપણે નિશ્ચયપણે સમજાતું નથી. સમજણની ખામી છે તેવા શબ્દો લખ્યા છે તો માફ કરશો.
આપને પત્ર લખવાનો વિચાર ઘણા દિવસથી હતો પણ તેવી જ નિવૃત્તિ, ન હતી તેમ જ ઘણી ઘણી બાબતો આપને લખવાની સૂઝી છે
આવે છે, પણ કઈ કઈ અને કેવી રીતે લખવું તે વિચારમાં બુદ્ધિબળ
૨૩૨
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
પહોંચતું નથી, તેથી વળી તે લખવાનો વિચાર માંડી વાળવાનું થાય છે. ખરી શાંતિ યથાર્થ બોધ કે વસ્તુસ્થિતિ સમજમાં છે. વસ્તુમાં સમજવાની બે વસ્તુ જડ અને ચેતન.” છે. આ બંને પદાર્થનો સંબંધ કેવી રીતે થાય છે, બન્ને દ્રવ્ય કેવી રીતે દેહમાં એક ક્ષેત્રાવગાહીપણે રહ્યા છે અને તે કઈ ક્રિયા અને કેવા 4 પ્રકારે થાય છે. આ બધું જો તમને સમજાય તો કંઈ દુઃખ નથી. હવે કદાચ તેવા પુસ્તક વાંચવા મોકલું તો જૈન પરિભાષાના શબ્દો જે
તમો બરાબર સમજી શકો નહીં તેથી પણ તમે મુંઝાયા કરો, તેમ 1 સમાગમ બનવો મુશ્કેલ, નહિતર મારા કરતાં પણ વિશેષ છોટાભાઈ જ છે તથા વ્રજલાલ સમજાવી શકે તેમ છે, અને તેમને અહીં ઘણા ભાગે છે નિવૃત્તિ છે. પણ તમારાથી હવે આવવું મુશ્કેલ થયું ત્યાં શું ઉપાય ? છતાં હવે તમે તે બાબતનો અફસોસ છોડી દયો તો સારું કારણ કે
જે થયું તે ઘણું થયું છે ને ખરું થયું છે. માટે શાંતિમાં રહેવાનો 1 અભ્યાસ હવે તો વધારો.
આત્મા નામનો પદાર્થ અરૂપી હોવાથી જ્ઞાની પુરુષોએ તેને લક્ષણાદિ ભેદથી તેનું સ્વરૂપ બતાવ્યું છે. લક્ષણ ગુણ અને વેદનપણે આત્મા ' સ્વરૂપ સમજવું એટલે પ્રથમ બતાવ્યા તે જ્ઞાન, દર્શન, ચારિત્ર પણ તે ! છે જ છે. તે ત્રણે પ્રકારે આત્મસ્વરૂપ સમજવું, જાણવું અને અનુભવમાં
લાવવું અને તે જ પદમાં સ્થિતિ થવી તે જ્ઞાનદશા છે. આ જ્ઞાનદશા
ચોથા ગુણસ્થાનકથી માંડી ઉત્તરોત્તર વધતી વધતી તેરમાં ગુણસ્થાનક છે. સુધી છે. તેરમે પુરણ સ્વરૂપની પ્રાપ્તિ હોય છે.
હવે જ્ઞાનપણું, જીવે પોતાની કલ્પના મુજબ દૃષ્ટિ કલ્પી લીધેલી ન હોવાથી, જ્ઞાની પુરુષની ઓળખાણ પડવી બહુ કઠીન છે. તીવ્ર મુમુક્ષતા ઉત્પન્ન થયે, દર્શન મોહનો નાશ થયે તે જ્ઞાની પુરુષની ઓળખાણ થાય છે છે. જ્ઞાનીપુરુષની ઓળખાણ નહીં થવાનું કારણ એવું લાગે છે કે ! ચોથા ગુણ સ્થાનકે સ્વરૂપની પ્રતિતી તો બરાબર છે, પણ કષાય અને જે ચારિત્ર મોહનો ઉદય અમુક ગુણસ્થાનક સુધી હોય છે તેથી તે પુરુષનો |
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૩૩
For Personal & Private Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર બહાર દૃષ્ટિથી અજ્ઞાનીના જેવો હોવાથી, જ્ઞાનીપણું દૃષ્ટિગોચર થતું નથી. તેમ જ જીવની માન્યતા એવી હોય છે કે તદ્દન રાગ, દ્વેષ, કષાય જ્ઞાની પુરુષમાં હોય જ નહીં એટલે સંપૂર્ણ જ્ઞાનીપુરુષના લક્ષણો ઓછી ભૂમિકાવાળામાં સંપૂર્ણપણે હોતા નથી તેથી જીવ જ્ઞાની પુરુષથી વિમુખ રહ્યા કરે છે. પણ જ્ઞાનીપણું જે પ્રકારે મહાપુરુષોએ શાસ્ત્ર દ્વારા કહ્યું છે તેનો લક્ષ સત્સમાગમ વિના થતો નથી; નહીંતર જ્ઞાન તે તો સહજ સ્વભાવિક વસ્તુ છે. સરળ અને સર્વ જીવ પામી શકે તેવી છે. પણ આ તો અસત્સંગના આશ્રયથી જીવને હાઉ થઈ પડ્યું છે. જે પ્રકારે આત્માનું સ્વરૂપ જ્ઞાની પુરુષે કહ્યું છે તે પ્રકારે સદ્ગુરુ દ્વારા સમજી તે પદમાં સ્થિતિ કરવી તે સ્વભાવ અને તેથી ઉલટી રીતે એટલે કે પુદ્ગલીક ભાવ જે અંદરમાં ઉત્પન્ન થાય છે તે મારા છે, મને થાય છે. આ પ્રકારનું પરિણામ થાય તે વિભાવ છે. હવે જેટલો વિભાવ સમજી ત્યાગ થાય તેટલો તેટલો સ્વભાવ પ્રગટ થાય છે. પણ આ વસ્તુ યથાર્થપણે સમજવામાં આવવી જોઈએ અને તે સમજવાનું સાધન મુખ્ય તો સત્પુરુષ અને સત્સંગ અને ત્રીજે નંબરે સત્શાસ્ત્ર છે. આત્મસિદ્ધિશાસ્ત્રમાં કહ્યું છે કે :
“કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ,
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.” આ. શિ. ૧૦૨
કર્મની વળગણા અનંત પ્રકારની છે, પણ તે અનંત પ્રકારના કર્મના બીજભૂત કર્મ આઠ છે. અને તે આઠ કર્મનો બીજભૂત કર્મ એક મોહનીય કર્મ જ્ઞાનીપુરુષો કહે છે.
હવે તે મોહનીય કર્મ કેવી રીતે હણાય તે નીચેના દોહરામાં કહે છે :
૨૩૪
‘કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ;
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.’ આ. શિ. ૧૦૩
હવે મોહનીય કર્મના બે ભેદ કહે છે. એક દર્શન મોહનીય અને બીજું ચારિત્ર મોહનીય. હવે પ્રથમ દર્શન મોહનીય કોને કહેવું તે પ્રથમ સમજવું જોઈએ. એક વસ્તુ જે સ્વરૂપે છે, તે સ્વરૂપે તે વસ્તુ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
કે નહીં જાણતા તેથી ઉલટી રીતે તે વસ્તુનું સ્વરૂપ જાણવું તેનું નામ છે છે દર્શન મોહનીય છે. અહીં આત્મા અને પુદ્ગલ તે બેમાં વિચારવાનું ' છે. આ દેહની અંદર જે જે સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષ પરિણામ. આ છે. કષાય આદિ જે જે મિથ્યાત્વભાવ અગર વિભાવ ઉત્પન્ન થાય છે તે છે ! મને થાય છે, આત્મામાં ઉત્પન્ન થાય છે, તેવા પ્રકારે પુદ્ગલીક પરિણામને જ દર્શનમોહ હોવાપણાને લીધે આત્મીક પરિણામ માને, તેમ જ આ પુદ્ગલ દેહથી થતી શુભ ક્રિયા, દાન, વ્રત, નિયમ, તપ આદિ ધર્મના નામે થતી ક્રિયા દેહથી થાય તેને શુભ ક્રિયા કહેવાય તે આત્માની માને અને આવા પરિણામ હોવાપણાને લીધે ખરો આત્મીક ભાવ જે છે તે સમજવામાં ન આવે, અગર તો ઉપર કહી તે પ્રકારની ક્રિયાના આગ્રહથી આત્મીક પરિણામ સંબંધી જ્ઞાનનો અનાદર કરે તેને “દર્શન મોહ' કહ્યો છે. તે દર્શન મોહની નિવૃત્તિ કૃપાળુદેવે કીધી કે : “હણે બોધ વિતરાગતા, અચૂક ઉપાય આમ.” દર્શન મોહ છે તે સત્યાત્મ બોધ થયે નાશ પામે, અને સત્યાત્મ બોધ થાય ત્યારે આત્માની ક્રિયા છે અને પુલની ક્રિયા તદ્દન જુદી જુદી ભાસે, તેથી પુદ્ગલીક ક્રિયા જે આત્માની મનાતી હતી તે પુદ્ગલની માની પોતે આત્મીક ક્રિયાનો જ કર્તા થયો અને અન્ય ક્રિયાનો અકર્તા થયો. આવા પ્રકારે દર્શન મોહનો નાશ કર્યા પછી હવે ચારિત્ર મોહ અનુક્રમે કેમ નાશ થાય તે | નીચે બતાવેલ છે.
ચારિત્ર મોહનું સ્વરૂપ પ્રથમ સમજવું જોઈએ. પુદ્ગલીક ભાવમાં જે રાગ દશા રહે, જીવ તેનાથી મુક્ત થવાની ઇચ્છા કરે પણ પૂર્વના પ્રારબ્ધ યોગથી પૂર્વની કર્મ પ્રકૃતિની વળગણા હોવાને લીધે રાગાદિ
પરિણામ પરિગ્રહાદિમાં તેમ જ પુદ્ગલીક વસ્તુમાં સરાગપણે રહ્યા જ કરે તેને “ચારિત્ર મોહ' કહે છે. | દર્શનમોહ નાશ થવાથી સ્વભાવ પરિણામ અને વિભાવ પરિણામ
યથાર્થપણે લક્ષગતુ થવાથી પરિણામ પ્રત્યેનો મોહ નિવૃત્ત થવા લાગ્યો, છે અહિ મોહ કહો કે રાગ કહો, તે બન્ને સ્વરૂપ એક જ સમજવું. હવે તે વિભાવ પ્રત્યેનો રાગ જેટલા જેટલા અંશે નિવૃત્ત થાય તેટલી તેટલી
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૩૫
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #267
--------------------------------------------------------------------------
________________
સ્વભાવ દશા પ્રગટ થાય છે. અને તે જ વીતરાગ દશા. એ વીતરાગ દશા જેમ જેમ જીવમાં વધે તેમ તેમ ચારિત્રમોહનો નાશ થાય. સંપૂર્ણપણે ચારિત્રમોહ અમુક ગુણસ્થાનકે નાશ થાય છે. અને જ્યાં સંપૂર્ણ નાશ થાય છે ત્યાં સંપૂર્ણ વીતરાગ દશા પ્રગટ થાય છે.
હવે બધા કર્મના બીજભૂત આ મોહનીય કર્મ, તેનો નાશ સાવ સહેલાઈથી જ્ઞાની પુરુષે બતાવ્યો છે કે વિચાર દશાથી જ તેનો નાશ થાય છે. આત્માની ઘાત કરનાર મોહનીય કર્મ હોવાથી તેને ઘાતી કર્મ કહેલ છે. આ બેનો નાશ થયા વિના સંપૂર્ણ સ્વરૂપ પ્રાપ્તિ થતી નથી. અને એ બેનો નાશ થયે આ જ દેહે જીવતા મોક્ષનું સુખ અનુભવી શકાય છે. આનો જરૂર વિચાર કરશો.
હવે મુક્ત થવાનો ખરો માર્ગ તો આજ પ્રકારે જ્ઞાની પુરુષો કહે છે, પણ આપણે બીજી રીતે મુક્તપણાનો માર્ગ માનીએ તો તે સત્ય ક્યાંથી હોય ? અને થઈ ગયેલા જ્ઞાની પુરુષોનો અફસોસ કરીએ એ સ્વભાવિક છે, પણ તે કરતાં આવા પ્રકારે સવિચારણા નિરંતર કરીએ તો તેમાંથી અપૂર્વ માર્ગની પ્રાપ્તિ થાય છે. કદાચ જ્ઞાની પુરુષની હાજરી
હોય તો પણ આ કહ્યા મુજબ માર્ગની ગવેષણા કર્યા વગર મુક્તપણું જ થવું અસંભવિત છે. માટે જ્ઞાની ગયા પણ માર્ગ મુકી ગયા છે. માટે જ માર્ગમાં પ્રવૃત્તિ થાય તેમ લક્ષ રહે તો વધારે સારું છે.
કાગળમાં કેટલું લખાય ? આટલું લખી આ કાગળ હવે બંધ કરું છું. રાતના બે વાગ્યા છે, દિવસે તો નવરાસ મળતી નથી. આપને લાગે તે ખુલ્લા દિલથી લખતા રહેશો. આપના તરફથી ગમે તેવા પ્રકારનું લખાણ હશે તો પણ મને પ્રિય જ લાગશે. તમે રામાયણનો કૈકેયીનો દાખલો લખ્યો એવી શંકા મારા-તમારા વચ્ચે આવવી ન જ
જોઈએ. મારે મન તો આપના પ્રત્યે કોઈ દિવસ ખોટું લાગ્યું જ નથી ! ' અને લાગશો નહીં; માટે તેવો અંદેશો લાવવો નહીં.
આ કાગળ નિરાંતે બરાબર સમજી, વખતોવખત વાંચી, તે સંબંધે જણાવવા યોગ્ય લાગે તો જણાવશો. તમે મારા માટે સારા શબ્દો
૨૩૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
લખો તેથી મને સારું લાગે અને જરા આકરા શબ્દો લખો તો તેથી મને ( આકરું લાગે, તો મારા જેવો બીજો અજ્ઞાની કોણ ? કારણ કે જે રાગ ' દ્વેષ પરિણામ છોડવાના છે તે તો મોજુદ રહ્યા કહેવાય, તો તો તમારી છેસાથે વાત કરવાને પણ હું લાયક ગણાઉં નહિ. માટે તે શંકા કેમ | ઉભવી તે મને સમજાતું નથી. કારણ કે જે વસ્તુ આપણે ત્યાગવી છે કે તેની સ્મૃતિ શા માટે કરવી ? માટે કોઈ વખત તેવો વિચાર પણ
લાવશો નહીં. એ જ.
0 પત્ર નં. ૮ % ૩ૐ શ્રી સદ્ગુરુના ચરણમાં ત્રિકાળ નમસ્કાર
સંવત ૧૯૯૪ના ફાગણ વદી ૧૦, મંગળવાર - પરમ સત્સંગ યોગ્ય સુશભાઈ પરષોત્તમ હીમજીની સેવામાં, મું. જલગામ છેસાયલાથી લી. દોશી કાળીદાસ માવજીનાં દંડવત્ પ્રણામ વાંચશો. આ
વી. આપનો પ્રથમનો કાગળ તથા ત્યાર પછીનો કાગળ એમ બન્ને પત્રો મળ્યા છે. નિર્વિકલ્પતા અને પરમ શાંતિની સાથે આનંદનો અનુભવ પોતે કરે ત્યારે સ્વરૂપ પ્રાપ્તિ થઈ કહેવાય એવો આશય છે છેલ્લા કાગળથી નીકળે છે. હવે નિર્વિકલ્પતા થવી જોઈએ તે બરાબર છે પણ તમે તથા હરજીવનદાસ નિર્વિકલ્પતા કેવી દશાને કહો છો? '
(૧) નિર્વિકલ્પતા એટલે સારાનરસા જે વિચારો થયા કરે છે તેથી જ 4 રહીતપણું ?
(૨) કાયમ નિર્વિચારપણું રહે છે તેને તમે નિર્વિકલ્પતા કહેશો કે ! શું કહેશો ?
(૩) સંકલ્પ અને વિકલ્પ આ બંનેનો અર્થ જુદો જુદો આપને કે સમજાય તે લખશો.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૨૩૭
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #269
--------------------------------------------------------------------------
________________
(૪) મનના સંકલ્પ વિકલ્પથી રહીત થવું તેને નિર્વિકલ્પ સમાધિ કહેતા હો તો ડોક્ટર ક્લોરોફોર્મ સુંઘાડે છે તેને પણ તે વખતે મનના છે સંકલ્પ વિકલ્પ હોતા નથી તો તેને કઈ દશા કહેવી ?
(૫) મન હોય ત્યાં સુધી મનનો સંકલ્પ વિકલ્પ કરવાનો સ્વભાવ | છે, તે ટળે ખરો ? અને ટળે તો કેવી રીતે ટળે તે વિચારશો.
(૬) મન શું વસ્તુ છે ? મન તો છેવટની દશા તે જ ભવમાં થવાની હોય તેને પણ દેહધારીપણું વર્તે ત્યાં સુધી મન, વચન અને કાયાના એ ત્રણે યોગ વર્તે છે. તો મન તો છેવટ સુધી હોય છે છતાં મનનાં છે 1 વિચારો પોતાને બાદ નથી કરતા તે કેવા પ્રકારે ? તે વિચારશો. !
(૭) નિર્વિકલ્પતા તમે તથા હરજીવનદાસ કરવા ધારો છો તે જ જ પ્રકારે હશે કે નિર્વિકલ્પતા કોઈ જુદી રીતે હશે ? તે કૃપાળુદેવના છે પુસ્તકમાં નીચેના આંક જરૂર વાચી વિચારશો.
આંક નં. ૩૨૨ અને ૩૨૯. આ પત્રો શ્રી સૌભાગ્યભાઈ ઉપર જ લખાયેલા છે તે જાણશો.
સુખ અને આનંદ માટે લખો છો તે બરાબર છે. જ્યાં સુધી વાત્મરૂપ દશાપૂર્વક સ્થિતિ પોતાની ન થાય ત્યાં સુધી તે આનંદનો અનુભવ પોતાને કેમ થાય ? સુખ આનંદ દશાનું છે. હજુ તો તે દશા છે કોને કહેવી તેના નિર્ણયમાં જ આપણે છીએ. તે બરાબર નિર્ણય પછી જ તે દશા પ્રાપ્ત થયે સુખ અને આનંદ તે ભૂમિકામાં આવે ત્યારે ચોક્કસ અનુભવી શકાય. પણ તે દશા ન થાય ત્યાં સુધી તે આનંદ
અનુભવી શકાય નહીં. દાખલા તરીકે એક માણસનું ધન ખોવાઈ ગયું | હોય તેથી તેને દુઃખનો અનુભવ થાય છે, ને તે ધન પાછું મળવાથી તે દુઃખનો નાશ થવા રૂપ શાંતિ થઈ. તેથી પોતે ધનપતિ થયો તે જાતનો આનંદ તેને થયા વગર રહેતો નથી.
તેમજ આત્મધન બાબત વિચારશો. મેં ક્લોરોફોર્મ બાબત લખ્યું છે તેના જવાબમાં તમે તે જ લખવાના
૨૩૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
છો કે તેને આત્માના આનંદનો અનુભવ નથી થતો ને નિર્વિકલ્પવાળા છે પુરુષને તે આનંદનો અનુભવ થાય છે, તો તેના જવાબમાં જાણશો કે !
તમારા કહેવા મુજબ તે આનંદનો અનુભવ તો તેને તે નિર્વિકલ્પ છે. સમાધી ટકી શકે તેટલો વખત કે વધારે વખત ? તે સમાધિ તો છે,
ચોવીસ કલાક હોતી નથી, ને હોય છે બીજી પ્રવૃત્તિ થઈ શકે નહીં. અને આ તો ચોવીસે કલાકની નિર્વિકલ્પ સમાધિ હોઈ શકે છતાં મન- * વચન-કાયાના યોગે બીજી વ્યવહારિક પ્રવૃત્તિ કરે છે. છતાં આ નિર્વિકલ્પ
સમાધિ તો રહ્યા કરે તેવો કૃપાળુદેવનો લખવાનો આશય છે, તો તે છે જરૂર વિચારશો અને સમજાય તો લખશો.
એક બીજી વાત આ ઠેકાણે આપને વિચાર કરવાને માટે લખું છું ! જે તે વિચારશો.
આત્મા છે તે જ્ઞાનસ્વરૂપ છે અને જડ છે તે શેય સ્વરૂપ છે. હવે તે આત્માના જ્ઞાનમાં શેયનો પ્રતિભાસ થાય છે, તેને આપણે સંકલ્પવિકલ્પ કહીએ છીએ. જેમ દર્પણમાં અન્ય વસ્તુનું પ્રતિબિંબ પડે છે, તેમ આત્મામાં શેયનું પ્રતિબિંબ પડે છે, તેને સંકલ્પ વિકલ્પ માની જીવ
તે ન થવા માટે (તમે લખો છો તે નિર્વિકલ્પતા થવા માટે) પુરુષાર્થ કરે છે છે, પણ તેના માટે સયમસાર ગ્રંથમાં બનારસીદાસ નીચે મુજબ પદ છે કહે છે :
“ચોપાઈ જોયાકાર બ્રહ્મ મળ માને, નાશ કરનકો ઉદ્યમ ઠાને, વસ્તુ સ્વભાવ માટે નહીં ક્યોં હી, તો તે ખેદ કરે શઠ યહી. આનો અર્થ ટૂંકમાં,
હવે જોયાકાર આત્માનું જ્ઞાન થવાથી આત્માને મલીન માની તે શેયના પ્રતિભાસ બંધ થવાનો ઉદ્યમ કરે છે, પણ વસ્તુનો સ્વભાવ કોઈ દિવસ મરતો નથી તેથી અજ્ઞાની પુરુષ આત્મજ્ઞાનથી રહિત હોય છે તે અજ્ઞાનને શઠ (મૂર્ખ) કીધો છે અને તે અજ્ઞાની તેનો ખેદ કરે છે કે
બનારસીદાસ પણ આમ કહે છે.
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૩૯
For Personal & Private Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
હવે આ નિરવિકલ્પતા પા, અડધો કે એક-બે કલાકની તમે કહો કે છો. સમાધિઓ માણસ ચોવીસ ચોવીસ કલાકની ચડાવે છે, એટલે પવનને ચડાવી બ્રહ્મચંદ્રમાં રૂંધી દે છે. ત્યાં મન પણ મૂછિત થઈ જાય છે તો પણ જ્ઞાની પુરુષોએ તેને સ્વરૂપ સ્થિતિ ગણી નથી અને છે પણ નહીં. તો આ નિર્વિકલ્પતામાં શું ગણવું? માટે જ નિરવિકલ્પતાને સ્વરૂપ સ્થિતિ જ્ઞાની પુરુષે કહી છે. તે નિર્વિકલ્પતા કેવા પ્રકારે હોય ?તે વિચારી જેમ લાગે તેમ લખશો. તમારો આ બાબતમાં શું અભિપ્રાય છે તે જાણવા માટે લખશો.
આંક ૩૦૧-૩૯ર વાંચશો અને વિચારશો આમાં તમે જે અહંકારની 4નિવૃત્તિ થવા કહો છો તે નિવૃત્તિ થવાની કુંચી બતાવેલ છે.
આંક ૩૫૦ની પહેલી બે લીટી જ વિચારશો. તેમાં લખ્યું છે કે : * “આત્મસમાધિપૂર્વક યોગ ઉપાધી રહ્યા કરે છે.'
આ બાબતમાં આત્માના સ્વરૂપ પ્રત્યેની સમાધિ કીધી છે. યોગ ઉપાધી એટલે મન-વચન-કાયાના યોગ બાબતની ઉપાધી કીધી, તો હવે આ મન-વચન-કાયાની-યોગની ઉપાધી હોવા છતાં, આત્મસ્વરૂપ પ્રત્યેની સમાધિ છે, તેવું જણાય છે. તો તે માટે તમો વિચાર કરશો કે મન-વચન-કાયાના યોગની ઉપાધી આત્મ સમાધિને બાધ કેમ નહીં કરી શકતી હોય ? માટે વિચારવાનું છે કે મન-વચન-કાયાના યોગની જ ઉપાધીની પ્રવૃત્તિ (સંકલ્પ-વિકલ્પ તથા સારા-નઠારા જે જે મનમાં વિચારો આવે છે તથા શુભાશુભ ભાવ આદિ પ્રવૃત્તિ) તે જો સંપૂર્ણપણે આત્મા વીતરાગ દશામાં રહીને પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ આત્માની સમાધિને બાધ કરી શકતી નથી કારણ કે આત્મસમાધિ વીતરાગ દશામાં સમાયેલી છે. વીતરાગ દશા એટલે રાગ વિનાની પ્રવૃત્તિ, એટલે તે પ્રવૃત્તિના કાર્યમાં અહમ્-મમત્વપણું રહીતની જે પ્રવૃત્તિ પૂર્વેના પ્રારબ્ધ યોગથી કરવી પડે છે, અને તે પ્રવૃત્તિ કરતા જીવ તેની નિવૃત્તિને ભજ્યા કરે છે, તે વીતરાગ દશા છે. આને માટે આંક ૩૨૪ એ પત્ર વાંચશો.
થી સાભાગ્યભાળ અને સારા )
For Personal & Private Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
તા. ક. તમારું ત્રીજું કવર મળ્યું, શરીરની હકીકત બધી જાણી, પણ તે બાબત નિરૂપાયતા છે ત્યાં શું કરવું ? દેહની દશા તેવી છે તેથી તે 1 પરમાર્થ માર્ગ આરાધવામાં તમને જે હરકત લાગે છે તે તમારી સમજ !
ફેરને લીધે લાગે છે. જેને સત્ જ પ્રાપ્ત કરવું છે તે તો સરળ છે, જે સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ છે તેમ કૃપાળુદેવે ઠેકાણે ઠેકાણે લખેલ
છે. તો તે બાબત તમો લખો છો તે અડચણને લીધે ન જ બની શકે ? છે તેવું કાંઈ નથી. . હવે એક જ આસને બેસીને તમો લખો છો તેમ નિર્વિકલ્પ થવાય
તો જ આત્મસ્વરૂપ પમાય અથવા આનંદ અનુભવાય તેવું અમને તો લાગતું નથી. જો કે પરમાર્થ માર્ગ આરાધવાનું સાધન આ મનુષ્ય દેહ છે. અને તેમાં જીવે સ્વપણાનો અધ્યાસ સુદ્રઢપણે કર્યો હોવાથી તે સ્વસ્થ અને સગવડવાળો હોય તો વધારે ઠીક પડે ખરું. પણ તેમ ન જ હોય તો આત્મહિત ન જ બને તેવું તો લાગતું નથી.
આત્મહિતની પ્રવૃત્તિ બધા આંતરિક વિચારોની અને નિર્મોહિપણાની તેમ જ વીતરાગ દશાએ દૃષ્ટિફેર કરવાની જરૂ૨) છે. ભલે દેહ ગમે તેમ પડ્યો હોય તો પણ તેમાં ઉપયોગ નહિ આપતા, આંતરિક વિચાર શ્રેણીમાં બાદ આવે નહીં. એક મહાત્માએ કહ્યું છે કે :
દોહરો “રે નર ચિંતા મત કર, કર લે બ્રહ્મ વિચાર,
દેહ સોંપ પ્રારબ્ધ કું, જાણે લોહ લુહાર.” માટે તે તો પ્રારબ્ધ આધીન જ વાત છે. અને ખરી અસંગ દશા તે તો આરંભ અને પરિગ્રહનો ત્યાગ તેમાં સમાયેલી છે.
હવે આરંભ અને પરિગ્રહને માટે ટુંકમાં સમજશો કે સંસારી વૈભવો વધારવાનાં મનના ઉદ્ગારો, તે આરંભ છે. તે તો તમને ઘણા પ્રકારે ઘટ્યા છે, અને પરિગ્રહ આ દેહમાં જે દેહાત્મ બુદ્ધિને લીધે સરાગપણે પ્રવૃત્તિ, અહમ્, મમત્વપણું તે પરિગ્રહ છે. તે પણ ઘણા
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
પ્રકારે તમે ઘટાડેલ છે. હવે આ જેને સંપૂર્ણપણે ઘટ્યા હોય તેને મોક્ષ છે નજીક જ છે. તેના માટે ૭૮૩ના છેલ્લા ત્રણે પેરેગ્રાફ વાંચશો.
હવે આરંભ પરિગ્રહ તથા દેહ પ્રત્યેથી મોહાશક્તિ તથા માયાવી પદાર્થો પ્રત્યે સરાગ દશા વિગેરેનો નાશ કરવાની પ્રવૃત્તિ, તે વિચાર
શ્રેણીએ અને વૈરાગ્ય દશાથી બને છે. દેહ ગમે તેમ હોય તો પણ તે આ વિચાર કરવામાં બાદ ન આવે.
હવે તમે જે નિર્વિકલ્પતા માટે લખો છો, તો તમને હું એટલું જ લખું છું જે સૌભાગ્યભાઈને છેલ્લા અવસાન વખતે છેવટની ભલામણ * શ્રીકપાળુ દેવે જે લખી છે તે તમે ઘણી વખત વાંચી છે છતાં આમ જ
આડાઅવળા બાચકા ભરવાનું મન થાય છે. જો તમે લખો છો તે નિર્વિકલ્પતાની જરૂર હોત તો છેવટની ભલામણમાં અસંગ દશા અને ! * નિર્મોહીપણું થવાની ભલામણ કરત નહીં. માટે ફરીવાર વાંચવા આંક
૭૭૯નો નંબર ચોથો વાંચશો. તથા આંક ૭૮૦-૭૮૧ પણ વાંચશોજ વિચારશો. જ્ઞાની પુરુષને ખરી રીતે ઓળખ્યા ક્યારે કહેવાય કે તેનાં જ છે વચન ઉપર દ્રઢ નિશ્ચય આવવો જોઈએ, તે તમો કરી શકતા નથી
તેમજ નિર્વિકલ્પતા વિગેરે સહેજે થવાનું જે સાધન મહાનમાં મહાન છે છે તે તમને મણીભાઈએ ઓછી દશામાં બતાવેલ છે, તે ઉપરનો કાંઈ છે ( દ્રઢ નિશ્ચય થયે તમો કંઈ કરી શક્યા નહીં. જો કરી શક્યા હોત તો
આ બધો ડામાડોળ થવાનો વખત આવત નહીં, તેમ જ સામું મારે તમને પુછવા આવવું પડત, કારણ કે તમને ઘણી નિવૃત્તિ હતી પણ 1 કોઈ રીતે તે ઉપર તમારો દ્રઢ નિશ્ચય થયેલ નથી, અને તે નહીં થાય ?
ત્યાંસુધી સ્થિતિ ડામાડોળ થયા કરે તેમાં નવાઈ પણ નથી. આ બાબત ઘણી જ લખવાની હોય પણ કાગળ કેટલી લખાય ?
એક માણસ લુગડાને કેળવ્યા વિના (ફટકડીનો) પાહ દીધા વિના ગજીયાના રંગમાં બોળી ગજીયો બનાવે તો લાલ તો થાય પણ વેપારી તેને વધેરે તો અંતરંગમાંથી ધોળી ધુમ જણાય ખરી. એક માણસ તે જ છે રંગમાં લગડાને પ્રથમ કેળવી (ફટકડીનો પાહ દઈ)ને ગજીયો રંગે, છે તેને અંતરગ લાગવાથી તે ગજીયો વધેરે તો ધોળી ધુમ જણાય નહીં.
૨૪૨
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
તેમ જ આ પરમાર્થ માર્ગ પ્રાપ્ત કરવામાં સત્સંગના યોગે ત્યાગ, વૈરાગ્ય પૂરી રીતે લાવવો જોઈએ. ત્યાગ- વૈરાગ્યનું સ્વરૂપ પણ પૂરી રીતે સમજવું જોઈએ. સરાગ દશા અને વીતરાગ દશા પણ બરાબર
સમજવી જોઈએ. બંધ દશા કઈ અને મુક્ત દશા કઈ તે પણ સત્સંગના | યોગે પ્રથમ સમજવી જોઈએ. આ બધું સમજ્યા પછી તે સમજવા પ્રમાણે સ્થિતિ થવામાં તમને બતાવેલું જે જ્ઞાન તે મુખ્યમાં મુખ્ય સાધનભુત છે. તે સાધન વિના સ્થિતિ થવી દૂર્ઘટ છે. સ્થિતિ કહો કે
દશા કહો, બન્ને અર્થ એક જ છે. છેવળી તમે લખો છો કે ઘણા મહાત્માઓએ ઈશ્વરને પ્રસન્ન કરી
ભક્તિ માગેલ છે, અને ઈશ્વરે તેવી વ્યક્તિ તેમને આપેલ છે. તો શાસ્ત્રમાં તો તેમ જ લખાય પણ જો ભક્તિ આપી હોય તો આ જ વસ્તુ આપેલ છે. તે ભક્તિ જ આપી છે તેમ માનશો. તેના વિના કોઈ રીતે આત્મામાં જોઈએ તેવા રૂપમાં ભક્તિ ઉગે જ નહીં, એવો અમને દ્રઢ નિશ્ચય છે. કારણ કે સૌભાગ્યભાઈને લખે છે કે, “તમને પરાભક્તિનાં મૂળની અને સમ્યકજ્ઞાનનાં બીજની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી થતો તે વિચારશો. હવે અહીં તમે વિચારો કે પરાભક્તિનું મૂળ કૃપાળુદેવે શું માન્યું છે ? તે જ વસ્તુના પ્રભાવથી અત્રે અહીં છોટાલાલ તથા વૃજલાલ બંને ઓર દશાને અનુભવે છે. તે દશાને હું પણ અનુભવી શક્યો નથી. તે આ વસ્તુનો જ પ્રભાવ છે. કૃપાળુદેવે જ યમ નિયમ સંજમ આપ કીયો તે પદમાં બધું કર્યું પણ કોઈ અર્થ સર્યો નહીં. છેવટે શું કરવાનું કહ્યું તે વિચારશો. આને માટે આંક ૮૪૩ ૪ વાંચીને વિચારશો. આટલું ઉઘાડું કીધું છે છતાં તમને બીજું ગોતવાનું છે કેમ ગમે છે ? લખો છો કે મારે શું કરવું ? તો કરવાનું તો આ ઘણું જ છે. સંપૂર્ણપણે જ્યાં સુધી આત્મામાં વીતરાગ દશા ઉત્પન્ન ન થાય. નિર્મોહીપણાનો પોતે અનુભવ ન કરે ત્યાંસુધી બીજું કરવા વિષે વૃત્તિ જાય જ કેમ.
હવે જ્ઞાનીની નિર્વિકલ્પતા જુદી છે. તમે લખો છો તે નિર્વિકલ્પતા જુદી છે. તમે લખો છો તે નિર્વિકલ્પતામાં શૂન્યભાસ થવાને કાંઈક
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
ર૪3
For Personal & Private Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
શાંતિનો અનુભવ થાય, પણ તે વાસ્તવિક આત્મસુખ કે આત્મસમાધિ નથી અને કૃપાળુદેવે આત્મસમાધિ કાયમ જાગૃત રહેવા રૂપ નિર્વિકલ્પતા બતાવી છે. તે નિર્વિકલ્પતામાં જ ખરૂં સુખ, ખરો આનંદ અને સ્વરૂપ પ્રાપ્તિનો માર્ગ સમાયેલો છે. આને માટે આંક ૮૪૩ વાંચી વિચારશો. વળી નિર્વિકલ્પતા માટે જુનું પુસ્તક પાનું ૭૦૭ આંક ૭૮રની છેલ્લી ત્રણ લીટી વાંચશો.
બીજું રામચંદ્ર, હરિ, શંકર, પ્રભુ, ઈશ્વર, કૃષ્ણ, પરમાત્મા, પરબ્રહ્મ છે આ બધા શુદ્ધ આત્માના જ નામો છે તેમાં તમને ભેદ કેમ ભાસે છે ? જ રામ નામ કલ્યાણકારક છે તે શાથી ? જ્યારે જ્યારે આત્મા કહો કે રામ કહો અથવા ગમે તે નામ કહો, તેમાં કાંઈ દ્વેષબુદ્ધિ કરવાનું છે કારણ જ નથી. શ્રી રામે આત્મા વિના કાંઈ બીજું નવું પ્રાપ્ત કર્યું ! નથી. તેના માટે યોગવાસિષ્ટના વૈરાગ્ય અને મુમુક્ષુ પ્રકરણ તમને વાંચવા લખ્યું હતું. હજુ પણ તે વાંચશો.
હવે અસંગતા વિષેનો ખુલાસો : આ દેહની અંદર ક્ષણે ક્ષણે જે તે છે માયિક ભાવો ઉઠે છે, જેને તમે વિકલ્પ કહો છો, તે પ્રત્યે અખંડ છે વીતરાગ દશા રહેવી તે અંસગ દશા છે. વધારે ખુલાસો સૌભાગ્યભાઈ ઉપરના અવસાન વખતના પત્રથી વિચારી જોશો. - ત્યાગ વૈરાગ્યના દોહરા નીચે જે લખાણ છે, તે ઉપરના દોહરાનો ' અર્થ નથી કરેલ, પણ આવી રીતે મોહનીય કર્મ શાશ્વત સુખને છીનવી
લઈ ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવી મારે છે. માટે તે ક્ષણભંગુરતાના
પદાર્થોની કલ્પના-જલ્પના વિગેરે નિર્વિકલ્પ સ્થિતિ થયે મટે, અને જ સ્થિતિ કેવા પ્રકારે થાય છે તેમાં જ બતાવેલ છે, કે આત્મ સ્વભાવમાં
રમણતા કરવી, માત્ર દ્રષ્ટાભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ 1 છે. તે બોધ યથાર્થપણે પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય. જીજ્ઞાસામાં ! રહેવા યોગ્ય છે. તેમાં નિર્વિકલ્પતા વિષે તમે પુછાવ્યું તો તેના જવાબમાં આંક ૯૨૭ વાંચી વિચારશો, તેમાં તે જ નિર્વિકલ્પતાનો ખુલાસો છે. - અને તે જ પત્રમાં છેલ્લી ત્રણ લીટી લખેલ છે તેવી નિરંતર ભાવના : દઢપણે વર્યા કરે તો ખરી નિરવિકલ્પતા તે જ છે.
૨૪૪
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
હે આર્ય જનો! તે બાબતે પુછાવ્યું તેનો ખુલાસો તમે લખો છો કે હગજીવને કીધેલ છે તેમ તમે લખ્યું છે તે મને પણ હરજીવન આંહીં આવેલ ત્યારે તે વાત કરી હતી, છતાં અમે તો તે નિશ્ચયને કબુલ કરી શકીએ તેમ નથી. અને તમને તે લાગે છે માટે જ તે પ્રાપ્ત કરવા જ ડામાડોળ થયા કરે છે અને તેથી તમને શંકા રહીત થવા માટે બનારસીદાસનું દૃષ્ટાંત આ કાગળમાં પ્રથમ જ તમોને લખ્યું છે. તો તે બાબત તમારા હૃદયમાં ઉતરે ત્યારે કામ આવે. આમાં હઠથી કદાચ ક્લાસ બે કલાકની નિર્વિકલ્પતા થતી હશે, પણ અહીં ધનો ભગત કણબી છે તે ચાર ચાર કલાકની સમાધિ કરે છે અને શરીર ઉપર એરૂ આ જેવું જનાવર ચડે તો પણ ભાન નહીં, છતાં તે દશા, જાગૃતિપૂર્વક આત્માને આત્મભાવમાં જ અનુભવ કરે છે તેવા જ્ઞાની પુરુષના મુકાબલે તે મૂઢ દશા છે. છતાં તમને અમુક નિશ્ચય ઉપર શ્રદ્ધા વિશેષ હોય તો તે તરતમાં નિશ્ચય છોડી દો તેમ હું કહેતો નથી, પણ તમે બરાબર વિચાર કરી, પુસ્તકમાં લખ્યા છે તે દાખલા વાંચી કાંઈ ફેરફાર નિશ્ચયમાં કરવો ઘટે તો કરશો.
હવે કેવળ સમવસ્થાન સ્થિતિ ન થાય ત્યાં સુધી ધ્યાન અને સ્વાધ્યાયમાં જ રહો તેમ સાહેબજીએ લખેલ છે, તે ઉપરથી પુછાવ્યું તો તે બાબત છે જાણશો કે :
આત્મા તમામ અન્ય પદાર્થ રહીત સંપૂર્ણ વીતરાગ દશાએ અસંગ દશાનો અનુભવ કરી ન શકે ત્યાં સુધી તમો ધ્યાન અને સ્વાધ્યાયમાં રહો તેમ લખ્યું છે. તેનો અર્થ સ્વાધ્યાય એટલે પવિત્ર ગમે તે આત્મરૂપ ભગવાનના નામનો જાપ અથવા સ્મરણ કરવું તેનું નામ સ્વાધ્યાય છે. હવે ટુંકામાં જ્યાં સુધી કર્મો તથા કર્મની પ્રકૃતિઓ સત્તામાં છે ત્યાં
સુધી સંકલ્પ-વિકલ્પ, પ્રકૃતિનું કાર્ય હોવાથી ઉક્યા વિના રહે નહીં. છેકદાચ હઠથી સ્થળ સંકલ્પ વિકલ્પ રોકે પણ સૂક્ષ્મપણે સંકલ્પ વિકલ્પ છે
રોકાય જ નહીં. છતાં એક વખત એમ પણ કહો કે તે પણ રોકાય તો
પણ સાથે આત્મદશાનો અનુભવ જાગૃતપણે ન હોય તો તેથી કાંઈ જ છેવળવાનું નથી.
( શ્રી સૌભાગ્યાભાઈ અને સાયલા )
૨૪૫
For Personal & Private Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
કૃપાળુદેવે સૌભાગ્યભાઈ ઉપર આટલા આટલા કાગળો લખ્યા છે છતાં તેમાં કોઈ ઠેકાણે હઠ કરીને નિર્વિકલ્પ થવાનું લખ્યું નથી. જે * નિર્વિકલ્પપણું તે આત્માની જાગૃતિપૂર્વકનું નિર્વિકલ્પપણું લખ્યું છે. ' * હવે ધ્યાનને માટે વધારે તો શું લખવું. જે કરવા જેવું ધ્યાન હતું તે જ
તમે બરાબર કરી શક્યા નથી, તેમ તેના ઉપર જોઈએ તેવો પ્રેમ, પદાર્થ અનિર્ણયને લીધે આવ્યો નથી. દેહ તો અત્યારે આમ થયો પણ પહેલાતો ઠીક હતો. વળી તે ધ્યાન કંઈ બેસીને કે એક જ આસને થયા તો જ લાભ આપે તેવું કાંઈ હઠ યોગના પ્રયોગ જેવું ન હતું, જે હતું તે સહજ અને સરળ હતું. ગમે ત્યારે ગમે તેમ પણ તે રૂપજ વૃત્તિ જ
અખંડાકાર કરવાની હતી, એમાં બધી સૂઝ તેની મેળે પડત. આગળ છે 1 શું દશા ઉત્પન્ન થાય છે અને કેમ રહેવાય છે, તેની પણ ખબર પડત. '
અમે તો હજુ પણ કહીએ છીએ કે તેના સિવાય આત્મસ્થિતિ અને આત્મસ્થિરતા પ્રગટ થવી અસંભવીત છે. પણ તેના માટે તમે કબીરપંથી * વિગેરેના ઘણા દાખલા મને આપતા, અને કહેતા કે આને કેમ કાંઈ જ
થતું નથી ? ત્યારે હું લાચાર થઈ જતો પણ તે વિષે ફક્ત તેટલું જ જાણવાથી દશા બદલાઈ જાય તેવું કાંઈ કારણ નહોતું. સાથે સત્સંગનું બળ, વસ્તુનો નિરંતર વિચાર, પ્રબળ જીજ્ઞાસા અને અપૂર્વ પ્રેમ, ઉત્સાહ તથા અત્યંતર ત્યાગ, વૈરાગ્ય આ બધું હોય ત્યારે ફળદાયક જ થાય. પણ વિચાર તો તમે કરતા નહોતા અને બીજા પાસેથી ખરી છે | વસ્તુ પ્રાપ્ત કરવી તેવી જીજ્ઞાસા તમારી કાયમ રહ્યા કરતી હતી. જો | * આ વસ્તુને સર્વોપરી જ્ઞાનીનું બતાવેલું તત્ત્વ માન્યું હોત તો તેવા * પ્રકારની લોલુપ્તા હોત નહીં.
હાથનોંધ બીજી આંક ૧૦-૧૧ વાંચીને વિચારશો કે આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિર્વિકલ્પ દૃષ્ટા છું તેવું પોતે લખે છે. તો હવે વિકલ્પ કોના સ્વરૂપમાં હશે કે તે કાઢવા માટે આપ મુંઝાયા કરો છો ? ?
આમાં વિશેષ સમજવાનું એટલું છે કે પોતાને દરેક ક્રિયા, વૃત્તિ કે સંકલ્પ ઉઠે છે તેના દૃષ્ટા તરીકેનો અનુભવ આત્મ જાગૃતિરૂપે ક્ષણે ક્ષણે હોવો જોઈએ. હવે તે પરિચય નહીં હોવાથી તુરતમાં તેમ બનવું
ર૬.
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
જ મુશ્કેલવાળું છે. છતાં અન્ય ભાવથી, અન્ય વિકલ્પથી ઉદાસ થઈ આ
પ્રેકટીસ પાડે તો પડે ખરી. વળી સુતા, બેસતા, હાલતા ચાલતા ગમે
તેવી સ્થિતિમાં આ લક્ષ જાગૃત રહી શકે તેવું છે. બધી વાત પડી મુકી છે. એક આત્માના ગુણ લક્ષણાદિનો વિચાર કરી અન્ય વિકલ્પથી રહીત છે. થવું તે કર્તવ્ય છે.
હવે લક્ષણ ગુણમાં આપ ન સમજતા હો તો જાણશો કે જાણપણાનો છે તથા જ્ઞાયક સ્વભાવ તે કોઈ પરદ્રવ્યનાં (પુગલનાં) ગુણ નથી, તે
તમે દૃઢપણે વિચારી નિશ્ચય કરશો. આના માટે વિશેષ સમજવા બીજા ભાગમાં ઉપદેશછાયા પાનું ૭૧૨માં છેલ્લા બે પેરેગ્રાફ તેમાં પ્રશ્ન મોક્ષ એટલે શું ?
અને તેનો ઉત્તર, તે બે પેરા જરૂર વાંચશો. પૂરેપૂરા વાંચીને વિચાર કરશો તો આત્મા નિર્વિકલ્પ છે કે સવિકલ્પ છે તેની ખબર પડશે. કુંભારનો દાખલો લખ્યો તે વાંચ્યો, હું કઈ તેવો સમર્થ નથી. . આપણે સૌ માર્ગના ઇચ્છુક છીએ. અરસપરસ એક બીજાના સમજવામાં હોય તેવી લેવડ દેવડ, એક બીજાની વાત રજુ કરીયે તે આપણો ધર્મ
છે. તેમાં સારું લાગે તે સંમતે કરવું તે સત્સંગ કરવાનું ફળ છે. વળી * હું જે લખું છું તે મારી મતીથી કાંઈ લખતો નથી, પણ જ્ઞાની પુરુષ જે તે પ્રમાણે માર્ગની પ્રવૃત્તિ બતાવી ગયા છે, તેની સાક્ષી માટે પુસ્તકના ..
આંક ટાંક્યા છે. તો તે તેમનું કહેવું છે. તે મુજબ અમારે સમંત છે. તમે સંમત કરો તો દુ:ખ માટે રામના નામનો અથવા બીજા કોઈ [ પવિત્ર નામનો જાપ કરવામાં વાંધો નથી. પણ લક્ષ એટલો હોવો
જોઈએ કે તેઓ સંપૂર્ણ શુદ્ધ આત્મા હતા, અને આપણો આત્મા પણ પરમાર્થથી તેવો જ છે. અને તેવો જ શુદ્ધ આત્મા પ્રાપ્ત કરવા અમારી પ્રવૃત્તિ છે. હવે અભણનું કલ્યાણ કેમ થતું હશે તેની વારંવાર શંકા તમને ઉદ્ભવે છે, પણ ભણેલાને તો ઘણીવાર લાગે, અભણને તેટલી વાર લાગે નહીં કારણ કે ભણેલો વધારે વિકલ્પી હોય. અભણ તેટલો વિકલ્પી હોય નહીં. વળી તેનામાં મોટામાં મોટો ગુણ એ વાતનો હોય છે કે ગુરુએ જે માર્ગ બતાવ્યો હોય તે મારગમાં અશક્તિપણે નિરંતર
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૪૭
For Personal & Private Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
ચાલવા જ માંડે છે. હવે જો મારગ આવો હોય તો પંથ કપાણા વિના કેમ રહે ? વળી સંસાર વધવાનું મુખ્યમાં મુખ્ય બીજ તો રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણ છે. તે રાગદ્વેષની નિવૃત્તિ તેઓ સદ્દગુરુના પ્રતાપે સહેજે કરી શકે છે. આ બધું જાણ્યું તે ફક્ત રાગ-દ્વેષ અને અજ્ઞાન છે ટાળવાને માટે છે. જેના વચનથી તે ટળે તે જ મોક્ષનો મારગ છે.
રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ, .
થાય નિવૃત્તિ જેહથી, એ જ મોક્ષનો પંથ.” આ સિવાય બીજો મોક્ષનો પંથ જ્ઞાની પુરુષો કહેતા નથી. હવે તે નિવૃત્તિ મારા ધારવા પ્રમાણે ઘણા પ્રકારે તમને થઈ છે, છતાં તમે ઠરીને બેસતા નથી. શાંત થતા નથી તેનું શું કારણ ? તે વિચારશો. આ
એક આત્મવૃત્તિ, ગમે તેવી સ્થિતિમાં અન્ય સ્વરૂપથી રહિત, સતુંચિત્ આનંદ સ્વરૂપ હું પોતે છું. સહજ આત્મસ્વરૂપ, નિર્વિકાર, નિજાનંદ સ્વરૂપ છું. એ વૃત્તિનો પ્રવાહ જેમ બને તેમ વધારતા જાવ. અને તે વધારવાનો ક્રમ સેવતા જે જે સ્મૃતિમાં અન્ય સ્વરૂપ આવે તેનો શોક ન કરવો, પણ તેનો હું (જ્ઞાતા) દ્રષ્ટા છું. તે મારા સ્વરૂપમાં જ નથી. તે અન્યથા છે. તેવી રીતે તે ઉપર લક્ષ નહીં આપતા તથા વૃત્તિને નહીં રોકતા, આત્મવૃત્તિનું અનુસંધાન કરી તેજ લક્ષ વધાર્યા કરો, તો ભૂમિકાને સમજ્ય, જેટલી ઘડી વીતરાગ દશા વર્તે તેટલી ઘડી નિર્વિક્લાપણું જ છે તેમ માનો. હવે આ વૃત્તિનો અધ્યાસ પડવા સાથે કોઈ પણ પવિત્ર નામનો જાપ કરવો હોય તો વાંધો નથી. હઠ કરીને નિર્વિકલ્પ થઈ શકો તેવી તમારા દેહની સ્થિતિ નથી, તેમ તેવી * નિર્વિકલ્પતામાં પણ કંઈ સાર નથી. પણ સહજ આત્મસ્વરૂપ પોતાનું જ નિર્વિકલ્પ સ્વરૂપ છે. તેને વીતરાગ દશાએ અનુભવવું. તે અનુભવ માટે બીજા કોઈ વિકલ્પ મૂકી દઈને તમને પ્રાપ્ત વસ્તુના, સ્થિતિના લક્ષ સાથે, ઉપરનો લક્ષ રાખવો ને જાપ રામ, સોહમ્, અહંતુ જેના ઉપર તમને પ્રેમ વધતો હોય તેનો કરવો જરા પણ મુંઝાવવાનું કારણ નથી. (પાનું ૧૦૨ આંક ૬૮૭ જુના પુસ્તકમાં) હાલમાં આંક ૭૪૬માં મોહનીયનું સ્વરૂપ લખેલ છે તે કાગળ વાંચવા જેવો છે. તમે નિર્વિકલ્પતા
૨૪૮
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
જ વિષે પુછાવ્યું હતું તેનો ખુલાસો આ કાગળમાં આવી ગયો છે. છતાં જ | આંક ૯૨૭ તમે વાંચી જોશો તો ખુલાસો થઈ જશે. તેમાં નિર્વિકલ્પતા T કોને કહેવી તે સ્વરૂપ બતાવેલ છે. તે બરાબર વિચારશો.
પત્ર નં. ૯ ૯૪
સાયલા
સં. ૧૯૯૫ના માગસર વ. ૫, રવિ ! પરમ જીજ્ઞાસુ ભાઈ પરસોત્તમ હીમજીની સેવામાં, - સાયેલાથી લી. કાળીદાસ માવજીનાં દંડવત્ પ્રણામ વાંચશો.
બીજું આપના કાગળો બધાય પહોંચ્યા છે. ફાગણ વદમાં મુદત પૂરી થાય છે તેમ મારા માનવામાં ન હતું. મારા ધારવામાં ચૈત્ર કે જ વૈશાખ હતો. તો હવે પોષ સુદમાં ઘણું કરીને આવશું, માટે તે વાતે જ ચિંતા કરશો નહીં. ત્રણે જણાને મોખ આવશે તો ભલે નહીંતર જેને મોખ આવશે તે ચોક્કસ આવીશું. પછી કોઈ અજાણ્યું વિઘ્ન આવે તે
કુદરતી આધીન છે. છે. બીજું તમોએ પુછાવેલ પ્રશ્નોના જવાબ નીચેની વિગતથી જાણશો. તે
તમારો પ્રશ્ન સંકલ્પ કોને કહેવા તે વિષે છે :
ઉત્તર : શ્રી કુંદકુંદાચાર્યનું સમયસાર પુસ્તક મૂળ છે, તેમાં એમ છે છે કે “દ્રવ્યકર્મ, ભાવકર્મ અને શરીરાદિના નો કર્મ”. જો “અપની કલ્પના
કરના ઉસે સંકલ્પ કહેતા હય' ઔર ‘શેય કે આકારોમેં જ્ઞાનમેં ભેદ
માલુમ પડતા હૈ ઉસે વિકલ્પ કહેતા હૈ.' છે આ મુજબનો સંકલ્પ-વિકલ્પનો અર્થ શ્રી કુંદકુંદાચાર્યના સમયસાર છે ગ્રંથમાં કરેલ છે. હવે તે વધારે સમજવા માટે વધારે સ્પષ્ટ રીતે લખું
કે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ જે આઠ કર્મ છે તે આઠ જ છે. કર્મમાં તમામ કર્મનો સમાવેશ થાય છે તેમ સમજશો. તે આઠ કર્મરૂપ
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
ર૪૯
For Personal & Private Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યકર્મ કહેવાય છે. હવે ભાવકર્મ એટલે શેયકે આકારમેં-જ્ઞાનમેં ભેદ જ માલુમ પડતા હૈ, તે વિકલ્પ એટલે આત્માના જ્ઞાનગુણમાં હોય તે, એટલે પુદ્ગલીક વસ્તુનું પ્રતિભાસવું થવાથી આત્માના જ્ઞાનમાં એમ થાય છે કે, આ મને થયું, મારો જ્ઞાનગુણ છુટી ગયો, અથવા મલીન થઈ ગયો એટલે પરવસ્તુ સ્મૃતિમાં આવી તે મને આવી, આવી ભાવના ઊભી થાય છે, તે વિકલ્પ તે ભાવકર્મ સમજશો. - હવે તે માટે બનારસીદાસે પણ એક સવૈયો સમયસાર નાટકમાં
નીચે પ્રમાણે કહેલ છે તે અહીં ટાંકું છું તો તે સવૈયાનો અર્થ, ઉપરના જ લખાણનો ભાવાર્થ, બન્ને વિચારશો તો એક જ પ્રકાર સમજાશે :
“સર્વયો-સમયસાર નાટકમાંથી જ્ઞાનકો સહજ જોયાકાર રૂપ પરિણમે, યદ્યપી તથાપિ જ્ઞાન, જ્ઞાનરૂપ કહ્યો છે. શેય શેયરૂપ ય, અનાદિહી કી મરજાદ કાહૂ વસ્તુ કાહૂકો, સ્વભાવ નહીં ગહયો છે. એતેપરકોઉં મિથ્યામતી કહે જ્ઞયાકાર, પ્રતિભાસનસૌ જ્ઞાન, અશુદ્ધ હૈ રહ્યો છે, યાહી દુબુદ્ધિસૌ, વિકલ્પ ભયો ડોલત છે, સમુઝે ન ધરમ યોં ભરમ માંહિ વહ્યો છે.
ચોપાઈ-સમયસાર નાટકમાંથી જોયાકાર જ્ઞાનકી પરણતિ, પૈ વહ જ્ઞાન શેય નહિ હોઈ, શેયરૂપ ષટ દરબ ભિન્નપદ, જ્ઞાનરૂપ આતમપદ સોઈ, જાને ભેદભાવ સો વિચક્ષણ, ગુણ લક્ષણ સમ્યકૃદ્ધિગ જોઈ, મુરખ કહે જ્ઞાનમય આકૃતિ, પ્રગટ કલંક લખે નહિ કોઈ. હવે દાખલા તરીકે આપણે ધ્યાનમાં બેઠા ત્યારે પ્રથમ આપણો ઉપયોગ એવો હોય કે હું જ્ઞાનસ્વરૂપ શુદ્ધ સ્ફટીકમણી સમાન આત્મા છું. તે ઉપયોગમાં આપણે જાપ, ભજન કે સ્મરણ ગમે તે કરતા
૨૫૦
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
For Personal & Private Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
હોઈએ, તેમાં પુદ્ગલીક ભાવ ઉત્પન્ન થાય છે, જેમ પવનના જોરથી પાણીમાં મોજા ઉત્પન્ન થાય છે અથવા ખેલ પાડેલ કાચનો હીરો આંખ આડે રાખીને જોવાથી લાલ, પીળા રંગ માલમ પડે છે, પણ તે રંગ હીરામાં હોતા નથી, તેમ જ પાણીના મોજા પવનના જોરથી હોય છે, પણ જળનો સ્વભાવ શિતળ અને સ્થિર છે. તેમ પુદ્ગલાકાર દૃષ્ટિ હોવાથી પુદ્ગલીક વસ્તુ તે ધ્યાન કરતા સ્મૃતિમાં આવે ત્યારે એમ થાય છે કે મારું ધ્યાન છૂટી ગયું અને આ ભૂલ થઈ. આ ભૂલ મેં કરી એવો ભાવ ઉત્પન્ન થાય છે, તે જ મિથ્યાત્વ અથવા મિથ્થામતિ અથવા અજ્ઞાન જે કહો તે, તે છે. પણ તે વખતે એવો ઉપયોગ જાગૃત નથી કે રહેતો કે હું તો ય પદાર્થના જ્ઞાનરૂપ જાણવાવાળો તો જાગૃત છું, નહીં તો તે શેય આવ્યું તે ક્યાંથી ખબર પડે. માટે જાણવારૂપ જે મારો જ્ઞાનસ્વભાવ છે તે તો મોજુદ હું અનુભવું છું, તો તે શેય જાણવાથી મારા જ્ઞાનમાં ભેદ ક્યાં પડ્યો છે? એટલે તો શેયરૂપ હું ક્યાં થયો હતો ? એવો નિશ્ચય રહે તો વિકલ્પ કહેવાય નહીં. મારું ધ્યાન કે ઉપયોગ છૂટી ગયો, અને આ ક્ષેય પદાર્થ તે રૂપ હું જ છું. પ્રતિભાસ થાય છે તે વિકલ્પ છે. ,
હવે શરીરાદિ નોકર્મ, આ દેહ અને તે દેહને લઈને તેના પ્રારબ્ધ હોય છે તેના કર્મ છે. હવે પ્રારબ્ધનો જેવો જેવો ઉદય જે જે વખતે હોય તે તે રૂપ ભાવ ઉત્પન્ન થાય છે, તે વિભાવ છે, તે પુદ્ગલીક ભાવ છે. આત્માથી પર છે, છતાં જીવ એમ માને છે કે આ ભાવ મને ઉત્પન્ન થયો એટલે-આત્માને ઉત્પન્ન થયો, એવી માન્યતા થઈ જાય છે. તેથી સારો ભાવ ઉત્પન્ન થાય તો હર્ષ અને ખોટો ભાવ ઉત્પન્ન થાય તો ખેદ છે કરે છે. તે પણ વિકલ્પ કહેવાય.
આ ઠેકાણે ભેદજ્ઞાનના બળથી જો જીવ પોતાનું અને પરનું સ્વરૂપ બરોબર લક્ષગત કરે તો વિકલ્પ ટળી જાય છે. હવે આવા પ્રકારમાં સંકલ્પ અને વિકલ્પ તે બંનેથી રહિત હોય તેને નિર્વિકલ્પ કહેશો કે બીજું શું કહેશો તે વિચારશો. અને તેવી જ નિર્વિકલ્પદશા કાયમ જાગૃત રાખવા સિવાય અપરોક્ષ જ્ઞાન જ આપે લખ્યું છે.
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૨૫૧
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #283
--------------------------------------------------------------------------
________________
પરોક્ષ જ્ઞાન કોને કહેવું અને અપરોક્ષ જ્ઞાન કોને કહેવું તે પ્રથમ સત્સંગ દ્વારા, સપુરુષના વચનના વિશ્વાસે, આ દેહ અને આ આત્મા, વાસ્તવિક રીતે વિચારી વિચારીને બીજા શાસ્ત્રો કે બીજા મહાત્માઓ પાસેથી પણ લક્ષ લઈને એવો નિરધાર થાય કે દેહ છે તે હું નથી. હું આ
તેથી રહિત અજર, અમર, શાશ્વત સુખરૂપ આત્મા છું, એવો શ્રદ્ધાથી જ નિશ્ચય થયો તે પરોક્ષ જ્ઞાન છે-એટલે અવ્યક્ત જ્ઞાન છે. તે જ્ઞાનમાંથી જ નિરંતર ઉપયોગની જાગૃતિ કરી ઉપર કીધાં તે પ્રકારનાં સંકલ્પવિકલ્પથી રહિત થયે, પોતાના સ્વરૂપનું આનંદ અને સુખ તે પોતાને અનુભવસિદ્ધ લક્ષગત થાય તો તે ઉપયોગમાંથી બહાર નીકળવાનું પણ મન ન થાય, અને નીકળે તો તે ભારરૂપ, બોજારૂપ પરાણે મીઠાશ વગર અને વિષની માફક તે બોજો વહન કરે છે. વહન કરતા પણ પોતાની વૃત્તિ તે પ્રથમનાં ઉપયોગ તરફ જાગૃત હોય છે. પણ એ છે આવરણ ટળ્યું કે તુરત જ પ્રથમના ઉપયોગમાં લીન થાય છે, અને પોતાના સ્વરૂપને તમામ અન્ય પદાર્થથી ચહિત પ્રથમ શ્રદ્ધા હતી તેવી જ જ રીતે તે અનુભવે છે. હવે જ્યારે અનુભવે છે અને આનંદ લે ત્યારે અપરોક્ષ જ્ઞાન કહેવાય. અને તે જ્ઞાન વ્યક્ત રીતે કહેવાય. આમ તો વ્યક્ત કહો, ચાહે તો અનુભવસિદ્ધ કહો અને ચાહે તો અપરોક્ષ જ્ઞાન છે.
કહો એ એક જ વસ્તુ છે. ' હવે પરોક્ષ જ્ઞાન કોને કહેવું તે વિશેષ આપને સમજવા માટે મારી આ પાસે શ્રીમદ્ કૃપાળુદેવે લલ્લુજી મહારાજને લખેલ છે (તે પુસ્તક દ્વારા જ
અપ્રગટ છે), પણ ખાનગી રીતે અમને તે પત્ર મળેલ છે. જેમાં આ ! જ મુજબ પાંચ કલમો છે : છે (૧) સનાતન ઉપયોગ એવો જે મારો શાશ્વત ધર્મ તે મુકીને જોગને વિષે આત્મબુદ્ધિ નહીં કરું. અર્થાત્ જોગ સ્વરૂપ નહીં માનું.
(૨) સદ્ગુરુએ અનંત કૃપાએ કરીને આપેલ સહજ આત્મસ્વરૂપને મુકીને ભ્રાન્તિથી અછતી વસ્તુને સાક્ષાત્ જેવી વસ્તુ કલ્પીને એમાં હવે પછી ભરમાઈશ નહીં, અર્થાત્ એવી ભ્રાન્તિમાં હવે પછી પડીશ નહીં
રપર
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
અને સહજ આત્મસ્વરૂપમાં જ ત્રિકાળ વાસ કરીને રહીશ.
(૩) અનાદિ અરૂપી અને અ-મૂર્તિ એવું મારું શાશ્વત, શુદ્ધ છે ચૈતન્ય સ્વરૂપ તેને મુકીને રૂપી અને મૂર્તિ એવો જે દેહ તેને સ્વરૂપ |
નહીં માનું.
છે. (૪) શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ મૂર્તિને મુકીને બહાર દ્રષ્ટિએ એટલે ચર્મ છે.
ચક્ષુ વડે ચામડાને નહીં જોવું, તે તો ચમારની દ્રષ્ટિ ગણાય, જે ચમાર હોય તે જ ચામડાને વિષે રંજન થાય. હું તો દિવ્ય દ્રષ્ટિવાળો દેવ છું ? એટલે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઈશ.
(૫) ત્રણે કાળે એક સ્વરૂપ રહેનારું એવું સમતારૂપી શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિ તે મુકીને જડ અજીવમાં નહીં પરિણમું અર્થાત્ અજીવને
સ્વરૂપ નહીં માનું. જીવરાશી જ્ઞાન દર્શન મૂળ સ્વરૂપે જીવનારો જીવ - તે જ મારું સ્વરૂપ છે, એટલે તેમાં જ ત્રિકાળ નિવાસ કરીને રહીશ. છે ઉપરની જે પાંચ કલમો છે તેની તેવા પ્રકારે પહેલા માન્યતા થવી | તે પરોક્ષ જ્ઞાન છે, અને તે જ પ્રમાણે આત્મા પરિણમે અને પોતાના |
જ્ઞાન સ્વભાવને, જાગૃત સ્વભાવને અનુભવે અને તે જ પરિણતીએ પરિણમે ત્યારે અનુભવસિદ્ધ ખાત્રીપૂર્વક પોતાના સ્વરૂપનું ભાન થવાથી ( તે જ્ઞાનને અપરોક્ષ જ્ઞાન કહ્યું છે. છેબીજું તમો લખો છો કે સમકિત શું પુરુષાર્થ કરવાથી પમાય ? છે તેનો ખુલાશો - હવે સમકિતના ત્રણ પ્રકાર-(૧) ઉપશમ સમકિત, ' (૨) ક્ષયોપશમ્ સમકિત, (૩) ક્ષાયિક સમકિત. ૧. પહેલા સમકિતની વ્યાખ્યા - “ઉપશમ સમકિત.”
મત દર્શન આગ્રહતજી, વર્તે સદ્ગુરુ લક્ષ;
લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ ૨. બીજા સમકિતની વ્યાખ્યા-“ક્ષયોપશમ્ સમકિત.”
વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતિત; - વૃત્તિ વહે નિજ ભાવના, પરમાર્થે સમકિત... ૧૧૧
( શ્રી સોભાગ્યભાઈ અને સાયલા )
ર૫૩
For Personal & Private Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
૧ ૩. ત્રીજા સમકિતની વ્યાખ્યા-“ક્ષાયિક સમકિત.” છે. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ,
ઉદય થાય ચારિત્રનો, વીતરાગપર વાસ... ૧૧૨. આ દોહરા તમને સમજાય તેમ છે, એટલે વિશેષ અર્થ કરેલ છે નથી. હવે તમે લખો છો કે શું કરવાથી સમકિત પમાય ? ત્યારે હવે તમે જે કરો છો તેથી બીજું નવું શું કરવું તે વિચારશો. પણ ઉપરના પહેલા બે સમકિત તો, જો તમે વિચારશો તો તે તમને થઈ
ગયા છે તેમ માલમ પડશે પણ સમકિતની ભૂમિકાની અને તે દશાની 1 તમને વાસ્તવિક રીતે સત્સંગની ખામીને લીધે ઓળખાણ નથી પડી, જે એટલે આ શંકા ઊભી થાય છે.
હવે વિશેષમાં જાણશો કે જ્યારથી તમને આ વસ્તુની પ્રાપ્તિ થઈ છે ત્યારથી જ ખરા સમકિતની પ્રાપ્તિ થઈ ગણાય. પણ જો ખરી શ્રદ્ધા વસ્તુ ઉપર આવેલ હોય તો હવે જ્યારથી તે વસ્તુ ઉપર શ્રદ્ધા છે. આવે ત્યારથી સમકિત તો છે જ અને આ સમકિત પામે એને સોળમો ભવ તો નથી જ. કદાચ આ સમકિતને જ્ઞાની પુરુષે ઉપશમ સમકિત ગણેલ છે, અને તેથી દશા વધારે તો ઉપર કહ્યું તેવું ક્ષાયિક સમકિત
થાય તો ત્રીજે ભવે મોક્ષ થાય. કાંઈ પણ ન કરે તો પણ જો ખરી શ્રદ્ધા છે હોય તો પંદર ઉપર સોળમો ભવ નથી. તો તમને સમકિત તો છે જ. તે
તેથી વિશેષ દશા છે, પણ દશાની ઓળખાણ પડતી નથી તેથી શાંતિ થતી નથી. આ વિષે વધારે ખુલાસો આંક ૭૬૯માં પંચાસ્તિકાય પ્રથમ અધ્યાય તે મથાળાનો લેખ ક્રમવાર વાંચશો તો તેથી વિશેષ સમજાશે. તેમાં તમે પહેલી ચાર કલમ વાંચશો તો તમારું સમાધાન તેમાં આવી જાય છે, હવે સમકિતની વ્યાખ્યા વધારે સમજવા માટે નીચે મુજબ છે લખું છું તે વાંચશો.
કર્મની સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમતિ થાય. હવે સાત કઈ જ છે કઈ તે નીચે લખેલ છે.
ક્રોધ, માન, માયા, લોભ એ ચાર પ્રકારની અનંતાનુબંધી કષાયની
૨૫૪
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
જ ચોકડી.
પાંચમી-મિથ્યાત્વ મોહની છઠ્ઠી-મિશ્ર મોહની. સાતમી-સમકિત છે મોહની. આ સાત પ્રકૃતિ ક્ષય હોય તેને સમકિત હોય છે.
હવે અનંતાનુબંધી ક્રોધ એટલે પવર્તમાં ફાટ પડે અને તે જેમ ? ભેગી ન થાય તેમ અનંત સંસારને ધારે તેવા પ્રકારનો જે ક્રોધ . જીવન પર્યંત ઝેર મૂકે નહીં. તેવું જ માન, માયા અને લોભનું સમજી
લેશો.
છેહવે અનંતાનુબંધી ચાર કષાય જે ઉપર કહ્યા છે તેનો ખરો ખુલાશો છે
કૃપાળુદેવે પુસ્તકમાં પ્રશ્ન તથા ઉત્તરરૂપે લખેલ છે. પ્રશ્ન કષાય તે શું?
ઉતર : સત્પરુષો મળે, જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના જ કર્યો જાય છે તેમાં કલ્યાણ નથી છતાં કરવા માટે દુરાગ્રહ રાખે તે
કષાય.
પ્રશ્ન મિથ્યાત્વ મોહનીય કોને કહેવું?
ઉત્તર : ઉન્માર્ગ તે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગ તે ઉન્માર્ગ માને તે જ મિથ્યાત્વ મોહનીય. પ્રશ્ન : મિશ્ર મોહનીય કોને કહેવું?
ઉત્તર : ઉન્માર્ગથી મોક્ષ માર્ગ થાય નહીં માટે માર્ગ બીજો હોવો જોઈએ. એવો જે ભાવ ઉત્પન્ન થાય તે મિશ્ર મોહનીય. પ્રશ્ન : સમકિત મોહનીય કોને કહેવું?
ઉત્તર : આત્મા આ હશે ? એવી જે શંકા થવી એનું ભાન થાય તે સમકિત મોહનીય.
આત્મા છે એવો જે નિશ્ચય ભાવ તે સમ્યકત્વ'. હવે તમે વિચારશો છે કે આ સાત પ્રકૃતિ માંહેની તમારામાં કઈ કઈ પ્રકૃતિ રહી છે. કે
( શ્રી સૌભાગ્યભાઈ અને સાસલા ,
ર૫૫
For Personal & Private Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
સમકિત તમને હજુ થવું બાકી છે ? માટે તમે જરૂ૨ માનશો કે ચોક્કસ સમકિત તો થયું છે, પણ સમકિતની ઓળખાણ થવી હજુ બાકી છે. હવે તમે લખ્યું કે બીજા પદાર્થમાં નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા વધે, અને નિજને વિષે નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા ટળે. તેનો અર્થ તમે કરો છો તે ઠીક છે પણ તેમ માનવાથી નિજને વિષે નિજબુદ્ધિ અનુભવ સિદ્ધ થઈ ન ગણાય, કારણ કે આમ માનો છો પણ ધ્યાન કરતા બીજી વસ્તુ સ્મૃતિમાં આવે તો તમે એમ કહેશો કે મારું ધ્યાન છૂટી ગયું. છૂટી ગયાનું કારણ કે મારો ઉપયોગ બીજે ગયો, આ માન્યતા ખોટી છે. બીજો સંકલ્પ ઉઠે છે તે મનને લઈને ઉઠે છે. મનને આત્મા જાણે છે, તો તે તરંગ આત્મામાં નથી ઉઠ્યો છતાં આત્મામાં ઉઠ્યો એમ લાગે છે, ત્યાં સુધી નિજને વિષે નિજબુદ્ધિ થઈ ન ગણાય. માટે નિજને વિષે નિજબુદ્ધિ અનુભવસિદ્ધ, ચોક્કસ અડગપણે થાય તો પરિભ્રમણ દશા ટળે. જે વસ્તુ તમે પામ્યા છો તે વસ્તુનું કામ જ નિજને વિષે નિજબુદ્ધિ કરાવવાનું છે. પણ તેમાં સત્સંગનો ટેકો બળવાનપણે જોતો હતો.
વળી તમો લખો છો કે આટલી વાત આગળ કરી હોત તો આ દુ:ખ હોત નહીં. પણ આ વાત માટે તમે સંભારો તો ઘણી વખત કહેલ હતું. ત્યારે ઇચ્છારામ વિગેરે બીજા ઘણા જાણે છે, તે કબીરપંથી વિગેરના દાખલાઓથી એ વાતને ઉડાડી નાખતા હતા તે યાદ કરશો.
તમે લખ્યું કે પ્રમત કોને કહેવો અને અપ્રમત કોને કહેવો ?
તે બાબત પ્રથમ સમયસારના દાખલા આપી જે જ્ઞાન, જ્ઞાનરૂપ જ છે, છતાં શેયના પ્રતિભાસથી જ્ઞાનને શેયરૂપ માનવાપણું થઈ જાય છે, તે પ્રમત દશા છે. અને ભેદજ્ઞાનના બળથી અનુભવ જાગૃતિ હોવાથી શુદ્ધ ઉપયોગ જે જ્ઞાન સ્વરૂપ છે તે જ્ઞેયનાં પ્રતિભાસથી શેયરૂપ જ પરિણમે છે. એવો જેને અનુભવ થયો છે તે પુરુષ અપ્રમત કહેવાય. સમયસારનો સવૈયો તથા ચોપાઈમાં જે દશા બતાવી છે તે પ્રમત દશા છે, અને તે દશા ટળે, તો સવૈયો તથા ચોપાઈમાં શુદ્ધ દશા બતાવેલ છે, તેવો ઉપયોગ કાયમ જાગૃત હોય તો અપ્રમત દશા છે.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
મૂળમાર્ગનો અર્થ તમે વાંચી જોશો તો તેમાં સમકિતની જ વાત છે, ? તો પછી સમકિત માટે તમે કેમ પૂછો છો ? જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણે જુદી જુદી રીતે સમજવા માટે જુદા પડેલા છે, પણ તે ત્રણે એકી ! સાથે જ હોય છે. જ્ઞાન હોય ત્યાં દર્શન હોય અને દર્શન હોય ત્યાં ચારિત્ર હોય. આ ઠેકાણે દર્શન એટલે પ્રતિતી સમજશો. આત્મા અને દેહ તો જુદા છે તેવું ભેદજ્ઞાન થયું તે જ્ઞાન. દેહથી આત્મા જુદો છે ? છે તેવી આત્માના હોવાપણાની પ્રતિતી તે જ વખતે થઈ તે દર્શન. જેટલી છે
પ્રતિતી થઈ તેટલું ચારિત્ર ગણાય, કારણ કે જેટલી પ્રતિતી થઈ ! તેટલો તે જ વખતે નિજસ્વભાવાકાર ઉપયોગ થયો. નિજસ્વભાવાકાર ઉપયોગ તે ચારિત્ર.
આ ત્રણે વસ્તુથી આત્માનું સ્વરૂપ બીજું જુદું કાંઈ નથી, તેવો દૃઢ - નિશ્ચય તે સમકિત હવે આ સમકિત તે શુદ્ધ સમકિત છે અથવા જ
સ્વરૂપ પ્રાપ્તિ પણ તે જ છે, કારણ કે ત્યાં અનુભવ પ્રાપ્તિ છે. પોતાની ખાત્રી દઢ નિશ્ચયપૂર્વક થાય છે. છેઅન્ય સ્વરૂપથી જુદો આત્મા પદાર્થ તે હું પોતે નિજસ્વરૂપ અનુભવું છે . આ અનુભવ પછી સ્વરૂપ શું હશે ? કેમ પમાતું હશે ? આ છે
નિજસ્વરૂપ કહેશો કે નહીં ? આમાં મારી ભૂલ તો નહીં હોય, આવા આ પ્રકારની શંકા હોતી નથી. પણ અનુભવ બીજજ્ઞાનની પ્રાપ્તિ પછી હોય છે. બીજજ્ઞાનની પ્રાપ્તિ સિવાય તેમ થવું ઘણું મુશ્કેલીવાળું છે. અને પ્રાપ્તિવાળાને તેમ થવું સહજ છે. આટલો તે જ્ઞાનનો મહિમા છે. કૃપાળુદેવે લખ્યું છે કે લક્ષણે, ગુણે અને વેદનપણે આત્માને નથી જાણ્યો તેને આ જ્ઞાન જ્ઞાનીપુરુષે આપ્યું હોય તો લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે, તેમ જ્ઞાન વિષેના કાગળમાં લખેલ છે. તેનું કારણ આ ઉપર લખ્યું છે તે જ છે. માટે બીજજ્ઞાનની પ્રાપ્તિ હોય તેને
સમકિત હોય તેમાં નવાઈ નથી. છે. વળી તમે લખો છો કે પ્રેમ અનુભવ થયા વિના કેમ આવે? અને
પ્રેમ વિના કંઈ બનતું નથી. આ મુશ્કેલી બધાને નડે છે, એક તમને જ
*
*
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
ર૫૭
For Personal & Private Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
નડતી નથી માટે જ મહાપુરુષે ડગલે ને પગલે સદ્ગુરુ ઉપલ લક્ષ દોરાવેલ છે, સદ્ગુરુને જ દેહધારી પરમાત્મા માની તેના ઉપર પ્રેમ વધારવો, કારણ કે તે શુદ્ધ આત્મ સ્વરૂપ જ છે, ને તેમનો આત્મા છે તેવો જ આપણો આત્મા છે, પણ તેની ભક્તિથી આપણા દોષ ટળે છે અને જીવને હંમેશાં ઉત્સાહ વધતો જાય છે, શિથિલપણું આવતું નથી. તેમ કરતાં જ્યાં જ્ઞાનની અનુભવ સ્વરૂપ પ્રાપ્તિ થાય છે ત્યારે તે મુંઝવણ ટળે છે. પણ તેમ ન થાય ત્યાં સુધી તો જીવને સત્પુરુષ હોય તો તે સત્પુરુષનો અને તે ન હોય તો તેના કહેલા વચનના વિશ્વાસથી દૃઢ પ્રયત્ન કરવો ઘટે છે. તે પ્રયત્ન કર્યા વિના આત્મજ્ઞાનની નિશ્ચય પ્રાપ્તિ થવી દુર્લભ છે.
બીજું કોઈ ભક્તિ મહાત્મ્ય કહે છે ને કોઈ ભજનનું મહાત્મ્ય કહે છે તેમાં ખરું શું ? તેમ તમે લખ્યું, તો તેમાં એકે પદાર્થ ઓછું નથી. ભક્તિમાં એટલી વિશેષતા છે કે પોતાના સ્વછંદાદિ દોષ સહજ ટળે છે. પણ મારી માન્યતા પ્રમાણે ભક્તિ સત્પુરુષ હાજર હોય તો મુખ્ય કરી તેની, અને તે ન હોય તો આગળ થઈ ગયા તે પુરુષની કરવી જોઈએ. ભજન પણ જે શુદ્ધ સ્વરૂપને પામ્યા છે તેનું ક૨વું અને તે ભજનનો પ્રભાવ પણ ઘણો છે. જાપના અનુભવથી તમને થોડી ઘણી તો ખાત્રી થઈ હશે. ઘણા દોષ ભજનથી ઘટે છે. ભજન જો સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય તે કરે તો તેને ઘણો લાભ થાય. જો તે પ્રાપ્તિ ન હોય તો પોતાના દોષ ઘટી ભૂમિકા શુદ્ધ થાય છે. હવે ભજનના ઘણા ભેદ છે. કોઈ સ્મરણને ભજન કહે છે, કોઈ કોઈ શ્વાસોશ્વાસના જાપને ભજન કહે છે. કબીરસાહેબ વળી જુદું કહે છે. રાત અને દિવસમાં જ્યારે જ્યારે નાડી બદલવાની સંધીમાં દશ શ્વાસા સુખમણા થાય છે તે દશ શ્વાસા સોહમ્ ના જાપને ભજન કહે છે. પણ અહીં તો શ્વાસોશ્વાસની સાથે સોહના ભજનને ભજન ગણવું.
બીજું તમો લખો છો કે “પ્રેમ વિના રીઝે નહીં તુલસીનંદ કિશોર’ તે બાબત જાણશો કે આ વાક્ય પ્રેમલક્ષણા ભક્તિનું છે. તેવી પ્રેમની લય તો નરસિંહ મહેતા જેવાને, લાલજી મહારાજ જેવાને હતી. પણ
૫૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
આ વાક્યનો આપણે વિચાર કરીએ. ચાહે તો આત્મા પ્રત્યે ઉતારો અને ચાહે તો પરમાત્મા પ્રત્યે ઉતારો, પણ ખરો પ્રેમ ક્યારે કહેવાય તે વિચારવાનું છે. પ્રેમ વસ્તુ દુનિયામાં પરમાત્મા એ સર્વને સરખી જ આપેલ છે, પણ તે પ્રેમનું આપણે છિન્નભિન્નપણું કરી નાખેલ છે. દાખલા તરીકે કાંઈક પ્રેમ બૈરામાં, કાંઈક પ્રેમ છોકરાઓમાં, કાંઈક પ્રેમ વૈભવમાં, કાંઈક પ્રેમ મોટરમાં, એમ જગતના અનેક પદાર્થોમાં જ પ્રેમના કિરણો ચોંટેલા છે. હવે આ બધો હિસાબ મુકીએ તો પરમાત્માને 1 ભાગે જો કદાચ એકાદ આની આ પ્રેમ હોય તો અને પંદર આની તે ?
બીજે વેંચાઈ જાય છે ત્યારે પ્રેમનું સ્વરૂપ એવું છે કે એક ઠેકાણેથી ઉખડે તો બીજે ઠેકાણે ચોંટે.
હવે જ્યાં સુધી પ્રેમ બધેથી ઉઠીને પરમાત્મામાં સોળ સોળ આની જ પ્રેમ જાગે નહીં ત્યાં સુધી તુલસીદાસના કહેવા મુજબ પરમાત્મા આપણા | એકાદ આનીના પ્રેમને પ્રેમ માની શી રીતે રીઝે ? એવા એક આનીના
પ્રેમવાળા તો કોઈ કોઈ વખતે ઠગ, ઠાકોર અને ચોર વિગેર ઘણાય મળે છે. તેથી પરમાત્મા રીઝતો નથી. બાપો કહેતા “આપણે એનાં તો તે આપણો” માટે દરેક સંસારીક પદાર્થ ઉપરથી તથા નાશવંત આ ક્ષણભંગુર દેહ, તેના ઉપરથી ઉઠી સોળ આના પ્રેમ પરમાત્મા ઉપર
જ્યારે જામે ત્યારે જ પરમાત્મા રીઝે એવો તુલસીદાસજીનો કહેવાનો આશય હોય એમ મને તો લાગે છે.
કામની ઉપાધીને લીધે કાગળ લખવામાં ઢીલ થએલ છે. બીજું લાલુનો કાગળ હતો તેમાં લખે છે કે બાપુજીની તબીયત લથડેલ છે અને ધારસીભાઈ ત્યાં આવેલ છે, તો અવારનવાર તમારી તબીયતના ખબર જરૂર આપતા રહેશો. અને બનશે ત્યાં સુધી પોષ સુદીમાં આવી જશું. તે દરમ્યાન તમને શરીરાદિની કોઈ પણ જાતની અડચણ લાગે તો અમને જણાવશો. અમારો કાગળ મોડો વહેલો આવે તો તે ઉચાટ કરશો નહીં.
તા. સદર દ : વૃજલાલના પાયવંદન
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
ર૫૯
For Personal & Private Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવો નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો.“હું દેહાદિ સ્વરૂપ નથી. સ્ત્રી પુત્ર આદિ કોઈ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.” એમ આત્મભાવના કરતા રાગદ્વેષનો ક્ષય થાય.
વિચારવાન પુરુષો તો કેવલ્યદશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ છે સમજીને પ્રવર્તે છે.
- D પત્ર નં. ૧૦ %
જેઠ વદ ૮ સંવત ૧૯૯૭, તા. ૧૪-૬-૪૧ પૂજ્ય શ્રી કાળીદાસભાઈ (તથા છોટાલાલ મગનલાલ તથા વૃજલાલભાઈ)એ મોરબી લખેલ પત્ર
પરમ કૃપાળુ પરમાત્માના સ્વરૂપનું જેના અનુગ્રહથી સહેજે ભાન જ થાય છે તેવા શ્રીમદ્ સદ્ગુરુને ત્રિકાળ નમસ્કાર હો. પરમ જીજ્ઞાસુ વૈદ્યરાજ હીરાચંદભાઈ તથા ભાઈ ચંદુભાઈ, મું. મોરબી
સાયલાથી અલ્પજ્ઞ કાળીદાસ માવજી તથા છોટાલાલ મગનલાલ છે તથા વ્રજલાલભાઈ વગેરેના સ્નેહપૂર્વક નમસ્કાર સ્વીકારશો.
વિશેષ તમારા તરફથી ચાર-પાંચ પ્રશ્નો મળ્યા. જવાબ લખવામાં ઘણી ઢીલ થઈ તેનું કારણ ઉપાધી જ છે, તો માફ કરશો. આજે તે પ્રશ્નોના ખુલાસા વિષે અમને જે કાંઈ સમજાય છે તે તમને લખવાનો પ્રયાસ કરેલ છે તે વાંચી વિચારશો.
સુધાની ધારા પછીના કેટલાક દર્શન અમને થયા છે. તે શું ? ' જ્ઞાનના પરોક્ષ, અપરોક્ષ વિષે પત્રથી લખી શકાય તેમ નથી તેનું ન કારણ શું?
૨૬૦
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આ બે પ્રશ્નો તમારા છે. સુધાની ધારા પછી જો ખરી ભક્તિની લય આવે, (જેને પરાભક્તિ કહે છે તે) તો પોતાના હૃદય મંદિરમાં પોતાની ભાવના મુજબ દર્શન થાય ખરા. અને તે દર્શનને જ સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ કીધી હોય તેમ કૃપાળુદેવના લખાણ ઉપરથી લાગે છે.
બીજું આ પત્ર શ્રી સૌભાગ્યભાઈ ઉપર લખાયેલ છે. સોભાગ્યભાઈએ, જ્ઞાન પ્રાપ્તિ કરાવ્યા પછી કૃપાળુદેવને પુછાવેલ હશે કે તમને હવે જે જ્ઞાન થયું તે પરોક્ષ જ્ઞાન કે અપરોક્ષ જ્ઞાન. આના જવાબમાં કૃપાળુદેવ લખે છે કે જ્ઞાનના પરોક્ષ, અપરોક્ષ વિષે અત્રે પત્રથી લખાય તેમ નથી. તેનું કારણ પણ એમ જ લાગે છે કે પોતાને પ્રત્યક્ષ દર્શન-સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ છે તેથી પરોક્ષ જ્ઞાન કેમ કહેવાય ? તેમ જ સંપૂર્ણ કેવળજ્ઞાન, કેવળદર્શન નથી થયું ત્યાં સુધી અપરોક્ષ જ્ઞાન પણ કેમ કહેવાય. તેથી પત્રમાં લખતા દોષ આવે માટે રૂબરૂમાં આવી બાબતના ખુલાસા વધારે ઠીક થાય. તેથી તેમ લખેલ હોય તેવું લાગે છે.
સાકારરૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ તે શું ? તેના જવાબમાં... છોટમ જ્ઞાની પુરુષ હતા. તે તેમની વાણી કહી આપે તેવો વિષય છે. વળી તેમનામાં પરા ભક્તિની લય વિશેષપણે તેની વાણી દ્વારા જાણવાથી તેમને સાકારરૂપે હરિની પ્રાપ્તિ થઈ હોય તેમ કૃપાળુદેવને લાગવાથી લખેલ છે. આ બાબત સ્પષ્ટ લખું છું કે, કેટલીક બાબતનું લખાણ કૃપાળુદેવનું જૈન શૈલીમાં વિરોધ આવે તેવું બીજાઓને લાગવાથી અપ્રગટ રાખેલ છે. પણ જેને સાક્ષાત્ પ્રાપ્તિ થઈ છે તે પુરુષ તો જૈન દર્શનમાં તે કહ્યું હોય કે ન કહ્યું હોય પણ પોતે તો કહ્યા વગર કે લખ્યા વગર રહેતા નથી. માટે તેવા પ્રકારનું લખાણ અપ્રગટ રાખેલ છે. પણ સાક્ષાત્ પ્રાપ્તિ થાય છે તે વાત ખરી છે. અને તે બાબત કૃપાળુદેવનું લખાણ અપ્રગટપણે છે પણ ખરૂં. જગતનું અધિષ્ઠાન પણ કોઈ છે ખરૂં તેવો મત પોતે દર્શાવેલ છે. પણ જૈનદર્શનમાં તે વાક્ય વિરોધી લાગવાથી તે લખાણ પુસ્તકમાં પ્રગટ નથી કરેલ. તે કોઈ વખત
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
૨૦૧
Page #293
--------------------------------------------------------------------------
________________
આવશો તો આપને જણાવીશું. માટે સાકાર રૂપે પ્રત્યક્ષ દર્શન તે હરિની પ્રાપ્તિ થઈ હોય તેમ તે કહેતા હોય તેમ લાગે છે.
જે રસ જગતનું જીવન છે તે રસનો અનુભવ થયા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે તેના જવાબમાં જાણશો કે :
ઘણા જીવોને આત્મા અરૂપી હોવાથી તેના ઉપર અતિશય પ્રેમ છે ભક્તિની લય આવવી મુશ્કેલ છે. માટે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે તેમ ગણી સાકાર રૂપે હરિની પરમ ભક્તિ પ્રાપ્ત કરવાથી અને તે થવાથી સાક્ષાત્ દર્શનની પ્રાપ્તિના લીધે તેના પ્રત્યે ભક્તિની લય વધારે ઉલસીત થાય છે. હવે જે રસ જગતનું જીવન છે તેને તો તમે સમજો છો પણ તેની પ્રાપ્તિ થયા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે ? અને તે થવાનું કારણ ઉપર કહ્યું તે બળવાન સાધન છે. આ પરાભક્તિ ઉત્પન્ન ) થતાં જ કૃપાળુદેવ લખેલ છે કે –
અમારું ખાવું હરિ, પીવું હરિ, ઉઠવું હરિ, બેસવું હરિ” વિગેરે જ લખાણ કરેલ છે. તે પરાભક્તિ ઉત્પન્ન થવાથી લખેલ છે. અહિ સ્વભાવ પરિણતી છે. આવી દશા જ્યારે પ્રગટ થાય છે ત્યારે વિભાવ " પરિણતીને અવકાશ હોતો નથી. બીજું મોટું આશ્ચર્ય તો એ જ છે કે આપ જેવાને સમ્યકજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ ) છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત થતો નથી. તેના જવાબમાં જાણશો ? કે-શ્રી સોભાગ્યાભાઈને જે રસ જગતનું જીવન છે તે રસ સંબંધી તો જ્ઞાન હતું જ. માટે તે સમ્યકજ્ઞાનનું બીજ પણ છે, અને પરાભક્તિનું મૂળ પણ તે જ છે. હવે તેની પ્રાપ્તિ તો તમને છે છતાં ત્યાર પછીનો છે
ભેદ કે જે પરાભક્તિ અમને ઉત્પન્ન થઈ, સાક્ષાત્ પ્રાપ્તિ પોતાના ! જ હૃદયમંદિરમાં હરિની થઈ તે તમને કેમ થતી નથી. અને થઈ પણ જ નહોતી તેનું કારણ એ જ હતું કે યથાર્થ બોધની ખામીના લીધે સાંસારીક વૈભવનો મોહ, સાંસારીક સુખનો મોહ અને નિરંતર સત્સંગની ખામીના લીધે ત્યાર પછીનો ભેદ પ્રગટ થતો નથી. તેનું ભાન કરાવવા ખાતર તેમ લખેલ હોય તેવું લાગે છે.
૨૬ર
શ્રી સોભાગ્યભઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
વિશેષ આપ જરૂર માનશો કે જ્યાં સુધી માયીક પદાર્થો પ્રત્યે મોહ ? છે, સંસાર સુખની અલ્પ પણ ઇચ્છા છે, તેમાં મીઠાશ લાગે છે ત્યાં 1 સુધી તે ભક્તિની લય આવવી મુશ્કેલ છે. અમને, તમને અને સર્વે ?
મુમુક્ષુઓને જ્યારે રાત-દિવસ આજ રટના રહેશે, બીજું કાંઈ ગમશે નહિ, કોઈનાથી બોલવું, ચાલવું, વાત પણ નહિ ગમે માત્ર એક હરિના સ્વરૂપને જ પ્રાપ્ત કરવા સિવાય બીજી કોઈ પણ જાતની સ્પૃહા નહિ રહે. માત્ર એક હરિનું સ્વરૂપ કે હરિના જનના સંગ વિના મન કોઈ ઠેકાણે નહિ ઠરે, ત્યારે તે ભેદ ખુલવાનો છે ને પરાભક્તિ પ્રાપ્ત થયા વિના તે હરિનું સ્વરૂપ પમાતું નથી. મીરાંબાઈ, નરસિંહ
મહેતા, કબીર સાહેબ, લાલજી મહારાજ વગેરે જે જે પુરૂષો થયા છે છે. તેઓ તેમ કરી તેના સ્વરૂપને પામેલા છે. તેમના જેવો પ્રેમ આપણામાં છે
છે ? તે વિચારશો. આપણે તો પહેલું સંસાર વૈભવનું સાચવી તેમાં ક ખામી ન આવે તેવી રીતે વચલા ગાળામાં જો બને તો કાંઈક તે સંબંધી જ
વાંચન કે વિચાર કરવો અને તે પણ બહુ જ ટુંકો સમય પછી ત્યાંથી ઉઠ્યા પછી તે કાંઈ નહિ. માયાની જાળમાં તદાકાર બની તે નચાવે તેમ નાચવું છે અને હરિના સ્વરૂપને પામવું છે તે કેમ બને ? આપણને એક એવી ટેવ પડી ગઈ છે કે કેવળજ્ઞાન સુધીની વાતને સમજી લેવાની ઇચ્છા છે, પણ સમ્યકજ્ઞાન સુધીની દશા પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી, સહેજસાજ થાય તો સત્સંગની ખામી, પોતાને યથાર્થ છે બોધની ખામી, વીર્યની મંદતા અને માયીક પદાર્થો પ્રત્યે મોહ, આ છે
બધા તે ઇચ્છાને તોડી પાડી વિઘ્નરૂપ બને છે. ભાઈશ્રી આ માર્ગ પૂરેપૂરા શૂરાનો છે. જરા પણ કાયરતાનો નથી. રાત ને દિવસ જેને અંતરંગમાં લાગી રહે, બીજા કોઈ પદાર્થોમાં મીઠાશ ન લાગે, સંસાર દાવાનળ લાગે, કુટુંબના કે જ્ઞાતિના કામ ઝેર સમાન લાગે, આ એક છે. જ જાતની ધુન અહોનિશ લાગી રહે ત્યારે હરિનું સ્વરૂપ પમાય અને તે
તેમ રહેવામાં સર્વોપરી સાધન સપુરુષ અને તે ન હોય તો સત્સંગ જ એમ બે છે. માટે ઝાઝું જાણવા કરતા થોડી પણ દશા પ્રાપ્ત કરો તો જ | બધા ભેદ ખુલી જશે. માર્ગે ચાલ્યા વિના કોઈ રીતે ઇચ્છિતની પ્રાપ્તિ નથી. વિચાર એટલે કે (કોઈ પણ જાતનો ખુલાસો) સમજવાથી યથાર્થ જ શાંતિ થતી નથી. પણ ખરો શાંતિ માર્ગ મળ્યો હોય તો જીવે બીજી
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૬૩
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #295
--------------------------------------------------------------------------
________________
બધી ઇચ્છાને ત્યાગી એક જ હરિમાં લય લગાડવી જોવે. પણ તે લય છે સંસાર સુખની ઇચ્છા હશે ત્યાં સુધી કદી પણ આવવાની નથી. આ તો
સાચું કરી બતાવવાનું છે-કહી બતાવવાનું નથી. પોથી માંયલા રીંગણાથી 4 શાક બને નહીં, તે તો સાચા હોય તો જ બને. માટે આ તો સત્ય છે મારગ છે ને તેમાં સત્ય પુરુષાર્થ હોય તો જ સત્યની પ્રાપ્તિ થાય છે.
સાંસારીક વૈભવનો મોહ શ્રી રામે કેટલો છોડ્યો હતો તે જોવા માટે યોગવાશિષ્ટના વૈરાગ્ય અને મુમુક્ષુ પ્રકરણ વાંચી જોશો અને તે વૈરાગ્ય સાથે આપણા વૈરાગ્યની સરખામણી કરશો તો ભાન થશે કે આપણામાં કેટલી ન્યૂનતા છે. - પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે પ્રેમ અને તીવ્ર ભક્તિ માટે તુલસીદાસજીની રામાયણ વાંચશો તો ખબર પડશે કે તુલસીદાસજીની છે ભક્તિ કેવા પ્રકારની હતી. ભરતજીનો પ્રેમ, લક્ષ્મણનું આજ્ઞાકીતપણું છે
કેટલું હતું તે સહેજે સમજાશે. મારતોડ ગમે તે પ્રકારની હોય તે ઉપર લક્ષ નહિ દેતાં તેમાં નીતિ, ભક્તિ, પ્રેમ તે લક્ષમાં રાખી વાંચશો તો જ વધારે અનુકૂળતા લાગશે.
છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા જ રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારે એક દેશ છે | બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. તે પ્રશ્નના જવાબમાં નીચે | મુજબ અમને તો જણાય છે તે વિચારી જોશો.
છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં એટલે છેવટનું જે આત્મસ્વરૂપ સમજાયામાં કે અનુભવાયામાં ન્યૂનતા નથી. તે તો સર્વ !
પ્રકારે જેમ છે તેમ સમજાયું છે. પણ હજુ તે જ્ઞાન નિરાવરણ નહિ ? છે હોવાથી એટલે કેવળજ્ઞાન ભૂમિકા અનુભવવામાં નહિ આવવાથી એક છે. દેશ બાદ કરતાં તેમાં લખ્યું હોય તેમ લાગે છે. કેવળજ્ઞાન સુધીની ભૂમિકા અગર દશા સમજાયામાં ન્યૂનતા નથી પણ અનુભવાયામાં ન્યૂનતા હોવાથી એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. કેવળજ્ઞાન સુધીનું જ્ઞાન એટલે સ્વરૂપ સ્થિતિ સમજાણી છે પણ અનુભવાણી નથી. માટે એક દેશ બાદ કરતાં તેમ લખ્યું હોય તો ના
૨૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
નહિ. સમજાવું અને અનુભવવું આ બે શબ્દોમાં ઘણો ફેર છે. સ્વરૂપની અપેક્ષાએ સર્વ સમજાયું છે, અનુભવાયું છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ સર્વ સમજાયું છે પણ એક દેશ બાદ કરતાં સર્વ અનુભવાયું છે તેમ લાગે છે. પછી તો હોય તે ખરું.
પ્રાપ્ત થયેલા સત્ સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. અપૂર્વ સમાધિ તે જ કહી શકાય કે પ્રાપ્ત થયેલા સસ્વરૂપમાં જ સ્થિતિ રહે. સ્થિતિ કહો-સ્મરણ કહો તે બન્ને એક જ છે. પ્રાપ્ત થયેલું
સત્ય સ્વરૂપ કોને કહેવું ? આ પ્રશ્ન આંહિ તમને ઉદ્ભવશે. તો સત્ય જ સ્વરૂપ અવ્યક્ત રીતે અને વ્યક્ત રીતે બે પ્રકારે પ્રાપ્ત થાય છે. આ
સમજણથી શ્રદ્ધાપણે નિશ્ચય થવો તે અવ્યક્ત સ્વરૂપ પ્રાપ્તિ, અને જ અનુભવથી તેની સાક્ષાતુ પ્રાપ્તિ થવાથી આત્મ સ્વરૂપને વેદ, અનુભવે ?
તે વ્યક્ત રીતે અનુભવ પ્રાપ્તિ કહેવાય. આ મુજબ તમારા પ્રશ્નોનો છે 1 જવાબ અમને સમજાય છે; તે મુજબ જણાવેલ છે. બાકી તો જ્ઞાની !
ગમ્ય છે. પણ ખરી વાત એ છે કે સાચો રંગ લાગ્યા વિના આ માર્ગની છે | મઝા આવતી નથી. અને સાચા રંગ વિના આ માર્ગમા સુખનો અનુભવ થતો નથી. તેથી આ શું હશે ? આ શું કહ્યું હશે ? તેવા વિક્લપ ઊઠ્યા
કરે અને તે બધા વિકલ્પ ઘટવાનું સાધન સત્સંગ છે. સત્સંગ વડે * જ્યારે જીવને નિઃશંકતા પ્રાપ્ત થાય તો જ નિર્ભયતા આવે અને જે
નિર્ભયતા થયે અસંગતા ઉત્પન્ન થાય છે, આવું કૃપાળુદેવનું વાક્ય છે. ' પણ બધી હકીકત માર્ગે એક લક્ષથી ચાલવાના માટે જેનો રાતદિવસનો !
સતતું પ્રયાસ છે તેને માલમ પડે છે. લખવાથી કે વાંચવાથી તેની ખાત્રી થતી નથી.
હંમેશાં આ જીવ પોતાના અલ્પપણાનો ગુણ હોય તો તે તરફ દૃષ્ટિ વારંવાર કરે છે. ને હું આટલું સમજું છું, જાણું છું, હું ઠીક છું એવું 1 બીજાને બતાવવાનો પ્રયાસ કરે છે, પણ પોતાનાં દોષ તરફ દૃષ્ટિ
કરતો નથી કે મારામાં હજુ તો ઘણાં દોષ ભરેલા છે. તે ઘટાડ્યા વિના જ સત્સુખની પ્રાપ્તિ કેમ થાય ? ભાઈશ્રી, ઘણું જાણવાનું અને ઘણું
સમજવાનું છે તે સત્સંગ વિના કેમ સમજાય ? હજુ કેટલાક દોષો જ છે એવા હોય છે કે જે આપણા સમજવામાં પણ નથી હોતા. જે પુરુષને છે
[ શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૫
For Personal & Private Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય નથી ત્યાં સુધી આ પુરુષ ઠીક છે, આ મુનિ તથા આરજાજી બહુ સારા છે તેવો ભામો રહ્યા કરે, અને તેવા વિકલ્પો હોય ત્યાં સુધી નિઃશંકતા કહેવાય નહિ. આવા વાક્યોનો બહુ જ વિચાર કરવો જોવે તો જ સમજાય. આંહિથી આંહિ દોડવું અને આંહિથી ત્યાં દોડવું એ સ્વરૂપ નિશ્ચયવાન પુરુષને હોતું નથી. ઘણી વાતો તો રૂબરૂમાં કહેવા જેવી હોય તે કાગળમાં કેમ લખાય ? ટાઈમ મળે તો બે ચાર દહાડા આવી જાવું વધારે ઠીક છે.'
સાથેના પત્રો પુસ્તકમાંથી વાંચશો અને વિચારશો તો વધારે લાભનું કારણ છે. આ પત્ર વધારે પ્રચલિત કરશો નહિ. તેમ અમે બધું સમજીએ છીએ તેવો આરોપ અમારામાં મહેરબાની કરી શકશો નહિ. એજ.
૨૬૬
ભાગ ૧.
ભાગ ૨.
જૂના પુસ્તકનો આંક-નંબર
૧૪૭
૨૧૬
૨૧૭
૨૨૦
૨૭૩
૩૬૮
૩૮૨
૪૪૯
૪૫૨
૪૪૩
୪୪୪
૪૪૫
૫૦૩
૫૯૦
૭૩૨
૭૩૫
સૌભાગ્યભાઈ
ખંભાતનામુમુક્ષુ
સૌ.
સૌ.
સૌ .
કૃષ્ણદાસ
ત્રિ.મા.
મુનિશ્રી
અંબાલાલભાઈ
મુનિશ્રી
સૌ.
સૌ.
ડુંગર આદિ
મુનિશ્રી.
*&?+
નવા પુસ્તકનો આંક-નંબર
For Personal & Private Use Only
૧૭૦
૨૫૪
૨૫૫
૨૫૯
૪૩૧
૪૪૯
૪૬૭
૫૩૪
૫૩૭
૫૨૫
૫૨૬
૫૨૮
૫૬૯
૬૭૯
૮૦૬
૮૧૧
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથાય નમઃ | શ્રી કૃપાળુદેવાય નમઃ |
શ્રી ગુરુદેવાય નમઃ | શ્રી પ. પૂ. આત્મજ્ઞાની ભાઈશ્રી કાળીદાસભાઈ માવજી દોશીના વિરચિત આત્મમંથન કરતા પદો
9 પદ-૧, સવૈયા ૭ આજ સખી મનમોહનને,
રમતો જમના જળ માંહી નિહાળ્યો. શાન્ત સુધામય શ્યામકી મુરત,
દેખત વેહ જગ્યા ઉજીયારો. અંતર એક નિરંતર ધ્યાન,
હરિ બિન લાજ કે કાજ ન પ્યારો. દેહકો ભાન સબે બિસરી,
જંગજીવન હે સખી કામનગારો. મેલી સબે મરજાદ હરિ તુમ,
પ્રીતમેં કુલ કી રીત બિસારી. એક ઘડી ન ઠરે ઘરમેં ચીત્ત,
જાનત છે ગુંજ કી ગીરધારી. ધાઈ ધસુ અકળાઈ કે બાહીર,
નીરખવા મુખમેં ત્રીપુરારી. જો મુખયાર પોકાર કરું,
સબ કોઈ કહે બની બાવરી નારી.
9 પદ-૨, સાખી ૭. આતમ ધ્યાન અમૃતની ધારા, વરસે મોતી દશમ દ્વારા, અરસ પરસ કોઈ કરે દેદારા, સો જોગી સબ જગમેં ન્યારા.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૬૭
For Personal & Private Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
દેહ દેવળમેં નિરખે દેવા, ગંગા સ્નાન કરે નિત્ય સેવા, ઘરમેં જમુના, ઘરમેં રેવા, જીવન મુક્ત જાણે તેવા.
પદ-૭, રાગ મીરના પદનો ઘેલી તો ફરું રે ઘરમાં ઘેલી કરું,
મારા પીયુજી વિનાની ઘરમાં ઘેલી કરું...૧ વહાલા રે વિનાની અમને, ઘડી જુગજેવી રે,
જીવન વિનાની હું તો ઝુરી રે મરું,
મારા વહાલા વિનાની ઘરમાં ઘેલી ફરું...૨ પ્રેમના પાહુલીએ પાડી પરવશ કીધા રે,
વચને વિંધાણી, દીલની કોને કહું, – મા. પી.૩ તન મન ધન તો મારું, તમે હર્યું ત્રીકમા રે,
નાથ વિનાની નયણે નીરતો ભરું, – મા. પી..૪ મનથી બંધાણી, મારા ચિત્તથી વિંધાણી રે, પ્રિતમ આવો તો પ્રેમે પુજાયું કરું, - મા. પી.૫
9 પદ-૪, દોહરો બુ ખાન પાન સનમાનમાં, ગાન તાન ગુલતાન; જ્ઞાન ધ્યાન નીજ ભાનકો, બીસર જાતિ વિદ્વાન. આ અટવીમાં આત્માનો, જય જેનાથી થાય. શ્રેષ્ઠ તત્ત્વ સૃષ્ટી વિષે, જોતા સત્ય જણાય. પૂર્વ કર્મ કે ઉદયસે, ફંદા સબ ફસ જાત, નિજાનંદ નિજ રૂપમેં, દેખહી ડુબી જાત. જુનાને જાણે નહિ, નેહ નવાથી થાય. અક્કલ વિનાના આદમી, પાછળથી પસ્તાય.
૨૬૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
જોગી ચલા વૈકુંઠ મેં, કરણી કો ફળ પાઈ, અર્થેથી પાછા વળ્યા, વહાં ગાંજો તમાકુ નાઈ. કર્મ કડી સજડ જડી; કુંચી સદગુરુ હાથ, મોટા મોટા મથી મુવા, ચસકી નહિ લગાર.
પદ-૫, સોરઠો બ્યુ. વિકટ આતો વાટ, ઓઢે શીર અટાટણી, દુઃખનો વાળ્યો દાટ, અવરાણો તું આત્મા.
પદ-, દોહરા ૭ જ્ઞાનમાર્ગ કોને સમજાવવો અને કોણ સમજી શકે તે વિષે જ્ઞાતા, જ્ઞાન ને શેયનું, ભલું નહિ જ્યાં ભાન, તે ધ્યાતા ને ધ્યેયનું, ધ્યાન છતાં અજ્ઞાન...૧ સત્ સાધન ત્યાં શું કરે, સમજ નહિ જ્યાં છેક, અસત્ રૂપ અધ્યાસની, તાણી રાખે ટેક...૨ જડ ચેતનના ભેદનો, લક્ષ ન જહાં લગાર, કવણ ક્રિયાથી તે કરે, જ્ઞાન ગુણ નીરધાર૩ નિશ્ચય નહિ નિજરૂપનો, ત્યાં વરતે પરભાવ, પર પુગલ પરિણામથી, સમજે નહિ સ્વભાવ..૪
જ્યાં નહિ સમજ સ્વરૂપની, ત્યાં શું આતમ જ્ઞાન, બિન પ્રતિતિ જીવની, જ્ઞાન છતાં અજ્ઞાન...૫ આગ્રહ તજી અજ્ઞાનનો, સમજે વસ્તુ ધર્મ, તે નિજ ગુણ ગ્રાહક બની, માર્ગ તણો લહે મર્મન્ડ ભાત ભાતમાં ભોગથી, અંતર રહે ઉદાસ, મોહાદિ આસક્તિનો, મળે ન મિથ્યા ભાસ-૭ નિજ ગુણ મત આગ્રહતણું, નહિ અંતર અભિમાન, શોધ રહી સત્પુરુષની, સરળપણું શુભ ધ્યાન..૮ ઇચ્છે આશ્રય સંતનો, અવર ન મનમાં આશ, પરમાર્થને પામવા, જેને થઈ જીજ્ઞાસ...૯
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
૨૬૯
For Personal & Private Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
રિદ્ધિ સિદ્ધિ સર્વનો, કરે ન મનથી મોહ, બંધ બેડી બન્ને ગણે, ક્યું કંચન કે લોહ.૧૦ મુળ માર્ગને પામવા, અભુત જહાં ઉલ્લાસ, તે જ્ઞાતાને જ્ઞાનની, કહી યોગ્યતા ખાસ..૧૧
જ્યાં દીસે એ યોગ્યતા, ત્યાં જ્ઞાન પ્રકાશ, સમ્યફબીજની સહાયથી, કરે કર્મનો નાશ..૧૨. શુદ્ધ ભૂમિમાં સંતનું, સમ્યબીજ સોહાય, અદ્ભુત અમૃત વૃષ્ટિથી, કેવળ વૃક્ષ કરાય...૧૩ ઠામ ઠામ તે બીજની, હોય ન ભૂમિ યોગ્ય, બળે બીજ તે બોળતાં, તેને યોગ્ય અયોગ્ય..૧૪ અભયદાનને આપતા, પરથમ પરખો પાત્ર, અચળ પ્રેમ બીન આપવું, મહા મોહની માત્ર..૧૫
પદ-૭, રાગ : પ્રભાત બ્યુ. મોહની નિંદમાં સુઈ મત રહો સદા, વ્યતિત બહુ કાળ એમ વ્યર્થ કીધો; નિજરૂપ નિરખવા, નેત્ર ખોલ્યું નહિ, સુપનનાં સુખ તણો લ્હાવો લીધો.... મોહની. આ વસ્તુ સ્થિતિ સમજનું છાણું વાયુ ભલું, શુદ્ધ સમકિતનો ભાનું ભાસે;
નિજ પર રૂપનો ભેદ પ્રગટે જહાં, મોહ મિથ્યાત્વ અહંકાર નાસે... મોહની. છે પ્રેમથી પરખીએ, નિરખીએ નાથને, અવર અધ્યાસને અલગ કીજે,
ગ્રહણ કર જ્ઞાન ગુરુ બોધના બીજનું, પરમ રસ પાનથી કાજ સીજે. મોહની. તું નહિ પુદ્ગલી, દેહ પુલ સદા, પ્રગટ જડ દ્રવ્ય નહિ રૂપ તારું; પુલી પ્રપંચમાં પોતે ભૂલી ગયો, અન્યથા રૂપ કાં માન્ય મારું. મોહની. છે | સર્વ વ્યાપકપણે સાક્ષી તું સર્વદા, જ્ઞાનગુણ લક્ષણે ભીન્ન ભાસે;
શુદ્ધ ઉપયોગી તું ચિહન ચેતન્ય ધન,અચલ અવિનાશી ગુણ કેમ નાશે?... મોહની. જ થાય પ્રતિભાસ એ શેયનો જ્ઞાનમાં, પણ નહિ જ્ઞાન તું જ ય ભાવે; જેમ જલપાત્ર રવિ દેખીયે નિરમળો, ભાસ દરપણ વિષે તેમ થાવે... મોહની. સર્વને જાણ તે જાણ રૂપ તાહરું, અન્યમાં જાણ ગુણ જ્ઞાન નાવે; એમ ભિન્ન ભિન્ન ગુણ લક્ષણે અનુભવી, અલખરૂપ આપનું લક્ષ લાવે.મોહની.
ર૭૦.
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
* લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિરમળપણે, કરમનો ડાઘ કહો કેમ લાગે; છે કોઈ સંત વીરલા સમજશે સાનમાં, સહજ સ્થિર સ્થિતિનું ભાગ્ય જાગે... મોહની.
9 પદ-૮, રાગ કર પ્રભુ સંગાતે દ્રઢ પ્રીતડી રે ભુ કહ્યું કોનું તું કાન ધરતો નથી રે, નથી અળગું થયું અભિમાન.
તુંને છાં ન લાગ્યો સત્સંગનો રે..૧ વાત કરતાં શીખીને બન્યો બાવળો રે,
મુરખ મનમાં ધરાવે તેનું માન.. તુંને છાંટો...૨ દોષ કરતા તું દીલે ડરતો નથી રે,
જાણે પ્રભુ તણો પોતે પ્રધાન તુંને છાંટો...૩ સંત સાધુને શીશ નમતો નથી રે,
ભાવ ભક્તિ વિના તું ભુલ્યો ભાન.. તુંને છાંટો...૪ પ્રભુ ભજનમાં પ્રેમ નથી આવતો રે,
ખોટા લક્ષ તણો નિત્ય ખોળે લાગ.. તેને છાંટો.૫ તાણો તુણાનો તારો તુટતો નથી રે,
વિષય વાસનામાં રાત દાડો રાગ.. તુંને છાંટોક વશ કીધા ન વેગ વૃત્તિ તણા રે,
વ્યસન વિષય તણો હજી નથી ત્યાગ. તુંને છાંટો...૭ દોષ તારા જોવાની દૃષ્ટિ નથી રે,
નથી પારકા તું ગુણનો ઘરાગતુંને છાંટો...૮ મોટા મનનાં મનસુબા મટતા નથી રે,
. અહો નિશ જાણે રહેવું અવિનાશ... તેને છાંટો...૯ ખોટા ડોળ કરી ખેલ ઘણા ખેલતો રે,
અણું માત્ર નથી અંતરે ઉદાસ તુંને છાંટો....૧૦ : સદા શાન્તિનો પાઠ શીખતો નથી રે,
નથી અંતર શુદ્ધિનાં ઉપચાર તુંને છાંટો..૧૧
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
ર૭૨
ઉપર રાખે આંડબર ઉજળો રે,
છાના તાકતો સદાય તું શીકાર...તુંને છાંટો...૧૨ ચાલ શીખ્યો તું હંસ તણી ચાલતા રે,
કુડા કામ જોતા કળી આવે કાગ....ને છાંટો...૧૩ સાફ કરતો નથી તું સમતા જળે રે,
કાળીદાસ કાળો કલેજાનો ડાગ...તુંને છાંટો...૧૪
૭ પદ-૯, સત્સંગ લાગ્યા વિષેનું છુ
(રાગ : કર પ્રભુ સંગાતે દેઢ પ્રીતડી રે) શીર સાટે ગણે છે શીખ સંતની રે, એનું અંતરથી ટળ્યું અભિમાન. તેને છાંટો લાગ્યો છે સત્સંગનો રે...૧
બહુ ડહાપણ દેખાડી નથી બોલતો રે,
જેનું મૂળથી છેદાઈ ગયું માન...તેને છાંટો...૨ દોષ કરતાં ડરે છે દાડી દેવથી રે,
જાણે સર્વેને આપણા સમાન...તેને છાંટો....
પ્રભુ ભજનમાં પ્રેમ ઉતારી રહ્યો રે,
આડી વાતુથી આપ છે અજાણ...તેને છાંટો...૪ દીર્ઘ દ્રષ્ટિથી દોષ જુવે આપના રે,
સદા પારકા તે ગુણનો થરાગ...તેનો છાંટો...પ અંતઃકરણ બનેલું સદા ઉજળું રે,
ખોટા લક્ષ તણો ખોળી કરે ત્યાગ...તેને છાંટો...૩ જેના મનના મનસુબા મટ્યા સામટા રે,
અહો નિશ રહે અંતરે ઉદાસ...તેને છાંટો...૭
સદા શાન્તિનો પાઠ છોડતો નથી રે,
એક અંતર શુદ્ધિની કરે આશ...તેને છાંટો...૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
કુડ કપટની કામ કોણે કરી રે,
ન્યાય નિતિથી દોડી રળે દામ તેને છાંટો..૯ રીતી રાખે છે રૂડા રાજહંસની રે,
કદી કરે નહિ કાગ તણા કામ...તેને છાંટો..૧૦ તાપ ત્રીવીધ ને જેની તૃષ્ણા ટળી રે,
વિષય વાસનાથી થઈ ગયો વિમુખ... તેને છાંટો...૧૧ વૈત ભાવ તણી તજી દીધી ભાવના રે,
કાળીદાસ પામે તે શીવ સુખ.તેને છાંટો.૧૨ 9 પદ-૧૦, રાગ રાગમરસ પીજે રે ભ્રાંતમાં ભટકે રે સંસાર, .............. બહુ વિધ સાધન બહાર કરે તું, કર્મ કરાવા રે જી, માની દુજો દેવ, જાય તિરથ વૃત્ત નાવા રે જી. અંતર અનુભવ ના કર્યો, ન ગયો વિષય વિકાર, સી સાધન બંધન થયા, ઉર નવ ગયો અહંકાર..ભ્રાંતમાં (૧) કોઈ તજી દઈ ઘરબાર, બહુ વનવાસ સધાયા રે જી, કોઈ રહે મુખ મોન, જ્ઞાન વિન ગમ નહિ પાયા રે જી, સ્વયં પ્રકાશી સદા, તે તો તારી પાસ, અવર ઉપાસે ના મીલે, છે કસ્તુરી મૃગ પાસ ભ્રાંતમાં (૨) પિંડમાં પ્રગટ દેવ ઉલંઘી, આપ અજાણે રે જી, અહિં તહિં ગોથા ખાય, દિર્ઘ દૃષ્ટિ દીલ નાણે રે જી, મારું તારું નવ ગયું, મનમાં વળગ્યું માન, ગુરુગ્રંથી ભેદ થયા વિના, ઉલટું વાળું અજ્ઞાન.. બ્રાંતમાં (૩) ચરચાવે ચોવેદ, ભેદ બીન ભુતળ ભટકે રે જી, બાહર બહુ આચાર, વિચાર, શુદ્ધ અંતર અટકે છે, સોપાધિક સેવા કરે, નિરૂપાધિક કરે કોય, જડની પ્રીતે જડ મલે, ત્યાં ચેતનતા નવ હોય... ભ્રાંતમાં (૪)
- શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૨૭૩
For Personal & Private Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
*
છ પદ-૧૧, સવૈયો છુ નોંધ : પહેલી એક કડી સાહેબજીની અને બીજી કડી કાળીદાસભાઈની. આજ મને ઉછરંગ અનુપમ, જન્મ કૃતારથ જોગ જણાયો વાસ્તવ્યવસ્તુ,વિવેક, વિવેચક,તે ક્રમ સ્પષ્ટ શું માર્ગગણાયો...સાહેબજીની ૧
સંય સુબોધ વૈરાગ્ય વડે શલ્ય, દર્શન ચારિત્ર મોહ હણાયો કે મોહ પ્રપંચ પ્રચંડ જતા નર, ભેદ ટળી નીર ભેદ ભણાયો... કાળીદાસનું-૨ )
પરમારથ પંથ પ્રવાસી થતાં, પરભાવ પ્રપંચ પ્રચંડ હણાયો, - કર્મ વિનાશક તે ક્રમથી, નરભેદ ટળી નીર ભેદ ભણાયો... કાળીદાસનું.-૩
પદ-૧૨, સવૈયો .
નવ ગ્રહો દેહમાં છે તે વિશે નથી કદી ન્યારા નવ ગ્રહો, શાને દોડો દૂર, જુવોને વિચારી ધારી, દેહમાં દેખાય છે. મન ગ્રહ, ચંદ્ર સૂર્ય, ચક્ષુ, લોહી મંગળ છે, ત્વચા તેમ બુધ, ગુરુ હંસને લેખાય છે. વળી છઠ્ઠો શુક્ર ધાતુ, કીકીને સ્વરૂપ શની, રાહુ તે તો હાડ, કેતુ માંસનો કહેવાય છે.
ઓળખી અંતર જ્ઞાન, ધ્યાન થકી શાન્ત કરો, કષ્ટ નહિ આપે કાળું, એવો એ ઉપાય છે.
9 પદ-૧૩, ટોટક છંદ 9
નવે ગ્રહો દુઃખીયા છે તે વિષે. રવિને રીપુ રાહુ સદાય રહ્યો, ક્ષય રોગી શશી શીર કષ્ટ સહ્યો, તેમ મંગળ રૂ૫ અંગાર તણું, બુધ છે શીર છાપ કલંક ઘણું.
ર૭૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
For Personal & Private Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
જ
નિજ નારી ગુમાવી ગુરુ દુઃખીયો,એક આંખ વિના વળી શુક્ર થયો. સહુથી કહું સત્ય શની બળીયો, ખુદ પાય ખરેખર તો ટળીયો. રહે રાહુ દુઃખી ઘડ વિણ બહુ, નહિ કેતુ તણું કદી શીશ કહું. ગ્રહને નડવે જન કષ્ટ કહો, ઉપમાંહી વિચાર જરા ન લો. અરે એકથી એક નવે દુઃખીયા, ગ્રહને નડવા ગ્રહ કોણ ગયા. ઇલ્કાબ કહો ગ્રહને જો કદા, કહે કાળું નવે ઉરમાંહી સદા.
9 પદ-૧૪, મનહર છંદ
જીવની ગતી થવા વિષે કહું અવસાન તણી સાન શાણા સજ્જનોને, જીવનને જોવા પંચ સ્થાન આ સદાય છે. ચરણથી સેવતા રે, નક્કી ગતી નરકની, જંઘા થકી જાય ત્યારે, તિર્યંચતા પાય છે. હોયે થોડા કરમી હંસ, હાલે તે હૃદય થકી, માનો વાત સાચી ગતી, મનુષ્યની થાય છે. શીશ થકી જાતા શૂર-પદને પમાય પ્રીતે, સર્વાગેથી કાળું કહે, મોક્ષમાં સુહાય છે. આ સુણતા ગુપ્ત ભેદ, કોઈ જીવ શંકા કરે, અમુક સ્થાનેથી ગયો, કેમ તે કળાય છે. ગુરુગમ ભેદ લાહી, ઉષ્ણતા જણાય નહીં, ત્યાંથી જીવ ગમન, જ્ઞાની એમ ગાય છે. 9 પદ-૧૫, મનહર છંદ વ્ય
કાળજ્ઞાન ભ્રકુટી ન દેખે નર, મૃત્યુ નવ દિવસમાં, અનહદ ન સુણે તો, જાય દિન સાતમાં. તારકા ન દેખે નર, સ્થિતિ પાંચ દિવસની,
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૭૫
For Personal & Private Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
રસના ન દેખે તે તો, જાય કહેતાં વાતમાં. નાક અગ્ર ન દેખે તો, સ્થિતિ ત્રણ દિવસની, કાળજ્ઞાન સમજો ને, ગુરૂના પ્રસાદમાં. પાણી પેહલી બાંધી પાળ, સ્વરૂપ તારું સંભાળ, નિરંજન ધ્યાવો ધ્યાન, ઉઠીને પ્રભાતમાં.
9 પદ-૧૭, રાગ : ધીરાનું પદ છુ. કારણને કાઢો રે કરૂણાળુ કૃપા કરી,
ઝાઝા ઝોડ વળગ્યા રે, ચાલે નહિ જોર જરી. પંચ ભુતો પ્રગટ વળગ્યા, અળગા એકે ન થાય. પલો પચીસનો પંડમાં પીડે, લાગી ત્રિવિધ લાય,
બાંય કોઈ ઝાલો રે, પરીબળ તેને દૂર કરી.... કારણને એક ભૂત પંડમાં જો પેસે, તેના લે છે પ્રાણ, પાંચ પચીસનો થયો પેસારો, ઘરનો વાળ્યો ઘાણ.
હાણ થઈ છે ઝાઝી રે, માન્યા જેથી મારા કરી. કારણને દોરા ધાગાનો ડર નહિ જેને, કીધાં ઉપાય અનેક. જ્યાં જોવું ત્યાં વાસો તેનો, ભૂત જગ દરસાય.
ભૂત ભ્રમણા પેઠી રે, ભ્રાન્તી ઉરે આવી ઠરી...કારણને પુરુષાર્થનો પાટ નખાવો, શાસ્ત્ર સાચી હાક, સત્સંગ ડાકલીયા લાવો, સદ્ગુરુ મારે હાક.
માલમી ભુવો મલતા રે, પલમાં બેસે ઠામે ઠરી... કારણને ભૂત ટળે ત્યારે ભ્રમણા ભાંગે, સદ્ગુરુ મારે છાપ. મુખરૂપમાં મગ્ન બનાવે, ઓળખાવે આપોઆપ.
હું પદ જાશો હારી રે, જોતાં જ્ઞાન દૃષ્ટિ કરી... કારણને માયા મુએલી થઈને ભાસે, હારી રહેશે મન.
૨૭૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
વાસના વેલો મૂળથી બાળે, ટળશે ત્યારે તન. અનુભવ જ્યોતિ જાગે રે, અક્ષય પર બેસો વરી.... કારણને
પદ-૧૭, રાગ : બીભાસી વ્હ. છે. દેન કર્યું બીસાર, સમર ઘટમેં મુગટ ધારી,
ઘટમેં મુગટ ધારી, પ્યારે મોહન મુગટ ઘારી .. દેન ૧ દેવકીકે ઉદર આયે, બાલ ચમત્કારી,
યશોમતી કે ગોદ ખેલત, પુતનાં સંભારી-પુતના (૨) ... દેન | દીન કે દયાલ પ્રભુ, સેવક સહાયકારી, 1 અધમકે ઉધારનાર, ગોવીંદ ગીરધારી-ગોવીંદ (૨) ... દેન ૩ જ ગજકો ત્રાસ સુનત શ્યામ, આયે આનંદકારી,
હરણ સંકટ શરણ દીનો, જલથી પલમેં તારી-જલથી (૨) દેન ૪ ) નૃસિંગરૂપ નાથ ધરત, તુરત થંભ ફારી,
પત પ્ર©ાદ રાખ લેત, હીરણ કંસ મારી- (૨) ... દેન ૫ છે. કિીન રસાલ ખ્યાલ લાવ, ગ્વાલ રૂપધારી,
કેશવકુંજ બન બીહાર, વૃજ વનીતા તારી-વૃજ (૨) ... દેન * ભક્ત કાજ આપે ભુદર, અનેકરૂપ ધારી,
હરજી હુંડી હાથ લીન, શામળે સ્વીકારી-શામળે (૨) દેન ... ૭ કૃપાનિધાન કૃષ્ણ પ્યારે, અનેક લીલાકારી, રખલીનો મેં શરણ તેરી, ખબર લે હમારી-ખબર (૨) દેન .... ૮ :
9 પદ-૧૮, રાગ સ્વરૂપને ના લહ્યું રે ભુ
ભેખને વગોવતા રે, ધર્મ ધુતા જગ માંહી.... ભેખને. ભૂખમરે લઈ ભેખ ભૂતળમાં, બહુ જન ભમતારી, વિવિધ બનાવે વેશ ઉપરથી, મટી ન મમતારી,
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૭૭).
For Personal & Private Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
પાખંડ પરપંચમે, સાજ સજી શ્રીકાર, થાન સરીખા ભટક્તા, એ ઠગી ખાય સંસાર.. ભેખને-૧ સિદ્ધ સમા થઈને ફરતા શઠ, માન ઘરે બની મોરારી, પર બોધે કરી કપટ વિષયવૃત, આપ લંગોટારી, અંધ બની અજ્ઞાનમાં ન લહે આપ વિચાર, અવર ન એથી ઉગરે, બહુ ભટકાવે સંસાર.... ભેખને-૨ લગ્યો લંપટને લોભ, આશાને પાસ બંધાણારી, લે વેરાગી વેશ, નફટ નિત્ય શોધે નાણારી. લાલચમાં લટકી રહ્યા, ન ગયો વિષય વિચાર, પરમહંસ પોતે બને, એ ઠગ બગને ધીક્કાર.... ભેખને-૩ બહુ કરતાં બદનામ, બીરદનું ગ્રહી ગ્રહી બાનુરી, ખેલે હરદમ ખેલ ભલે, નહિ હરિથી છાનુરી, દુષ્ટ કર્મ કરતાં જરી, ડરે ન દિલમાં લેશ, કપટ કળા અહિં ચાલશે, નહિ ત્યાં પોપાનો દેશ.... ભેખને-૪
9 પદ-૧૯, સોરઠા ભુ. એકજ દંડો મેલ, બીજા શું બોલાય નહિ, જુલમી મળતા જેલ, સંતાણો ક્યાં શામળા ?...૧ અનરથ આવો નોય, કળજુગ માંહી કસોટીએ, કદીએ ન કરશે કોઈ, ભરુસો તારો ભુધરા..૨ હારી બેઠો હામ, બનેલ કાં બ્રિટીશથી રટશે નહિ કોઈ રામ, પણ મત ખો પરમાત્મા...૩ નિતિજ છોડી નાથ, લાગે કાં લાંચોડીયો, હેતે ન ઝાલે હાથ, સત્ શું છોડ્યું શામળા...૪ કિીધેલ કીરતાર, કામો છોડી દાસના, ઈ ગાંધી ગીરફતાર, નામોશી તુંજ નાથને..૫
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
છોડી સઘળું સુખ, આફત કાળે આવતો, દારૂણ પડીયું દુઃખ, ભારત માથે ભુધરાક
9 પદ-૨૦, સોરઠા ૭
ગાંધીજી વિશે
સતવાદી તું સંત, સાગર તું સમતા તણો, આતમબળનો અંત, આવ્યો નિહ અંગરેજથી સેતાની સરકાર, પાપ લાગ્યો પીડવા, હેલી કરજે વાર, ભારતની તું ભુધરા.
રેંટીયો ત્રાકુ તારી તોપ, ફરતી પાંખે કુંકતી, કરતી દીઠી કોપ, રણ હોંકાર્યું રેંટીયા.
9 પદ-૨૧, દોહરા ૭ શ્રી કસ્તુરભાઈ ગાંધીની અપૂર્ણપણે સ્મૃતિ થતાં બનાવેલ પદ
સત્ય બદવાનો સર્વદા, દાડીનો દસ્તુર, મુલ કર્યું નહિ મુખ થકી, કદીએ તેં કસ્તુર ૧ સદ્ગણ તારા સાંભરે, નયણે આવે નીર, પ્રેમીકો પલટો કર્યો, છોડી શીધ્ર શરીર... ૨ બંધ રહ્યો છું બે ઘડી, નાટારંગનો નાદ, મીટ વિંચીને મીત્રને, આજ કર્યો શું યાદ.. ૩ સ્નેહી સીદ તું સાંભર્યો, દીલમાં દેવા દુઃખ, તસબીર તારી ના મલે, ક્યાં નિહાલું મુખ૪ નથી બેમ, આ વિરહછે, દીલમાં પ્રગટ્યો દાહ, મુખ જોવાં તુંજ મીત્રનું, સ્વપ્ન જોવું રાહ. ૫
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૨૭૯
For Personal & Private Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
9 પદ-૨૨, મનહર છંદ મુનીશ્રી બાલચંદ્રજી મહારાજ્યો સ્વર્ગવાસ થતાં - અંજલિ પ્રિત થકી પેઢી પરમારની ચાલુ હતી,
જ્ઞાન ધ્યાન તણી ખુદ ખરીદો ચલાવતા. રામ નામ તણું દામ ધરતા તે ઠામ ઠામ,
ગરીબોને ગામ ગામ કોડથી કમાવતા. હરિપદ તણી હુંડી હજારોને લખી દેતા,
વિષયથી છુટવાનો વેપાર બતાવતા. અરે બાલચંદ્ર જેવા સના સરાફ જતા,
ધ્યાન તણા ધંધા હવે ભાંગ્યા મન ભાવતા. ભજનોનાં ભુખ્યા ભુખ વેઠીને ભીખારી થતા,
તોય નથી ભજનની ભુખ કો ભંગાવતા. રામના વેપાર વિના રઝળીએ રાંક થઈ,
જ્ઞાન તણા ગરથ તો હાથ નથી આવતા. મુનિના વિયોગે અતી મલીન થયેલ મન,
અંતરનાં રંગ થકી કોઈ ના રંગાવતું. મોક્ષ તણા મુસાફર, અરે બાલ મુનિ જતા,
ભવ તરવાનું ના હાથ નથી આવતું. અનેક પ્રકાર તણા અધ્યાત્મ ગ્રંથ રૂડા,
લાવી લાવી નિત્ય પોતે પ્રિતથી વંચાવતા. મન, બુદ્ધિ, ચિત્ત અંતઃકરણની શુદ્ધિ થવા,
શ્રેષ્ઠ સત્સંગતણું અંગ ઓળખાવતા. શાન્તિ પદ તણાં સેવકોને સંસ્કારી થવા,
ચેતન્યનાં જ્ઞાન તણી ચર્ચા ચલાવતા. કહે કાળીદાસ, ખાસ આસ ધરી જોયું મેં તો,
હશે એવા મુનિ પણ હાથ નથી આવતા.
વતા.
૨૮૦
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
9 પદ-૨૩, દોહરા ભુ. સન વિક્રમ ઓગણીસમેં, પંચોતેર પ્રમાણે, ગુરુ માગશર વદ નવમીએ, બાલ ભયે નિર્વાણ. સત્ સંગત સુખ સમુદ્રકો, આપે ભયે અગસ્ત, તે શીશુ શશી સૃષ્ટિથી, અબતો હો ગયે અસ્ત. પંચ વિષય પર ત્રીગુણને, રમતા સદા રૂપસ્ત, સ્વામી શુન સમાગમે, અબતો હો ગયે અસ્ત. તુમ તરણી ત્રય તિમિરકે, શુનકર સંત સમસ્ત, તે શીશુ શશી સૃષ્ટિથી, અબતો હો ગયે અસ્ત. દેહાધ્યાસથી દૂર ભયે, યોગી તું અલમસ્ત, અજબ અલખની ધૂનમેં, અબતો હો ગયે અસ્ત. ધરી ધ્યાન ઘરમાત્મા, કરી આસન પદમસ્ત, હેજે નિજ સ્વરૂપમે, અબતો હો ગયે અસ્ત. શોધી જેને સિદ્ધાંતને, સમભાવી છદ મસ્ત. પરાભક્તિ કે પુરમે, અબતો હો ગયે અસ્ત.
પદ-૨૪, દોહરા ભુ વાડામાં વસવા તણી, તમને મોટી તાણ, ઈ પરલોકે પરીયાણ, મનથી જ કર્યું તેં મુનિવરા. ભડક્યા ભાળી ભેખની, ખોટી જ ખેંચા તાણ ઈ સાહેબ તુજ સુખાણ, પધાર્યું શું પરલોકમાં.
9 પદ-૨૫, સવૈયા ૭ ભાર અપાર થયો અવની પર, શેશ મહેશ મેં અર્થ ઉચારી; તપ્ત ભર્યું તનમેં ત્રાહુલોચન, સૃષ્ટિ સંહાર શંભુ વિચારી.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૮૧
For Personal & Private Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮૨
તાપ અમાપ ક્ષમાપ થવા હર, હીંમત હાલ ધરા થકી ધારી, ખ્યાલ કરી તત્કાલ તમે ગુરુ, બાલ ગયે અધમો કે ઉધારી.
૭ ૫૬-૨૭, કવિત ∞
પ્રેમ હુકે પ્યાસી આપ, અલખકે ઉપાસી ગયે તત્ત્વકે તપાસી અયે, યેના રીઝાઉ કે. મુનિવૃત ધારી મહા, કર્મકે વિદારી ગયે કીની કુચ સ્વારી તેરી, સત્ય સમજાય કે અધમ કે ઉધારી અરૂ, નરક કે નિવારી ગુરુ સ્વારથ કે સારી ગયે, અવની પેં આય કે સુનીએ સુરવાસી કહે, પ્યાસી બાલચંદ્રનસે સત્યકો સન્યાસી દીજે, પીછે પઠવાયકે.
૭ ૫૬-૨૭, રાગ ઃ જુઓ-કામ તણી બ્લુ મુરખને શીખામણ કેવી છે તે વિષે
સજ્જન સત્ શીખ દીયો શાણી, દુષ્ટ દીલ પત્થર પર પાણી. અસલની એ જ ખરી કહાણી, નજર કદી નેક તણી ...સજ્જન દુષ્ટ કુબુદ્ધિના ભરી વેલા, દેવ થકી નહિ ડરશે (૨) કુટીલ જનોને ક્રોડ કથન પણ, લેશ અસર નહિ કરશે પન્નગને પ્રેમ ધરી પાયે, ગરલસમ પય સઘળું થાયે... સજ્જન
ક્રુર કરમના કરનારાના, કઠોર હૃદય છે કેવા, નિતિ બનાવી નિપુણ નર સો, ઉલટો અવગુણ લેવા. મોદકનો સ્વાદ તજી ખામી, નજર જેમ વિષ્ટા પર નાખી...સજ્જન
અધમ અનિતિથી નહિ ડરશે, ટેવ કુટેવ ન ટળશે. ડુબ ભલે ખવરાવો ખરને, ઉકરડે મન વળશે. નફટની નીચ નજર એવી, મીથ્યા શ્રમ શઠને શીખ દેવી... સજ્જન.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
સરળ પ્રકારે સમજાવો પણ, લેશ લખણ નહિ છોડે ગુલાબ જળ ગેંડો નવરાવો, દુષ્ટ વિષ્ટા પર દોડે. આદત છે ઉમરથી અવળી, ગુણીજન કરશો કેમ સવળી. સજજન. બાલપણેથી બેલ હરાડો, ઘણા વખત ધરારાયે, માર ગમાર સહે શીરપે પણ, પર ખેતર પર ધાયે. કાષ્ટ લઈ ડોકે દયો દાડી, ટળે નહિ ટેવ પ્રથમ પાડી. સજ્જન મુઢપતિ કદીએ નહિ માને, પેટ તણા જે પાપી અઢાર વખત ઉપદેશ કરો પણ, મન નહિ શકશે માપી. છેદો નિત્ય નાક તમે છરીએ, લજ્જા નહિ લંપટને જરીએ...સજ્જન અમૃતરસ ઉપદેશ હંમેશાં, પાત્ર વિના નહિ ઠરશે. શઠ તણા સરદાર ન માને, ઇન્દ્ર કદી ઉતરશે, સ્વાંતિધન છીપ વિષે ઠરશે,ગરલ મુખ વિષ ધર લઈ કરશેસજ્જન અધમ ગતીના વરનારાને, સિદ્ધ વચન શું કરશે. હરિજન શીખ દઈ છો હારો, ઉલટી ઉપાધી કરશે. અલગ એ દુર્જનથી થાવું, કાળું મુખ કદીએ નહિ જોવું. સજ્જન.
' 9 પદ-૨૮, સાખી ૭ . સંવત ૧૯૯૫ના પહેલા શ્રાવણ વદી ૧૩ના રોજ રચિત
સાખી જગ ઠગવાની જુતી જડી, ગુરુ થઈ બેઠા પાટે ચડી. ૧ ઠાક ઠીક રાખે બહુ ઠાઠ, બોધ કર્યાનો ભજવે પાઠ. ૨ ફાવે તેવા નામે દાવ, ભવ તરવાનું જો જો નાવ. ૩ ભરમાવે બહુ ભોળા બાળ, છકાઈનાં થઈને રખવાળ. ૪ મનુષ્ય તણી નહિ કરૂણા જરી, ચૌગની આપે હાથે કરી. ૫ કુડી કલ્પના રાખે ઘડી, પ્રપંચ પનોતી ગુરુને નડી. ૬
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૨૮૩
For Personal & Private Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ગુરુની સન્મુખ જે જે વદે, મહા શ્રાવક તે પહોંચ્યા હદે. ૭ સત્વચન ને સાચી વાણ, આ તે હસવું ને થઈ હાણ. શું શ્રાવકના ચડતા ભાવ, એમ વદે એ મોટો લાવ. ૯ ખરી વાત સમજાવો આપ, પુછે નહિ બેટીનો બાપ. ૧૦ પર્યુષણમાં પાવન થાય, ધર્મ કમાવા નીત નીત જાય. ૧૧ હલકો હતો તે ભારે થયો, મૂરખ મૂળગી મુડીનો ગયો. ૧૨
૭ ૫૬-૨૯, ત્રોટક છંદ
કરૂણાનિધિ નાથ કૃપા કરજો, દીનનાં દુઃખ દેવ હવે હરજો, ગુરૂરાજ હવે ન કદી વીસરું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું...૧ ગણી બાળક નાથ બચાવ કરો, શરણાગતને શીર હાથ ધરો, મુખરાજ વિના ન ઉંચાર કરું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું...૨ ગૃહપાસ રહ્યા પ્રભુ આપ તહાં, સચ્ચીદાનંદ રૂપ અનુપ સદા, અવતારી મહા ઉપકારી ગુરુ, સહજાત્મ સ્વરૂપ સદા સમરું...૩ નિજ ભાવ વિષે થઈ થીર રમ્યા, ગુણ દાહક દોષ અનંત દમ્યા, સદ્બોધ વિચારનું શસ્ત્ર ધર્યું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું...૪ ભવ તારક રાજ્ય પ્રભાવ તણું, ઝરતું મુખ બોધ સુધા ઝરણું, મહા મંગળ ને સુખધામ ખરું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું... પ નિજ બોધક બીજ વિચાર કરે, શુભ પંથ ગૃહી ભવમાં ન ફરે, બહુ ગુપ્ત વિચારક તત્ત્વ ખરું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું... ૬ રસીયા રસથી તુંજ તત્ત્વ રહે, ભવ બાધક દોષ હંમેશ ઘટે, શીવ મારગનેં થીર ભાવ કરું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું.... મહીમા તુંજ જ્ઞાન તણો ગણતા, ભલી ભારતી થાકી રહે ભણતા, મતિ મંદ મુખે ક્યમ બન્યા કરું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું.... સન્દેવ નિરંજન ભાવે ભજો, ભવવાસ કંકાસ ભવિક તજો, જળ તારક નાવ નિમિત ખરું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું...૯ ઉપકારી તમે ભવતરી ભલા, કરી દૂર સદા મમ કર્મ બલા, ગુરૂ રાજ્ય થકી મુજ કાજ સર્યું, સહજાત્મ સ્વરૂપ સદા સમરું...૧૦
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
પદ-૩૦, દોહરા ભુ. સમ્યક દેવા સર્વને, વિગતે કર્યો વિચાર, પંચમ કાળે પ્રભુ તમે, ટાળ્યો ભવ કંકાસ..૧ આગ્રહ ટાળી અવરનાં, આપે કર્યો ઉદ્ધાર, અમૃત ધન વરસી ગયો, ધન્ય ધન્ય તુંજ અવતાર...૨ શુદ્ધ સચ્ચિદાનંદ છો, નિજાનંદ ગુણ ધામ, એવા શ્રીમદ્ રાજને, પ્રેમ કરું પ્રણામ....૩ નવીન બતાવી નાવડી, જે બેસે તે પાર, અદભુત કુંચી આપની, ધન્ય ધન્ય તુંજ અવતાર....૪ ક્રોડ ઉપાય કર્યા થકી, ક્યાંય ન પાયો પાર, સંપડાવ્યું પદ સહજમાં, ધન્ય ધન્ય તુંજ અવતાર.૫
-
5 પદ-૩૧
છુ.
: ૧. સાતા ભોગવતા અસાતાના ઉદયનો વિચાર કરો
૨. વસ્તુના વિયોગમાં મોહજન્ય દુઃખ થાય ત્યારે આકાર ફેર ' કરતા શીખો. ૩. ગુપ્ત તત્ત્વ પામ્યાનું ફળ તો જ છે કે ગુપ્ત વિચારણા જાગૃત
રહેવી જોઈએ. ૪. આરંભ અને પરિગ્રહની નિવૃત્તિ થાય, તો જ માર્ગ પામ્યાનું
ફળ છે. ૫. વસ્તુ સ્થિતિનાં નિરંતર વિચાર વિના પદાર્થ પ્રત્યેથી મોહ ઉતરતો , નથી; માટે નિરંતર વસ્તુસ્થિતિનો વિચાર તે આત્મ જાગૃતિ છે ?
એમ સમજવું. ૬. દરેક પ્રવૃત્તિ કરતાં પહેલાં તે પ્રવૃત્તિ ઉદયથી છે કે ઇચ્છાથી છે
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૮૫
For Personal & Private Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
તેનો બરોબર વિચાર કરશો. ઇચ્છાથી હોય ત્યાં ઉદય માનવો તો તે પણ મિથ્યાત્વનું અંગ છે.
૭. પ્રારબ્ધ પ્રમાણે જ પ્રાપ્તિ અપ્રાપ્તિ થવાની છે તેવો જેને દૃઢ નિશ્ચય હોય તેને વસ્તુની પ્રાપ્તિમાં હર્ષ શાનો ? અને અપ્રાપ્તિમાં શોક શાનો ? તે વિચારવું.
× ૫૬-૩૨, ભુજંગી છંદ : (સ્તુતી) વ્યુ
સુણો શારદા માતજી અર્જ મારી, સદા સેવકોને તમે છો આભારી, આવી વાસ જીભે કરો વેલી વેલી, સંભારું તુંને સર્વથી માત પહેલી...૧ દયા લાવીને આપજો શુભ વાણી, ભાંગો ભીડ માતા હને ભક્ત જાણી, દીયો બુદ્ધિ સારી સદા સુખકારી, કરો નાશ કુબુદ્ધિ, નાવે નઠારી....૨ બુદ્ધિ શુદ્ધ દાતા, સુતા છો બ્રહ્માની, સિદ્ધિ સરસ્વતી માત છો ગુણ ગ્યાની, નવે નિધી માતા વિધિ આપે શક્તિ, ધરું નેહથી દેહમાં ભાવે ભક્તિ...૩
બહુ બુદ્ધિશાળી દયાલીજ માતા, ભુંડા ભુત જેવા કરો ગુણ ગાતા. વડા ગ્રંથમાં વિખ્યતા આપ પેલી, કરાવો કૃપા દૃષ્ટિથી રંગ રેલી...૪ સતી સુખદાતા માતા સર્વ વ્યાપી, કરો મેર પરમેશ્વરી જ્ઞાન આપી. હિર ગુણ ગાવા કરી મેર માતા, કહે કાળું આપે સદા સુખ દાતા...પ
૭ ૫૬-૩૩, રાગ : ગોકળીયું મને લાગે પ્યારું છુ જાગી જુવો તો જીવ હજીએ છે સારું, ઉઠી જવું છે અણધાર્યું રે...જાગી છે પરનું પણ ઘરનું જાણી, નાહક ભાર મરે શીદ તાણી. પુરેપુરી કરી પાપ કમાણી, પણ સમજ હવે પ્રાણી રે... જાગી. અહોનિશ આપ ઉદરને માટે, કરે કરમ વાટે ને ઘાટે. ખોજ કરી ધરે ભલે અહિં ખાટે, જાવું છે જમના ઝપાટે રે... જાગી.
ધાઈ કરે પરપંચ દીન આખે, દામ ભજે રસ રામ ન ચાખે. લેશ સંતોષ વળે નહિ લાખે, અંધ થયો તું છતી આંખે રે... જાગી.
૨૮૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
મોહ માયા મમતે મન દોડી, લાખ ટકા ભલે મેળવ મુડી.
એથી અધીક કરો મંદીર મેડી, કાળ આવે ત્યાં જવું છોડી રે... જાગી.
કાળું કહે તું આપ વિચારી, સેવા કરો ગુરુ સંતની સારી. માની વચન, મન ભજી લે મોરારી, એ ઝટ લેશે ઉગારી રે... જાગી.
૭ ૫૪-૩૪, કુંડળીયા
સંગત કીજે સાધકી, ખોવત પાપ તમામ. છો પૈસા ના લેત હે, પાવત આતમ રામ. પાવત આતમ રામ, ધામ અલખ પરવાના. દાતા સંત દયાળ, મીટાવે ભવ ફરવાના. કહેવે કાળીદાસ, ગુરુગમ ગુણ ભર લીજે. મનકો ટાળે મેલ, સાધકી સંગત કીજે.
૭ ૫૬-૩૫, રાગ : ગોકળીયું મને લાગે પ્યારું ? મનમાં જાણે મારે હવે નથી મરવું, સદા મગન મન ફરવું રે...મનમાં.-૧ કામ જોતાં કાયાનું રે કાચું, જાણ જરૂર જાવાનું રે સાચું, હંસા થવું એક દીન મેં અવાચું, દૈત્ય ફાડીને રહ્યો ડાચું રે....મનમાં.-૨ કોટીકવાર કાયા તેં ધારી, મોહીત થઈ કરી મનથી રે પ્યારી, અંતે જોતાં એની થાય છે ખુવારી, પલ પલમેં પડનારી રે...મનમાં.-૩ સગપણ સાચું એનું ૨ે જાણે, પ્રેમ અતી પીંજર પર આણે, મોહ થકી કંચનમય જાણે, મૂઢ જવાનું મસાણે રે...મનમાં.-૪ સંગ સંબંધ દે તનનો રે છોડી, જીવ જુવે તો હવે નથી થઈ મોડી, માંસ રૂધીર એ આખર મટોડી, જરૂર નથી એ તારી તારી જોડી રે... મનમાં-પ
સુખ કાચુ કાયાનું રે જાણી, પ્રભુ ભજી હવે લે ઝટ પ્રાણી, કાળુ કાયા નગરી બહુ માણી, અંતે થવાની ધૂળ ધાણી રે...મનમાં-૭
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
૨૮૭
Page #319
--------------------------------------------------------------------------
________________
' 9 પદ-૩૭, રાગઃ પોપટ પીંજર નહિ તારું ® * ધીક જાર કરમ આચરવું, નિજ કુડ કલંક શીર ધરવું. ધીક-૧ )
દુઃખ દાયક કુકૃત્ય જ કરવાનું ધ્યાન ધણીનું નહિ ધરવું, ગંડુ ગતી તેં ગુણ ગમાઈ, શીદ સુખ ઇચ્છે એ વરવું... વીક-૨ છે લેશ લજ્જા કુળની નવ લાવી, નકટા પદને ધરવું, અંગ અનંગથી અંધ બન્યો તું, ભવ ચોરાસીમેં ફરવું. ધીક-૩ ? લાજ હીણો નહિ લોકમાં લેખે, નિત્ય મુખ નીચું ધરવું, એ દુઃખ છે પણ સુખ જ માને, એ સખથી ભલુ મરવું.... ધીક-૪ પનઘટમેં પનીયારીને પેખી, ધીક મગન મન ધરવું, અઘોર કર્મ એવું આચરતા, નહિ નીચને જરી ડરવું... ધીક-૫ જાણી વિષ વિષયને વીરા, કુર કરમ નહિ કરવું, કાળુ કરમ એ દૂર કરીને, ધ્યાન ધણીનું એક ધરવું. ધીક-૧
9 પદ-૩૭, કુંડળિયા ૭ નર પરખી કર પ્રીતડી, સજજન જાણે સ્નેહ, શીર સાટ શીર દેત છે, જાણે નહિ સંદેહ. જાણે નહિ સંદેહ, એહ ગુણ સજજન જાણો, જાતો રાખે જીવ, શંકા મનમેં નહિ આણો. ભલે મગાવે શીર, કદી દેતા નવ ડરીએ, કબહુક આવે કામ, પ્રીતિ નર પરખી કરીએ.
9 પદ-૩૮, રાગ : પરજ . જોતાં જોતામાં જાવું જીવને, નથી રહેવાનું રહેઠાણ રે, કાયા કાચી ન સાચી જાણતો, મોટું મુકામ મસાણ રે... જોતાં-૧
૨૮૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
ડરતો નથી તું દીનાનાથથી રે, કરે કરમ અપાર રે. લુબ્ધ થઈને લીંગ વાસના એ, સુખ માણે છે સંસાર રે... જોતાં-૨ પણ તેં ઓદરમાં અધોમુખે રે, દુઃખ વેક્યું નવ માસ રે,
ત્રાયે ગાયે થઈને સમે રે, કર્યું નાથનું ઉપાસ રે... જોતાં-૩ છે તે દિન તું કેમ વિસરે રે, ભુલ્યો ભક્તિ કેરું ભાન રે, | સ્વપ્નાનું સુખ સંસારનું, શીદ લાવે તું ગુમાન રે... જોતાં-૪
જોબનનું જોર તો જાતું રહે રે, જરા આવી જીવ જાણ રે, કાયા કંપે ને ચુવે નાસીકા, ત્યારે મનમાં રહેશે તાણ રે...જોતાં-૫ કાળ ચક્કર માથે પોતાનું રે, ચેક પડાવે ચોર રે, ઝડપીને જાશે જ્યારે જીવને, જેમ ચુક્યો નટ દોર રે... જોતાંબેન બંધુને માત તાતજી રે, જોઈ રહેશે ઘર માંહી રે, રાગ કાઢીને રીતી રાખશે, નથી સોબતી કો ત્યાંહી રે... જોતાં-૭ કેવાનું હતું તે હું કહી રહ્યો રે, રટો કોઈ રણુંકાર રે, કાળુનો ઓથ એક રામની, શ્યામ ઉતારો ભવ પાર રે... જોતાં-૮
પદ-૩૯, રાગ : આશા ગોડી . મન કલ્પીત દુઃખ ભારી, અહા પ્રભુ મન કલ્પીત દુઃખ ભારી, કલ્પીત કમળા અહોનીશ ચાહે, લેશ મીલે ન દુઃખ ભારી... અહા-૧ પર વૈભવ પુર પરખીને પોતે, અંગ અનલ રહે ધારી. અહા-૨ દીન દીન દુઃખીયો વરવાને દારા, એહ અખંડ વિચારી... અહા-૩ જ પુન્ય પ્રભાવે જો કદી પાવે, ધીક રહે ન ધીર ધારી... અહા-૪ 4 સુખ નહિ સ્વપ્ન સંતતી માટે, વસમું લગાડે વિચારી.. અહા-૫ , | કોઈ વિરુદ્ધને વેરથી દુઃખીયા, મહામન દુઃખીયા વિકારી.... અહા-૬ ! છેકોઈ તન દુઃખીયા, કોઈ ધન દુઃખીયા, કોઈ મને દુઃખીયા કુનારી... અહા-૭
વ્યર્થ વિચારે દુઃખ દીલ કાળ, શાન્તિ સદા સુખકારી.. અહા-૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૨૮૯
For Personal & Private Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
પદ-૪૦, કવિત ૭ દાતાર કે દીલ જાન, કૃપણ તે કેસી બાત, ગ્રહવે કે સંગ ગજરાજ કયુ સોહત છે. કેસરીકુમાર ચૂંહી શીયાળ કે સંગ જાવે, લાજથી ન લેખે સદાય કાયર કહાત છે. કથીર કે કંકનમેં મોત નશો મુલ્ય જાય, કોડીકા હાર બીચ હીરલો લજાત છે. એસે નીચ સુખમકા પાસવાન પાસ ભુપ, કાગરે કે હોરે માંડી હંસના સોહાત છે. 9 પદ-૪૧, વિજોગીના બાર માસ © સખી કારતકે કહો મુજ બેન, વાલમ ક્યારે આવશે, તજી વિકટ વાટ વિદેશ, હસીને બોલાવશે. થયા કઠીન હૈયાના કુર, પંથરે પીયુજી પડ્યા, મારા પુરવ જનમનાં પાપ, બેની આજે મલ્યા....૧ રાખી માગસરે મંદીર મેલ, છેલ છોડી ગયા. સુનુ શયન ભૂવન સુખ સેજ, નમેરા તે તો થયા. પડ્યું પીંજર મુજ પ્રમાણ, ઝુરીને જુનું થશે, પીયુ પોપટ છે પરદેશ, જોબન ઝાંખુ થશે..૨ પીડાકારી આવ્યો હવે પોશ, શોચ મુજ અંતરે, હાલે હીમાળો હૃદય મોજાર, ધ્રુજે તનડું ખરે. કંપે કોમળ આ મુજ કાય, વિજોગ વાલા તણો, તીખા લાગે છે પાન તંબોળ, સ્નેહ સાલે ઘણો..૩ માઘ માસે હું મળવા આતુર, ચતુર નવ આવીયા, કીધા સંદેશા તો સો વાર, એ તો ઉવેખીયા.
૨૦
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #322
--------------------------------------------------------------------------
________________
લખી લખી પ્રીતમ પર પત્ર, થાકીને રે કર રીયા, થયા નમેરા નણંદનો વિર, અ ઉડાવીઆ...૪ પડી ફીકી હું ફાગણ માસ, રમે રે સૌ રંગમાં, રીઝ રામા કરી રંગ રેલ, સહીયરના સંગમાં. નથી ગમતા શરીર શણગાર, શોભીતા સુખના, થયા વાલમ વેરી આજ, દાડા છે દુઃખના..૫ લાગે ચત્તડામાં ચઈતરેલાય, ભયાનકદીન મણી, ઉમે કરડો કરીને ક્રોધ, વ્યાકુળ વ્યાધી ઘણી. એક વિરહ અગ્નીની જ્વાળ, પ્રગટ લાગી રહી, બીજો પીડા કરે છે પતંગ, દયા રે દીલમાં નથી...૭ સખી શાખે વળીયા વન, વાલમ વળીયા નહિ, નવ પલ્લવ હરીયલ વન, હું તો રે સુકી રહી. હતી સાવ સુની જેહડાળ, આંગણ આંબા તણી, પામી ફળ કુલ પત્ર અપાર, ખીલી રહી છે ઘણી...૭ જોતા જોતા આવ્યો હવે જેઠ, ઉદાસી આ સમે, જેનો પીયુ ગયા પરદેશ, દુઃખે દીલ તે દમ. પ્રભુ વાલમનો વિજોગ, વેરીને નહિ થજો, હોજો દુઃખ દાવાનળ તોય, પીયું પાસે હજો...૮ અરે આવ્યો આ માસ અસાડ, જોતા રે ઉમંગનો, નથી લાવો લીધો રે લગાર, પીયુ સંગ રંગનો. થઈ રહી છે ઘટા ઘનઘોર, દમકતી દામની, બોલે ખુશ થઈ મન મોર, નીહાળે કામની...૯ સખી આવેલો શ્રાવણ માસ, દાદુર રેડરામણા, વાળે વેર બપૈયો બોલ, સામો બોલે ઘણા. સૌને લાગે વાલમનાં વેણ, ખેણ મુજ ના ગમે, લાગે તીર સમા સ્વર એણ, આવી હૃદય દમે..૧૦
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૯૧
For Personal & Private Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
સખી ભાદરવે ભરથાર, ભેટી રે નહિ ભામની, લીધી માળા મેં તો દીન રાત, પીયુના નામની. સખી સરિતા સીંધુને વાટ, ચાલી ઉમંગમાં, પણ પીયું વળ્યા નહિ વાટ, રહેવા મુજ સંગમાં..૧૧ આમ કરતાં આવ્યોઆસો માસ, અરે અમથો જશે, મારા પ્રેમી પ્રીતમનો મેળાપ, મુને રે કેદી થશે. આવ્યા નવા દીવાળીના દિન, બાજુબંધ બંગડી, કરી રહ્યા ઘણા ચળકાટ, હું તો પીળી પડી..૧૨ આવ્યા અધીક માસે રે ઘેર, પીયું પ્રીતે મલ્યા, મારા વિરહ વિજોગી દીન, દુઃખરે આજે ટળ્યા. પ્યારા મારાને પરદેશે પંથ, કંથ જાવા નહિ દઉં, વાલાવિરહ અગ્નીનોવિજોગ, હવે હુતોનહિ સહે...૧૩ હોજો પશું પંખી નર નાર, સંસાર સંજોગમાં, કાળુ દુઃખ કહ્યું નવ જાય, વાલમ વિજોગમાં..૧૪
9 પદ-૪૨, કીર્તન : પ્રભુ ભજન વિષે ૭ હરી ભજ, હરી ભજ, હરી હીરા,
હાર પ્યારા, હરી ઘરેણું સાચુંજી-એ ટેક. માત પિતા સુત ધન ધણીયાણી, સરવ સુખ છે કાચુ જી કર જગતાત તણી આશ તોડી,
પાસ ઈશ નગદ નાણું છે-સાચુજી...હરી ભજ મુક મારું તારું મન ખારું કરી દે, તારું કરી લે હાથે જી છોડી સંબંધ સૌ સગા સહોદર, સેવક નાવે સાથેજી.હરી ભજ જોતાં જોતાં ગયું જોને જાગી જોબનીયું, ઘેરો જરાએ ઘાલ્યો જી. મુક આજ કાલ, કર અબ, થશે કબ પછી,
વખત જાય છે ચાલ્યોજી....હરી ભજ
૨૯
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
કરી દેને પ્યાર એક તાર ઉરધાર પછી, પ્રીતે પ્રભુ રસ પીજે જી, ખરેખર કરો પ્રેમ, જશે જ્યારે દેત ત્યારે,
ત્યારે કાળુ અંતરેશ્વર સુએજી..હરી ભજ 9 પદ-૪૩, રાગ: વારી વારી શું શોભે છે વીર ૭ રાધા કૃષ્ણ કહો મારા ભાઈ, જુઠી જગત તણી છે સગાઈ. જગતાત કહો જદુરાઈ, ભાવી ભક્તોને જે સુખદાઈ. દુઃખી દાસ જાણે આવી ધાઈ, જરી જાણે નહિ એ જુદાઈ..રાધા
સાખી દુ:ખ ભાંગ્યા મેતા તણા પ્રેમ ધરાવી પુર, તુચ્છ તાંદુલ તેણે ગ્રહ્યા, ભાજી ભક્ત વિદુર. ભક્ત ઉધારણ ત્રિલોક તારણ, કષ્ટ સંહારણ નાથ... રાધા ગજ બંધન તોડ્યો તમે, મંજારીના બાળ, વખ ટાળ્યું મીરા તણું, એવા દીન દયાળ. છેલ છોગાળાને મોરલીવાળા છો, ઘેન ગોવાળાજી નાથ...રાધા અતી બલી ગની અકળીત રહી, બહુ નામી બહુરૂપ, સરલ દેવનાં દેવ છો, અખીલ ભૂવનમાં ભૂપ. જશોમતી નંદન આનંદ કંદન, પ્રેમથી વંદન દેવ...રાધા
9 પદ-૪૪, સવૈયો બ્યુ. : ' (સરાજના અમુભા નહિ મળવાથી) સ્નેહ હતો સજજનને મળવા મન, જાણે કે વાયુ આ ભલો વહ્યો છે. એ અંગનો રંગ ઉડી ગયો, પુની વેરી વિજોગ ત્યાં આવી થયો છે. અર્જ અમારી ઉરે ન ધરી, ફરી છે વિધિ કાં હરિ ગામ ગયો છે. અમરદાસ ઉદાસ ભયો પુની, મિત્ર આ ફેરો અલેખે ગયો છે.
છે
છે
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૨૯૩
For Personal & Private Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
' 9 પદ-૪૫, રાસડો રાગ-ચોકને આંગણ ચાંદની રે 9 * * આજની ઘડી છે આનંદની રે, રૂડો રઢીયાળો દીન. છે દિન આવોને રામરસ ચાખવા, પુરી ધારી લ્યો પ્રીત પ્રીત રે,
વાતો કરી લ્યો રામની...આજની ઘડી. !
સાખી જે જગમાં જીત્યો જે ભજ્યો, સાચો સીતારમ,
શુરવીર થઈ સૌએ ભજો, રામ ધરાવી હામ. સાહેલડી રે મળીને ઉમંગમાં, પ્રીતે પ્રભુ ગુણ ગાજોજી રે. * અમને વાલા છે બાપુ વીઠ્ઠલવર, યારો પ્રીતમ રસ પીજેજી રે સાહેલડી.
સાખી છે. પીધો રસ પ્રહલાદજી, હરિરસ વ્રજની નાર, 1 હરિ દેખી હસીને ધસી, નગ્ન વિદુરની નાર.
સખીયું સંસારમાં સરીહરિવાલા તેનો ગુણનો આજે ગાવછોજી રે. છે. પ્રભુ રીઝે ને, અમે પણ રીયા, પ્રીતે પ્રભાસ પાવછોજી રે.. સાહેલડી.
સાખી શલ્યાની અહલ્યા થઈ, પ્રભુ ફરસે નિજ પાક, જ મંજારીના બાલને, રાખ્યા હરિ પ્રતાપ. મલ્યા પ્રભુજી ધુવને પ્રીતેથી, તખ્ત અમર પદ આપ્યુંજી રે. માતા તણું તો મેણું નિવારી, જન્મ મરણ દુઃખ કાપ્યુંજી રે....સાહેલડી
પ્રેમની મને લાગી, છે નહિ ભૂલું રેનહિ ભૂલું હારા પ્રીતમજી, પ્રાણ હો રાજ નહિ ભૂલું. તેડાવજો મને દાસ જાણીને, ચરણ કમળ વાસ દેજ્યો હો રાજ,
પ્રેમની હે મને લાગી.
૨૯૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
-
9 પદ-૪૬, પરસ્ત્રી વિષે છુ.
રાગ : પિતાજી આ કોપ બંધુ છોડી ચાલ્યો ત્રિીયા પરની, રડે દન રે ન વધુ ઘરની. નથી યાર સારે લગારી કહું, વધે દિલ વ્યાધિ ઉપાધી બહુ.
ઉંડા ઉરમાંહી ઉચાટો થશે, જશે સુખ છેટે પ્રીત તુટશે. છે થશે દંડ દેહે દુઃખે ડુબશે, પછી જીવ જારી વિના ઝરશે.
પુરી પ્રીત પ્યારી તમારી થશે, નક્કી નીચ ઠામે નરકમાં જશે. વધે વેર વ્યાધી વિકારે વધુ, તજો મેરબાનો મેરીને મધુ. કહે કાળુ કોડે તજો દુર કર્મ, સજો ગુણ સારા શીયલના ધર્મ. પદ-૪૭, રાગ-માર માર સિદ્ધરાજ, ઉભો જુવે છે શું? 9
દાણલીલા વિષે પદ રોકી રાખી રાધકાને ઊભો છે કાન,
ઊભો છે કાન, ઊભો છે કાન રોકી રાખી અમને મારગડે આડો આવે છે, એવડું આવ્યું શું ગુમાન.... રોકી રાખી ગાંડા ગોવાળીયા દાણી થઈ બેઠો, અમને કરે છે હેરાન. રોકી રાખી જાતા મારગડે દાણ કેમ આપું, શાનું ભાંગે છે તું તાન... રોકી રાખી બાયું ફાટે છે, બાવડા ના મરડો, કાના ઝાલો નહિ કાન. રોકી રાખી વઢવેડ કરવા વાટુ પાડે છે, વામા કરે શું આ વન રોકી રાખી બાર વરસનો બાવરો તું છોકરો, સારા ભુંડાનું ન ભાન.. રોકી રાખી ઝાઝું બોલાવે સાર નહિ શોધો, હજીએ રાખું છું હું માન. રોકી રાખી બળીયો હતો, બહુ બીક કેમ લાગી, ભાગ્યો બચાવીને જાત. રોકી રાખી બે રે માતાને બે તાત્ માં રે ઉછર્યો, છાનો કરી છાસ પાન રોકી રાખી
મુક મારો છેડલોને જાવાદે જાદવા, નહિ આપું મહીડાનું દાણ... રોકી રાખી છે. રાજા અમારો કંસ કહેવાય છે, જઈને કરશું જો જાણ... રોકી રાખી | મટકીના મુલ્યમાં માથા કપાશે, હરજી હોશોજી હેરાન.. રોકી રાખી
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૨૯૫
For Personal & Private Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
એમ કરતાં મટુકી ઉતારી, ગોરી તજી રહી ગુમાન.. રોકી રાખી છે હું પોતે પીધુને બીજાને પાયું, ઝાજું કર્યું છે રે... રોકી રાખી
મારી ગેડીને ફોડી મટુકડી, કરજે રાજાને તું જાણ. રોકી રાખી ! કાળુનો વાલો કર્થ છે મૈયારડી, લેવા મામાના રે પ્રાણ. રોકી રાખી છે
9 પદ-૪૮, રાગ ઃ રાસડાનો ૭ સો ચાલો સ્નેહે આજ, વિર ગુણ ગાવા રે. . '
જૈ વંદો સહ જીનરાજ, પાવન થાવા રે. પ્રભુ તરણ તારણ મહારાજ, જગહીત કારી રે. શું શોભીત મંદીર માંય, આનંદ કારી રે. પ્રભુ પુજન કરવા આજ, ચંદન લઈએ રે. કરી કેસર ચંદન કપોળ, તન મન દઈએ રે. મળી જૈન પ્રવર્તક આજ, જીન ગુણ ગાવો રે. ધન્ય ભાગ્ય ઘડી પલવાર, લઈએ લાવો રે.
સાખી ધન્ય ધન્ય દિવસ આજનો ધન્ય ઘડી પલવાર. આંગી નવરંગી બની, વર્નો જય જયકાર. છે મણીમય મુગટ શીર, શશી સમ શોભતો રે. જોઈ કાને કુંડળ જળકાર, મુજ મન લોભે રે. તમે ત્રીભવન શ્યામ દયાળ, ઉરમાં ધારી રે. છો જગનાયક જીનરાજ, દેવના દેવા રે. કરો મેર કાળુ પર આજ, દીયો તુમ સેવા રે.
સૌ ચાલો સ્નેહે આજ છે પદ-૪૯, રાગ : પ્રભુ હું કરું પ્રણામ, પાપ પુંજ હરો. વ્હ
નમુ વીરજી હું વારંવાર પ્યાર ધરી (૨) કરી કીંકરા પે નાથ નજર નેહ જરી (૨)
- પ્રભુ અરદાસ ધરી (૨)...નમુ
૨૬
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
બહુ વાર હું ગમાર ધ્વાર દેહ ધરી (૨)
નહિ શુદ્ધ જ્ઞાન જરી (૨)
ભૂલ્યો તુમ સેવ ખરી (૨) જય જય જય નમુ વીરજી વારંવાર પ્યાર ધરી. જગત ઈશને નમીશ વિશ્વાસ ખરે (૨) જેથી મુજ કાજ સરે, સહુ દુઃખ દૂરે (૨) જય જય જય નમુ વીરજી વાર વાર પ્યાર ધરી. કહે કાળુ છો દયાળુ જગત આપે (૨) ભવીજન દુઃખ કાપે, સદાશીવ વાસે આપે (૨)
જય જય જય નમુ વિરજી વાર વાર પ્યાર ધરી. 9 પદ-૫૦, રાગ : આજ આવી રાજ હજુરમાં ૭ આજે આવી વીર હજુરમાં, કરું વિનંતી ચીત્તમાં ધરો... આજે પ્રભુ મોહને મમતે કરી, બહુ વાર મેં તો કાયા ધરી, નહિ ઠામ બેઠો હું તો ઠરી, ધરી નેહ નાથ દયા કરો... આજે પ્રભુ દુઃખ જનમ જરા તણું, વળી મોત શીર ડરામણું, નહિ સુખ પામું હું તો ક્ષણે, હવે દુઃખ ત્રીવિધિના હરો... આજે કામ ક્રોધ કુર અને વળી, લોભ લંપટી તો બહુ બળી, તુમ તાપથી તે જશે ટળી, કૃપા નાથ મને કૃપા કરો. આજે મહાવીર અને મયા કરો, દીનાનાથ દિલ દયા ધરો, કહે કાળદાસ તારો ખરો, શીષ્યના કષાય હવે કરો. આજે
9 પદ-૫૧, રાગ : વીર વેશ્યાના યારી
એક કન્યાને તેના પિતા વૃદ્ધ સાથે પરણાવતાં પિતા પૈસાના યારી, દયા ન ઘારી, હાથે કરી હદબાર. છાંસી વરસનો સ્વામી છે મારો, મને થયા દશબાર,
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૯૭
For Personal & Private Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
કુર પિતા થઈ જન્મ ગુમાવ્યો, લેવાને સાત હજાર રે. કરી ખુબ ખુવારી પિતાજી મારી,
પ્રીત વિસારી, હાથે કરી હદબાર. પિતા બાર બજે ત્યારે આંખે સુઝે, સુણે ન કાનથી લેશ. પાય થકી ઘરબહાર ન ચાલે, ચવે છે લાળ હંમેશ રે. એવા વરને આપી, પિતાજ પાપી,
શીસથી કાપી, હાથે કરી હદબાર.. પિતા. જમપુરીનો વાસી તું પિતા, શઠ તણો સરદાર. વૈતરણીમાં તુજને તાણે, અભક્ષનાં કરનાર રે. આ બાળકી તારી, વેચીને મારી,
કહું છું ધીક્કારી, હાથે કરી હદબાર. પિતા 9 પદ-પર, રાગ-પ્રભાતી બ્યુ.
જળ કમળ છાંડી પળ વીપળ વ્યર્થ કાઢમાં તું, જાણ જરા જબ આવશે, જીવ જરા જબ આવશે, આવશે, દુઃખ પાવશે,
ત્યારે રામ રટણ નહિ ભાવશે. હે પળ દેહ ખોટા, કાચ પોટો, કાળ ઝપાટા રે ફોડશે. જગત તૃષ્ણા તારી રે બંદા, તે તો તુરત એ ફોડશે. હે પળ ભાન ભુલીશ, દુઃખ ડુબીશ, જે વખત જમ આવશે. પાખંડ અને પ્રપંચ પ્રાણી, તદબીર ત્યાં નહિ ફાવશે. હે પળ રામ તણું નહિ નામ લીધું, કામ કીધું કુવિચારનું, મોહ મુરખ મનમાં ધરીને, સુખ ઇચ્છે સંસારનું... હે પળ છળ કપટનાં ખેલથી તું, છેલ કુલી બહુ રહ્યો, ભુલ્યો ભજન તું ભૂધરાનું, નિશ્ચય જમડે તું રહ્યો.. હે પળ
૨૯૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
:
સુખ સહજ જાણી ઘડીનું, ઊંઘ છોડી દે આતમા, જમે જમણ તૃપ્તિ થશે નહિ, સ્વપ્ન વિષે જેમ રાતમાં.. હે પળ. કર વિચાર સંસારમાં તો, સંગ સોબતી કોણ તાહરું, માત પિતા સુત ભગીની દારા, જીવ ગયે સો રે પરું.... હે પળ ઘરા વિષે ધન સાંચીયું તે, કહો કોઈ કેમ તાહરું, ઉઠી જવું જબ આપણે તો, પાછળ બીજે વાવરું. હે પળ પુરા પંડીત કવિઓ ગયાને, નૃપ હતા બહુ નટખટા, કાળ આવ્યું એક કોઈ ન ફાવ્યા ચાલ્યા ચતુર જટ પટા... હે પળ કાળુ કહે રે ખરી બ્રહ્મ પ્રીતે, દુઃખ દાવાનળ રે પરું, સાર સંસારે એક જ દીઠું, આપે અભયપદ એ ખરું. હે પળ 9 પદ-પ૩, રાગ : છંદ ઇન્દ્ર વિજય ભુ
મુનિ શ્રી અમરશી રખ વિષે નીર મલીન જો જોઈ મલે ગંગમેં, ગંગ હોત સુસંગતી પાઈ. ચંદન પાસ જયું બાસ બસે, વૃક્ષ હોત હી ચંદન દુર્ગુણ વામી. લોહ સમાન મહામતી પણ હું, પારસ આપ સુજાન હે સ્વામી. અમ્મર આપ થયા ગુરુ દેવ હી, અમ્મર મુજ કરો નીજ નામી. છો ગુરુ જ્ઞાન સ્વરૂપ સદાય, ક્ષમાવંત હે સમ ભાવિક સ્વામી. સદા સુર વૃક્ષ સદા ફળ દાય, શાન્ત શશી શમ અંતરજામી. ઉર થકી અંધકાર ટળ્યો મુજ, દરશન આપ દયાલકો પામી. સંત મહંત મળ્યા ગુરુ અમ્મર, આજ ત્રિવિધિથી મોયે નમામી.
પદ-૫૪, રાગ : છંદ ઇન્દ્ર વિજય ભુ.
મનને શીખામણ આજ કરે જબ કાલ કરે, તબ હી સબ વખ વિતાઈ જવાનો. આશ તણા બહુ પાસ થકી, નીજ વાસ ખરે જમ હાથ થવાનો.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૯૯
For Personal & Private Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
આજે અમુલખ દાવ અરે, ભવ સાગર નાવ થકી તરવાનો. ચર્ણ ઉપાસ તું દાસ બની, ગુરુ અમ્મર થી લખે પરવાનો. હે મન, માન્ય ગુમાન તજી, ગુરૂ જ્ઞાન નિશાન હવે દીલ ધારી. છે બળ બુદ્ધિ લઘુ વચને વળી, તાસીર દેહ તણી ઘણી સારી. ઇન્દ્રિય સર્વ અખંડીત છે, મળી રત્નચિંતામણી મોક્ષની બારી. જા ગુરૂ બ્રહ્મ કો ભેદ કહે, લહે જેથી કરી ગુરુ અમ્મર તારી.
પદ-૫૫, સવૈયો છુ લક્ષ ચોરાસી ફેર ફરી ફરી, આતમ તે નરકો તન પાયો. અમ્મર ઇચ્છા ધરે અપને દિલ, ઉત્તમ એ અવતાર કહાયો. વિષય કે મદ પાનન સે, શઠ બની નિજ ભાન ભુલાયો. કયુ અબ ચેતી શક્યો નહિ ચેત, રત્ન ચિંતામણી મૂઢ ગમાયો. વાસ વસ્યો નવ માસ લગે જબ, આતમ ત્યાં તું અધોમુખ ઝુલ્યો. રૂધીર પાન કીયો નિશદિન પૅ, દારૂણ એ દુઃખ સે હી દુવ્યો. જાળવીને જઠરાગ્નીસે જન્મ, દીયો જગ તાત કયુ ફોગટ ફુલ્યો. એ દુઃખ આતમ યાદ કરે બિન, કયુ ઉપગાર મુરારકો ભુલ્યો.
9 પદ-પક, કવિત બ્યુ ભાવીએ ભુલાય છો તો કૈકંઈ ને દીયો કોલ. દશરથ ન જાન્યો, સુત રામ બન જાયગો. કંચન કા મૃગલેકું, કુડ સતી જાન્યો નહિ. જાનકી ન જાન્યો દુષ્ટ, રાવણ યા આયગો. રાવણે ન જાન્યો, સતી હવામેં જશે પ્રાણ. પાંડવે ન જાન્યો બન, જુગઠે મેં પાયગો. સીતાકે ચડી આળ, દ્રોપદી, ચીર હર્યા. કિસ્મતમેં લખ્યો લેખ, કહાં છુટ જાગો.
૩૦૦
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
9 પદ-૫૭, રાગ ઃ ડરમાં તું દીલ સાથે છોકરા ૭ કરમા અઘટીત કામ, આમ તે કરમા અઘટીત કામ. મમ અંતર આતમ રામ, આમ તે કરમા અઘટીત કામ. વેશ ધરી વ્યવહારમાં નાચ્યો, સ્વપ્ન તણાં સુખમાં શઠ રાચ્યો. નિત્ય અનિત્ય ન ઉર વિચારી, હાય હવે ગતી પ્રાણશી તારી. એજી : છોડે નહિ સઘળું શ્યામ ......... આમ તું માતપિતા સુતા બંધુને દારા, એ સબ સ્વાર્થકો નહિ તારા. પ્રાણ ગયે દુઃખ દારૂણ પાવે, નાના નહિ કોઈ કામ ન આવે. એજી : રટ રસના રામ હી રામ. ... . ... આમ તું મૂઢ મતિ માયા પાસ ફસાણો, તૃષ્ણાનાં પુરે તું જાય તણાણો. ન્યાલ થયો નથી મેળવી નાણા, કે નિજ કોઈની સાથ અપાણા. એજી : તારે દૂર જવું તજી દામ............................. આમ તું ચેત યે ચેતન ચૌંત ચેતાવું, વખ્ત ગયે પડશે પસ્તાવું. જ્ઞાનથી ભાન કરી નિજ પેખે, કોઈ નથી નર દેહને લેખે. એજી ઃ તુંજ ઘટમાં છે ઘનશ્યામ................ આમ તું શું પરભાવમાં પ્યાર કરે છે, વિણ મોતે ભાઈ શીદ મરે છે. અંધ બન્યો મદમાં છકીને, ભ્રષ્ટ થયો ભવમાં અટકીને. એજી કરવાનું ન મળ્યું ઠામ................... આમ તું.
9 પદ-૫૮, રાગ : આવરદા વ્યર્થ ગુમાવી રહ્યું આ જગત સકળ દુઃખદાઈ, શીદ મસ્ત ફરે મલકાઈ... આ. જગત જંજાળ તણા ઝગડામાં, જીવ રહ્યો છું જોઈ, મોહ વિષય મદ પાન કરીને, બેઠો પરમ પદ ખોઈ... આ. ભુત પરે ભવ ભ્રમણ કરી તું, ભ્રષ્ટ થયો ભરમાઈ, મીથ્યા સુખમાં મગ્ન બનીને, લંપટ રહ્યો લલચાઈ... આ. આ સંસાર અસાર અરે મન, ધૃત મરે શીદ ઘાઈ, ન્યું દરપણ માંહી સબ દીસત, ગ્રાહક વસ્તુ ન કાંઈઆ.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૦૧
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #333
--------------------------------------------------------------------------
________________
જોયું નહિ જગમાં ઝાંખીને, કરતાં કર્મ કમાઈ, માયાના મોટા સુખ માટે, લક્ષ ચોરાસી પાઈ... આ. દુ:ખ દાવાનળ આ દુનીયા પર, પ્રાણ પતંગ સમ ઘાઈ, આશા પાસે અંધ બનીને, શીદ મરે ઝંપલાઈ. આ.
ભક્તિ ભાવથકી નહિ ભાવી, આ નરતન ધન પાઈ, મુરખ મન મૃગવત પર ધાયો, પ્યાસ ન લેશ બુઝાઈ...આ. લીધો નહિ લાવો નર ભવનો, ગુણ ગેવિંદના ગાઈ, પીધો નહિ હરિરસ પ્રીતેથી, આયુષ્ય એળે ગુમાઈ. આ. વિશ્વ તણા વૈભવમાં વળગી, ચલવ ભલે ચતુરાઈ, કાળ કરમ કદીએ નહિ છૂપે, શીદ રહ્યો મલકાઈ. આ
9 પદ-૫૯, રાગ-ગરબી . ઓધા કેમ શામળીયો નાવ્યો, સંદેશો શું જોગ તણો લાવ્યો.. ઓધા. ચોરી લીધો છે મનડા હરિ એ, નથી ભાન દેહતણું કરીએ, છે
વ્યાકુળ થઈ વજનારી ફરીએ... ઓધા-૧ ઉરે મમ સ્તુતિ તો નાણી, જુઠા બોલા જનમ થકી દાણી,
હવે જે રીતે પ્રેમ તણી જાણી. ઓધા-૨ પ્રથમ રંગે રામાયું રોળી, ભભુતી પ્રેમ તણી ચોળી.
હવે રે દીધી ભેખ તણી ઝોળી.... ઓધા-૩ સ્વામી ખટ સાધન શું કરવા, વામા નહિ વેષ કરે વરવા,
નથી રે ધ્યાન ધુણી તપે ઘરવા. ઓધા-૪ ભોગીડા તે કેમ જોગી થઈએ, વાલમ તજી વનમાં નવ જઈએ,
ભુદર ભેગી ભામનીયું રહીએ... ઓઘા-૫ ત્યાગી તમે ત્રીકમ છો માટે, જાદવ લઈ જમુનાની ઘાટે,
સાધો રે જોગ વ્રજનારી સાટે... ઓઘા-૩
૩૦૨
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
ગંગાસ્વરૂપ બેનશ્રી મણીબેન શામળદાસ શેઠવાળા
સાયલા (આગ્રાવાળા)
For Personal & Private Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
ઓધા રે પ્રીતે પ્રભુ સંગ જાજો, સુખે શીષ્ય હરિવરના થાજો, કાના બોધ કુબજાને દેજો... ઓધા-૭
ઓધા છેલ્લી શીખડી દેજો, હેતે વાત હરિવરને કેજો, જોડી ત! સરી તે રેજો... ઓધા-૮
ઓછી બુદ્ધિ અબળાયું બોલી, હવે હઠ હરિવરજી મેલી, કરાવોને રંગ તણી રેલી... ઓધા-૯
રૂપે રંગ કુબજા છે કાળી, દાસ થઈ બેઠા વનમાળી, નીરખીને મુખડા લેજો તાળી... ઓધા-૧૦ પદ-૭૦ વ્યુ
સાયલામાં પ્રજા જાગૃતિ વખતે બનાવેલા પદો.
રાગ : આ દેશની બુરી દશા પરદેશી કાપડથી થઈ. બનશોન બંધુ દેશ દ્રોહી, પ્રગટ મોટું પાપ છે, નિર્દોષ બંધુ ના ગમે, છાનો છરીનો કાપ છે... બનશો-૧
દુ:ખીયા બિચારા દેશ બંધુની, દયા દીલમાં ધરો, અધીકારમાં અંધા બની, નહિ આપખુદી આદરો... બનશો-૨
દીન રાત તડકો ટાઢ બેઠી, ખેડુ ખેતી આદરે, કંગાલ કર નાખી કર્યા, નિજ બાળકો ભુખે મરે... બનશો-૩
દુ:ખીયા જનો બહુ દેવ ભૂમિ, ના અરે દુષ્ટે પડે, જોશો જરૂર એ કોળી જનતો, જાર ખાવા ના જડે... બનશો-૪
પામર દશા પંચાળની, હદપાર તેની હાય છે, ચીતાર ચિન્માં ચીતવું તો, હૃદય ફાટી જાય છે... બનશો-પ
હિન્દુ અને મુસ્લીમ રૂડા, વૃક્ષ ભારતના જનો, તે છેદવા કાં સાથ આપી, ફર્સીના હાથા બનો... બનશો-૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
303
Page #337
--------------------------------------------------------------------------
________________
લ્યો દાખલો બંગાળનો જે, દેશ દ્રોહી થે રમ્યો, કપટી કુહાડો કાંધ પડતા, એ અમીચંદ આથમ્યો...બનશો-૭ મીઠું ભર્યા સમ મૂળમાં, દેશ દ્રોહ મોટો શ્રાપ છે, પાપી પ્રપંચો કાં રે, જોનાર જગનો નાથ છે. બનશો-૮
પદ-૧૧, રાગ : પ્રભાતીયું
મે. ગાંધીજીની લડત વખતે હિન્દના બાળકો હોય તે ઉઠજો, માત માગી રહી પુત્ર સેવા. યુદ્ધની નોબતો ગડગડી આંગણે, આજ આરામ ને ઊંઘ કેવા ? શંખ ફૂંકાય છે, ગર્જના થાય છે, ગીત સહુ ગાય છે, જાગજો હો ! ભરૂતા મૂકજો, જંગમાં ઝુકજો, શરમને શોખ છે ત્યાગજો હો ! શસ્ત્ર ઝુંટાઈ ગયા, રાજ્ય લુંટાઈ ગયા, સિંહના બાળ શીયાળીયા જે, ' લોહી ચુસાઈ ગયા, હાડપીંજર થયા, ભારતી માતની કુખ લાજે, દાન દેનાર તે, ભીખ માગી રહ્યા, પાણી પાનાર તરસે મરે છે. ખોઈ સ્વાધિનતા, પીંજરામાં પડ્યા, તોય આખો હજી ઉઘડે છે ? એજ એ વીરતા, એજ એ વીરતા, રોમે રોમે ફરીથી જગાવો. હિન્દ આઝાદ હો, હિન્દી આઝાદ હો, ધૂન આઠે પહોર એ લગાવો. વૃદ્ધ કે બાળકો, રંક કે રાય હો, મુક્તિ સંગ્રામમાં સર્વ ઝુકો. જેમનાથી બને જેટલું એટલું, જન્મભૂમિ તણે ચરણ મૂકો. દેશદ્રોહિ તમે, હિન્દીઓ થાવમાં, માન ને ચાંદના મોહ છોડો. ભાઈ થઈને કસાઈ તમો કાં બનો, ભાઈ થઈ ભાઈના શીર ફોડો. ન્યાયના નાટકો, બહુ નીહાળ્યા હવે, જેના દ્વાર પણ ખુબ જોયા. બીક ભાંગી ગઈ, લાઠીઓ જોઈને, જીંદગીથી હવે હાથ ધોયા. તોપ તલવાર, બંધુક ચાલે ભલે, નહિજ હઇશું હવે નહિજ હઇશું. અગર આઝાદી હો, અગર બરબાદ હો, મુક્તિ કે મોતનો મંત્ર રટશું. જ્યાં સુધી દેહમાં પ્રાણ છે, પ્રાણમાં, લોહીનું એક પણ બુંદ બાકી.
૩૦૪
શ્રી સોમાભાઈ અને સાયલા.
For Personal & Private Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
ત્યાં સુધી નહિ નમે, કોઈને નહિ નમે, હિન્દીઓ માનજો વાત સાચી. શાન્તિના શસ્ત્રથી, સત્યનું યુદ્ધ આ, સર્વ સત્યાગ્રહી વીર ખેલે. ઇશને આશરે, સત્યનું નાવડું, પાપના પાણીમાં જાય ઠેલે. બાપુજીને બીજા જેલમાં હોય ત્યાં, શાન્તિ સુલેહની વાત કેવી. ખાનને પાન સા ઊંઘ આરામ સા, કામને કામ ત્યાં રાત કેવી. મરણીયા મરદ મયદાનમાં આવજો, કાયરો ભાગજો જીવ લઈને. જાન દેનાર આ યુદ્ધમાં જીવશે, અમર થઈ ઇતિહાસમાં અમર થઈને હિન્દુ છે આપણું, આપણે હિન્દુના, માલ મીલ્કત બધી હિન્દની આ. જન્મ એણે લીધો, અન્ન એણે દીધા, જાન કુરબાન એની ઉપર આ. દેશ કાજે જીવન, દેશ કાજે મરણ, દેશ કાજે ફના સરવ હોજો. નહિ ડગે, નહિ ડગે, અડગ વિશ્વાસ રહે, આખરી આપણી જીત જો જો.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
304
Page #339
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૪ શ્રી વૃજલાલભાઈ દેવજીભાઈ બેલાણી શ્રી વૃજલાલભાઈ અને શ્રી કાળીદાસભાઈ સરખી ઉંમરના બાળમિત્રો, બાળપણથી આજ સુધી કાળીદાસભાઈની સાથે પરમાર્થ પ્રેમની દોસ્તી અખંડપણે ચાલી આવતી હતી.
હવે કાળીદાસભાઈ જ્ઞાની છે, પ્રાપ્ત પુરુષ છે તથા તેની અલૌકિક આ દશા છે તેવી દઢ ખાત્રી વૃજલાલભાઈને થઈ હતી અને કાળીદાસભાઈની છે પાછળ પડી ગયા હતા કે મને કોઈ પણ હિસાબે બીજજ્ઞાનની પ્રાપ્તિ છે.
કરાવો. પણ તેમના ગુરુ શામળભાઈ તરફથી કાળીદાસભાઈને આજ્ઞા ! જ ન હોવાથી તે લાચાર હતા. બીજી બાજુ તેમના પરમાર્થ મિત્ર કે વૃજલાલભાઈને કોઈ પણ રીતે જો આ બીજજ્ઞાનની પ્રાપ્તિ થાય તો પરમાર્થ માર્ગે તેમને આગળ વધારવાની સુગમતા થાય. તેથી પૂજ્ય : શ્રી કાળીદાસભાઈએ શ્રી વૃજલાલભાઈને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવવાનો માર્ગ શોધી કાઢ્યો.
વૃજલાલભાઈને બોલાવીને એક દિવસ કહ્યું કે ભાઈ વૃજલાલ તું મારી પાછળ ઘણા વખતથી બીજજ્ઞાનની પ્રાપ્તિ માટે પડ્યો છે તેનો છે. મને આજે એક રસ્તો સૂઝી આવ્યો છે તે હું તને બતાવું તે પ્રમાણે કર તો તારું પરમાર્થ કામ થઈ જાય. તેઓશ્રીએ વૃજલાલભાઈને જ રસ્તો બતાવતાં કહ્યું કે મારા ગુરુ શામળભાઈની દીકરી શ્રી મણીબહેન છે. આ છે તેમની પાસેથી આ જ્ઞાન તમે મેળવી લ્યો.
જ્ઞાનપ્રાપ્તિ માટે બતાવેલ આ ઉપાયથી શ્રી વૃજલાલભાઈને અતિ : અતિ આનંદ થયો અને શ્રી મણીબેન વર્ષમાં બે વખત આગ્રાથી 4 સાયેલા આવતા હતા તેથી તે ખ્યાલ રાખી જ્યારે તેઓ સાયેલા આવ્યા ત્યારે તેઓનો સત્સંગ વધાર્યો અને તેમનો વિશ્વાસ તથા કૃપા મેળવી છે લીધી અને પરિણામે શ્રી મણીબેને પોતાની શક્તિ અનુસાર શ્રી ! * વૃજલાલભાઈની પરીક્ષા કરીને, પાત્રતાની ખાત્રી કર્યા પછી સંવત ૧ ૧૯૮૪ના માગશર સુદમાં શુભ ચોઘડીએ સાથલામાં શ્રી હિંમતભાઈની
૩૦૬
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
પૂ. શ્રી વૃજલાલ દેવજીભાઈ બેલાણી જન્મ : સં. ૧૯૫૩ કા. વદ ૧ શનિવાર દેહવિલય : સં. ૨૦૨૪ના તા. ૨૧-૧૧-૧૮૯૭ રાત્રે ૧૦-૦૫
- વૈશાખ વદ ૭ શનિવાર
તા. ૪-પ-૧૯૯૮
સાયલા
For Personal & Private Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
મેડી ઉપર આ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. અને તે દિવસ શ્રી વૃજલાલા તે માટે ધન્ય ધન્ય બની ગયો.
આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શ્રી વૃજલાલભાઈનો પુરૂષાર્થ જાય ! ઉપડ્યો. વૃજલાલભાઈને પૂ. કાળીદાસભાઈ જેવા અનુભવી જ્ઞાની સાન્નિધ્ય હોવાથી તેમનું કાર્ય જલ્દી થઈ ગયું. તે એ રીતે કે જેમ !
કૃપાળુદેવે શ્રી સોભાગભાઈને ઊંચે લઈ જઈ દ્રવ્ય પ્રગટ કરાવ્યું હતું, છેતે જ રીતે પૂ. શ્રી કાલીદાસભાઈએ શ્રી વૃજલાલભાઈને ઊંચી ભૂમિકાએ
લઈ જઈ દ્રવ્ય પ્રગટ કરાવ્યું.
પ્રકરણ-૫ શ્રી છોટાલાલભાઈ મગનલાલ દેસાઈ પિતા મગનલાલ બાવાભાઈ દેસાઈ અને માતા હરિબહેનની કુક્ષે બોટાદ મુકામે શ્રી છોટાલાલભાઈ મગનલાલભાઈ દેસાઈનો જન્મ થયો હતો. બાળપણથી જ રમતગમત અને ભણવામાં ખૂબ જ હોંશીયાર હતા. પ્રાથમિક અભ્યાસ તેમણે સાયલામાં જ પાંચ ધોરણ સુધી કર્યો હતો. અને અંગ્રેજી ૩ ધોરણ સુધીનો અભ્યાસ તેમણે બોટાદ કર્યો હતો. સંવત ૧૯૫૬થી ૧૯૫૯ સુધીમાં ભૂજમાં અંગ્રેજી ચોથા ધોરણથી મેટ્રીક સુધીનો અભ્યાસ પૂરો કર્યો. - તેઓશ્રી સંવત ૧૯૬૫માં કલકત્તામાં શેઠ અબ્દુલાભાઈ જુમાભાઈ લાલજીની ઓફીસમાં મેનેજર તરીકે પૂર્ણ સત્તાથી જોડાયા હતા. તેમની . કામ કરવાની પદ્ધતિ, કુશાગ્ર બુદ્ધિ, કોઠાસૂઝ અને પ્રમાણિકતા જોઈને તેમના શેઠના તેઓશ્રી ઉપર ચારે હાથ હતા. અવારનવાર તેમના શેઠને પગાર બાબત પૂછતા અને શેઠ જવાબ આપતા કે તમારે જોઈએ તેટલા ખર્ચ પૂરતા પૈસા ઉપાડો અને પગારનું આગળ ઉપર જોઈ લેશું, આ રીતે ૨૪ વર્ષો ગયાં. તેમના શેઠ અબ્દુલ્લાભાઈ જુમાભાઈએ સંવત ૧૯૮૯માં તેમનો પગાર બાબતનો હિસાબ કરતાં ઘણી મોટી
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૦૭
For Personal & Private Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
જ રકમ તે જમાનામાં આપી. તેના કારણમાં છોટાલાલભાઈની પ્રમાણિકતા, એકનિષ્ઠા હતા. તેમણે પેઢીને ઘણો જ મોટો ફાયદો કરાવી આપેલ. આ રીતે આવી માતબર રકમ આપીને તેમના શેઠે તેઓના ગુણની કદર કરી હતી.
આ રકમ મળતા છોટાલાલભાઈને એટલો બધો સંતોષ થયો અને તે સંતોષના ઘરમાં આવી ગયા. તેમને બાળપણથી જ તૃષ્ણા તો હતી છે જ નહીં, તેમાં તેમના હાથમાં આવેલી માતબર રકમથી તેઓએ છે
મનોમન, નાની ઉંમર હોવા છતાં, કામ કરવાની શક્તિ હોવા છતાં, 1. નિવૃત્તિ લઈ સાયલામાં વસવાટ કરવાનો નિર્ણય કર્યો અને તેને અમલમાં છે મૂકીને સંવત ૧૯૮૯માં કલક્તા છોડીને આવ્યા. ફરી કલક્તાની એક ટ્રીપ સંવત ૧૯૯૦માં કરી અને ત્યારપછી સાયલામાં આવીને વસ્યા. નિવૃત્તિ લેતી વખતે એવો નિર્ણય કરેલો કે આપણા આત્માનું જ
કલ્યાણ થાય, દીન-દુ:ખિયાની સેવા થાય એ જ હવે પછી પ્રવૃત્તિ ન કરવી. તે જ પ્રમાણે તેમનું જીવન તેમણે વ્યતિત કર્યું. તે હવે પછી ? તેમના જીવન ઉપરથી જોઈશું.
જ્યારે તેમણે કલકત્તામાં સંવત ૧૯૮૯માં નિવૃત્તિ લઈ સાયલામાં રહેવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે તેમના મિત્રો વૃજલાલભાઈ તથા હિંમતભાઈને સાયલામાં તેમના રહેવા માટે સ્વમાલિકીનું એક મકાન બનાવવાની સૂચના આપી. તે પ્રમાણે દેસાઈ શેરીમાં છોટાલાલ મગનલાલ દેસાઈના નામનું જે મકાન હાલમાં છે તે મકાન ભાઈશ્રી વૃજલાલભાઈ જ તથા હિંમતભાઈની જાત દેખરેખ નીચે તૈયાર થયું હતું, અને સંવત ૧૯૮૯માં આ મકાનનું વાસ્તુ કરવામાં આવ્યું હતું. તેમના સ્વર્ગવાસ પછી છોટાલાલભાઈને કોઈ વારસદાર ન હોવાથી તેમના ભાણેજ મહેન્દ્ર પ્રાણલાલ, જે અત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, મુંબઈમાં કામ કરે છે, તેને વારસામાં મળ્યું. છે શ્રી રાજ-સોભાગ-સત્સંગ મંડળની સ્થાપના છેલ્લા લગભગ ૬ ( વર્ષ થયા થયેલ છે. અને તેની પ્રવૃત્તિ શ્રી છોટાલાલભાઈની ઇચ્છા
*
૩૦૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
પૂ. શ્રી છોટાલાલ મગનલાલ દેસાઈ જન્મ : સંવત ૧૯૪૨ના મહા વદ ૧૩ દેહવિલય : સંવત ૨૦૩૧ બોટાદ
ચૈત્ર વદ ૭ શુક્રવાર તા. ૨-૫-૧૯૭૫
કલકત્તા
For Personal & Private Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
મુજબ હોવાથી તેમના ભાણેજ મહેન્દ્રભાઈએ સર્વ સાધન સામગ્રી : A સહીત આ મકાન કોઈ પણ જાતનો બદલો લીધા વગર આ મંડળને ! વાપરવા આપેલ છે. મંડળ મહેન્દ્રભાઈનો પણ આભાર માને છે. '
આ મકાનની મજબુતાઈ વિષે વાત લખીએ તો આપણને માન્યમાં ન આવે તેવી વાત છે. અમારા મંડળે આ મકાનમાં સુધારા વધારા છે કરવાનો નિર્ણય કર્યો ત્યારે બાથરૂમ, સંડાસની દીવાલો તોડવાનો વખત આવ્યો. ત્યારે ચુનાના બાંધકામની દીવાલો તોડતાં ઘણ અને છીણાના પાનાઓ વળી ગયા હતા અને ચાર ચાર માણસોને કામે લગાડતા આ નાની જેવી દીવાલને તોડતા આઠ દિવસ થયા હતા. આ તો તે જમાનાની મકાનની મજબુતાઈની યાદી રહે તેટલા પુરતો જ આ પુસ્તકમાં તેનો ઉલ્લેખ કરેલ છે.
છોટાલાલભાઈ દેસાઈના લગ્ન, સંવત ૧૯૫૯ના વૈશાખ માસમાં ધાંધલપુર ગામે ત્યાંના શેઠ શીવલાલ તળશીભાઈની કન્યા મીઠીબહેને સાથે થયા હતા. તેમને બે સંતાનો થયા હતા. એક પુત્ર અને એક દીકરી. પુત્રનું નામ હરજીવનભાઈ તે મોટા હતા અને પુત્રીનું નામ કુસુમવ્હેન તે નાના હતા. હરજીવનભાઈના પહેલા લગ્ન સંવત ૧૯૮૩માં અને બીજા લગ્ન સંવત ૧૯૮૭માં થયા હતા. હરજીવનભાઈ સંવત ૨૦૧૪માં છોટુભાઈની હૈયાતીમાં જ નિ:સંતાન અવસાન પામ્યા હતા.
હવે છોટુભાઈને સંસારમાં કુસુમ નામે એક દીકરી હતી. તેનાં લગ્ન ગામ રણનેટીકરના શેઠ વૃજલાલભાઈના પુત્ર પ્રાણલાલ સાથે સંવત ૧૯૯૭માં કર્યા હતા. તે પુત્રીએ સંવત ૧૯૯૮માં મહેન્દ્ર નામે
એક પુત્રનો જન્મ આપ્યો. આ તે જ મહેન્દ્રભાઈ છે જેનો ઉલ્લેખ | છોટુભાઈના વારસદાર તરીકે આગળ કરેલ છે. તેઓ હાલમાં ! બોરીવલીમાં રહે છે.
શ્રી છોટુભાઈ દેસાઈની આ પુત્રી કુસુમબહેનને અસાધ્ય રોગ થવાથી તેમનો દેહ એટલો કૃષ થઈ ગયેલો કે છોટુભાઈ તેમને
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
ઘોડીઆમાં સુવરાવીને મદાલસા માતાએ પોતાના ચાર પુત્રોને . બાળપણમાં જે હાલરડા ગાઈને મોક્ષમાં મોકલી આપ્યા હતા, તે જ છે હાલરડાઓ તેમની પુત્રી કુસુમબ્દનને હીંચકાવતાં હીંચકાવતા ! સંભળાવતા હતા, અને ચી. બ્લેન કુસુમ જવાબ આપતા હતા કે જે બાપુજી, હું તમે જે મદાલસા માતાના હાલરડા ગાઓ છો તે બરાબર સમજુ છું અને અનુભવું છું, કુસુમબહેનનો દેહવિલય સંવત ૨૦૦૩ના : ભાદરવા માસમાં થયો.
પૂ. શ્રી છોટુભાઈ દેસાઈના પત્ની મીઠીબ્દન ખૂબ જ સંસ્કારી, ધર્મપ્રેમી, સરળ સ્વભાવી અને ઉદાર દિલના હતા. તેમની ઉદારતાના આજે પણ સાયલામાં પડઘા પડે છે. તેમને આંગણે આવેલ કોઈ પણ ! વ્યક્તિ ક્યારેય નીરાશ થઈને પાછી ગઈ નથી. અને તે ક્રમ પૂ. શ્રી છોટુભાઈ દેસાઈએ પોતાની હયાતી સુધી ચાલુ રાખ્યો હતો, અને જ આજે પણ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળે તે ક્રમ ચાલુ રાખ્યો છે. ' આવા આત્મા અ. સી. મીઠીબ્લેન સંવત ૨૦૦૪ના વૈશાખ માસમાં આ આ ક્ષણભંગુર દેહ છોડી ગયા.
પૂ. શ્રી છોટુભાઈએ, પોતાના સત્સંગ મંડળના મુમુક્ષુભાઈઓ જેવા કે, તેમના ગુરુ વજાભાઈ તથા કાળીદાસભાઈ, લાડકચંદભાઈ, રતીભાઈ ખારા, હિંમતભાઈ, ચંદુભાઈ ઘડીયાળી વિગેરેની સાથે સત્સંગ વખતે વચનો ઉચ્ચારેલાં કે જુઓ ભાઈઓ હું કેવો ભાગ્યશાળી છું કે મારો સંસાર મારી હયાતીમાં જ સંકેલાઈ ગયો છે.
પૂ. શ્રી છોટુભાઈ, ધર્મધ્યાન અને સ્થાનકવાસી સાધુ સંતોની સેવા કરવાની ભાવનાથી સાયલામાં આવીને વસેલા. તેમનાં મહાન-મહાન પુણ્યના ઉદયે તેમને ઉપર જણાવેલા મહાપ્રતાપી પુરુષો જેવા કે : વૃજલાલભાઈ તથા તેમના ગુરુ કાળીદાસભાઈ, લાડકચંદભાઈ તથા તેવા જ અન્ય સત્સંગીભાઈઓનો ભેટો થઈ ગયો અને દિન-પ્રતિદિન 1 સત્સંગમાં ઓતપ્રોત થતા ગયા, સત્સંગના રંગે રંગાતા ગયા, શ્રીમદ્જીના વચનામૃતનું ખૂબ જ શાંતચિત્તે તથા વિચારપૂર્વક ઊંડા ઊતરીને અમૃતપાન
s
૩૧૦
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
કરવાનું ચાલુ રાખ્યું. તે અમૃતપાન કરતાં કરતાં તેમના દિલમાં સ્પષ્ટ અને સંપૂર્ણ શ્રદ્ધા જાગી કે બીજજ્ઞાન વગર સમકિત થાશે નહીં અને મોક્ષનો માર્ગ કપાશે નહિ. આ વિક્ષેપની વાત તેઓએ વજાભાઈ તથા ! કાળીદાસભાઈને કાને નાખી અને પોતાને એ માર્ગ ઉપર આગળ વધારવાની વિનંતી કરી.
પૂ. શ્રી વજાભાઈ તથા પૂ. શ્રી કાળીદાસભાઈએ શ્રીમદ્જીના વચનામૃતના વાંચનની સમજણ તથા તેમાં ઉંડા ઉતરવાની અને આગળ [ વધવાની રીત અને બોધ આપીને પૂ. છોટાલાલભાઈને તેમની પ્રાથમિક ભૂમિકા તૈયાર કરવામાં મદદ કરી.
પૂ. શ્રી વૃજલાલભાઈ તથા પૂ. શ્રી કાળીદાસભાઈએ પૂ. શ્રી જે. છોટાલાલભાઈની પરમાર્થ માર્ગની પરીક્ષા લેવાનું શરૂ કર્યું અને તે | પરીક્ષામાં પૂ. શ્રી છોટાભાઈ દેસાઈ પરિપૂર્ણ રીતે પાસ થવાથી પૂ. શ્રી વજાભાઈએ સંવત ૧૯૯૧ના આસો સુદ ૧૦(દશેરા)ના શુભ દિને છે * બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી.
પૂ. શ્રી છોટાભાઈએ આ પ્રાપ્તિ પછી અખંડ છ માસ સુધી દિવસ જ અને રાત્રી પુરુષાર્થ કરીને તેમને મળેલા જ્ઞાનના આધારે તથા આ છે સપુરુષોના પ્રતાપથી પોતાનું પરમાર્થ કામ (બેફાડ) પૂર્ણ કર્યું. '
તેઓ પરમાર્થ માર્ગે પોતાનું કામ કરતાં કરતા ૩૦ થી ૩૫ વર્ષ જ સુધી સાયલામાં મહાજનના પ્રમુખ રહ્યા તથા ગામના આગેવાન તેમ 1 જ ગ્રામપંચાયતના સરપંચ તરીકે રહીને સફાઈ, બગીચાઓ, ફુલો, છે કન્યા વિદ્યાલયો, ખાદી કાર્યાલયો એવા નાના મોટા અનેક પરમાર્થ છે
કામો તેમણે પોતાની હૈયાતી સુધી જારી રાખ્યા. આજે પણ સાયલાના આ ગામની પ્રજા તેઓશ્રીને ભૂલી શકતી નથી.
તેમની યાદશક્તિ એટલી બધી તીવ્ર અને જોરદાર હતી કે કોઈ ' પણ શ્લોક, ગાથા કે પદ તેમના વાંચવામાં આવતા તે તેમને કંઠસ્થ : થઈ જતા. જ્ઞાનસાર તથા યોગસારનાં શ્લોકો મોટે ભાગે તેમને કંઠસ્થ છે હતા. '
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૧૧
For Personal & Private Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
તેઓ જ્યારે જ્યારે સત્સંગમાં બોલવાનું શરૂ કરતા ત્યારે તેઓ એટલા બધા ઉત્સાહ અને આવેશમાં આવતા કે ગોઠણીયાભર થઈને પોતાની બેઠક ઉપરથી બે ચાર ફુટ આગળ આવી જતા.
તેઓ માટે ભાગે જીજ્ઞાસુ મુમુક્ષુભાઈઓને જોતા ત્યારે મોટા અવાજથી કહેતા કે છ કાયની અહિંસા માટે જયણા પાળો છે પણ 1 “પાંચ ઇન્દ્રિયો અને છઠું મનના સંયમ માટે શું કરો છો ? આવડો ! 4 મોટો બાઘડા જેવો આત્મા હોવા છતાં કેમ દેખાતો નથી ? એનો છે. વિચાર તો કરો.
તેમની પરમાર્થ માર્ગની વાત કરવાની તથા સમજાવવાની રીત કરૂણાથી ભરપૂર હતી. તેઓ ઇચ્છતા કે કોઈ પણ જીવ માર્ગ પામે ને !
આ માર્ગે આગળ વધે, તેને માટે તે કલાકોના કલાકો સુધી બોલી | જ શકતા.
તેઓ સાધુ સંતોને પણ આ માર્ગની સમજણ આપવામાં અથાગ પરિશ્રમ લેતા ને દરરોજ સાધુ સાધ્વી હોય ત્યારે અચૂક કલાક બે કલાક ઉપાશ્રયે જતાં. તે જ પ્રમાણે પૂ. શ્રી નાનચંદજી મ. સા. પાસે તેઓશ્રી અને શ્રી લાડકચંદભાઈ દોઢ વર્ષ સુધી ગયા હતા.
તેમને પરમાર્થ માર્ગની સાથે વ્યવહાર માર્ગમાં પણ એટલો બધો કરૂણાભાવ અને દયા દૃષ્ટિ હતા કે તેમને આંગણેથી કોઈ પણ નિરાશ થઈને પાછું જતું ન હતું. તેઓ પોતાની જાત દેખરેખ નીચે છાશ કેન્દ્ર ચલાવીને ઘણા કુટુંબોને સંતોષ આપતા હતા. આ મહાપુરુષની સાયલામાં આબાલ વૃદ્ધ અને ઘેરઘેર સુવાસ ફેલાએલી છે. આ સુવાસ આજે અમો પણ અનુભવી રહ્યા છીએ.
પરમાર્થ માર્ગમાં જે જીવો તેમના સમાગમમાં, સત્સંગમાં આવ્યા અને જેને અપૂર્વ એવી શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતિતી અને ઓળખાણ થઈ તેવા ઘણા જીવોનું કલ્યાણ તેમના પ્રત્યક્ષપણામાં થયેલુ છે. પૂજ્ય શ્રી છોટાલાલભાઈએ, પોતાને પ્રાપ્તિ પછી, તેમના ગુરુ
૩૧૨
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
* વૃજલાલભાઈ તથા કાળીદાસભાઈની સંમતીથી નીચેના મુમુક્ષુભાઈઓને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી :પ્રાપ્ત કરનાર
પ્રાપ્ત કરાવનાર ૧ નં. મુમુક્ષુભાઈ બહેનોનાં નામો મહાપુરુષોનાં નામ ૧ ૧. પૂ. શ્રી. લાડકચંદભાઈ મા. વોરા પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈ ૨. રતીલાલભાઈ ખારા
પૂ. શ્રી વૃજલાલભાઈ બેલાણી ૩. શ્રી અભેચંદભાઈ
પૂ. શ્રી વૃજલાલભાઈ વેલાણી ૪. શ્રી હિંમતલાલ દેવજી વેલાણી પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈ ૫. શ્રીમતી જવલબેન ભ. મોદી પૂ. શ્રી લાડચંદભાઈ વોરા
(પરમકૃપાળુદેવનાં પુત્રી) ૬. પૂ.આ.શ્રી માણી ક્યસાગરજી મ.સા.પૂ. શ્રી લાડચંદભાઈ બોરા
૭. મુબહેન શ્રી સવિતાબેન (મોરબી) પૂ. શ્રી વૃજલાલભાઈ બેલાણી A ૮. મુમુક્ષુબહેન રમાબહેન (મોરબી) પૂ. શ્રી લાડકચંદભાઈ વોરા , ૯. શ્રી જગજીવનભાઈ દેસાઈ પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈ
(કલકત્તા)
ઉપરની નામાવલીમાંથી મુમુક્ષુ ભાઈઓ, બહેનો પોતાના પુણ્યના ઉદયથી, પુરુષાર્થથી સદ્ગુરુ ઉપરની અવિચળ શ્રદ્ધાથી તેમજ તેમના માર્ગદર્શનથી કોઈ પરિપૂર્ણ, કોઈ વધત-ઓછે અંશે આ પરમાર્થ માર્ગમાં આગળ વધી રહ્યા છે. પરિપૂર્ણ દશાવાળા મુમુક્ષુઓનો ઉલ્લેખ આગળ ઉપર કરવામાં આવશે.
પરમ પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈનો દેહવિલય કલકત્તા મુકામે સંવત ૨૦૩૧ના ચૈત્ર વદ ૭ને શુક્રવાર તા. ૨-૫-૧૯૭૫ના દિને T થયો. તે સમાચાર, વ્યવહાર માર્ગવાળા ભાઈઓને તથા પરમાર્થ માર્ગવાળા ! મુમુક્ષુ ભાઈઓને, સાંભળીને ખૂબ દુ:ખ થયું. સાયલામાં દરેક પ્રજાજનોને આ પ્રતાપી તથા સેવાભાવી પુરુષના ચાલ્યા જવાથી અત્યંત દુ:ખ થયું. ગામના મહાજને તેઓના માનમાં એક દિવસની સંપૂર્ણ હડતાલ પાડી હતી. રાત્રે ગામના પ્રતિષ્ઠિત નાગરિકો, મહાજન તથા ગામજનોએ
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૩૧૩
For Personal & Private Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
જ શોકસભા ભરીને બે મીનીટનું મૌન રાખીને સદ્ગતના આત્માને શાંતિની ?
પ્રાર્થના કરી એક શોક ઠરાવ પાસ કર્યો અને કલકત્તા તેમના કુટુંબીજનો તે ' ઉપર મોકલી આપ્યો હતો.
આવો મહાન પ્રતાપી આત્મા ચાલી જવાથી મુમુક્ષુઓને પરમાર્થ માર્ગમાં મોટી ખોટ પડી અને દીન-દુખીયાને આ આત્માના ચાલ્યા જવાથી કરુણાસાગરની ખોટ પડી. તેઓશ્રી તો તેમના આત્માનું કલ્યાણ કરીને ચાલ્યા ગયા. આપણે સૌ મુમુક્ષુ ભાઈઓ-વ્હેનોએ તેમના જીવનમાંથી તથા તેઓ જે વાટેથી પરમાર્થ કામ સાધી ગયા તે વાટેથી
આપણે પણ પરમાર્થ માર્ગમાં આગળ વધી આપણું કાર્ય કરી લેવું છે. જોઈએ, તેમના ગુણોને યાદ કરીને આપણામાં ઉતારવા જોઈએ. કે.
આપણે તેઓનો થોડોક પરિચય મેળવ્યો. હવે તેઓશ્રીનો આધ્યાત્મિક પરિચય, તેઓએ લખેલ આધ્યાત્મિક પત્રો દ્વારા મેળવવા પ્રયત્નશીલ બની તેમના જેવા બનવા પુરૂષાર્થ કરીએ એજ અભ્યર્થના.
પરમ પૂજ્ય શ્રી છોટાલાલ મગનલાલ દેસાઈના આધ્યાત્મિક દ્રષ્ટિએ લખાએલા પત્રો 0 પત્ર નં. ૧ જ
સાયલા, તા. ૯-૨-૫૯ છે | આત્માર્થી ભાઈ અભેચંદભાઈ તથા બેન સવિતાબેન, મોરબી
જત ગઈ કાલે સાંજે વૃજલાલભાઈ અત્રે આવ્યા અને તેમણે તમોને લખેલ પત્રો તથા તમોએ તેમના ઉપર લખેલ પત્રો વાંચ્યા. હવે મને જે જ બોધ થયો છે અને જે બોધનો નિરંતર અનુભવ અથવા નિશ્ચય રહે
છે તે નીચેના શબ્દોમાં દર્શાવું છું. છેએકવાર આપણે નક્કી કર્યું જે આત્મા કેવળ જ્ઞાનસ્વરૂપ પ્રકાશ
સ્વરૂપ છે. એટલે કે ઉદય અને ઉદયના ચિંતવનથી રહિત જે આપણું
૩૧૪
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
For Personal & Private Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન સ્વરૂપ છે એ મુજબના અનુભવથી આપણે પહેલા સમકિતમાંથી જ બીજા સમકિતમાં આવ્યા. આના વિષે કૃપાળુદેવ કહે છે કે, “પરમાર્થનો સ્પષ્ટ અંશે અનુભવ થવો તે બીજું સમકિત થયું” એટલે કે ક્ષયોપશમ 1 જ્ઞાન થયું. હવે આપણે ત્રીજું સમકિત કે જે નિર્વિકલ્પ અનુભવ છે તેનો વિચાર પૂરેપૂરો કરવો પડશે. ક્ષયોપશમ જ્ઞાનથી એમ નક્કી થયું કે એક બાજુ જ્ઞાનધારા છે અને બીજી બાજુ કર્મધારા છે, પણ જે
જ્ઞાનધારા હંમેશા સ્થિર છે, અચલ છે, તેમાં ઉદય વખતે જરા પણ ' ફેરફાર થતો નથી. એવો આપણો નિશ્ચય કે અનુભવ તેને મહાત્માઓએ સ્થિરતા અથવા નિર્વિકલ્પ અનુભવ કહેલ છે.
એક વખત આપણો પુરુષાર્થ એવો હતો કે ઉદયથી રહિત આપણું , જ્ઞાન સ્વરૂપ છે એ નક્કી કરવું હતું અને નક્કી થઈ ગયા પછી આપણે જ
એ નક્કી કરવાનું રહ્યું જે ઉદય અથવા કર્મધારામાં ફેરફાર થયા જ છે. ' કરે છે અને કર્મધારાના ફેરફાર વખતે આપણી જ્ઞાનધારા અથવા !
સ્વરૂપ એમ ને એમ નિશ્ચલ રહે છે. ગમે તેવા ઉદય વખતે આપણું જ જાણપણું, પ્રકાશપણું અથવા જ્ઞાનગુણ કે પ્રકાશગુણ જરા પણ બદલાતા | જ નથી. આવો આપણો નિશ્ચય કે અનુભવ એ સ્થિરતા છે. અને આને જ ત્રીજા પ્રકારનું સમકિત એટલે નિર્વિકલ્પતા કહેવામાં આવે છે.
બીજી બાજુ વિચારીએ કે આત્માના કેવળ જ્ઞાનસ્વરૂપ અથવા * પ્રકાશ સ્વરૂપ ઉપર ઇન્દ્રિઓ દ્વારા બહારનું જગત દેખાય છે અને આ
અંતર દર્શન કરતા અંદરનું જગત દેખાય છે. એ બુદ્ધિથી આપણે દેહ નહીં પણ આત્મા ઠર્યા. એ પુરુષાર્થ પછી આપણે એ જ જોવાનું રહ્યું : કે અંદરમાં ઉઠતા સર્વ ભાવોમાં આપણે જ જ્ઞાન સ્વરૂપ છીએ અને તે જ જ્ઞાન સ્વરૂપ સર્વ ભાવોથી હંમેશાં અસંગ છે, અચલ છે, સ્થિર છે, . ફેરફાર વગરનું છે. કૃપાળુદેવ કહે છે કે “આત્માનું સ્વરૂપ અન્યથા જ થતું નથી એજ અદ્ભુત આશ્ચર્ય છે.” ઉદય વખતે મૂંઝવણ અને આકુળ-વ્યાકુળપણું એ જ જ્ઞાનની કે બુદ્ધિની અસ્થિરતા. ઉદય વખતે જરા પણ મૂંઝવણ નહીં તે જ્ઞાનની – બુદ્ધિની સ્થિરતા. જેને એ છે સ્થિરતા પ્રાપ્ત થઈ છે તે સ્થિતપ્રજ્ઞ અથવા અપ્રમત્ત કહેવાય.
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
૩૧૫.
For Personal & Private Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
કૃપાળુદેવે એક ઠેકાણે લખ્યું છે કે “અપ્રમત્તધારી ને નહીં વિસ્મરણ કરતું એવું મન વર્તમાન સમયે ઉદય પ્રમાણે વરતે છે.” વળી કહે છે ' કે “હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એમાં સંદેહ શો ? પણ વિશેષ ને વિષે જે ! છે. ન્યુનાધિકપણું વરતે છે તે જો મટે તો અખંડાકાર -અનુભવ સ્થિતિ છે [ રહે. તેમ વરતે જવાય છે એ સુપ્રતિત છે.” 1 ક્ષયોપશમ્ જ્ઞાન થયા પછી આપણું જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ ગમે તેવા બળવાન ઉદયથી બદલાતું નથી એ જ નક્કી કરવાનું રહ્યું, આ એટલે ક્ષયોપશમ્ જ્ઞાનને બદલે આપણું સામાન્ય જ્ઞાન સ્થિર થયું કહેવાય. ક્ષયોપશમ્ જ્ઞાનમાં બુદ્ધિની અને ઉપયોગની અસ્થિરતા છે, જ્યારે સામાન્ય જ્ઞાન સ્થિર થાય તો અસ્થિરતા હટી જાય છે. ખૂબ છે
ખૂબ વિચાર કરી, અનુપ્રેક્ષા કરી પોતાનું જ્ઞાન સ્વરૂપ હંમેશ સ્થિર છે. અને ફેરફાર વગરનું છે, એ જ નક્કી કરવાનું છે. ઉપરના લખાણમાં છે [ કાંઈ ભૂલ જણાતી હોય તો લખી જણાવશો.
* દઃ છો. મ. દેસાઈ ' ) પત્ર નં. ૨ જ
- સાયલા, તા. ૯-૮-૧૩ જ છેભાઈ ઈશ્વરલાલ, મુંબઈ
જત તમારો પત્ર વાંચી પ્રમોદ થયો છે. તમો તમારી સમજણ છે મુજબ બનતો પુરુષાર્થ કરો છો અને તમારી મુંઝવણ જ બતાવી આ આપે છે કે તમો સાચો પુરુષાર્થ કરો છો. સત્સંગ રહેતો હોય તો વધારે છે ઉકેલ થઈ શકે.
આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ અરૂપી દ્રવ્ય એનો ગુણ ? પણ જ્ઞાન અરૂપી, એનું પરિણમન એટલે ક્રિયા એ પણ અરૂપી એટલે કે જ્ઞાનધારા કહેવાય, કારણ આત્મામાં જ્ઞાનનું જ પરીણમન છે. કર્મધારા ! એટલે જડ, પુદ્ગલ દ્રવ્ય પણ જડ, ગુણ પણ જડ અને પરિણમન એટલે જ ક્રિયા પણ જડ. એ બધું રૂપી પદાર્થ. કૃપાળુદેવે કહ્યું છે કે :
૩૧૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
“દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય, કે
ચેતનના ઉત્પતિ લય, કોના અનુભવ વશ્ય ?” દેહ એટલે બન્ને દેહો. સ્થૂળ શરીર અને કાશ્મણ શરીર, પુલીક જ ભાવો, ઇચ્છાઓ સારી અગર નરસી, બન્ને શુભાશુભ ભાવોનું ચિંતવન ને
આપણી મરજી વિરુદ્ધ થાય છે, તે જ્ઞાનધારાના અનુભવમાં આવે છે ' પણ મનથી થતું ચિંતવન શરીરના અનુભવમાં આવતું નથી. વળી ' બીજી કડીમાં કહે છે કે :
“જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન,
તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન.” * કર્મદશા અથવા કર્મધારાની ઉત્પત્તિ તથા લય, દરેક પ્રકૃતિઓના
ઉદય અને લય, એ જ્ઞાનધારાના અનુભવમાં આવે છે, પણ જ્ઞાનધારાની
ઉત્પત્તિ કે લય ક્યારે પણ થતો નથી. જ્ઞાનધારાનો તો સદાય ઉદય જ છે છે. એ જ્ઞાનધારાનો બન્ને શરીરો જડ હોવાથી તેનો અનુભવ થાય જ છે નહીં. જ્ઞાનધારાના આશ્રયે કર્મધારા રહેલી છે એટલે કર્મધારા નિરંતર ! અનુભવાય છે. પણ તે અનુભવ કરનાર તો જ્ઞાનધારા છે.
જે પુરુષોને બોધ થયો છે તેઓનો એવો અનુભવ છે જે ગમે તેવો કર્મનો બળવાન ઉદય હોય પણ તે જ્ઞાનધારા જે અખંડ છે તેનું કાંઈ હરી શકતો નથી, કારણ કે ઉદય જડ છે અને પોતે તો નિરંતર જ્ઞાન
સ્વરૂપ. તેવા ફેરફાર વગરનું જીવતું જાગતું સ્વરૂપ છે અને કર્મધારા 1 હોવા છતાં કર્મધારાથી મુક્ત જ છે. કર્મધારા જ્ઞાનમાં જરા પણ ન કે ફેરફાર કરી શકતી નથી. આવો તેમનો નિશ્ચય, આવી તેમની રાતદિવસ છે
જાગૃતિ એ જ જ્ઞાનદશા છે. - રાતદિવસ ઉદયથી પોતાનું સ્વરૂપ જુદું છે, મુક્ત છે એવી જાગૃતિ
એ જ સમાત, એ જ ચારિત્ર, એ જ જ્ઞાનદશા. આવી ઉદય પ્રત્યે જાગૃતિ રહે છે તે પુરુષ શુભાશુભ ઉદય એટલે કર્મધારાથી મુંઝાતો નથી. એટલે કે કર્મધારાથી મોહ પામતો નથી. રાતદિવસ આપણે જ્ઞાનસ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ છીએ અને ઉદય એટલે પૂર્વે નિશ્ચિત
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૧૭
For Personal & Private Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
' કરેલો વિભાવ યોગ તે જડ સ્વરૂપ છે. છે કૃપાળુદેવ કહે છે કે “કેવળ અંતર્મુખ ઉપયોગે સતત જાગૃતિ અને 1 શ્રી તીર્થકર ધર્મ કહે છે. એક સમય પણ બહિર્મુખ ઉપયોગ ન થવા દેવો અને શ્રી તીર્થકર માર્ગ કહે છે.”
વળી કૃપાળુદેવ કહે છે કે વિભાગ યોગ બે પ્રકારના છે. (૧) પૂર્વે નિષ્પન કરેલું એવું ઉદય સ્વરૂપ. (૨) આત્મબુદ્ધિએ રંજનપણે કરવામાં આવતું ભાવ સ્વરૂપ.
જ્ઞાનીઓને જાગૃતિ રહે છે. એટલે તેઓને બીજા પ્રકારનો વિભાવ યોગ હોતો નથી પણ પહેલા પ્રકારનો વિભાગ યોગ ઓછો (મોળો) પડતો જાય છે. પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં સુધી તે વિભાવ યોગ | રહે છે.
કેવળજ્ઞાન ઉત્પન્ન થાય એટલે મોહનો ક્ષય થાય છે. બાકી સમ્યફદૃષ્ટિ છે જીવોને મોહનો ક્ષય નથી પરંતુ મોહ શાંત થયેલો છે એટલે તેઓ | મોહજીત કહેવાય છે.
મૂળ દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય અને એને આશ્રયે રહેલું સંયોગી દ્રવ્ય જ કહેવાય છે. એટલે બન્ને શરીરો અને બન્ને શરીરોના નામ તે ખોટી વસ્તુ. એક જીવતું જાગતું આત્મદ્રવ્ય એ જ સાચી વસ્તુ અને તે આપણે છીએ. આ કાગળનો વિચાર કરશો અને કાગળની પહોંચ લખશો.
દઃ છોટાલાલના આત્મવંદન પત્ર નં. ૩ જ
સાયલા, તા. ર૭-૭-૬૫ ભાઈ શ્રી ઈશ્વરભાઈ, માટુંગા છે તમો જે સ્થિરતા ઇચ્છો છો તે ક્ષયોપશમ જ્ઞાન હોય ત્યાં સુધી આ
આવે નહીં. તમો કેવળજ્ઞાન જેવી સ્થિરતા ઇચ્છો છો તેને હજુ ઘણો
૩૧૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
- ટાઈમ જોઈશે. જ્યાં સુધી સત્તામાં કર્મનો ઉદય રહેલ છે અને બીજી છે બાજુ પૂર્વોપાર્જીત મોહનીય કર્મ પડેલું છે તે જેમ તમો ઇચ્છો તેમ
રહેવા દે નહીં. * આત્મા એકરૂપ છે અને સર્વરૂપ છે છતાં સર્વરૂપ થવા છતાં તે પોતાનું એકરૂપપણું એટલે જ્ઞાનરૂપણું છોડતો નથી.
કર્મનો ઉદય આવે ત્યારે આપણે ન ઇચ્છીએ છતાં વિવિધ પ્રકારની | * ઇચ્છાઓ ઉત્પન્ન થાય, અજાગૃતપણું કરાવી દે અને આપણને લાગે કે જ છે આપણે કર્મદશા જેવા થઈ ગયા છતાં પણ ચેતન જ્ઞાનરૂપ જ રહે અને તે આ કર્મ કર્મરૂપ જ રહે કારણ કર્મના ઉદય વખતે અજાગૃતપણું થઈ જાય ! છે તોપણ ચેતન અસંગ રહે, ચેતન જડ થાય નહીં, અને કર્મ ચેતન થાય ' નહીં. વિચાર કરી કરીને આ નિશ્ચય વધારવો. ક્ષયોપસમ જ્ઞાન થયું ! જ છે. એટલે વિચાર વડે આ નિશ્ચય જ સ્થિરતા કહેવાય, ચારિત્ર દશા છે કહેવાય અને ક્ષયોપશમ જ્ઞાનવાળાને અજાગૃતપણું એ ચારિત્ર દશા ઉપર આવરણ કહેવાય છે. તેમાં સમકિત ઉપર આવરણ નથી. આ કાગળ તમો ખૂબ વિચારશો.
( દ : છોટાલાલના આત્મવંદન પત્ર નં. ૪
સાયલા, તા. ર૭-૭-૬૫ છે. ભાઈ શ્રી રતીલાલ, અંધેરી
આત્મા એકરૂપ છે તેમજ સર્વરૂપ છે. કર્મના ઉદય વખતે ઉદયરૂપ થઈ જાય છતાં પોતાનું એકરૂપપણું એટલે જ્ઞાનરૂપપણું છોડતો નથી. ક્ષયોપશમ જ્ઞાન હોવાથી કર્મના બળવાન ઉદયમાં અજાગૃતપણું થઈ છે
જાય કારણ એક બાજુ કર્મનો બળવાન ઉદય છે અને જ્ઞાન ક્ષયોપશમ જ છે, એટલે પૂર્વોપાર્જીત મોહનીય સત્તામાં પડ્યું છે એટલે તે તેનો ભાવ
ભજવે છે. આવી રીતે થવા છતાં પણ ચેતન ચેતનરૂપે જ રહે અને * અસંગ રહે અને કર્મનો ઉદય જડ રૂપ જ રહે. આપણે તો તેવી જ સ્થિતિમાં વિચાર કરવો જે દેહની સ્થિતિ ગમે તેવી થાય તો પણ
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૧૯
For Personal & Private Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
આપણા આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી. આ વિચારદશા એ જાગૃત દશા કહેવાય, સ્થિરતા કહેવાય, ચારિત્ર દશા કહેવાય. અને અજાગૃતપણામાં ચારિત્ર દશા ઉપર આવરણ કહેવાય પણ સમકિત ઉપર આવરણ નથી.
તમારો આ પ્રકારનો નિશ્ચય બળવાન છે એટલે પ્રમોદ આવે છે. દ : છોટાલાલના આત્મવંદન
O પત્ર નં. ૫ G
ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી
તમારો તા. ૨૬-૭-૬૫ નો પત્ર ગઈ કાલે મળ્યો, તે પત્ર આખા મંડળને વંચાવ્યો. સૌ રતિભાઈની પરમાર્થવૃત્તિ (નિશ્ચય), આવા બળવાન અસાતાના ઉદયમાં નિશ્ચયનું બળવાનપણું જોઈને સૌને આનંદ થયો છે. મેં એક કાગળ રતિભાઈ ઉપર લખ્યો છે. પરમાર્થ સંબંધી તેનો સાર મારી હાજરી તુલ્ય જ છે.
સાયલા, તા. ૨૮-૭-૬૫
ટુંકમાં લખું તો ભ્રાંતિ અથવા મિથ્યાત્વને લઈને આ દેહ ધારણ કરવો પડ્યો છે. ભાંતિ અને તેના સંસ્કારો એવી ચીજ છે જે જેમ રજ્જુ (દોરી)માં સર્પ દેખાયા કરે તેમ આત્મ સ્વરૂપમાં ઉદય અથવા પરદ્રવ્યના સંયોગો વિયોગો ભાસ્યા જ કરે. એ બધી પ્રતિભાસીક વસ્તુ કહેવાય અને પ્રતિભાસીક વસ્તુ હંમેશાં ખોટી જ હોય.
આત્મસ્વરૂપ, બહારનું જગત અને અંદરનું જગત જોવાને માટે એક અરૂપી અરીસો છે. જે અરીસામાં ક્યારે પણ કાંઈ પણ ફે૨ફાર થતો જ નથી. ઉદય ગમે તેવો બળવાન હોય પણ આત્માથી આત્મા ને ચેતનનું કાંઈપણ કરી જ શકે નહીં.
૩૨૦
તમો તથા ઇશ્વરભાઈ અવાર નવાર રતિભાઈ પાસે જતા રહેશો એટલે એમને પણ આનંદ આવશે. રતિભાઈ પાસે પરમાર્થ સાથીમાં
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
તમો બેઉ જણ છો, રતિભાઈનું શરીર ભલે લથડે પણ કૃપાળુદેવના પ્રતાપે આત્મા સજાગ બેઠો છે.
O પત્ર નં. ૬
દ : છોટાલાલના આત્મવંદન
ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી
તા. ૩૦-૭-૬૫ના સવારે રતિભાઈના અવસાન થવાનો તાર મળ્યો. તમારો કાગળ આવ્યેથી વધારે વિગત આખર સ્થિતિની જાણવામાં આવશે.
જો કે બોધવાળાને તો પાછળની સ્થિતિ બેભાન અવસ્થામાં જાય તો પણ તો હરકત નથી.
સાયલા, તા. ૨-૮-૬૫
બેશુદ્ધિમાં પણ બોધના પરિણામ વરતતા જ હોય કારણ કે બોધ પાકો થાય એટલે બેશુદ્ધિમાં પણ બોધના પરિણામ વરતે.
અમે તો એક માસમાં બે પરમાર્થ સાથી ગુમાવ્યા છે. એક કુંતાસીવાળા દરબાર અને બીજા રતિભાઈ.
કળીયુગ છે એટલે પરમાર્થ વૃત્તિવાળા માણસોને સત્સંગમાં સાથે રહેવા ન દે. ઈશ્વર રાખે તેમ રહેવું.
ન
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Ð પત્ર નં. ૭ ૩
દ : છોટાલાલના આત્મવંદન
આત્માર્થી ભાઈ શાંતિલાલ, બોરીવલી
જત તમારો પત્ર તા. ૨-૮-૬૫નો વિગતવાર મળ્યો છે જેમાં રતિભાઈની અંતીમ સ્થિતિનું વિગતવાર ધ્યાન આપ્યું જે વાંચી આખા મંડળને બહુ જ સંતોષ અને પ્રમોદ થયો છે.
સાયલા, તા. ૫-૮-૬૫
For Personal & Private Use Only
૩૨૧
Page #359
--------------------------------------------------------------------------
________________
તેમની છેલ્લી સ્થિતિ ત્યાં પાસે રહેનારા વિચારવાન ભાઈઓ કે . બેનોને એ રસ્તે વળવાનું નીમીત્ત થાય. સુરજબેને પણ ધૈર્ય રાખી છે કમાલ કરી, તમારી હાજરી પણ છેલ્લા દિવસમાં હતી એ બહુ જ ! ઠીક થયું. અત્રેથી સર્વે ભાઈઓએ ખૂબ યાદ કરી તમોને આત્મવંદન છે. લખાવ્યા છે.
દઃ છોટાલાલના આત્મવંદન ) પત્ર નં. ૮ ૪
સાયલા, તા. ૭-૮-૬૫ ૪ ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી | તમારો તા. ૪-૮-કપનો પત્ર મળ્યો વાંચી વિગત જાણી.
વિચારવાન જીવને માર્ગમાં આગળ વધવા માટે હંમેશા જેમ ઉલ્લાસ જ રહે છે તેમ ઉકળાટ પણ રહે છે. ઉકળાટ એ ચિંતાજ્ઞાન કહેવાય. || શ્રુતજ્ઞાન એટલે જડ-ચેતનની સમજણ તેનું ચિંતાજ્ઞાન રહે તો જ !
માણસ ભાવના જ્ઞાન એટલે નિર્વિકલ્પ સમાધિમાં આવી શકે. ચિંતાજ્ઞાન : વિનાનું શ્રુતજ્ઞાન નકામું છે. તે તો શુષ્ક જ્ઞાનીને જ હોય.
રતિભાઈનું અવસાન વિચારવાન જીવને બોધનો મહીમા કેવો છે છે તે જોવાની તક આપે છે.
દઃ છોટાલાલના આત્મવંદન D પત્ર નં. ૯ જ
સાયલા, તા. ૧૦-૮-૬૫ ! ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી
સત્સંગમાં પરમાર્થ માર્ગ એટલો સહેલો થઈ જાય છે કે સીમા ? નહીં. કૃપાળુદેવ લખે છે કે :
સમજ પિછે સબ સરલ હૈ. બિનુ સમજ મુશકીલ એ મુશકીલી !
*
૩૨
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
ક્યાં કહું.'
રતિભાઈની બાબતમાં તમો એક બળવાન નિમિત્ત સમયને અનુસરીને
મળી ગયા.
દ : છોટાલાલના આત્મવંદન
O ૫ત્ર નં. ૧૦ બુ
ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી
સંસારના પરીવજ્રથી તથા વહેવારથી ઉદાસીન રહી બધો વહેવાર ક૨વો. મતલબ દેહથી તથા મનથી જે ક્રિયા કરીએ છીએ તેથી આપણે જુદા છીએ. આપણે તો જ્ઞાન સ્વરૂપ ચેતન છીએ. સર્વે દેહની અને મનની ક્રિયા પૂર્વના સંસ્કારથી ઉદાસીનપણે કરવી.
દ : છોટાલાલના આત્મવંદન
સાયલા, તા. ૧૬-૮-૬૫
Ð પત્ર નં. ૧૧ જી
કૃપાળુદેવ આત્માસિદ્ધિમાં લખે છે કે :
આત્માર્થી ભાઈ ઈશ્વરભાઈ. માટુંગા
તમારો પત્ર વાંચતા જણાય છે જે તમોને દર્શનજ્ઞાન ગુણની પ્રતિતી બરાબર થઈ ગઈ છે. તમારો દર્શન મોહ ઘણો જ પાતળો પડી ગયો છે.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
સાયલા, તા. ૧૫-૧૦૬૫
“કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ,
હણે બોધ વીતરાગતા, અચુક ઉપાય આમ.”
સત્ય આત્મબોધ થવાથી દર્શન મોહનો નાશ થાય છે. તમોને ચારિત્ર મોહને લીધે સ્થિરતા રહેતી નથી. તેનો ઉપાય નીચે મુજબ છે.
For Personal & Private Use Only
૩૨૩
Page #361
--------------------------------------------------------------------------
________________
પૂર્વોપાર્જીત મોહનીયને લીધે ચારિત્ર મોહ રહ્યા કરે છે. બળવાન ઉદય વખતે, ઉદય અસ્થિર છે, અનિત્ય છે, ક્ષણીક છે, અને આત્મા સ્થિર છે, નિત્ય છે તથા અવિનાશી છે, છતાં ચારિત્ર મોહને લીધે છે. આપણને એમ લાગે છે કે આપણો આત્મા ઉદય જેવો થઈ ગયો,
આપણે કર્મદશા જેવા થઈ ગયા. આનું નામ ચારિત્ર મોહનો ઉદય અને સ્વરૂપમાં અંતરાય એટલે આપણી વિતરાગ દશા થવા ન દે. તે વખતે વિચાર કરી, જાગૃતિ રાખી આપણે ઉદય જેવા ન થઈ જઈએ એ જ આપણી સ્થિરતા, નિત્યતા, વીતરાગ દશા.
મતલબ આવી જાગૃતિ રાખવાથી ચારિત્ર મોહનો હળવે હળવે નાશ થાય છે. જો સત્સંગ રહે તો ફાયદો ઉતાવળે થાય. બાકી તમારે
જરા પણ મુંઝાવા જેવું નથી. તમારી ભૂમીકાને એ મુંઝવણ પણ છે ઉપકારી છે, વૈરાગને વધારે છે, અને પુરુષાર્થમાં ઉત્સાહિત રાખે છે. તે
દ: છોટાલાલના આત્મવંદન એ પત્ર નં. ૧૨ જ
“નિશ્ચય-વહેવાર માર્ગ” આપણી જ્ઞાનધારા વડે કર્મધારા અથવા કર્મદશા અનુભવાય તે વહેવાર.
કર્મદશા વખતે અથવા બળવાન કર્મના ઉદયમાં આપણે જ્ઞાનસ્વરૂપ આત્મા છીએ અને ઉદયથી તદ્દન ભિન્ન એટલે જુદા છીએ એવી આપણી જાગૃતિ તે નિશ્ચય.
જ્ઞાનીને દેહ છે ત્યાં સુદી કર્મદશા વર્તે છે. પણ પોતે જ્ઞાન સ્વરૂપ આત્મા છે અને કર્મના ઉદયથી પોતે જુદો છે, ભિન્ન છે એવી એની * જાગૃતિ તે કર્મદશાને મોળી પાડે છે અને નિશ્ચય બળવાન થતો જાય છે 1 છે અને કર્મદશા વર્તતી હોવા છતાં એ જાણે છે કે કર્મદશા જડ છે, ' પોતે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એટલે હળવે હળવે ઉદયથી થતી મુંઝવણ | ઘટતી જાય છે. એની સમજણ હોવાથી તે જ્ઞાનદશા વડે કર્મદશાનો
૩૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
સામનો કરી શકે છે. જ્યારે અજ્ઞાનીને જપ, તપ, ક્રિયાકાંડ સીવાય બીજી કોઈ જાતની સમજણ હોતી નથી એટલે અજ્ઞાની દેહમાં જાગે છે, જ્યારે જ્ઞાની આત્મામાં જાગે છે.
અનુસંધાનમાં પં. બનારસીદાસના ત્રણ સવૈયા સમયસારના ટુંકમાં લખ્યા છે તેમાં જ્ઞાનનો જ મહીમા દેખાડેલ છે :
સવૈયો” (૧) જ્ઞાનકો સહજ જોયાકાર રૂપ પરિણ,
યદ્યપી તથાપિ જ્ઞાન જ્ઞાનરૂપ કહ્યો છે. શેય શેયરૂપયહી, અનાદિપીકી મરજાદ, કાહુ વસ્તુ કાહુકો, સ્વભાવ નહીંગ્રહ્યો છે. એતેપર કોઉ મિથ્યામતી કહે શેયાકાર, પ્રતિભાસનસીં, જ્ઞાન અશુદ્ધ છે રહ્યો છે. વાહિ દુબુદ્ધિસૌ વિકલ ભયો ડોલતા હૈ, સમજે ન ધરમ યોં ભર્મ માંહિ વહ્યો છે.
ચોપાઈ (૨) શેયાકાર જ્ઞાનકી પરિણતી, પૈ વહ જ્ઞાન શેય નહિ હોઈ,
શેયરૂપ ષટ દરવ ભિન્નપદ, જ્ઞાનરૂપ આતમપદ સોઈ. જાણે ભેદભાવ સુવિચિક્ષણ, ગુણ લક્ષણ સમ્યક દ્રગ જોઈ,
મુરખ કહે જ્ઞાનમય આકૃતિ, પ્રગટ કલંક લખે નહિ કોઈ. (૩) નિરાકાર જો બ્રહ્મ કહાવે, સો સાકાર નામ કર્યો પાવે ?
યાકાર જ્ઞાન જબ નાંહિ, પુરણ બ્રહ્મ નાંહિ તબ તાંઈ, યાકાર બ્રહ્મ મલ માને, નાશ કરનકો ઉદ્યમ માને,
વસ્ત સ્વભાવ મટે નહિ ક્યહી, તાતેં ખેદ કરૈ શઠ યહી. ( એ મુજબ સમયસાર નાટકમાં પં. બનારસીદાસના ત્રણ સવૈયા છે !
જેમાં જ્ઞાન જોયાકાર થવા છતાં જ્ઞાન જ્ઞાન જ રહે છે અને શેય જોય જ છે. રહે છે.
{ સીભાગ્યભાઈ અને સાયલા )
૩૨૫
For Personal & Private Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
આત્માર્થી બેન રમાબેન, મોરબી
જત તમારો ઇગ્લેન્ડ પત્ર મળ્યો વાંચી આનંદ તથા તમો પુરુષાર્થ કરો છો તેવું તમારા લખાણ ઉપરથી જાણી પ્રમોદ થાય છે.
O પત્ર નં. ૧૩ જી
તમોએ લખ્યું જે પુરુષાર્થ કરું છું તે માટેના પુરુષાર્થમાં કંઈક :
(૧) શ્વાસોચ્છવાસની મંદતા (૨) સંકલ્પ-વિકલ્પની મંદતા (૩) મુંઝવણ ઘણી જ ઊભી થાય છે (૪) અંદરમાં તો ઘોર અંધકાર દેખાય છે.
૩ર૬
સાયલા, તા. ૮-૫-૬૬
‘હજુ ભેદ પડતો નથી. પ્રકાશ સ્વરૂપ આત્માને કેટલું આવરણ. આ બધું જોઈ ખૂબ દુ:ખ થાય છે.' પુરુષાર્થ કરતા ઉપરની વસ્તુઓ તમને જણાણી તે પણ સમયવર્તી ઉપયોગ અથવા જ્ઞાનનું પરિણમન્, તે વડેથી બધું જણાયું ત્યાં પણ ઉપયોગનો જ મહીમા છે. તમોને જે વસ્તુ જણાણી તેનો કોઈ મહીમા નથી પણ જેના વડે જણાણી એટલે ઉપયોગ વડે જણાણી તેમાં હર ક્ષણે ઉપયોગનો જ મહીમા છે. મુંઝાવાનું કાંઈ કારણ નથી. આપણા ઉપયોગનો પ્રવાહ, જે કાંઈ જણાય તેથી ભિન્ન જ છે. અને તે ઉપયોગનો પ્રવાહ સામાન્ય ચેતન એટલે કે, ત્રીકાળી જ્ઞાન સ્વભાવી દ્રવ્ય, તેમાંથી તે પ્રવાહ આવે છે. માટે તમો નહીં મુંઝાતા પુરુષાર્થ ચાલુ રાખશો. અને શાંતિસ્વામી*નું પુસ્તક તમારી પાસે છે તેમાંથી ૯૩ અ. સૌ. બેન શ્રીમતિ વસંતીબેન ઉ૫૨નો કાગળ પાના ૯૮ ઉપર પૂરો થાય છે અને પાને ૯૮ વિલેપારલેથી વાલકેશ્વર મોટ૨માં જતા એ કાગળ પાના ૧૦૧ ઉપર પૂરો થાય છે. આ બન્ને કાગળો જ્યારે જ્યારે ફુરસદ મળે ત્યારે ત્યારે ખૂબ વિચારશો અને ન સમજાય તો પણ મુંઝાશો નહીં.
*
“સમ્યજ્ઞાની શ્રી શાન્તિસ્વામી સ્વ સંવેદન” પ્રકાશક : મહેતા ન્યાલચંદ ફુલચંદ, વાંકાનેર (સૌરાષ્ટ્ર)
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
તમારી આત્મા પામવાની ધગશ છે એટલે સર્વ સાધનો તમોને તે મળી રહેશે. ત્રીકાળી દ્રવ્યમાં ત્રણે કાળના પર્યાયો થવાનો જ સ્વભાવ
છે એટલે તેમાં જ્ઞાનનું પરિણમન થાય છે. એ જ્ઞાન પ્રવાહ વડે આપણા સ્થળ શરીર અને સૂક્ષ્મ શરીર, પાંચ જ્ઞાનેન્દ્રિય તથા મન તેનો વહેવાર ચાલે છે. અને જ્ઞાની પુરુષો રાત-દિવસ એ જ્ઞાનના * પ્રવાહ વડે સામાન્ય ચેતન ભગવાન આત્માની ઉપાસના કરી રહ્યા છે. જે
તથા વહેવાર પણ કરી રહ્યા છે. જ્ઞાની પુરુષોને સામાન્ય ચેતન એટલે 1 ત્રિકાળી જ્ઞાન સ્વભાવી દ્રવ્ય તથા તેમાંથી આવતા જ્ઞાનનો (ઉપયોગ) :
પ્રવાહ એટલે કે સામાન્ય ચેતન અને વિશેષ ચેતનની ઓળખાણ હોવાથી આત્માના અનુભવનું કામ પણ ચાલે છે અને તેના બન્ને
શરીરનો વહેવાર પણ ચાલે છે. તેમને શરીરનો વહેવાર અનુભવ : A હોવાથી બાધક થતો નથી.
શ્રી જયાબેનના કંઈ સમાચાર નથી. નીરૂબહેન ત્યાં હશે. - સવિતાબેન પણ ત્યાં જ હશે. સર્વ કોઈ પ્રયત્ન કરે તો ફળને (મોક્ષને) ( પામે છે. અત્રેથી સર્વે ભાઈઓએ તમો સર્વેને ખૂબ યાદ ર્યો છે. તે
દઃ છોટાલાલના શુભાશીષ
લખવામાં તો કેટલું લખી શકાય. શાંતિસ્વામીના બન્ને કાગળો વાંચશો-વિચારજો. આ એ કાગળ જયાબેન, નીરૂબેન, સવિતાબેન જે કોઈને વાંચવો હોય તો ભલે વાંચે.
ઉપયોગનો પ્રવાહ જ્ઞાનનું પરિણમન
જ્ઞાનનો પ્રવાહ એની પ્રસિદ્ધિ અથવા ઓળખાણ થઈ જશે એટલે સામાન્ય ચેતન, ત્રિકાળી જ્ઞાનસ્વભાવી દ્રવ્ય ભગવાન આત્માની ઓળખાણ એની મેળે થઈ જશે. કોઈ પણ રીતે આ બન્ને શરીરોમાં ઉપયોગનો પ્રવાહ એ જ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૨૭
For Personal & Private Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
સારભુત વસ્તુ છે. અને તેની પ્રસિદ્ધિ અથવા ઓળખાણ કરી લેવી જ જોઈએ જેથી સામાન્ય ચેતનનો અનુભવ રહ્યા જ કરે. કોઈ પણ જીજ્ઞાસુ બેન કે ભાઈને અત્રે આવવું હોય તો સંકોચ રાખવો નહીં. '
) પત્ર નં. ૧૪ જ
સાયલા, તા. ર૭-૧-૯૬ ૪ છે બેન રમાબેન, મોરબી
જત તમારો ઈનલેન્ડ લેટર મળ્યો વાંચી આનંદ. તમારું બધું લખાણ જોતા તમો યથાશક્તિ પુરુષાર્થ કરો છો તે જોઈ પ્રમોદ થાય છે. તમો જે પુરુષાર્થ કરો છો તેનાથી શું લાભ થશે તે ટૂંકમાં જણાવું છું.
ઉપયોગ સ્વરૂપ આત્મા છે. જ્ઞાન સ્વરૂપ આત્મા છે.
ઉપયોગ લક્ષણ અને જ્ઞાન ગુણ બંને આત્માથી અભિન્ન છે એટલે આત્મા જ છે. ઉપયોગની પ્રસિદ્ધિના માટે તમારો પુરુષાર્થ છે. સંસાર અને દેહના ધર્મને ગૌણ કરી તમારો ઉપયોગ સુધારસનું ઉત્પત્તિ ક્ષેત્ર અને શ્વાસોશ્વાસ આત્માની પ્રસિદ્ધિ માટે બન્ને નિર્વિકારી સ્થાનો છે.
માટે મહાપુરુષોએ એ સ્થાનનું આલંબન બતાવ્યું છે. તેમ તેમાં પણ 1 સુધારસને શ્વાસોશ્વાછવાસ કરતા પહેલું સ્થાન આપ્યું છે. શાસ્ત્રમાં !
સુધારસને અમૃત અનુષ્ઠાન કહેલ છે. આપણે તો ઉપયોગની પ્રસિદ્ધિ છે કરવાનું કામ છે. ઉપયોગ જુદી વસ્તુ છે અને સુધારસ અને એનું ઉત્પત્તિ ક્ષેત્ર જુદી વસ્તુનું છે. ઉપયોગ એટલે આત્મા એટલે જ્ઞાન અને જે સુધારસ તથા તેનું ઉત્પત્તિ ક્ષેત્ર શેય છે. ધ્યાન રાખનાર | ઉપયોગ છે એ સારભુત વસ્તુ છે અને
_| સુધારસ તથા તેનું ઉત્પત્તિક્ષેત્ર શેય તપાસ રાખનાર | એટલે પરય છે. પણ આત્માને નજીકની વસ્તુ હોવાથી એના આલંબનથી ઉપયોગની જ પ્રસિદ્ધિ થશે. વૃત્તિઓ શાંત થઈ જશે અને શાંતરસની સ્થિરતા હળવે છે
હળવે અનુભવાશે. એના આલંબનથી ઉપયોગની ચપળતા ઓછી થતી .
જાણનાર
૩૨૮
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
જશે. ઉપયોગની જરૂર પ્રસિદ્ધિ થશે. કૃપાળુદેવ અને યશોવિજયજી મહારાજ કહે છે જે આ દેહમાં સારભુત વસ્તુ ઉપયોગ, તેનું જ્ઞાન એ જ જ્ઞાન. ઉપયોગની પ્રતિતી એ જ દર્શન અને રાત- દિવસ એમાં જ અને એના વિચારમાં રમણતા એ જ ચારિત્ર અથવા સ્થિરતા.
પાંચ જ્ઞાનેન્દ્રિય અને મન એ પણ આત્માની પ્રસિદ્ધિ માટે ઊંચા સ્થાનો છે પણ તેમને વિષયો હોવાથી વિકારી સ્થાન કહેલ છે. જ્યારે સુધારસ અને શ્વાસોચ્છવાસ તેમને વિષયો નહીં હોવાથી નિર્વિકારી સ્થાન કહેલ છે.
આ પુરુષાર્થથી કેટલો લાભ જીવને છે તે કલમ લખી શકે નહીં અને વાણી વર્ણન કરી શકે નહીં છતાં પણ લખાણ કરતા વાણીમાં સમાગમે વિશેષ કહી શકાય. પશુસણ પછી જામનગર જાવાનું થશે તો મોરબી આવી જઈશ. સમાગમમાં જેટલું કહી શકાય તેટલું લખાણમાં આવી શકે નહીં. તમોને અનુકૂળ હોય તો તમે, સવિતાબેન, જયાબેન, નીરૂબેન કોઈ વખતે અત્રે આવી શકો તો અનુકૂળ પડે.
સવિતાબેન તથા બીજી બેનોને આત્મભાવે વંદન.
અત્રેથી સર્વે ભાઈઓએ તમો સૈને આત્મવંદન લખાવ્યા છે. પત્રની પહોંચ લખશો.
શ્રી કૃપાળુદેવે સુધારસના ધ્યાનને સમ્યજ્ઞાનનું બીજ અને પરાભક્તિનું મૂળ કહેલ છે.
શ્રી દેવચંદજી મહારાજે ગાયું છે કે :
દ : છોટાલાલના આત્મવંદન
‘અમૃત ક્રિયા અનુષ્ઠાનથી, આતમ અમૃત થાય છે.’
શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે :
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
૩૨૯
Page #367
--------------------------------------------------------------------------
________________
“સ્વાદ સુધાનો જાણતો રે, લાલિત હોવે કદનો રે,
પણ અવસર જો તે લહેરે, તે દિન માને ધન્ય રે.' આ પુરુષાર્થથી વિભાવ પરિણતીનો ઉચ્છેદ થાય છે અને સ્વપરિણતીનું ગ્રહણ થાય છે, આત્માનો અધ્યાસ વધે છે અને દેહાધ્યાસ ઘટે છે. હું છે દેહ છું એ બુદ્ધિ નષ્ટ થાય છે. હું આત્મા છું એ બુદ્ધિ દૃઢ થતી જાય
છે. ઉપયોગની પ્રસિદ્ધિ થયા પછી આત્મા ગમે તેટલા વિભાવોથી ઘેરાયેલો હોય તો પણ તે નિત્ય મુક્ત લાગે છે. વિભાવિક ભાવો તથા મન, વચન, કાયાના યોગથી થતી ક્રિયા આત્માને સ્પર્શી શકતી નથી. ધ્યાતા એટલે આપણો ઉપયોગ (અંતરાત્મા), ધ્યેય એટલે જ્ઞાન સ્વભાવ (પરમાત્મા) સાથે એકાગ્ર થતો જાય. આયુષ્યનો બંધ ન પડ્યો હોય એ જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થતા સુધી દેવગતિ અને મનુષ્ય ગતિ જ મળે. મતલબ આના ફાયદાનું પાણી વર્ણન કરી શકે તેમ નથી. આયુષ્યનો બંધ પડ્યો હોય તો પણ સમ્યક્રદૃષ્ટિ જીવ નારકી તથા તિર્યંચમાં સમભાવે રહી શકે છે. જે માટે શ્રેણીક મહારાજ એજ.
દ: છોટાલાલ છે 0 પત્ર નં. ૧૫ %
સાયલા, તા. પ-૭- બેન રમાબેન, મોરબી
જત તમારો ઇનલેન્ડ પત્ર તા. ૨૯-કનો લખેલ મળ્યો, વાંચી સર્વે છે ભાઈઓને ખૂબ આનંદ થયો છે. . દેહધારીપણું એટલે સ્થૂળ શરીર એટલે વિભાવ પર્યાય, એટલે 1 અનિત્ય-પર્યાય, તેની સંતતિ પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા મન તથા તેના વિષયોની સ્મૃતિ ને વિભાવ ભાવો. આ સર્વે વિભાવ ભાવો તથા તેની વિભાવિક ક્રિયા, સર્વેથી જ્ઞાન સ્વરૂપ આત્મા જુદો છે, એવી જાગૃતિ રહેવી તે જ્ઞાન ક્રિયા અને એજ જાગૃતિ આપણને નિશ્ચય પ્રત્યે લઈ જ જાય છે, અને આત્મામાં સ્થિતિ કરાવે. આવો સર્વ જ્ઞાની પુરુષોનો છે
૩૩૦
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
આશય (રહસ્ય) છે.
આવી જાગૃતિ રાખવાથી સ્વપરિણતિનું ગ્રહણ અને પરપરિણતિનો ત્યાગ થાય છે. તમો એજ પુરુષાર્થ ચાલુ રાખશો. વળી જ્યારે મોરબી આવવાનું થશે ત્યારે રૂબરૂમાં વધારે ખુલાશો થશે. અત્રેથી ભાઈઓએ તમો સર્વે બેનોને આત્મવંદન લખાવ્યા છે.
દ : છોટાલાલના આત્મવંદન. ઉપર જણાવેલ જાગૃતિ રાખવાથી હું દેહ છું એ બુદ્ધિનો વિલય અને હું આત્મજ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છું એ બુદ્ધિ દૃઢ થતી જશે.
દ: છોટાલાલ
O પત્ર નં. ૧૬ જી
સાયલા, તા. ૭-૮-૬૬
આત્માર્થી બેન રમાબેન, મોરબી
જત તમારો પત્ર તા. ૬-૮. નો લખેલ મળ્યો. વાંચી ખૂબ પ્રમોદ થયો છે.
તમને વિચારદશા પ્રગટી ગઈ છે એ મહાન પુન્યના ઉદયનું ચિન્હ છે, જેને જ્ઞાન ગર્ભીત વૈરાગ્ય થાય છે તેને શરૂઆતમાં આવું જ થાય છે. તમોએ લખ્યું કે જ્યારે એમાં વિશેષ સ્થિરતા થાય ત્યારે ઉપયોગ (મન) શૂન્ય બની જતો હોય એવું લાગે છે. શાંતિસ્વામીનું પુસ્તક પાનું ૧૬૭... પ્રશ્ન : ઔદયિક ભાવ એટલે શું ? અને તે ઉયિક ભાવ છે તે કેમ જાણવું ? જવાબ વાંચી જોજો. તમારી ઉપરની સ્થિતિ એ ઉપશમીક ભાવ છે. અજ્ઞાનદશા છોડાવી અને ધર્મદશા પ્રગટ કરાવવા માટે ઉપશમીક ભાવ આવે છે, પ્રગટે છે. અનાદિ અજ્ઞાની જીવને પહેલા દર્શન મોહનો ઉપશમ જ થાય છે. અનાદિ અજ્ઞાની જીવ જ્યારે ચૈતન્ય સ્વભાવમાં ઢળે છે, ત્યારે તેને મિથ્યાત્વઆદિનો મોહભાવ દબાઈ જાય છે, તેને ઉપશમ સમ્યક્દર્શન કહેવાય છે.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
339
Page #369
--------------------------------------------------------------------------
________________
ઉપશમભાવ અને સમ્યફદષ્ટિનો ક્ષયોપસમ ભાવ એ બે ભાવો છે. મોક્ષમાર્ગરૂપ છે. તમોને શાંતિસ્વામીના પુસ્તકમાંથી જે જે વાંચવાની છે
અત્યારે જરૂર છે તેનું લીસ્ટ આ સાથે બીડ્યું છે, તે અનુકુળતાએ વાંચવાનો-વિચારવાનો અભ્યાસ રાખશો. તમોને રોજ રોજ નવું નવું સમજાતું જશે. ન સમજાય તો મુંઝાશો નહીં. હવે પછીના સમાગમમાં તમો ખૂબ આગળ વધી શકશો એમ મને લાગે છે. અત્રેથી સર્વે ભાઈઓએ તમો સૌ બેનોને આત્મવંદન લખાવ્યા છે.
દઃ છોટાલાલના આત્મભાવે વંદન કે તમારો કાગળ વાંચીને અત્રે સર્વે ભાઈઓને ખૂબ જ આનંદ થયો છે
0 પત્ર નં. ૧૭
સાયલા, તા. ૧૫-૧૦૬૬ . ચી. બહેન રમાબહેન, મોરબી
જત તમારો ઈનલેન્ડ પત્ર તા. ૧૨-૧૦-૧૯નો લખેલ મળ્યો વાંચી - આનંદ. | મેં તો તમને અત્રે બોલાવેલા તે સવિતાબેન અત્રે સાથે આવશે
એમ ધારીને બોલાવેલ પણ હવે તો તે જોગ હમણા થાય તેમ નથી તો સવિતાબેન જ્યારે તેમને ઠીક લાગે ત્યારે ભલે સુધાના સ્થળનું દર્શન કરાવે. વળી અનુકુળ ટાઈમ હશે તો સર્વે અત્રે ભેગા થઈશું. કોઈ પણ રીતે સવિતાબેનનું નિમિત્ત પામી તમો બેનો તૈયાર થાઓ. સપુરુષો તો માર્ગદર્શન આપી દૂર રહે છે. પણ તેનો લાભ લઈ જીવોને આત્મસાક્ષાત્કાર થાય ત્યારે જ સપુરુષો નિમિત્ત તરીકે જાહેર થાય છે.
૩૩૨
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
છે. અત્યારે આત્મા તન-મનમાં ખોવાઈ ગયો છે. --- અત્રેથી સર્વે જ છે ભાઈઓએ તમો સર્વે બેનોને ખૂબ યાદ કરી આત્મકુચમાં સફળતા ઇચ્છી છે. અને ગમે તેમ કરી સવિતાબેનને સાચા નિમિત્ત તરીકે જાહેર કરો એ જ ઇચ્છા. સવિતાબેનને આત્મવંદન.
દઃ છોટાલાલ
1 શ્રી છોટાલાલભાઈએ શ્રી નંદલાલભાઈ (કાકુભાઈ) ઉપર લખેલ પત્રો,
કલકત્તા
0 પત્ર નં. ૧૮ (૧)
સાયલા, તા. ૧૩--૬૭ - શ્રી નંદલાલભાઈ (કાકુભાઈ) ઉપર લખેલ પત્રો.
મહાત્મા તીર્થંકરોએ પાંચ બોલ કહ્યા છે, જે જાણી સમજી, સખ્યપ્રકારે વેદી (અનુભવ કરી) જીવો દેહધારીપણે જીવનમુક્ત થાય છે.
૧. સંયોગી. ૨. સંયોગી ભાવો. ૩. સ્વભાવ. . 1 ૪. સાધન. ૫. સિદ્ધિ.
આત્મસ્વરૂપના અજ્ઞાનને લઈને જીવને સંયોગ એટલે સંયોગી શરીર છે તે પ્રાપ્ત થયું છે. સંયોગી શરીર પાંચ જ્ઞાન ઇન્દ્રિયો, મન અને વાણીનો
વિલાસ છે. જેમાં રાત દિવસ સંયોગી ભાવો ઉત્પન્ન થયા જ કરે છે. આ છે. પહેલા બે બોલ સમાપ્ત થયા.
હવે ત્રીજો બોલ સ્વભાવ જીવતો જાગતો જીવ કેવળજ્ઞાન સ્વરૂપ છે 1 છે. તેમાં રાત દિવસ જ્ઞાન ભાવો એટલે સમયે સમયે જ્ઞાન અવસ્થા જ ! 4 ઉત્પન્ન થયા કરે છે. આવા જીવતા જાગતા જ્ઞાન સ્વભાવનો લક્ષ છે. રાખવો તે સાધન કહેવાય છે. અને તેથી નિયમાસિદ્ધિ થાય છે. ' સંયોગી ભાવો તરફની દૃષ્ટિ છોડી દેવી. એકલા જ્ઞાન સ્વભાવનો લક્ષ રાખવો. સંયોગોને સુધારવાનો પ્રયત્ન કરવાનો નથી. સ્વભાવનો લક્ષ
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
333
For Personal & Private Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
રાખશો તો સંયોગો એની મેળે ભાગી જશે. ઉપરના લખાણમાં સ્વભાવ, સાધન અને સિદ્ધિ ત્રણે બોલ આવી ગયા. એ પ્રમાણે પાંચે બોલ છે સમાપ્ત થયા.
દ: છો. મ. દેસાઈ
ઉપચો- આ ઝા 1 ન ) પત્ર નં. ૧૯ (ર)
' ' . (1 સાયલા, તા. ૨૪-૯-૧૭ , આત્મ દ્રવ્ય અથવા ચેતન સત્તા અરૂપી દ્રવ્ય છે. તેમાં ઉપયોગ | લક્ષણ તથા જ્ઞાનગુણ અસાધારણ લક્ષણ ગુણ છે. જે બીજા રૂપી પુગલીક દ્રવ્ય અને અરૂપી અમૂર્તિક દ્રવ્યોમાં નથી. આ એ ગુણ છે. લક્ષણથી આત્મ દ્રવ્ય, બીજા પુદ્ગલીક ભાવો એટલે પાંચ જ્ઞાન ઇન્દ્રિયોના વિષયો અને મનના સંકલ્પ-વિકલ્પથી જુદો પડે છે. એટલે ઉપયોગ લક્ષણ વડે અને જ્ઞાનગુણ વડે જ આત્મા પ્રાપ્ત થઈ શકે. ઉપયોગ બે પ્રકારના : દર્શન ઉપયોગ – સામા
જ્ઞાન ઉપયોગ – દ્વિ 2. આ ઉપયોગની વિશેષ સમજણ : | દગ નિરાકાર ચેતના – સાકાર ચેતના 25
સામાન્ય ચેતના – વિશેષ ચેતના 3
દર્શન ચેતના – જ્ઞાન ચેતના નિરાકાર ચેતના અથવા સામાન્ય ચેતના અથવા દર્શને ચેતના સર્વ સંસારી જીવોમાં અને સિદ્ધ જીવોમાં નિરલેપ પડી છે. પણ તેની ઓળખાણ મનુષ્ય દેહે સાકાર ચેતના અથવા વિશેષ ચેતના અથવા જ્ઞાન ચેતનાથી પડે છે. સામાન્ય ચેતનામાંથી જ્ઞાનનો પ્રવાહ, ઉપયોગનો કે પ્રવાહ નિરંતર વહ્યા કરે છે. આ એ પ્રવાહ, જ્ઞાન ઇન્દ્રિયોના વિષયો છે
અને મનના શુભાશુભ ભાવો સાથે એકમેક થઈ ગયેલ છે, એટલે બાળ
33૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
* જીવોને તેની ખબર પડતી નથી અને રત્નચિંતામણી જેવો મનુષ્ય દેહ પુણ્ય-પાપની બુદ્ધિએ નિષ્ફળ ચાલ્યો જાય છે, એટલે તેને મોક્ષગતિનો ! લાભ મળતો નથી. મનુષ્ય દેહે જે જીવો તીવ્ર મુમુક્ષુઓ છે તેઓ ખરા ? સત્સંગનો લાભ મેળવી સત્પરુષોથી પોતાનો પુરુષાર્થ સમજી જ્ઞાનના છે પ્રવાહને બીજા પુદ્ગલીક ભાવોથી છૂટો પાડી નિર્મળ કરે છે. જ્ઞાનનો નિર્મળ પ્રવાહ સામાન્ય ચેતનની સાથે એકાગ્ર થાય છે. જેટલું એકાગ્રપણું જ સધાય તે સમાધિ કહેવાય કૃપાળુદેવે લખ્યું છે કે : (૧) ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને દેહથી, તેજસ |
અને કાશ્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, છે. (૨) તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી
અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતારૂપ
અનુભવ વેધ્યા વિના રહેવાનો નથી, (૩) એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ છે
વડે તે સત્તા અસત્તાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, સાત ખાતા
. nisinier zuniuni - Asha ૪ (૪) દેહાદીથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલ તે આત્મામાં જે જે
ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ
કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી. 4 તા (બજાબ ન (૫) પરમ શુદ્ધ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ
દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય એ જ લક્ષ, એ જ ? ભાવના, એ જ ચિંતવના તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ
કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. અંતરંગ દૃષ્ટિ કરી જોશો તો ઉપયોગ સિવાયના સર્વે ભાવો સંયોગી ભાવો છે. તેનાથી ઉપયોગને નિરંતર છુટો પાડે. નિર્મળ થયેલો ઉપયોગ જ સામાન્ય ચેતનની સાથે એકાગ્ર થઈ શકે.
શ્રી સોમાભાઈ અને સસલા
૩3૫
For Personal & Private Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
આત્મ દ્રવ્યનું ઉપયોગ લક્ષણ જે ભાવોને અથવા જે પદાર્થોનો લક્ષ કરે તેનું તેને જ્ઞાન થાય અથવા અનુભવ થાય એવી જ રીતે પરભાવો અને પરદ્રવ્યથી પોતે ભિન્ન છે એવો લક્ષ રહે તો સમ્યક્દર્શન થઈ ? સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. એટલે કે ઉપયોગને આત્માનું જ્ઞાન થાય છે નિર્મળ થયેલો ઉપયોગ, સામાન્ય રવભાવ એટલે કે નિર્લેપ સત્તાને આ તરત ઓળખી લેછે. તે આત્મામાં સમયે સમયે ઉપયોગ અથવા જ્ઞાનગુણનું પરિણમન છે.
થયા જ કરે છે. સમયવર્તી ઉપયોગ, સમયવર્તી જ્ઞાન પરિણતી, | સમયવર્તી જ્ઞાન અવસ્થા, ઉપયોગનો પ્રવાહ, | આ બધું એક જ છે જ્ઞાનનો પ્રવાહ, ઉપયોગને કોઈ આત્માનું ફુરણ | માત્ર શબ્દ જુદા ! કહે છે, કોઈ આત્મરતિ કહે છે, કોઈ વિજ્ઞાન કહે છે, એમ શબ્દો જુદા છે.
તમારો પ્રશ્ન કોઈ વસ્તુને પામવા માટેની રીતને સાધન તરીકે કહી શકાય પણ જે કેવળજ્ઞાન સ્વરૂપ છે તેવા આત્માને પામવા જ | માટે તો ઉપયોગની જરૂર કહેવાય. જ્ઞાન સ્વભાવનો લક્ષ રાખવો .
તેનું નામ ઉપયોગ કે સાધન. ઉપયોગ એ જ સતું સાધન છે. કારણ કે પોતાની વસ્તુનો લક્ષ કરનાર પણ ઉપયોગ છે માટે ઉપયોગ એ જ T સત્ સાધન છે.
બહિર્ દૃષ્ટિ ઉપયોગ સંસાર સાધે છે અને અંતષ્ટિ ઉપયોગ | આત્માને સાધે છે. ઉપયોગ અથવા જ્ઞાનનું ઉત્પત્તિ ક્ષેત્ર આત્મા જ છે.
દ: છો. મ. દેસાઈ ! 0 પત્ર નં. ૨૦ જ
સાયલા, તા. ૪-૯-૯૮ ભાઈશ્રી ઈશ્વલલાલ, સાયન જે આપણે જ્યારે યાદ કરીએ ત્યારે આપણે આત્મા છીએ. જ્ઞાન વડે ?
ભરપૂર છીએ. જીવતી જાગતી મૂર્તિ છે. એ સિવાય બીજું જે કંઈ
339
( શ્રી સૌભાગ્યમાઈ અને સારા
For Personal & Private Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
અનુભવાય છે તે કર્મદશા છે. આપણા જ્ઞાનમાં આપણે દેહાધ્યાસ
એટલે કર્મદશા જ અનુભવાય છે. એટલે બધી આપણા જ્ઞાનની નિર્મળતા જ છે માત્ર યાદ કરવાની જ જરૂર છે. જ્ઞાન વડે અથવા ઉપયોગ વડે ? છે આખા શરીરનો સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરનો વહેવાર ચાલે છે. તે
દઃ છોટાલાલના શુભ આશીષ એ પત્ર નં. ૨૧ જ
સાયલા, તા. ૪-૧-૯૮ ચી. બેન પુષ્પાબેન, મુંબઈ
જત તમારો ઇનલેન્ડ પત્ર તા. ૧૧ નો લખેલ મળ્યો, વાંચી આનંદ થયો. તમારો પત્ર વાંચતા જાણ્યું કે તમારો પુરુષાર્થ ચાલુ છે એ જાણી પ્રમોદ થાય છે.
તમારા જેઠાણી ઇન્દુબેનના અવસાનના સમાચાર મને છાપા દ્વારા મળ્યા હતા. એ ઉપરથી મેં શ્રી નટુભાઈને આશ્વાસનનો પત્ર લખ્યો હતો અને તેનો જવાબ તેમના તરફથી આવી ગયો હતો.
તમારો મૃત્યુના ભય પ્રકૃતિનો પ્રશ્ન છે. જવાબમાં લખવાનું છે કે તમો લખો છો કે જેટલા મનના ઘોડા ઉઠે છે તેના સાક્ષી તરીકે રહી શકાય છે. પહેલા જે ભળેલા જ રહેતા હતા તે હવે ક્રમે ક્રમે
છૂટું રહેવાય છે. એ હિસાબે તમે ભય પ્રકૃતિ જે ઉછળી સામે આવે છે ' છે તેના સાક્ષી ખરા કે નહીં ?
સાક્ષી આત્મા હંમેશાં નિર્લેપ, અપરિણામી, તથા અક્રિય છે. તેમાંથી ઉપયોગનો કે જ્ઞાનનો પ્રવાહ ચાલ્યો આવે છે. આપણા જ્ઞાનનો પ્રવાહ ! કે ઉપયોગનો પ્રવાહ કે નિર્લેપ આત્માની સમય સમયની જ્ઞાન અવસ્થા, !
તે દેહના ધર્મો તથા મનના ધર્મો, સુખ દુઃખ કે જ્ઞાન કે જ્ઞાન ઇન્દ્રિયોના વિષયોની સાથે બંધાયેલા છે. એટલે દરેક પ્રકૃતિના ઉદય વખતે
આપણે જાગૃતિ રાખવાની કે આપણે તો નિર્લેપ ચેતન છીએ, સાક્ષી છે - છીએ, પ્રકૃતિનો ઉદય આપણા નિર્લેપ સાક્ષી આત્મામાં નથી. પણ
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૩૭
For Personal & Private Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
આપણા મનમાં છે એટલે આપણી જ્ઞાન અવસ્થા હજુ સંપૂર્ણપણે નિરાવરણ થઈ નથી. વેદન પ્રકૃતિ અને ભય પ્રકૃતિ નવમાં ગુણઠાણા સુધી હોય એટલે એ તો બહુ જ ઉચી દશાએ જાય બાકી તે પ્રકૃતિના ઉદયનો આપણા નિર્લેપ કે સાક્ષી આત્મામાં પ્રકૃતિની ખતવણી કરવામાં આવે તો બહુ જ ભય લાગે.
ચેતન
જ્ઞાન | મન તન (શરીર)
પ્રકાશ શરીરની જડ ક્રિયા થાય છે. શરીર સાજુ-માંદું થાય તો શરીરને છે ખબર નથી પણ મનને તરત ખબર પડે છે એટલે શરીરની ચિંતા મન
કરે છે જ્યારે સાક્ષી આત્મા તો મનની ક્રિયાનો પણ સાક્ષી છે. દરેક પ્રકૃતિનો ભય મનમાં છે જ્યારે આત્મા તો નિર્લેપ છે એવી જાગૃતિ રાખવી જોઈએ.
સુખ દુઃખ રૂ૫ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. પ્રકૃતિના ઉદયથી સુખ દુ:ખ રૂ૫ ફળ તે તો આપણાં કરેલા કર્મનો ઉદય અને ફળ છે તે વખતે આપણને બોધ થયો છે એટલે સાક્ષી રહી શકીએ છીએ. એટલે જ આનંદઘનજી પ્રભુએ કહ્યું “જો નિશ્ચય એક
આનંદો રે.” આપણે તો આનંદ જ્ઞાનસ્વરૂપ આત્મા છીએ એવો નિશ્ચય ' રાખવો. કારણ જિન ભગવાન એમ કહે છે કે ચેતન તો ચંદ્રમાં જેવો ! નિર્મળ છે ચેતનના ચેતન પરિણામ રહે તે કોઈ દિવસ જડ થાય નહીં.
જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહીત ન કોઈ,
જ્ઞાની વેદે ઘેર્યથી, અજ્ઞાની વેદે રોઈ જ્ઞાની કે અજ્ઞાની બન્નેને સુખ દુઃખનો ઉદય હોય જ પણ જ્ઞાની એ તે ઉદયમાં સાક્ષી ભાવે રહી શકે છે, જ્યારે અજ્ઞાનીને બોધ નથી એટલે
કલ્પાંત કરે છે. આટલા ઉપરથી તમો હવે સમજી શકશો અને હજુ
Aી સોભાગ્યભાળ અને સાયલા
૩૩૮
શ્રી સોભાગ્યભાજી અને સારા
For Personal & Private Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
પણ ન સમજાય તો પૂછશો. એ જ તમે સૌ મજામાં હશો. ચી. * જયંતીલાલને આશીષ.
દ: છોટાલાલના શુભાશીષ . 0 પત્ર નં. ૨૨ %
સાયલા, તા. ૨૮-૩-૯૯ ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી
મારી કોઈ જાતની ચિંતા કરશો નહીં. બાકી તો બધા શરીરના છે, ધર્મો છે. તેમાં અખંડીત આત્મા ઝળહળતો બીરાજી રહ્યો છે. તેની ઘડીએ ઘડીએ યાદ રાખશો. જેમ જેમ જાગૃતિ રાખશો તેમ તેમ તેની જ શ્રદ્ધા વધતી જશે અને હું દેહ છું તેવી બુદ્ધિ નીકળી જશે. સરવાળે તો લાભનો જ વેપાર છે. બાકી સૌને આશીષ.
દઃ છોટાલાલના શુભાશીષ 8પત્ર નં. ૨૩ ૪
સાયલા, તા. ૪-૧૦-૭૦ છે. . ભાઈ શ્રી ઈશ્વરભાઈ તથા શાંતિભાઈ, બોરીવલી
તમારું જોઈન્ટ પોસ્ટકાર્ડ મળ્યું વાંચી આનંદ. સવારના ઉંઘમાંથી ઉઠીએ એટલે સ્થૂળ શરીરની તથા પાંચ જ્ઞાન ઇન્દ્રિયો અને મનની ક્રિયા ચાલુ થઈ જાય છે. તેમાં સમયે સમયે આપણે જ્ઞાન સ્વરૂપ છીએ. બંને શરીરોની ક્રિયાથી અસંગ છીએ. આવી જાગૃતિ રાખવી અને શરીરોથી ભાવો અનુસાર જે ક્રિયા થાય છે તે ભાવો તથા ક્રિયા તરફ ઝળહળતો વૈરાગ્ય એટલે ઉદાસીનપણું, વીરક્તપણું સેવવું એ એક જ તરવાનો માર્ગ છે. બાકી મનુષ્યભાવે વહેવાર કર્યા જ કરવો જ એ ભટકવાનો કે પરિભ્રમણનો હેતુ થાય છે. ફરીફરી મનુષ્યભવ અને સત્સમાગમ મળવો દુર્લભ છે. માટે પ્રમાદ સેવ્યા કરવો. એ આત્માર્થી નરને પોષાય નહીં. આપણને વહેલો મોડો શરીર દગો દેશે
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૩૩૯
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #377
--------------------------------------------------------------------------
________________
તે પહેલાં આપણે શરીરને દગો દઈ, ઉપર જણાવેલ જાગૃતપણું અને ઉદાસીનપણું સેવીએ તો તરત કામ થઈ જાય તેવું છે.
ઈશ્વરભાઈને આ પોસ્ટકાર્ડ વંચાવશો.
૬ : છોટાલાલના સુભાશીષ
Ð પત્ર નં. ૨૪ ૩
ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી
પૂ. માણિક્યસાગર મહારાજને તમોએ લખેલ કાગળની નકલ તથા તેમણે આપેલ જવાબની નકલ બંને કાગળો મેં તથા લાડકચંદભાઈએ વાંચ્યા. તે બરાબર છે.
૩૪૦
સાયલા, તા. ૧૭-૧૨-૭૦
શરીરની ક્રિયા થાય છે તે જડની ક્રિયા કહેવાય. પાંચ જ્ઞાનેન્દ્રિઓ અને મનની ક્રિયા થાય છે તે વિકારી ક્રિયા પણ આત્માની કહેવાય. કારણ આત્માએ દેહમાં આત્મ બુદ્ધિથી કરી છે. પણ જ્ઞાનીઓ માટે એ ક્રિયા પણ જડની કહેવાય. કારણ વિભાવ ભાવમાં ક્રોધ, માન, માયા, લોભ, રતી, અરતી રાગ-દ્વેષ, કામ વિગેરે લાગણીઓ ઉત્પન્ન થાય પણ જ્ઞાનીઓ જાગૃત હોવાથી એ બધાને આત્માનું સ્વરૂપ માનતા નથી. એટલે જ્ઞાનીઓ માટે એ પુદ્દગલની ક્રિયા કહેવાય. તેઓ જાગૃત હોય એટલે કર્મબંધ પડે નહીં.
લી. છોટાલાલની શુભાશીષ
O પત્ર નં. ૨૫ બ
ભાઈ શ્રી ઈશ્વરલાલ, સાયન
તમારૂં તા. ૯-૯ નું લખેલ કાર્ડ મલ્યું, તમોએ સટ્ટાની લાઈન બંધ કરવાથી પુરુષાર્થમાં વધારે આગળ વધ્યાનું તથા વાંચન અને
સાયલા, તા. ૧૪-૯-૭૧
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
ને પુરુષાર્થ વધવાનું જાણી ખુબ સંતોષ થયો.
સંસાર સંબંધી ઘણા પ્રકારની સ્પૃહા ઉત્પન્ન થાય છે. તે તરફ વૃત્તિઓ ખેંચાય છતાં એ બધાનો મેળ કરી આપણે જ્ઞાન સ્વરૂપ * આત્મા તદ્દન ભિન્ન અને અસંગ છે એવી સતતું જાગૃતિ રાખવી એ જ છે પુરુષાર્થ છે. એ જ
દઃ છોટાલાલ દેસાઈ | ) પત્ર નં. ર૬
સાયલા, તા. ૨૩-૯-૧ - ચિ. ભાઈ જીતેન્દ્ર, મુંબઈ
તમારો પત્ર મળ્યો વાંચી આનંદ. આપણો જ્ઞાનસ્વરૂપ આત્મા છે સ્થૂળ શરીરની ક્રિયાથી તથા પાંચ ઇન્દ્રિયો અને મનની ક્રિયાથી સમયે સમયે જ્ઞાનસ્વરૂપ જૂદા છીએ, એવી જાગૃતિ રાખવાની દેહબુદ્ધિ ટળતી જાય છે, અને આત્મબુદ્ધિ દઢ થતી જાય છે. સૌ જ્ઞાનીઓનો આ એક જ માર્ગ છે. આવા નિરંતર આરાધનાથી શરીરની ક્રિયા તરફ ઉદાસીન ભાવ રહેશે અને સંસારના સર્વે પદાર્થો નીરસ લાગશે.
દઃ છોટાલાલના શુભાશીષ | 0 પત્ર નં. ૨૭ જ
સાયલા, તા. ૭-૫-૭૨ ભાઈ શ્રી ઈશ્વરભાઈ, સાયન
તમારો કાગળ વાંચી આનંદ થયો છે. સવારમાં ઊંઘમાંથી ઉઠીયે ત્યારથી સ્થૂળ શરીર તથા પાંચ જ્ઞાનેન્દ્રિય અને મનની જે ક્રિયા સમયે સમયે થાય છે તેનું જ્ઞાન પણ સાથે સાથે થાય છે એટલે આપણે જ્ઞાનસ્વરૂપ આત્મા છીએ અને બન્ને શરીરની ક્રિયાથી ભિન્ન તથા : અસંગ છીએ આવી જાગૃતિ વધારવાની જરૂર છે. એક બાજુ જ્ઞાનધારા છે
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૪૧
For Personal & Private Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
છે, બીજી બાજુ મનના સંકલ્પ-વિકલ્પ કર્મધારા છે. કર્મધારા જ્ઞાનધારા વડે અનુભવાય છે. જાગૃતિ વધી જશે એટલે મન:પર્યવનો ખુલાસો આપોઆપ થઈ જશે.
દઃ છોટાલાલના શુભાશીષ 0 પત્ર નં. ૨૮ ૪ .
સાયલા, તા. ૧-૯-૭ર. 4 ભાઈ શ્રી ઈશ્વરભાઈ, સાયન
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૩૦-૮ નું લખેલું મળ્યું છે. તમે પોતે જ્ઞાનસ્વરૂપ, પ્રકાશસ્વરૂપ હોવા છતાં કર્મના ઉદયમાં જે અસ્થિરતા અનુભવાય છે તેની ખતવણી આત્મસ્વરૂપમાં કરો છો અને ખાલી છે વાસણમાં આપણે ધંધા વિગેરેના વિચારો એ પાત્રમાં ભર્યા જ કરીએ છીએ. વૈરાગ્ય તથા પુરુષાર્થનું બળ વધારશો તો ઉદયમાં મુંઝાવું નહીં પડે. મારી તબીયત ઠીક છે.
દઃ છોટાલાલના શુભાશીષ D પત્ર નં. ૨૯
તા. ૧૫-૧૨-૭ર છે છે ૧. આંખ ઇન્દ્રિયનો વિષય રૂપથી લક્ષ કરનાર આત્મા તેનાથી
જુદો છે. * ૨. કાન ઇન્દ્રિયનો વિષય શબ્દથી લક્ષ કરનાર આત્મા તેનાથી તે
જુદો છે. ૩. નાક ઇન્દ્રિયનો વિષય ગંધથી લક્ષ કરનાર આત્મા તેનાથી જુદો
૪. ત્વચા ઇન્દ્રિયનો વિષય સ્પર્શથી લક્ષ કરનાર આત્મા તેનાથી જ
છે
જુદો છે.
3૪૨
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ]
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #380
--------------------------------------------------------------------------
________________
* ૫. જીલ્લા ઇન્દ્રિયનો વિષય સ્વાદથી લક્ષ કરનાર આત્મા તેનાથી
છે
જુદો છે.
[ ૬. મન ઇન્દ્રિયનો વિષય સંકલ્પ-વિકલ્પનો લક્ષ કરનાર આત્મા
તેનાથી જુદો છે. છે આવું વારંવાર યાદ કરવાથી પાંચ જ્ઞાન ઇન્દ્રિય અને છઠું મન
અને તેના વિષયો સાથે લક્ષ કરનાર આત્મા એકમેક થઈ ગયો છે તે હળવે હળવે છૂટો પડે અને પાંચ જ્ઞાન ઇન્દ્રિય અને છઠું મન એની ? વિરતી થાય.
જ્ઞાનીના વચનના શ્રવણથી ઉલ્લાસીત થતો એવો જીવ, ચેતન અને જડને ભિન્ન સ્વરૂપે પ્રતિત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ છે થાય છે. આમાં લક્ષ કરનારને ચેતન તરીકે પ્રતિત કરવો અને ઇન્દ્રિયના છે
વિષયને જડ તરીકે પ્રતિત કરવું. મતલબ આખો દિવસ લક્ષ કરનાર જ આત્માને પ્રતિત કરી તેનો મહિમા જોયા કરવો. છે. ઉપર મુજબના પુરુષાર્થથી જ દેહ દૃષ્ટિ ટળતી જાય છે અને આત્મ છે 1 દષ્ટિ દૃઢ થતી જાય છે.
પત્ર નં. ૩૦ જ
સાયલા, તા. ૨૦-૨-૭૪ ભાઈ શાંતિભાઈ તથા ઈશ્વરભાઈ, બોરીવલી
તમારા તા. ૧૬-૨ ના લખેલા પત્રો મળ્યા છે. શરીરમાં આત્મા અથવા જીવ હોય ત્યાં સુધી જ શરીર તથા મનની ક્રિયા થાય છે. શરીરમાં જડ ક્રિયા તથા વિકારી ક્રિયા થાય છે. મતલબ શરીરમાં જીવે પોતાપણાની કલ્પના કરી છે એટલે શરીર તથા ઇન્દ્રિયો કામ કરે છે, તેમ આત્માનો સ્વભાવ સરત રાખવાનો, ધ્યાન રાખવાનો, તપાસવાનો, કોઈ પણ પદાર્થનો લક્ષ કરવાનો છે, તે લક્ષ કરનાર આત્માની સરત રાખો એટલે શરીર તથા મનની ક્રિયા જુદી જ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
383
For Personal & Private Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
અનુભવાશે. વારંવાર શરીર તથા મનની ક્રિયાને જાણનાર, પ્રકાશનાર, અનુભવ કરનાર, આત્મા અખંડ ઊભો છે. રાત દિવસ સરત રાખનાર, ધ્યાન ધરનાર, લક્ષ કરનાર આત્માનો મહિમા જોયા કરો. શરીર અથવા મન, ઇન્દ્રિયોમાં ઉપયોગ લક્ષણ કે જ્ઞાનગુણ નથી. બાકી તો પૂર્વના સંસ્કાર વડે શરીરની, મનની ક્રિયા કરવાનું મન થાય છે. બાકી આત્માને યાદ કરી તેની જાણવા-જોવાની; પ્રકાશવાની ક્રિયાનો વારંવા૨ અભ્યાસ કરો. મહિમા જુઓ તો પૂર્વના દેહાભ્યાસનાં સંસ્કાર મોળા પડી જશે અને શરીરમાં આત્માનો મહિમા જ જણાશે. રાતદિવસ ચૈતન્ય સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, સરત રાખનારનો જ મહિમા જોયા કરો. એ જ.
સાયલા, તા. ૨૦-૨-૭૪
જત આજરોજ તમોને પત્ર લખ્યો છે તે મળ્યો હશે. માણસ મરી ગયો એટલે સરત રાખવાવાળો નીકળી ગયો એટલે શરીર-ઇન્દ્રિયોમનના સંચા બંધ થઈ ગયા. આપણો ચૈતન્ય સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, જીવતો જાગતો સ્વભાવ અખંડ ઊભો છે. એટલે આપણે રાત-દિવસ આપણા જીવતા-જાગતા સ્વભાવની પ્રતિતી રાખીએ તો આપણે આપણા શરીર, મનની ક્રિયાના તેમ જ બહારના દેખાતા જગતના સાક્ષી અથવા જ્ઞાતા દૃષ્ટા છીએ, મતલબ રાતદિવસ આપણો જ્ઞાન સ્વભાવ યાદ કરી સાક્ષીપણાની ટેવ પાડવી જોઈએ.
3୪୪
આત્માર્થી ભાઈ અભેચંદભાઈ, મોરબી
ચેતન સનાતન સ્ફુરિત ઉપયોગ, વિજ્ઞાન.
=
દ : છોટાલાલના શુભાશીષ
O પત્ર નં. ૩૧ ૩
દ : છોટાલાલના શુભાશીષ
O પત્ર નં. ૩૨ જી
જ્ઞાનધારા, જ્ઞાન પરિણતી, આત્મસ્ફુર્તી, આત્મધારા,
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
જડ =
કર્મધારા.
ચેતનનો સદાય ઉદય છે એટલે જ્ઞાનધારાનો સદાય ઉદય છે. એક ક્ષણ પણ અન્ઉદય નથી, નિત્ય છે.
જડ એટલે કર્મધારા ઉદય અસ્ત સહીત છે. એટલે અનિત્ય છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ (કાર્યણ) શરીર, બન્ને શ૨ી૨નો વ્યવહાર જ્ઞાનધારા વડે જ થાય છે.
જ્ઞાનધારાનો સદાય ઉદય છે એટલે તેની નિર્મળતા, સ્વચ્છતા, શુદ્ધતાને લીધે કર્મધારા જે ઉદય-અસ્ત સહીત છે તે દેખાય છે. જ્ઞાનધારામાં કર્મધારા દેખાય છે એમ કહેવું તે વ્યવહાર છે, પણ કર્મધારાના ભાન કાળે પોતાની જ્ઞાનધારા ભાસવી અથવા ચેતન દ્રવ્યની સ્વચ્છતા, નિર્મળતા ભાસવી તે નિશ્ચય છે. કર્મધારા ભાસવી એટલે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો-તથા મનના વિષયો સારા-નરસા ભાસવા એટલે કે દેહનો કોઈ પણ ધર્મ ભાસવો જેને ઉદય કહેવામાં આવે છે, જે ઉદય વિભાવયોગ એટલે કે પૂર્વે નિશ્ચિત કરેલો એવો ઉદય સ્વરૂપ કહેવાય છે. અજ્ઞાનીને આ ઉદય વખતે પોતાના સ્વરૂપનું ભાન નહીં હોવાથી એમાં જ પોતાપણું મનાય છે. એટલે સારા ભાવો તરફ રાગબુદ્ધિ થાય છે અને ખરાબ ભાવો તરફ દ્વેષબુદ્ધિ થાય છે. આને ભાવકર્મ અથવા વિભાવ પરિણતી અથવા આત્મબુદ્ધિએ રંજનપણે ક૨વામાં આવતો ભાવસ્વરૂપ વિભાવયોગ કહેવામાં આવે છે . અજ્ઞાનીઓને જે જે સ્થાનો આશ્રવદ્વાર છે, જ્ઞાનીઓને તે જ સ્થાનો પરિસવા એટલે સંવરદ્વાર છે. અજ્ઞાનીઓને દેહમાં જે સ્થળે શાતાઅશાતા દેહનો ધર્મ ભાસે છે, જ્ઞાનીઓને તે જ સ્થળોએ જ્ઞાનધારા અથવા સ્વજ્ઞેય ભાસે છે.
આ શરીરમાં રાત-દિવસ ઉપયોગ સ્વરૂપ આત્માનો મહિમા છે. પાંચ જ્ઞાન ઇન્દ્રિયો તથા મન તેમના વિષયોમાં પ્રવર્તે છે, છતાં પણ ઉપયોગનો જ મહિમા છે.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
૩૪૫
Page #383
--------------------------------------------------------------------------
________________
બોધી પુરુષોને દેહના સર્વે કામો થાય છે તેમાં ઉપયોગનો જ મહિમા છે. તેઓ જાણે છે કે દેહમાંના સર્વે કામો થવા છતાં ઉપયોગ હંમેશાં શુદ્ધ જ, ફેરાફાર વગરનો તથા દેહના ધર્મોથી અસંગ જ રહે છે. તે ક્યારે પણ મેલો થતો નથી. દેહની શાતા-અશાતામાં પણ છે. ઉપયોગનો જ મહિમા છે તેઓ જાણે છે કે શાતા-અશાતા દેહના ધર્મ છે. અને ઉપયોગ અથવા જ્ઞાન આત્માનો ધર્મ છે. આવી ભિન્નતા તેઓ જાણે છે, એટલે મનમાં થતા સુખ દુઃખ તે કર્મનું જ ફળ છે. આત્માનો
ઉપયોગ તેથી ભિન્ન છે, ફેરફાર વગરનો છે. કૃપાળુદેવ લખે છે કે છે. ક્ષાયિક સમકિત એટલે આત્માના ઉપયોગની નિરંતર પ્રતિતી રહેવી. આ
ક્ષયોપશમ સમકિતું ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ સ્મરણરૂપ, ક્વચિત્ વિસ્મરણરૂપ. દેહના કાર્યોમાં ઉપયોગનો મહિમા રહેવો. જે ઉપયોગ, દેહમાં પુદ્ગલીક ભાવો ઉત્પન્ન થાય છે અને ભાવો અનુસાર મન- ? વચન-કાયાના યોગથી ક્રિયા થાય છે તેથી તદ્દન ભિન્ન છે. ઉપયોગ ચેતન છે. દેહના ભાવો, ક્રિયાઓ જડ છે. આવો અભ્યાસ રહેવાથી દેહાધ્યાસ ઘટતો જાય છે અને દેહની ક્રિયા રસ રહિતપણે, બહુ ઓછા રાગ-દ્વેષથી થાય છે.
અજ્ઞાનીને આવી કાંઈ પણ ખબર નથી એટલે તેઓ હંમેશા રાગ[ òષના પ્રવાહમાં જ ખેંચાય છે. તમે તો શું પણ તમારાથી ઓછા 1 * પ્રયત્નવાળા તથા ઓછા બોધવાળાનું પણ હંમેશા સમાધી મરણ જ * હોય. એ બોધનો મહિમા છે, કદાચ આવો બોધિ જીવ બે ચાર કલાક
બે શુદ્ધિમાં જ કાળધર્મને પામી જાય તો પણ તેને બાધા નથી. બોધિને છે હંમેશા પુરુષાર્થ વધતો જાય છે, બોધિ જાણે છે કે જન્મ-મરણ દેહના છે
થાય છે. આત્મા તો અખંડ ઊભો રહે છે. તેનો તો ઉત્પત્તિ કે નાશ નથી. કેવળ ખોળીયું બદલાય એટલું જ. બાકી તો શુભાશુભ કર્મ જેમ ભેગા જાય છે તેમ મનુષ્ય દેહે થયેલો બોધ પણ તેની સાથે જ જાય છે.
અને બીજા ભવમાં જેમ શુભાશુભનો ઉદય આવે છે તેમ બોધનો પણ છે. ઉદય થાય છે.
ટુંકમાં રાત-દિવસ નિવૃત્તિના વખતમાં દેહના કાર્યો થાય તેમાં
૩૪૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
For Personal & Private Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
ઉપયોગનો જ મહિમા જોયા કરો. ઉપયોગની સ્મૃતિ એ જ આપણો પુરુષાર્થ છે.
અજ્ઞાનથી જ કાર્યણ શરીર અને સ્થૂળ શરીરમાં આપણો આત્મા પુરાણો છે. અજ્ઞાની જીવોનો ઉપયોગ દેહમાં ૨મણ કરે છે, એટલે તેઓ દેહમાં જ જાગે છે. બોધિપુરુષને બોધ થયો એટલે તેઓને ખબર પડી કે આ દેહમાં કેવળ ઉપયોગનો જ મહિમા છે. અને દેહના ધર્મોથી ઉપયોગ ભન્ન છે, અસંગ છે, એવી જાગૃતિ છે એટલે તેઓ લેપાતા નથી. પણ તેઓના બોધના પ્રમાણમાં તેઓનો ઉપયોગ જ્ઞાનદશા સંપૂર્ણ ન થાય ત્યાં સુધી આત્મામાં જાગતો છે, ૨મે છે, અને ક્યારેક દેહમાં જાગે છે, ૨મે છે. જેમ જેમ જ્ઞાનદશા વધતી જશે તેમ તેમ ઉપયોગની જાગૃતિ વધતી જશે. મતલબ તમારે કોઈ રીતે મુંઝાવાનું નથી. જો અંજળ હશે તો બે ત્રણ માસમાં દેશમાં આવી મોરબી આંટો આવી જઈશ. અહીથી ફાગણ શુદમાં ૨વાના થઈ જબલપુર, મુબઈ થઈ સાયલા જઈશ.
દ : છોટાલાલના આત્મવંદન (આ પત્ર કલકત્તાથી લખાયો છે)
O પત્ર નં. ૩૩ G
જીવ બંને પ્રકારના શરીરોમાં પોતે આત્મા હોવા છતાં અજ્ઞાનથી હું દેહ છું, એવી અજ્ઞાન બુદ્ધિથી પુરાણો છે. હવે જાગૃત થઈ હું આત્મા જીવતો-જાગતો છું, બાકી બંને દેહો અસત્ છે, એવી સમયે સમયે જાગૃતિ રાખે તો બંને દેહથી છુટી જાય.
જીવની જ્ઞાનધારા અજ્ઞાનથી બે પ્રકારના વિભાવયોગથી ઢંકાએલી છે. જો જીવ જાગૃત થઈ હું જીવતો-જાગતો આત્મા છું એવી સમયે સમયે જાગૃતિ રાખે તો બન્ને પ્રકારના વિભાવ યોગથી મુકાય તેમ છે.
જીવતી-જાગતી જીવની જ્ઞાનધારા એક સત્ વસ્તુ છે. બાકી બધા પ્રકારનો ઉદય અસત્ છે. માટે જીવે સમયે સમયે જાગૃત રહેવું જોઈએ કે હું જીવતો-જાગતો આત્મા છું.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
૩૪૭
Page #385
--------------------------------------------------------------------------
________________
) પત્ર . ૩૪ . (શ્રી હરિલાલભાઈ જૈન ઉપર સોનગઢથી કંકોત્રી આવતા તેનો જ જવાબ નીચે મુજબ).
હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું પણ જે વિશેષને વિષે ચુનાધિકપણે ન થાય છે તે જો મટે તો અખંડ અનુભવ સ્થિતિ વર્તે. તેમ વર્તે જવાય એ સુપ્રતિત છે.”
સર્વે દિગંબર, શ્વેતાંબર મહાન આચાર્યોનો તેમજ વેદાંતના સ્થિતપ્રજ્ઞ ! પુરુષોનો અનુભવ છે.
એક વખત આવી જાય તો તે અનુભવ કાયમ રહે છે. અમારે, તમારે એજ સ્થિતિ પ્રાપ્ત કરવાની રહે છે.
છો. મ. દેસાઈ
અમારા પ. પૂ. ગુરુદેવના પ. પૂ. ગુરુદેવ શ્રી છોટાલાલભાઈ દેસાઇએ એમના સમયના આત્મસાધનાના રૂચિયાન આત્માર્થી ભાઈ શ્રી છોટાલાલભાઈ ખીમચંદ કોલસાવાળાને પત્રો લખેલ છે. ઉપદેશબોધ, સિદ્ધાંતબોધ અને સાધનામાર્ગ માટેના પ્રકાશથી સભર આ પત્રો સાધકોને બહુ ઉપયોગી અને ઉપકારી બને તેવા છે. જે પાછળથી પ્રાપ્ત થયેલ હોવાથી અત્રે વધારાના પત્રો તરીકે મૂકેલા છે.
૩૪૮
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
સંક્ષિપ્ત પરિચય સાયલામાં શ્રી ખીમચંદ વર્ધમાન જે ભાયાતી ન્યાયાધીશ હતા તેમના નાના દીકરા ભાઈશ્રી છોટાલાલભાઈ રંગુનમાં વસેલા.
સંજોગવશાત્ તેમને રંગુન છોડી દેશમાં આવવું પડ્યું. અહીં આવી છે. તેમણે કલકત્તામાં વાસ કર્યો.
કલકત્તામાં તેમને પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈના ભત્રીજા શ્રી છે જગજીવનભાઈ શીવલાલ સાથે ગાઢ મિત્રાચારી થઈ, ત્યાં તેમની સાથે શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનું વાંચન-શ્રવણ કરવાનો અવસર બન્યો. સમય જતાં આ સતું સાહિત્ય પ્રત્યે તેમને રૂચિ થઈ અને પરિણામે શ્રદ્ધા પણ થઈ.
પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈને જ્યારે કલકત્તા જવાનું બને ત્યારે છે. આ બંને ભાઈઓ-શ્રી જગજીવનભાઈ તથા શ્રી છોટાલાલભાઈ-ને છે સત્સંગનો લાભ આપે, પરંતુ કલકત્તામાં પૂ. છોટાલાલભાઈનો મુકામ બહુ થોડા સમય માટે હોય અને એટલા અલ્પકાલીન સત્સંગથી બંને ભાઈઓને સંતોષ થાય નહીં એટલું જ નહીં પણ સત્સંગની તૃષા વધે.
આવા પરમ હિતકારી આધ્યાત્મિક સાધન-સત્સંગની તૃપ્તિ અર્થે તે આ બંને ભાઈઓને કરૂણાસાગર પૂ. શ્રી છોટાભાઈ (અમારા પૂ. ગુરૂદેવના જ પૂ. ગુરૂદેવોએ પત્રદ્વારા બોધ આપવા જે પ્રયત્ન કર્યો તે અન્ય મુમુક્ષુ | જીવોના આત્મિહતાર્થે પ્રસિદ્ધ કરી અમે એ સ્વર્ગસ્થ બંને છોટાભાઈને * ભાવાંજલિ આપ્યાનો સંતોષ અનુભવીએ છીએ.
નોંધ :- પત્રના લખાણમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં ત્યાં “અવાચ્ય” સમજવું.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૪૯
For Personal & Private Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
*
) પત્ર નં. ૩૫ 9.
બોરીવલી તા. ૩૧-૩-૦૫ છે. ભાઈ શ્રી છોટાલાલભાઈ, ભવાનીપુર છે જ તમારું પોસ્ટકાર્ડ તા. ૨૫-૩નું લખેલ જબલપુર મળેલ, વાંચી ,
1 આનંદ.
હું તથા લાડકચંદભાઈ તા. ૨૯ રાતના જબલપુરથી રવાના થઈ ગઈ કાલ સાંજના ખુશીથી અત્રે આવી ગયા છીએ. મારી તબિયત
તદ્દન સારી છે એમ ભાઈ જગજીવનભાઈ તથા ભાઈ નંદલાલને તે કહેશો. અમે એક અઠવાડીયું રોકાઈ સાયલા જઈશું.
સુરેન્દ્રનગરના મકાનમાં કામ પૂરું થઈ ગયાના સમાચાર જાણ્યા છે. ભાઈ હસમુખ તથા ભાઈ બીપીનને આશીષ, તમો સૌ ખુશીમાં હશો.
ભાઈ જગજીવનભાઈને કહેશો કે જે બેન પુષ્પા તથા જયન્તીલાલને જ મળવા જઈ આવીશ.
દઃ છોટાલાલના શુભાશીષ લિ. લાડકચંદના વીરવંદન વાંચશોજી, શ્રી છોટાલાલભાઈની તબિયત જ સારી છે. તમને બધાને મજામાં ચાહું છું. તમારો પ્રેમ યાદ આવે છે. બંને ભાઈઓને યાદી. ઘરમાં આશીષ કહેશો. બેબી મજામાં હશે.
0 પત્ર નં. ૩૬ જ
. સાયલા, તા. ૨૩-૧૨-૬૫ - ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૨૦-૧૨નું લખેલ તે વાંચી આનંદ થયો [ છે. તમે જૂનું ઘર બદલાવી નવા બ્લોકમાં રહેવાના સમાચાર જાણ્યા
૩પ૦
( શ્રી સોભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
છે, આવા વિષય બારામાં સત્સંગની ઇચ્છા તમોને રહ્યા કરે છે તે જાણી પ્રમોદ થાય છે. ભાવનગરથી ભાઈ જયંતીલાલ તરફથી પણ સત્ની પ્રેરણા આપતાં પત્રો મળ્યા કરે છે, તે પણ સારૂં છે.
સ્થૂલ શરીર તથા પાંચ જ્ઞાન ન્દ્રયો અને મનના વિચારોથી આપણે તદ્દન ભિન્ન એટલે જુદા છીએ એ ભાવના નિરંતર કાર્યે કાર્યે પ્રસંગે પ્રસંગે ભાવવી. આપણે સ્થૂળ તથા સૂક્ષ્મ દેહના ધર્મોથી જુદા નિરંતર ચેતન આત્મા છીએ. એ ભાવના વધાર્યે જ છૂટકો છે. બાકી તો જગજીવનભાઈ ત્યાં છે. એમના શરીરની અને વેપાર વગેરે કરે છે એ તરફ દૃષ્ટિ નહીં રાખતા તેમની પ્રેરણા મેળવતા રહેશો તો બહારના પત્રોની પ્રેરણાની જરૂર નહીં રહે.
બંને ભાઈઓને આશીષ. ભાઈ જગજીવનભાઈ તથા ભાઈ નંદલાલને આશીષ. સૌ ખુશીમાં હશો.
દઃ છોટાલાલની શુભાશિષ
Ò પત્ર નં. ૩૭ બુ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારૂં પોસ્ટકાર્ડ તા. ૨૭-૧૨નું વાંચી આનંદ. આપણે ચેતન એટલે આત્મા જ છીએ. સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહના ધર્મોથી ભિન્ન છીએ. એ ભાવનાનું જોર જેટલું વધે તેટલો ફાયદો જ છે. લાભનો જ વેપાર છે. આમાં ખોટનો વેપાર તો નથી. બાકી જગજીવનભાઈ ત્યાં છે એટલે તમને તો આવા વિષમકાળમાં અનુકૂળતા છે.
દઃ છોટાલાલના શુભાશીષ
સાયલા, તા. ૩૧-૧૨-૬૫
For Personal & Private Use Only
૩૫૧
Page #389
--------------------------------------------------------------------------
________________
) પત્ર નં. ૩૮ જ
સાયલા, તા. ૧૩-૨-૧૬ ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૮-૨ નું લખેલ મળ્યું, વાંચી આનંદ છે. થયો છે.
સત્કૃતનું વાંચન ચાલુ કર્યાના અને દર રવિવારે જગજીવનભાઈ જ પાસે જઈ સત્સંગનો પરિચય મનથી કર્યાના સમાચાર જાણ્યા-આ
કાળમાં આવી રૂચિ થવી પણ દુર્લભ છે. પાંચ જ્ઞાનઇન્દ્રિય અને મન તેનો વિવેક રાત દિવસ કરશો. બંને શરીરનો એટલે કે સ્થૂળ શરીર, અને પાંચ જ્ઞાન ઇન્દ્રી તથા મન (સૂક્ષ્મ શરીરનો વહેવાર જ્ઞાનથી
અથવા ઉપયોગથી થાય છે) દરેક-દેહ તથા જ્ઞાન ઇન્દ્રી, કર્મ ઇન્દ્રી * શરીરના ધર્મોથી, ઉપયોગ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આત્મા જુદો છે અને
અસંગ છે એટલે એમાં ભળી શકે તેવો નથી. અને તે ચૈતન્ય સ્વરૂપ આત્મા આપણે પોતે છીએ. આત્મા સિવાયનો બધો વહેવાર અસતું છે એવી રાત દિવસ જાગૃતિ રાખશો. તો આ વિષમ કાળમાં કામ થઈ જાય તેવું છે. વધારે શું લખું ?
- દર છોટાભાઈના શુભાશિષ 0 પત્ર નં. ૩૯ .
સાયલા, તા. ૧-૩-૬૭ ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટ કાર્ડ તા. ૨૧-૨ નું લખેલ મળ્યું વાંચી આનંદ થયો છે. તમોને પરમાર્થ માર્ગની જિજ્ઞાસા થઈ છે અને તેના માટે કે ભાઈ જગજીવનભાઈ સાથે સત્સંગ કરી સતુ માર્ગ સમજવાનો પ્રયાસ :
કરો છો, તે જાણી પ્રમોદ થાય છે.
૩૫ર
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
For Personal & Private Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
* મારા હાથમાં છેલ્લા આઠ દિવસ થયા, એક પુસ્તક આવેલ છે તે
પુસ્તકનું નામ-સમ્યજ્ઞાની શ્રી શાંતિસ્વામી સ્વસંવેદન. એ ભાઈનો જન્મ લીંબડીમાં સને ૧૯૩પ, દેહોત્સર્ગ ફાગણ વદ ૧૧ સને ૧૯૬૪
સુરેન્દ્રનગર. ૨૯ વર્ષની વયે ગૃહસ્થી વેશમાં કાળ કર્યો. ૧૮ વર્ષ 4 વિદ્યાભ્યાસ ૫ વર્ષ મુંબઈમાં સરવસ. ૩ વર્ષ સખત બિમારી ઓપરેશન છે
અને પથારીમાં છેલ્લા બે વરસમાં શ્રીમદ્ રાજચંદ્ર, ઉપમિતિ ભવપ્રપંચ, કુંદકુંદાચાર્યનું સમયસાર વાંચી સ્વયમેવ ગુરૂના ઉપદેશ વગર પૂરા જ્ઞાની થઈ ગયા. જાણે જૈન સંપ્રદાયના દ્વાદશાંગીના પારંગત અને ઉત્તમ અનુભવી થઈ ગયા. એ પુસ્તક મેળવવાનો પ્રયાસ કરું . જ મળ્યથી ભાઈ જગજીવનભાઈને કોપી મોકલી આપીશ. હાલમાં પણ આવા પુરૂષો થાય છે. પૂર્વના સંસ્કાર કેટલા બળવાન.
દઃ છોટાલાલના શુભાશિષ . પત્ર નં. ૪૦ %
સાયલા, તા. ૨-૪-૬૭ ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૨૭-૩નું લખેલ મળ્યું વાંચી આનંદ. હું છે. તા. ૨૬ થી તા. ૩૧ સુધી રાજકોટ, મોરબી, વવાણિયા સત્સંગ અર્થે
ગયેલ. તમો સ્વામી શ્રી નિત્યાનંદ તથા પ્રકાશાનંદજી વાર્તાલાપ પુસ્તક ' વાંચો છો તે જાણી પ્રમોદ થાય છે. પુસ્તક બહુ જ સારું છે. સમ્યજ્ઞાની છે શાંતિસ્વામિનું સ્વસંવેદન એક કોપી જગજીવનભાઈને મોરબીથી મોકલેલ છે.
છે. બીજી મથે મોકલી આપીશ. જૈનના બોધ સંબંધી હું જે કહી શકું * તે કરતાં અનેકગણું તેમણે કહી નાખેલ છે. અને તે પ્રમાણે જો - પુરૂષાર્થ હોય તો જીવ આ કાળમાં એકાવતારી થઈ શકે છે. ચિ. બેન | વનલીલા તથા જમાઈ અત્રે આવેલ. પણ મારી ગેરહાજરી હશે,
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૩૫૩
For Personal & Private Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
અત્રેથી લાડકચંદભાઈ તથા હિંમતલાલે આત્મવંદન લખાવેલ છે. તેઓ જ પણ મારી સાથે રાજકોટ, મોરબી, વવાણિયા આવેલ હતા. ત્યાં સૌને આશીષ. '
દઃ છોટાલાલની શુભાશીષ : ) પત્ર નં. ૪૧ :
સાયલા, તા. ૧૩-૪-૬૯ છે કે આત્માર્થી ભાઈ છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૭/૪ નું લખેલ વાંચી આનંદ. અને વાંચન ચાલુ કર્યાના સમાચાર જાણી આનંદ. પુસ્તક ફરી ફરી વાંચશો. | વિચારશો. અને ન સમજાય તો ભાઈ જગજીવન તરફથી સમજશો.
તીવ્ર મુમુક્ષુઓને ધારે તો એકાવતારીપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક છે. છે એટલામાં સમજશો. મનુષ્ય દેહે જો કરવા લાયક કાર્ય હોય તો ચેતનની છે 1 પૂરેપૂરી ઓળખાણ કરી લેવી. અને સ્થળ શરીર તથા સૂક્ષ્મ શરીર ! છે (પાંચ જ્ઞાન ઇન્દ્રિય અને મન)નો વેપાર થંભાવી દેવો, સર્વે તીર્થકરોએ તેમ જ કર્યું છે. શાંતિસ્વામીએ કર્મ અથવા સંજોગોનો દોષ કાઢવાની ના પાડી છે. ચેતનનો પુરૂષાર્થ સર્વોપરી છે.
દઃ છોટાલાલની શુભાશીષ D પત્ર નં. ૪ર જ
સાયલા, તા. ૨૬-૪-૬૬ રા. રા. ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૨૧/૪ નું મળ્યું. વાંચી તમારી પરમાર્થ ભાવના જોઈ ખૂબ પ્રમોદ થાય છે, શાંતિ સ્વામીનું પુસ્તક અને તેમનો પુરૂષાર્થ એવો છે કે આ માર્ગના પ્રેમી જીવો સરળતાથી સખત રીતે ? પુરૂષાર્થ કરી શકે.
દ: છોટાલાલની શુભાશીષ
રૂપ
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
D પત્ર નં. ૪૩ ૪
સાયલા, તા. ૭-૫-૬૬ કે ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૩-૫-૧૯ નું લખેલ મળ્યું વાંચી * આનંદ થયો. બંને પુસ્તક ઝાઝીવાર ન વંચાય તો હરકત નથી. જ પણ રાત દિવસ બની શકે તેટલો ટાઈમ અંદર જોવાનો પુરૂષાર્થ
વધારશો. ભલે જ્ઞાન ઇંદ્રિયો એના વિષયમાં પ્રવર્તતી હોય. મન જ એના વિષયમાં પ્રવર્તતું હોય. પણ તે વખતે આપણે જોનાર કેવી જ સ્થિતિમાં છીએ તે તપાસી પાકું કરવાનું છે. ઇન્દ્રિયો અને મનને આપણો ટેકો હોય છે તો જ તેમના વિષયમાં પ્રવર્તે છે. બાકી આપણે જોનાર મેરૂ જેવા અડોલ થઈ જશું તો ઇન્દ્રિયો અને મનનો વેપાર એની મેળે બંધ થઈ જશે. આ કાળમાં આપણે પણ દૃઢ નિશ્ચયી થઈએ તો શાંતિસ્વામી જેવા થઈ શકીએ. પણ સંસારી વિષયો અને બાબતો ઝેર જેવી લાગે તો તરત કામ થઈ શકે, જેટલી સંસારમાં મીઠાશ એટલો પુરુષાર્થ થઈ શકે.
દ: છોટાલાલના શુભાશીષ D પત્ર નં. ૪૪ જ
સાયલા, તા. ૮-૮-૧૬ - ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૨-૮નું લખેલ મળ્યું. વાંચી આનંદ | જ થયો છે. . .
તમોને ઓપરેશનને કારણે હોસ્પીટલમાં તેમજ ઘેર વાંચન તથા આત્મવિચારણા કરવાનો ટાઈમ ખૂબ મળતાં એ પણ આવકારદાયક થયેલ છે. મનને બ્રેક લગાડવાની બાબત જણાવવાનું કે તમારે મનની શરત રાખવાની જરૂર નથી પણ આપણામાં જે જ્ઞાન ગુણ અખંડ
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૩૫૫
For Personal & Private Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
ઉભો છે જેમાં કેવળ જાણવાની જાગવાની જીવવાની ક્રિયા દેહની જ (મન વચન કાયાના યોગથી થતી ક્રિયામાં) આપણો જ્ઞાન ગુણ તો , કાયમ રહે છે. એટલે ખરી રીતે આપણે રાત દિવસ આપણી જ શરત રાખવાની છે. શાંતિસ્વામીએ જડ ચેતન સંબંધી ઘણી ઝીણી વાત અનુભવગમ્ય લખી છે. એ બહુ જ સમજવાની જરૂર છે. દાખલા તરીકે પુસ્તકમાં પાનું ૫-પર દ્રવ્યો આપણાથી ભિન્ન છે. તેમાં ભેદજ્ઞાનની છે યથાર્થ સમજણ તથા જીવનો પુરૂષાર્થ સમજાવેલ છે.
દઃ છોટાલાલના શુભાશીષ 0 પત્ર નં. ૪૫ ૪
સાયલા, તા. ૯-૯-૧૬ ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
તમો હાલમાં જુદાં જુદાં પુસ્તકો વાંચો છો તે ઠીક છે. વાંચનમાં તો બની શકે તો શાંતિસ્વામીનું એક જ પુસ્તક બસ છે. બાકી તો રાતદિવસ જ અંદર જોઈ અભ્યાસ કરવાનો છે. એક બાજુ આપણો જીવતો જાગતો, ૪ છે જ્ઞાન સ્વભાવ અને બીજી બાજુ મન અને પાંચ જ્ઞાન ઇન્દ્રિઓના વિષયોનું ચિંતવન. જો જ્ઞાન સ્વભાવની પ્રતીતિ રૂચિપૂર્વક બરાબર
કરવામાં આવે તો મન અને ઇન્દ્રિયોના વિષયોનું ચિંતવન રોકાઈ છે. 1 જાય. આપણો રસ્તો સાવ સરળ થઈ પડે તેમ છે. કોઈક દિવસ અંજળ જ હશે અને ભેગા થશે તો વાત કરશું. બાકી વાંચન કરતા આપણે જીવતા જાગતા ચેતન છીએ એ પ્રતીતિ વધાર્યું જ છૂટકો છે.
દઃ છોટાલાલના શુભાશીષ 0 પત્ર નં. ૪૬ .
સાયલા, તા. ૨૯-૭-૬૭ ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારૂં પોસ્ટકાર્ડ તા. ૨૫-૭ નું લખેલ મળ્યું વાંચી આનંદ.
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
જ શરીરની હંમેશ મડદાની સાથે સરખામણી વિચાર વડીએ કરતાં જ ૪
રહેશો. આપણે સંયોગમાં આ મડદા શરીરમાં સૂર્યની પેઠે શોભી રહ્યાં 1 છીએ. આપણી ચેતનની હાજરી વડે પાંચ જ્ઞાન ઇન્દ્રિઓ તથાં સ્થૂલ !
શરીરમાં વાયુ તથા લોહી મિક્સ થયા કરે છે. એ સર્વે દેહના ધર્મો છે. આપણે તો જ્ઞાન સ્વરૂપ દૃષ્ટા સ્વરૂપ એવા ને એવા જ બીરાજીએ છીએ. મનના યોગને આવા વિચારમાં રોક્યા કરવા અને તપાસતા જ જવું એમ વિવેક વધશે, અને વિવેક વધશે એટલે જ્ઞાનની પ્રસિદ્ધિ થશે. સંયોગમાંથી આત્માને બાદ કરીએ તો મડદાની સ્થિતિ તો સૌએ જ છે જોઈ છે અને જુએ છે. પણ દેહને બાદ કરીએ એટલે કે વીર્ય બહુ છે
અભ્યાસથી વધારી ત્રણે યોગનો વેપાર કરીએ તે વખતે અતીન્દ્રિય છે સુખનો ક્ષણ વારને માટે અનુભવ થાય જ.
દઃ છોટાલાલના શુભાશિષ ૪) પત્ર નં. ૪૭ ૪
સાયલા, તા. ૮-૧૨-૧૭ ]. આત્માર્થી ભાઈ છોટાભાઈ, કલકત્તા
લખવાનું જે તમોએ વાંચ્યું છે ઘણું પણ હવે જે વાંચ્યું છે, સમજ્યા છીએ, તે પરથી ઓળખાણ (નિર્ણય) કરી રાત દિવસ ઉપયોગનો જ છે
મહિમા જોવાનો છે. જેથી વિભાવભાવનો ઉચ્છેદ થાય અને સ્વપરિણતિનું ! છેગ્રહણ થાય. શરીરને મુડદા સાથે સરખાવશો તો જણાશે કે ચેતન હતું કે
એટલે બધા સંચા ચાલતા હતા. તે શરીરના ધર્મ છે. આપણે ધબ નથી થઈ ગયા પણ જીવીએ છીએ તે આત્મસ્વરૂપ છે. રાત દિવસ ઉપયોગનો
મહિમા જુઓ. પાંચ જ્ઞાન ઇન્દ્રી તથા મનમાં તેનો જ મહિમા છે. એક છે ! આત્મા સિવાય બીજું બધું સંયોગી દ્રવ્ય એટલે પરદ્રવ્ય છે. જો તમોને ?
છોકરાઓ રજા આપતા હોય તો અત્રે જ આપણે સાથે રહીએ. સમાગમથી તમો થોડા ટાઈમમાં તૈયાર થઈ જશો. બાકી પુસ્તકો વાંચવાથી કાંઈ વળવાનું નથી. ઉપયોગનો રાતદિવસ મહિમા જુઓ. અજ્ઞાનપણે ખોળિયા બદલવાની પણ તેની જ શક્તિ છે. અને જ્ઞાન
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
( ૩૫૭)
For Personal & Private Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
થાય તો ખોળિયા બદલવાં ન પડે અને આ વર્તમાન ખોખામાં આપણે છે મજાથી રહી શકીએ.
તમો અત્રે આવ્યા ત્યારે ઘરની ખટપટમાં પડી ગયા હતા. તમે ક્યારે જ ય ખરો સત્સંગ કર્યો જ નથી.જો ખરો સત્સંગ થાય તો સત્સંગનો મહિમા છે જ ખ્યાલમાં આવે અને તેમાં જ રાત દિવસ પડ્યો રહે.
) પત્ર નં. ૪૮ %
સાયલા. તા. ૧૪-૧૦-૧૭ * ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
તમો યોગવાશીષ્ઠ અને દત્ત પરશુરામ વગેરે પુસ્તકો વાંચો છો . | અને તે પુસ્તકો કેવળ આત્મલક્ષી હોવાથી તમોને મજા પડે છે. એ જ !
તમારી મધ્યસ્થ દૃષ્ટિ છે. મધ્યસ્થ દૃષ્ટિવાળો જીવ જ્ઞાન પામવાનો આ છે. અધિકારી છે.
* દ છોટાલાલની શુભાશિષ . એ પત્ર નં. ૪૯ જ
સાયલા, તા. ૫-૧૨-૧૭ આત્માર્થી ભાઈ છોટાલાલભાઈ, કલકત્તા
શરીરની જડ ક્રિયા થાય છે. પંચ જ્ઞાન ઇન્દ્રિયો તથા મનની શુભાશુભ વિકારી ક્રિયા થાય છે. અને આત્મામાં શુદ્ધતા-નિર્મળતા હોવાથી તેમાં ઉપલી ક્રિયાઓનો પ્રતિભાસ થાય છે. અને વહેવારથી જ એ ક્રિયાઓને જાણે છે. નિશ્ચયથી આત્મા પોતાના ચેતન સ્વભાવમાં તન્મય છે. સાધક અવસ્થામાં રાતદિવસ દેહ આત્માનું ભિન્નપણે જાણી છે જાગૃતિ રાખવાની છે. આપણને ઇન્દ્રિયજન્ય જ્ઞાન તથા સુખદુઃખ છે,
આપણાથી જુદા હોય એ જણાય છે. પણ દશા તો એવી કેળવવાની છે કે અતિઇદ્રીય જ્ઞાન તથા સુખનો લાભ મળ્યા કરે. શાંતિસ્વામી, કૃપાળુદેવ, તથા મહાત્માઓએ એ સ્થિતિ રાતદિવસ મહેનત કરી પ્રાપ્ત કરી છે. )
૩૫૮
( શ્રી સોભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
અને આપણે એ જ રસ્તે ગયે છૂટકો. રાત દિવસ આત્મા દેહધારીપણે આ ખોખામાં (શરીરમાં) કેટલો મહાન છે, તે જોયા જ કરો. વિચાર્યા જ કરો. તો જરૂ૨ ફાયદો જણાશે.
દઃ છોટાલાલના શુભાશિષ
O ૫ત્ર નં. ૫૦ જી
ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
આત્મા તો દેહની તથા મન અને ઇન્દ્રીયોની ક્રિયાથી સમયે સમયે જુદો છે. આત્મદ્રવ્યમાં જ્ઞાનનો ઉદય છે, અને શરીરમાં કર્મનો ઉદય છે. રાતદિવસ અસંગપણું પણ અનુભવો. કાર્ય એક જ મનુષ્યદેહે કરવાનું છે.
સાયલા, તા. ૬-૩-૬૮
લિ. છોટાલાલના શુભાશિષ
D પત્ર નં. ૫૧ વ્ઝ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
ફુરસદે આત્મનિરીક્ષણ કરતા રહેશો. આત્માના અને દેહના ધર્મો સાવ જુદા છે. આત્મામાં જ્ઞાન ગુણ અને ઉપયોગ લક્ષણ છે. દેહના ધર્મોથી આત્મદ્રવ્ય ગુણે અને લક્ષણે કરી જુદું પડે છે. આ પુરૂષાર્થ કરવામાં આવે તો તેના ફાયદાનો હિસાબ નથી.
સાયલા, તા. ૨૨-૩-૦૮
દઃ છોટાલાલની શુભાશિષ
O પત્ર નં. ૫૨ જી
આત્માર્થી ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા જીવ એટલે ચૈતન્ય પદાર્થ એટલે જ્ઞાન, અનુભવ અથવા પ્રકાશ છે.
સાયલા, તા. ૧૯-૪-૬૮
For Personal & Private Use Only
зче
Page #397
--------------------------------------------------------------------------
________________
દેહના સંયોગમાં જે સ્થિતિ ઉત્પન્ન થાય છે તે બધી ચૈતન્યથી પર છે. આપણા જ્ઞાનની ઓછાશને લીધે તે સ્થિતિમાં મુંઝાઈએ છીએ, અથવા મોહ પામીએ છીએ. રાત દિવસ આપણા જ્ઞાન સ્વભાવનું અવલંબન લઈ જ્ઞાન સ્વભાવમાં જો જાગૃતિ વધતી જાય અને જ્ઞાન સ્વભાવ દૃઢ થઈ જાય તો ગમે તેવી સ્થિતિમાં માણસ મજાથી રહી શકે.
દેહના ધર્મોથી નહીં મુંઝાતા જાગૃતિ વધારવાની જરૂર છે. “કેવળ અંતર્મુખ ઉપયોગે સતત જાગૃતિ તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે.” એક
સમય પણ બહિર્મુખ ઉપયોગ ન થવા દેવો તેને શ્રી તીર્થકર માર્ગ કહે જ છે.” એમ કૃપાળુ દેવ કહે છે. આરાધક જીવને આ વાત સ્પષ્ટ
અનુભવમાં આવે તેમ છે. જેમ જેમ જીવ સમ્યગુદર્શનને પ્રાપ્ત થઈ સ્વભાવ સુખને પ્રાપ્ત થાય તો પછી તેને અતિ ઇન્દ્રિય જ્ઞાન અને સુખ વિના ચેન પડશે નહીં.
* લિ. છોટાલાલના શુભાશિષ | 0 પત્ર નં. પ૩ ૪
સાયલા, તા. ૫-૭-૯૮ * ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા જ જત તમારું પોસ્ટકાર્ડ તા. ૨૭ નું વાચી આનંદ થયો. આવા
વિષમ કાળમાં તમારા જેવા મોક્ષના ઇચ્છક જીવો રહેલા તે જાણી ! આ પ્રમોદ થાય છે.
દ્રવ્ય-અનંત ગુણો અને તેની સમયે સમયે પરિણતિ પર્યાય અવસ્થાનો જ સમૂહ તે દ્રવ્ય. અથવા આત્મા અથવા અંશી.
ગુણો-હમેશાં દ્રવ્યની સાથે કાયમ રહ્યા છે એટલે સહવરતી ગુણો | કહેવાય.
પર્યાય-દ્રવ્યમાં સમયે સમયે અનંત ગુણોનું પરિણમન તે પર્યાય છે. [ અવસ્થા અથવા અંશ કહેવાય.
૩૬૦
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
જ જીવની એક સમયની અવસ્થામાં સમયે સમયે આખું જગત જે જે
કેવળ મિથ્યાં છે તે દેખાય છે. જેમાં સર્વ જીવોનું દેહધારીપણું આવી * ગયું સમય સમયની જ્ઞાન પરિણતિ જે પાંચ ઇન્દ્રિયો તથા મનના : વિષયો સાથે એકમેક થઈ રહી છે. અને તેને લીધેજ સર્વે કાર્પણ વર્ગણા દરેક જીવનમાં સમયવર્તી જ્ઞાન પર્યાય રહેલ છે એટલે જે દેહધારી પણે મડદાનો વહેવાર ચાલે છે.
જેઓને ફક્ત દૈહિક ક્રિયાનો બોધ છે તેઓ ક્રિયાજડ. જેઓને શુષ્ક જ્ઞાનનો બોધ છે એટલે પુરુષાર્થ કરવો જ નહીં તે શુષ્કજ્ઞાની. ખરે રસ્તે ચડ્યા છે તેઓ રાત દિવસ પોતાની શક્તિ અનુસાર જડ છે ચેતનના ભાગલા પાડી પરિણતિ શુદ્ધ કરે છે. અને સમકિતની પ્રાપ્તિ પછી જ્ઞાનધારા એટલી શુદ્ધ થાય છે કે સમયવર્તી અંશ (પર્યાય) * આત્મા (અંશીને) જ ખ્યાલમાં લે છે. અથવા તો દ્રવ્ય દ્રષ્ટિ રાખી . પોતાની શુદ્ધ ધારાને જ અનુભવે છે તે તેઓની પાકી દ્રવ્ય દૃષ્ટિ છે. કહેવાય છે. ઉદયથી વહેવાર પણ ઘણા ખેદની સાથે ઉદાસીનતાથી છે કરે છે. અને ઇચ્છી રહ્યા છે કે ક્યારે આ વહેવાર ખલાસ થાય. આ બધી જુદી જુદી કક્કીઓનો એક જ અર્થ (રહસ્ય) છે.
“નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારો રે.
- આનંદઘનજી ! સામાન્ય સ્વભાવની હો, કે પરિણતિ અસહાય; ધર્મ વિશેષની હો કે ગુણને અનુયાયી.
- દેવચંદ્રજી . નિરાકાર ચેતના કહાવે દર્શન ગુણ,
સાકાર ચેતના શુદ્ધ જ્ઞાન ગુણ સાર હે જ ચેતના અદ્વૈત દોઉ સામાન્ય વિશેષ સત્તાહિકો વિસ્તાર છે.
- બનારસીદાસજી !
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૩૬૧
For Personal & Private Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની પુરૂષો જેઓને સમકિત થયા પછી જ્ઞાનધારા વિશેષ શુદ્ધ થયેલ છે. કર્મના અન્ઉદયમાં તેઓનો સમય વરતી અંશ-દ્રવ્યને એટલે અંશીને અથવા સામાન્ય સત્તાને જ ખ્યાલમાં લે છે મતલબ તે વખતે તેઓની ચેતના નિરાકાર ચેતના કહેવાય-દર્શન ચેતના કહેવાય.
આવા જ્ઞાનીઓ કર્મના ઉદયમાં તેઓની શુદ્ધ જ્ઞાન ચેતના કર્મના ઉદયથી જાગૃત રહી ભિન્નપણે અનુભવી ને શુદ્ધ સાકાર ચેતના કહેવાય. અથવા શુદ્ધ જ્ઞાન ચેતના કહેવાય. તેઓ પોતાનો પાતળો પડેલો ચારિત્રમોહ પણ શુદ્ધ જ્ઞાનનું ધ્યાન છૂટચા વગર અનુભવતા હોય.
૩૬૨
દર્શનમોહ વ્યતીત થઈ ઉપન્યો બોધ જે દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું ભાન જે તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ અવલોકીએ વરતે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.
- શ્રીમદ્ રાજચંદ્રજી
ઘણુંય લખવાનું મન થાય છે પણ કાગળમાં કેટલુંક લખાય ? દઃ છોટાલાલના શુભાશીષ
O ૫ત્ર નં. ૫૪ વ્ઝ
આત્માર્થી ભાઈ છોટાલાલભાઈ, કલકત્તા. જ્ઞાન ચેતના, કર્મ ચેતના, કર્મફળ ચેતના
દેહધારી પણે શુભાશુભ કર્મનો ઉદય રહ્યો છે અને તેનું ફળ સુખ દુ:ખ કહ્યું છે. કર્મના શુભ અશુભ ઉદય વખતે આપણે જાગૃત રહેવું જોઈએ જે આપણે તે ઉદયથી ભિન્ન છીએ અને ઉદયના ફળ સુખ દુઃખથી પણ ભિન્ન છીએ. જાગૃતિ ન હોય તો શુભાશુભ કર્મના ઉદયમાં પોતાપણું મનાય. શુભ ઉદય પ્રત્યે રાગ બુદ્ધિ થાય અશુભ ઉદય પ્રત્યે દ્વેષ બુદ્ધિ થાય.
સાયલા, તા. ૨૭-૬-૬૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
સામાન્ય ચેતન
વિશેષ ચેતન
સામાન્ય ચેતન તથા ગુણ શુધ્ધ છે પણ સામાન્ય ચેતનમાંથી વિશેષ ચેતનનો પ્રવાહ (પર્યાય અથવા પરિણતિ અથવા અવસ્થા) સમયે સમયે ચાલ્યો આવે છે તે જ પુદ્ગલની શુભાશુભ કાર્મણ વર્ગણા સાથે બંધાયેલ છે. પાંચ જ્ઞાન ઇન્દ્રિયોના વિષય તથા મનના સંકલ્પ વિકલ્પ પરિણામ એકમેક થઈ ગયેલ છે એટલે જ આપણે શુભાશુભ ઉદય વખતે આપણે શુદ્ધ ચેતન છીએ એવી શ્રદ્ધા રાગી જાગૃતિ રાખવી પડે છે. જેથી એ વિશેષ ચેતનનો પ્રવાહ શુધ્ધ થાય. વિશેષ ચેતનનો પ્રવાહ શુદ્ધ થાય એ જ્ઞાનધારા અને શુભાશુભ કર્મનો ઉદય અને તેનું સુખ દુઃખરૂપ કર્મધારા. સામાન્ય ચેતનની શ્રદ્ધાના જોરે જાગૃતિ રાખવાથી જ્ઞાનધારા શુદ્ધ થતી જાય છે.
સમ્યગ્દષ્ટિ જીવ એવો અનુભવ કરે છે કે હું ચૈતન્ય માત્ર તેજ રૂપ વસ્તુ છું કે જેમાં કર્મના ઉદયનો લેશ પણ નહી એવો શાંત ભાવમય છું. અચળ છું. એટલે કે કર્મના ગમે તેવા ઉદયથી ચળાવ્યો ચળતો નથી. કારણ કર્મના ઉદયમાં આત્માને સ્વભાવમાંથી ચલાયમાન કરવાની શક્તિ નથી. મતલબ અભ્યાસનું બળ વધે તો આપણે આપણી શુદ્ધ જ્ઞાનધારા અનુભવી શકીએ.
સંસારના માયિક પદાર્થો તેમજ શરીરના ધર્મોમાં કેવળ ઉદાસીનતા હોય તો ભેદ જ્ઞાનનું ધ્યાવન વિશેષ થઈ શકે. જ્ઞાનીઓ પૂર્વોપાર્જિત મોહનીયના ઉદયથી જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે મૂર્ખની પેઠે ખેદથી કરે છે. કૃપાળુ દેવ લખે છે. ‘જે દિવસ ઉદય પણ આત્માકાર બનશે તે ઉદયને ધન્ય છે.’
કાગળમાં કેટલું લખાય ? સમાગમમાં વિશેષ કહેવાનું બની શકે.
લિ. છોટાલાલના આત્મવંદન
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
393
Page #401
--------------------------------------------------------------------------
________________
O પત્ર નં. ૫૫ G
ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારૂં પોસ્ટકાર્ડ તા. ૧૯-૯નું મળ્યું વાંચી આનંદ હું, લાડકચંદભાઈ તથા હિંમતભાઈ તા. ૧૯-૯ની સવારે મોરબી વવાણીઆ સત્સંગ અર્થે ઘણા ભાઈઓનો આગ્રહ હોવાથી ગયા હતા. તારીખ ૨૩-૯ની સાંજના અત્રે પાછા આવ્યા. વાંકાનેર પણ મુમુક્ષુ ભાઈઓ બહેનોનો આગ્રહ હોવાથી એક કલાક રોકાણા હતા. બંને વખત મોરબીથી ચંદુભાઈની મોટ૨ લેવા મૂકવા આવી હતી. તા. ૧૮-૯ની રાતના દશ બજે ભાઈ મણીલાલ છોટાલાલે દેહ છોડ્યો. છેલ્લા એક માસ થયા પથારીવશ હતા. હું અવારનવાર તેમની પાસે જતો. ઘણા વખતનો સત્સંગ હોવાથી અને તેમની જિજ્ઞાસા હોવાથી આપણે દેહના ધર્મોથી ભિન્ન જીવતા જાગતા આત્મા છીએ, એ રટણ દૃઢ થઈ ગયું હોવાથી હંમેશા જાગૃતિ રહેતી અને આનંદમાં દિવસો પસાર કરતા. તારીખ ૧૮-૯ સાંજના એક કલાક હું ત્યાં જ હતો. સમાધિપૂર્વક દેહ છોડ્યો, શાસ્ત્રનું જ્ઞાન નહીં પણ સત્સંગમાં ઘણી જ જીજ્ઞાસાથી એક જ જીવતા જાગતા આત્મદ્રવ્યનું રટણ સારૂં કરી લીધું. અમે એક આત્માર્થી સાથી ગુમાવ્યો એ જ.
૩૬૪
સાયલા, તા. ૨૫-૯-૬૮
સ્થૂલ અને સૂક્ષ્મ દેહ સહિત આ આખું જગત ધબ, મિથ્યા અને જડ છે. કારણ તેમાં સ્વયમ્ ભાસ્યમાન થવાની શક્તિ નથી. ઉપર ક્શા જગતમાં મારો આત્મા સ્વયમ્ પ્રકાશિત અને જ્ઞાન સ્વરૂપ નિરંતર ભાયમાન થાય છે એવો અનુભવ અથવા અંતર્મુખ ઉપયોગે સતત જાગૃતિ એ નિશ્ચય છે અને આખા જગતને મારો આત્મા પ્રકાશે છે અથવા ભાસ્યમાન કરે છે એવો અનુભવ એ વહેવાર છે.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
ઉપર કહ્યો એવો બંને પ્રકારનો અનુભવ મુમુક્ષુ જીવોને સત્ પુરૂષના ને આશ્રયે યથાર્થ વસ્તુસ્થિતિ સમજી ચેતન અને જડને ભિન્ન સ્વરૂપ પ્રતીત કરી આરાધન કરે દેહાધ્યાસ ટળી દૃશ્ય પદાર્થનો અભાવ
થવાથી થાય છે. * જૈન શાસ્ત્ર મુજબ નવ તત્વ-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવા, *
બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, તેમાં ચાર તત્વ અજીવના કહ્યા અને ત્રણ તત્ત્વ-સંવર, નિર્જરા, મોક્ષ જીવના વહેવારથી કહ્યા, જીવ સિવાય કે આઠ તત્વનું અસ્તિત્વ છે કે નહી તેની આઠ તત્વને ખબર નથી.
જીવ તત્વ અજીવનાં ચાર તત્વ પુણ્ય, પાપ, આશ્રવ, બંધને જાણે અને વસ્તુસ્થિતિ સમજી આરાધન કરે. જીવના તત્વ સંવર નિર્જરા મોક્ષને પણ જાણે. બાકી આઠ તત્વમાં અજ્ઞાનથી જીવ ખોવાય ગયો એ આશ્ચર્ય. વેદાંતના પચ્ચીસ તત્વ. ૫. પાંચ ભૂતનો પૂલ દેહ ૫. પાંચ જ્ઞાન ઇંદ્રિયો
૫. પાંચ કર્મ ઇન્દ્રિયો * ૫. પાંચ પ્રાણ વાયુ
૪. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ૧. જીવ તત્વ ૨૫ તત્વ
ચોવીસ તત્વો જેને પોતાનું અસ્તિત્વ છે કે નહીં તેની ખબર નથી. આ જીવ તત્વના આશ્રયે ચોવીસ તત્વો જણાય. આ ચોવીસ તત્વોમાં
જીવતું જાગતું આત્મ તત્વ ખોવાઈ ગયું એ આશ્ચર્ય. નિવૃત્તિના ટાઇમમાં છે એનો વિચાર કરવાથી જીવ તત્વ પ્રગટ થાય છે. કૃપાળુદેવ કહે છે.
“વસ્તુ વિચાર વિના ક્ષણ પણ ન રહેવું” “સત્ નું સ્મરણ કરવું અને
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૬૫
For Personal & Private Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
જ જગતનું વિસ્મરણ કરવું.” “વિભાવથી મૂકાવું અને સ્વભાવમાં રહેવું છે. એ જ સમજવાનું છે.
લિ. છોટાલાલની શુભાશીષ . D પત્ર નં. ૫૯ જ
સાયલા, તા. ૨-૧૧-૧૮ જ ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
આત્મા અંદરથી ઊઠતા બધા ભાવોથી નિત્ય મુક્ત અબંધ એટલે કોઈથી ન બંધાય તેવો છે. એવી શ્રદ્ધા તે જ સમ્યક્દર્શન છે. આપણે
જીવ નામના પદાર્થથી જીવીએ છીએ, જાગીએ છીએ. શરત રાખીએ એ છીએ, તપાસીએ છીએ. આપણે આ શરીરમાં જીવતા જાગતા અખંડ ' ઊભા છીએ. એવો આપણો અનુભવ અથવા સ્વસંવેદન એટલે જ સમ્યકજ્ઞાન છે.
તે જ્ઞાન દર્શન સ્વભાવ આત્માનો છે. અને આપણે તે બાબત આરાધન કર્યેથી દશા અબંધી વિકલ્પ વગરના થઈએ તે નિરવિકલ્પ સ્થિરતા તે સમ્યક ચારિત્ર છે.
શરીર અથવા શરીરના કોઈ ધર્મોને તેમનું અસ્તિત્વ છે કે નહીં તેની છે પણ ખબર નથી. નવ તત્વમાંથી આઠ તત્વને કાંઈ ખબર નથી. શુભાશુભ કર્મના ઉદયને તથા તેના સુખદુઃખ રૂપ ફળને કંઈ ખબર નથી બાકી શરીરમાં બાઘડા જેવો (સિંહ જેવો) આત્મા બધાને જાણે કારણ જ્ઞાનગુણ અથવા ઉપયોગ લક્ષણ શરીરના અણુઅણુમાં ભરપુર છે.
જગતના લોકોને અજ્ઞાનથી મરણની ભ્રાંતિ છે. આત્મા તો તેઓના તે બંને સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો વહેવાર ચલાવવા મફતનો વેઠીયો મળ્યો છે. અને શરીરને તથા વહેવારને જ સાચું માને છે. તમો કોઈ રીતે થોડા દિવસ અત્રે આવો તો ખબર પડે કે વાશીદામાં સાંબેલું ખોવાયું છે.
૩૬૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
કેડે છોકરું અને છોકરું બહારમાં ગોતે છે.
તપ, વ્રત, પચ્ચખાણ, દેવદર્શન, ઉપવાસ, સામાયિક, પ્રતિક્રમણ તથા જૈનમાં અને બીજા દર્શનોમાં આવશ્યકાદિ ક્રિયા કરવાની છે તે * ઊંચા પ્રકારની છે પણ જ્ઞાન વિના તે જન્મમરણનો ફેરો ઘટાડી શકે
નહિ. જ્ઞાન હોય તો બીજી બધી ક્રિય. શરીર ઉપરથી મૂછ ઉડાવવાને બહુ જ સહાયભૂત થાય. અમારે તો શરીર થાક્યું એટલે દૂર જવું ન આવવું મુસાફરી ભારે પડે.
દઃ છોટાલાલની શુભાશીષ છે રાત દિવસ આપણાં અરૂપી આરિસામાં આપણી કર્મદશા અથવા દેહાધ્યાસ ભાસ્યા જ કરે છે. અરિસાને ખબર નથી. જીવમાં દેહાત્મા બુદ્ધિ હોવાથી શુભકર્મના ઉદયમાં ખુશી થાય છે અને અશુભ કર્મના જ ઉદયમાં માથે ચોફાળ ઓઢી પોક નાખે છે. એ કેવળ મોહનીયનો મહિમા છે.
ચક્રવર્તીની સમસ્ત રિદ્ધિ સિદ્ધિ કરતાં મનુષ્ય જીવનનો એકેક . સમય વધારે કિંમતી છે. એવું ઘણીવાર વાંચ્યું છે. પણ અજ્ઞાન ખટકતું જ નથી. ઉલટો જાણે છે કે આપણે બીજા કરતાં ઠીક છીએ.
દઃ છોટાલાલની શુભાશીષ ને એ પત્ર નં. પ૭ .
સાયલા તા. ૨૩-૧૦-૩૮
ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
વિશેષ લખવાનું જે તમો હવે દેહ અને આત્માને ગુણે લક્ષણે કરી જુદા છે. એવું પરોક્ષ જ્ઞાન તો તમોને પૂરેપૂરું થયું છે. બંને દેહોના ધર્મોનો ઉપયોગ લક્ષણ અને જ્ઞાન ગુણવાળા આત્મામાં તો અભાવ છે. કારણ બંને દેહના ધર્મોથી આત્મા ગુણે લક્ષણે કરી
શ્રી સૌભાગ્યભાજી અને સાયલા
૩૬૭
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #405
--------------------------------------------------------------------------
________________
જ સમયે સમય જુદો છે. દેહોમાં દેહોના ધર્મોનો સમયે સમયે ઉદય જ
છે. એવી રીતે આત્મામાં સમયે સમયે જ્ઞાનનો ઉદય છે. જે દેહોના ધર્મોનો આત્મામાં પ્રવેશ નથી, આત્માથી તદ્દન જુદા છે. એક પરમાણું પણ આત્માને સ્પર્શતો નથી. એવા દેહોમાં ગમે તેવો બળવાન ઉદય હોય પણ તે આત્મામાં લાભ હાનિ કેવી રીતે કરી શકે આવું નિરંતર વિચારવું અને તપાસવું. તપાસનાર આત્મધારા છે અને આત્મધારા નિર્મળ શુદ્ધ હોવાથી દેહના ધર્મો દેખાય છે જે કર્મધારા છે. બંને ધારા એક બીજાનું કાંઈ કરી શકે નહિ. કર્મધારાને તો પોતાના અસ્તિત્વની પણ ખબર નથી. જો આપણે જાગૃતિ રાખીએ, ભલે વિચાર વડીએ જાગૃતિ રાખીએ તો પણ દેહાધ્યાસ ઘણો ઘટે છે. આપણે તો મુક્ત થવાની તીવ્ર જિજ્ઞાસા (રૂચિ) અને સાંસારિક માયીક પદાર્થો તરફ ઉદાસીનતા જોઈએ. જેટલું વૈરાગ્ય અને જાગૃતિનું બળ વધારે એટલો વધારે ફાયદો થાય. જ્ઞાની પુરૂષોએ વસ્તુ વિચાર વિના ક્ષણ પણ ન રહેવું એ ખાસ ભલામણ કરેલ છે. એજ.
દઃ છોટાલાલની શુભાશીષ 0 પત્ર નં. ૫૮
સાયલા, તા. ૨૬-૪-૧૯ ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
હવે કાગળ લખતાં ઘણો જ કંટાળો આવે છે પછી તે કાગળ છે. વહેવાર સંબંધી હોય કે પરમાર્થ સંબંધી હોય,
અનાદિકાળના પરિભ્રમણમાં જીવે પોતાના સ્વરૂપના અજ્ઞાનથી જે 1 જે પર્યાયે જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં તે પર્યાયમાં અને તે પર્યાયની સંતતિમાં
એકતા બુદ્ધિ કરેલ છે. એટલે રાગ- દ્વેષના પરિણામ ઉભા જ રહ્યા છે
છે. અને રાગ-દ્વેષના પરિણામનું નિમિત્ત પામી જીવના પ્રદેશોમાં ! જ એકક્ષેત્રાવગાહે રહેલો કાર્મણ વર્ગણાનો પુદ્ગલ પીંડ જ્ઞાનાવરણાદિક જ કર્મરૂપે પરિણમે છે. અને જ્ઞાનાવરણાદિક કર્મનું નિમિત્ત પામી જીવ
૩૬૮
શ્રી સૌભાગ્યાભાઈ અને સાયલા છે
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #406
--------------------------------------------------------------------------
________________
* દ્વેષ રૂપે પરિણમે છે. આવી રીતે અજ્ઞાનથી સંસાર ઉભો જ રહે છે. તે છે પછી ભલે સારી ગતિ થાય કે ખરાબ ગતિ થાય. પણ જન્મ મરણનો ફેરો મટે નહી. દા. ત. મનુષ્યદેહે શરીર એ વેદનાની મૂર્તિ છે. તેમાં શાતાવેદની અગર અશાતાવેદનીનો ઉદય હોય જ. વેદનીની સાથે મોહિનીનો ઉદય અજ્ઞાનપણે હોય જ. શુભકર્મના ઉદયે જીવમાં રાગહેષ પરિણામ થાય. અને અશુભ કર્મના ઉદયે પણ રાગ-દ્વેષ પરિણામ જ થાય જ. જીવ આ બંને પ્રકારનાં ઉદયમાં જાગૃત રહી, પોતે જ્ઞાનસ્વરૂપ |
છે, કારણ જીવ દ્રવ્યમાં જ્ઞાન ગુણ અને ઉપયોગ લક્ષણ રહ્યું છે. અને 4 કર્મનાં સારા: નરસા ઉદયમાં તે ગુણ લક્ષણ નથી. એવી જાગૃતિ 4 રાખી, પોતે શાતા- અશાતા અથવા સર્વે કર્મદશાથી ભિન્ન છે, એવી પરિણામધારા કેળવે તો અત્રે જ પોતાનું મુક્તપણું અનુભવે.
પછી તો જીવ પોતાના જ્ઞાનમય સ્વભાવને સુખરૂપ માને અને કર્મનાં ઉદયમાં આકુળતાવાળા ભાવોને (શુભ-અશુભ) દુ:ખ રૂ૫ માને છે તો જ્ઞાન અને વૈરાગ્ય બંને શક્તિઓ સાથે વિકસતી જાય છે. અને છે
દશા થયે તો એકલી ચેતના જ અનુભવાય છે. ચેતના સિવાય બીજું જે જ કાંઈ છે. તે સંયોગમાં જીવથી જુદુ ને જુદુ જ રહેલું છે. મતલબ, જ
જાગૃતિ રાખી કર્મના ઉદયમાં થતું અહમ્પણું અને મમત્વપણું જ મટાડવાનું છે. જેટલી વૈરાગ્ય શક્તિ વધારે તેટલી જ્ઞાન શક્તિનો વધારે ઉઘાડ થાય છે.
મતબલ પુણ્ય પાપનો ધંધો ઉધારીઓ છે. આ તો રોકડીઓ નફો છે. જેમ જેમ જ્ઞાનદશા વધશે તેમ તેમ સંસારનાં કર્મો સાવ નિરસ જેવા લાગશે. અને જે જીવને સંસારનાં પરિણામ અને કાર્યોમાં નિરસતા જણાતી હોય અને પોતાની ચેતનામય રમણતા સારભૂત લાગતી હોય, કે તેના સંસાર સંબંધી કાર્યો સાવ લુખા હોવાથી કર્મબંધ થતો નથી.
જ્ઞાન-જાણવા રૂપ શક્તિ
(4) શેય-હંમેશા પોતાની મેળે કોઈની સહાય વિના જાણનારી જ શક્તિ . છેશાતા - અનંત શક્તિએ બિરાજમાન વસ્તુ માત્ર.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
356
For Personal & Private Use Only
WWW.jainelibrary.org
Page #407
--------------------------------------------------------------------------
________________
એવા ત્રણ ભેદે મારું સ્વરૂપ માત્ર છે. :
આ સમજાવવાના માટે ત્રણ ભેદ કહ્યાં છે. બાકી તો રાત દિવસ આપણે ભગવાન આત્મા છીએ.
જો વિચાર કરશો તો કર્મનો ઉદય એકલો હોય જ નહિ. બાજુમાં સાથો સાથ જ્ઞાન હોય જ. હંસ દૂધ પાણી ભેગા હોય તેમાં દૂધને જ ઉપાડે છે. તેમ આપણે કર્મદશા વખતે જ્ઞાનને જ મુખ્ય કરવાની જરૂર છે. આ કાગળ ભાઈ જગજીવનભાઈ તથા નંદલાલને વંચાવશો. ભાઈ નંદલાલ ભલે કાગળની કોપી કરી રાખી રોજ વાંચી જાય.
લિ. છોટાલાલનાં શુભાશીષ D પત્ર નં. ૫૯
સાયલા, તા. ૯-૫-૧૯ ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જીવને દેહધારીપણુ છે. ત્યાં સર્વે કર્મદશા (આધિ, વ્યાધિ, ઉપાધિવાળી) રહેલ છે. તેથી જરા પણ નહીં મુંઝાતા કર્મદશા-શુભાશુભ તરફ ઉદાસીન ભાવ રાખી. આપણે તો શરીરમાં જીવતા જાગતા
ચૈતન્ય મૂર્તિ છીએ એવી જાગૃતિ રાખવાથી છ મહીનામાં તો ઘણો ફેર છે દેખાશે. આત્મ દ્રવ્યમાં ઉપયોગ લક્ષણ અને જ્ઞાનગુણ છે. જેથી તે પોતે છે.
પોતાને પણ જાણે છે. અને કર્મદશાને પણ જાણે છે. કર્મદશા એટલે શુભાશુભ ભાવો તથા દેહની શાતા અશાતા વગેરે ભાવો. રાગદ્વેષ | મોહ પરિણામ કરે છે એ જ મૂળમાં મિથ્યાત્વ છે. તેમાં જાગૃતિ રાખો
એટલે મિથ્યાત્વ ટળતું જાય. મિથ્યાત્વ જાય એટલે અવિરતિ, પ્રમાદ, કષાય ટળતા જાય. આ તો જ્ઞાનીઓની એક ચાવી જ છે. જે ચાવી વડે છે અજ્ઞાન રૂપી સર્વે તાળાં ઉઘડી જાય.
રાત દિવસ પોતાના જ્ઞાન સ્વભાવનો મહિમા જોઈ જીવને પાંચ જ્ઞાન ઇંદ્રિયો તથા મનના વિષયમાં એકત્વ બુદ્ધિ થઈ છે તે સ્થાનો છોડાવી પોતે પોતામાં જ એકત્વ બુદ્ધિ...
30
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
કે ગમે તેવી કર્મ દશાથી નહિ મુંઝાતા તે તરફ ઉદાસીન રહી આપણો તે છે. જ મહિમા જોવો.
દર છોટાલાલની શુભાશીષ ! પત્ર નં. ૬૦ .
સાયલા, તા. ૨૪-૯-૯૬ ભાઈશ્રી છોટાલાલાભાઈ, કલકત્તા
આપણે આ શરીરમાં જીવીએ છીએ, જાગીએ છીએ એવો આપણો સ્વભાવ કાયમ છે. બીજા બધા શરીરના ધર્મો પણ એ જ જ્ઞાનસ્વભાવ વડે જ જણાય છે. વળી બે પાંચ મિનિટની વારે ઘડીએ ફૂરસદ લઈ શાંત ચિત્તથી તપાસશો. કારણ તપાસનાર પણ આપણે જ છીએ. પાંચ જ્ઞાન-ઇન્દ્રિયો એનું કામ કરે છે. મન, સંકલ્પ, વિકલ્પ કરે છે. શરીરમાં શાતા અથવા અશાતા (શારીરિક અથવા માનસિક) આ બધાની શરત રાખનાર-જ્ઞાન સ્વભાવવાળા શાંત આપણે છીએ. પ્રસંગો પડતાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, ભય શોક વગેરે બધી પ્રવૃતિઓ ઊઠે તેના આપણે જાણવાવાળા અને તે બધાથી આપણે જુદા છીએ. આવું અવલોકન જ કરવાનું છે. એટલે આપણને આપણી પ્રતીતિ ચેતન તરીકે થાય અને બીજું બધુ પર દ્રવ્ય છે.
દ: છોટાલાલના શુભાશીષ ! પત્ર નં. ૧૧ જ
સાયલા, તા. ૨૨-૮-૧૯ ના છેભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા છેજત તમારું પોસ્ટકાર્ડ તા. ૧૭/૮ નું લખેલ મલ્ય વાંચી બીના છે
જાણી
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૩૭૧
For Personal & Private Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
તમને જગજીવનભાઈનો સત્સમાગમ મળે છે અને એ રૂચે છે, જે એટલે જ આ માર્ગમાં આગળ વધવાની તમારી રૂચિ વધતી જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે પરમાર્થ માર્ગની જિજ્ઞાસાવાળો માણસ આગળ ! વધી શકે. જિજ્ઞાસા તીવ્ર હોવી જોઈએ.
જ્યાં સુધી જીવને દેહધારીપણું છે ત્યાં સુધી દેહે કરીને ક્રિયા તો કરવી જ પડે છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જીવની એવી ' બુદ્ધિ રહે છે જે હું દેહ છું. અને જે કાંઈ ભાવ ઉત્પન્ન થાય ત્યાં છે. પોતાપણું માની તે અનુસાર શુભ ક્રિયા કરે છે તેમાં રંજાયમાન થાય જ છે અને અશુભ ક્રિયા કરે છે ત્યાં દ્વેષ થાય છે. એટલે ક્રિયા-જડને તો જ
એવો નિશ્ચય ન ફરે ત્યાં સુધી છૂટવાનું નહીં અને શુષ્ક જ્ઞાની તો મોઢેથી વાતો કરે છે. જે જીવ અને દેહને લેવા દેવા નથી-બંને દ્રવ્યો, જે બંને દ્રવ્યોના ગુણો અને બંને દ્રવ્યોની પરિણતિ જુદી છે. આમ શાસ્ત્રનો છે આશ્રય લઈને માને કે મને બંધ થતો નથી. પણ જે પુરૂષો પ્રાપ્ત ! પુરૂષના સત્સંગમાં આવે છે, તેને તો સદીય છૂટવાની જરૂરત રહ્યા છે કરે છે, અને કર્મના ઉદયમાં તથા ઉદયથી જે ક્રિયા કરવી પડે તેમાં તે | બહુ જ ઉદાસીન રહે છે.
તમો અહીં રૂબરૂ હો તો ઘણા પ્રકારની સમજણ જુદા જુદા શાસ્ત્રોના આધારે આપી સમજાવી શકાય અને સમજણ પૂરી થયે જીવ ! મજાથી સંસારમાં ઉદાસીન ભાવે રહી શકે છે. તમારે તો ફક્ત એટલું કે છે જ કરવાનું કે જેમ આત્મદ્રવ્યમાં જ્ઞાનનો ઉદય ધારાવાહી છે. તેમ છે ? શરીરમાં કર્મનો ઉદય પણ ધારાવી છે. જે શુભાશુભ કર્મ ઉદય આવે ! છે. તેમાં પણ તમો જ્ઞાન સ્વરૂપ છો. ઉદય અનુસાર જે શુભાશુભ નવાં છે
કર્મો કરવા પડે તેમાં પણ તમો જ્ઞાન સ્વરૂપ છો. આમ જાગૃતિ વધારો તો શુભાશુભ કર્મ ઉદાસીનપણે થાય. અને આપણે જ્ઞાન સ્વરૂપ હોવાની જ ભાવના એને જ જાગૃતિ કહેવામાં આવે છે. અભ્યાસ વધી જવાથી જ્ઞાન સ્વરૂપ આત્મા એવો ઝળહળતો પ્રગટ થશે કે આપણને લાગે કે આ આવી સ્થિતિમાં કર્મબંધ પડે જ કઈ રીતે ? પણ આવું તો કોઈક છે. જીવને અભ્યાસ વધતા બને. પછી તો મડદાની ક્રિયા સાવ લુખી લાગે
૩૭ર
શ્રી સોભાગ્યાભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
તમોએ લખ્યું જે સત્સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય સમજીએ છીએ. આવા પ્રકારના સત્સમાગમ ઉપાસવામાં જીવને ઘણા ઘણા છે. ' અંતરાય કર્મો પણ અડચણ રૂપ આવી જાય છે, તો તેવા અડચણકારક !
કર્મોના નિવારણ માટે શું પ્રયત્નો-શું પુરૂષાર્થ કેળવવાથી તે દૂર થઈ જ શકે. સત્સમાગમમાં ભલે અંતરાયો આવી પડે. પણ ઉપર લખી
જાગૃતિમાં તો અંતરાય કોઈ નથી. જીવમાં જેટલો વૈરાગ હોય એટલો છે જ અભ્યાસ કરી શકે. અને વૈરાગ્ય અભ્યાસ વચ્ચે આ દેહે ઝળહળતો
આત્મા પ્રગટ થયા વિના રહે નહિ. આત્મા પ્રગટ થયા પછી કર્મની ચિંતા રહેતી જ નથી. ઉદય અનુસાર ઉદાસીન ભાવે ક્રિયા પણ છે કે થતી રહે અને આત્મા રોજ નિરાવરણ થાય. બાકી તો કોઈક દિવસ ભેગા થઈએ તો ઘણા ખુલાસા થઈ શકે. કાગળની પહોંચ લખશો.
દ: છોટાલાલ જીવ કેવળ જ્ઞાન સ્વરૂપ દેહથી જુદો હોવા છતાં સ્થૂળ દેહમાં તથા કર્મના ઉદયમાં દેહથી નવા કર્મ કરે છે. તેમાં પોતાપણું મનાયેલું છે તે જ જાગૃતિ રાખે કર્મોથી છૂટવાનો ઉપાય છે. પછી ભલે ગમે તે સંપ્રદાયનો હોય ગમે તો સાધુ હોય, ગમે તો ગૃહસ્થાવાસમાં હોય, ગમે તે સંપ્રદાયમાં હોય, પણ દેહધારીપણે કર્મના ઉદયમાં નવાં કર્મ કરે છે, તેમાં અને વિભાવ પરિણામને લીધે જ્યાં સુધી કેવળજ્ઞાનથી નીચેની
ભૂમિકામાં રાગ દ્વેષ ચારિત્રમોહને લીધે હર્ષ-શોક, સુખ-દુ:ખ વગેરે . બધી દેહની અવસ્થામાં પોતે જ્ઞાનસ્વરૂપ આત્મા છે. એવી જાગૃતિ | રાખવાથી ધીમે ધીમે કર્મ અવસ્થાનો અભાવ (કર્મક્ષય) થશે. જેમ તેમ કરીને પોતે જળહળતો આત્મા છે, એવી ખાત્રી કરવાની છે. એવો નિશ્ચય બળવાન કરવાનો છે. કર્મની ચિંતા કરવાની નથી. પણ કર્મ પર અવસ્થામાં પોતે આત્મા છે, એ ચિંતા રાખવાની છે. વધારે ખુલાસાની જ જરૂર હોય તો આ કાગળ વાંચી જગજીવનભાઈ તમને સમજાવશે.
દ: છોટાલાલ !
શ્રી સોભાઈ સી સલા
૩૭3
For Personal & Private Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Ð પત્ર નં. ૨ બ
ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
તમારૂં પોસ્ટકાર્ડ તા. ૨૭/૮નું મળ્યું. વાંચી આનંદ. ૫રમારથ માર્ગ ભણી તમારી જિજ્ઞાસા જોઈ પ્રમોદ થાય છે. જગજીવનભાઈના સરનામે એવી જ રીતે સમયસાર કળશમાંથી ગાથાઓના અર્થ શીખે, લખી મોકલાવતો રહીશ. તમોને બે ગાથા મોકલ્યા પછી પણ બીજી બે ગાથાઓ લખી મોકલેલ છે. ગાથાના અરથ શીખે તમો એક નોટબુકમાં ઉતારી લઈ રોજ વાંચશો, વિચારશો તો એ બાબતના સંસ્કારો તમારા હૃદયમાં જામી જશે, અને જાગૃતિ વધી જશે. કૃપાળુદેવ લખે છે. “કેવળ અંતર્મુખ ઉપયોગે સતત જાગૃતિ એને તીર્થંકર ધર્મ કહે છે. એક પણ સમય બહિર્મુખ ઉપયોગ ન થવા દેવો તેને તીર્થંકર માર્ગ કહે છે. રાત દિવસ સર્વે પ્રાણીઓનો આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ, કેવળ પ્રકાશ સ્વરૂપ અને શરીરના સ્થૂળ તથા સૂક્ષ્મ ધર્મોથી અસંગ છે. આ એ વાત લોકોએ સાંભળી પણ નથી. અને સાંભળી હોય તો એવું આરાધન કર્યું નથી. જીવ બળિયો થાય તો છ માસમાં પૂરેપૂરો સમ્યગ્ દૃષ્ટિ થાય. આ તો આત્મા ઉપર અનાદિથી અજ્ઞાનને લીધે હું શરીર છું, એવો બુદ્ધિભ્રમ થયો છે. તે જ અસંગ આત્માની ભાવના કરી ભ્રમ કાઢી નાખવાનો છે.
૩૭૪
સાયલા, તા. ૩૦-૮-૬૯
દ: છોટાલાલની શુભાશીષ
Ð પત્ર નં. ૬૩ G
ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
હું તા. ૫/૧૨ મુંબઈ ગયેલો ત્યાંથી તા. ૫/૧ના રાત્રે ખુશીથી આવેલ છું. એક માસ મુંબઈ રોકાણો. બોરીવલી, અંધેરી, માટુંગા
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
સાયલા, તા. ૯-૧-૭૦
For Personal & Private Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
વગેરે ઠેકાણે સત્સંગી ભાઈઓ બેનો મળતા હતા. બીલીમોરા, માણેકસાગરજી મહારાજ પાસે ત્રણ દિવસ રોકાણો હતો. તેઓ પણ
અધ્યાત્મના અભ્યાસી છે. રાત દિવસ જ્ઞાન સ્વરૂપ આત્મા તેજસ, જ કાર્મણ તથા સ્થલ-ત્રણે શરીરોનાં ધર્મોથી ભિન્ન છે. આવો અભ્યાસ જ
કરો જેથી હું દેહ છું એવી બુદ્ધિ નાશ પામે તથા હું આત્મા છું-એવું દ્રવ્યત્વ થતું જાય. વાંચ્યું છે. વિચાર્યું છે, ઘણું પણ પ્રેક્ટીકલ નોલેજ છે (જ્ઞાન) વિના ભવભ્રમણ ઊભું રહેશે.
દઃ છોટાલાલના શુભાશીષ . એ પત્ર નં. ૬૪ ૯૪
સાયલા, તા. ૨૯-૩-૭0 કે જ આત્માર્થી ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
આદિથી જીવે પોતાના સ્વરૂપના અજ્ઞાનથી-સ્થૂળ શરીર અને પાંચ જ્ઞાન ઇન્દ્રિઓ તથા મનના વિષયોમાં એકત્વ બુદ્ધિ કરી પોતાનો સંસાર વધાર્યો છે અને વધારતો આવે છે. હવે ખરો સત્સંગ થયા પછી પાંચ જ્ઞાન ઇન્દ્રિયો અને મનના વિષયોથી પોતાનો જ્ઞાન સ્વરૂપ આત્મા
તદ્દન ભિન્ન અને અસંગ છે. આવી સતત જાગૃતિ રાખી ચેતને પોતાનો ૨ ટેકો પુદ્ગલમાંથી પાછો ખેંચી લેવાનો છે, એટલે દેહાધ્યાસ સહેજે જ
ટળી જશે. પહેલા જ મહેનત છે. પણ પછી તો બાદશાહી છે. એ વૈરાગ્યવાન તીવ્ર મુમુક્ષુને માટે રસ્તો ઘણો જ સરળ છે.
દ: છોટાલાલના શુભાશીષ - - ) પત્ર નં. ૬૫ %
સાયલા, તા. ૯-૭-૭૦ ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા પરમપદની પ્રાપ્તિ-અપૂર્વ અવસર, આત્મસિદ્ધિ તથા ભક્તિમાર્ગનું !
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૩૭૫
For Personal & Private Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
રહસ્ય એ ત્રણ પુસ્તકો વાંચો છો તે બરાબર છે, બાકી તો સંસારના પદાર્થો તરફ કેવળ ઉદાસીનતા સેવી આપણો જ્ઞાન સ્વભાવ જીવતો જાગતો ચેતન દેહ તથા મન અને ઇન્દ્રિયોના વિષયોથી જુદો અને અસંગ છે. એમ કરેડીયા કરી આરાધના થાય તો જ્ઞાન સ્વભાવ સિદ્ધ થઈ શકે છે અને જ્ઞાન સ્વભાવ સિદ્ધ થાય તો જ સ્વરૂપ સુખનો આનંદ અનુભવાય. અપૂર્વ અવસરમાં .
દર્શનમોહ વ્યતિત થઈ ઉપન્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી જ પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીયે,
વરતે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. છે. એક બાજુ નિરંતર શુદ્ધ સ્વરૂપ અનુભવાય અને બીજી બાજુ
આપણા જ્ઞાનમાં આપણો દેહાધ્યાસ ભાસે. જે દેહાધ્યાસ ક્ષીણ થયે | ચારિત્રમોહ ગયો કહેવાય. રાત દિવસ દેહના અને મન તથા ઇન્દ્રિયોથી :
જુદાપણું જાણી આત્મ જાગૃતિ એજ ખરો ઉપાય છે. જે ઉપાયના 1 પ્રવર્તવાથી દેહધારીપણે આપણું મુક્તપણું અનુભવાય.
દ: છોટાલાલના શુભાશીષ 0 પત્ર નં. ૬૬ છ પરમ ઉપકારી આત્મનિષ્ઠ ગુરૂવર્ય સદ્ગુણાનુરાગી મુનીશ્રી નાનચંદ્રજી , સ્વામીના ચરણકમળમાં આત્મભાવે ત્રિકાળ નમસ્કાર હોજો. સાયલાથી લી. છોટાલાલ મગનલાલ
આપશ્રીનો કૃપાપત્ર મળ્યો. વાંચી અત્યંત આનંદ થયો છે. આપશ્રીના પગે હજુ જેમ ને તેમ છે. ફાયદો નથી તેથી અમને અફસોસ થાય છે. તે દેહાદિક સ્થિતિ પ્રારબ્ધ અનુસાર ભોગવવી જ પડે તે આપશ્રી તો , જાણો છો. આપશ્રી અમારા મંડળને વારંવાર યાદ કરો છો, તેથી અમારા અહોભાગ્ય માનીએ છીએ. મહાત્માઓ નિષ્કારણ કરૂણાશીલ
૩૭૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
હોય તે તો આપ અમારા ઉપર એટલી દયાની લાગણી દર્શાવો છો તેથી આપને ધન્ય છે. બધા મુમુક્ષુઓ નિયમિત તો નહીં પણ ઘણા ભાગે કાયમ ભેગા થવાનું બને છે. તેમજ અધ્યાત્મસાર રતિભાઈના ઘરે લાડકચંદભાઈ વાંચે છે. જ્ઞાનામૃતપાન કહેવું સહેલું છે. કરવું જરા કઠીન છે. રસપાનના માટે મોરબી વિગેરેના મુમુક્ષુઓ કરે છે તે ઠીક છે. પણ એકલા રસપાનથી કાંઈ જોઈએ તેવી દશા અનુભવી શકાતી નથી. સૌને જિજ્ઞાસા અને પ્રેમ પ્રફુલ્લિત રહે તો ઘણી વાત છે. મારે માટે તથા લાડકચંદભાઈને માટે રસનિમગ્નપણાનું આપશ્રી આરોપણ કરો તો ભલે અમે તો હાલ મારગના મુસાફર છીએ. આપ મોટા છો એટલે અમને મોટા જ કરી બતાવો. પણ અમે તો આપની ચરણરજના ઉપાસક છીએ. આપના તરફથી કાળીદાસભાઈ તથા લાડકચંદભાઈ ! છે વિગેરેને પ્રભુ સ્મરણ કહેલ છે. આપશ્રીને હાલ નિવૃત્તિ જોગ વિશેષ છે.
છે. તેથી સ્વરૂપાનુસંધાનમાં અનુકૂળતા ગણાય. વાંચવા વિચારવાની ફૂરસદ પણ સારી રહેલ છે. એટલે શ્રીમાનું સુશીલ યોગાન અરવિંદ ઘોષના પુસ્તકો આપ વાંચો છો, વિચારો છો તે ઘણી સારી વાત છે. હું ઇચ્છિત સિદ્ધિ ગમે તે રસ્તે પ્રાપ્ત કરવી, કોઈને લાંબે રસ્તે ને કોઈને ટૂંકે રસ્તે પણ ધ્યેય પ્રાપ્ત થાય તો જ બધો પરિશ્રમ લેખે છે. નહીં તો
તે પરિશ્રમ વ્યર્થ છે. આપ તો બધું સમજો છો માટે આપને કાંઈ . જ લખવાને અમે યોગ્ય જ નથી. આપના પ્રત્યે આંતરિક પ્રેમ બહુ ઉલ્લસે છે છે. માટે સહેજ લખી જવાય છે. અમારા બધાના સંત તો હાલ તમે ! લાગો છો તે ત્યાં છો બાકી તો કોઈ નથી. મણીભાઈ તથા ત્રંબકભાઈને આપે પત્ર લખ્યો તે જાણ્યું. અધ્યાત્મસાર ટીકા સહિત આપે મંગાવ્યો છે પણ તે પુસ્તક ટીકા વગરનું છે, આપ લખો તો મોકલાવું. ટીકા સહિત | તે નવું પુસ્તક છપાયેલ નથી. ફક્ત પ્રકરણ રત્નાકરના પહેલા ભાગમાં
અધ્યાત્મસારના શ્લોકમાં ટીકા ભરેલ છે. તો ત્યાં દેરાસર અથવા જૈન 1 લાયબ્રેરીમાં મળે તો તપાસ કરાવશો. પ્રકરણ રત્નાકરના બધા ભાગો !
વાંચવા વિચારવા જેવા છે. તે તો આપની દૃષ્ટિ બહાર નહીં હોય. જ છે માટે તે પુસ્તક બાબત લખો તેમ કરૂં.
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
૩૭૭
For Personal & Private Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
ત્યાં આવવાના માટે તથા આપના દર્શનની અભિલાષા કોને ન જ હોય અર્થાત્ તીવ્ર ઇચ્છા જ છે. પણ અંજળને હાથ વાત છે.
રતભાઈ તથા વ્રજલાલભાઈ કાળીદાસભાઈ તથા લાડકચંદભાઈ તથા જેઠાભાઈ વિગેરે તમામ મંડળે આપશ્રીને નમસ્કાર કહેવડાવ્યા છે. તે આપ સ્વીકારશો. એજ સંવત ૧૯૯૭ના શ્રાવણ સુદ ૪ સોમવાર તા. ૨૮-૭-૪૧
પ્રકરણ-૬ શ્રી લાડકચંદભાઈ માણેકચંદભાઈ વોરા પૂ. ગુરુદેવ શ્રી લાડકચંદભાઈ વોરાનો જન્મ સંવત્ ૧૯૬૧ના છે ફાગણ સુદ ૨, તા. ૮-૩-૧૯૦૫ના રોજ સાયલા તાબે ચોરવીરા ગામમાં પૂ. માતુશ્રી હરિબાઈની કૂખે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ માણેકચંદભાઈ છે.
ઉમર વધતા તેમને ભણવાની વ્યવસ્થા કરવાની હતી, અને તે મુજબ ચોરવીરા ગામમાં નિશાળ ન હોવાથી સરા ગામે ભણાવવાની વ્યવસ્થા થઈ, તે મુજબ માણસ સાથે ઘોડા ઉપર બેસીને ભણવા જતા હતા. એક દિવસ જેપુર ગામની સીમમાં બાપુએ (ઠાકોર સાહેબે) પોતાની ઘોડાગાડી ઉભી રાખીને પૂછ્યું “છોકરાઓ, તમને ભણવાનું આટલું બધું દુ:ખ છે?” પછી પોતાની પાસેથી એક સ્વાર આપીને સરા ગામે તેમના મામાને ત્યાં મોકલી આપ્યા અને પહોંચ લાવવા કહ્યું. - સરા ગામમાં મામાને ત્યાં રહીને એક વર્ષમાં ત્રણ ધોરણ પુરા છે કર્યા. તે ઉમરે પણ તેમનામાં ધર્મભાવના ભરેલી હોવાથી સવારે દરરોજ દેરાસર પૂજા કરવા જતા અને સાંજના આરતી ઉતારવા જતાં. આ એમનો નિત્યક્રમ હતો.
ભણવામાં એટલા બધા હોંશીયાર હતા, કે ત્રીજા ધોરણમાં હોવા
૩૭૮
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
જળી :
પ.પૂ. શ્રી લાડકચંઠ માણેકચંદ વોરા
(પૂ. બાપુજી) સંવત ૧૯૬૧ ના ફાગણ સુદ ૨, તા. ૮-૩-૧૦૫ ચોવીશ ગામે (થાન પાસે)
તા. સાયલા, જી. સુરેન્દ્રનગ૨ દેહવિલય : સં ૨૦૫૪ માગસ૨ સુદ ૧૦,
તા. ૯-૧૨-૭, મંગળવાર, સાયલા ગામે
For Personal & Private Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
છે છતાં સાતમાં ધોરણના લેખા-ગણીતમાં આગળ આવી જતાં મતલબ છે કે આખી નિશાળમાં તેઓ પહેલાં આવતા. શાળાના આચાર્ય શ્રી
ગુલાબચંદભાઈ માસ્તર તે બંને ભાઈઓ તરફ માયાળુપણે વર્તતા હતા. આટલા હોંશીયાર હોવા છતાં અન્ય માણસોને આનંદ કરતા જોતા ત્યારે તેમને અભ્યાસ કરવો એ વેઠ જેવું લાગતું અને નિશાળ ! એક કેદખાના જેવી લાગતી.
આ સમય દરમ્યાન ચોરવીરામાં નિશાળ થઈ અને તેઓ સરા ગામની નિશાળ છોડીને ત્યાં ત્રીજા ધોરણમાં દાખલ થયા. તે જમાનામાં આંક, ગણિત, પાઠ, કવિતા એ મુખ્ય વિષય હતા. તે નિશાળના છોટાલાલ માસ્તરનો ભણાવવા માટેનો અંત પણ ઓર પ્રકારનો હતો. છે
ચોરવીરા ગામે ચાર ધોરણ પૂરા કર્યા અને રાજકોટની દશાશ્રીમાળી વણીક જૈન બોર્ડિંગમાં બાર વર્ષની ઉંમરે દાખલ થયા અને ત્યાં કરણસિંહજી મીડલ સ્કુલમાં દાખલ થઈ અભ્યાસ શરૂ કર્યો. ભણવામાં શરૂઆતથી જ તેજસ્વી તો હતા જ અને તેમાં રાજકોટ આવ્યા બાદ વધારે સુવિધા મળવાથી તેમનું તેજ દિનપ્રતિદિન વધવા લાગ્યું અને તે તેઓશ્રી તેમના શિક્ષકના એક વહાલસોયા શિષ્ય બની રહ્યા. અભ્યાસમાં
ઓતપ્રોત રહીને પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થતા અને પ્રથમ નંબર : તેઓશ્રીએ આખર સુધી જાળવી રાખ્યો હતો. વળી ધાર્મિક વિદ્યાની છે પરીક્ષામાં પણ તેમનો પ્રથમ નંબર જ હોય.
બાળવયની ધર્મભાવના દિનપ્રતિદિન એટલી બધી પ્રબળ થવા લાગી કે તેમની ૧૭ વર્ષની ઉંમર થઈ તે અરસામાં જૈન ધર્મની અખિલ ભારતીય પરીક્ષામાં તેઓશ્રીએ બેસવાનું નક્કી કર્યું અને તે નિમિત્તે તેમણે “મોક્ષમાળા” કે જે આ પરીક્ષા માટે પાઠ્યપુસ્તક તરીકે નિર્ણિત કરવામાં આવ્યું હતું તેનો અભ્યાસ-અધ્યયન કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ પરીક્ષાના પરીક્ષક જન્મભૂમિવાળા શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હતા.
“આત્માને ઓળખો” એ પુસ્તકને આધારિત એક બીજી પરીક્ષા
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૩૭૯
For Personal & Private Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
I
w
જ એક વર્ષ પછી લેવામાં આવી. તેમાં પણ તેઓ બેઠા અને પ્રથમ
નંબરે પાસ થયા અને તે વખતે પણ બહુમાન કરી ઇનામ આપવામાં
આવ્યું હતું. કે આ શુલ્લક ઇનામ કરતાં અનેકગણું મૂલ્યવાન પારિતોષિક તો એ છે મળ્યું કે આધ્યાત્મિક માર્ગ પ્રત્યેની રૂચિ બળવત્તર બની.
ઉપરોક્ત બંને પરીક્ષા અખિલ ભારતના ધોરણે લેવાઈ હતી. જેમાં તેઓને પ્રથમ નંબર પ્રાપ્ત થતા તેમના આ ગૌરવભર્યા પરિણામથી રાજકોટમાં જ્યુબીલી ટાઉનહોલમાં તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું અને ઇનામ પણ આપવામાં આવ્યું. ' સંસ્થાની સેવા કરવા માટે પણ તેમની પસંદગી કરવામાં આવી હતી અને મંગળાચરણમાં તેઓનું ડેપ્યુટેશન ધ્રોળ, પોરબંદર, જેતપુર,
વેરાવળ થઈ ૧૫ દિવસની મુસાફરી કરી રાજકોટ શાળામાં દાખલ છે. થઈ ગયા.
હવે હાઈસ્કુલના વિદ્યાર્થી થયા અને પાંચમા ધોરણની પરીક્ષામાં પણ પ્રથમ નંબરે જ પાસ થયા. આ અરસામાં ગાંધીજીની ચળવળનું જોર પણ વધતું જતું હતું તેથી એક વખત કપડાની હોળીમાં વિલાયતી ટોપી બાળી નાખી અને ત્યારથી ખાદી પહેરવાની શરૂ કરી. છઠ્ઠા ધોરણમાં આવ્યા અને ત્યાં તેમનો ભવિષ્યનો નિર્ણય થવાનો હતો. આ પિતાશ્રીને ખૂબ જ સમજાવ્યા પણ તેમણે તથા માતુશ્રીએ કહ્યું કે માથું 1 પટકીને મરી જા તો પણ મેટ્રીક પછી આગળ ભણવાનું નથી. આ જ નિર્ણયનું કારણ એ હતું કે જ્યારે અખિલ ભારત જૈનની પરીક્ષામાં પહેલે નંબરે આવ્યા અને તેમનું બહુમાન થયું ત્યારે તેમના માતાપિતાને કોઈએ કહ્યું કે જો આગળ ભણાવસો તો કાં તો આ છોકરો સાધુ થઈ જશે અને કાં તો વિલાયત જશે.
હવે તેઓનું મંથન શરૂ થયું કે મેટ્રીક થઈને એક કલાર્કની લાયકાત છે મેળવવી તેના કરતા કોમર્શીયલ લાઈન લેવી. હેડ માસ્તરે બે ત્રણ કલાક સમજાવ્યા કે “તમારા જેવા વિદ્યાર્થી આ શાળામાં આવ્યા નથી
૩૮૦
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
છે અને તમે .C.S. થઈ શકો તેમ છો અને શેઠીઆઓ ખર્ચ આપવા ? તે તૈયાર છે. તેમનો જવાબ ફક્ત એ જ હતો કે, પૂ. પિતાશ્રીની આજ્ઞા 1 કેમ ઓળંગાય ? તે ઉમરે પણ આજ્ઞાનું પાલન એ જ તેમનો નિશ્ચય : જ હતો... ૧૮ વર્ષે મેટ્રીક થઈ ૨૫ વર્ષે લાઈન પર આવીએ એવા છે. બહોળા કામના પેટમાં શું સમાયેલું હશે તે કોને ખબર છે? અડધી જીંદગી ભણ્યા કરવું અને માતા-પિતાને મદદગાર ન થવું એ ઉચિત ન ગણાય. આ વિચારે આગળ ભણવાનું માંડી વાળ્યું અને છેલ્લા વર્ષના અભ્યાસક્રમમાં કોમર્સ લીધું. અને સાથે ડ્રોઈંગ ક્લાસમાં દાખલ થયા, તેમાં પણ પ્રથમ નંબરે આવીને સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું. બોડીંગના
કોઠારમાં પણ તેઓશ્રીએ છ માસ સેવા આપી. આ સમયમાં એન.સી. * HR- One More Feather was to be added in the
crownનો સ્કુલમાં ગુડ કંડક્ટ મેડલ મેળવ્યો. તે મેડલ મતથી મળતો ન હતો. હરીફ સ્કુલના હેડપ્રોફેક્ટ મેટ્રિકના હોંશીયાર વિદ્યાર્થી પરંતુ દૈવયોગે ઘણી રસાકસી બાદ તેઓને ૧૧૦ વિરૂદ્ધ ૧૦૬ મતે તે મેડલ મળ્યો. આ મેડલ સારી વર્તણુંક માટે હતો.
હેલ્થ અને હાઇજીન”નાં નિબંધમાં પ્રથમ નંબરે આવવાથી તેના ઇનામ તરીકે પોતે પોતાની પસંદગીથી મોક્ષમાળા, કર્મ, આત્માનો સંયોગ, જૈન વાંચનમાળા ભા. ૧, ગીતાજી એવા છ પુસ્તકો પ્રાપ્ત કર્યા અને વાંચ્યા. મેટ્રિકની પ્રીલીમનરીનો સમય તો આનંદ અને
એકસ્ટ્રા વાંચનમાં ગાળ્યો. ત્યાં તેઓ પ્રોફેક્ટ, મોનીટર અને ડીબેટીંગ * સોસાયટીના સેક્રેટરી હતા-બહુ પ્રવૃત્તિમય જીવન પસાર થતું. મેટ્રિકમાં છે 'A' ક્લાસમાં આવ્યા.
શાળામાં દિવાળી વેકેશન પડ્યું ત્યારે રાજકોટમાં શીતળાના વાયરા ચાલતા હતા અને તેઓશ્રી પણ તેનો ભોગ બન્યા હતા. પાંચ દિવસ પછી પિતાશ્રી આવ્યા અને સરા ગામે તેઓનું સગપણ કર્યાના સમાચાર આપ્યા.
હવે રાજકોટ છોડી ઘરે આવ્યા અને માતા નીકળેલ હોવાથી પંદર દિવસ પડદે રહ્યા. માતા બહુ ભારે ન હતા.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૮૧
For Personal & Private Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
' મેટ્રિકની પરીક્ષા આપવા મુંબઈ જવાનું હોવાથી સર્વેના આશિર્વાદ
લઈ મુંબઈ જવા રવાના થયા અને ગ્રાંટરોડ સ્ટેશને ઉતરી તેમના મિત્ર ' લીલાધરભાઈને ઘરે ગયા. મુંબઈમાં બે માસના રોકાણ દરમ્યાન અને છેપરીક્ષા પતી ગયા પછી જોવાલાયક સ્થળો જેવા કે-
વિક્ટોરીયા ગાર્ડન, કે હંગીંગ ગાર્ડન, મ્યુઝીયમ, ચોપાટી, પાલવાબંદર વગેરે જોયા. તેઓને મુંબઈમાં હદથી ઓર આનંદ આવવા લાગ્યો. જીવન બદલવાનું હતું. આ લગ્ન થયા.
વિદ્યાર્થી જીવન સમેટી લઈ, તેની મહેનતનું પરિણામ અને જ ગ્રહસ્થાશ્રમમાં દાખલ થવાનું આ વર્ષમાં નિર્ધારિત હતું. ડ્રોઇંગની છે
ફાઈનલ પરીક્ષા, મેટ્રીકની પરીક્ષા તથા લંડન ચેમ્બર ઓફ કોમર્સસીનીયરના પરીણામો પણ હવે આવવાના હતા. વળી આ જ વર્ષમાં સંસ્થાની સેવા ઉઠાવવા કરાંચી બંદરે ગયા.
તે સમયે કરાંચી બંદર હિન્દુસ્તાનનું ત્રીજા નંબરનું બંદર હતું. તે ત્યાં વરસાદ બહુ જ ઓછો. ત્યાં વાહનો ઊંટ અને ખચ્ચર ખેંચે, લોકો ખચ્ચર પર સ્વારી પણ કરે. જૈનની વસ્તી લગભગ બે હજારની | હશે અને ગુજરાતીની વસ્તી ચાલીસેક હજારની હશે. પર્યુષણ પર્વ
ત્યાં કર્યા અને ૨૬ દિવસ રહીને, નાના પ્રકારની મોજ માણીને ૪ છે. રાજકોટ આવ્યા.
ડ્રોઇંગની આખરી પરીક્ષા રાજકોટમાં આપી. મેટ્રિકની પરીક્ષાનું * ફોર્મ તો હેડમાસ્તરે પરીક્ષા લીધા વગર જ ખુશીથી આપી દીધુ હતું.
રાજકોટમાં મહાવીર જયંતિનો દિવસ ઉજવ્યો હતો અને તે દિવસે તેઓશ્રીએ મહાવીર સ્વામીનાં જીવનવૃતાન્ત વિષે ભાષણ કરેલ તેમ આ જ ઘણા “પાઠો” પણ ભજવ્યા હતા. - હવે કમાવા તરફ લક્ષ રાખવાનું હતું. હજુરશ્રી (દરબાર)એ તેમને ઘણા સમજાવ્યા પણ સ્ટેટના પગાર ઓછા હોવાથી તેઓશ્રી મુંબઈ ગયા. ત્યાં થોડા દિવસ રહ્યા એટલામાં હજુરશ્રીએ તાર કરી પાછા જ બોલાવી લીધા, કારણ કે હજુરશ્રીની લાગણી તેઓ તરફ બહુ હતી.
૩૮૨
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
કે અહીં આવ્યા પછી હજુરશ્રીએ પગાર રૂ. ૨૫/- આપવાનું જણાવ્યું. જે
કેમ મન માને ! એક કલાકનો ચાર્જ ! મન આકુળ-વ્યાકુળ થવા લાગ્યું તેની અસર તંદુરસ્તી ઉપર થઈ. બહુ માંદા પડ્યા.-નવો અવતાર આવ્યો. ના મરજીએ પરાણે રૂા. ૪૦/- કબુલ કરી હજુરશ્રીનું મન જ મનાવવા રહ્યા હતા. તે દરમ્યાન કાયદાનો ણ અભ્યાસ કરતા હતા. દરેક પ્રકારનું સુખ પણ પગાર ઓ.એ. થોડો વખત રહી. હજુરશ્રીનું મન મનાવી ફરીથી પાછા મુંબઈ જવા વિચાર હતો.
એમની આ જીવનકથા તેઓશ્રીએ તા. ૧૮-૧૧-૨૪ સંવત્ ૧૯૮૧ના કારતક વદ ૮ને મંગળવારના રોજ લખેલ.
હવે તેઓશ્રીના જ શબ્દોમાં : મારા ઉપર સારા સંસ્કાર પડવાના ઘણાં કારણો છે તેમાંના કેટલાક :(૧) મારા માતુશ્રીનો સ્વભાવ અને દયાવૃત્તિ : તેના આંગણેથી ભાગ્યે જ કોઈ અભ્યાગત પાછું જતું હશે. તેઓ એક આદર્શ સ્ત્રી હતા અને મારા માટે એક આદર્શ માતા હતા. છપ્પનનાં દુષ્કાળમાં સવારમાં ડેલી ઉઘાડે ત્યાં દુષ્કાળીઆ લાઈનમાં ઊભા હોય, બધાને ખાવાનું જ આપે. ગામમાં તાવ વિગેરે માંદા માણસોની તપાસ કરાવી દવા તથા ખાવાનું મોકલાવે. આમ આખી જીંદગી માવજત ચાલુ હતી.
પૂજ્ય પિતાશ્રી એકદમ ભોળા હતા. બધા તેમને લાલજી મહારાજ જ કહેતા. છે(૨) મોટાભાઈના સ્વભાવાનું તો મૂલ્ય જ ન થાય, અને તેમના
મુખેથી કોઈને અપમાનીત શબ્દો બોલાશે જ નહીં અને ખોટું કંઈ પણ જ કરશે જ નહીં.
(૩) મારે એક બ્લેન છે તેનો પણ સ્વભાવ તેવો (મોટાભાઈ જેવો) છે અને એક આદર્શ સ્ત્રી તરીકેના સર્વ ગુણ તેનામાં છે. ઉપરની ત્રણે વ્યક્તિઓના આચરણ અને સ્વભાવથી અને તેઓના
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૩૮૩
For Personal & Private Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
સંસ્કારથી મારામાં પણ સારા સંસ્કારનું સીંચન થયું.
તેઓશ્રીનું વિદ્યાર્થી જીવન સાધુ જીવન જેવું ગએલું. રાત્રી ભોજન, કે કંદમૂળ, ચા, પાન, સોપારી, બીડી વિગેરેની બાધા, કોઈ પણ જાતનું ! વ્યસન નહીં.
તેઓની ૧૭વર્ષની ઉંમરે કૃપાળુદેવની લખેલી મોક્ષમાળાનું વાંચન અને મોક્ષમાળા ઉપરની પરીક્ષા આપી ત્યારથી આત્મનિરીક્ષણ અને . આત્મવિચારણામાં ઊંડા ઊતરવાની જીજ્ઞાસા દિન-પ્રતિદિન વધતી જ ચાલી અને તે તરફનું સંશોધન શરૂ થયું.
આત્માને ઓળખો” તેની પરીક્ષા આપી ત્યારે જે જે જૈન ધર્મના પુસ્તકો વાંચ્યા-વિચાર્યા તેમાં ઊંડા ઉતરવાની જીજ્ઞાસા દિન-પ્રતિદિન : વધતી ચાલી.
આમ દરરોજ આત્મનિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. બાળપણથી જ અસત્ય બોલવાની ટેવ ન હતી, છતાં દરરોજ સાંજના-આજે ક્યાંય છે અસત્ય બોલાઈ તો નથી ગયું ને ? ક્રોધ, માન, માયા, લોભ થયા છે તે કે કેમ ? તેનું નિરીક્ષણ કરવાની આદત પડી. ઉપરના કોઈપણ દોષ
જે દિવસે થઈ ગયા હોય તો બીજે દિવસે તે થવા ન જોઈએ તેની [ સતત જાગૃતિ રાખવાની ટેવ પાડી. જે દિવસે સારું કામ થયું હોય તો | જ બીજે દિવસે તેથી પણ વધારે સારું કામ કરવાની જીજ્ઞાસા વધારતા જ કે રહ્યા. પહેલેથી જ બહાર પડવાની જીજ્ઞાસા ઓછી, જગત ગમે તે કે
કહે, તેમને સત્ય લાગે તે પ્રમાણે જ તેમનું વર્તન હોય, ક્યાંય પણ આપ બડાઈ કરવી નહીં, જ્ઞાન દેખાડવું નહીં, સૌને પ્રેમના ઉમળકાથી ભેટવું, ઇન્દ્રિયોને વશ થવું નહીં, મન દઢ રાખવું, કોઈ પણ લાલચથી મૃષા બોલવું નહીં, આત્મચિંત્રણા ચૂકવી નહીં, દરેક સારા આદર્શો પાસે જેટલું નીકટ જવાય તેટલું પ્રયાણ કરવું, સર્વના શ્રેયમાં આપણું છે. શ્રેય સાધવું, આ બધા નિયમો બાળપણથી જ અને રાજકોટ ગયા ! પછી વધારે અને વધારે દૃઢ થતા ગયા.
સાયલા દરબારમાં નોકરી સ્વીકારી અને હજુ૨ સીરતેદારથી
૩૮૪
( શ્રી ભાગ્યમાઈ ને સારાલા છે
For Personal & Private Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
ન્યાયાધીશ સુધીની પદવીએ પહોચ્યા. તેની વિગત નીચે મુજબ છે : હજુર સીરતેદાર ૧ વર્ષ એકાઉન્ટન્ટ
૨ વર્ષ આસી. એકાઉન્ટસ ઓફીસર ૧૦ વર્ષ રેલ્વે મેનેજર
૨ વર્ષ રેવન્યુ કારભારી
૮ વર્ષ ન્યાયાધીશ
૨ વર્ષ
આમ ૨૫ વર્ષ નોકરી કરી જ્યારે તેઓ શ્રી ન્યાયાધીશ હતા ત્યારે રાજકોટમાં એક ખૂન કેસ માટે ત્રણ સ્ટેટ ન્યાયાધીશોની એસેસર તરીકે નીમણૂંક કરવામાં આવી છે તેમાં તેઓશ્રીની પણ નીમણૂંક થએલ. આ ત્રણે ન્યાયાધીશોએ આ ખૂન આ કેસ સાંભળીને, ખૂન સાબિત થવાથી, ખૂની ને ફાંસીની સજા ફરમાવી.
તે સજામાં તેઓશ્રીને સંમતી આપવી પડેલી તે વાતનો તેઓશ્રીને આજ | દિન સુધી રંજ છે.
જ્યારે હિંદ સ્વતંત્ર થયું અને બધા રજવાડાઓ હિન્દ સરકારમાં એકમ તરીકે સાલીયાણા લઈને જોડાયા તે વખતના સૌરાષ્ટ્ર સરકારમાં છે તેઓશ્રીએ જુદે જુદે સ્થળે ૧૨-વર્ષ નોકરી કરેલ તેની વિગત : જામકંડોરણા મહાલકારી
૩ વર્ષ બોટાદ
મામલતદાર મહુવા
મામલતદાર ૩ વર્ષ ભાવનગર - મામલતદાર ૩ વર્ષ
ડે. કલેક્ટર ૧ વર્ષ આમ ૧૨-વર્ષ સુધી જુદે જુદે સ્થળે પદવીઓ ભોગવીને તારીખ * ૮-૩-૧૯૬૦ના રોજ પેન્શન ઉપર ઉતર્યા.
પેન્શન ઉપર ઉતર્યા પછી જીલ્લા પંચાયતમાં સભ્ય તરીકે અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે ચૂંટાયેલા પણ રાજકારણ
૨ વર્ષ
ભાવનગર
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૮૫
For Personal & Private Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
તેઓશ્રીને યોગ્ય નહિ લાગવાથી તેમાંથી પણ નિવૃત્ત થયા.
આ પ્રમાણે તેઓશ્રીના વ્યવહારીક જીવનની ટુંકી રૂપરેખા આપેલ છે. તેઓશ્રીનું આધ્યાત્મીક જીવન વધારે ધ્યાન ખેંચે છે, અને તેઓને આ ક્ષેત્રેથી પરમસત્સંગનો મોટામાં મોટો લાભ મળ્યો, જે ટુંકમાં નીચે પ્રમાણે છે :
(૧) બાળવયથી ભજનોમાં, રામાયણ અને મહાભારતની થાઓમાં તેમ જ સાધુ-સાધ્વીજી પાસે, દેરાસરમાં, તથા સાધુ સંતોમાં તેઓશ્રીની રૂચી રહેતી.
(૨) તેઓશ્રીનાં પિતાશ્રીએ તેમને મુંબઈથી બોલાવી લીધા પછી સાયલા દરબાર ઠાકોર સાહેબશ્રી મદારસીંહજીની નોકરીમાં ફરજ બજાવીને બાકીનો ફાજલ સમય રહે તે સત્સંગમાં વ્યતિત કરતા.
(૩) તે અરસામાં સાયલામાં આધ્યાત્મીક દૃષ્ટિવાળા શ્રી સોભાગભાઈના વંશવારસદાર શામળદાસભાઈ અને તેઓશ્રીના હયાત વારસદાર (૧) કાળીદાસ માવજીભાઈ દોશી, (૨) વૃજલાલ દેવજી બેલાણી, (૩) છોટાલાલ મગનલાલ દેસાઈ, (૪) ચંદુભાઈ ઘડીઆળી, (૫) રતીભાઈ ખારા, (૬) ચંદ્રસીંહજી જાડેજા દરબાર, (૭) હિંમતલાલ દેવજી બેલાણી, (૮) કસ્તુરભાઈ ગાંધી, (૯) હિંમતલાલ શાહ, (૧૦) પરસોત્તમ દોશી, વગેરે આધ્યાત્મીક દૃષ્ટિએ પુરેપુરા ઊંડા ઉતરેલા અને તેમાંથી ત્રણ-ચારની પ્રગટ દશા પણ થએલી. આવા પુરુષોનો રોજનો સત્સંગ પૂ. શ્રીને મળવા લાગ્યો. આ સત્સંગ ૨૩ વર્ષની વયથી ૩૨ વર્ષની વય સુધી સતત્ આત્મજ્ઞાનની ઝરણા સાથે કરતા રહ્યા.
(૪) પૂજ્યશ્રીએ આધ્યાત્મીક દૃષ્ટિએ ૧૦ વર્ષ સુધી આનંદઘનજી, ચિદાનંદજી, યશોવિજયજી, દેવચંદ્રજી, મોહનવિજયજી, બનારસીદાસ, કબીરજી, છોટમ, પ્રિતમ, નિરાંત કોળી આદિ સત્પુરુષોના પદોનો, ભજનોનો, તથા ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. પરમકૃપાળુદેવના વચનામૃતનો પણ ઊંડો અભ્યાસ કર્યો. એ બધા સત્પુરુષો જે કંઈ કહી ગયા છે. જે કાંઈ લખી ગયા છે અને જે કંઈ મુકી ગયા છે
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૮૬
For Personal & Private Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
છે તેની સરખામણીનો તુલનાત્મક રીતે ઉંડો અભ્યાસ કરી પોતાના જ
આત્માની અંદર સચોટ નક્કી કર્યું કે કૃપાળુદેવ જે કહે છે તે જ ' પ્રમાણે તીર્થકરો તથા બીજા મહાત્માઓ કહી ગએલ છે અને તે જ ! પ્રમાણે કૃપાળુદેવના વચનામૃતો છે અને તે વચનામૃત ઉપર અહો ! અહો ! ભાવ થવાથી ૧૦ વર્ષ સુધી પુરુષાર્થ કર્યો. પૂજ્યશ્રીએ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી માણિક્યસાગરજીને સાયલામાં ચાતુર્માસ કરાવીને તેમની પાસે અધ્યાત્મસાર, જ્ઞાનસાર તથા અધ્યાત્મ ઉપનિષદ્ગો છે અભ્યાસ પૂ. શ્રી છોટાલાલભાઈ દેસાઈની સાથે રહીને કર્યો. પ. પૂ.
માણિક્યસાગરજી મહારાજ સાહેબે ઉપરનો અભ્યાસ કરાવીને તેમના જ 1 ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. ! (૫) પૂજ્યશ્રીનું શરીર દિન-પ્રતિદિન સુકાવા લાગ્યું. જેથી તેઓશ્રીના કે ભાઈ ધારસીભાઈ જેમને સાધુ, સંતો, આચાર્યો ઉપર અહો ભાવ ન હોવાથી તેમણે તેઓશ્રીને મહારાજ સાહેબો સાથે સમાગમ કરાવ્યો. મહારાજ સાહેબોએ ધારસીભાઈને એવો અભિપ્રાય આપ્યો કે તમારા ભાઈ અધ્યાત્મને રસ્તે છે અને તેમને તેની જ ઝુરણા છે, જ્યારે તેમને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થશે ત્યારે જ તેમનું સ્વાથ્ય સુધરશે. પૂ. . કાળીદાસભાઈ, પૂ. છોટાલાલભાઈને તથા પૂ. વ્રજલાલભાઈને કહેતા કે લાડકચંદભાઈને ચાલ્યા જતા જોઈએ છીએ ત્યારે કેમ જાણે સાહેબજી જ જતા હોય તેમ મને લાગે છે.
(૯) તેઓશ્રીને પ્રાપ્તિની ઝુરણાં એટલી બધી હતી કે રોજ સુકાતા * જતા જોઈ પૂ. કાળીદાસભાઈએ એક દિવસ આવીને કહ્યું કે અમે કે તમને પ્રાપ્ત કરાવવાનો નિર્ણય કરેલ છે, પણ એ માટે તમને ચોળ મજીઠનો રંગ ચડાવવો છે. આમ પૂ.શ્રીની પરિપક્વ દશા જોઈને તેમના ગુરુ પૂજ્ય શ્રી છોટાલાલ મગનલાલ દેસાઈએ કાળીદાસ માવજી દોશી અને વૃજલાલ દેવજી વેલાણીની હાજરીમાં સંવત ૧૯૯૪ના છે મહાસુદ ૧૪ તા. ૧૪ જાન્યુઆરીના દિને છોટુભાઈ દેસાઈના મકાનમાં
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૮૭
For Personal & Private Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
* ૧લા માળે ઇશાન ખૂણામાં બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી. ન પ્રાપ્તિ કરાવ્યા પછી પૂ. કાળીદાસભાઈએ એવી ભવિષ્યવાણી કહી કે તેમની વય નાની છે તે બધી રીતે જોતા ખૂબ આગળ વધશે.
પૂજ્યશ્રીની ભૂમિકા, પરિપક્વ દશા, અપૂર્વ એવી સમજણ અને ! પૂર્વના આરાધક જીવ હોવાથી પ્રાપ્તિ પછી થોડા દિવસમાં પોતાનું પરિપૂર્ણ કામ કરી લીધું અને પોતાના જ અંદર ઉતરીને બહાર છે. દૃષ્ટિએ ગુપ્ત થઈ ગયા, અને એ ગુપ્તતા તેમણે પ્રાપ્તિ થયા પછી ૪૦ !
વર્ષ સુધી જાળવી રાખી. તે ગુપ્ત રહેવામાં વધારેમાં વધારે સહાય છે તેમના ગુરુ છોટાલા દેસાઈની છત્રછાયા હતી, કારણ કે માથે સદ્ગુરુદેવ છે હાજર હોવાથી પૂજ્યશ્રીને કાંઈ બોલવાપણું હતું નહીં. ગુપ્ત રહીને, મૌન રહીને પોતાની સાધનામાં પુરુષાર્થ કરીને દિન-પ્રતિદિન આગળ ને આગળ વધતા રહ્યા.
અત્રે એક ખાસ ઉલ્લેખ કરવાની જરૂરીઆત લાગવાથી ઉલ્લેખ છે. કરીએ છીએ કે અગાસથી શ્રી લલ્લુજી મહારાજ (પ્રભુશ્રી) એ પૂ. શ્રી | બ્રહ્મચારીજીને પૂ. શ્રી કાળીદાસભાઈ પાસે સાયલા બે વખત મોકલેલા હતા અને તેઓશ્રી બ્રહ્મચારીજીને બન્ને વખત પૂ. શ્રી લાડકચંદભાઈ પાસે મોકલી આપેલ.
પૂ. ગુરુદેવ લાડકચંદભાઈ પોતાની સાધક અવસ્થામાં ઉમર વર્ષ - રર થી ૩૩ સુધીમાં તેમને ગુરૂગમનું જે મહાભ્ય લાગ્યું તેની શોધખોળમાં છે છે જે જે મહાપુરુષો, સપુરુષો, જ્ઞાની પુરુષો થઈ ગયેલા તેઓના ગુરુગમના ! | પદોમાં જે વર્ણન કરેલું છે તે પદોમાંથી મુખ્ય મુખ્ય ગાથાઓ તથા પદો કે જે તારવેલા તેમાંથી કેટલાક નીચે આપેલા છે.
૩૮૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
પદો કે (૧) આનંદઘનજી :
શિરપર પંચ વસે પરમેશ્વર, ઘટમે સુમ બારી, આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે ઘુકી તારી.... અબધુ.
શ્રી અભિનંદન સ્વામીના સ્તવનમાંથી" હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ, આગમવાદે હો ગુરુગમ કો નહિ, એ સબલો વિષવાદ. અભિ-૩ ઘાતી ડુંગર આડા અતિ ઘણાં, તુજ દરિશણ જગનાથ, ધીઠાઈ કરી મારગ સંચરૂ, સે ! કોઈ ન સાથ.. અભિ-૪
“શ્રી ધર્મનાથસ્વામીના સ્તવનમાંથી પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન; જિ. હૃદય નયણ નિહાલે જગધણી, મહિમા મેરૂ સમાન. જિ. ધ. ૩ દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ; જિ. પ્રેમ પ્રતિત વિચારો ટુંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિ. ધ. ૪
' (૨) યશોવિજયજી :
શ્રી પદ્મપ્રભુસ્વામીનાં સ્તવનમાંથી” સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી; હોડાદોડેરે બિહુ સરરીઝથી, મનના મનોરથ સીઝેજી.... સુ.૪
| શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૮૯
For Personal & Private Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
શ્રી અજીતનાથ સ્વામીના જીવનમાંથી” ગંગાજલમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાળ કે, સરોવર જલધર જલ વિના, નવિ ચાહે હો જગ ચાતકબાળ કે.
અજીત--૨.
“શ્રી મહાવીર સ્વામીના સ્વતવનમાંથી" ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતા શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે... ગિ. ૧ તુમ ગુણગણ ગંગાજલે, હું ઝીલીને નિર્મળ થાઉં રે; અવર ન ધંધો આદરૂ, નિશદિન તોરા ગુણ ગાઉં રે...મિ. ૨ ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જલ નવિ પેસે રે; જે માલતી ફૂલે મોહીયા, તે બાવલ જઈ નવિ બેસે રે... ગિ. ૩
?
R (૩) દેવચંદ્રજી :
શ્રી અનંતાનાથ સ્વામીના જીવનમાંથી મૂરતિ હો પ્રભુ, મૂરતિ અનંત નિણંદ,
તાહરી હો પ્રભુ, તાહરી મુજ નયણે વસીજી; સમતા હો પ્રભુ, સમતા રસનો કંદ,
સહેજે હો પ્રભુ, સહેજે અનુભવ રસ લસીજી..૧ ' (૪) મોહનવિજયજી :
“શ્રી પદ્મપ્રભુસ્વામીના સ્તવનમાંથી” છેપરમ રસ ભીનો મહારો, નિપૂણ નગીનો મહારો સાહિબો,
પ્રભુ મોરા પદ્મપ્રભુ પ્રાણાધાર હો, જ્યોતિરમાં આલિંગને;
૩૯૦
( શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
પ્રભુ મોરા અછક છ ક્યો દિનરાત હો, ઓલગ પણ નવિ સાંભળે,
પ્રભુ મોરા તો શી દરિસણ વાત હો....૫. ન. ૧
(૫) પરમકૃપાળુદેવઃ “શું સાધન બાકી રહ્યું? કૈવલ્ય બીજ શું?”
ગાથા-૫ કરૂના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુગમકી; પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે.
“શ્રી સદ્ગુરુ કૃપા માહાત્મય”
ગાથા-૨ બુઝી ચહત જો પ્યાસકો, હૈ બુઝનકી રીત; પાવે નહિ ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત.
' (૧) ચિદાનંદજી : .
વસ્તુ ગત વસ્તુકો લક્ષણ, ગુરુગમ વિન નવિ પામે રે, ગુરુગમ વિન નવ પામે કોઉ, ભટક ભટક ભરમાવે રે.
છે. (૩) છોટમ:
રોમે રોમે ચઢે, રામરસ રોમેરોમ ચઢે . ટેક. પીતાં પૂર્ણ અનુભવ પ્રગટે, અનંત નેત્ર ઉઘડે, દ્વાદશ અંગુલ ભરી પીએ તો, નવી સૃષ્ટિને ઘડે રામરસ સુંઘે તેને સ્વરૂપ દરશે, પાછો ભવ ના પડે, આપે નિર્ભય સઘળે વર્તે, જો જીલ્વાએ અડે...રામરસ અજર ખુમારી અદ્ભુત ભારી, બ્રહ્મ વિષે જઈ ભડે, પિંડ બ્રહ્માંડની પાર રહ્યા તે, હંસ થઈ નીવડે...રામરસ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૯૧
For Personal & Private Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
મરજીવા તે મહારસ માણે, તેથી નહિ કોઈ બડે, જન છોટમ એવા જન મળતાં, ભાગ્ય ભલા ઉઘડે...રામરસ
જ (૮) પ્રીતમ : રામસુધારસ જે જન પીવે, અષ્ટસિદ્ધ, નવનિધ, મુક્તિ ચતુરધા,
ચાર પદાર્થક નહિ છીવં.. રામ બ્રહ્મપ્રકાશ હોય ઘટ ભીતર, તિમિર ટળી જાય અમીર દીવો, ...રામ જરા ન જંપે કાળ ન વ્યાપે, અમર જુગાજુગ તે નર જીવે ..રામ ધ્રુવ પ્રલાદ, નારદ, સનકાદિક, અજર પ્યાલો પીધો શિવે, ...રામ કહે પ્રીતમ થયા તે તદ્ વત, જગ કિંકરથી કો નવ બીવે ..રામ
(૯) નિરાંત કોળી :
નામ સુધારસ સાર સર્વમાં, પરખી પ્રેમેસુ પીધો રે,
ભૂતલપતિપદ તેને ન ભાવે, લહાવો નૌતમ લીધો રે. છે. (૧૦) કાળીદાસભાઈ:
આજ સખી મનમોહનને, રમતો જમના જળમાંહી નિહાળ્યો, શાન્ત સુધામય શ્યામકી મુરત, દેખત વેહ જગ્યો ઉજીઆરો.
આતમ ધ્યાન અમૃતની ઘારા, વરસે મોતી દશમ દ્વારા, અરસપરસ કોઈ કરે દેદારા, સો જોગી સબ જગસે ન્યારા.
મોહની નીદમાં" પ્રેમથી પરખીએ નિરખીએ નાથને, અવર અધ્યાસને અલગ કીજે. ગ્રહણ કર જ્ઞાન ગુરુ બોધના બીજનું, પરમ રસપાનથી કાજ સીજે.
૩૯૨
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
પૂ. શ્રી હિંમતલાલભાઈ દેવજીભાઈ જન્મ : વિ. સં. ૧૯૬૦ ભાદરવા વદ ૧૧
બુધવાર તા. પ-૧૦-૧૯૦૪
સાયલા
For Personal & Private Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૭ શ્રી હિંમતભાઈ દેવજીભાઈ બેલાણી શ્રી હિંમતલાલભાઈ, સંબંધથી શ્રી વૃજલાલભાઈના નાનાભાઈ થાય. તેઓશ્રીનો જન્મ સાયલા ગામમાં સંવત ૧૯૬૦ના ભાદરવા વદી-૧૧ને બુધવાર તા. પ-૧૦-૧૯૦૪ના રોજ થયેલ. તેઓશ્રીએ સાયલા ગામમાં જ ગુજરાતી ૭-ધોરણ અને પછી અંગ્રેજી ૩-ધોરણનો અભ્યાસ કરેલ અંગ્રેજી ધોરણ-૪નો અભ્યાસ વઢવાણ શહેરમાં બોર્ડિગમાં રહીને કરેલ. અંગ્રેજી ધોરણ-૪ સુધીનો અભ્યાસ કરીને તેઓશ્રી બાપદાદાના સોના-ચાંદીના તથા ધીરધારના ધંધામાં જોડાઈ ગયા. તેઓશ્રીનાં લગ્ન સંવત ૧૯૫૭માં તેમની ૧૫ વર્ષની વયે બોટાદના વતની પણ ભાવનગરમાં પોલીસ સુપ્રીન્ટડન્ટ તરીકે નોકરી કરતા શ્રી હીરાચંદભાઈ નીમચંદના સુપુત્રી શ્રી સમતાબેન જોડે થયેલ.
તેઓશ્રીમાં નાનપણથી જ દયાપ્રેમ તથા ધાર્મિકવૃત્તિ હતાં તે નીચેના પ્રસંગથી જણાશે :
જ્યારે તેઓ શ્રી અંગ્રેજી ધોરણ-૪નો અભ્યાસ વઢવાણ શહેરમાં બોર્ડિંગમાં રહીને કરતા હતા ત્યારે ચોમાસામાં એક દિવસ ખૂબ જ વરસાદ પડતો હતો, સાંજનો સમય હતો, એ વખતે ખાખી બાવાજી વરસતા વરસાદમાં ઠંડીથી ધ્રુજતાં એક ઓટલા ઉપર બેઠા હતા. આ બાવાજીને તેઓશ્રીએ જોયા અને તેમને દયા આવી કે જો આ બાવાજી અહીં જ વરસાદમાં પલળતા રહેશે તો મરી જશે. તેથી તેઓએ બોર્ડિગમાં ગૃહપતિને વાત કરી કે આ બાવાજીને આપણે બોર્ડિંગની અંદર લઈ લઈએ તો વરસાદમાં પલળતા બચી જાય. પહેલાં તો ગૃહપતિએ સ્પષ્ટ લેવાની ના પાડી. પરંતુ રાત્રે ૯-૧૦ વાગે ગૃહપતિએ શ્રી હિંમતલાલભાઈને બૂમ પાડી કે હિંમત તું જાગે છે ? શ્રી હિંમતલાલભાઈ તે સમયે જાગતા હતા. તેમણે કહ્યું કે હા સાહેબ જાણું , મને ઉંઘ આવતી નથી. પેલા બાવાજીના જ વિચારો આવ્યા કરે
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
33
For Personal & Private Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
1 છે. એટલે ગૃહપતિએ બાવાજીને અંદર લેવાનું કહ્યું તથા ચોકીદારને
ધ્યાન રાખવા પણ જણાવ્યું. બીજે દિવસે સવારે બાવાજી તો વરસાદ બંધ પડતા પાછા ઓટલા ઉપર જઈને બેસી ગયા. શ્રી હિંમતલાલભાઈ જ બીજે દિવસે સવારે કોઈ કામસર બોર્ડિંગ બહાર નીકળ્યા ત્યારે બાવાજીએ જ. તેઓશ્રીને ઇશારાથી પાસે બોલાવ્યા અને આત્મજ્ઞાન સંબંધી બોધ કર્યો. શ્રી હિમંતલાલભાઈ નાનપણથી જ તેમના મોટા ભાઈશ્રી ? વૃજલાલભાઈ તથા શ્રીકાળીદાસભાઈના સહવાસમાં જ મોટા થયેલ હોવાથી તેમનામાં પણ આત્મજ્ઞાન મેળવવાની થોડી ઘણી જિજ્ઞાસા તો હતી જ. તેથી આ બાવાજીનો બોધ તેમને ગમ્યો અને શ્રી કાળીદાસભાઈને જલદી આ બોધ જણાવવાની ઇચ્છા થઈ આવી. જ્યારે તેઓ રજાઓમાં સાયલા આવ્યા ત્યારે તેમણે આ વિષે કાળીદાસભાઈને જાણ કરી. શ્રી | કાળીદાસભાઈએ તેમને વાંસામાં હાથ ફેરવતા કરુણાથી કહ્યું કે હિંમત તને આગળ ઉપર શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિત બોધથી ચોક્કસ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે જ.
શ્રી હિંમતલાલભાઈ, સાયલામાં શ્રી કાળીદાસભાઈ, શ્રી વૃજલાલભાઈ, શ્રી છોટાલાલ દેસાઈ, શ્રી લાડકચંદભાઈ શ્રી રતિલાલ ખારા વિગેરે સપુરુષો જ્યારે જ્યારે સત્સંગ કરતા હોય ત્યારે પહોંચી જતા અને આ સત્સંગીઓને પાણી પાવું, હોકો કે ચલમ ભરીને સળગાવી આપવા જેવી નાની મોટી સેવા કરતાં અને સાથે સાથે સત્સંગનો પણ લાભ લેતાં. ઘણી વખત તેઓશ્રીને આત્મા વિષે જાણવાની તીવ્ર ઇચ્છા થઈ આવતી ત્યારે તેઓ શ્રી કાળીદાસભાઈને પૂછી પણ લેતા કે આત્મા શું ચીજ છે? તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? આમ તેમની આત્મજ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસા પણ વધતી જતી હતી. એક દિવસ શ્રી કાળીદાસભાઈએ શ્રી હિંમતલાલભાઈને એકાંતમાં બોલાવી, એક નીચે છે મુજબનો દોહરો મુખપાઠ કરાવીને કહ્યું કે તારે આ દોહરાનું રટણ છે. કર્યા કરવું.
૩૯૪
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
દોહરો હરિ ગાજે હરિ ઉપનો, હરિ આયો હરિ પાસ;
જબ હરિ હરિમેં ગયો, હરિ ભયો ઉદાસ. શ્રી કાળીદાસભાઈએ શ્રી હિંમતલાલને આત્મજ્ઞાન વિષેની વધુ ! છે સમજણ આપવા શ્રી હરિભદ્રસુરીના એક શ્લોકનો ભાવાર્થ લઈને કહ્યું છે
ધર્મ આત્મામાં રહેલા છે અને તે આત્મા દર્શન, જ્ઞાન ચારિત્રની છે એક્યતારૂપ પરિણામ.”
શ્રી છોટાલાલભાઈ મગનભાઈ દેસાઈ સં. ૧૯૮૯માં કલકત્તાથી જ છે. સાયલામાં કાયમના વસવાટ માટે આવ્યા ત્યારે તેમણે તેમના મિત્ર શ્રી કે.
વૃજલાલભાઈને કહ્યું કે મારે અહીં રહેવા માટે એક મકાન બનાવવું છે છે. એટલે શ્રી વૃજલાલભાઈએ કહ્યું કે અમારું મકાન મારા નાના
ભાઈ હિંમતલાલે બનાવરાવ્યું છે અને તે તેમાં વધારે જાણકાર તથા હુંશિયાર છે. તે તમારું મકાનપણ બનાવરાવી આપશે. આ સમયે શ્રી હિંમતલાલભાઈનો શ્રી છોટુભાઈ દેસાઈ જોડે બહુ પરિચય ન હતો. પણ તેઓએ મોટાભાઈના મિત્રના સંબંધે ખૂબ જ મહેનત તથા કાળજીથી
મકાન બનાવરાવી આપ્યું. આ જ મકાન હાલ રાજ-સોભાગ સત્સંગ | મંડળ સંત્સગાર્થે વાપરે છે. 1 શ્રી હિંમતલાલભાઈએ જે મહેનત લઈને સારું મકાન બનાવરાવી ન આપ્યું તેથી શ્રી છોટુભાઈ દેસાઈનો તેઓ ઉપર ખુબજ પ્રેમભાવ અને | વિશ્વાસ થઈ આવેલ. શ્રી હિંમતલાલભાઈને પણ શ્રી છોટુભાઈ દેસાઈના | 1 પ્રથમ સંપર્કથી જ તેમના પ્રત્યે સગાભાઈ જેટલો જ અંતરનો પ્રેમ
કુદરતી રીતે જ પ્રગટેલ જે આગળ જતા સદ્ગુરુ પ્રત્યેના પ્રેમ ભાવમાં છે, પરિણમેલ.
શ્રી છોટુભાઈ દેસાઈના ગાઢ પરિચયમાં આવ્યા બાદ શ્રી હિંમતલાલભાઈ સત્સંગમાં વધારે અને વધારે ભાગ લેતા થયા હતા. જ્યારે સત્સંગ દરમ્યાન કોઈ વાતની સમજણ ન પડતી તો શ્રી છોટુભાઈ
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૩૯૫
For Personal & Private Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
જ દેસાઈને કાનમાં ધીરેથી પૂછી લેતા અથવા ગમે ત્યારે તેમના ઘેર જઈને પૂછી લેતા. જ્યારે બીજાને પૂછતાં સંકોચાતા.
સવંત ૨૦૦૮ની સાલમાં સુરેન્દ્રનગર જીલ્લો ભયંકર દુષ્કાળમાં જ સપડાયેલ ત્યારે જીલ્લા કલેક્ટરે સાયલા તાલુકાના ગામડાઓમાં દુષ્કાળ ,
રાહતની કામગીરી સાયલાના સુપ્રતિષ્ઠિત શ્રી છોટાલાલભાઈ દેસાઈને T સંભાળવા વિનંતી કરી. શ્રી છોટાલાલભાઈ સાયલા તાલુકાના
ગામડાઓથી બહુ પરિચિત ન હોવાથી આ સેવાનું કામ સ્વીકારતા ' પહેલા મનમ ખચકાટ અનુભવ્યો. પરંતુ તુરત જ હિંમતલાલભાઈની ! જ યાદ આવતા અને તેમની કામ કરવાની ધગશ, આવડત તથા સેવાભાવથી ૪ પરિચિત શ્રી છોટુભાઈ દેસાઈએ કલેક્ટરશ્રીની વિનંતી માન્ય રાખી. તેમને વિશ્વાસ પણ હતો જ કે શ્રી હિમતલાલભાઈ મને આ કામમાં | જરૂર મદદ કરશે જ. સાયેલા આવીને શ્રી હિંમતલાલભાઈને કહ્યું કે જે તમારા હિસાબે જ દુષ્કાળ રાહતની સાયલા તાલુકાના ૪૭ ગામો : { તથા સુદામડાના ૧૫ ગામોની જવાબદારી સ્વીકારી છે. શ્રી કે. ! હિમતલાલભાઈએ ઉત્સાહથી આ કામ કરવાની તૈયારી બતાવી. બન્ને ! કે સેવાભાવીઓએ રાત- દિવસ ૪ મહિના સુધી સખત મહેનત કરીને જ દુષ્કાળ રાહતની કામગીરી ખુબ જ સંતોષકારક રીતે પૂરી કરેલ. | આમ શ્રી હિંમતલાલભાઈમાં સેવાની ભાવના પણ પહેલેથી જ હતી.
સેવા ભાવનાની સાથે સાથે તેઓશ્રીની આધ્યાત્મિક પ્રગતિ પણ થતી રહેલ. તેઓમાં જ્યારે પૂરેપૂરી યોગ્યતા જણાતા શ્રી છોટુભાઈ જ દેસાઈએ સવંત ૨૦૧પના કારતક સુદ ૫ના રોજ બપોરે ૪ વાગે જ I બીજ જ્ઞાનની પ્રાપ્તિ કરાવેલ.
શ્રી હિંમતલાલભાઈમાં શ્રી સદ્ગુરુ દેવની સેવા કરવાની જે ઉચ્ચ જ ભાવના હતી તે નીચેના બે પ્રસંગોથી જણાઈ આવશે : . (૧) એક વખત શ્રી છોટુભાઈ દેસાઈને હેડકીનો રોગ થઈ આવેલ
જે ૧૭ દિવસ સુધી રહેલ. એક મિનિટમાં ૧૧ જેટલી હેડકી આવતી હતી. આવી પરિસ્થિતિમાં શ્રી હિંમતલાલભાઈએ એકધારા સતત ૧૭ દિવસ સુધી ખડે પગે, ઊંધ્યા કે ખાધા પીધા વિના શ્રી સદ્ગુરુદેવની
૩૯૬
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
For Personal & Private Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
જ સેવા ચાકરી કરેલ. તેઓશ્રી સદ્ગુરુદેવને કેમ જલ્દી સારું થાય તેની જ છે જ ચિંતામાં રહેતા અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે છે * તેઓશ્રી ખડે પગે હાજર જ રહેતા.
(૨) બીજી એક વખત શ્રી છોટાભાઈ દેસાઈને કોઈ ઓપરેશન માટે મુંબઈ દવાખાનામાં દાખલ * - વા પડેલ ત્યારે પણ શ્રી હિમતલાલભાઈ તેમના સદ્ગુરુની સવાચાકરી કરવા મુંબઈ પહોંચી જ ગયેલ. દવાખાનામાં તેઓશ્રીએ એક મહિના સુધી આંખનું એક મટકય છે. માર્યા વિના શ્રી સદ્ગુરુ દેવની સેવા કરેલ. ત્યાં પણ તેઓને ચિંતા રહેતી કે મને ઝોકું આવી ન જાયતો સારું કે જેથી મારા સદ્ગુરુને કાંઈ
મારી જરૂર પડે ત્યારે કામ આવી શકું. આવી જેની અંતરની શુદ્ધ જ ભાવના હોય તેને ઊંઘપણ શું કરી શકે ? - શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળની તથા આશ્રમની સ્થાપના ૩૧ ડિસેમ્બર ૧૯૭૬ના રોજથી શરૂઆત થઈ. ત્યારથી પૂજ્ય શ્રી હિંમતભાઈ અવારનવાર સતત હાજરી આપીને આ સત્સંગ મંડળના સભ્યોને પરમ સત્સંગનો ઉલ્લાસપૂર્વક લાભ આપી રહ્યા છે. સત્સંગ મંડળમાં તેઓશ્રી જે શ્રી કાળીદાસભાઈના પદો ઉલ્લાસપૂર્વક સંભળાવે છે છે તેમાંના કેટલાક પદોની કંડિકાઓ નીચે આપેલ છે. જેના ઉપરથી આ જાણી શકાય તેમ છે કે તેઓશ્રીની આધ્યાત્મિક કક્ષા કેવી હોઈ શકે ! '
પદોની કંડિકાઓ કાળીદાસભાઈ કૃત:
(દોહરો) જ્ઞાતા, જ્ઞાન ને શેયનું, ભલું નહિ જ્યાં ભાન, તે ધ્યાતા ને ધ્યેયનું, ધ્યાન છતાં અજ્ઞાન..૧ સતું સાધન ત્યાં શું કરે, સમજ નહિ જ્યાં એક અસતુરૂપ અધ્યાસની, તાણી રાખે ટેક..૨ જડ ચેતનના ભેદનો, લક્ષ ન જહાં લગાર, કવણ ક્રિયાથી તે કરે, જ્ઞાન ગુણ નરધાર...૩
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૯૭
For Personal & Private Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
નિશ્ચય નહિ નિજરૂપના, ત્યાં વરતે પરભાવ, પર પુલ પરિણામથી, સમજે નહિ સ્વભાવ...૪
પદ
ઘેલી તો ફરું રે ઘરમાં ઘેલી કરું,
મારા પિયુજી વિનાની ઘરમાં ઘેલી ફરું..૧ વહાલા રે વિનાની અમને ઘડી, જુગ જેવી રે, જીવન વિનાની હું તો ઝુરી રે મરું,
મારા વહાલા વિનાની ઘરમાં ઘેલી ફરું...૨
(દોહરા)
સમ્યક દેવા સર્વને, વિગતે કર્યો વિચાર, પંચમ કાળે પ્રભુ તમે, ટાળ્યો ભવ કંસાસ..૧ આગ્રહ ટાળી અવરનાં, આપે કર્યો ઉદ્ધાર, અમૃત ઘન વરસી ગયો, ધન્ય ધન્ય તુજ અવતાર..૨
(દોહરો) પૂર્વ કર્મ કે ઉદયસે, ફંદા સબ ફસ જાત, નિજાનંદ નિજ રૂપમેં, દેખ હી ડુબ જાત.
(દોહરો) કર્મ કડી સજડ જડી, કુંચી સદ્ગુરુ હાથ, મોટા મોટા મથી મુવા, ચસકી નહિ લગાર.
| (સોરઠો) વિકટ આતો વાટ, ઓઢે શીર અટાટણી, દુ:ખનો વાળ્યો દાટ, અવરાણો તું આત્મા.
૩૯૮
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
શ્રી શાંતિભાઈ ભાણજીભાઈ અંબાણી
For Personal & Private Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
(સયો) સત્ય સુબોધ વેરાય વડે શલ્ય,દર્શન ચારિત્ર મોહ હણાયો. મોહ પ્રપંચ પ્રચંડ જતા નર, ભેદ ટળી નીર ભેદ જણાયો. પરમાર્થ પંથ પ્રવાસી થતાં, પરભાવ પ્રપંચ પ્રચંડ હણાયો.
નરભેદ ટળી નીરભેદ ભણાયો.
પ્રકરણ-૮
સપુરુષની શોધ” છે. શ્રી શાંતિભાઈ અંબાણીએ દેવલાલીમાં પાંચ વર્ષ રહીને શ્રીમદ્જીના છે. I વચનામૃતનો ઊંડો અભ્યાસ કર્યો અને આશ્રમની આજ્ઞાભકિત * દેવવંદના, વાંચન, સ્વાધ્યાય અને સવારમાં ૫ થી શ્રીમદ્જીની કે મૂર્તિ સામે બેસીને ચિંતન, મનન, ભાવપૂર્વક પ્રેમપૂર્વક શ્રદ્ધાપૂર્વક * નિયમિત કરતાં હતા. - વચનામૃતનું અનેકવાર વાંચન થયા પછી ૧૯૭૨ની સાલમાં તેમને
બે મોટા વિક્ષેપો ઉત્પન્ન થયા. પહેલો વિક્ષેપ :
પત્રો નં. ૧૬૫, ૪૭૧, ૪૭૨, યમ નિયમના ૮ ત્રાટક છંદ અને ‘બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત' એ ભક્તિ પદો છે. ઉપરથી એવો વિક્ષેપ જાગ્યો કે આ બીજજ્ઞાન, ગુરુગમ, સુધારસ એ છે છે શું? કોઈપણ ભોગે તેની ખોજ કરવી જોઈએ અને તેનો ભેદ ઉકેલવો જોઈએ.
કૃપાળુદેવ કહે છે કે “પાવે નહીં ગુરુગમ બિના એહી અનાદી સ્થિત' અને ૪૭૧ના પત્રમાં લખ્યું છે કે “સુધારસ કે જે આત્માને સ્થિરતા કરવાનું અપૂર્વ સાધન છે અને ૧૬પનાં પત્રમાં સોભાગભાઈ ઉપર કૃપાળુદેવે સંબોધન કર્યું છે કે “કેવળબીજ સંપન્ન અને એ જ પત્રમાં લખ્યું છે કે તમને પ્રાપ્ત થએલા જ્ઞાનને સર્વ મહાત્માઓ ગાઈ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૯૯
For Personal & Private Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
ગયા છે' તો કેવળબીજ તથા સોભાગભાઈને પ્રાપ્ત થએલુ જ્ઞાન એ બે વસ્તુ પણ શું છે ? ઉપર લખાયેલા વચનો કૃપાળુદેવના છે અને તે વચનો મહાપુરુષના લખાએલા હોઈને ખોટા તો હોઈ શકે જ નહીં. માટે તેની ખોજ કરવી.
બીજો વિક્ષેપ :
વચનાવલી નં. ૨૦૦ તેમજ પત્રો નં. ૭૬, ૧૪૩, ૧૭૨, ૧૯૪, ૨૦૭ અને એવા અન્ય પત્રો છે જેમાં પ્રત્યક્ષ સદ્ગુરુનું મહાત્મ્ય જણાવ્યું છે, વળી કૃપાળુદેવ લખે છે કે સત્પુરુષ વિહોણી ભૂમી નથી, તેમજ તેમના બીજા એક પત્રમાં જણાવે છે કે ‘સત્પુરુષ ન હોય તો સૂર્ય કોને માટે ઉગશે ? પવન કોને માટે વાશે ? વરસાદ કોને માટે વરસશે ?’
આ ઉ૫૨થી શ્રી શાંતિભાઈએ એમ દૃઢ કર્યું કે જો સત્પુરુષ વિહોણી ભૂમિ નથી તો સત્પુરુષની શોધ કરવી જોઈએ.
સવારે ૫ થી ૬ ના ચિંતન વખતે દર્દ ભરેલા હૃદયે અશ્રુભીના નયને કૃપાળુદેવને વિનંતિ કરે કે હે પ્રભુ ! તમે ઠેક ઠેકાણે પ્રત્યક્ષ ઉપર ભાર મૂક્યો છે અને પ્રત્યક્ષની શોધ કરવાની ભલામણ કરી છે તો હે નાથ ! હું પામર, અજ્ઞાન, અબુધ ક્યાં શોધ કરું ? આપ જ મને રસ્તો બતાવો. તે ભાઈના ખ્યાલ મુજબ બનતા ૧૯૭૩ની સાલના કારતક સુદ ૧૫ (કૃપાળુદેવનો જન્મ દિવસ)ના રોજ પ્રેરણા થઈ કે તું સત્પુરુષની શોધમાં લાગી જા. તે આજ્ઞાનુસાર આસરે દોઢેક વર્ષ નીચેના સ્થળોએ ફર્યા અને નક્કી કર્યું કે ઉપ૨ના બંને વિક્ષેપોનો જે પુરુષ યથાતથ્ય જવાબ આપે તેને મારે સત્પુરુષ માનવા શ્રદ્ધા કરવી અને તેના ચરણમાં જીવન વ્યતિત કરવું તે શોધમાટે તેઓ વજેશ્વરી ગણેશપુરી, હરી આશ્રમ, વડોદરા, અમદાવાદ, ગોંડલ, પ્રભાસ પાટણ, તુલસીશ્યામ, ૨. બાણેજ, કંકોઈ, ભદ્રેશ્વર, કુંભારીયાજી, અંબાજી, આબુ, ઇડર, અગાસ, નાર, કાવીઠા ખંભાત, વડવા, ઉત્તરસંડા, વવાણિયા, ધામણ, નાશિક, પુના વિગેરે ઘણા સ્થળોએ ઘણા મહાત્માઓના, સાધુઓના, મહાપુરુષોના સમાગમમાં આવ્યા. બે જગ્યાએ તો જે મહાપુરુષો તરીકે ગણાવે છે
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૪૦૦
For Personal & Private Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
તેની પાસે ૨-૪-૬ માસ સુધી અવારનવાર ગયા પછી પણ ઉપરના પહેલા વિક્ષેપનો જવાબ ક્યાંય મળ્યો નહીં, અને બીજા વિક્ષેપનો જવાબ મોટે ભાગે મળ્યો કે પ્રત્યક્ષ સદ્ગુરુ જોઈએ અને જોઈએ જ.
આ રીતે ખૂબ શોધ કરતા શ્રી શાંતિભાઈને એક પરમ ઉપકારી મહાસતીજી પાસેથી જાણવા મળ્યું કે ભાઈ તમે વર્ષ-દોઢ વર્ષથી જેની શોધ કરી રહ્યા છો તેનો ઉકેલ તમને કાંદિવલીમાં અમુક ભાઈ છે તેની પાસેથી જ મળશે. તે ભાઈ આ શોધ કરનાર શ્રી શાંતિભાઈના મિત્ર હતા. તે ભાઈને મળતા તેણે યથાતથ્ય એવા બે મહાપુરુષોના નામ છે
અને સરનામા આપ્યા. [ (૧) પૂ. શ્રી છોટાલાલ મગનલાલ દેસાઈ, સાયલા. (તે સમયે * તેઓ કલકત્તા હતા) (૨) પૂ. શ્રી લાડકચંદ માણેકચંદ વોરા, સાયલા.
અને શોધ કરનાર શ્રી શાંતિભાઈ સાયલા આવ્યા. પૂ. શ્રી લાડકચંદ માણેકચંદ વોરા જે પૂ. શ્રી સોભાગભાઈના પરમાર્થ-પરમાર્થ માર્ગના (વેલો) યથાતથ્ય જાણનાર પ્રત્યક્ષ સત્પરુષને મળ્યા. શ્રી શાંતિભાઈને વિક્ષેપ નં. ૧ માં જે પાંચે પ્રશ્નો હતા અને જે નીચે લખેલા છે તે પ્રશ્નોના યથાતથ્ય ઉત્તર તે મહાપુરુષ પાસેથી મળ્યા.
પાંચ પ્રશ્નો કૃપાળુદેવ ત્રોટક છંદમાં કહે છે કે :
૧. “પલમેં પ્રગટે મુખ આગલસે, ૨. પત્ર નં. ૪૭૧માંથી
આત્માને સ્થિરતા થવાને માટે, આત્માને સમાધિ થવાને માટે, સુધારસ કે જે મુખને વિષે વરસે છે તે અપૂર્વ આધાર છે.”
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૪૦૧
For Personal & Private Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
૩. “બુઝી ચહત જો પ્યાસકો, હૈ બુઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહિ અનાદિ સ્થિત." ૪. “વહ સત્ય સુધા દરસાવડિંગે, ચતુરાંગુલ હૈ દગસે મિલહે; રસ દેવ નિરંજનકો પિવહી, ગહિ જોગ જુગોજુગ સો જીવહિ ૫. “વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નીજકો અનુભો બતલાઈ દીએ. ઉપરના પાંચે પ્રશ્નોના જવાબ પૂ. શ્રીએ શ્રી શાંતિભાઈને યથાતથ્ય આપ્યા. દોઢથી બે વર્ષ સૂરણામાં રાખ્યા પછી ઉપશમ, વૈરાગ્ય, યથાર્થબોધની પરીક્ષામાં પૂરા પાસ થયા ત્યાર પછી કરૂણાદૃષ્ટિથી જ્ઞાન આપ્યું સંવત ૨૦૩૧ના આસો સુદ ૬ને શુક્રવારે
66
તા. ૧૦-૧૦-૭૫.
શ્રી શાંતિભાઈએ એવો નિર્ણય કરેલો હતો કે ઉપરના કૃપાળુદેવના કહેવા મુજબના પાંચે પ્રશ્નોના જવાબ યથાતથ્ય આપે તેને સત્પુરુષ માનવા, સદ્ગુરુ ધારવા અને તેના ચરણમાં જીવન વ્યતિત કરવું.
તે પ્રમાણે તે ભાઈ આજે તેમના ચરણમાં જીવન વ્યતિત કરે છે, ને ભાવના ભાવે છે કે તેમના ચરણમાં તેમની હાજરીમાં પોતાનું આ દેહનું જીવન સમેટાઈ જાય.
૪૦૨
>>*&?+
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
※※※※※※※※※※※
GIGI
A100
lola
米老张是这长长※※※※悉陀老米米米米米米米米米米
Al Hon
સાયલી
DUNDUBH-079 -6584186
Main Education internation
For: Pes
use only
www.jainelibrasyon