SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજીએ સ્વપર હિતબુદ્ધિથી લોકોપકારપ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધર્મ વિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શક્યાં, ઓળખી કદર કરી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયોગે લોકોપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતો નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તવું યોગ્ય છે. આવી વિચારણાએ પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી ચોવીશી, પદ આદિ વડે લોકોપકાર તો કરી જ ગયા, નિષ્કારણ લોકોપકાર એ મહાપુરુષોનો જ ધર્મ છે. છ ઉપદેશ નોંધ ૧૨ ૪ (બીજા ભોઈવાડામાં શ્રી શાંતિનાથજીના દિગમ્બર મંદિરમાં દર્શન આ પ્રસંગનું વર્ણન) પ્રતિમાં નીરખી છેટેથી વંદન કર્યું. ત્રણ વાર પંચાંગી પ્રણામ કર્યા. છે શ્રી આનંદઘનજીનું શ્રી પદ્મપ્રભુનું સ્તવન સુમધુર, ગંભીર સુસ્પષ્ટ ધ્વનિએ ગાયું. જિન પ્રતિમાનાં ચરણ તળાસ્યાં. ) ઉપદેશ નોંધ ૧૪ * જે બહુ ભોગવાય છે તે બહુ ક્ષીણ થાય છે. સમતાએ કર્મ ભોગવતાં જ છે તે નિર્જરે છે; ક્ષીણ થાય છે. શારીરિક વિષય ભોગવતાં શારીરિક 1 શક્તિ ક્ષીણ થાય છે. * જ્ઞાનીનો માર્ગ સુલભ છે, પણ તે પામવો દુર્લભ છે, એ માર્ગ વિકટ : નથી. સીધો છે, પણ તે પામવો વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ. આ તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઈએ. પછી તેનાં વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની જ મળવા અને ઓળખવા એ વિકટ છે, દુર્લભ છે. મોક્ષમાર્ગ પ્રકાશ ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy