________________
જીત્યા છે એવા જિન વિતરાગ અજિત દેવ ! તારો છે. તે તારા પંથને હું ખોજી, નિહાળી રહ્યો છું. તે આધાર મારે જોઈએ છે. કારણ કે પ્રગટ સત્યથી ધર્મપ્રાપ્તિ થાય છે.
આનંદઘનજીની ચોવીશી મુખપાઠ કરવા યોગ્ય છે. તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે.
0 ઉપદેશ નોંધ ૯ % પ્રશ્ન : આપ જેવા સમર્થ પુરુષથી લોકોપકાર થાય એવી ઇચ્છા જ રહે એ સ્વાભાવિક છે.
ઉત્તર : લોકાનુગ્રહ સારો ને જરૂરનો કે આત્મહિત ?
શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો. શૃંગારયુક્ત ધર્મ
ભણી લોકો વળ્યા, આકર્ષાયા. વીતરાગધર્મ વિમુખતા વધતી ચાલી. જ અનાદિથી જીવ શંગાર આદિ વિભાવમાં તો મુચ્છ પામી રહ્યો છે, તેને . વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મરૂપે
મુકાય તો તે વૈરાગ્ય ભણી કેમ વળી શકે ! આમ વીતરાગમાર્ગ વિમુખતા વધી.
ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિન પ્રતિમા પ્રતિ લાખો દૃષ્ટિવિમુખ થયા. છે વીતરાગ શાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં. કેટલાંક તો સમૂળગાં ખંડાયાં. .
આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગ માર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાલી નહીં, એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી, ત્યાં શ્રી આનંદઘનજી બસો વરસ પૂર્વે થયા.
૧૨
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org