________________
તેનો બરોબર વિચાર કરશો. ઇચ્છાથી હોય ત્યાં ઉદય માનવો તો તે પણ મિથ્યાત્વનું અંગ છે.
૭. પ્રારબ્ધ પ્રમાણે જ પ્રાપ્તિ અપ્રાપ્તિ થવાની છે તેવો જેને દૃઢ નિશ્ચય હોય તેને વસ્તુની પ્રાપ્તિમાં હર્ષ શાનો ? અને અપ્રાપ્તિમાં શોક શાનો ? તે વિચારવું.
× ૫૬-૩૨, ભુજંગી છંદ : (સ્તુતી) વ્યુ
સુણો શારદા માતજી અર્જ મારી, સદા સેવકોને તમે છો આભારી, આવી વાસ જીભે કરો વેલી વેલી, સંભારું તુંને સર્વથી માત પહેલી...૧ દયા લાવીને આપજો શુભ વાણી, ભાંગો ભીડ માતા હને ભક્ત જાણી, દીયો બુદ્ધિ સારી સદા સુખકારી, કરો નાશ કુબુદ્ધિ, નાવે નઠારી....૨ બુદ્ધિ શુદ્ધ દાતા, સુતા છો બ્રહ્માની, સિદ્ધિ સરસ્વતી માત છો ગુણ ગ્યાની, નવે નિધી માતા વિધિ આપે શક્તિ, ધરું નેહથી દેહમાં ભાવે ભક્તિ...૩
બહુ બુદ્ધિશાળી દયાલીજ માતા, ભુંડા ભુત જેવા કરો ગુણ ગાતા. વડા ગ્રંથમાં વિખ્યતા આપ પેલી, કરાવો કૃપા દૃષ્ટિથી રંગ રેલી...૪ સતી સુખદાતા માતા સર્વ વ્યાપી, કરો મેર પરમેશ્વરી જ્ઞાન આપી. હિર ગુણ ગાવા કરી મેર માતા, કહે કાળું આપે સદા સુખ દાતા...પ
૭ ૫૬-૩૩, રાગ : ગોકળીયું મને લાગે પ્યારું છુ જાગી જુવો તો જીવ હજીએ છે સારું, ઉઠી જવું છે અણધાર્યું રે...જાગી છે પરનું પણ ઘરનું જાણી, નાહક ભાર મરે શીદ તાણી. પુરેપુરી કરી પાપ કમાણી, પણ સમજ હવે પ્રાણી રે... જાગી. અહોનિશ આપ ઉદરને માટે, કરે કરમ વાટે ને ઘાટે. ખોજ કરી ધરે ભલે અહિં ખાટે, જાવું છે જમના ઝપાટે રે... જાગી.
ધાઈ કરે પરપંચ દીન આખે, દામ ભજે રસ રામ ન ચાખે. લેશ સંતોષ વળે નહિ લાખે, અંધ થયો તું છતી આંખે રે... જાગી.
૨૮૬
Jain Education International
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
www.jainelibrary.org