________________
પણ ન સમજાય તો પૂછશો. એ જ તમે સૌ મજામાં હશો. ચી. * જયંતીલાલને આશીષ.
દ: છોટાલાલના શુભાશીષ . 0 પત્ર નં. ૨૨ %
સાયલા, તા. ૨૮-૩-૯૯ ભાઈ શ્રી શાંતિલાલ, બોરીવલી
મારી કોઈ જાતની ચિંતા કરશો નહીં. બાકી તો બધા શરીરના છે, ધર્મો છે. તેમાં અખંડીત આત્મા ઝળહળતો બીરાજી રહ્યો છે. તેની ઘડીએ ઘડીએ યાદ રાખશો. જેમ જેમ જાગૃતિ રાખશો તેમ તેમ તેની જ શ્રદ્ધા વધતી જશે અને હું દેહ છું તેવી બુદ્ધિ નીકળી જશે. સરવાળે તો લાભનો જ વેપાર છે. બાકી સૌને આશીષ.
દઃ છોટાલાલના શુભાશીષ 8પત્ર નં. ૨૩ ૪
સાયલા, તા. ૪-૧૦-૭૦ છે. . ભાઈ શ્રી ઈશ્વરભાઈ તથા શાંતિભાઈ, બોરીવલી
તમારું જોઈન્ટ પોસ્ટકાર્ડ મળ્યું વાંચી આનંદ. સવારના ઉંઘમાંથી ઉઠીએ એટલે સ્થૂળ શરીરની તથા પાંચ જ્ઞાન ઇન્દ્રિયો અને મનની ક્રિયા ચાલુ થઈ જાય છે. તેમાં સમયે સમયે આપણે જ્ઞાન સ્વરૂપ છીએ. બંને શરીરોની ક્રિયાથી અસંગ છીએ. આવી જાગૃતિ રાખવી અને શરીરોથી ભાવો અનુસાર જે ક્રિયા થાય છે તે ભાવો તથા ક્રિયા તરફ ઝળહળતો વૈરાગ્ય એટલે ઉદાસીનપણું, વીરક્તપણું સેવવું એ એક જ તરવાનો માર્ગ છે. બાકી મનુષ્યભાવે વહેવાર કર્યા જ કરવો જ એ ભટકવાનો કે પરિભ્રમણનો હેતુ થાય છે. ફરીફરી મનુષ્યભવ અને સત્સમાગમ મળવો દુર્લભ છે. માટે પ્રમાદ સેવ્યા કરવો. એ આત્માર્થી નરને પોષાય નહીં. આપણને વહેલો મોડો શરીર દગો દેશે
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૩૩૯
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org