SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા મનમાં છે એટલે આપણી જ્ઞાન અવસ્થા હજુ સંપૂર્ણપણે નિરાવરણ થઈ નથી. વેદન પ્રકૃતિ અને ભય પ્રકૃતિ નવમાં ગુણઠાણા સુધી હોય એટલે એ તો બહુ જ ઉચી દશાએ જાય બાકી તે પ્રકૃતિના ઉદયનો આપણા નિર્લેપ કે સાક્ષી આત્મામાં પ્રકૃતિની ખતવણી કરવામાં આવે તો બહુ જ ભય લાગે. ચેતન જ્ઞાન | મન તન (શરીર) પ્રકાશ શરીરની જડ ક્રિયા થાય છે. શરીર સાજુ-માંદું થાય તો શરીરને છે ખબર નથી પણ મનને તરત ખબર પડે છે એટલે શરીરની ચિંતા મન કરે છે જ્યારે સાક્ષી આત્મા તો મનની ક્રિયાનો પણ સાક્ષી છે. દરેક પ્રકૃતિનો ભય મનમાં છે જ્યારે આત્મા તો નિર્લેપ છે એવી જાગૃતિ રાખવી જોઈએ. સુખ દુઃખ રૂ૫ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. પ્રકૃતિના ઉદયથી સુખ દુ:ખ રૂ૫ ફળ તે તો આપણાં કરેલા કર્મનો ઉદય અને ફળ છે તે વખતે આપણને બોધ થયો છે એટલે સાક્ષી રહી શકીએ છીએ. એટલે જ આનંદઘનજી પ્રભુએ કહ્યું “જો નિશ્ચય એક આનંદો રે.” આપણે તો આનંદ જ્ઞાનસ્વરૂપ આત્મા છીએ એવો નિશ્ચય ' રાખવો. કારણ જિન ભગવાન એમ કહે છે કે ચેતન તો ચંદ્રમાં જેવો ! નિર્મળ છે ચેતનના ચેતન પરિણામ રહે તે કોઈ દિવસ જડ થાય નહીં. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહીત ન કોઈ, જ્ઞાની વેદે ઘેર્યથી, અજ્ઞાની વેદે રોઈ જ્ઞાની કે અજ્ઞાની બન્નેને સુખ દુઃખનો ઉદય હોય જ પણ જ્ઞાની એ તે ઉદયમાં સાક્ષી ભાવે રહી શકે છે, જ્યારે અજ્ઞાનીને બોધ નથી એટલે કલ્પાંત કરે છે. આટલા ઉપરથી તમો હવે સમજી શકશો અને હજુ Aી સોભાગ્યભાળ અને સાયલા ૩૩૮ શ્રી સોભાગ્યભાજી અને સારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy