SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ દોહરો હરિ ગાજે હરિ ઉપનો, હરિ આયો હરિ પાસ; જબ હરિ હરિમેં ગયો, હરિ ભયો ઉદાસ. શ્રી કાળીદાસભાઈએ શ્રી હિંમતલાલને આત્મજ્ઞાન વિષેની વધુ ! છે સમજણ આપવા શ્રી હરિભદ્રસુરીના એક શ્લોકનો ભાવાર્થ લઈને કહ્યું છે ધર્મ આત્મામાં રહેલા છે અને તે આત્મા દર્શન, જ્ઞાન ચારિત્રની છે એક્યતારૂપ પરિણામ.” શ્રી છોટાલાલભાઈ મગનભાઈ દેસાઈ સં. ૧૯૮૯માં કલકત્તાથી જ છે. સાયલામાં કાયમના વસવાટ માટે આવ્યા ત્યારે તેમણે તેમના મિત્ર શ્રી કે. વૃજલાલભાઈને કહ્યું કે મારે અહીં રહેવા માટે એક મકાન બનાવવું છે છે. એટલે શ્રી વૃજલાલભાઈએ કહ્યું કે અમારું મકાન મારા નાના ભાઈ હિંમતલાલે બનાવરાવ્યું છે અને તે તેમાં વધારે જાણકાર તથા હુંશિયાર છે. તે તમારું મકાનપણ બનાવરાવી આપશે. આ સમયે શ્રી હિંમતલાલભાઈનો શ્રી છોટુભાઈ દેસાઈ જોડે બહુ પરિચય ન હતો. પણ તેઓએ મોટાભાઈના મિત્રના સંબંધે ખૂબ જ મહેનત તથા કાળજીથી મકાન બનાવરાવી આપ્યું. આ જ મકાન હાલ રાજ-સોભાગ સત્સંગ | મંડળ સંત્સગાર્થે વાપરે છે. 1 શ્રી હિંમતલાલભાઈએ જે મહેનત લઈને સારું મકાન બનાવરાવી ન આપ્યું તેથી શ્રી છોટુભાઈ દેસાઈનો તેઓ ઉપર ખુબજ પ્રેમભાવ અને | વિશ્વાસ થઈ આવેલ. શ્રી હિંમતલાલભાઈને પણ શ્રી છોટુભાઈ દેસાઈના | 1 પ્રથમ સંપર્કથી જ તેમના પ્રત્યે સગાભાઈ જેટલો જ અંતરનો પ્રેમ કુદરતી રીતે જ પ્રગટેલ જે આગળ જતા સદ્ગુરુ પ્રત્યેના પ્રેમ ભાવમાં છે, પરિણમેલ. શ્રી છોટુભાઈ દેસાઈના ગાઢ પરિચયમાં આવ્યા બાદ શ્રી હિંમતલાલભાઈ સત્સંગમાં વધારે અને વધારે ભાગ લેતા થયા હતા. જ્યારે સત્સંગ દરમ્યાન કોઈ વાતની સમજણ ન પડતી તો શ્રી છોટુભાઈ ( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ) ૩૯૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy