________________
1 છે. એટલે ગૃહપતિએ બાવાજીને અંદર લેવાનું કહ્યું તથા ચોકીદારને
ધ્યાન રાખવા પણ જણાવ્યું. બીજે દિવસે સવારે બાવાજી તો વરસાદ બંધ પડતા પાછા ઓટલા ઉપર જઈને બેસી ગયા. શ્રી હિંમતલાલભાઈ જ બીજે દિવસે સવારે કોઈ કામસર બોર્ડિંગ બહાર નીકળ્યા ત્યારે બાવાજીએ જ. તેઓશ્રીને ઇશારાથી પાસે બોલાવ્યા અને આત્મજ્ઞાન સંબંધી બોધ કર્યો. શ્રી હિમંતલાલભાઈ નાનપણથી જ તેમના મોટા ભાઈશ્રી ? વૃજલાલભાઈ તથા શ્રીકાળીદાસભાઈના સહવાસમાં જ મોટા થયેલ હોવાથી તેમનામાં પણ આત્મજ્ઞાન મેળવવાની થોડી ઘણી જિજ્ઞાસા તો હતી જ. તેથી આ બાવાજીનો બોધ તેમને ગમ્યો અને શ્રી કાળીદાસભાઈને જલદી આ બોધ જણાવવાની ઇચ્છા થઈ આવી. જ્યારે તેઓ રજાઓમાં સાયલા આવ્યા ત્યારે તેમણે આ વિષે કાળીદાસભાઈને જાણ કરી. શ્રી | કાળીદાસભાઈએ તેમને વાંસામાં હાથ ફેરવતા કરુણાથી કહ્યું કે હિંમત તને આગળ ઉપર શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિત બોધથી ચોક્કસ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે જ.
શ્રી હિંમતલાલભાઈ, સાયલામાં શ્રી કાળીદાસભાઈ, શ્રી વૃજલાલભાઈ, શ્રી છોટાલાલ દેસાઈ, શ્રી લાડકચંદભાઈ શ્રી રતિલાલ ખારા વિગેરે સપુરુષો જ્યારે જ્યારે સત્સંગ કરતા હોય ત્યારે પહોંચી જતા અને આ સત્સંગીઓને પાણી પાવું, હોકો કે ચલમ ભરીને સળગાવી આપવા જેવી નાની મોટી સેવા કરતાં અને સાથે સાથે સત્સંગનો પણ લાભ લેતાં. ઘણી વખત તેઓશ્રીને આત્મા વિષે જાણવાની તીવ્ર ઇચ્છા થઈ આવતી ત્યારે તેઓ શ્રી કાળીદાસભાઈને પૂછી પણ લેતા કે આત્મા શું ચીજ છે? તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? આમ તેમની આત્મજ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસા પણ વધતી જતી હતી. એક દિવસ શ્રી કાળીદાસભાઈએ શ્રી હિંમતલાલભાઈને એકાંતમાં બોલાવી, એક નીચે છે મુજબનો દોહરો મુખપાઠ કરાવીને કહ્યું કે તારે આ દોહરાનું રટણ છે. કર્યા કરવું.
૩૯૪
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org