________________
પ્રકરણ-૭ શ્રી હિંમતભાઈ દેવજીભાઈ બેલાણી શ્રી હિંમતલાલભાઈ, સંબંધથી શ્રી વૃજલાલભાઈના નાનાભાઈ થાય. તેઓશ્રીનો જન્મ સાયલા ગામમાં સંવત ૧૯૬૦ના ભાદરવા વદી-૧૧ને બુધવાર તા. પ-૧૦-૧૯૦૪ના રોજ થયેલ. તેઓશ્રીએ સાયલા ગામમાં જ ગુજરાતી ૭-ધોરણ અને પછી અંગ્રેજી ૩-ધોરણનો અભ્યાસ કરેલ અંગ્રેજી ધોરણ-૪નો અભ્યાસ વઢવાણ શહેરમાં બોર્ડિગમાં રહીને કરેલ. અંગ્રેજી ધોરણ-૪ સુધીનો અભ્યાસ કરીને તેઓશ્રી બાપદાદાના સોના-ચાંદીના તથા ધીરધારના ધંધામાં જોડાઈ ગયા. તેઓશ્રીનાં લગ્ન સંવત ૧૯૫૭માં તેમની ૧૫ વર્ષની વયે બોટાદના વતની પણ ભાવનગરમાં પોલીસ સુપ્રીન્ટડન્ટ તરીકે નોકરી કરતા શ્રી હીરાચંદભાઈ નીમચંદના સુપુત્રી શ્રી સમતાબેન જોડે થયેલ.
તેઓશ્રીમાં નાનપણથી જ દયાપ્રેમ તથા ધાર્મિકવૃત્તિ હતાં તે નીચેના પ્રસંગથી જણાશે :
જ્યારે તેઓ શ્રી અંગ્રેજી ધોરણ-૪નો અભ્યાસ વઢવાણ શહેરમાં બોર્ડિંગમાં રહીને કરતા હતા ત્યારે ચોમાસામાં એક દિવસ ખૂબ જ વરસાદ પડતો હતો, સાંજનો સમય હતો, એ વખતે ખાખી બાવાજી વરસતા વરસાદમાં ઠંડીથી ધ્રુજતાં એક ઓટલા ઉપર બેઠા હતા. આ બાવાજીને તેઓશ્રીએ જોયા અને તેમને દયા આવી કે જો આ બાવાજી અહીં જ વરસાદમાં પલળતા રહેશે તો મરી જશે. તેથી તેઓએ બોર્ડિગમાં ગૃહપતિને વાત કરી કે આ બાવાજીને આપણે બોર્ડિંગની અંદર લઈ લઈએ તો વરસાદમાં પલળતા બચી જાય. પહેલાં તો ગૃહપતિએ સ્પષ્ટ લેવાની ના પાડી. પરંતુ રાત્રે ૯-૧૦ વાગે ગૃહપતિએ શ્રી હિંમતલાલભાઈને બૂમ પાડી કે હિંમત તું જાગે છે ? શ્રી હિંમતલાલભાઈ તે સમયે જાગતા હતા. તેમણે કહ્યું કે હા સાહેબ જાણું , મને ઉંઘ આવતી નથી. પેલા બાવાજીના જ વિચારો આવ્યા કરે
શ્રી સોભાગ્યભાઈ અને સાયલા
33
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org