________________
જ પ્રકારની શંકાઓ તમારા મનને હોય તેમ મને લાગે છે. પણ આ બધી જ
શંકાઓ જો સત્સંગ દ્વારા સમજીને નિવૃત્ત થાય તો આત્મસ્વરૂપ આપને 1 વિશેષ દૃઢ થાય, ત્યારે શાંતિ પામો તેમ છો એમ મને તો લાગે છે. ' છે. પણ હવે તેવો જોગ નથી. કાગળ કેટલું લખાય. છે તમારા ત્રીજા પ્રશ્નનું સમાધાન નીચે પ્રમાણે સમજશો :
રાગદ્વેષનું સ્વરૂપ પુદ્ગલીક પદાર્થ અથવા તો માયીક પદાર્થ પામવાથી, * તે પદાર્થ પ્રત્યે મોહ હોવાથી જીવમાં ઉલ્લાસ પરિણામ થાય તે “રાગ” છે અને તે પદાર્થ મોહને લીધે ઝંખના કરતા પ્રાપ્ત ન થવાથી થતો ખેદ
તે દ્વેષ'.
' ઉપર કહ્યા તે રાગ ને દ્વેષ ભવને વધારે છે. બાકી તો રાગના ઘણા જ તે પ્રકાર છે. સામાન્ય, મધ્યમ, તીવ્ર, જે ઉપર કહ્યાં તેવી રીતે રાગ થાય,
ને ન મળવાથી ખેદ અને ચિંતા થાય તે દ્વેષભાવના બીજરૂપ છે. ' - હવે રાગદ્વેષ જ્યાં ન હોય ત્યાં આત્મા અને પુદ્ગલની વહેંચણી જ
થાય તેને ભેદજ્ઞાન કહે છે. અને ભેદજ્ઞાન દઢ થવાથી પુદ્ગલીક વસ્તુ ' મળવાથી આનંદ કે ઉલ્લાસ ન પામે, ને ન મળવાથી ખેદ ન થાય. !
આનું નામ વૈરાગ્ય છે. અને પર વસ્તુ ઉપરથી મોહ ભાવ નિવૃત્તિ થયો તેનું નામ ત્યાગ છે. આ ત્યાગ વૈરાગ્ય ન હોય તો સ્વરૂપનો ભેદ જાણ્યો તે ન જાણ્યા બરાબર છે. પણ આંતરીક ક્રિયા છે તે બહારની દૃષ્ટિથી જોનારનાં સમજવામાં ન પણ આવે.
હવે તમે લખો છો કે પાડોસીનું ઉઘાડું દુખ હું જોઈ શકતો નથી તો - આ રાગ નથી, પણ આ તો દયા અગર અનુકંપા બુદ્ધિ છે. અને તે તો એ જ્ઞાનીઓને સંસારી જીવ ઉપર વિશેષ પ્રકારે હોય છે. માટે તે રાગ નથી ! પણ અનુકંપા છે. રાગ અને દ્વેષના પ્રકાર ઘણાં છે. તેમાં મુખ્ય કરીને ભાવ વધારનાર રાગ પુદ્ગલીક વસ્તુ ઉપર મોહાસક્તિપણે હોય તેથી નિવૃત થવું જોઈએ. તેમજ મોહાસક્તિને લઈ કોઈ પણ પુદ્ગલીક વસ્તુની અપ્રાપ્તિથી દ્વેષ હોય અને તેથી જે ખેદ ઉત્પન્ન થાય છે તે દ્વેષ, તે ટાળવો જોઈએ. મતલબમાં પુદ્ગલીક વસ્તુ મળવાથી હર્ષ તે “રાગ,”
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org