________________
સ્વરૂપ અહીં સર્વ પદાર્થથી ભિન્ન, અસંગ, નિર્મળપણે વ્યક્ત રીતે ? ભાસતો, સ્પષ્ટ રવરૂપ ભાસે અને પોતાનો સ્થિર સ્વભાવ પ્રગટ કરે તે ચારિત્ર.
હવે સ્થિર સ્વભાવ કોનો ? તો કહે આત્માનો. પ્રતિતી કોની ? તો કહે આત્માની. પ્રથમ પદમાં જ્ઞાન કોનું? તો કહે આત્માનું.
આ ત્રણે પ્રકારે અભેદપણે આત્મસ્વરૂપ પામવું તેનું નામ “જિનનો * માર્ગ પામ્યો” અગર તો “સ્વસ્વરૂપ પામ્યો.”
હવે આ લાંબું લખાણ કરવાનું કારણ કે આમાં સિદ્ધિ, ચમત્કાર [ કયે ઠેકાણે કહ્યો છે કે સિદ્ધિ ચમત્કાર હોય તો જ જ્ઞાનીપણું માનવું. ' હવે ત્રણ પદમાં પહેલેથી બીજું પદ પામ્યો ત્યાંથી તે છેવટે સંપૂર્ણ - દશા પામે ત્યાં સુધીમાં જ્ઞાનીપણું તે જીવને કહ્યું છે. છે. ટૂંકમાં સમજવા માટે ચોથે ગુણઠાણે સમકિતની પ્રાપ્તિ કીધી છે, 1 તેથી તે છેવટના તેરમા ગુણઠાણાના જ્ઞાનમાં (દર્શનમાં) અને ચોથાના
જ્ઞાનમાં (દર્શનમાં) કંઈ ભેદ નથી. ફેર પ્રારબ્ધ કર્મનો ભોગ-કોઈને થોડો, કોઈને વિશેષ, અને તેને લઈને જ્ઞાનની તારતમ્યતા ઓછી
વધતી હોય છે. પણ આત્મસ્વરૂપ તો જે પ્રકારે તેરમા ગુણસ્થાનકવાળા તે જાણે છે તે જ પ્રકારે ચોથાવાળા જાણે છે. માટે હવે આ લખવાનો હેતુ છે 1 એવો છે કે આ દેહમાં આત્મબુદ્ધિ તો તમને ઘણા વખતથી નિવૃત્ત થઈ જ છે, પણ તે સૂક્ષ્મપણે બધી રીતે આપને સમજવામાં ન હોય છતાં કુદરતી તો આત્મવૃત્તિ રહ્યા કરે છે તેમ તમારા લખાણ ઉપરથી જણાય છે. છતાં તે સ્વરૂપ હજી પામ્યો નથી. કેમ પમાતું નથી ? કેવા પ્રકારે પમાતું હશે ? પામ્યા પછી એકદમ અચાનક કોઈ અભૂત દશા બીજાઓના જાણવામાં આવી શકે તેવી થતી હશે ? કે કોઈ પ્રકારની સિદ્ધિ ચમત્કાર થતો હશે ? કે કોઈ પૂર્વભવ વિગેરે સમજવામાં બધાને . આવી જતા હશે ? ત્યારે જ સ્વરૂપ પ્રાપ્તિ થઈ ગણાય. આવા
૨૩૦
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org