________________
સ્વભાવ દશા પ્રગટ થાય છે. અને તે જ વીતરાગ દશા. એ વીતરાગ દશા જેમ જેમ જીવમાં વધે તેમ તેમ ચારિત્રમોહનો નાશ થાય. સંપૂર્ણપણે ચારિત્રમોહ અમુક ગુણસ્થાનકે નાશ થાય છે. અને જ્યાં સંપૂર્ણ નાશ થાય છે ત્યાં સંપૂર્ણ વીતરાગ દશા પ્રગટ થાય છે.
હવે બધા કર્મના બીજભૂત આ મોહનીય કર્મ, તેનો નાશ સાવ સહેલાઈથી જ્ઞાની પુરુષે બતાવ્યો છે કે વિચાર દશાથી જ તેનો નાશ થાય છે. આત્માની ઘાત કરનાર મોહનીય કર્મ હોવાથી તેને ઘાતી કર્મ કહેલ છે. આ બેનો નાશ થયા વિના સંપૂર્ણ સ્વરૂપ પ્રાપ્તિ થતી નથી. અને એ બેનો નાશ થયે આ જ દેહે જીવતા મોક્ષનું સુખ અનુભવી શકાય છે. આનો જરૂર વિચાર કરશો.
હવે મુક્ત થવાનો ખરો માર્ગ તો આજ પ્રકારે જ્ઞાની પુરુષો કહે છે, પણ આપણે બીજી રીતે મુક્તપણાનો માર્ગ માનીએ તો તે સત્ય ક્યાંથી હોય ? અને થઈ ગયેલા જ્ઞાની પુરુષોનો અફસોસ કરીએ એ સ્વભાવિક છે, પણ તે કરતાં આવા પ્રકારે સવિચારણા નિરંતર કરીએ તો તેમાંથી અપૂર્વ માર્ગની પ્રાપ્તિ થાય છે. કદાચ જ્ઞાની પુરુષની હાજરી
હોય તો પણ આ કહ્યા મુજબ માર્ગની ગવેષણા કર્યા વગર મુક્તપણું જ થવું અસંભવિત છે. માટે જ્ઞાની ગયા પણ માર્ગ મુકી ગયા છે. માટે જ માર્ગમાં પ્રવૃત્તિ થાય તેમ લક્ષ રહે તો વધારે સારું છે.
કાગળમાં કેટલું લખાય ? આટલું લખી આ કાગળ હવે બંધ કરું છું. રાતના બે વાગ્યા છે, દિવસે તો નવરાસ મળતી નથી. આપને લાગે તે ખુલ્લા દિલથી લખતા રહેશો. આપના તરફથી ગમે તેવા પ્રકારનું લખાણ હશે તો પણ મને પ્રિય જ લાગશે. તમે રામાયણનો કૈકેયીનો દાખલો લખ્યો એવી શંકા મારા-તમારા વચ્ચે આવવી ન જ
જોઈએ. મારે મન તો આપના પ્રત્યે કોઈ દિવસ ખોટું લાગ્યું જ નથી ! ' અને લાગશો નહીં; માટે તેવો અંદેશો લાવવો નહીં.
આ કાગળ નિરાંતે બરાબર સમજી, વખતોવખત વાંચી, તે સંબંધે જણાવવા યોગ્ય લાગે તો જણાવશો. તમે મારા માટે સારા શબ્દો
૨૩૬
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org