________________
કે નહીં જાણતા તેથી ઉલટી રીતે તે વસ્તુનું સ્વરૂપ જાણવું તેનું નામ છે છે દર્શન મોહનીય છે. અહીં આત્મા અને પુદ્ગલ તે બેમાં વિચારવાનું ' છે. આ દેહની અંદર જે જે સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષ પરિણામ. આ છે. કષાય આદિ જે જે મિથ્યાત્વભાવ અગર વિભાવ ઉત્પન્ન થાય છે તે છે ! મને થાય છે, આત્મામાં ઉત્પન્ન થાય છે, તેવા પ્રકારે પુદ્ગલીક પરિણામને જ દર્શનમોહ હોવાપણાને લીધે આત્મીક પરિણામ માને, તેમ જ આ પુદ્ગલ દેહથી થતી શુભ ક્રિયા, દાન, વ્રત, નિયમ, તપ આદિ ધર્મના નામે થતી ક્રિયા દેહથી થાય તેને શુભ ક્રિયા કહેવાય તે આત્માની માને અને આવા પરિણામ હોવાપણાને લીધે ખરો આત્મીક ભાવ જે છે તે સમજવામાં ન આવે, અગર તો ઉપર કહી તે પ્રકારની ક્રિયાના આગ્રહથી આત્મીક પરિણામ સંબંધી જ્ઞાનનો અનાદર કરે તેને “દર્શન મોહ' કહ્યો છે. તે દર્શન મોહની નિવૃત્તિ કૃપાળુદેવે કીધી કે : “હણે બોધ વિતરાગતા, અચૂક ઉપાય આમ.” દર્શન મોહ છે તે સત્યાત્મ બોધ થયે નાશ પામે, અને સત્યાત્મ બોધ થાય ત્યારે આત્માની ક્રિયા છે અને પુલની ક્રિયા તદ્દન જુદી જુદી ભાસે, તેથી પુદ્ગલીક ક્રિયા જે આત્માની મનાતી હતી તે પુદ્ગલની માની પોતે આત્મીક ક્રિયાનો જ કર્તા થયો અને અન્ય ક્રિયાનો અકર્તા થયો. આવા પ્રકારે દર્શન મોહનો નાશ કર્યા પછી હવે ચારિત્ર મોહ અનુક્રમે કેમ નાશ થાય તે | નીચે બતાવેલ છે.
ચારિત્ર મોહનું સ્વરૂપ પ્રથમ સમજવું જોઈએ. પુદ્ગલીક ભાવમાં જે રાગ દશા રહે, જીવ તેનાથી મુક્ત થવાની ઇચ્છા કરે પણ પૂર્વના પ્રારબ્ધ યોગથી પૂર્વની કર્મ પ્રકૃતિની વળગણા હોવાને લીધે રાગાદિ
પરિણામ પરિગ્રહાદિમાં તેમ જ પુદ્ગલીક વસ્તુમાં સરાગપણે રહ્યા જ કરે તેને “ચારિત્ર મોહ' કહે છે. | દર્શનમોહ નાશ થવાથી સ્વભાવ પરિણામ અને વિભાવ પરિણામ
યથાર્થપણે લક્ષગતુ થવાથી પરિણામ પ્રત્યેનો મોહ નિવૃત્ત થવા લાગ્યો, છે અહિ મોહ કહો કે રાગ કહો, તે બન્ને સ્વરૂપ એક જ સમજવું. હવે તે વિભાવ પ્રત્યેનો રાગ જેટલા જેટલા અંશે નિવૃત્ત થાય તેટલી તેટલી
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૩૫
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org