________________
આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્ માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશાવર્ત એ જ કલ્યાણનો * મુખ્ય નિશ્ચય છે.
) પત્ર ક્રમાંક ૭૮૧ : સો. 9 જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને 1 લીંપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે જ
છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, આ કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ છેવંદના કરે છે.
કોઈને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશો. જેમ જ જેમ સપુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે,તેમ તેમ તે તે જીવ આત્મ કલ્યાણને સુગમપણે પામશે, એમ નિ:સંદેહતા છે.
* વ્યવહાર અથવા પરમાર્થ સબંધી કોઈ પણ જીવ વિષેની વૃત્તિ હોય છે તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગ અથવા પરમ પુરુષની ઉપર
કહી છે તે દશાના અવલંબને આત્મ સ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, છે. કેમકે બીજો કોઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા છે
અંત:કરણે પુરુષનાં વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં જ કંઈ સંશય નથી, અને શરીર નિર્વાહાદિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ
પ્રમાણે પ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલ્પ રાખવા
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org