________________
O ૫ત્ર ક્રમાંક ૨૧૧ : અંબાલાલ બુ
‘સત્' એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે.
તે
સત્ જે કંઈ છે, તે સત્ જ છે, સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણતિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંથી કોઈ પણ કલ્પના ‘સત્' જણાતી નથી, અને ‘સત્'ની નજીક સંભવતી નથી. ‘સત્' છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદું) છે, કલ્પનાથી ‘પર' (આર્થે) છે, માટે જેની પ્રાપ્તિ કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી ‘સતુ’ ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તો જરૂ૨ માર્ગની પ્રાપ્તિ થાય.
O પત્ર ક્રમાંક ૨૧૩ : સૌ. જી
અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે, સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષ્ણા છેદી શકે નહિ એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.
આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.
ત્રિલોકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે, એવા સત્પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ.
મોક્ષમાર્ગ પ્રકાશ
30
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org