________________
0 પત્ર ક્રમાંક ૨૦૫ : સૌ. જ
तत्र को मोहः कः शोकः एकत्वमनुपष्यतः । છે તેને મોહ શો, અને તેને શોક શો, કે જે સર્વત્ર એકત્વ (પરમાત્મ સ્વરૂપ)ને જ જુએ છે.
વાસ્તવિક સુખ જો જગતની દૃષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું મોક્ષસ્થાન ઊર્ધ્વલોકમાં હોત નહીં; પણ આ જગત જ મોક્ષ હોત.
જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે; આ વાત જો કે યથાર્થ છે; તો પણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, વિચારી પગ મૂકવા જેવું તેને કંઈ પણ લાગે છે, માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં ! તમારા સંગને ઇચ્છીએ છીએ, એ યોગ્ય જ છે.
પત્ર ક્રમાંક ૨૦૯ ૪ મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક “સને જ પ્રકાશ્ય છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રતીત કરવા યોગ્ય
છે, તે જ અનુભવરૂપ છે અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. છે તે “પરમસતુ'ની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઇચ્છીએ 1 છીએ.
તે “પરમસતુને પરમજ્ઞાન' કહો, ગમે તો “પરમપ્રેમ' કહો, અને જ છે ગમે તો સત્-ચિત્ત-આનંદ સ્વરૂપ કહો. ગમે તો આત્મા કહો, ગમે તો ,
સર્વાત્મા કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એકરૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સત્ તે સત્ જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં.
એવું તે પરમતત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, અને ભગવંત આદિ અનંત નામોએ કહેવાયું છે.
પ્રકાશ
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org