________________
અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. છે. (૧૨) શાસ્ત્રમાં કહેલી આશાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી છે | થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી ! જ જોઈએ. A (૧૩) આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી . મોક્ષ નથી.
(૧૪) એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી છેઅભય થાય છે. Aડ
) પત્ર ક્રમાંક ૨૦૧ઃ સો. 9 કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ છે * હૃદયમાં જેણે અનુભવ કર્યો છે. એવા જ્ઞાની-ઓની ગુપ્ત શિક્ષા છે. આ
અત્ર પરમાનંદ છે. અસંગવૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી, એવું જે સસ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્ય છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વતો. અમે તો તમારી ચરણરજે છીએ, અને ત્રણે કાળ એ જ પ્રેમની નિરંજનદેવ પ્રત્યે યાચના છે.
સત્સંગની અત્ર ખામી છે, અને વિકટવાસમાં નિવાસ છે. હરિઇચ્છાએ હર્યાફર્યાની વૃત્તિ છે. એટલે કંઈ ખેદ તો નથી; પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી, એ ચિંતન નિરંતર રહ્યા કરે છે.
ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય છે તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.
૨૮
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org