________________
કે એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ છે
કરવા કરતાં પણ વિકટ કાર્ય છે, તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સપુરુષનાં અંત:કરણ તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.
હે પરમાત્મા ! અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. તેમ છતાં જૈન ગ્રંથોમાં ક્વચિત્ પ્રતિપાદન થયું છે છે. તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય; તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ, જ
અને અમને મોક્ષ આપવા કરતાં પુરુષનાં જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ.
હે પુરુષપુરાણ ! અમે તારામાં અને પુરુષમાં કંઈ ભેદ હોય છે એમ સમજતા નથી; તારા કરતાં અમને તો પુરુષ જ વિશેષ લાગે
છે; કારણ કે તું પણ તેને આધિન જ રહ્યો છે, અને અમે સપુરુષને | ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં, એ જ તારું દુર્ઘટપણું ,
અમને સપુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તે વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી, અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે ' તેમ કરીએ ?
- ઈશ્વરી ઇચ્છા જ એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે; અને જ્ઞાનીની પણ અંતરઇચ્છા તેવી જ જણાય છે. જેની કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી,
એવા જ્ઞાની પુરુષને કંઈ કર્તવ્યરૂપ નહીં હોવાથી જે કંઈ ઉદયમાં છે [ આવે તેટલું જ કરે છે.
' ) પત્ર ક્રમાંક ૨૧૪: સૌ. As અભેદદશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા , ઇચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે | રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી; અને પોતાની અહંરૂપ ભ્રાંતિનો જ પરિત્યાગ કરવો. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઇચ્છા છે
(
મોક્ષમાર્ગ પ્રકાશ
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org