SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગવી યોગ્ય છે, અને એમ થવા માટે પુરુષના શરણ જેવું એક્કે ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારા મોહાંધ પ્રાણીઓ નહીં ! * જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરુણા આવે છે. હે નાથ, તું ? અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે. આ પત્ર ક્રમાંક ૨૧૬ (છ જે કંઈ છે તે સતું જ છે. અન્ય નહીં. તે સહુ એક જ પ્રકારનું ન હોવાને યોગ્ય છે. તે જ સત્ જગતરૂપે બહુ પ્રકારનું થયું છે, પણ તેથી જ કાંઈ તે સ્વરૂપથી શ્રુત થયું નથી. સ્વરૂપમાં જ તે એકાકી છતાં ! જ અનેકાકી હોઈ શકવાને સમર્થ છે. D પત્ર ક્રમાંક ૨૧૭: સૌ. છ પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તોપણ છે. કરવો યોગ્ય જ છે. સરળ વાટ મળ્યાં છતાં ઉપાધિના કારણથી જ તન્મય ભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતો નથી. આ આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઇચ્છા થયા કરે જ છે. જો કે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં આત્માને જ |ો ઘણું કરીને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં છે 1 ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહતા ? પર તે વેળા આવરણ આણવું પડે, અને એવી પરમ સ્નેહતા અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઇચ્છા થતી નથી. કદાપિ સર્વાત્માની એવી વૈચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઇચ્છા છે ફેરવશું. પણ પ્રેમભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે, અને વારંવાર એ જ રટના રહેવાથી કે “વનમાં જઈએ “વનમાં જઈએ” એમ થઈ આવે છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. સત્-સતું' એનું રટણ છે. અને સત્ નું સાધન “તમે' તે ત્યાં છો. જ અધિક શું કહીએ ? ( ૩૨ ). મોક્ષમાર્ગ પ્રકાશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy