________________
છે, આવા વિષય બારામાં સત્સંગની ઇચ્છા તમોને રહ્યા કરે છે તે જાણી પ્રમોદ થાય છે. ભાવનગરથી ભાઈ જયંતીલાલ તરફથી પણ સત્ની પ્રેરણા આપતાં પત્રો મળ્યા કરે છે, તે પણ સારૂં છે.
સ્થૂલ શરીર તથા પાંચ જ્ઞાન ન્દ્રયો અને મનના વિચારોથી આપણે તદ્દન ભિન્ન એટલે જુદા છીએ એ ભાવના નિરંતર કાર્યે કાર્યે પ્રસંગે પ્રસંગે ભાવવી. આપણે સ્થૂળ તથા સૂક્ષ્મ દેહના ધર્મોથી જુદા નિરંતર ચેતન આત્મા છીએ. એ ભાવના વધાર્યે જ છૂટકો છે. બાકી તો જગજીવનભાઈ ત્યાં છે. એમના શરીરની અને વેપાર વગેરે કરે છે એ તરફ દૃષ્ટિ નહીં રાખતા તેમની પ્રેરણા મેળવતા રહેશો તો બહારના પત્રોની પ્રેરણાની જરૂર નહીં રહે.
બંને ભાઈઓને આશીષ. ભાઈ જગજીવનભાઈ તથા ભાઈ નંદલાલને આશીષ. સૌ ખુશીમાં હશો.
દઃ છોટાલાલની શુભાશિષ
Ò પત્ર નં. ૩૭ બુ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
ભાઈ શ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારૂં પોસ્ટકાર્ડ તા. ૨૭-૧૨નું વાંચી આનંદ. આપણે ચેતન એટલે આત્મા જ છીએ. સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહના ધર્મોથી ભિન્ન છીએ. એ ભાવનાનું જોર જેટલું વધે તેટલો ફાયદો જ છે. લાભનો જ વેપાર છે. આમાં ખોટનો વેપાર તો નથી. બાકી જગજીવનભાઈ ત્યાં છે એટલે તમને તો આવા વિષમકાળમાં અનુકૂળતા છે.
દઃ છોટાલાલના શુભાશીષ
સાયલા, તા. ૩૧-૧૨-૬૫
For Personal & Private Use Only
૩૫૧
www.jainelibrary.org