________________
ત્યાં સુધી નહિ નમે, કોઈને નહિ નમે, હિન્દીઓ માનજો વાત સાચી. શાન્તિના શસ્ત્રથી, સત્યનું યુદ્ધ આ, સર્વ સત્યાગ્રહી વીર ખેલે. ઇશને આશરે, સત્યનું નાવડું, પાપના પાણીમાં જાય ઠેલે. બાપુજીને બીજા જેલમાં હોય ત્યાં, શાન્તિ સુલેહની વાત કેવી. ખાનને પાન સા ઊંઘ આરામ સા, કામને કામ ત્યાં રાત કેવી. મરણીયા મરદ મયદાનમાં આવજો, કાયરો ભાગજો જીવ લઈને. જાન દેનાર આ યુદ્ધમાં જીવશે, અમર થઈ ઇતિહાસમાં અમર થઈને હિન્દુ છે આપણું, આપણે હિન્દુના, માલ મીલ્કત બધી હિન્દની આ. જન્મ એણે લીધો, અન્ન એણે દીધા, જાન કુરબાન એની ઉપર આ. દેશ કાજે જીવન, દેશ કાજે મરણ, દેશ કાજે ફના સરવ હોજો. નહિ ડગે, નહિ ડગે, અડગ વિશ્વાસ રહે, આખરી આપણી જીત જો જો.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
304
www.jainelibrary.org