SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ નોંધ ૨૩ જ. 'नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे, अर्हते योगीनाथाय महावीराय तायिने. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રની રચના કરતાં મંગલાચરણમાં વીતરાગ સર્વજ્ઞ અરિહંત યોગીનાથ મહાવીરને સ્તુતિરૂપે નમસ્કાર કરે છે. વાર્યા વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ, દ્વેષ અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાર્યા, જીત્યા; જે વીતરાગ સર્વજ્ઞ થયા; વીતરાગ સર્વજ્ઞ થતાં જે અહંતુ પૂજવા યોગ્ય થયા; અને વીતરાગ અત્ થતાં મોક્ષ અર્થે પ્રવર્તન છે જેનું એવા જુદા જુદા યોગીઓના જે નાથ થયા; નેતા થયા; અને એમ નાથ થતાં જે જગતના નાથ, તાત, ત્રાતા થયા, એવા જે મહાવીર તેને નમસ્કાર હો. અહીં સદેવના અપાયઅપગમ અતિશય, જ્ઞાન અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય સૂચવ્યા. આ મંગલ સ્તુતિમાં સમગ્ર “યોગશાસ્ત્રનો સાર સમાવી દીધો છે. સદ્વનું નિરૂપણ કર્યું છે. સમગ્ર સ્વરૂપ, તત્ત્વજ્ઞાન છે સમાવી દીધું છે. ઉકેલનાર ખોજક જોઈએ. લૌકિક મેળામાં, વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ હોય. સાચો મેળો સત્સંગનો, એવા મેળામાં વૃત્તિની ચર્ચાળતા ઓછી થાય,દૂર થાય. T માટે સત્સંગ મેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે, ઉપદેશ્યો છે. ઉપદેશ નોંધ ૨૬ देवागमनभोयानचामरादिविभूतयः . मायाविष्वपि दृश्यंते, नातस्त्वमसि नो महान् સ્તુતિકાર શ્રી સંમતભદ્રસૂરિને વિતરાગ દેવ જાણે કહેતા હોય, તે જ છે. સંમતભદ્ર ! આ અમારાં અષ્ટપ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જો; અમારું છે મહત્ત્વ જો. ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતાં ત્રાડ પાડે તેમ શ્રી સંમતભદ્રસૂરિ ત્રાડ પાડતા કહે છે : “દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વૈભવથી વીંઝાવું, એ તો માયાવી એવા મોક્ષમાર્ગ પ્રકાશ ૧૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy