________________
ઇન્દ્રજાળિયા પણ બતાવી શકે છે. તારા પાસે દેવોનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર છત્ર આદિ વિભૂતિ ભોગવે છે માટે
તું અમારા મનને મહાન ! ના, ના, એ માટે તું અમારા મનને મહાન છે નહીં. તેટલાથી તારું મહત્ત્વ નહીં. એવું મહત્વ તો માયાવી ઇન્દ્રજાળિયા છે પણ દેખાડી શકે. ત્યારે સદેવનું મહત્ત્વ વાસ્તવિક શું? તો કે વીતરાગપણું એમ આગળ બતાવે છે.
ઉપદેશ નોંધ ૩૧ જ દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા | રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા ! રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી.
ચારિત્ર મોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહનો જ પડ્યો ઠેકાણે આવતો નથી, કારણ, સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરવી.
* 0 ઉપદેશ નોંધ ૩૫ % સપુરુષ અન્યાય કરે નહીં. પુરુષ અન્યાય કરશે તો આ જગતમાં વરસાદ કોના માટે વરસશે ? સૂર્ય કોના માટે પ્રકાશશે ? વાયુ કોના ? માટે વાશે ?
આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ! જ્યાં સુધી શરીરમાં હોય, ભલેને ને હજારો વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી, પારાની જેમ આત્મા. 4 ચેતન ચાલ્યું જાય. અને શરીર શબ થઈ પડે અને સડવા માંડે !
૧૩૦
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org