SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહારવિહાર કરાય, તથાપિ તેને કોઈ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે. શ્રીમજીએ, શ્રી સૌભાગ્યભાઈને, મુંબઈ પો. સુ. ૫. ૧૯૪૭ના પત્ર નં. ૧૮૯માં એક ગાથા નીચે મુજબ લખી છે તે બીજજ્ઞાનના ભાવાર્થવાળી છે : “અલખનામ ધુનિ લગી ગગનમેં, મગન ભયા મન મેરા જી; આસન મારી સુરત દઢ ધારી, દિયા અગમ ઘર ડેરા જી.” શ્રીમદ્ભુએ, શ્રી સૌભાગ્યભાઈને મુંબઈ મહા સુ. ૯ મંગળવાર ૧૯૪૭ના પત્ર નં. ૧૯૭માં બીજા પેરામાં બીજજ્ઞાનનો ઉલ્લેખ કરેલો છે. તે તેમના શબ્દમાં નીચે મુજબ છે : જ્ઞાનના ‘પરોક્ષ-અપરોક્ષ' વિષે પત્રથી લખી શકાય તેમ નથી; પણ ‘સુધાની ધારા’ પછીનાં કેટલાક દર્શન થયા છે, અને જો અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. શ્રીમદ્જી તેના પત્ર નં. ૨૪૭ મુંબઈ વૈશાખ વદી ૮ રવિવાર ૧૯૪૭ના શ્રી સૌભાગ્યભાઈ ઉપરના બીજજ્ઞાન માટે ત્રીજા પેરામાં તેમના જ શબ્દોમાં નીચે પ્રમાણે લખે છે : જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થયા પછી હિર પ્રત્યે અતિશય લય થઈ છે. અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જેવે રૂપે ઇચ્છીએ તેવે રૂપે હિર... આવશે, એવો ભવિષ્યકાળ ઈશ્વરેચ્છાને લીધે લખ્યો છે. શ્રી સૌભાગ્યભાઈને બીજજ્ઞાનની પ્રાપ્તિ હોવા છતાં તે આગળ વધવામાં અટકેલ હોવાથી શ્રીમદ્ભુના તે જ પત્રના પાંચમાં પેરામાં પહેલી ચાર લીટી પછી શ્રીમદ્જીએ તેમના જ શબ્દમાં નીચે મુજબ જણાવ્યું છે : ૧૯૨ Jain Education International શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy