________________
૬. “કેવળજ્ઞાન સુધીની મહેનત કરેલી તો અલેખે નહીં જાય છે મોક્ષની આપણને તો કાંઈ જરૂર નથી. નિ:શંકપણાની, નિર્ભયપણાની, નિર્મઝનપણાની અને નિ:સ્પૃહપણાની જરૂર હતી તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે” :
ઉપરના વાક્યથી શ્રીમદ્જીને કેટલો ઉન્માદ આવી ગયો છે કે તે મોક્ષની પણ જેને સ્પૃહા રહી નથી. આવાં તે જ્ઞાન (બીજજ્ઞાન) પ્રત્યે 8 અહો ભાવ પ્રગટ કરેલ છે.
૭. અનહદ ધ્વનિમાં મણા નથી પણ ગાડીઘોડાની ઉપાધી શ્રવણનું 1 સુખ થોડું આપે છે.” જે તે જ્ઞાન (બીજજ્ઞાન)થી શ્રીમદ્જીને પ્રગટ થયેલા અનહદ નાદના ' છે. શ્રવણનો આનંદ મુંબઈના ગાડી ઘોડાના અવાજથી શ્રવણમાં ભંગ ' કરે છે.
શ્રીમદ્જીએ શ્રી સૌભાગ્યને, તેઓ જ્યાં અટકેલા હતા ત્યાંથી ઊંચા લઈ, મહાન ઉપકાર શ્રી સૌભાગ્ય ઉપર પણ કરેલ છે. તેથી એમ
સાબિત થાય છે કે બન્ને મહાપુરુષોએ એકબીજા ઉપર અનન્ય ઉપકારો જ કરેલા છે. - શ્રીમદ્જીને જે બીજજ્ઞાન શ્રી સૌભાગ્ય પાસેથી સાંભળી મરણ થયું તેનો બીજો પત્ર નં. ૧૭૦ મુંબઈથી કારતક સુદી ૧૪ ૧૯૪૭નાં બીજા પેરામાં નીચે મુજબ તેમના જ શબ્દમાં જણાવે છે :
આત્મા જ્ઞાન પામ્યો એ તો નિ:સંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે. જે સુલભ છે. અને તે પામવાનો હેતું પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું
અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં; અવલોકન છે. સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં; “તું િતુંહિ” વિના બીજી 4
રટના રહે નહીં; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે * વિકલ્પનો અંશ રહે નહીં. એકવાર જો યથાયોગ્ય આવી જાય તો પછી જ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૧૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org