________________
આ પત્રમાંના શ્રીમદજીના એક એક શબ્દથી તેઓએ શ્રી સોભાગભાઈ પ્રત્યેનો પોતાનો ઉત્કૃષ્ટ અહોવ, આદરભાવ અને પૂજ્યભાવ જે રીતે વ્યક્ત કર્યો છે તેને જરા ઊંડાણથી- વિસ્તારથી વિચારતાં આપણને જે પણ એનો આનંદ આવે તેમ છે.
શ્રીમદ્જીના વચન : ૧. “પરમપૂજ્ય”:
પરમ-પૂજ્ય કોને લખાય કે એનાથી વધારે પૂજનીય બીજું કોઈ છે નથી. તે શબ્દ સમૂહનો વિચાર કરશો. ૨. “કેવળબીજ સંપન્ન”: - શ્રી સોભાગ પાસે કેવળજ્ઞાનના બીજની પ્રાપ્તિ હતી એમ શ્રીમદ્જીની છે શ્રદ્ધા આથી વ્યક્ત થાય છે. ૩. “સર્વોત્તમ ઉપકારી શ્રી સોભાગ્યભાઈ"?
શ્રીમદ્જી ઉપર શ્રી સૌભાગ્યભાઈએ કેવો મોટો ઉપકાર કર્યો છે છે તેની મહત્તા તેઓશ્રીએ ઉપરના શબ્દ સમૂહથી વ્યક્ત કરી દીધી છે. છે. ૪. “આપના પ્રતાપે અત્રે આનંદવૃત્તિ છે” :
આપના પ્રતાપે એટલે શ્રી સૌભાગ્યભાઈએ જે બીજ જ્ઞાન સ્મરણ ' કરાવ્યું તેના પ્રતાપે શ્રીમદ્જીને આનંદ આનંદ વર્તી રહ્યો છે.
- પ. “સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા ? છે. છે. એ જ્ઞાનની દિનપ્રતિદિન આ આત્માને વિશેષતા થતી જાય છે.” : છે.
ઉપરના વાક્યથી એમ સાબિત થાય છે કે તીર્થકરો અથવા મહાજ્ઞાનીઓ શ્રી સૌભાગ્યને જે બીજજ્ઞાન પ્રાપ્ત છે તેનું જ મહાભ્ય ગાઈ ગયા છે અને શ્રીમદ્જી સાથે જણાવે છે કે એ જ્ઞાન (બીજજ્ઞાન)ની આ આત્માને વિશેષતા થતી જાય છે.
૧૯૦
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org