________________
* સૌભાગ ! તારા સસમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું ? છે તે અર્થે તને નમસ્કાર હો.”
શ્રીમદ્જીને તે જ્ઞાનથી બે-અઢી માસમાં જે ઉઘાડ થયો, જે આનંદ થયો તે ઉલ્લાસ શ્રીમદ્જીએ તેમના જ શબ્દોમાં મુંબઈથી કારતક જ સુદ પને સોમવાર સવંત ૧૯૪૭ના પત્ર નં. ૧૦પમાં નીચે મુજબ * જણાવેલ છે : પરમ પૂજ્ય કેવળબીજસંપન્ન,
સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ, મોરબી. આપના પ્રતાપે અત્ર આનંદવૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે.
ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે, તથાપિ એમાંય ? _ અપલક્ષણ કાંઈ ઓછા નથી ! વિચિત્ર કરવું એ જ એની લીલા !
ત્યાં અધિક શું કહેવું ?
સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. આ - એ જ્ઞાનની દિનપ્રતિદિન આ આત્માને વિશેષતા થતી જાય છે. હું ધારું છે
છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની જ છે. આપણને કાંઈ જરૂર નથી. નિ:શંકપણાની, નિર્ભયપણાની, તે 1 નિર્મઝનપણાની અને નિ:સ્પૃહપણાની જરૂર હતી. તે ઘણે અંશે પ્રાપ્ત !
થઈ જણાય છે; અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત [ રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથીયે અલૌકિક | દશાની ઇચ્છા રહે છે, ત્યાં વિશેષ શું કહેવું ?
અનહદ ધ્વનિમાં મણા નથી, પણ ગાડીઘોડાની ઉપાધી શ્રવણનું સુખ થોડું આપે છે. નિવૃત્તિ વિના અહીં બીજું બધુંય લાગે છે.
જંગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. ' છે આપની કૃપા ઇચ્છું છું.
લિ. આજ્ઞાંકિત રાયચંદનાં પ્રણામ !
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૧૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org