SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ * સૌભાગ ! તારા સસમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું ? છે તે અર્થે તને નમસ્કાર હો.” શ્રીમદ્જીને તે જ્ઞાનથી બે-અઢી માસમાં જે ઉઘાડ થયો, જે આનંદ થયો તે ઉલ્લાસ શ્રીમદ્જીએ તેમના જ શબ્દોમાં મુંબઈથી કારતક જ સુદ પને સોમવાર સવંત ૧૯૪૭ના પત્ર નં. ૧૦પમાં નીચે મુજબ * જણાવેલ છે : પરમ પૂજ્ય કેવળબીજસંપન્ન, સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ, મોરબી. આપના પ્રતાપે અત્ર આનંદવૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે, તથાપિ એમાંય ? _ અપલક્ષણ કાંઈ ઓછા નથી ! વિચિત્ર કરવું એ જ એની લીલા ! ત્યાં અધિક શું કહેવું ? સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. આ - એ જ્ઞાનની દિનપ્રતિદિન આ આત્માને વિશેષતા થતી જાય છે. હું ધારું છે છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની જ છે. આપણને કાંઈ જરૂર નથી. નિ:શંકપણાની, નિર્ભયપણાની, તે 1 નિર્મઝનપણાની અને નિ:સ્પૃહપણાની જરૂર હતી. તે ઘણે અંશે પ્રાપ્ત ! થઈ જણાય છે; અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત [ રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથીયે અલૌકિક | દશાની ઇચ્છા રહે છે, ત્યાં વિશેષ શું કહેવું ? અનહદ ધ્વનિમાં મણા નથી, પણ ગાડીઘોડાની ઉપાધી શ્રવણનું સુખ થોડું આપે છે. નિવૃત્તિ વિના અહીં બીજું બધુંય લાગે છે. જંગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. ' છે આપની કૃપા ઇચ્છું છું. લિ. આજ્ઞાંકિત રાયચંદનાં પ્રણામ ! ( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ૧૮૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy