________________
દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યોદયે આપ મળ્યા કે જેને એ જ રોમે રેમે રુચિકર છે.” (પત્રાંક ૧૨૭)
ઉપરના લખાણથી સુજ્ઞ મુમુક્ષુભાઈઓ વિચા૨શે તો શ્રીમદ્જી પણ “બીજજ્ઞાન”ની પ્રાપ્તિની શોધમાં હતા. નીચેના પત્રો વિચારશો તો શંકાને સ્થાન રહેશે નહીં.
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુ:ખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્, સત્ નિરુપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; સમ્યક્ જ્યોતિર્મય ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે !
જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કખા, વિતિગિરછા, મૂઢદૃષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. (પત્રાંક ૯૧)
હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છઠ્ઠું સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુરનગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપ નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુદ્દગલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇંદ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર) (પત્રાંક ૧૫૭ (૩))
શ્રી સોભાગભાઈ એ શ્રીમદ્જીને તે બીજજ્ઞાનની સવંત ૧૯૪૬ના બીજા ભાદરવા માસમાં વવાણિયા મુકામે વાત કરી ત્યારે પૂ. કૃપાળુદેવને જે વિસ્મરણ થઈ ગયેલ હતું તેનું સ્મરણ થયું [હાથનોંધ ૨જી. પૃ. ૪૫] અત્યંતર પરિણામ અવલોકન-૨૦ છેલ્લી ૨ લીટી-“હે શ્રી
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૧૮૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org