________________
જણાવી જવું યોગ્ય જ છે કે પૂર્ણાહ્લાદકર જેને માન્યું છે. પરમ સુખકર, હિતકર અને હૃદયમય જેને માનેલ છે, તેમ છે, અનુભવગમ્ય છે. તે તો તે જ ગુફાનો નિવાસ છે; અને નિરંતર તેની જ જિજ્ઞાસા છે. અત્યારે કંઈ તે જિજ્ઞાસા પૂર્ણ થવાનાં ચિહ્ન નથી. તો પણ ક્રમે, એમાં આ લેખકનો પણ જય થશે એવી તેની ખચીત શુભાકાંક્ષા છે. અને તેમ અનુભવગમ્ય પણ છે. અત્યારથી જ જો યોગ્ય રીતે ક્રમની પ્રાપ્તિ હોય તો, આ પત્ર લખવા જેટલી ખોટી કરવા ઇચ્છા નથી; પરંતુ કાળની કઠિનતા છે; ભાગ્યની મંદતા છે; સંતોની કૃપાદૃષ્ટિ દષ્ટિગોચર નથી. સત્સંગની ખામી છે : ત્યાં કંઈ જ... (પત્રાંક ૮૩)
અને આ જ પેરાનો નીચેનો પેરો પણ ઉપરના જ ભાવાર્થવાળો, જીજ્ઞાસાવાળો પેરા છે, જે વાંચી ખાત્રી કરશો.
“આપની પાસે કોઈ કોઈ વાર આવવામાં પણ એક જ એ જ વિષયની જીજ્ઞાસા છે. ઘણા વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તો એક શંતિ છે. કોઈ પણ વાટે કલ્પિત વાસનાઓનો નાશ થઈ યથાયોગ્ય સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઇચ્છા નથી; પણ વ્યવહાર પરત્વે કેટલીક ઉપાધી રહે છે, એટલે સત્સમાગમનો અવકાશ જોઈએ તેટલો મળતો નથી; તેમ જ આપને પણ તેટલો વખત આપવાનું કેટલાક કારણોથી અશક્ય સમજુ છું; અને એ જ કારણથી ફરી ફરી અંતઃકરણની છેવટની વૃત્તિ આપને જણાવી શકતો નથી; તેમ જ તે પરત્વે અધિક વાતચીત થઈ શકતી નથી. એ એક પૂણ્યની ન્યૂનતા; બીજુ શું ? (પત્રાંક ૧૨૦)
(ટૂંકમાં આ આખો પત્ર તેની જ ખાત્રી આપે છે.)
શ્રીરામને જેમ મહાનુભાવ વસિષ્ઠ ભગવાને આ જ દોષનું વિસ્મરણ કરાવ્યું હતું તે કોણ કરાવે ? અર્થાત્ શાસ્ત્રનો ભાષાભ્યાસ વિના પણ ઘણો પરિચય થયો છે. ધર્મના વ્યાવહારિક જ્ઞાતાઓનો પણ પરિચય થયો છે. તથાપિ આ આત્માનું આનંદાવરણ એથી ટળે એમ નથી. માત્ર સત્સંગ સિવાય યોગસમાધિ સિવાય ત્યાં કેમ કરવું ? આટલું પણ
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
૧૮૭
www.jainelibrary.org