SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ * બીજું મોટું આશ્ચર્યકારક તો એ છે કે આપ જેવાને સમ્યકજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો ? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઇએ તેટલો કેમ વર્ધમાન નથી હોતો ? એનું જો કોઈ કારણ સમજાતું હોય તો લખશો. શ્રી સૌભાગ્યભાઈ ઉપરના શ્રીમદ્જીના પત્ર નં. ૨૫૮ મુંબઈ અષાઢ ૧૯૪૭ના પત્રમાં બીજજ્ઞાનવાળું એક પદ નીચે મુજબનું તેમનાં શબ્દોમાં લખેલ છે. તે ખૂબ ખૂબ વિચાર કરી. મનન કરી તેમાં ઊંડુ ઉતરવા * જેવું છે : બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત. ૧ બૂઝી ચહત જો પ્યાસકો. હૈ બૂઝનકી રીત; પાવે નહીંગુરુગમબિના, એહી અનાદિસ્થિત. ૨ એહિ નહિ હૈ કલ્પના, એહિ નહિ વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું. પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.૪ જપ, તપ,ઓરવ્રતાદિસબ,તહાંલગીભ્રમરૂ૫; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી યે બાત હૈ. નિજ છંદનો છોડ; પિછે લાગ સત્પષકે, તો સબ બંધન તોડ. ૩ શ્રી સૌભાગ્યભાઈ ઉપર શ્રીમદ્જીએ પત્ર નં. ૨૫૯. મુંબઈ શ્રાવણ સુદ ૧૧ બુધવાર ૧૯૪૭ના રેશા નં. ૫-૬-૭માં બન્ને મહાપુરુષોએ અન્યોન્ય ઉપર જે મહાન ઉપકાર કર્યો છે તે તેમના જ શબ્દોમાં નીચે જણાવેલ છે. જે વિચારશો : ( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ) ૧૯૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy