________________
સમાધાન
સર્વાંગસંયમ. એકાંત સ્થિર સંયમ. એકાંત શુદ્ધ સંયમ. કેવળ બાહ્યભાવ નિરપેક્ષતા. આત્મતત્ત્વવિચાર. જગતતત્ત્વવિચાર. જિનદર્શનતત્ત્વવિચાર.
બીજાં દર્શન તત્ત્વવિચાર. (હાથનોંધ-૨, પૃ. ૩૨) ૧૪
સ્વપર પરમોપકાર પરમાર્થમય સત્યધર્મ જયવંત વર્તો. આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. ખંડિત છે. સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય દેખાય છે. તે પ્રભાવને વિષે મહતુ અંતરાય છે.
દેશકાળાદિ ઘણા પ્રતિકૂળ છે. છે. વીતરાગોનો મત લોકપ્રતિકૂળ થઈ પડ્યો છે. . રૂઢિથી જે લોકો તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રતીત જણાતો ! નથી, અથવા અન્યમત તે વીતરાગોનો મત સમજી પ્રવર્તે જાય છે.
યથાર્થ વિતરાગોનો મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે. દૃષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે. વેષાદિ વ્યવહારમાં મોટી વિટંબના કરી મોક્ષમાર્ગનો અંતરાય કરી ! બેઠા છે. તુચ્છ પામર પુરુષો વિરાધક વૃત્તિના ધણી અગ્રભાગે વર્તે છે. કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાતતુલ્ય દુ:ખ લાગતું
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org