________________
કરવાનું ચાલુ રાખ્યું. તે અમૃતપાન કરતાં કરતાં તેમના દિલમાં સ્પષ્ટ અને સંપૂર્ણ શ્રદ્ધા જાગી કે બીજજ્ઞાન વગર સમકિત થાશે નહીં અને મોક્ષનો માર્ગ કપાશે નહિ. આ વિક્ષેપની વાત તેઓએ વજાભાઈ તથા ! કાળીદાસભાઈને કાને નાખી અને પોતાને એ માર્ગ ઉપર આગળ વધારવાની વિનંતી કરી.
પૂ. શ્રી વજાભાઈ તથા પૂ. શ્રી કાળીદાસભાઈએ શ્રીમદ્જીના વચનામૃતના વાંચનની સમજણ તથા તેમાં ઉંડા ઉતરવાની અને આગળ [ વધવાની રીત અને બોધ આપીને પૂ. છોટાલાલભાઈને તેમની પ્રાથમિક ભૂમિકા તૈયાર કરવામાં મદદ કરી.
પૂ. શ્રી વૃજલાલભાઈ તથા પૂ. શ્રી કાળીદાસભાઈએ પૂ. શ્રી જે. છોટાલાલભાઈની પરમાર્થ માર્ગની પરીક્ષા લેવાનું શરૂ કર્યું અને તે | પરીક્ષામાં પૂ. શ્રી છોટાભાઈ દેસાઈ પરિપૂર્ણ રીતે પાસ થવાથી પૂ. શ્રી વજાભાઈએ સંવત ૧૯૯૧ના આસો સુદ ૧૦(દશેરા)ના શુભ દિને છે * બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી.
પૂ. શ્રી છોટાભાઈએ આ પ્રાપ્તિ પછી અખંડ છ માસ સુધી દિવસ જ અને રાત્રી પુરુષાર્થ કરીને તેમને મળેલા જ્ઞાનના આધારે તથા આ છે સપુરુષોના પ્રતાપથી પોતાનું પરમાર્થ કામ (બેફાડ) પૂર્ણ કર્યું. '
તેઓ પરમાર્થ માર્ગે પોતાનું કામ કરતાં કરતા ૩૦ થી ૩૫ વર્ષ જ સુધી સાયલામાં મહાજનના પ્રમુખ રહ્યા તથા ગામના આગેવાન તેમ 1 જ ગ્રામપંચાયતના સરપંચ તરીકે રહીને સફાઈ, બગીચાઓ, ફુલો, છે કન્યા વિદ્યાલયો, ખાદી કાર્યાલયો એવા નાના મોટા અનેક પરમાર્થ છે
કામો તેમણે પોતાની હૈયાતી સુધી જારી રાખ્યા. આજે પણ સાયલાના આ ગામની પ્રજા તેઓશ્રીને ભૂલી શકતી નથી.
તેમની યાદશક્તિ એટલી બધી તીવ્ર અને જોરદાર હતી કે કોઈ ' પણ શ્લોક, ગાથા કે પદ તેમના વાંચવામાં આવતા તે તેમને કંઠસ્થ : થઈ જતા. જ્ઞાનસાર તથા યોગસારનાં શ્લોકો મોટે ભાગે તેમને કંઠસ્થ છે હતા. '
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૩૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org