________________
તેઓ જ્યારે જ્યારે સત્સંગમાં બોલવાનું શરૂ કરતા ત્યારે તેઓ એટલા બધા ઉત્સાહ અને આવેશમાં આવતા કે ગોઠણીયાભર થઈને પોતાની બેઠક ઉપરથી બે ચાર ફુટ આગળ આવી જતા.
તેઓ માટે ભાગે જીજ્ઞાસુ મુમુક્ષુભાઈઓને જોતા ત્યારે મોટા અવાજથી કહેતા કે છ કાયની અહિંસા માટે જયણા પાળો છે પણ 1 “પાંચ ઇન્દ્રિયો અને છઠું મનના સંયમ માટે શું કરો છો ? આવડો ! 4 મોટો બાઘડા જેવો આત્મા હોવા છતાં કેમ દેખાતો નથી ? એનો છે. વિચાર તો કરો.
તેમની પરમાર્થ માર્ગની વાત કરવાની તથા સમજાવવાની રીત કરૂણાથી ભરપૂર હતી. તેઓ ઇચ્છતા કે કોઈ પણ જીવ માર્ગ પામે ને !
આ માર્ગે આગળ વધે, તેને માટે તે કલાકોના કલાકો સુધી બોલી | જ શકતા.
તેઓ સાધુ સંતોને પણ આ માર્ગની સમજણ આપવામાં અથાગ પરિશ્રમ લેતા ને દરરોજ સાધુ સાધ્વી હોય ત્યારે અચૂક કલાક બે કલાક ઉપાશ્રયે જતાં. તે જ પ્રમાણે પૂ. શ્રી નાનચંદજી મ. સા. પાસે તેઓશ્રી અને શ્રી લાડકચંદભાઈ દોઢ વર્ષ સુધી ગયા હતા.
તેમને પરમાર્થ માર્ગની સાથે વ્યવહાર માર્ગમાં પણ એટલો બધો કરૂણાભાવ અને દયા દૃષ્ટિ હતા કે તેમને આંગણેથી કોઈ પણ નિરાશ થઈને પાછું જતું ન હતું. તેઓ પોતાની જાત દેખરેખ નીચે છાશ કેન્દ્ર ચલાવીને ઘણા કુટુંબોને સંતોષ આપતા હતા. આ મહાપુરુષની સાયલામાં આબાલ વૃદ્ધ અને ઘેરઘેર સુવાસ ફેલાએલી છે. આ સુવાસ આજે અમો પણ અનુભવી રહ્યા છીએ.
પરમાર્થ માર્ગમાં જે જીવો તેમના સમાગમમાં, સત્સંગમાં આવ્યા અને જેને અપૂર્વ એવી શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતિતી અને ઓળખાણ થઈ તેવા ઘણા જીવોનું કલ્યાણ તેમના પ્રત્યક્ષપણામાં થયેલુ છે. પૂજ્ય શ્રી છોટાલાલભાઈએ, પોતાને પ્રાપ્તિ પછી, તેમના ગુરુ
૩૧૨
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org