________________
ઘોડીઆમાં સુવરાવીને મદાલસા માતાએ પોતાના ચાર પુત્રોને . બાળપણમાં જે હાલરડા ગાઈને મોક્ષમાં મોકલી આપ્યા હતા, તે જ છે હાલરડાઓ તેમની પુત્રી કુસુમબ્દનને હીંચકાવતાં હીંચકાવતા ! સંભળાવતા હતા, અને ચી. બ્લેન કુસુમ જવાબ આપતા હતા કે જે બાપુજી, હું તમે જે મદાલસા માતાના હાલરડા ગાઓ છો તે બરાબર સમજુ છું અને અનુભવું છું, કુસુમબહેનનો દેહવિલય સંવત ૨૦૦૩ના : ભાદરવા માસમાં થયો.
પૂ. શ્રી છોટુભાઈ દેસાઈના પત્ની મીઠીબ્દન ખૂબ જ સંસ્કારી, ધર્મપ્રેમી, સરળ સ્વભાવી અને ઉદાર દિલના હતા. તેમની ઉદારતાના આજે પણ સાયલામાં પડઘા પડે છે. તેમને આંગણે આવેલ કોઈ પણ ! વ્યક્તિ ક્યારેય નીરાશ થઈને પાછી ગઈ નથી. અને તે ક્રમ પૂ. શ્રી છોટુભાઈ દેસાઈએ પોતાની હયાતી સુધી ચાલુ રાખ્યો હતો, અને જ આજે પણ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળે તે ક્રમ ચાલુ રાખ્યો છે. ' આવા આત્મા અ. સી. મીઠીબ્લેન સંવત ૨૦૦૪ના વૈશાખ માસમાં આ આ ક્ષણભંગુર દેહ છોડી ગયા.
પૂ. શ્રી છોટુભાઈએ, પોતાના સત્સંગ મંડળના મુમુક્ષુભાઈઓ જેવા કે, તેમના ગુરુ વજાભાઈ તથા કાળીદાસભાઈ, લાડકચંદભાઈ, રતીભાઈ ખારા, હિંમતભાઈ, ચંદુભાઈ ઘડીયાળી વિગેરેની સાથે સત્સંગ વખતે વચનો ઉચ્ચારેલાં કે જુઓ ભાઈઓ હું કેવો ભાગ્યશાળી છું કે મારો સંસાર મારી હયાતીમાં જ સંકેલાઈ ગયો છે.
પૂ. શ્રી છોટુભાઈ, ધર્મધ્યાન અને સ્થાનકવાસી સાધુ સંતોની સેવા કરવાની ભાવનાથી સાયલામાં આવીને વસેલા. તેમનાં મહાન-મહાન પુણ્યના ઉદયે તેમને ઉપર જણાવેલા મહાપ્રતાપી પુરુષો જેવા કે : વૃજલાલભાઈ તથા તેમના ગુરુ કાળીદાસભાઈ, લાડકચંદભાઈ તથા તેવા જ અન્ય સત્સંગીભાઈઓનો ભેટો થઈ ગયો અને દિન-પ્રતિદિન 1 સત્સંગમાં ઓતપ્રોત થતા ગયા, સત્સંગના રંગે રંગાતા ગયા, શ્રીમદ્જીના વચનામૃતનું ખૂબ જ શાંતચિત્તે તથા વિચારપૂર્વક ઊંડા ઊતરીને અમૃતપાન
s
૩૧૦
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org