SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ મુજબ હોવાથી તેમના ભાણેજ મહેન્દ્રભાઈએ સર્વ સાધન સામગ્રી : A સહીત આ મકાન કોઈ પણ જાતનો બદલો લીધા વગર આ મંડળને ! વાપરવા આપેલ છે. મંડળ મહેન્દ્રભાઈનો પણ આભાર માને છે. ' આ મકાનની મજબુતાઈ વિષે વાત લખીએ તો આપણને માન્યમાં ન આવે તેવી વાત છે. અમારા મંડળે આ મકાનમાં સુધારા વધારા છે કરવાનો નિર્ણય કર્યો ત્યારે બાથરૂમ, સંડાસની દીવાલો તોડવાનો વખત આવ્યો. ત્યારે ચુનાના બાંધકામની દીવાલો તોડતાં ઘણ અને છીણાના પાનાઓ વળી ગયા હતા અને ચાર ચાર માણસોને કામે લગાડતા આ નાની જેવી દીવાલને તોડતા આઠ દિવસ થયા હતા. આ તો તે જમાનાની મકાનની મજબુતાઈની યાદી રહે તેટલા પુરતો જ આ પુસ્તકમાં તેનો ઉલ્લેખ કરેલ છે. છોટાલાલભાઈ દેસાઈના લગ્ન, સંવત ૧૯૫૯ના વૈશાખ માસમાં ધાંધલપુર ગામે ત્યાંના શેઠ શીવલાલ તળશીભાઈની કન્યા મીઠીબહેને સાથે થયા હતા. તેમને બે સંતાનો થયા હતા. એક પુત્ર અને એક દીકરી. પુત્રનું નામ હરજીવનભાઈ તે મોટા હતા અને પુત્રીનું નામ કુસુમવ્હેન તે નાના હતા. હરજીવનભાઈના પહેલા લગ્ન સંવત ૧૯૮૩માં અને બીજા લગ્ન સંવત ૧૯૮૭માં થયા હતા. હરજીવનભાઈ સંવત ૨૦૧૪માં છોટુભાઈની હૈયાતીમાં જ નિ:સંતાન અવસાન પામ્યા હતા. હવે છોટુભાઈને સંસારમાં કુસુમ નામે એક દીકરી હતી. તેનાં લગ્ન ગામ રણનેટીકરના શેઠ વૃજલાલભાઈના પુત્ર પ્રાણલાલ સાથે સંવત ૧૯૯૭માં કર્યા હતા. તે પુત્રીએ સંવત ૧૯૯૮માં મહેન્દ્ર નામે એક પુત્રનો જન્મ આપ્યો. આ તે જ મહેન્દ્રભાઈ છે જેનો ઉલ્લેખ | છોટુભાઈના વારસદાર તરીકે આગળ કરેલ છે. તેઓ હાલમાં ! બોરીવલીમાં રહે છે. શ્રી છોટુભાઈ દેસાઈની આ પુત્રી કુસુમબહેનને અસાધ્ય રોગ થવાથી તેમનો દેહ એટલો કૃષ થઈ ગયેલો કે છોટુભાઈ તેમને ( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy