________________
અનુભવાશે. વારંવાર શરીર તથા મનની ક્રિયાને જાણનાર, પ્રકાશનાર, અનુભવ કરનાર, આત્મા અખંડ ઊભો છે. રાત દિવસ સરત રાખનાર, ધ્યાન ધરનાર, લક્ષ કરનાર આત્માનો મહિમા જોયા કરો. શરીર અથવા મન, ઇન્દ્રિયોમાં ઉપયોગ લક્ષણ કે જ્ઞાનગુણ નથી. બાકી તો પૂર્વના સંસ્કાર વડે શરીરની, મનની ક્રિયા કરવાનું મન થાય છે. બાકી આત્માને યાદ કરી તેની જાણવા-જોવાની; પ્રકાશવાની ક્રિયાનો વારંવા૨ અભ્યાસ કરો. મહિમા જુઓ તો પૂર્વના દેહાભ્યાસનાં સંસ્કાર મોળા પડી જશે અને શરીરમાં આત્માનો મહિમા જ જણાશે. રાતદિવસ ચૈતન્ય સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, સરત રાખનારનો જ મહિમા જોયા કરો. એ જ.
સાયલા, તા. ૨૦-૨-૭૪
જત આજરોજ તમોને પત્ર લખ્યો છે તે મળ્યો હશે. માણસ મરી ગયો એટલે સરત રાખવાવાળો નીકળી ગયો એટલે શરીર-ઇન્દ્રિયોમનના સંચા બંધ થઈ ગયા. આપણો ચૈતન્ય સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, જીવતો જાગતો સ્વભાવ અખંડ ઊભો છે. એટલે આપણે રાત-દિવસ આપણા જીવતા-જાગતા સ્વભાવની પ્રતિતી રાખીએ તો આપણે આપણા શરીર, મનની ક્રિયાના તેમ જ બહારના દેખાતા જગતના સાક્ષી અથવા જ્ઞાતા દૃષ્ટા છીએ, મતલબ રાતદિવસ આપણો જ્ઞાન સ્વભાવ યાદ કરી સાક્ષીપણાની ટેવ પાડવી જોઈએ.
3୪୪
આત્માર્થી ભાઈ અભેચંદભાઈ, મોરબી
ચેતન સનાતન સ્ફુરિત ઉપયોગ, વિજ્ઞાન.
=
દ : છોટાલાલના શુભાશીષ
O પત્ર નં. ૩૧ ૩
Jain Education International
દ : છોટાલાલના શુભાશીષ
O પત્ર નં. ૩૨ જી
જ્ઞાનધારા, જ્ઞાન પરિણતી, આત્મસ્ફુર્તી, આત્મધારા,
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
www.jainelibrary.org