________________
અત્રેથી લાડકચંદભાઈ તથા હિંમતલાલે આત્મવંદન લખાવેલ છે. તેઓ જ પણ મારી સાથે રાજકોટ, મોરબી, વવાણિયા આવેલ હતા. ત્યાં સૌને આશીષ. '
દઃ છોટાલાલની શુભાશીષ : ) પત્ર નં. ૪૧ :
સાયલા, તા. ૧૩-૪-૬૯ છે કે આત્માર્થી ભાઈ છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૭/૪ નું લખેલ વાંચી આનંદ. અને વાંચન ચાલુ કર્યાના સમાચાર જાણી આનંદ. પુસ્તક ફરી ફરી વાંચશો. | વિચારશો. અને ન સમજાય તો ભાઈ જગજીવન તરફથી સમજશો.
તીવ્ર મુમુક્ષુઓને ધારે તો એકાવતારીપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક છે. છે એટલામાં સમજશો. મનુષ્ય દેહે જો કરવા લાયક કાર્ય હોય તો ચેતનની છે 1 પૂરેપૂરી ઓળખાણ કરી લેવી. અને સ્થળ શરીર તથા સૂક્ષ્મ શરીર ! છે (પાંચ જ્ઞાન ઇન્દ્રિય અને મન)નો વેપાર થંભાવી દેવો, સર્વે તીર્થકરોએ તેમ જ કર્યું છે. શાંતિસ્વામીએ કર્મ અથવા સંજોગોનો દોષ કાઢવાની ના પાડી છે. ચેતનનો પુરૂષાર્થ સર્વોપરી છે.
દઃ છોટાલાલની શુભાશીષ D પત્ર નં. ૪ર જ
સાયલા, તા. ૨૬-૪-૬૬ રા. રા. ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૨૧/૪ નું મળ્યું. વાંચી તમારી પરમાર્થ ભાવના જોઈ ખૂબ પ્રમોદ થાય છે, શાંતિ સ્વામીનું પુસ્તક અને તેમનો પુરૂષાર્થ એવો છે કે આ માર્ગના પ્રેમી જીવો સરળતાથી સખત રીતે ? પુરૂષાર્થ કરી શકે.
દ: છોટાલાલની શુભાશીષ
રૂપ
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org