________________
D પત્ર નં. ૪૩ ૪
સાયલા, તા. ૭-૫-૬૬ કે ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૩-૫-૧૯ નું લખેલ મળ્યું વાંચી * આનંદ થયો. બંને પુસ્તક ઝાઝીવાર ન વંચાય તો હરકત નથી. જ પણ રાત દિવસ બની શકે તેટલો ટાઈમ અંદર જોવાનો પુરૂષાર્થ
વધારશો. ભલે જ્ઞાન ઇંદ્રિયો એના વિષયમાં પ્રવર્તતી હોય. મન જ એના વિષયમાં પ્રવર્તતું હોય. પણ તે વખતે આપણે જોનાર કેવી જ સ્થિતિમાં છીએ તે તપાસી પાકું કરવાનું છે. ઇન્દ્રિયો અને મનને આપણો ટેકો હોય છે તો જ તેમના વિષયમાં પ્રવર્તે છે. બાકી આપણે જોનાર મેરૂ જેવા અડોલ થઈ જશું તો ઇન્દ્રિયો અને મનનો વેપાર એની મેળે બંધ થઈ જશે. આ કાળમાં આપણે પણ દૃઢ નિશ્ચયી થઈએ તો શાંતિસ્વામી જેવા થઈ શકીએ. પણ સંસારી વિષયો અને બાબતો ઝેર જેવી લાગે તો તરત કામ થઈ શકે, જેટલી સંસારમાં મીઠાશ એટલો પુરુષાર્થ થઈ શકે.
દ: છોટાલાલના શુભાશીષ D પત્ર નં. ૪૪ જ
સાયલા, તા. ૮-૮-૧૬ - ભાઈશ્રી છોટાલાલભાઈ, કલકત્તા
જત તમારું પોસ્ટકાર્ડ તા. ૨-૮નું લખેલ મળ્યું. વાંચી આનંદ | જ થયો છે. . .
તમોને ઓપરેશનને કારણે હોસ્પીટલમાં તેમજ ઘેર વાંચન તથા આત્મવિચારણા કરવાનો ટાઈમ ખૂબ મળતાં એ પણ આવકારદાયક થયેલ છે. મનને બ્રેક લગાડવાની બાબત જણાવવાનું કે તમારે મનની શરત રાખવાની જરૂર નથી પણ આપણામાં જે જ્ઞાન ગુણ અખંડ
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૩૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org