________________
આ વાક્યનો આપણે વિચાર કરીએ. ચાહે તો આત્મા પ્રત્યે ઉતારો અને ચાહે તો પરમાત્મા પ્રત્યે ઉતારો, પણ ખરો પ્રેમ ક્યારે કહેવાય તે વિચારવાનું છે. પ્રેમ વસ્તુ દુનિયામાં પરમાત્મા એ સર્વને સરખી જ આપેલ છે, પણ તે પ્રેમનું આપણે છિન્નભિન્નપણું કરી નાખેલ છે. દાખલા તરીકે કાંઈક પ્રેમ બૈરામાં, કાંઈક પ્રેમ છોકરાઓમાં, કાંઈક પ્રેમ વૈભવમાં, કાંઈક પ્રેમ મોટરમાં, એમ જગતના અનેક પદાર્થોમાં જ પ્રેમના કિરણો ચોંટેલા છે. હવે આ બધો હિસાબ મુકીએ તો પરમાત્માને 1 ભાગે જો કદાચ એકાદ આની આ પ્રેમ હોય તો અને પંદર આની તે ?
બીજે વેંચાઈ જાય છે ત્યારે પ્રેમનું સ્વરૂપ એવું છે કે એક ઠેકાણેથી ઉખડે તો બીજે ઠેકાણે ચોંટે.
હવે જ્યાં સુધી પ્રેમ બધેથી ઉઠીને પરમાત્મામાં સોળ સોળ આની જ પ્રેમ જાગે નહીં ત્યાં સુધી તુલસીદાસના કહેવા મુજબ પરમાત્મા આપણા | એકાદ આનીના પ્રેમને પ્રેમ માની શી રીતે રીઝે ? એવા એક આનીના
પ્રેમવાળા તો કોઈ કોઈ વખતે ઠગ, ઠાકોર અને ચોર વિગેર ઘણાય મળે છે. તેથી પરમાત્મા રીઝતો નથી. બાપો કહેતા “આપણે એનાં તો તે આપણો” માટે દરેક સંસારીક પદાર્થ ઉપરથી તથા નાશવંત આ ક્ષણભંગુર દેહ, તેના ઉપરથી ઉઠી સોળ આના પ્રેમ પરમાત્મા ઉપર
જ્યારે જામે ત્યારે જ પરમાત્મા રીઝે એવો તુલસીદાસજીનો કહેવાનો આશય હોય એમ મને તો લાગે છે.
કામની ઉપાધીને લીધે કાગળ લખવામાં ઢીલ થએલ છે. બીજું લાલુનો કાગળ હતો તેમાં લખે છે કે બાપુજીની તબીયત લથડેલ છે અને ધારસીભાઈ ત્યાં આવેલ છે, તો અવારનવાર તમારી તબીયતના ખબર જરૂર આપતા રહેશો. અને બનશે ત્યાં સુધી પોષ સુદીમાં આવી જશું. તે દરમ્યાન તમને શરીરાદિની કોઈ પણ જાતની અડચણ લાગે તો અમને જણાવશો. અમારો કાગળ મોડો વહેલો આવે તો તે ઉચાટ કરશો નહીં.
તા. સદર દ : વૃજલાલના પાયવંદન
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
ર૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org