________________
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવો નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો.“હું દેહાદિ સ્વરૂપ નથી. સ્ત્રી પુત્ર આદિ કોઈ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.” એમ આત્મભાવના કરતા રાગદ્વેષનો ક્ષય થાય.
વિચારવાન પુરુષો તો કેવલ્યદશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ છે સમજીને પ્રવર્તે છે.
- D પત્ર નં. ૧૦ %
જેઠ વદ ૮ સંવત ૧૯૯૭, તા. ૧૪-૬-૪૧ પૂજ્ય શ્રી કાળીદાસભાઈ (તથા છોટાલાલ મગનલાલ તથા વૃજલાલભાઈ)એ મોરબી લખેલ પત્ર
પરમ કૃપાળુ પરમાત્માના સ્વરૂપનું જેના અનુગ્રહથી સહેજે ભાન જ થાય છે તેવા શ્રીમદ્ સદ્ગુરુને ત્રિકાળ નમસ્કાર હો. પરમ જીજ્ઞાસુ વૈદ્યરાજ હીરાચંદભાઈ તથા ભાઈ ચંદુભાઈ, મું. મોરબી
સાયલાથી અલ્પજ્ઞ કાળીદાસ માવજી તથા છોટાલાલ મગનલાલ છે તથા વ્રજલાલભાઈ વગેરેના સ્નેહપૂર્વક નમસ્કાર સ્વીકારશો.
વિશેષ તમારા તરફથી ચાર-પાંચ પ્રશ્નો મળ્યા. જવાબ લખવામાં ઘણી ઢીલ થઈ તેનું કારણ ઉપાધી જ છે, તો માફ કરશો. આજે તે પ્રશ્નોના ખુલાસા વિષે અમને જે કાંઈ સમજાય છે તે તમને લખવાનો પ્રયાસ કરેલ છે તે વાંચી વિચારશો.
સુધાની ધારા પછીના કેટલાક દર્શન અમને થયા છે. તે શું ? ' જ્ઞાનના પરોક્ષ, અપરોક્ષ વિષે પત્રથી લખી શકાય તેમ નથી તેનું ન કારણ શું?
૨૬૦
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org