________________
નડતી નથી માટે જ મહાપુરુષે ડગલે ને પગલે સદ્ગુરુ ઉપલ લક્ષ દોરાવેલ છે, સદ્ગુરુને જ દેહધારી પરમાત્મા માની તેના ઉપર પ્રેમ વધારવો, કારણ કે તે શુદ્ધ આત્મ સ્વરૂપ જ છે, ને તેમનો આત્મા છે તેવો જ આપણો આત્મા છે, પણ તેની ભક્તિથી આપણા દોષ ટળે છે અને જીવને હંમેશાં ઉત્સાહ વધતો જાય છે, શિથિલપણું આવતું નથી. તેમ કરતાં જ્યાં જ્ઞાનની અનુભવ સ્વરૂપ પ્રાપ્તિ થાય છે ત્યારે તે મુંઝવણ ટળે છે. પણ તેમ ન થાય ત્યાં સુધી તો જીવને સત્પુરુષ હોય તો તે સત્પુરુષનો અને તે ન હોય તો તેના કહેલા વચનના વિશ્વાસથી દૃઢ પ્રયત્ન કરવો ઘટે છે. તે પ્રયત્ન કર્યા વિના આત્મજ્ઞાનની નિશ્ચય પ્રાપ્તિ થવી દુર્લભ છે.
બીજું કોઈ ભક્તિ મહાત્મ્ય કહે છે ને કોઈ ભજનનું મહાત્મ્ય કહે છે તેમાં ખરું શું ? તેમ તમે લખ્યું, તો તેમાં એકે પદાર્થ ઓછું નથી. ભક્તિમાં એટલી વિશેષતા છે કે પોતાના સ્વછંદાદિ દોષ સહજ ટળે છે. પણ મારી માન્યતા પ્રમાણે ભક્તિ સત્પુરુષ હાજર હોય તો મુખ્ય કરી તેની, અને તે ન હોય તો આગળ થઈ ગયા તે પુરુષની કરવી જોઈએ. ભજન પણ જે શુદ્ધ સ્વરૂપને પામ્યા છે તેનું ક૨વું અને તે ભજનનો પ્રભાવ પણ ઘણો છે. જાપના અનુભવથી તમને થોડી ઘણી તો ખાત્રી થઈ હશે. ઘણા દોષ ભજનથી ઘટે છે. ભજન જો સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય તે કરે તો તેને ઘણો લાભ થાય. જો તે પ્રાપ્તિ ન હોય તો પોતાના દોષ ઘટી ભૂમિકા શુદ્ધ થાય છે. હવે ભજનના ઘણા ભેદ છે. કોઈ સ્મરણને ભજન કહે છે, કોઈ કોઈ શ્વાસોશ્વાસના જાપને ભજન કહે છે. કબીરસાહેબ વળી જુદું કહે છે. રાત અને દિવસમાં જ્યારે જ્યારે નાડી બદલવાની સંધીમાં દશ શ્વાસા સુખમણા થાય છે તે દશ શ્વાસા સોહમ્ ના જાપને ભજન કહે છે. પણ અહીં તો શ્વાસોશ્વાસની સાથે સોહના ભજનને ભજન ગણવું.
બીજું તમો લખો છો કે “પ્રેમ વિના રીઝે નહીં તુલસીનંદ કિશોર’ તે બાબત જાણશો કે આ વાક્ય પ્રેમલક્ષણા ભક્તિનું છે. તેવી પ્રેમની લય તો નરસિંહ મહેતા જેવાને, લાલજી મહારાજ જેવાને હતી. પણ
૫૮
Jain Education International
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
For Personal & Private Use Only
www.jainelibrary.org