________________
મૂળમાર્ગનો અર્થ તમે વાંચી જોશો તો તેમાં સમકિતની જ વાત છે, ? તો પછી સમકિત માટે તમે કેમ પૂછો છો ? જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણે જુદી જુદી રીતે સમજવા માટે જુદા પડેલા છે, પણ તે ત્રણે એકી ! સાથે જ હોય છે. જ્ઞાન હોય ત્યાં દર્શન હોય અને દર્શન હોય ત્યાં ચારિત્ર હોય. આ ઠેકાણે દર્શન એટલે પ્રતિતી સમજશો. આત્મા અને દેહ તો જુદા છે તેવું ભેદજ્ઞાન થયું તે જ્ઞાન. દેહથી આત્મા જુદો છે ? છે તેવી આત્માના હોવાપણાની પ્રતિતી તે જ વખતે થઈ તે દર્શન. જેટલી છે
પ્રતિતી થઈ તેટલું ચારિત્ર ગણાય, કારણ કે જેટલી પ્રતિતી થઈ ! તેટલો તે જ વખતે નિજસ્વભાવાકાર ઉપયોગ થયો. નિજસ્વભાવાકાર ઉપયોગ તે ચારિત્ર.
આ ત્રણે વસ્તુથી આત્માનું સ્વરૂપ બીજું જુદું કાંઈ નથી, તેવો દૃઢ - નિશ્ચય તે સમકિત હવે આ સમકિત તે શુદ્ધ સમકિત છે અથવા જ
સ્વરૂપ પ્રાપ્તિ પણ તે જ છે, કારણ કે ત્યાં અનુભવ પ્રાપ્તિ છે. પોતાની ખાત્રી દઢ નિશ્ચયપૂર્વક થાય છે. છેઅન્ય સ્વરૂપથી જુદો આત્મા પદાર્થ તે હું પોતે નિજસ્વરૂપ અનુભવું છે . આ અનુભવ પછી સ્વરૂપ શું હશે ? કેમ પમાતું હશે ? આ છે
નિજસ્વરૂપ કહેશો કે નહીં ? આમાં મારી ભૂલ તો નહીં હોય, આવા આ પ્રકારની શંકા હોતી નથી. પણ અનુભવ બીજજ્ઞાનની પ્રાપ્તિ પછી હોય છે. બીજજ્ઞાનની પ્રાપ્તિ સિવાય તેમ થવું ઘણું મુશ્કેલીવાળું છે. અને પ્રાપ્તિવાળાને તેમ થવું સહજ છે. આટલો તે જ્ઞાનનો મહિમા છે. કૃપાળુદેવે લખ્યું છે કે લક્ષણે, ગુણે અને વેદનપણે આત્માને નથી જાણ્યો તેને આ જ્ઞાન જ્ઞાનીપુરુષે આપ્યું હોય તો લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે, તેમ જ્ઞાન વિષેના કાગળમાં લખેલ છે. તેનું કારણ આ ઉપર લખ્યું છે તે જ છે. માટે બીજજ્ઞાનની પ્રાપ્તિ હોય તેને
સમકિત હોય તેમાં નવાઈ નથી. છે. વળી તમે લખો છો કે પ્રેમ અનુભવ થયા વિના કેમ આવે? અને
પ્રેમ વિના કંઈ બનતું નથી. આ મુશ્કેલી બધાને નડે છે, એક તમને જ
*
*
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા)
ર૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org