________________
સમકિત તમને હજુ થવું બાકી છે ? માટે તમે જરૂ૨ માનશો કે ચોક્કસ સમકિત તો થયું છે, પણ સમકિતની ઓળખાણ થવી હજુ બાકી છે. હવે તમે લખ્યું કે બીજા પદાર્થમાં નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા વધે, અને નિજને વિષે નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા ટળે. તેનો અર્થ તમે કરો છો તે ઠીક છે પણ તેમ માનવાથી નિજને વિષે નિજબુદ્ધિ અનુભવ સિદ્ધ થઈ ન ગણાય, કારણ કે આમ માનો છો પણ ધ્યાન કરતા બીજી વસ્તુ સ્મૃતિમાં આવે તો તમે એમ કહેશો કે મારું ધ્યાન છૂટી ગયું. છૂટી ગયાનું કારણ કે મારો ઉપયોગ બીજે ગયો, આ માન્યતા ખોટી છે. બીજો સંકલ્પ ઉઠે છે તે મનને લઈને ઉઠે છે. મનને આત્મા જાણે છે, તો તે તરંગ આત્મામાં નથી ઉઠ્યો છતાં આત્મામાં ઉઠ્યો એમ લાગે છે, ત્યાં સુધી નિજને વિષે નિજબુદ્ધિ થઈ ન ગણાય. માટે નિજને વિષે નિજબુદ્ધિ અનુભવસિદ્ધ, ચોક્કસ અડગપણે થાય તો પરિભ્રમણ દશા ટળે. જે વસ્તુ તમે પામ્યા છો તે વસ્તુનું કામ જ નિજને વિષે નિજબુદ્ધિ કરાવવાનું છે. પણ તેમાં સત્સંગનો ટેકો બળવાનપણે જોતો હતો.
વળી તમો લખો છો કે આટલી વાત આગળ કરી હોત તો આ દુ:ખ હોત નહીં. પણ આ વાત માટે તમે સંભારો તો ઘણી વખત કહેલ હતું. ત્યારે ઇચ્છારામ વિગેરે બીજા ઘણા જાણે છે, તે કબીરપંથી વિગેરના દાખલાઓથી એ વાતને ઉડાડી નાખતા હતા તે યાદ કરશો.
તમે લખ્યું કે પ્રમત કોને કહેવો અને અપ્રમત કોને કહેવો ?
તે બાબત પ્રથમ સમયસારના દાખલા આપી જે જ્ઞાન, જ્ઞાનરૂપ જ છે, છતાં શેયના પ્રતિભાસથી જ્ઞાનને શેયરૂપ માનવાપણું થઈ જાય છે, તે પ્રમત દશા છે. અને ભેદજ્ઞાનના બળથી અનુભવ જાગૃતિ હોવાથી શુદ્ધ ઉપયોગ જે જ્ઞાન સ્વરૂપ છે તે જ્ઞેયનાં પ્રતિભાસથી શેયરૂપ જ પરિણમે છે. એવો જેને અનુભવ થયો છે તે પુરુષ અપ્રમત કહેવાય. સમયસારનો સવૈયો તથા ચોપાઈમાં જે દશા બતાવી છે તે પ્રમત દશા છે, અને તે દશા ટળે, તો સવૈયો તથા ચોપાઈમાં શુદ્ધ દશા બતાવેલ છે, તેવો ઉપયોગ કાયમ જાગૃત હોય તો અપ્રમત દશા છે.
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org