________________
પ્રભુભક્તિમાં તત્પર રહેશો. નિયમને અનુસરશો, અને સર્વ વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો, એમ મારી ભલામણ છે.
જગતમાં નિરાગીત્વ, વિનયતા અને સત્પરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો; પણ નિરૂપાયતા થઈ જ છે તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ !
0 પત્ર ક્રમાંક ૫૪ % . મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળ ન પામ્યા, તે તે સઘળા પુરુષો એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાનકાળે છે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં !
મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, છે. માન્યામાન્ય નથી, તે સરળ માર્ગ છે, સમાધિમાર્ગ છે. તથા તે સ્થિર છે.
માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું ! જ છે. જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, જ છેવર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળ પામશે નહિ. 1 શ્રી જિને સહસગમે ક્રિયાઓ અને સહસંગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ૨ ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે | ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે.
શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રીકૃષ્ણ તરશે. જે વાટેથી શ્રીકૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાત ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીન્દ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય | પણ એ માર્ગ પામતાં અટક્યા છે, તથા અટકશે અને અટક્યા હતા. આ
કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યફ યોગે જ માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે. માન્યામાન્ય,
( ૧૦ )
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org