________________
(હાથનોંધ-૧, પૃ. ૯0) ૩૮
વિભાવયોગ બે પ્રકારે છે : એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદયસ્વરૂપ, અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવસ્વરૂપ.
આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. છે નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો છે.
પરિક્ષણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે. • (હાથનોંધ-૧, પૃ. ૯૪) ૩૯
હું એમ જાણું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળદર્શન-સ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, તો પછી વર્ષ છ માસ કાળમાં આટલો આ વ્યવહાર કેમ નિવૃત્તિ નહીં થઈ શકે ? માત્ર જાગૃતિના ઉપયોગમાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયોગમાં બળને નિત્ય વિચાર્યેથી અલ્પકાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. તો પણ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે જ મારે વિચારવું ઘટે છે એમ માનું છું, કેમકે વીર્યને વિષે કંઈ પણ મંદ | દિશા વર્તે છે. તે મંદ દશાનો હેતુ શો ? * (હાથનોંધ-૧, પૃ. ૧૦૧) ૪૪
હે જીવ ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત !
તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલો બળવાન પ્રારબ્ધોદય દેખાતો ન હોય તો પણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત !
જો કે શ્રી સર્વશે એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતો એવો જીવ પણ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થઈ શકે નહીં, તો પણ તું તે ઉદયનો આશ્રયરૂપ હોવાથી નિજ દોષ જાણી તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા, નિવૃત્ત !
કેવળ માત્ર પ્રારબ્ધ હોય, અને અન્ય કર્મદા વર્તતી ન હોય તો તે
૧૬૮
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org