________________
પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે છે, પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંતપર્યત નિષ્ઠાભેદષ્ટિ ન થાય, અને તને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું !
જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુદી શ્રેય એ છે કે, તેને વિષે ત્યાગબુદ્ધિ ભજવી, આ વાત વિચારી હે જીવ! હવે તું અલ્પકાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત ! છે(હાથનોંધ-૧, પૃ. ૧૧૮) ૫૦
ત્રણે કાળમાં જે વસ્તુ જાયંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. કોઈપણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં, સ્વપણાનો ત્યાગ કરી
શકે નહીં. પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવથી) સ્વપરિણામી છે. તે છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે.
જે ચેતન છે, તે કોઈ દિવસ અચેતન થાય નહીં; જે અચેતન છે તે કોઈ દિવસ ચેતન થાય નહીં. (હાથનોંધ-૧, પૃ. ૧૨૪) ૩૦
જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે.
વિષયાર્તપણાથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે; કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હોવાથી પોતાનું પણ અનિત્યપણું ભાસે છે. * છે. (હાથનોંધ-૧, પૃ. ૧૩૩) ૧૪
સિદ્ધ આત્મા લોકાલોક પ્રકાશક છે, પણ લોકાલોકવ્યાપક નથી, વ્યાપક તો સ્વઅવગાહના પ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ઘન છે, એટલે આત્મદ્રવ્ય લોકોલોકવ્યાપક નથી પણ લોકાલોકપ્રકાશક એટલે લોકાલોકજ્ઞાયક છે. લોકાલોક પ્રત્યે
મોક્ષમાર્ગ પ્રકાશ
996
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org