________________
ઓગણીસર્સે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસર્સે ને બેંતાલીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય. ઓગણીસર્સે ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા,નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય. ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે પંચ રે. ધન્ય.
વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈરે, ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય. યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય.
આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય.
અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય. (હાથનોંધ-૧, પૃ. ૮૭)
૩૭
જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે.
જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.
(હાથનોંધ-૧, પૃ. ૮૯)
૩૮
સર્વસંગ મહાશ્રવરૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે, તે સત્ય છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
१५७
www.jainelibrary.org