________________
“અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ! અને તે શું કરવાથી થાય ?”
આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે, અને એ વાક્યમાં કહેલી ચિતના કર્યા વિના, તેને માટે દૃઢ થઈ ઝૂર્યા વિના, માર્ગની દિશાનું છે પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી અને ભવિષ્યકાળે પણ નહીં છે ' થશે. અમે તો એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું ! છે. ત્યારપછી બીજું જાણવું શું ? તે જણાય છે.
) પત્ર ક્રમાંક ૧૯૬ઃ મુનિશ્રી જીવને બે મોટાં બંધન છે; એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છેદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે. તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે. 4. ના, ) પત્ર ક્રમાંક ૧૯૭: સૌ. ૪
આપનું આનંદરૂપ પત્ર મળ્યું, તેવા પત્રમાં દર્શનની તૃષા વધારે છે.
જ્ઞાનના ‘પરોક્ષ-અપરોક્ષ' વિષે પત્રથી લખી શકાય તેમ નથી, પણ જ સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જો અસંગતાની
સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણ 1 કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. અને તે જ વાટ તેનાં દર્શનની 1
છે; આ ઉપાધિ યોગમાં એ દર્શન ભગવત થવા દેશે નહીં, એમ તે મને પ્રેરે છે; માટે એકાંતવાસીપણે જ્યારે થવાશે ત્યારે ચાહીને ભગવતે રાખેલો પડદો એક થોડા પ્રયત્નમાં ટળી જશે. આટલા ખુલાસા સિવાય બીજો પત્ર વાટે ન કરી શકાય.
હાલમાં આપના સમાગમ વિના આનંદનો રોધ છે.
૨૬
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org